વ્યાપાર

GBS ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે સુરતમાં મેગા બિઝનેસ કોન્ક્લેવ અને ફેશન વીકનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.

 

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું, જેમાં દેશભરના ઉદ્યોગસાહસિકો, વ્યવસાય નિષ્ણાતો અને ડિઝાઇનરોએ હાજરી આપી.

સુરત. મેડ-ઇન-ઇન્ડિયા બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ, ગ્લોબલ બિઝનેસ સોશિયલ (GBS), એ તેની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે 20 અને 21 જૂનના રોજ સુરતના સરસાના પ્લેટિનમ હોલ ખાતે GBS રાઇઝઅપ બિઝનેસ કોન્ક્લેવ અને ફેશન વીક 2026નું સફળતાપૂર્વક આયોજન કર્યું. બે દિવસીય કાર્યક્રમમાં દેશભરના ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, વ્યવસાય માર્ગદર્શકો, ઉદ્યોગ નિષ્ણાતો અને ફેશન ડિઝાઇનરોએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. જીગ્નેશ પાટીલ અને તેમના પરિવારે, પોલીસ કમિશનરની પત્ની સાથે, ફેશન વીકમાં ખાસ મહેમાનો તરીકે હાજરી આપી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સભ્યોને નવી વ્યવસાયિક તકો પૂરી પાડવાનો, પરસ્પર નેટવર્કિંગને મજબૂત બનાવવાનો અને GBS ની એક વર્ષ સુધીની સફળ સફરની ઉજવણી કરવાનો હતો.

બે દિવસીય કાર્યક્રમમાં વિવિધ બિઝનેસ સત્રો, ફાયરસાઇડ વાર્તાલાપ, મહિલા વિંગ ચેપ્ટરનું લોન્ચિંગ, ગાલા ડિનર, એવોર્ડ સમારોહ અને સાંસ્કૃતિક પ્રદર્શનનો સમાવેશ થતો હતો. સહભાગીઓને વિવિધ ક્ષેત્રોના સફળ ઉદ્યોગસાહસિકો અને નિષ્ણાતો સાથે શીખવાની અને નેટવર્ક કરવાની તક મળી.

મુખ્ય વક્તાઓમાં બિઝનેસ કોચ અને રોકાણકાર બસેશ ગાલા, કોમ્યુનિકેશન કોચ દિવાસ ગુપ્તા અને પર્સનલ બ્રાન્ડિંગ કોચ માનસી વાય. તીથકરનો સમાવેશ થતો હતો. દરેક વક્તાએ ઉદ્યોગસાહસિકતા, નેતૃત્વ, કોમ્યુનિકેશન કૌશલ્ય, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), પર્સનલ બ્રાન્ડિંગ, નેટવર્કિંગ અને બિઝનેસ વિકાસ જેવા વિષયો પર પોતાના અનુભવો અને મૂલ્યવાન માર્ગદર્શન શેર કર્યું.

આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ GBS ફેશન વીક 2026 હતું. ફેશન વીકમાં કુલ 10 થીમ-આધારિત ડિઝાઇનર શ્રેણી રજૂ કરવામાં આવી હતી, જેમાં છ મહિલા અને ચાર પુરુષ ડિઝાઇનરો હતા. સુરત, મુંબઈ, દિલ્હી અને જયપુર સહિત દેશભરના વિવિધ શહેરોના ડિઝાઇનરોએ તેમના વિશિષ્ટ સંગ્રહો અને સર્જનાત્મક ડિઝાઇનો પ્રદર્શિત કરી હતી.

ફેમિના મિસ ઇન્ડિયા વિજેતા સાધ્વી સેઇલે સેલિબ્રિટી શોસ્ટોપર તરીકે રેમ્પ પર વોક કર્યું. તેમની હાજરીએ ઇવેન્ટની ભવ્યતામાં વધારો કર્યો અને ફેશન વીકમાં એક ખાસ આકર્ષણ ઉમેર્યું.

આ કાર્યક્રમ સુરતને વ્યવસાય, ઉદ્યોગસાહસિકતા અને સર્જનાત્મક ઉદ્યોગો માટે વિકસતા કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું, જે ઉભરતા અને સ્થાપિત ડિઝાઇનરોને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. GBS સમિતિની ટીમ, સભ્યો અને સહાયક ભાગીદારોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

21BY72 સ્ટાર્ટઅપ સમિટનો પ્રારંભ, પ્રથમ દિવસે 5 હજારથી વધુ સહભાગીઓ ઉમટ્યા

 

– ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ઉદ્યોગસાહસિકતા અને ઇનોવેશન પર મંથન, સ્ટાર્ટઅપ જગતની અગ્રણી હસ્તીઓએ પણ ઉપસ્થિત રહી સુરત: દેશના અગ્રણી સ્ટાર્ટઅપ આયોજનોમાં સ્થાન ધરાવતા 21BY72 સીઝન-5નો પ્રારંભ શુક્રવારે સુરતના અવધ યુટોપિયામાં થયો હતો. સમિટના પ્રથમ દિવસે 5 હજારથી વધુ સહભાગીઓની હાજરીએ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો. કાર્યક્રમમાં ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા અને રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગસાહસિકતા તથા ઇનોવેશનને આપવામાં આવી રહેલા પ્રોત્સાહન પર પ્રકાશ પાડ્યો હતો. સમિટમાં યુવા ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને ઉદ્યોગ જગત સાથે જોડાયેલા પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વિવિધ સત્રોમાં અશનીર ગ્રોવર, ઝહીર ઈકબાલ, અંગદ બેદી તેમજ અર્જુન વૈદ્યે પોતાના અનુભવો શેર કર્યા હતા. વક્તાઓએ સ્ટાર્ટઅપ સામે આવતી પડકારજનક પરિસ્થિતિઓ, વ્યક્તિગત બ્રાન્ડ નિર્માણ, વ્યવસાયમાં આવતાં ઉતાર-ચઢાવ અને સફળતાના સૂત્રો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
આયોજન સ્થળે ઉભા કરાયેલા પ્રદર્શન ક્ષેત્રમાં પણ દિવસભર ભારે ચહલપહલ જોવા મળી હતી. અહીં સ્ટાર્ટઅપ સ્થાપકો, રોકાણકારો અને વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગ પ્રતિનિધિઓ વચ્ચે સંવાદ, નેટવર્કિંગ તથા સંભવિત ભાગીદારી અંગે ચર્ચાઓનો દોર ચાલુ રહ્યો હતો. આયોજકોના જણાવ્યા મુજબ સમિટના પ્રથમ દિવસે મળેલા ઉત્સાહજનક પ્રતિસાદે કાર્યક્રમ માટે નવા માપદંડ સ્થાપિત કર્યા છે. બીજા દિવસે પણ અનેક મહત્વપૂર્ણ સત્રો, રોકાણકારો સાથે સંવાદ અને નવાચાર આધારિત કાર્યક્રમો યોજાનાર છે, જેના કારણે સ્ટાર્ટઅપ ક્ષેત્રને નવી તકો પ્રાપ્ત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Ajay’s Cafe એ ભુજમાં પ્રથમ આઉટલેટ લોન્ચ કરવા સાથે કચ્છમાં પ્રવેશ કર્યો : આગામી દિવસોમાં સમગ્ર પ્રદેશમાં નવા 8-10 કાફે શરૂ કરવાની યોજના

 

ગુજરાત રાજ્યમાં 272 આઉટલેટ્સ સાથે, કચ્છમાં આ નવું વિસ્તરણ, આ બ્રાન્ડની પ્રાદેશિક વિકાસ, રોજગાર સર્જન અને સમગ્ર ગુજરાતમાં તેની હાજરીને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે

ભુજ, ગુજરાત | 18 જૂન, 2026 : ગુજરાતની સૌથી મોટી અને અગ્રણી કાફે ચેઇન્સ, Ajay’s Cafe એ 18 જૂન, 2026 ના રોજ ભુજમાં તેનું પ્રથમ આઉટલેટ લોન્ચ કરવા સાથે કચ્છ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. આ નવીનતમ શરૂઆત, એ બ્રાન્ડની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે અને સમગ્ર ગુજરાતમાં તેની હાજરી વિસ્તારવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

ખાસ નોંધનીય છે કે, 272 આઉટલેટ્સનું નેટવર્ક બનાવ્યા પછી, Ajay’s Cafe રાજ્યના સૌથી વ્યાપક રીતે હાજરહાજર સંગઠિત કાફે બ્રાન્ડ્સમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. કચ્છમાં કંપનીનો પ્રવેશ તેની લાંબાગાળાની વૃદ્ધિ વ્યૂહરચનાનો એક ભાગ છે, જેનો હેતુ ઉભરતા ગ્રાહક બજારોને સર્વિસ આપવા અને પ્રાદેશિક સ્તરે આર્થિક વિકાસને ટેકો આપવાનો છે.

ભુજ આઉટલેટ, એ કચ્છમાં Ajay’s Cafe ના સફરની શરૂઆત દર્શાવે છે. આ પ્રદેશના વધતા આર્થિક મહત્વ અને વિકસતા ગ્રાહકવર્ગ આધારે, કંપનીએ આગામી દિવસોમાં સમગ્ર કચ્છમાં 8 થી 10 આઉટલેટ્સ શરૂ કરવાની યોજના બનાવી છે. તેનાથી ગ્રાહકો માટે વધુ સુલભતા ઉપરાંત સ્થાનિક સ્તરે રોજગાર અને વ્યવસાયની નવી તકો પણ ઉભી થશે.

આ લોન્ચીંગ પ્રસંગે, Ajay’s Cafe ના સંસ્થાપક ડિરેક્ટર અજય સોલંકીએ જણાવ્યું હતું કે, “ભુજમાં અમારા પ્રથમ આઉટલેટનું લોન્ચિંગ, એ ખરેખર Ajay’s Cafe માટે એક માઇલસ્ટોન છે અને ગુજરાતની વિકાસગાથામાં એક મહત્વપૂર્ણ પગલું છે. કચ્છ રાજ્યના સૌથી આશાસ્પદ પ્રદેશોમાંનો એક છે, જ્યાં ઝડપી આર્થિક વિકાસ અને સતત વધતી જતી ગ્રાહક માંગ જોવા મળી રહી છે. અમને અહીં ગ્રોથની અસીમ સંભાવનાઓ દેખાઈ રહી છે અને અમે સમગ્ર પ્રદેશમાં મજબૂત હાજરી માટે પ્રતિબદ્ધ છીએ. અમારું વિઝન આગામી દિવસોમાં કચ્છમાં 8 થી 10 કાફે સ્થાપિત કરવાનું છે, જે સ્થાનિક સ્તર પર રોજગાર અને આર્થિક વિકાસમાં યોગદાન આપશે તેમજ અમારી બ્રાન્ડને વધુ સુલભ બનાવશે.”

ઉલ્લેખનીય છે કે, કચ્છમાં વિસ્તરણ એ સમયે થઈ રહ્યું છે, જ્યારે Ajay’s Cafe ગુજરાતની અગ્રણી સંગઠિત કાફે ચેઇન્સ તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત કરી રહ્યું છે. નવસારીમાં તેની શરૂઆત પછી, આ બ્રાન્ડે રાજ્યમાં સતત વિસ્તરણ કર્યું છે, 270 થી વધુ આઉટલેટ્સનું નેટવર્ક બનાવ્યું છે અને શહેરી તેમજ ઉભરતા બજારોમાં ગ્રાહકોને નિરંતર સર્વિસ આપી રહી છે.

કંપની પ્રબળ માને છે કે, આ પ્રદેશની વધતી જતી આર્થિક પ્રવૃત્તિ, માળખાગત વિકાસ, પ્રવાસન સંભાવના અને વિસ્તરતા ગ્રાહકવર્ગને ધ્યાનમાં લઈએ, તો કચ્છ એ વિકાસના કુદરતી આગામી તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે. ભુજમાં તેની હાજરી સ્થાપિત કરીને અને સમગ્ર જિલ્લામાં વધુ વિસ્તરણની યોજના બનાવીને, Ajay’s Cafe પ્રદેશના વિકસતા રિટેલ અને લાઇફસ્ટાઇલ ઇકોસિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ બનવાનો ઉદ્દેશ ધરાવે છે.

આ વિસ્તરણ એવા સમયે થયું છે, જ્યારે Ajay’s Cafe ને ગુજરાતના સંગઠિત કાફે ઉદ્યોગમાં તેના યોગદાન માટે માન્યતા મળી રહી છે. હાલમાં જ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રજૂ કરાયેલા પ્રતિષ્ઠિત પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સમાં Ajay’s Cafe બ્રાન્ડને “લીડિંગ કાફે ચેઇન ઓફ ધ યર” એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ એવોર્ડ સાથે, બ્રાન્ડની ઉદ્યોગસાહસિક યાત્રા, રોજગાર સર્જનમાં યોગદાન અને રાજ્યમાં સંગઠિત કાફે ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં ભજવેલી ભૂમિકાને સ્વીકૃતિ આપવામાં આવી હતી.

વધુમાં, ઉદ્યોગમાં તેની ઓળખને વધુ મજબૂત બનાવતા, Ajay’s Cafe ને ET નાઉ દ્વારા “વર્ષની સૌથી લોકપ્રિય કાફે ચેઇન” એવોર્ડ તરીકે પણ માન્યતા આપવામાં આવી હતી. આ એવોર્ડ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની હાજરીમાં એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આ બ્રાન્ડને ફૂડ કોનોઇસર્સ ઇન્ડિયા એવોર્ડ્સમાં ‘બેસ્ટ ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ ચેઇન – વેસ્ટ ઇન્ડિયા 2026’ માટે પણ માન્યતા મળી છે, જે ગ્રાહકો અને ઉદ્યોગમાં તેની વધતી જતી લોકપ્રિયતા દર્શાવે છે.

આ લોન્ચીંગ, બ્રાન્ડનું સંગઠિત કાફે અનુભવોને મુખ્ય મહાનગરો અને હાઈ પોટેન્શિયલ રીજીઓનલ માર્કેટ સુધી આગળ લઈ જવાનું વ્યાપક વિઝન પણ દર્શાવે છે. Ajay’s Cafe તેની વિસ્તરણ યાત્રા આગળ વધારવાની સાથે, રોજગારીની તકો ઊભી કરવા, સ્થાનિક અર્થતંત્રોને ટેકો આપવા અને ગુજરાત અને પશ્ચિમ ભારતમાં તેની હાજરીને મજબૂત બનાવવા પર ફોકસ કરી રહી છે.

Ajay’s Cafe વિશે માહિતી :

Ajay’s Cafe ની સ્થાપના વર્ષ 2014માં થઈ હતી. તે ભારતની સૌથી ઝડપથી વિકસતી શાકાહારી ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) ચેઇન્સમાંની એક છે, જે તમામ લોકો માટે ક્વોલિટી ફૂડને વ્યાજબી ભાવે અને બધા માટે સુલભ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. Ajay’s ગુડ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત, આ બ્રાન્ડ ગુજરાતના નવસારી ખાતે તેના પ્રથમ આઉટલેટથી આજે અનેક શહેરોમાં ઝડપથી વિસ્તરતા કાફે નેટવર્કમાં વિકસી છે, જે લાખો ગ્રાહકોને તેની સિગ્નેચર કોલ્ડ કોફી, બર્ગર, પિઝા અને અન્ય લોકપ્રિય કાફે ઓફરિંગ સાથે સર્વિસ આપી રહી છે.

“હેપ્પી વાલી ફીલીંગ” ની ફિલસૂફી પર નિર્મિત, Ajay’s Cafe ની સ્થાપના અજય સોલંકી અને જયદીપ સોલંકી ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી. તેમણે એક એવી લોકો-કેન્દ્રિત ફૂડ બ્રાન્ડ બનાવવાની કલ્પના કરી હતી, જેની ક્વોલિટી બેસ્ટ હોવા સાથે તે પોષણક્ષમ ભાવે ઉપલબ્ધ હોય. અત્યાધુનિક 45,000 ચોરસ ફૂટ પ્રોડક્શન ફેસીલીટી અને ઇન-હાઉસ ટેસ્ટિંગ લેબોરેટરી દ્વારા સમર્થિત, કંપની તેના ઉત્પાદનોમાં કડક ગુણવત્તા ધોરણો અને સુસંગતતા જાળવી રાખે છે. તેની મજબૂત સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમ દરેક આઉટલેટ પર સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરે છે, જેનાથી ગ્રાહકો દરેક મુલાકાત સાથે તાજા અને ઉચ્ચ-ગુણવત્તાવાળા ખોરાકનો આનંદ માણી શકે છે.

Ajay’s Cafeનું મિશન સારું, સ્વાદિષ્ટ અને બધા માટે સુલભ ભોજન પીરસવાનું છે. આની સાથે જ, તે 2030 સુધીમાં ભારતની સૌથી મોટી QSR ચેઇન બનવાનું વિઝન ધરાવે છે. ગ્રાહકોને કેન્દ્રમાં રાખવા સાથે નૈતિક વ્યવસાયિક પ્રથાઓ, સતત સુધારણા દ્વારા આ બ્રાન્ડ મૂલ્ય-આધારિત ફૂડ અનુભવો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે તેની પહોંચનો વિસ્તાર કરવાનું જારી રાખે છે.

સફળ ફૂડ બ્રાન્ડ બનાવવા ઉપરાંત, Ajay’s Cafe એ એક સમૃદ્ધ ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ બનાવી છે, તેના ફ્રેન્ચાઇઝ નેટવર્ક દ્વારા 200+ ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવ્યા છે તેમજ તેના ઓપરેશન્સ અને પાર્ટનર આઉટલેટ્સમાં લગભગ 1,000 વ્યક્તિઓ માટે રોજગારની તકો ઉભી કરી છે.

વધુ માહિતી માટે visit https://ajays.co.in/ ની વિઝીટ કરો.

વર્લ્ડ મોટરસાયકલ ડે – 2026″ નિમિત્તે Ajay’s Cafe અને GMRA ભાઈચારા અને જવાબદાર મોટરસાયકલિંગની ભાવનાની ઉત્સાહભેર ઉજવણી કરશે

 

મોટરસાયકલિંગની ભાવનાની ઉજવણી કરવા માટે દમણમાં 20-21 જૂને મોટી સંખ્યામાં રાઇડર્સ એકત્રિત થશે : આ પહેલ એક મજબૂત સંદેશ આપે છે કે, ‘દરેક રાઇડનો અંત સલામત રીતે ઘરે પાછા ફરવા સાથે થવો જોઈએ’

સુરત, ગુજરાત, 18 જૂન, 2026: ગુજરાતની અગ્રણી કાફે અને ફૂડ બ્રાન્ડ્સ, Ajay’s Cafe દ્વારા દમણના લે વિનો ખાતે 20-21 જૂન, 2026 ના રોજ “વર્લ્ડ મોટરસાયકલ ડે – 2026” ઈવેન્ટની શાનદાર ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી માટે બ્રાંડ દ્વારા ગુજરાત મોટરસાયકલ રાઇડર્સ એસોસિએશન (GMRA) સાથે સહયોગની જાહેરાત કરવામાં આવી છે. આ ઈવેન્ટના માધ્યમ થકી Ajay’s Cafe અને GMRA સમાજમાં સુરક્ષિત રાઇડિંગનો મજબૂત સંદેશો આપશે.

બે દિવસની આ ઈવેન્ટમાં ગુજરાત અને નજીકના પડોશી પ્રદેશોમાંથી અંદાજીત 160-200 મોટરસાઇકલ સવારો રાઇડિંગ કલ્ચર, મિત્રતા, સાહસ અને જવાબદાર મોટરસાઇકલિંગની ઉજવણી માટે ભેગા થશે તેવી આશા છે. GMRA દ્વારા યોજાનારા આ કાર્યક્રમમાં ઓફ-રોડ રાઇડિંગ અનુભવ, પૂલ પાર્ટી, રમતો, મનોરંજન સત્રો, નેટવર્કિંગ તકો અને સમુદાયિક જોડાણ પ્રવૃત્તિઓ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ સામેલ છે.

મોટરસાઇકલના રોમાંચ અને રાઇડર્સમાં ભાઈચારાની ભાવના ઉપરાંત, એસોસિએશનનો ઉદ્દેશ્ય રોડ સેફ્ટી(માર્ગ સલામતી) અને જવાબદાર રાઈડિંગ પર એક મજબૂત સંદેશ આપવાનો છે. આ ભાગીદારી દ્વારા, Ajay’s Cafe અને GMRA રાઇડર્સને યાદ અપાવવાનો પ્રયાસ કરે છે કે, દરેક સફર સુરક્ષિત રીતે પૂર્ણ થવી જોઈએ કારણ કે, રાઇડિંગનો સાચો આનંદ પ્રિયજનો પાસે ઘરે પાછા ફરવામાં રહેલો છે.

આ પહેલ, Ajay’s Cafe ની ખુશી અને એકતાના ક્ષણો બનાવવાના ફિલસૂફીથી પ્રેરિત છે. બ્રાન્ડ માટે, “હેપ્પી વાલી ફીલીંગ” નો મતલબ માત્ર ફૂડ અને ઉજવણી કરવાનો નથી; પરંતુ તે દરેક મુસાફરી પછી જ્યારે તેમના પ્રિયજનો સુરક્ષિત રીતે ઘરે પાછા ફરે છે, તે સમયે પરિવારો દ્વારા અનુભવાતી માનસિક શાંતિ અને આનંદ વિશે પણ સમાન રીતે મહત્વ ધરાવે છે.

આ પહેલ અંગે, Ajay’s Cafe ના સ્થાપક નિર્દેશક શ્રી જયદીપ સોલંકીએ જણાવ્યું હતું કે, “મારા માટે, મોટરસાયકલ ચલાવવી, એ હંમેશા એક શોખ કરતાં વધુ રહ્યું છે. સાચું કહું તો, તે એક જુસ્સો છે, જેણે અમને રાઇડર્સના એક અદ્ભુત સમુદાયનો પરિચય કરાવ્યો છે, જે સાહસ, મિત્રતા અને એકબીજા પ્રત્યે આદરની સમાન ભાવના ધરાવે છે. GMRA ના સભ્યો તરીકે, અમે રાઇડિંગ સમુદાયમાં રહેલા ભાઈચારાની મજબૂત ભાવનાનો જાતે અનુભવ કર્યો છે. ‘વર્લ્ડ મોટરસાયકલ ડે’ સાથે અમારું જોડાણ એ જ ભાવનાની ઉજવણી છે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “Ajay’s Cafe ખાતે, અમારું માનવું છે કે, સૌથી અર્થપૂર્ણ મુસાફરી એ છે, જે યાદો બનાવે છે અને લોકોને એકબીજાની વધુ નજીક લાવે છે. આની સાથે જ, દરેક રાઇટર્સ, ઘરે રાહ જોઈ રહેલા તેમના પ્રિયજનો પ્રત્યે જવાબદારી નિભાવે છે. કોઈપણ રાઈડનો સાચો આનંદ સુરક્ષિત રીતે પાછા ફરવામાં રહેલો છે, કારણ કે ત્યારે જ પરિવારો વાસ્તવિક ‘હેપ્પી વાલી ફીલિંગ’નો અનુભવ કરે છે. અમે રાઈડિંગ સમુદાય અને તેને જોડતા મૂલ્યોની ઉજવણી કરવામાં GMRA સાથે ઉભા રહેવામાં ખુબજ ગૌરવ અનુભવીએ છીએ.”

ઉલ્લેખનીય છે કે, GMRA લાંબા સમયથી જવાબદાર રાઈડિંગ કલ્ચરને પ્રોત્સાહન આપવા તેમજ મોટરસાઇકલ ઉત્સાહીઓમાં ભાઈચારાની મજબૂત ભાવનાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. ‘વર્લ્ડ મોટરસાયકલ ડે’ની ઉજવણી સલામત અને શિસ્તબદ્ધ રાઈડિંગ પ્રેક્ટિસની હિમાયત કરતી વખતે સમાન જુસ્સો ધરાવતા રાઇડર્સને એકસાથે લાવીને આ પ્રતિબદ્ધતાને વધુ મજબૂતી આપશે.

Ajay’s Cafe વિશે માહિતી :

Ajay’s Cafe ની સ્થાપના વર્ષ 2014માં થઈ હતી. તે ભારતની સૌથી ઝડપથી વિકસતી શાકાહારી ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) ચેઇન્સમાંની એક છે, જે તમામ લોકો માટે ક્વોલિટી ફૂડને વ્યાજબી ભાવે અને બધા માટે સુલભ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. Ajay’s ગુડ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત, આ બ્રાન્ડ ગુજરાતના નવસારી ખાતે તેના પ્રથમ આઉટલેટથી આજે અનેક શહેરોમાં ઝડપથી વિસ્તરતા કાફે નેટવર્કમાં વિકસી છે, જે લાખો ગ્રાહકોને તેની સિગ્નેચર કોલ્ડ કોફી, બર્ગર, પિઝા અને અન્ય લોકપ્રિય કાફે ઓફરિંગ સાથે સર્વિસ આપી રહી છે.

“હેપ્પી વાલી ફીલીંગ” ની ફિલસૂફી પર નિર્મિત, Ajay’s Cafe ની સ્થાપના અજય સોલંકી અને જયદીપ સોલંકી ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી. તેમણે એક એવી લોકો-કેન્દ્રિત ફૂડ બ્રાન્ડ બનાવવાની કલ્પના કરી હતી, જેની ક્વોલિટી બેસ્ટ હોવા સાથે તે પોષણક્ષમ ભાવે ઉપલબ્ધ હોય. અત્યાધુનિક 45,000 ચોરસ ફૂટ પ્રોડક્શન ફેસીલીટી અને ઇન-હાઉસ ટેસ્ટિંગ લેબોરેટરી દ્વારા સમર્થિત, કંપની તેના ઉત્પાદનોમાં કડક ગુણવત્તા ધોરણો અને સુસંગતતા જાળવી રાખે છે. તેની મજબૂત સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમ દરેક આઉટલેટ પર સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરે છે, જેનાથી ગ્રાહકો દરેક મુલાકાત સાથે તાજા અને ઉચ્ચ-ગુણવત્તાવાળા ખોરાકનો આનંદ માણી શકે છે.

Ajay’s Cafeનું મિશન સારું, સ્વાદિષ્ટ અને બધા માટે સુલભ ભોજન પીરસવાનું છે. આની સાથે જ, તે 2030 સુધીમાં ભારતની સૌથી મોટી QSR ચેઇન બનવાનું વિઝન ધરાવે છે. ગ્રાહકોને કેન્દ્રમાં રાખવા સાથે નૈતિક વ્યવસાયિક પ્રથાઓ, સતત સુધારણા દ્વારા આ બ્રાન્ડ મૂલ્ય-આધારિત ફૂડ અનુભવો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે તેની પહોંચનો વિસ્તાર કરવાનું જારી રાખે છે.

સફળ ફૂડ બ્રાન્ડ બનાવવા ઉપરાંત, Ajay’s Cafe એ એક સમૃદ્ધ ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ બનાવી છે, તેના ફ્રેન્ચાઇઝ નેટવર્ક દ્વારા 200+ ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવ્યા છે તેમજ તેના ઓપરેશન્સ અને પાર્ટનર આઉટલેટ્સમાં લગભગ 1,000 વ્યક્તિઓ માટે રોજગારની તકો ઉભી કરી છે.

વધુ માહિતી માટે visit https://ajays.co.in/ ની વિઝીટ કરો.

સુરતમાં 13-14 જૂને “21BY72 સીઝન 5” સમિટનું ભવ્ય આયોજન

 

બે દિવસીય આ ઇવેન્ટ ભારતના સ્ટાર્ટઅપ, બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ ઇકોસિસ્ટમને સુરતમાં લાવવા તૈયાર

સુરત: ભારતની અગ્રણી સ્ટાર્ટઅપ સમિટ ‘21BY72’ તેની ઐતિહાસિક સીઝન 5 સાથે 13 અને 14 જૂન, 2026ના રોજ સુરતના અવધ યુટોપિયા ખાતે યોજાવા જઈ રહી છે. અગાઉના ચાર સફળ અને અસરકારક સંસ્કરણો બાદ હવે પાંચમી આવૃત્તિ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

અરહમ શેર દ્વારા પ્રસ્તુત, સંગિની ગ્રુપ દ્વારા સહ-પ્રાયોજિત અને એરિગેટો કેપિટલ દ્વારા આયોજિત ‘21BY72’ આજે ઉદ્યોગસાહસિકતા, નવીનતા, રોકાણ, બિઝનેસ સહયોગ અને ઇકોસિસ્ટમ વિકાસ માટે ભારતના સૌથી ઝડપી વિકસતા પ્લેટફોર્મમાંનું એક બની ગયું છે.

ફાઉન્ડર્સ અને ઇન્વેસ્ટર્સ વચ્ચે મજબૂત જોડાણ ઊભું કરવાના વિઝન સાથે શરૂ થયેલી આ પહેલ આજે એક સમૃદ્ધ ઇકોસિસ્ટમમાં પરિવર્તિત થઈ છે, જે સમગ્ર ભારત તેમજ વિદેશમાંથી ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સ, MSMEs, કોર્પોરેટ્સ, વેન્ચર કેપિટલ ફંડ્સ, એન્જલ ઇન્વેસ્ટર્સ, ફેમિલી ઓફિસ, નીતિ નિર્માતાઓ, વેલ્થ મેનેજર્સ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ, ક્રિએટર્સ, પ્રોફેશનલ્સ, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ અગ્રણીઓને એક જ મંચ પર લાવે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં આ સમિટે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું, સહયોગની તકો ઊભી કરવી, રોકાણ સંબંધિત ચર્ચાઓને વેગ આપવો, નવીનતાને પ્રોત્સાહિત કરવી અને સુરતને સ્ટાર્ટઅપ તથા વેન્ચર કેપિટલ પ્રવૃત્તિઓના ઉભરતા કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

– આ સમિટ તમામ બિઝનેસ અને ઇનોવેશન ઇકોસિસ્ટમ માટે ખુલ્લી

‘21BY72 સીઝન 5’ને ઉદ્યોગસાહસિકતાની યાત્રામાં જોડાયેલા દરેક સ્ટેક હોલ્ડર માટે એક સર્વસમાવેશક પ્લેટફોર્મ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે.

આ સમિટમાં સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, ભાવિ ઉદ્યોગસાહસિકો, MSMEs, બિઝનેસ માલિકો, કોર્પોરેટ લીડર્સ, વેન્ચર કેપિટલ ફંડ્સ, એન્જલ ઇન્વેસ્ટર્સ, ફેમિલી ઓફિસ, પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ્સ, વેલ્થ મેનેજર્સ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ, ઇન્ક્યુબેટર્સ, એક્સેલરેટર્સ, સ્ટાર્ટઅપ એનેબલર્સ, ક્રિએટર્સ, ઇન્ફ્લુએન્સર્સ, પ્રોફેશનલ્સ, સંશોધકો, વિદ્યાર્થીઓ, નીતિ નિર્માતાઓ અને ઇનોવેશનમાં રસ ધરાવતા તમામ લોકોનું સ્વાગત છે.

જે કોઈ મૂડી એકત્રિત કરવા, નવા રોકાણના અવસર શોધવા, વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા, ઉદ્યોગની સમજ મેળવવા, નવીનતા શોધવા, પ્રોડક્ટ્સ અને સર્વિસિસ વિશે જાણવા, નેટવર્ક વિસ્તૃત કરવા અથવા જાણીતા નેતાઓ પાસેથી શીખવા ઇચ્છે છે, તેમના માટે 21BY72 એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડે છે.

ભારતના ઉદ્યોગસાહસિક ભવિષ્ય વિશે જાણવા, જોડાવા, સહયોગ કરવા, રોકાણ કરવા અથવા યોગદાન આપવા ઇચ્છતા દરેક માટે આ સમિટ ખુલ્લી છે.

અગાઉના ચાર સીઝનની સિદ્ધિઓ

* 10,000થી વધુ લોકોની ઉપસ્થિત

* 1,000થી વધુ ઇન્વેસ્ટર્સ અને ઇકોસિસ્ટમ લીડર્સ

* 100થી વધુ વેન્ચર કેપિટલ ફંડ્સ

* 250થી વધુ સ્ટાર્ટઅપ અને બિઝનેસ પ્રદર્શન

* 100થી વધુ સ્પીકર્સ

* 55થી વધુ પેનલ ચર્ચાઓ

* 60થી વધુ લાઇવ સ્ટાર્ટઅપ પિચ

આ આંકડાઓ ઉપરાંત સમિટે હજારો ફાઉન્ડર-ઇન્વેસ્ટર મીટિંગ્સ, વ્યૂહાત્મક ભાગીદારીઓ, બિઝનેસ સહયોગ, સભ્યતા તકો, ઇકોસિસ્ટમ કનેક્શન્સ અને લાંબા ગાળાના સંબંધો ઉભા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

– ‘21BY72 સીઝન 5’ની મુખ્ય વિશેષતાઓ

* 100થી વધુ કંપનીઓ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં પ્રદર્શન

* 70થી વધુ સ્પીકર્સ અને ઉદ્યોગ અગ્રણીઓ

* વેન્ચર કેપિટલ ફંડ્સ, એન્જલ ઇન્વેસ્ટર્સ અને ફેમિલી ઓફિસની ભાગીદારી

* સ્ટાર્ટઅપ પિચિંગની તક

* ફંડરેઇઝિંગ અને ઇન્વેસ્ટર કનેક્ટ સત્રો

* વ્યૂહાત્મક ભાગીદારીની તકો

* ફાઉન્ડર-ઇન્વેસ્ટર નેટવર્કિંગ

* ઉદ્યોગ આધારિત પેનલ ચર્ચાઓ

* ફાયરસાઇડ ચેટ્સ

* બિઝનેસ સહયોગની તકો

* ઇકોસિસ્ટમ નેટવર્કિંગ સત્રો

* જ્ઞાન વહેંચણી અને શીખવાની તક


જાણીતા સ્પીકર્સ :-

પ્રતિક ગાંધી, અંગદ બેદી, ઝહીર ઇકબાલ, પારુલ ગુલાટી, મનન વોહરા, અર્જુન વૈદ્ય, સાર્થક આહુજા તેમજ ‘શાર્ક ટેન્ક ઇન્ડિયા’ના પ્રથમ સીઝનના રોકાણકાર શાર્ક અશ્નીર ગ્રોવર સહિત અનેક ફાઉન્ડર્સ, ઇન્વેસ્ટર્સ, નીતિ નિર્માતાઓ, ક્રિએટર્સ અને ઉદ્યોગ નિષ્ણાતો ઉપસ્થિત રહેશે.

અગ્રણીઓના શુભેચ્છા સંદેશ

* ભુપેન્દ્ર પટેલ – માનનીય મુખ્યમંત્રી, ગુજરાત

* સી.આર. પાટીલ – માનનીય કેન્દ્રીય મંત્રી

* હર્ષ સંઘવી – માનનીય રાજ્યમંત્રી, ગુજરાત

* એમ. નાગરાજન, IAS – મ્યુનિસિપલ કમિશનર, સુરત

* તેજસ પરમાર, IAS – જિલ્લા કલેક્ટર, સુરત

* સ્વરૂપ પી., IAS – ઇન્ડસ્ટ્રીઝ કમિશનર, ગુજરાત સરકાર

* બંછાનિધિ પાની, IAS – મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ

સમિટ પાછળના દ્રષ્ટાવાન ફાઉન્ડર્સ

રચિત પોદ્દાર ફાઉન્ડર – 21BY72 રચિત ગ્રુપ 3C’s & Co. સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર

CA પ્રતિક તોસનીવાલ ફાઉન્ડર – 21BY72 પાર્ટનર, MICS ઇન્ટરનેશનલ સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર

CA મહુલ શાહ ફાઉન્ડર – 21BY72 પાર્ટનર, રસેશ શાહ એન્ડ કંપની સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર

શરદ તોદી, ફાઉન્ડર – 21BY72 ડિરેક્ટર, શાર્ડ ફિનલીઝ કો-ફાઉન્ડર, નેક્સજેન ન્યુટ્રિશન સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર

– નેતૃત્વના વિચારો

રચિત પોદ્દારે જણાવ્યું કે, “21BY72ની શરૂઆત ઉદ્યોગસાહસિકોને યોગ્ય લોકો, મૂડી, જ્ઞાન અને તકો સાથે જોડવાના હેતુથી કરવામાં આવી હતી. આજે તે માત્ર એક ઇવેન્ટ નહીં પરંતુ એક મજબૂત સમુદાય બની ગયું છે. સુરતને વૈશ્વિક સ્તરે ઇનોવેશન, ઇન્વેસ્ટમેન્ટ અને ઉદ્યોગસાહસિકતાના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો અમારો હેતુ છે.”

CA પ્રતિક તોસનીવાલે જણાવ્યું કે, “આવનાર દાયકાઓ ઉદ્યોગસાહસિકોની છે. ફાઉન્ડર્સને માત્ર મૂડી નહીં, પરંતુ નેટવર્ક, માર્ગદર્શન, વ્યૂહાત્મક સહયોગ અને નવી તકોની પણ જરૂર છે. 21BY72 આ તમામ હિતધારકોને જોડતું સેતુ છે.”

CA મહુલ શાહે જણાવ્યું કે, “જ્યારે નવીનતા, મૂડી, અનુભવ અને અસરકારક અમલીકરણ એકસાથે આવે છે ત્યારે મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ થાય છે. 21BY72 એવું પ્લેટફોર્મ બની ગયું છે જ્યાં ચર્ચાઓ વાસ્તવિક પરિણામોમાં ફેરવાય છે.”

શરદ તોદીએ જણાવ્યું કે, “ઉદ્યોગસાહસિકતા આર્થિક વિકાસ, નવીનતા અને રોજગાર સર્જનનું શક્તિશાળી સાધન છે. અમે એવું વાતાવરણ ઊભું કરવા માંગીએ છીએ જ્યાં વિચારો સફળ વ્યવસાયોમાં રૂપાંતરિત થઈ શકે.”

– સુરતની વૈશ્વિક સ્ટાર્ટઅપ સ્ટોરીનું નિર્માણ

છેલ્લા કેટલાક વર્ષોમાં 21BY72એ અમન ગુપ્તા, અનુપમ મિત્તલ, ગઝલ અલાઘ, રાજ શમાની, અઝહર ઇકબાલ, ડૉ. એ. વેલુમણિ, વિજય કેડિયા, સાઇના નેહવાલ, નેહા ધૂપિયા, રાધિકા મદાન, ચાહત ખન્ના, ગણેશપ્રસાદ શ્રીધરન સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોને હોસ્ટ કર્યા છે.

આ સમિટ સમગ્ર ભારત તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાંથી ભાગીદારી આકર્ષી રહી છે, જેના કારણે સુરત ઇનોવેશન, ઉદ્યોગસાહસિકતા, રોકાણ અને બિઝનેસ સહયોગના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.

21BY72 હવે તેની પાંચમી સીઝનમાં પ્રવેશી રહ્યું છે અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું, નવીનતાને વેગ આપવો, રોકાણને સરળ બનાવવું અને ભારતની લાંબા ગાળાની વિકાસ યાત્રામાં યોગદાન આપવાનું પોતાનું મિશન આગળ વધારી રહ્યું છે.

‘21BY72 સીઝન 5’નું આયોજન 13-14 જૂન, 2026ના રોજ અવધ યુટોપિયા, સુરત, ગુજરાત ખાતે થશે.

નોંધણી અને વધુ માહિતી માટે www.21by72.com ની મુલાકાત લો…

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ આગામી પેઢીના ઓટોમોટિવ ઉત્પાદન માટે વિશ્વકક્ષાનું પેટન્ટ ધરાવતું, આયાત પૂરકને ટેકો આપતું સ્ટીલ જૈગ્નેલિસ® પ્રોટેક્ટ લોન્ચ કર્યું

 

• સ્થાનિક સ્તરે ઉત્પાદિત, પ્રિમિયમ કોટેડ સ્ટીલ બ્રાન્ડ પૂરવઠાની શૃંખલાને મજબૂત બનાવે છે અને આત્મનિર્ભર ભારત વિઝનમાં યોગદાન આપે છે. • યુરોપિયન બજારોમાં પ્રોડક્ટની સફળતાને આધારે પ્રથમ વખત ભારતમાં રજૂ કરવામાં આવ્યું છે. • એક અન્ય પેટન્ટ પ્રોડક્ટની સાથે, કંપની મૂલ્યવર્ધિત સ્ટીલ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરે છે.

હજીરા – સુરત, જૂન 17, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)એ આજે ઉચ્ચ પ્રદર્શનનાં ઓટોમોટિવ એપ્લિકેશન્સ માટે ડિઝાઇન કરવામાં આવેલી પ્રિમિયમ ઝિંક-એલ્યુમિનિયમ-મેગ્નેશિયમ કોટેડ સ્ટીલ બ્રાન્ડ જૈગ્નેલિસ® પ્રોટેક્ટનાં લોન્ચની જાહેરાત કરી છે.

યુરોપિયન બજારોમાં પૂરવાર થયેલા આર્સેલરમિત્તલના પેટન્ટ ધરાવતા જૈગ્નેલિસ® પ્રોટેક્ટ કોટિંગ્સ વિશ્વના ત્રીજા મોટા ઓટોમોટિવ ઉત્પાદક ભારતમાં પ્રથમ પ્રકારની ઉત્પાદન ક્ષમતાને દર્શાવે છે.

અત્યાર સુધી, તુલનાત્મક ટેકનોલોજીકલ ક્ષમતા અને ગુણવત્તાની સ્ટીલ પ્રોડક્ટ્સ સંપૂર્ણપણે આયાત કરવામાં આવતી હતી. ચેન્નઇમાં મુખ્ય ગ્રાહકોનાં જૂથની હાજરીમાં આ લોન્ચની સાથે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા ઓટોમોટિવ એપ્લિકેશન્સ માટે ઉચ્ચ ગુણવત્તા, પ્રિમિયમ ઝિંક-એલ્યુમિનિયમ-મેગ્નેશિયમ કોટેડ સ્ટીલ બ્રાન્ડને રજૂ કરનારી પ્રથમ કંપની બની છે, જે તેના ટેકનોલોજી નેતૃત્ત્વને મજબૂત બનાવે છે.

ઓટોમોટિવ ઉત્પાદકો સ્થાનિક અને વૈશ્વિક બજારો બંનેમાં વધુ સ્પર્ધાત્મક બનવા માટે ટકાઉતા, પ્રદર્શન, સુરક્ષા અને ઉત્પાદન સુસંગતતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોવાની સાથે વિશ્વકક્ષાની, ઉચ્ચ પ્રદર્શનની ઓટોમોટિવ સ્ટીલ બ્રાન્ડ જૈગ્નેલિસ® પ્રોટેક્ટ તેમને ટૂંકા લીડ સમય, સુસંગત ગુણવત્તા અને સુધરેલા પૂરવઠાની ખાતરીમાંથી લાભ મેળવવા સક્ષમ બનાવશે.

જૈગ્નેલિસ® પ્રોટેક્સનો પ્રારંભિક ઉપયોગ મોટર કપ્સમાં થશે – આ બારી, અરિસા, વાઇપર્સ અને સીટ્સમાં ઉપયોગમાં લેવામાં આવતી ડાઇરેક્ટ-કરન્ટ મોટર્સ માટે મહત્ત્વપૂર્ણ એન્કલોઝર્સ છે. દરેક કારમાં આવી 20-30 મોટર્સ તૈનાત કરવામાં આવતી હોવાની સાથે આ પ્રોડક્ટ સુધારેલા પ્રદર્શન મારફતે તાત્કાલિક મૂલ્ય પૂરું પાડે છે.

હાલમાં, ભારતમાં ઉપયોગમાં લેવામાં આવતા અંદાજિત 8-10% મહત્ત્વપૂર્ણ ઓટોમોટિવ સ્ટીલ ગ્રેડ્સની આયાત કરવામાં આવે છે, જેનું કારણ મોટે ભાગે કોટિંગ અને ધાતુશાસ્ત્રની જટીલતા છે.

ભારતમાં વાર્ષિક ધોરણે 30 મિલિયનથી વધુ વાહનોનું ઉત્પાદન અને ઓટોમોટિવ માગ ઉચ્ચ-ગુણવત્તાયુક્ત, કાટપ્રતિરોધક અને હળવા વજનની સામગ્રી તરફ વળી રહી હોવાની સાથે અદ્યતન કોટેડ સ્ટીલનું સ્થાનિકીકરણ સેક્ટરની વૃદ્ધિના આગામી તબક્કામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

શ્રી રંજન ધર, ડાયરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટ – સેલ્સ અને માર્કેટિંગ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)એ જણાવ્યું હતું કે, “જૈગ્નેલિસ® પ્રોટેક્ટનું લોન્ચ ઉચ્ચ-ગુણવત્તા અને ઉચ્ચ-પ્રદર્શનના સ્ટીલ ઉકેલ મારફતે દેશની ઓટોમોટિવ ઉત્પાદન સક્ષમતાઓને અદ્યતન કરવાની અમારી વચનબદ્ધત્તાને પ્રતિબિંબિત કરે છે.

આ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઓટોમોટિવ ઇકોસિસ્ટમને ટેકો આપવા તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું દર્શાવે છે.

અમે અમારા બ્રાન્ડની ટેગલાઈન, ‘સ્માર્ટર સ્ટીલ્સ, બ્રાઇટર ફ્યુચર્સ’ને સુસંગત મૂલ્યવર્ધિત સ્ટીલ ઉકેલનો પોર્ટફોલિયો વિસ્તારી રહ્યા છીએ. ભારત ટેકનોલોજી આધારિત ઓટોમોટિવ ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રીત કરતો હોવાથી અદ્યતન સ્ટીલનો એક્સેસ મહત્ત્વપૂર્ણ બને છે.

અમારી મૂળ કંપનીઓ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલની અજોડ ટેકનોલોજી અને કૌશલ્ય દ્વારા સમર્થિત અમે આ વિશ્વકક્ષાની, આયાત-પૂરક પ્રોડક્ટ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. આ ઓટોમોટિવ કંપનીઓને આત્મનિર્ભર ભારત વિઝનમાં અર્થપૂર્ણ યોગદાન આપીને વૈશ્વિક ધોરણોને પૂર્ણ કરવામાં સક્ષમ બનાવશે.”

વૈશ્વિક સ્તરે, જૈગ્નેલિસ® પ્રોટેક્ટ કોટિંગ્સ પરંપરાગત ગેલ્વેનાઇઝ્ડ (જીઆઇ) કોટિંગ્સ, ખાસ કરીને કટ એજ, હેમ ફ્લેન્જિસ, અને ફોર્મ્ડ ભાગો, કે જ્યાં ઓટોમોટિવ પૂરજાઓમાં સામાન્યપણે સૌથી પહેલા કાટ લાગે છે, તેની તુલનામાં નોંધપાત્ર રીતે ઉચ્ચ કાટપ્રતિરોધકતા પૂરી પાડવા માટે ઓળખાય છે. નવી બ્રાન્ડ અપવાદરૂપ કાટપ્રતિરોધકતા, સેલ્ફ-હિલિંગ સુરક્ષા, ઉત્કૃષ્ટ ડ્રોવેબિલિટી, અને વિશ્વસનીય વેલ્ડેબિલિટી પ્રદાન કરે છે. સ્થાનિક ઉત્પાદન પૂરવઠા શૃંખલાની કાર્યક્ષમતા અને ગુણવત્તાની સુસંગતતા સુધારશે, જે ગ્રાહકોને કાર્યાત્મક પ્રદર્શન અને સ્પર્ધાત્મક લાભ બંનેને મજબૂત કરવામાં સહાય કરશે.

લોન્ચની શરૂઆત મોટર કપ્સ પર આરંભિક ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે થઈ હતી, જ્યારે જૈગ્નેલિસ® પ્રોટેક્ટ ઓટોમોટિવ એપ્લિકેશન્સના વ્યાપક સ્પેક્ટ્રમ માટે તૈયાર કરવામાં આવી છે, જેમાં ચેસિસ પૂરજાઓ, ડોર ઇનર પેનલ્સ, હૂડ/બોનેટ ઇનર પેનલ્સ અને ડેકલિડ/ટેઇલગેટ ઇનર પેનલ્સનો સમાવેશ થાય છે.

પેટન્ટ ધરાવતી પ્રોડક્ટ બ્રાન્ડનું અનાવરણ એવા સમયે થયું છે, જ્યારે ભારતનો ઓટોમોટિવ ઉદ્યોગ ઐતિહાસિક સ્તરે પહોંચ્યો છે, જેમાં પેસેન્જર વાહનોનું વેચાણ નાણાકીય વર્ષ 2025-26માં લગભગ 4.7 મિલિયન યુનિટ્સથી વધ્યું છે, જે ભારતને વિશ્વના સૌથી મોટા ઓટોમોટિવ બજારો પૈકીનું એક અને વૃદ્ધિ પામી રહેલું નિકાસ કેન્દ્ર બનાવે છે.

આ લોન્ચ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના સ્વદેશી અદ્યતન સ્ટીલ ઉકેલોની વ્યુહરચના પર આધારિત છે, જે આર્સેલરમિત્તલની પેટન્ટ ધરાવતી બે પ્રોડક્ટ્સ – પુનઃપ્રાપ્ય ઊર્જા અને આંતરમાળખાકીય સુવિધા માટે મેગ્નેલિસ; અને રૂફિંગ, ક્લેડિંગ, પ્રિ-એન્જિનિયર્ડ બિલ્ડિંગ્સ અને આર્કિટેક્ચરલ એપ્લિકેશન્સ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત કલર-કોટેડ સ્ટીલ ઓપ્ટિગલની રજૂઆત પછી કરવામાં આવી છે.

આ સ્વદેશીકરણના પ્રયત્નો AM/NS India, હજીરા ખાતે રૂ. 60,000 કરોડના વ્યાપક વિસ્તરણ પ્રોજેક્ટનો એક ભાગ છે, જેમાં ભારતમાં આગામી પેઢીના ઓટોમોટિવ અને મૂલ્યવર્ધિત સ્ટીલ ઉત્પાદનને ટેકો આપવા માટે અપસ્ટ્રીમ, ડાઉનસ્ટ્રીમના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાને સક્ષમ બનાવવાનો સમાવેશ થાય છે.

શેરહોલ્ડર મૂલ્ય સર્જનને પ્રોત્સાહન આપવા માટે ગુજ્જુભાઈ ઇન્ડસ્ટ્રીઝે વ્યૂહાત્મક વિલીનીકરણ પૂર્ણ કર્યું, પ્રમોટર હોલ્ડિંગ વધીને 63.75% થયું

 

થાણે (મહારાષ્ટ્ર) [ભારત], જૂન: ગુજ્જુભાઈ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (BSE: 532070), જે અગાઉ સુમુકા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરીકે ઓળખાતી હતી, તેણે ગુજ્જુભાઈ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેનું વિલીનીકરણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ વિલીનીકરણ દ્વારા ઉત્પાદન, બ્રાન્ડિંગ, માર્કેટિંગ, વેચાણ અને વિતરણ જેવી પ્રવૃત્તિઓને એકીકૃત કરીને એક સંકલિત પ્લેટફોર્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ વિલીનીકરણ દ્વારા પરસ્પર સંકળાયેલા બે વ્યવસાયોને એક જ લિસ્ટેડ કંપની હેઠળ લાવવામાં આવ્યા છે, જેના પરિણામે કોર્પોરેટ માળખું વધુ સરળ બનશે, શેરહોલ્ડરોના હિતો વધુ સુસંગત બનશે, સંભવિત હિતસંઘર્ષો દૂર થશે અને ભવિષ્યમાં સર્જાતી મૂલ્યવૃદ્ધિનો લાભ તમામ હિતધારકોને મળશે. સાથે જ, કામગીરીમાં સમન્વય અને મોટા પાયે કાર્યક્ષમતાના લાભો પ્રાપ્ત થશે.

ઉત્પાદન અને બજાર-કેન્દ્રિત કામગીરીઓને એક જ સંસ્થામાં લાવવાના કારણે કંપનીને મોટા પાયે કામગીરીના લાભો, સંસાધનોનો વધુ અસરકારક ઉપયોગ, સપ્લાય ચેઇનની કાર્યક્ષમતામાં વધારો અને વ્યૂહાત્મક અમલીકરણમાં મજબૂતી પ્રાપ્ત થવાની અપેક્ષા છે. આ એકીકૃત માળખું ઝડપી નિર્ણયો લેવામાં મદદરૂપ બનશે અને ભવિષ્યના વિસ્તરણ માટે મજબૂત પાયો પૂરું પાડશે.

વિલીનીકરણના પરિણામે, કંપનીમાં પ્રમોટર શેરહોલ્ડિંગ 27.71% થી વધીને 63.75% થયું છે, જે વિલીનીકૃત એકમમાં પ્રમોટર માલિકીના એકીકરણને દર્શાવે છે. ઉપરાંત, પ્રમોટર્સે ખુલ્લા બજારમાંથી પણ સતત શેરોની ખરીદી કરી છે, જે કંપનીની લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાઓ અને ભવિષ્ય પ્રત્યેના તેમના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.

ટિપ્પણી કરતાં શ્રીમતી CA શૈલી પટેલ, પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર, જણાવ્યું:

વિલીનીકરણ અમારા વ્યવસાયના સ્વાભાવિક વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે અને તમામ હિતધારકોના હિતો સાથે વધુ સુસંગત એવું માળખું ઉભું કરે છે. ઘણા વર્ષોથી ગુજ્જુભાઈ ફૂડ્સ અને સુમુકા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એક મૂલ્યશૃંખલાના પરસ્પર પૂરક ભાગો તરીકે કાર્યરત હતા. બંને વ્યવસાયોને એક લિસ્ટેડ પ્લેટફોર્મ હેઠળ લાવીને અમે વધુ પારદર્શક, કાર્યક્ષમ અને વિસ્તરણક્ષમ સંસ્થા ઉભી કરી છે, જ્યાં ભવિષ્યની વૃદ્ધિના લાભો તમામ શેરહોલ્ડરોને સમાન રીતે પ્રાપ્ત થશે.”

“અમને કંપનીની લાંબા ગાળાની વૃદ્ધિની કહાની અને ફૂડ તથા FMCG ક્ષેત્રમાં ઊભી થઈ રહેલી તકો પર દૃઢ વિશ્વાસ છે. ઓર્ગેનિક અને ઇનોર્ગેનિક બંને પ્રકારના વિસ્તરણ પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરીને અમે Flipkart Minutes, Swiggy Instamart, FirstClub અને DMart Ready જેવા અગ્રણી ક્વિક-કોમર્સ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર અમારી પ્રોડક્ટ્સની ઉપલબ્ધતા વધારી રહ્યા છીએ. સાથે જ, અમે વ્યૂહાત્મક અધિગ્રહણોની તકોનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને ફોરવર્ડ તથા બેકવર્ડ સપ્લાય ચેઇનમાં અમારી ક્ષમતાઓને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. અમારો વિશ્વાસ છે કે આ પહેલો અમારી બજારસ્થિતિને વધુ મજબૂત બનાવશે અને શેરહોલ્ડરો માટે ટકાઉ લાંબા ગાળાનું મૂલ્ય સર્જશે.”

કંપનીનું માનવું છે કે આ વિલીનીકરણ ઉત્પાદન ક્ષમતાઓ, બ્રાન્ડ નિર્માણ અને વિતરણની શક્તિઓને એક જ માળખા હેઠળ એકત્રિત કરીને વૃદ્ધિના આગામી તબક્કા માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડે છે. વિસ્તરતા પ્રોડક્ટ પોર્ટફોલિયો, વધતા વિતરણ નેટવર્ક અને આધુનિક રિટેલ, ક્વિક-કોમર્સ તથા ઇ-કોમર્સ ચેનલ્સમાં વધતી હાજરી સાથે ગુજ્જુભાઈ ઇન્ડસ્ટ્રીઝ ભારતના ઝડપથી વિકસતા ફૂડ અને FMCG ક્ષેત્રમાં ઉપલબ્ધ તકોનો લાભ લેવા માટે મજબૂત સ્થિતિમાં છે.

ગુજ્જુભાઈ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિશે

ગુજ્જુભાઈ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (BSE: 532070), જે અગાઉ સુમુકા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરીકે ઓળખાતી હતી, એક જાહેરમાં લિસ્ટેડ ફૂડ અને FMCG કંપની છે, જે ગ્રાહક ઉત્પાદનોના ઉત્પાદન, બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને વિતરણ સાથે સંકળાયેલી છે. ગુજ્જુભાઈ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેના વિલીનીકરણ બાદ કંપની પરંપરાગત રિટેલ, આધુનિક ટ્રેડ, ક્વિક-કોમર્સ અને ઇ-કોમર્સ ચેનલ્સ મારફતે ગ્રાહકોને સેવા આપતું એકીકૃત વ્યવસાય મોડેલ સંચાલિત કરે છે. કંપની ભારતીય બજાર માટે પોતાના પ્રોડક્ટ પોર્ટફોલિયોના વિસ્તરણ, વિતરણ નેટવર્કને મજબૂત બનાવવા અને વિસ્તરણક્ષમ બ્રાન્ડ્સના નિર્માણ પર કેન્દ્રિત છે.

પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સ 2026 માં Ajay’s Café, ‘લીડિંગ કાફે ચેઇન ઓફ ધ યર’ એવોર્ડથી સન્માનિત

 

વાદ, 05 જૂન 2026 : ભારતનું અગ્રણી ઘરેલુ કાફે અને ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) બ્રાન્ડ્સમાં સામેલ, Ajay’s Café ને “પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સ 2026” માં “લીડિંગ કાફે ચેઇન ઓફ ધ યર’ એવોર્ડ” થી સન્માનિત કરાયું. આ એવોર્ડ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા 30 મેના રોજ અમદાવાદના હયાત રિજન્સી ખાતે યોજાયેલા એક ભવ્ય સમારોહમાં એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં Ajay’s Café ના ઉદ્યોગસાહસિકતા, રોજગાર સર્જન અને ઓર્ગેનાઇઝ્ડ કાફે ઉદ્યોગના વિકાસમાં યોગદાનને માન્યતા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અજય સોલંકી અને જયદીપ સોલંકી ભાઈઓ દ્વારા સ્થાપિત, Ajay’s Café નવસારીમાં એક જ આઉટલેટથી આજે 58 શહેરોમાં 265 થી વધુ આઉટલેટ્સના નેટવર્કમાં વિકસ્યું છે. હવે તે ભારતના સૌથી ઝડપથી વિકસતા કાફે અને QSR બ્રાન્ડ્સમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. આ ઓળખ અને માન્યતા કંપનીની વિકાસ યાત્રામાં એક માઇલસ્ટોન છે, જે એક ફ્રેન્ચાઇઝ-આધારિત મોડેલ પર બનાવવામાં આવી છે, જેનું ફોકસ મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો માટે નવી તકો ઊભી કરવા પર કેન્દ્રિત છે. આ એવોર્ડ પ્રાપ્ત કરતા, Ajay’s Café ના સંસ્થાપક અને ડિરેક્ટર અજય સોલંકીએ કહ્યું હતું કે, “એવોર્ડ એ બાબતની ઓળખ આપે છે કે, શું પ્રાપ્ત થયું છે, જ્યારે જવાબદારી આગળ શું કરવાનું છે, તે બાબતની સભાનતા કેળવે છે. આ સન્માન અમારી અત્યાર સુધીની સફરને એક ઓળખ આપે છે. આની સાથે જ, તે મોટા સ્વપ્ન જોવા, વધુ ઉમદા કાર્ય કરવા અને મોટી અસર ઉભી કરવાની અમારી પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવે છે. અમે આ સન્માનને કૃતજ્ઞતા અને અમારા ભવિષ્યના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે નવા નિશ્ચય સાથે સહર્ષ સ્વીકારીએ છીએ.”
વર્ષ 2014 માં તેની સ્થાપના પછીથી, Ajay’s Café એ 200 થી વધુ પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકોને તેના ફ્રેન્ચાઇઝ નેટવર્ક દ્વારા પોતાના સાહસો સ્થાપિત કરવા અને વિકસાવવા સક્ષમ બનાવ્યા છે. કંપનીએ લગભગ 1,000 લોકો માટે સીધી રોજગારીની તકો પણ ઉભી કરી છે, જેનાથી અનેક શહેરોમાં સ્થાનિક આર્થિક વિકાસમાં મદદ મળી છે. આ બ્રાન્ડ આજે ગુજરાત, રાજસ્થાન અને અન્ય બજારોમાં દરરોજ હજારો ગ્રાહકોને સર્વિસ આપે છે. આ બ્રાન્ડની ફિલોસોફી માત્ર ભોજન પીરસવા સુધી સીમિત નથી. સારી ક્વોલિટીનો ખોરાક સુલભ અને સસ્તું બનાવવાના મિશન સાથે, Ajay’s Café એ એક એવું બિઝનેસ મોડલ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે ગ્રાહકો, કર્મચારીઓ અને ફ્રેન્ચાઇઝ ભાગીદારો વચ્ચે શેયર્ડ ગ્રોથ (સહિયારી વૃદ્ધિ)ને પ્રોત્સાહન આપે. ખાસ વાત એ છે કે, કંપની ફ્રેન્ચાઇઝ પાર્ટનર્સ પાસેથી રોયલ્ટી અથવા પ્રોફિટ-શેરિંગ ફી વસૂલતી નથી, જેનાથી તેઓ બ્રાન્ડની સાથે-સાથે સસ્ટેનેબલ અને નફાકારક બિઝનેસ બનાવી શકે છે. નજીકના ભવિષ્યમાં, Ajay’s Café ચાલુ વર્ષના અંત સુધીમાં કંપની ઓન્ડ, કંપની ઓપરેટેડ (COCO) મોડેલ હેઠળ વસઈ-વિરાર ક્ષેત્રમાં 30 આઉટલેટ્સ તેમજ રાજકોટ અને ઉદયપુરમાં વધારાના આઉટલેટ્સ શરૂ કરવાની યોજના ધરાવે છે. વર્ષ 2030 સુધીમાં ભારતની સૌથી મોટી QSR અને કાફે ચેઇન બનવાના વિઝનના ભાગરૂપે, Ajay’s Café એ વર્ષ 2027 સુધીમાં 500 આઉટલેટ્સને પાર કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.
રણજીત ઇનરવેરે લોન્ચ કર્યું ‘જનહિતમાં રણજીત’ કેમ્પેઈન, આયુષ્માન ખુરાના બન્યા બ્રાન્ડ ફેસ

 

બનિયાન બ્રાન્ડની પરંપરાગત ઓળખથી આગળ વધીને સંપૂર્ણ ઇનરવેર બ્રાન્ડ તરીકે નવી ઓળખ બનાવવાનો પ્રયાસ

અમદાવાદ (ગુજરાત) [ભારત], જૂન 03: ભારતના જાણીતા ઇનરવેર બ્રાન્ડ્સમાં સ્થાન ધરાવતા રણજીત ઇનરવેરે બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાના ને સાથે રાખીને પોતાનું નવું કેમ્પેઈન ‘જનહિતમાં રણજીત’ લોન્ચ કર્યું છે. પાંચ દાયકાથી વધુની વારસાગત ઓળખ ધરાવતા આ બ્રાન્ડનો હેતુ હવે માત્ર બનિયાન બ્રાન્ડ તરીકેની છબીથી આગળ વધીને સંપૂર્ણ ઇનરવેર બ્રાન્ડ તરીકે પોતાની ઓળખ મજબૂત બનાવવાનો છે.

આ કેમ્પેઈન ઝીરો ગ્રેવીટી કોમ્યુનિકેશન્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. અભિયાનમાં એ સામાન્ય માન્યતાને કેન્દ્રમાં રાખવામાં આવી છે કે લોકો રણજીતને મુખ્યત્વે બનિયાન બ્રાન્ડ તરીકે ઓળખે છે, જ્યારે કંપની બ્રીફ્સ, ટ્રંક્સ અને અન્ય ઇનરવેર પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ પણ આપે છે.

જનહિતમાં જારી’ જેવા લોકપ્રિય જનજાગૃતિ સંદેશાઓની શૈલીથી પ્રેરિત આ કેમ્પેઈન હાસ્ય, સરળતા અને રોજિંદી જીવનની વાતો દ્વારા બ્રાન્ડની વ્યાપક ઓળખ રજૂ કરે છે. ભારતીય સંસ્કૃતિ અને સામાન્ય જીવન સાથે જોડાયેલા પ્રસંગો દ્વારા રણજીતને “ટોપ-ટુ-બોટમ” ઇનરવેર બ્રાન્ડ તરીકે રજૂ કરવામાં આવ્યું છે, જે રોજિંદા ભારતીય પુરુષોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.

આ કેમ્પેઈન રણજીત બ્રાન્ડ માટે મહત્વપૂર્ણ પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે. કંપનીએ છેલ્લા 50 વર્ષથી ગુણવત્તા, આરામ અને વિશ્વાસના આધારે ગ્રાહકોમાં મજબૂત સ્થાન બનાવ્યું છે. હવે કંપની બદલાતી ગ્રાહક પસંદગી અને આધુનિક લાઇફસ્ટાઇલને ધ્યાનમાં રાખીને પુરુષો માટે સંપૂર્ણ ઇનરવેર રેન્જ ઉપલબ્ધ કરાવી રહી છે.

રણજીત ઇનરવેરના માર્કેટિંગ મેનેજરે જણાવ્યું હતું કે, ‘જનહિતમાં રણજીત’ કેમ્પેઈનનો હેતુ ગ્રાહકોમાં કંપનીના વર્તમાન અને વિસ્તરતા પ્રોડક્ટ પોર્ટફોલિયો અંગે જાગૃતિ વધારવાનો છે, સાથે જ બ્રાન્ડ સાથે જોડાયેલા વિશ્વાસ અને વારસાને પણ જાળવી રાખવાનો છે.

બ્રાન્ડ એમ્બેસેડર આયુષ્માન ખુરાનાએ જણાવ્યું હતું કે, “હું વર્ષ 2019થી રણજીત સાથે જોડાયેલો છું અને આ સંબંધ માત્ર વ્યાવસાયિક નથી, પરંતુ ગર્વની લાગણી સાથે જોડાયેલો છે. રણજીત 50 વર્ષ જૂની વિશ્વસનીય બ્રાન્ડ છે અને એવો વિશ્વાસ એક દિવસમાં ઉભો થતો નથી. ‘જનહિતમાં રણજીત’ કેમ્પેઈનની સૌથી ખાસ વાત એ છે કે હવે અમે લોકો સુધી બ્રાન્ડની સંપૂર્ણ કહાની પહોંચાડી રહ્યા છીએ. લોકો રણજીતને બનિયાનથી ઓળખે છે, પરંતુ આ બ્રાન્ડ માત્ર એટલું જ નથી.”

જ્યારે ઝીરો ગ્રેવિટી કમ્યુનિકેશન્સની ફાઉન્ડર અને ડિરેક્ટર ખુશ્બૂ શર્માએ  જણાવ્યું હતું કે, કંપનીનો હેતુ બ્રાન્ડ પર પેઢીઓથી રહેલા વિશ્વાસને જાળવી રાખતા તેની ઓળખને વધુ વ્યાપક બનાવવાનો છે.

તેમણે જણાવ્યું હતું કે, “રણજીત એવા થોડા બ્રાન્ડ્સમાંની એક બ્રાન્ડ છે, જેને ગ્રાહકોનો સાચો લાગણીસભર પ્રેમ મળ્યો છે. જોકે, આ ઓળખ લાંબા સમય સુધી એક જ પ્રોડક્ટ કેટેગરી સુધી મર્યાદિત રહી હતી. અમે આ વાતચીતને ભારતીય સંસ્કૃતિ અને ગ્રાહકોની લાગણીઓ સાથે જોડીને નવા અંદાજમાં આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે.”

કંપનીના જણાવ્યા અનુસાર ‘જનહિતમાં રણજીત’ માત્ર એક વખતનું એડવર્ટાઇઝિંગ કેમ્પેઈન નથી, પરંતુ કન્ટેન્ટ આધારિત મોટી કેમ્પેઈન સિરીઝની શરૂઆત છે. આવનારા સમયમાં બ્રાન્ડ સાથે જોડાયેલા વિવિધ પાસાઓને રસપ્રદ અને લોકો સાથે જોડાય તેવી સ્ટોરીટેલિંગ દ્વારા રજૂ કરવામાં આવશે.

આયુષ્માન ખુરાના બ્રાન્ડના ચહેરા તરીકે આગળ પણ જોડાયેલા રહેશે અને આ કેમ્પેઈન યુવા ગ્રાહકો સાથે વધુ મજબૂત જોડાણ બનાવવાની સાથે રણજીતને ભારતીય પુરુષો માટે વિશ્વાસપાત્ર રોજિંદા ઇનરવેર બ્રાન્ડ તરીકે વધુ મજબૂત ઓળખ અપાવવાનો પ્રયાસ કરશે.

 

ડેનવરે બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન સાથે “Denver Intense EDP” લોન્ચ કર્યું

 

ભારતની વિશ્વસનીય પુરુષ સુગંધ બ્રાન્ડ Denver એ તેનું નવું પરફ્યુમ “Denver Intense Eau De Parfum (EDP)” લોન્ચ કર્યું છે. આ લોન્ચ સાથે બ્રાન્ડે બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન અભિનીત નવી જાહેરાત ઝુંબેશ પણ રજૂ કરી છે. આ ઝુંબેશ Denverની સફળતા, મહત્ત્વાકાંક્ષા અને સૌમ્યતા પર આધારિત બ્રાન્ડ ફિલસૂફીને આગળ વધારતી હોવા સાથે યુવા ગ્રાહકો અને આધુનિક સુગંધ પસંદગીઓને ધ્યાનમાં રાખીને નવા અધ્યાયની શરૂઆત કરે છે.

નવી ટીવી કમર્શિયલ “Success Rules The World” સંદેશ પર આધારિત છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન Denver Intense EDP નો અનુભવ કરતા જોવા મળે છે, જ્યારે તેમની સફળતાની ઉજવણી કરતા ભવ્ય દૃશ્યો શહેરના કેન્દ્રમાં ઝળહળતા જોવા મળે છે. આ ઝુંબેશ લક્ઝરીથી પ્રેરિત, સ્ટાઇલિશ અને પ્રેરણાદાયી દુનિયા રજૂ કરે છે, જે આજના ડિજિટલ યુગના ગ્રાહકો સાથે જોડાણ સ્થાપિત કરવા માટે રચાઈ છે.

છેલ્લા 18 વર્ષથી Denver એ ડિઓડોરન્ટ્સ, પરફ્યુમ્સ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ દ્વારા ભારતીય ગ્રાહકોમાં સુગંધ શ્રેણીમાં મજબૂત વિશ્વાસ સ્થાપિત કર્યો છે. આ લોન્ચ સાથે બ્રાન્ડ તેના પરફ્યુમ-કેન્દ્રિત સ્થાનને વધુ મજબૂત બનાવવા સાથે નવી પેઢીના એવા ગ્રાહકોને આકર્ષવા માંગે છે, જે સ્ટાઇલ, ઉત્તમ કામગીરી અને મૂલ્યનું શ્રેષ્ઠ સંયોજન શોધી રહ્યા છે.

કોર્પોરેટ સ્તરે, HS Group ભારત અને દુબઈમાં ડિજિટલ-ફર્સ્ટ બ્રાન્ડ ઇકોસિસ્ટમના નિર્માણમાં સક્રિય રોકાણ કરી રહ્યું છે. કંપની ટીમો, સંચાર, ગ્રાહક અનુભવ અને ટેક્નોલોજી ક્ષેત્રે પોતાની ક્ષમતાઓને મજબૂત બનાવીને આધુનિક ગ્રાહકો સાથે વધુ અસરકારક જોડાણ સ્થાપિત કરી રહી છે.

Denver Intense EDP એક પરફેક્ટ “Summer Party Perfume” તરીકે રજૂ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે ઉનાળાના પરફ્યુમ્સ તાજગીભર્યા અને સિટ્રસ આધારિત હોય છે, જ્યારે પાર્ટી પરફ્યુમ્સમાં વુડી, સ્પાઇસી અથવા મસ્કી નોટ્સ જોવા મળે છે. Denver Intense આ બંને અનુભવોને એક જ સુગંધમાં સમાવીને આઉટિંગ્સ, પાર્ટીઓ, સાંજના પ્રસંગો અને નાઇટલાઇફ માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે.

આ સુગંધમાં પાઇનએપલ, મેન્ડેરિન, ગ્રેપફ્રૂટ, વેનીલા, એમ્બરગ્રીસ, ઓકમોસ અને મસ્ક જેવા નોટ્સનો સમાવેશ થાય છે, જે તેને એક એરોમેટિક, ફ્રૂટી અને વુડી પ્રોફાઇલ આપે છે. વૈશ્વિક સ્તરે લોકપ્રિય લક્ઝરી પરફ્યુમ શૈલીઓથી પ્રેરિત આ સુગંધ એવા ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવી છે, જે લાંબા સમય સુધી ટકી રહેતી અને પોતાની આગવી ઓળખ ધરાવતી સુગંધ ઇચ્છે છે.

આ પરફ્યુમમાં ફ્રાન્સથી આયાત કરાયેલ 20 ટકા સુગંધિત તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે IFRA પ્રમાણિત, ક્રૂએલ્ટી-ફ્રી અને ત્વચા માટે સુરક્ષિત છે. તેની મજબૂત કામગીરીને કારણે તેને સુગંધપ્રેમીઓ તરફથી પહેલેથી જ ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે અને ઓનલાઈન પરફ્યુમ સમુદાયો તેને ઘણીવાર “Beast Mode” તરીકે ઓળખાવે છે.

લોન્ચ અંગે વાત કરતાં HS Groupના મેનેજિંગ ડિરેક્ટર અને CEO સૌરભ ગુપ્તાએ જણાવ્યું:

“Denverએ છેલ્લા 18 વર્ષથી ભારતીય પુરુષોનો વિશ્વાસ જીત્યો છે, કારણ કે અમે તેમને વાસ્તવિક મૂલ્ય, વિશ્વસ્તરીય ગુણવત્તા અને એવી સુગંધો આપી છે જેના પર તેઓ દરરોજ ભરોસો રાખી શકે. Denver Intense EDP સાથે અમે અમારા મૂળભૂત મૂલ્યોને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. આ સુગંધ ખાસ કરીને એવા યુવા ભારતીય ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવી છે, જે પોતાના પરફ્યુમમાં વૈશ્વિક સ્તરની કામગીરી ઇચ્છે છે. આ અભિયાન માટે શાહરુખ ખાનનો ચહેરો બનવો અમારા માટે અત્યંત ગૌરવની વાત છે. તેઓ સફળતા, મહત્ત્વાકાંક્ષા અને અવિનાશી શૈલીનું પ્રતિક છે. અમે મળીને દરેક યુવા ભારતીયને એક સંદેશ આપવા માંગીએ છીએ કે જ્યારે તમે સફળતાની સુગંધ ધારણ કરો છો, ત્યારે તમે સફળતાનું પ્રતિબિંબ બની જાઓ છો.”

Denver Intense EDP હવે 100 મિ.લી.ના પેકમાં ₹999ની કિંમતે Denver For Men, Amazon India અને Flipkart  પર ઉપલબ્ધ છે.

Denver વિશે

Denver ભારતની અગ્રણી અને સૌથી વિશ્વસનીય પુરુષ સુગંધ બ્રાન્ડ્સમાંની એક છે. છેલ્લા 17 વર્ષથી Denver વિશ્વસ્તરીય પરફ્યુમ્સ, ડિઓડોરન્ટ્સ, બોડી સ્પ્રે અને ગ્રૂમિંગ પ્રોડક્ટ્સનું નિર્માણ કરી રહી છે, જે ગ્રાહકોને ઉત્તમ મૂલ્ય અને વિશ્વસનીય કામગીરી પ્રદાન કરે છે. રોજિંદા આત્મવિશ્વાસથી લઈને ખાસ પ્રસંગો સુધી, Denver એવા ભારતીય પુરુષોની પસંદગીની બ્રાન્ડ બની છે, જે સફળતા, સૌમ્યતા અને આત્મવિશ્વાસ સાથે જીવન જીવવા માંગે છે.

HS Group વિશે

HS Group ભારત અને દુબઈમાં કામગીરી ધરાવતી અગ્રણી FMCG કંપની છે. ગ્રુપ અનેક જાણીતી ગ્રાહક બ્રાન્ડ્સનું માલિકી અને સંચાલન કરે છે, જેમાં Denver તેનું મુખ્ય પુરુષ ગ્રૂમિંગ બ્રાન્ડ છે. HS Group હાલમાં ડિજિટલ-ફર્સ્ટ પરિવર્તનની યાત્રા પર છે, જ્યાં તે બ્રાન્ડ પ્રત્યેનો લગાવ, ગ્રાહક જોડાણ અને શ્રેણીમાં નેતૃત્વ સ્થાપિત કરવા માટે વિશ્વસ્તરીય ક્ષમતાઓનું નિર્માણ કરી રહ્યું છે.