વ્યાપાર
શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડ કંપનીએ Rs 85 કરોડના IPOની જાહેરાત કરી, 7 નવેમ્બર સુધી બિડ કરી શકાશે
એકત્રિત કરવામાં આવનાર ભંડોળનો ઉપયોગ પ્લાન્ટ વિસ્તરણ, મશીનરી, કોલ્ડ સ્ટોરેજની સ્થાપના, આધુનિકીકરણ, ઉર્જા અને કાર્યકારી મૂડી માટે કરવામાં આવશે
નવી દિલ્હી [ભારત], ૬ નવેમ્બર: અગ્રણી એગ્રો-પ્રોસેસિંગ અને એફએમસીજી કંપની, શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડએ NSE ઇમર્જ પ્લેટફોર્મ પર તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) લોન્ચ કરવાની યોજના જાહેર કરી છે. આ જાહેર ઇશ્યૂમાં 68 લાખ ઇક્વિટી શેરનો નવો ઇશ્યૂ શામેલ છે. આ IPO મારફતે કંપની, ભારત અને વિદેશમાં સ્થિત તેની મુખ્ય વિસ્તરણ યોજનાઓ માટે આવશ્યક ભંડોળ એકત્રિત કરવાનું લક્ષ્ય ધરાવે છે.
શ્રીજી ગ્લોબલ, એક ટ્રેડિંગ ફર્મથી એગ્રો-પ્રોસેસિંગ પાવરહાઉસ તરીકે વિસ્તરી છે. 2018 માં સ્થપાયેલ, શ્રીજી ગ્લોબલ એફએમસીજી, રાજકોટ અને મોરબીમાં બે સંપૂર્ણ સંકલિત ઉત્પાદન સુવિધાઓ સાથે નાના ટ્રેડિંગ યુનિટથી એક મજબૂત એન્ટરપ્રાઇઝમાં ઝડપથી વિકસિત થઈ છે. તેની મુખ્ય બ્રાન્ડ “SHETHJI” એફએમસીજી માર્કેટમાં એક વિશ્વસનીય નામ બની ગયું છે, જે એગ્રો-પ્રોસેસ્ડ પ્રોડક્ટની વિવિધ શ્રેણી ઓફર કરે છે.
કંપનીના પોર્ટફોલિયોમાં આખા મસાલા, પીસેલા મસાલા, બીજ, કઠોળ, અનાજ અને લોટ (આટા)નો સમાવેશ થાય છે. જીરું, ધાણા, તલ, વરિયાળી, મગફળી, કલોંજી અને મરચાં, હળદર અને ધાણાના પાવડર જેવા લોકપ્રિય ઉત્પાદનો કડક ગુણવત્તા ધોરણો હેઠળ બનાવવામાં આવે છે. આ દરેક ઉત્પાદનોના તેની બનાવટ, સુગંધ અને શેલ્ફ લાઇફમાં એકરૂપતા સુનિશ્ચિત કરવા માટે નિર્ધારિત ગુણવત્તા પરિમાણો હેઠળ તૈયાર કરવામાં આવે છે. આ સંકલિત પ્રક્રિયા પ્રવાહ તેમને પોતાના “SHETHJI” બ્રાન્ડ હેઠળ અને વ્હાઇટ-લેબલ પેકેજિંગ દ્વારા કાચા, પ્રક્રિયા કરેલ અને મૂલ્યવર્ધિત કૃષિ ઉત્પાદનો પ્રદાન કરવા માટે સક્ષમ બનાવે છે.
શ્રીજી ગ્લોબલ એફએમસીજી કંપનીએ ટૂંકા ગાળામાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. નાણાકીય વર્ષ 2022 અને નાણાકીય વર્ષ 2025 વચ્ચે પરિચાલન કામગીરીમાંથી આવક રૂ. 25,781.91 લાખથી બમણી થઈને રૂ. 64,892.12 લાખ થઈ છે. આ ઉપરાંત, 25 ઓગસ્ટ સુધીમાં, કંપનીએ 25,039.47 લાખ રૂપિયાની આવક મેળવી હતી. ઓગસ્ટ-2025 સુધીમાં, શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડે ચાલુ નાણાકીય વર્ષના માત્ર પાંચ મહિનામાં ₹9.20 કરોડનો ચોખ્ખો નફો હાંસલ કર્યો છે, જે તેની કાર્યકારી કાર્યક્ષમતા, બ્રાન્ડની મજબૂતી તેમજ સ્થાનિક અને નિકાસ બજારોમાં સતત વધતી જતી ગ્રાહક માંગનું મજબૂત પ્રમાણ છે.
પ્રતિ શેર ₹125 ના ઉપલા પ્રાઈસ બેન્ડ પર, આ ઇશ્યૂ આકર્ષક ભાવે ઉપલબ્ધ છે, જે રોકાણકારોને 12.89 ના નીચા પ્રાઈઝ-ટુ-અર્નિંગ (P/E) પર પ્રવેશ આપે છે, જે તેને અન્ય લિસ્ટેડ FMCG કંપનીઓની તુલનામાં સારી મૂલ્યાંકન તક બનાવે છે.
બજાર વિશ્લેષકો અને શરૂઆતના રોકાણકારો, શ્રીજી ગ્લોબલ એફએમસીજીને સંભવિત ભવિષ્યના મલ્ટિબેગર સ્ટોક તરીકે જુએ છે, જે સતત આવક વૃદ્ધિ, વ્યૂહાત્મક વિસ્તરણ અને મજબૂત ફંડામેન્ટલ્સ દ્વારા સમર્થિત છે.
કંપનીનું મજબૂત બિઝનેસ મોડેલ, ડાઇવર્સફાઇડ પ્રોડક્ટ પોર્ટફોલિયો અને સ્કેલેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેને ટૂંકા ગાળાના લાભ અને લાંબાગાળાના સંપત્તિ સર્જન બંને માટે આશાસ્પદ તક બનાવે છે. આજે, કંપની 25 થી વધુ દેશોમાં નિકાસ કરે છે, જે તેની અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓ દ્વારા સમર્થિત છે અને વૈશ્વિક માંગને કાર્યક્ષમ રીતે પૂર્ણ કરવામાં તેના પ્રદર્શનમાં નોંધપાત્ર યોગદાન આપે છે. માર્ચ-2025 માં જ્યારે “SHETHJI” બ્રાન્ડને પ્રતિષ્ઠિત ઉદ્યોગ પુરસ્કાર મળ્યો ત્યારે સુસંગત ઉત્પાદન ગુણવત્તા તરફના તેના પ્રયાસોને પણ માન્યતા આપવામાં આવી હતી.
કંપનીના IPO નો ઉદ્દેશ વિસ્તરણ યોજના, કામગીરી વધારવા અને માળખાગત સુવિધાને મજબૂત બનાવવા માટે ભંડોળ એકત્ર કરવાનો છે. આ ભંડોળનો ઉપયોગ નિમ્ન દર્શાવવામાં આવેલા કાર્યો કરવામાં આવશે:
- ઉત્પાદન વધારવા માટે નવા ફેક્ટરી પરિસરનું સંપાદન
- આધુનિક કોલ્ડ સ્ટોરેજ સાથે અદ્યતન પ્લાન્ટ અને મશીનરી સ્થાપિત કરવી
- ઊર્જા કાર્યક્ષમતા માટે 1000 KWP રૂફટોપ સોલાર પાવર સિસ્ટમની સ્થાપના કરવી
- સતત વિકાસને ટેકો આપવા માટે કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવી
કંપનીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, “આ પહેલો દ્વારા કંપનીની ક્ષમતામાં વધારો થશે, ખર્ચ ઘટાશે અને કાર્યદક્ષતામાં પણ વધારો થશે. આની સાથે જ, તેના ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર (D2C) ફૂટપ્રિન્ટનો પણ વિસ્તાર થશે.”
શ્રીજી ગ્લોબલ એફએમસીજી કંપનીનું નેતૃત્વ અને વિઝન હંમેશા વિકાસલક્ષી રહ્યું છે. કંપનીની સફળતા પાછળનું પ્રેરક બળ મેનેજિંગ ડિરેક્ટર જિતેન્દ્ર તુલશીદાસ કક્કડ છે, જેઓ કંપનીના સંસ્થાપક છે. તેમણે શરૂઆતથી જ ઊંડી ઉદ્યોગ કુશળતા અને વ્યવસાયિક સૂઝબૂઝ સાથે કંપનીની વ્યૂહરચનાને માર્ગદર્શન આપ્યું છે. સાથે જ, ડિરેક્ટર વિવેક તુલશીદાસ કક્કડએ ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં અને સ્કેલેબલ બિઝનેસ મોડેલને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
IPO ની જાહેરાત અંગે મેનેજિંગ ડિરેક્ટર જિતેન્દ્ર તુલશીદાસ કક્કડે જણાવ્યું હતું કે, “આ IPO શ્રીજી ગ્લોબલ એફએમસીજી માટે એક સીમાચિહ્નરૂપ ઐતિહાસિક ઘટના છે. એકત્ર કરાયેલી મૂડી અમને અમારા વ્યૂહાત્મક વિકાસને વેગ આપવા, ગુણવત્તા અને ટેકનોલોજીમાં રોકાણ કરવા અને અમારી બજાર પહોંચને વિસ્તૃત કરવા માટે સક્ષમ બનાવશે. અમારો વિશ્વાસ છે કે, આ પગલું અમારા શેરધારકો માટે લાંબાગાળાના મૂલ્યનું સર્જન કરશે. આ ઉપરાંત, આનાથી વિશ્વભરના ગ્રાહકોને પ્રીમિયમ એગ્રો-પ્રોસેસ્ડ ઉત્પાદનો પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂતી મળશે.”
કંપની વિશે માહિતી
ગુજરાતના રાજકોટમાં મુખ્ય મથક ધરાવતી, શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડ “SHETHJI” બ્રાન્ડ હેઠળ મસાલા, બીજ, કઠોળ, અનાજ અને લોટ સહિત કૃષિ-પ્રક્રિયાવાળા ઉત્પાદનોની વિશાળ શ્રેણીનું ઉત્પાદન અને માર્કેટિંગ કરે છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત હાજરી સાથે, કંપનીએ ભારતના એફએમસીજી ક્ષેત્રમાં એક વિશ્વસનીય અને ઝડપથી વિકસતી કંપની તરીકે પોતાની ઓળખ ઉભી કરી છે.
For more information, please visit: https://shreejifmcg.com/
સોલેક્સ એનર્જી લિમિટેડ – એનએસઇ મેઈન બોર્ડ પર સ્થાનાંતરણની ઉજવણી માટે સુરતમાં બેલ વાગાવ્યું
સુરત, ૮ ઑક્ટોબર, ૨૦૨૫: સોલેક્સ એનર્જી લિમિટેડ (NSE Code: SOLEX) — છેલ્લા ત્રણ દાયકાથી અગ્રણી સોલાર એનર્જી સોલ્યુશન્સ પ્રદાતા — એ આજે સુરતમાં પોતાના મહત્વપૂર્ણ મોખરાના મુકામની ઉજવણી કરી, કંપનીએ પ્લેટફોર્મ પરથી NSE Main Board પર સફળ સ્થાનાંતરણ કર્યું.
આ વિશેષ પ્રસંગે વરિષ્ઠ પ્રતિનિધિઓ, બેન્કર્સ, ઇન્વેસ્ટર્સ, સોલેક્સના ડિરેક્ટર્સ અને પ્રમોટર્સ, પ્રતિષ્ઠિત ક્લાયન્ટ્સ તથા સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના નેતૃત્વ ઉપસ્થિત રહ્યા.
સોલેક્સ એ ૨૦૧૮માં NSE EMERGE પ્લેટફોર્મ પર યાદીબદ્ધ થયેલી પ્રથમ કંપનીઓમાંની એક હતી અને ત્યારથી સતત સશક્ત વૃદ્ધિ (growth) અને સ્થિરતા દર્શાવી છે.
આ અવસરે ડૉ. ચેતન શાહ, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, સોલેક્સ એનર્જી,એ જણાવ્યું:
“અમારા વતન સુરતમાં, ઇન્વેસ્ટર્સ, બેન્કર્સ, ક્લાયન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીના નેતાઓની હાજરીમાં બેલ વાગાવવી એ અવિસ્મરણીય ક્ષણ છે. NSE મેઈન બોર્ડ પર સ્થાનાંતરણ માત્ર અમારા સ્ટેકહોલ્ડર્સના વિશ્વાસનું પ્રતિબિંબ નથી, પરંતુ સોલેક્સના આગામી વિકાસના અધ્યાયની શરૂઆત છે. આ ભારતના ટકાઉ ભવિષ્ય તરફના સંકલ્પને મજબૂત બનાવે છે. સોલેક્સે ૧૯૯૫થી ‘Putting our souls in solar’ના ધ્યેય સાથે અદ્યતન ટેકનોલોજી, વર્લ્ડ-ક્લાસ મેન્યુફેક્ચરિંગ અને સર્વસમાવેશી પ્રગતિ માટે સમર્પિત રહીને ભારતની સ્વચ્છ ઊર્જા યાત્રામાં અગત્યની ભૂમિકા ભજવી છે. ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શબ્દોમાં, ‘Solar is Sure, Pure and Secure’ — એ જ સિદ્ધાંતો અમારી વિકસિત ભારત માટેની દ્રષ્ટિને દિશા આપે છે.”
ઉત્પાદન ક્ષમતા (Manufacturing Capacity)માં મહત્વપૂર્ણ વધારો, તડકેશ્વર પ્લાન્ટ પર ૮૦૦ મેગાવોટની વ્યાવસાયિક ઉત્પાદન શરૂઆત કરી, જેથી કુલ કાર્યક્ષમ ક્ષમતા ૧.૫ ગીગાવોટ (GW) પહોંચી. ૨.૫ GW વિસ્તરણ પ્રોજેક્ટ હાલ ટેસ્ટિંગ તબક્કામાં છે, દિવાળી ૨૦૨૫ સુધી પૂર્ણ ઉત્પાદન શરૂ થવાની અપેક્ષા. FY26ના અંત સુધીમાં વધારાના ૨.૫ GW વિસ્તરણની યોજના, જેથી કુલ ક્ષમતા ૬.૫ GW સુધી પહોંચશે.
સોલેક્સના ૭૦%થી વધુ કર્મચારીઓ આદિવાસી અને સ્થાનીક સમુદાયોમાંથી આવે છે, જે ઉદ્યોગ વિકાસ સાથે સામાજિક સશક્તિકરણ માટે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વિઝન ૨૦૩૦ હેઠળ, કંપની ૧૦ GW મોડ્યુલ ક્ષમતા અને ૧૦ GW સેલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય ધરાવે છે, તથા વેફર અને ઇન્ગોટ મેન્યુફેક્ચરિંગમાં પ્રવેશ કરીને ભારતમાં પૂર્ણપણે સંકલિત સોલાર વેલ્યૂ ચેઇન વિકસાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ દ્રષ્ટિ ભારત સરકારના આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત અભિયાન સાથે સુસંગત છે.
સોલેક્સ એનર્જી લિમિટેડે પોતાના ભાગીદારો, ઇન્વેસ્ટર્સ, ક્લાયન્ટ્સ અને તમામ સ્ટેકહોલ્ડર્સનો અવિરત વિશ્વાસ, સહયોગ અને સમર્થન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
સુરતમાં ઇન્ડિયા એક્સિલેટરનું સ્ટાર્ટઅપ સેન્ટર શરૂ, સાઉથ ગુજરાતના ઉદ્યમીઓને મળશે નવું પ્લેટફોર્મ
સુરત: સુરત શહેર, જે હીરા અને ટેક્સટાઇલ્સના હબ તરીકે જાણીતું છે, તે હવે ડિજિટલ અને આઇટી હબ તરીકે પણ ઝડપથી ઉભરી રહ્યું છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં રૂપે ઇન્ડિયા એક્સિલેટર દ્વારા સાઉથ ગુજરાતના સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવા માટે સુરત ખાતે એક અદ્યતન સ્ટાર્ટઅપ સેન્ટરની શરૂઆત કરવામાં આવી રહી છે. આ સેન્ટરનું ઉદ્ઘાટન 28 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 11:00 વાગે ઉધના મગદલ્લા રોડ ખાતે આવેલા સુરાણા સુપ્રીમસના ચોથા માળે થવાનું છે.
આ સેન્ટરના સંચાલક ધર્મેશ મહેતાએ જણાવ્યું હતું કે આ સેન્ટર 10,000 સ્ક્વેર ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે અને 280 સીટની કો-વર્કિંગ સ્પેસ સાથે સજ્જ છે. આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય સાઉથ ગુજરાતના સ્ટાર્ટઅપ્સને નર્ચરિંગ, માર્ગદર્શન અને જરૂરી સંસાધનો પૂરા પાડીને તેમના વિકાસને વેગ આપવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઘણા લોકો માને છે કે દસમાંથી નવ સ્ટાર્ટઅપ નિષ્ફળ જાય છે, પરંતુ એક માત્ર આઇડિયા સ્ટાર્ટઅપને સફળ નથી બનાવતો. તેની પાછળ પ્રોપર એકાઉન્ટિંગ, લીગલ પ્રક્રિયાઓ, ડિજિટલ માર્કેટિંગ, મીડિયા કવરેજ અને ફંડ રેઇઝિંગ જેવી મહત્વની બાબતોની જરૂર હોય છે. અમારું સેન્ટર આ તમામ જવાબદારીઓ ઉપાડશે, જેથી ફાઉન્ડર્સ ફક્ત તેમના બિઝનેસના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.

અપૂર્વ વોરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “ઇન્ડિયા આજે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. હાલ જે રીતે સ્ટાર્ટઅપની પ્રગતિ થઈ રહી છે તે જોતા ચોક્કસ કહી શકાય કે આ એક મોટી ઇન્ડસ્ટ્રી બનવા જઈ રહી છે. સ્ટાર્ટઅપનો પ્રોગ્રેસ માત્ર કેટલાક મહત્વપૂર્ણ મોટા શહેરો પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં પણ આ ઇન્ડસ્ટ્રીનો વ્યાપ વધી રહ્યો છે. સુરતની વાત કરીએ તો, સુરત એક એવું શહેર છે જ્યાં આસપાસ અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, જેમાંથી ઘણું ટેલેન્ટ બહાર આવી રહ્યું છે. આવા સ્થળે યુવા ટેલેન્ટને માર્ગદર્શન પૂરું પાડવા માટે એક એક્સિલેટર સેન્ટર હોવું ખૂબ જ જરૂરી છે. સુરતમાં નેશનલ લેવલનું આવું સેન્ટર શરૂ થવાથી લોકલ ટેલેન્ટને મોટો ફાયદો થશે.”
સુરતને આ સેન્ટર માટે પસંદ કરવા પાછળનું કારણ તેનો ઝડપથી વિકસતો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. ડેટા અનુસાર, સાઉથ ગુજરાતમાં હાલ 60થી 70 સ્ટાર્ટઅપ્સ સક્રિય છે, અને તાજેતરમાં ત્રણ સ્ટાર્ટઅપ્સને નોંધપાત્ર ફંડિંગ પણ મળ્યું છે. સુરત હવે માત્ર હીરા અને ટેક્સટાઇલ્સ પૂરતું સીમિત નથી, પરંતુ ઇન્ફોસિટી અને સ્ટાર્ટઅપ સિટી તરીકે પણ આગળ વધી રહ્યું છે. આ સેન્ટર આગામી સમયમાં નવા ઉદ્યમીઓને પ્રોત્સાહન આપીને આ પ્રદેશના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપશે.
આ સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા અને ભારતીય સેનાના નિવૃત્ત સેના અધિકારી જનરલ મનોજ મુકુંદ નરવણે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, ઇન્ડિયા એક્સિલેટરના CEO આશિષ ભાટિયા પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.
આગામી દિવસોમાં ઇન્ડિયા એક્સિલેટર અર્થમ ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી અમદાવાદ, મુંબઈ (વાશી), ઇન્દોર, અને જયપુર ખાતે પણ આવા સેન્ટરો શરૂ કરવાની યોજના ધરાવે છે. કુલ છ સેન્ટરો દ્વારા દેશભરના સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
ગોલ્ડી સોલાર ધ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી પ્રસંગે વિશ્વના સૌથી મોટા સોલાર મોડ્યુલનું અનાવરણ કરવામાં આવ્યું
સૌર ઉર્જામાં સ્મ્રુતિરૂપ નમો સૌર સમ્રાટ
અર્થપૂર્ણ પરિમાણ: 75 વર્ષ નિમિતે 75 ઇય
અધતન TOPCon ટેકનોલોજી દ્વારા સંચાલિત
ભારતની સ્વચ્છ ઉર્જાક્ષેત્રની મહત્વાકાંક્ષાઓને વેગ આપવા તરફ
સુરત, ગુજરાત: 17 સપ્ટેમ્બર 2025 માનનીય પ્રધાનમત્રી શ્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમના આયોજન સાથે ભારતના સૌથી મોટા સોલાર પીવી ઉત્પાદક ગોલ્ડી સોલાર ધ્વારા પ્રસંગોચિત “નમો સૌર સમ્રાટ નામે-વિશ્વના સૌથી મોટા સોલાર પીવી મોડ્યુલનું અનાવરણ કરવામાં આવ્યું. આ (વિશ્વમાં સૌથી મોટા) રેકોર્ડ-બેકિંગ મોડ્યુલનું ઉત્પાદન ગોલ્ડી સોલારના ગુજરાત ખાતે કોસબા સ્થિત એકમમાં કરવામાં આવ્યું હતું, જે પ્રધાનમંત્રીશ્રી ના દૂરદેશી નેતૃત્વ અને ભારતની નવીનીકરણીય ઉર્જા ક્રાંતિની ઉન્નતિ માટેની તેમની પ્રતિબદ્ધતાને પ્રતિકાત્મક અંજલિ તરીકે રજુ કરવામાં આવ્યું હતું.
“નમો સૌર સમ્રાટ” એક સૌર પેનલ હોવા ઉપરાંત વિશેષત: ભારતીય નાવિન્યના નવા યુગને વ્યાખ્યાયિત કરતી, સ્કેલ, ચોકસાઇ અને મહત્વાકાંક્ષાનું મૂર્તિમંત સ્વરૂપ એક ઉત્પાદકીય અજાયબી છે. ગોલ્ડી સોલાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે આ પહેલ વૈશ્વિક સ્તરે સૌર ઊર્જા ક્ષેત્રે ભારતને અગ્રેસર રાખવામાં વડા પ્રધાનશ્રીની મુખ્ય ભૂમિકાની ઉજવણી છે. સૌર પીવી ઉત્પાદનમાં ચીન ધ્વારા પહેલ કરવામાં આવ્યા બાદ. ભારત આજે સર્વોચ્ચ આત્મનિર્ભરતાની રજૂઆત કરે છે – જે સાબિતી છે કે જ્યારે વિશાળ સ્તરે આત્મનિર્ભરતાની વાત આવે ત્યારે ભારત સૌથી આગળ છે.

વડા પ્રધાનશ્રીના ૭૫મા વર્ષના પ્રતિકાત્મક રૂપે મોડ્યુલને ૭૫ ઇંચ પહોળાઈ
વડા પ્રધાનશ્રીના ૭૫મા વર્ષના પ્રતિકાત્મક રૂપે મોડ્યુલને ૭૫ ઇંય પહોળાઈ અને ૧૫૦ ઇંચ લંબાઈના ચોક્કસ પરિમાણમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ પ્રતિકાત્મક પહેલના વિશ્વ-સ્તરીય એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા સાથે અસાધારણ સિદ્ધિના જોડાણ કપનીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. 1575 wp ની ક્ષમતા/આઉટપુટ સાથે, આ મોડ્યુલ વૈશ્વિક સૌર ઉદ્યોગમાં કદ, કાર્યક્ષમતા અને મહત્વાકાંક્ષા માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે.
આ વિશાળ મોડ્યુલ અદ્યતન 340 HC TOPCon (ટનલ ઓક્સાઇડ પેસિવેટેડ કોન્ટેકટ) સેલ ટેકનોલોજીને એકીકૃત કરે છે, જે ઊર્જાનો વ્યય ઘટાડી, કાર્યક્ષમતા અને પાવર આઉટપુટમાં વધારો કરે છે. આવા સ્કેલના મોડ્યુલ અને ભવિષ્યની ટેકનોલોજી જોડાણ ધ્વારા ગોલ્ડી સોલાર ચોકસાઇ-સંચાલિત, ભવિષ્ય માટે તૈયાર ઉત્પાદન માટેની પોતાની પ્રતિષ્ઠાને સુદઢ બનાવે છે.
ભવિષ્યમાં વૃદ્ધિની યોજના સાથે જુસ્સાભેર વિસ્તરણ થકી ગોલ્ડી સોલાર ધ્વારા 14.7 GW સુધી ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવામાં આવી છે. આ પ્રસંગે ગોલ્ડી સોલારના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન ઈશ્વર ધોળકિયાએ જણાવ્યું હતું કે
“વડાપ્રયાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારત સાતત્યતા તરફ નિર્ણાયક રીતે આગળ વધી રહ્યું છે, જેમાં વર્ષ 2030 સુધિ 500 (ગીગા વોટ) GW પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતાના લક્ષ્યમાં અડધાથી વધુ વક્ષ્યને નિર્ધારિત સમય પૂર્વે જ પ્રાપ્ત કરી લેવામાં આવ્યું છે. “નમો સૌર સમ્રાટ” એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે, જે ભારતની આત્મનિર્ભર ક્ષમતાનું પ્રતિક છે અને વૈશ્વિક મંચ ઉપર ઉત્પાદન શ્રેષ્ઠતાનું ઝળહળતુ ઉદાહરણ છે. વળી, આ પ્રધાનમંત્રી પ્રત્યેની અમારી સૌથી મોટી સ્મ્રુતિ ભેટ છે અને આવનારી પેઢીઓને શુધ્ધ ઉર્જા આપનારા, આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાની અમારી પ્રતિબદ્ધતા પણ છે.”
CAR24 ની એલિટ ફ્રેન્ચાઇઝી Y ઝોન સુરતમાં શરુ, પ્રીમિયમ કાર ખરીદી-વેચાણ હવે વધુ સરળ અને ફાયદાકારક
સુરત. ઓટોમોબાઇલ માર્કેટમાં એક નવી ઉર્જા સાથે, CAR24 ની એલિટ ફ્રેન્ચાઇઝી Y ઝોનનો શોરૂમ સુરત શહેરમાં શરુ થયો છે. ગુજરાતમાં માત્ર બે CAR24 ફ્રેન્ચાઇઝી પૈકી પ્રથમ ફ્રેન્ચાઇઝી તરીકે સુરતમાં શરૂ થતી આ સર્વિસ, વડોદરાથી વાપી સુધીના પ્રીમિયમ કાર ચાહકો માટે કાર ખરીદી અને વેચાણની પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને વિશ્વસનીય બનાવશે.
Y ઝોનના સંચાલક યતીન ભક્તા એ જણાવ્યું હતું કે, “સુરતમાં ઉદ્યોગના ઝડપી વિકાસ સાથે કેન્દ્ર સરકાર દ્વારા ઓટોમોબાઇલ ક્ષેત્ર માટે GST દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને આગામી સમયમાં મોટો બૂમ આપશે. હાલ દર મહિને ભારતમાં ત્રણ લાખ કારોનું વેચાણ થાય છે અને તેમાં પણ પ્રીમિયમ કે 10 લાખથી વધુ કિંમતની કારોનું માર્કેટ શેર 25 ટકા છે. રીસેલ કારોના મામલે, દર મહિને છ લાખ કારોનું ટ્રાન્ઝેક્શન થાય છે, જેથી સ્પષ્ટ છે કે આ ક્ષેત્રમાં શ્રેષ્ઠ વિકાસની સંભાવના છે.”

CAR24 Y ઝોન શોરૂમ VR મોલ પાસે ડુમસ રોડ સુરત ખાતે 30,000 સ્ક્વેર ફૂટથી વધુ વિસ્તારમાં ખુલ્યું છે. અહીં એડિશનલ ફેસિલિટીઓ જેવી કે કાર ડિટેલિંગ સેન્ટર, કાર વોશ સેન્ટર, ફાઇનાન્સ, RTO, ઇન્શ્યોરન્સ, CAR મેન્ટેનન્સ એડવાઇસ એક જ છત નીચે મળશે.
કાર 24ના એલિટ હેડ રવિ ઠક્કરે જણાવ્યું હતું કે તેઓ દ્વારા ભારતમાં પહેલી વખત ગ્રાહકો માટે નવી પોલિસી પણ લાગુ કરવામાં આવી છે. જેમાં સૌથી ખાસ છે સેવન ડે રિટર્ન પોલિસી, એક મહિનાની ક્રોમપ્રેહેન્સિવ વોરંટી, સ્પોટ ઓન ફાઇનાન્સ સર્વિસ, જેન્યુઇન સર્વિસ હિસ્ટ્રી ઉપલબ્ધ, સ્પોટ ઓન વેલ્યુએશન, આર સી ટ્રાન્સફર ફેસિલિટીનો સમાવેશ થાય છે. CAR24 Y ઝોનમાં પેન ઇન્ડિયામાં ઉપલબ્ધ તમામ બ્રાન્ડની કાર ખરીદી અને વેચાણ માટે રેડી પોઝિશનમાં ઉપલબ્ધ રહેશે. ત્યારે આ નવી શરૂઆતથી સુરતના પ્રીમિયમ કાર ચાહકોને વિશ્વસનીય અને સંપૂર્ણ સેવા પ્રાપ્ત થશે અને કાર ખરીદવાનું અને વેચવાનું અનુભવું વધુ સરળ બનશે.
“સુરતના ઉદ્યોગપતિઓ દ્વારા મંથન: ઉદ્યોગના વિકાસ માટે પ્રાઇવેટ ઇક્વિટી ફંડિંગ અને IPO સમયની જરૂરીયાત છે”
સુરત, 2 ઓગસ્ટ, 2025 — કુંભટ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ દ્વારા તેનું મુખ્ય કાર્યક્રમ “Profit to Wealth Creation: Scaling Businesses with Private Equity & IPO” શનિવાર સાંજે સફળતાપૂર્વક સંપન્ન થયું. આ કાર્યક્રમમાં ભારતના ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને પ્રાઇવેટ ઇક્વિટી ક્ષેત્રના અગ્રણી ચિંતકો એકત્રિત થયા હતા, જેમણે વિકાસની ગતિ વધારવા અને IPO માટે તૈયારી અંગે ઉદ્યોગસાહસિકો અને બિઝનેસ માલિકોને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું.
સાંજની શરૂઆત નેટવર્કિંગ સેશનથી થઈ, જેમાં સ્થાપકો, રોકાણકારો અને નિષ્ણાતો વચ્ચે સાર્થક સંવાદનો મંચ મળ્યો. ત્યારબાદ વિચારપ્રેરક સત્રોની શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં જટિલ આર્થિક વ્યૂહરચનાઓને સરળતાથી સમજાવવામાં આવી.
ડૉ. ફારુક પટેલ, KP ગ્રુપના ફાઉન્ડર અને CMD, દ્વારા કીનોટ ભાષણ આપવામાં આવ્યું. તેમણે કહ્યું કે સંપત્તિ નિર્માણ એ એક યાત્રા છે, જે રાતોરાત પૂર્ણ થતી નથી. તેમણે યુવાન ઉંમરમાં શરૂઆત કરવાનું મહત્વ, વિશ્વસનીયતા અને કેશ ફ્લો જાળવી રાખવાની જરૂરિયાત અને IPO ને લાંબા ગાળાની કિંમત ઊંઘારવાના સાધન તરીકે ઉપયોગ કરવાની વાત પર ભાર મૂક્યો. તેઓએ કહ્યું: “IPO એ બિઝનેસ ઓનર માટે ચલણ (currency) છે — તમારે તમારું ચલણ માર્કેટમાં કામ પર લગાડવું આવડવું જોઈએ.”

પ્રણવ પારેખ, નુવામા પ્રાઇવેટ ઇક્વિટીના વડા, એ જણાવ્યું કે પ્રાઇવેટ ઇક્વિટી બિઝનેસને માત્ર મૂડી નહીં પરંતુ ઓપરેશનલ અને ગવર્નન્સ સપોર્ટ દ્વારા પણ વિકાસમાં મદદરૂપ બને છે. તેમણે ઉમેર્યું કે સુરતનું ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ હવે PE આધારિત વૃદ્ધિ અને વ્યવસાયિકતા માટે પૂરતું પરિપક્વ છે.
નિપુણ ગોયલ, IIFLના ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને કેપિટલ સર્વિસિસના વડા, એ IPO સુધી પહોંચવા માટે એક સ્પષ્ટ માર્ગદર્શિકા રજૂ કરી, જેમાં રિસ્ટ્રક્ચરિંગ, કૉમ્પ્લાયન્સ અને મૂડી વ્યૂહરચનાના મહત્વપૂર્ણ પગલાઓનો સમાવેશ થયો, જેથી લિસ્ટિંગ સફળતાનું પ્રમાણ વધારી શકાય.
પ્રાઇવેટ ઇક્વિટી સુરતના ઉદ્યોગ ક્ષેત્રમાં સતત મહત્વની ભૂમિકા ભજવી રહી છે, જે ટકાઉ વૃદ્ધિ માટે જરૂરી સ્ત્રોતો અને માળખું આપે છે. જે બિઝનેસ લાંબા ગાળાની સંપત્તિ નિર્માણ તરફ આગળ વધી રહ્યાં છે, માટે PE ફંડિંગ અને ત્યારપછીનું સુસંગત IPO એક શક્તિશાળી વ્યૂહરચના બની શકે છે — જે તેમને વિસ્તરણ, વિશ્વાસ અને વૈશ્વિક બજારો સુધી પહોંચ અપાવે છે.
કાર્યક્રમનું સમાપન નેટવર્કિંગ ડિનર સાથે થયું, જેણે હાજર રહી ગયેલા વ્યક્તિઓ વચ્ચે ભવિષ્યના સહયોગ માટેના દરવાજા ખોલ્યા.
ફ્રેગન્ટા બાય લીના જૈન દ્વારા “ગંગા & જોગી” પરફ્યુમ લોન્ચ કરાયું
ફ્રેગન્ટા બાય લીના જૈન દ્વારા ભારતીય વારસા અને આધુનિક વૈભવીતાનો સુગંધિત ઉજવણી કરતું પરફ્યુમ “ગંગા & જોગી” લોન્ચ કરાયું છે. લોન્ચિંગ સમયે વિંદુ દારા સિંહ, નવીન પ્રભાકર, મૃણાલ દેસરાજ, ડૉ. અનિલ મુરારકા, રામજી ગુલાટી, ધરતી ગુલાટી, અંકિતા મૈથી, પ્રિયંકા બજાજ, પ્રશાંત વીરેન્દ્ર શર્મા, સિદ્ધાર્થ બજાજ, શ્વેતા પંડિત, અર્શી ખાન, રોહિત વર્મા, માધુરી પાંડે, રેહાન શાહ, કવિતા વર્મા, આરતી નાગપાલ, નવપ્રીત કૌર, દીપક સિંહ, ગુરપ્રીત કૌર ચઢ્ઢા, અદિતિ શેટ્ટી, રાકેશ પૌલ, વિકાસ વર્મા, મિતાલી હાજર રહ્યા હતા. નાગ, રાજીવ રોડા, વિપિન અનેજા, ગુલફામ ખાન, નિવેદિતા બાસુ, નાસિર ખાન, દિવ્યાંક પાટીધર અને બીજા ઘણા ઉપસ્થિતિ જોવા મળી.
પરફ્યુમરીની દુનિયામાં એક નવું નામ, ફ્રેગ્રન્ટા બાય લીના જૈન, ગર્વથી તેની પ્રથમ ફ્રેગરન્સ જોડીના લોન્ચની જાહેરાત કરે છે; ગંગા અને જોગી – પરફ્યુમની જોડી જે ભારતના સસ્તા લક્ઝરી સેગમેન્ટમાં સંવેદનાત્મક ક્રાંતિની શરૂઆત કરે છે.
ફ્રેગ્રન્ટાના સ્થાપક લીના જૈન કહે છે, “ફ્રેગન્ટા નો જન્મ એક સરળ છતાં શક્તિશાળી વિચારમાંથી થયો હતો કે વૈભવી વસ્તુઓ મહત્વાકાંક્ષી બનવા માટે વિદેશથી આવવી જરૂરી નથી. ભારતની સુગંધ, વાર્તાઓ અને ભાવના વિશ્વને પ્રેરણા આપવા માટે પૂરતી સમૃદ્ધ છે. ગંગા અને જોગી સાથે, અમે ફક્ત પરફ્યુમ જ નહીં, પરંતુ ભાવનાત્મક અનુભવો પણ લોન્ચ કરી રહ્યા છીએ જે યાદો, ગૌરવ અને ઓળખને ઉત્તેજીત કરે છે. ફ્રેગન્ટા એ ભારતના સંવેદનાત્મક વારસા પ્રત્યેનું મારું સમર્પણ છે, જે આધુનિક, સભાન ગ્રાહક માટે ફરીથી કલ્પના કરાયેલ છે.”
ફ્રેગેન્ટા એ એક એવું આંદોલન છે જે વૈભવી જીવનશૈલીની પરંપરાગત પાશ્ચાત્ય સમજણથી હટીને તેને નવા રીતે વ્યાખ્યાયિત કરે છે – જ્યાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને વૈભવના શ્રેષ્ઠ સ્વરૂપ તરીકે ઉજવવામાં આવે છે. સુગંધ અને ભારતીયતા વચ્ચેના અનન્ય સંયોજનથી જન્મેલો “ફ્રેગેન્ટા” નામ એ બ્રાન્ડના મિશનનું પ્રતિક છે – એક એવું મિશન જે ઘરેલુ શાહીપણું આપે છે, વિશ્વસ્તરીય ફોર્મ્યુલેશન સાથે જે ભાવનાત્મક રીતે જોડાણ પામે છે, ભારતીય પરંપરાઓમાં ગહેરાઈથી વિસ્તરેલ છે, પરંતુ આજના આધુનિક અને સમજદારીથી ભરેલા ગ્રાહક માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલ છે.
એફોર્ડેબલ લક્ઝરીના સ્પેસમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા ફ્રેગેન્ટા વર્લ્ડ ક્લાસ ગુણવત્તાનું એવું વચન આપે છે જે જૂની યાદો, આત્મીયતાનો અનુભવ અને ભાવનાત્મક વાર્તાકથનથી ઓતપ્રોત આત્માને સ્પર્શે છે. ફ્રેગેન્ટાનું પરફ્યુમરી પ્રત્યેનું નવતર દૃષ્ટિકોણ એ છે કે તે ઉત્પાદનોને જોડીઓમાં લોન્ચ કરે છે — જે ભારતીય બંધનોથી પ્રેરિત હોય છે; માનવતા, ભાવનાત્મકતા અને આધ્યાત્મિકતા જેવી ભાવનાઓ સાથે જોડાયેલા હોય છે; અને દરેક સુગંધ પોતાની એક અનોખી કહાની કહે છે જ્યારે તે અન્ય સુગંધને વધુ અર્થસભર બનાવે છે.
ગંગા અને જોગી સાથે, ફ્રેગેન્ટા તેની શરૂઆતની સુગંધયાત્રા રજૂ કરે છે. એક આદર્શ જોડીરૂપે કલ્પાયેલ, સ્વતંત્ર છતાં ઊંડાઈથી જોડાયેલી આ બન્ને સુગંધો આધુનિક ભારતની ધબકારને રજૂ કરે છે અને સાથે સાથે તેની શતાબ્દીઓ જૂની આત્માને ટ્રિબ્યુટ પણ અર્પે છે.
ગંગા એ પ્રેમ અને યાદોની એક નાજુક, પુષ્પમય સરગમ છે — જુના પત્રોમાં દબાયેલી ચમેલીની ખુશ્બુની યાદ આપતી કે પ્રેમી દ્વારા અપાયેલા ગુલદસ્તાની તાજગી જેવી. આ સુગંધ આત્મીયતા અને શાશ્વત લીલાવતિતા નો અનુભવ કરાવે છે. દીર્ઘકાળીની નજીકતાની ભાવના સાથે, ગંગા એ પ્રેમ અને મૂળભૂત નારીત્વ પ્રત્યેની એક સુગંધિત ટ્રિબ્યુટ છે.
જોગી તેનો ખુલ્લા દિલનો સમકક્ષ છે, એક ઉદાર, માટીની સુગંધ જે સંશોધકના આત્માને સ્પર્શે છે. જંગલના ઘાસના મેદાનોમાંથી ફૂંકાતા પવનની જેમ, જોગી સાહસિક, જિજ્ઞાસુ અને મજબૂત વ્યક્તિવાદી છે.
બંને સુગંધ ઉચ્ચ-પ્રદર્શનવાળા આવશ્યક તેલથી ભરેલી છે જે ફક્ત ઉત્કૃષ્ટ ટકાઉપણું અને પ્રક્ષેપણ જ નહીં, પણ એક સંવેદનાત્મક અનુભવ પણ પ્રદાન કરે છે જે હંમેશા માટે સ્મૃતિમાં રહેશે.
ગંગા અને જોગી સાથે મળીને સુગંધના દર્શન રૂપે મેળ ખાય છે, જે ભાવનાત્મક લોકો માટે ભાવનાત્મક પરફ્યુમ બનાવવાનું છે અને ભારતીય વૈભવીને માત્ર એક આકાંક્ષા તરીકે નહીં, પરંતુ જીવંત અનુભવ તરીકે રજૂ કરે છે.
ફ્રેગન્ટા પ્રતિષ્ઠાની આયાતી ધારણાઓને પડકારવા માટે અહીં છે – અને તેના બદલે, ભારતને ઘર જેવું લાગે તેવી વૈભવી ભેટ આપવા માટે છે.
નાણાવટી સિટ્રોઈન સુરત એ લોન્ચ કરી ડાર્ક એડિશન: C3, એરક્રોસ અને બેસાલ્ટ SUV કૂપેમાં ઓલ-બ્લેક સ્ટાઇલ
સિટ્રોન ઇન્ડિયાએ પોતાની સૌથી આકર્ષક અને ખાસ ડાર્ક એડિશન સિરિઝ લોન્ચ કરી છે, જેમાં C3, એરક્રોસ અને બેસાલ્ટ SUV કૂપેના ટોપ વેરિઅન્ટ્સ શામેલ છે. સ્ટાર ક્રિકેટર અને સિટ્રોઈનના બ્રાન્ડ એમ્બેસેડર મહેન્દ્ર સિંહ ધોનીએ આ ડાર્ક એડિશનનું અનાવરણ કર્યું અને પ્રથમ બેસાલ્ટ ડાર્ક એડિશનની ડિલિવરી લઈ તેના પ્રથમ માલિક બન્યા.
આ ડાર્ક એડિશન કારો લિમિટેડ સંખ્યામાં ઉપલબ્ધ છે અને તેમની આકર્ષક ડિઝાઇન તેમજ પ્રીમિયમ ઇન્ટિરિયર્સ સાથે ભારતીય રસ્તાઓ પર ઉતરીને ધ્યાન ખેંચવા તૈયાર છે.
સિટ્રોઈન ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર શિશિર મિશ્રાએ જણાવ્યું કે ડાર્ક એડિશન અમારી સ્ટાઇલિશ ડિઝાઇન્સ અને આધુનિકતાને એકાસાથે જોડવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ લિમિટેડ એડિશનની ખાસ સિરિઝ પોતાના પ્રીમિયમ ફીચર્સ સાથે ભારતીય ગ્રાહકોની બદલાતી જતી પસંદગીને અનુરૂપ છે. અમે ખુશ છીએ કે એમ.એસ. ધોની આ સિટ્રોઈન સિરિઝના પહેલા ગ્રાહક બનીને ઓનર્સ ક્લબમાં પોતાની આગવી અદા સાથે જોડાયા.

ડાર્ક એડિશન ગાડીઓ પર્લ નેરા બ્લેક રંગમાં બોલ્ડ અને સ્પોર્ટી લુક ધરાવે છે. બહારના ભાગમાં શેવરોન બેજ, ફ્રન્ટ ગ્રિલ અને બોડી સાઇડ મોલ્ડિંગ પર ડાર્ક ક્રોમ એક્સેન્ટ્સ છે, જ્યારે બમ્પર અને ડોર હેન્ડલ્સ પર ગ્લોસ બ્લેક ફિનિશ છે. આ ફીચર્સને કારણે રસ્તા પર આ ગાડીઓ પોતાની એક સ્ટ્રોંગ અને અલગ હાજરી નોંધાવે છે.
ગાડીની અંદર પણ ઓલ-બ્લેક થીમ અપાઇ છે જે પ્રીમિયમ અનુભવ આપે છે. મેટ્રોપોલિટન બ્લેક લેધરેટ સીટ્સ અને કસ્ટમ લેધરેટથી બનેલું ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ છે. કાર્બન બ્લેક ઇન્ટિરિયર્સમાં લાવા રેડ ડિટેલિંગ અને હાઇ-ગ્લોસ બ્લેક ફિનિશ અપાયું છે. આ ઉપરાંત, કસ્ટમ સીટ કવર્સ, ડાર્ક ક્રોમ મોલ્ડિંગ્સ અને ગ્રિલ એમ્બેલિશર જેવા ખાસ ફીચર્સ કેબિનને વધુ આકર્ષક બનાવે છે.
આ ડાર્ક એડિશન ફક્ત C3, એરક્રોસ અને બેસાલ્ટના ટોપ વેરિઅન્ટ્સ પર જ ઉપલબ્ધ છે અને 10 એપ્રિલ, 2025થી સિટ્રોનના દેશભરના ડીલરશિપ નેટવર્ક દ્વારા વેચાઇ રહી છે. ડાર્ક એડિશન C3ની કિંમત રૂ. 8,38,300 રૂપિયાથી શરૂ થાય છે જ્યારે એરક્રોસ રૂ. 13,13,300 રૂપિયાથી અને ડાર્ક એડિશન બસાલ્ટ ની કિંમત 12,80,000 રૂપિયાથી શરૂ થાય છે.
પટ્ટાયા (થાઇલેન્ડ)માં ગુજરાતીઓનું ફેવરિટ રેસ્ટોરેન્ટ “ટનાટન” હવે 24 કલાક ખુલ્લું રહેશે
- ગુજરાતી ફૂડ ઉપરાંત પંજાબી, ચાઈનીઝ અને સાઉથ ઇન્ડિયન ફૂડની વિશાળ વેરાયટી પણ હવે શરૂ : ફરવા ગયેલા ગુજરાતીઓની જમવાની ચિંતા હવે નહિ રહે, અહીં જેવું જ પ્યોર વેજ અને હાઇજેનિક ટેસ્ટી ફૂડ મળી રહેશે
- રેસ્ટોરેન્ટના સંચાલક એવા રાજકોટના ઉમેશભાઈ લાગણીભેર ભોજન કરાવે છે, ઉપરાંત હોટેલ બુકીંગ, એરપોર્ટ ટ્રાન્સફર, સાઇટ સીઇંગ, કોરલ આઇલેન્ડ ટુર સહિતની સેવા પણ આપે છે
પટ્ટાયા (થાઇલેન્ડ)માં ગુજરાતીઓનું ફેવરિટ રેસ્ટોરેન્ટ એટલે ટનાટન… આ રેસ્ટોરેન્ટ વર્લ્ડ ફેમસ વોકિંગ સ્ટ્રીટ નજીક આવેલું છે. હવે આ રેસ્ટોરેન્ટ 24×7 ખુલ્લું રહેશે. ઉપરાંત ત્યાં ગુજરાતીની સાથે પંજાબી,ચાઈનીઝ, સાઉથ ઇન્ડિયન અને જૈન ફૂડ પણ મળી રહેશે.
આ રેસ્ટોરેન્ટનું સંચાલન ઉમેશભાઈ સાંભળે છે. જેઓ માય હોલીડે મૂળ ટુર એન્ડ ટ્રાવેલ્સ- થાઇલેન્ડના માલિક છે અને રાજકોટના છે. અગાઉ આ રેસ્ટોરેન્ટ બપોરે 12થી રાત્રીના 12 વાગ્યા સુધી જ ખુલ્લું રહેતું હતું અને ગુજરાતી જ જમવાનું મળતું હતું. પણ ગુજરાતીઓની લાગણીને માન આપી હવે તેઓએ રેસ્ટોરેન્ટ 24 ×7 ખુલ્લું મૂક્યું છે. ઉપરાંત તેઓએ ટેસ્ટી ફૂડની વિશાળ વેરાયટી પણ ઉપલબ્ધ કરી છે. જેથી ત્યાં ફરવા જતા ગુજરાતીઓ ગમે ત્યારે ભોજનનો આનંદ માણી શકે. ઉમેશભાઈ અહીં રેસ્ટોરેન્ટમાં હાઇજિન, શુદ્ધતા અને સ્વાદનું સંપૂર્ણ પણે ધ્યાન રાખી ગ્રાહકોને લાગણીસભર ભોજન કરાવે છે. તેઓ દ્વારા ઓર્ડર ઉપર ફૂડ ડિલિવરી પણ કરી આપવામાં આવે છે.
વધુમાં ઉમેશભાઈ છેક ગુજરાતથી પરદેશમાં આવતા પ્રવાસીઓને મદદરૂપ થવા માટે પોતે જ હોટેલ બુકીંગ, એરપોર્ટ ટ્રાન્સફર, સાઇટ સીઇંગ, કોરલ આઇલેન્ડ ટુર સહિતની સેવા પણ આપે છે. ઉપરાંત તેઓ વર્ષોથી ત્યાં જ સ્થાયી થયા હોય, ગુજરાતીઓને જરૂર પડે ત્યાં મદદરૂપ પણ થાય છે. તો એક વખત ટનાટન ઇન્ડિયન રેસ્ટોરેન્ટની મહેમાનગતિ જરૂર માણજો.
ગુજરાતી મેનુ
સેવ ટમેટા સબ્ઝી, ગાંઠિયા સબ્ઝી, ડુંગળી સબ્ઝી, ડુંગળી ગાંઠિયા સબ્ઝી, મૂંગ મસાલા સબ્ઝી, દેશી ચણા, ઓળો, ભરેલા રીંગણા, ભીંડી મસાલા, રીંગણા બટાકા, રસાવાળા બટાકા, લસણીયા બટાકા, મિક્સ વેજીટેબલ, દહીં તિખારી, આલુ પાલક, સૂકી ભાજી,આલુ જીરા….
પંજાબી મેનુ
પનીર લબાબદાર, પનીર કડાઈ, પનીર તુફાની, પનીર ટિક્કા મસાલા, પનીર ભુર્જી, પનીર મટર, કાજુ પનીર, હરા ભરા કબાબ, વેજ કડાઈ, વેજ તુફાની, કાજુ કરી, પાલક પનીર, સ્વીટ કોર્ન પનીર, પનીર ચણા મસાલા…
રોટલી
તંદૂરી રોટી, નાન, કુલચા, લચ્છા પરાઠા, ફુલકા રોટી, તવા રોટલી, સ્વામિનારાયણ રોટલી, બાજરાનો રોટલો, ભાખરી, મેથી થેપલા, પરોઠા, પુરી….
સાઉથ ઇન્ડિયન
ઈડલી સાંભાર, મેંદુ વડા, મસાલા ઢોસા, મૈસુર મસાલા, સાદા ઢોસા, ચીઝ ઢોસા, રવા મસાલા ઢોસા, ટામેટા ઉત્તપમ, ડુંગળી ઉત્તપમ…
નાસ્તો
ઈડલી સાંભાર, મેંદુ વડા, ફાફડા ગાઠીયા, જલેબી, મેથીના ભજીયા,
ડુંગળીના ભજીયા, પનીર પકોડા, બટાકા વડા, આલુ પરાઠા, તવા પરાઠા, થેપલા, દહીં, લસણ ચટણી, બટાકા પૌવા, ભજીયા, ઇદડા, બ્રેડ પકોડા, પુરી સુકીભાજી, છોલે ભટુરે…
સ્વીટ
ગુલાબ જાંબુ, ગાજરનો હલવો, ડ્રાયફ્રુટ્સ શીરો, મોહનથાળ, કેરીનો ૨સ, રસગુલ્લા…
ડ્રિન્ક્સ
ચા, કોફી, લસ્સી- મીઠી/ખારી, મેંગો લસ્સી, સોફ્ટ ડ્રિંક્સ, લેમન સોડા…
ટનાટન ઇન્ડિયન રેસ્ટોરન્ટ
વોકિંગ સ્ટ્રીટ પાસે,
સાઉથ પટ્ટાયા, થાઇલેન્ડ
+66969622030
+66944490501
ગુગલમેપ
બ્રાન્ડ ડેવલપમેન્ટ અને કન્ટેન્ટ ડિઝાઈનિંગમાં નવા અભિગમ સાથે સુરતમાં લોન્ચ કરાયું – સાધો મીડિયા
સુરત (ગુજરાત) [ભારત], 14 ડિસેમ્બર: ડિજિટલ યુગમાં, સિનેમેટિક ક્ષેત્રમાં પણ આધુનિક અભિગમ સાથે નવા ખ્યાલો રજૂ કરવામાં આવી રહ્યા છે. તમારી બ્રાન્ડને મજબૂત બનાવવા માટે નવી રીતે કહાણી કહેવા, “સાધો મીડિયા”એ સુરતમાં તેની ભવ્ય મજબૂત શરૂઆત કરી છે. આ કંપનીની વિશેષતા એ છે કે તે સર્જનાત્મકતા અને લાગણીઓ સાથે બ્રાન્ડ ડેવલપમેન્ટને નવા અભિગમ સાથે રજૂ કરે છે. કંપની પાસે તેના પોતાના નિષ્ણાત ડિઝાઇનર્સ, વાર્તાકારો અને કલાકારો છે, જેઓ તેમના અનુભવ સાથે બ્રાન્ડ માટે એક અલગ ઓળખ બનાવવામાં ઉત્તમ કાર્ય કરે છે. કંપની એવી સ્ટોરીઝ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે પ્રેરણા આપે અને પ્રેક્ષકો સાથે ઊંડાણપૂર્વક જોડાય.”સાધો મીડિયા” કંપનીની સ્થાપના યુવા ઉદ્યોગસાહસિકો યુગ ઇટાલિયા અને અમન સુખડિયા દ્વારા કરવામાં આવી છે જેમને આ ક્ષેત્રમાં સારો અનુભવ છે. આ બંને નવીનતા અને કંઈક અલગ ઓફર કરવામાં માને છે. તે વાસ્તવિક ડિઝાઇન અને લાંબા ગાળાની અસર બનાવવામાં માને છે.
“સાધો મીડિયા” બ્રાન્ડ આઈડેન્ટિટી ડેવલપમેન્ટ, આર્ટ ડિરેક્શન, કન્ટેન્ટ ક્રિએશન અને મેનેજમેન્ટ, વિઝ્યુઅલ કેમ્પેઈન્સ અને વેબશોપ ડેવલપમેન્ટની સેવાઓ પૂરી પાડે છે. કંપનીએ આજની તારીખમાં 100 થી વધુ પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે અને 2,500 થી વધુ અદભૂત વિઝ્યુઅલ્સ બનાવ્યાં છે. યુગ ઇટાલિયા અને અમન સુખડિયા માને છે કે સાધો મીડિયા બ્રાન્ડ ડેવલપમેન્ટ અને સ્ટોરીટેલિંગમાં નવા બેન્ચમાર્ક બનાવશે. સર્જનાત્મકતા અને વિઝન પર ધ્યાન કેન્દ્રિત કરીને, “સાધો મીડિયા” બ્રાન્ડ્સ માટે તેમની અનન્ય ઓળખ બનાવવા માટે વિશ્વસનીય પાર્ટનર બનશે.
યુગ ઇટાલિયા કહે છે કે અમે માણસના જીવન સાથે સંબંધિત વાસ્તવિક ઘટનાઓ અને અનુભવો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. સાધો મીડિયામાં, તેઓ કન્ટેન્ટના સાચા ઉદ્દેશ્યને ઉજાગર કરવા સાથે વાર્તા કહેવાને એક કલા સ્વરૂપ તરીકે ઊંડાણ સાથે રજૂ કરવામાં રસ ધરાવે છે. આ જ તેમની સફળતાનો મંત્ર છે. અમારો ઉદ્દેશ્ય એવા અર્થપૂર્ણ કન્ટેન્ટ રજૂ કરવાનો છે જે લોગો માટે યાદગાર બની રહે છે.
“સાધો મીડિયા”ની ઓફિસને પણ જરૂર પૂરતી જગ્યામાં પૂરી સર્જનાત્મકતા સાથે ડિઝાઇન કરવામાં આવી છે. અહીં કંપનીએ ટીમવર્ક અને નવીન વિચારો સાથે કામ કરીને બ્રાંડિંગ અને સ્ટોરીટેલિંગની એક વિશેષ દ્રષ્ટિ વિકસાવી છે. કંપનીના કો-ફાઉન્ડર અમન સુખડિયા કહે છે કે દરેક બ્રાન્ડની એક અનોખી વાર્તા હોય છે. આજે, તીવ્ર સ્પર્ધાના સમયમાં, અનન્ય બ્રાન્ડ આઇડેન્ટિટી એ કંપનીની સૌથી મહત્વપૂર્ણ એસેટ્સમાંની એક છે. અનન્ય વિઝ્યુઅલ આઇડેન્ટિટી, અવાજનો સ્વર, ટેગલાઇન અને ક્લિયર મેસેજ કોઈપણ બ્રાન્ડને પ્રેક્ષકો વચ્ચે વિશ્વસનીય બનાવવામાં મદદ કરે છે. તે સિનેમેટિક પ્રોડક્શન, એનિમેશન, ડિજિટલ કન્ટેન્ટ અથવા વિઝ્યુઅલ બ્રાન્ડિંગ દ્વારા થતું હોવાથી અમે અત્યંત કાળજી અને ફોકસ સાથે ટેલેન્ટ ફ્રેમવર્ક સેટ કરીએ છીએ. અમે વાર્તાને લાગણીઓનો સ્પર્શ આપીને વિકસાવીએ છીએ, જે માનસ પર એક અલગ છાપ છોડી દે છે.