पुनीत इस्सर: दुर्योधन से बिग बॉस तक की अद्भुत यात्रा
पुनीत इस्सर भारतीय सिनेमा और टेलीविजन के एक प्रतिष्ठित अभिनेता, निर्देशक और पटकथा लेखक हैं। उनका जन्म 6 सितंबर 1958 को पंजाब, भारत में हुआ था। अपने अद्वितीय व्यक्तित्व और दमदार अभिनय के लिए जाने जाने वाले पुनीत इस्सर ने भारतीय सिनेमा में एक खास मुकाम हासिल किया है।
पुनीत इस्सर ने अपने फिल्मी करियर की शुरुआत 1983 में फिल्म “कुली” से की थी, जिसमें उन्होंने खलनायक की भूमिका निभाई थी। इस फिल्म के दौरान एक दुखद दुर्घटना हुई, जिसने अमिताभ बच्चन को गंभीर रूप से घायल कर दिया था। इस घटना के बावजूद, पुनीत ने अपने अभिनय कौशल से दर्शकों का ध्यान खींचा और भारतीय सिनेमा में अपनी जगह बनाई।
हालांकि, पुनीत इस्सर को असली पहचान और प्रसिद्धि टीवी धारावाहिक “महाभारत” में दुर्योधन के किरदार से मिली। बी. आर. चोपड़ा द्वारा निर्देशित इस महाकाव्य में उनके दमदार अभिनय और प्रभावशाली संवाद अदायगी ने उन्हें घर-घर में लोकप्रिय बना दिया। दुर्योधन के किरदार में उनकी बॉडी लैंग्वेज, आंखों की चमक, और संवाद अदायगी ने दर्शकों को मंत्रमुग्ध कर दिया। उनकी यह भूमिका इतनी प्रभावशाली थी कि आज भी लोग उन्हें दुर्योधन के नाम से जानते हैं।
महाभारत के बाद, पुनीत इस्सर ने कई हिंदी फिल्मों में काम किया और अपनी बहुआयामी प्रतिभा से दर्शकों का दिल जीता। वे एक अच्छे अभिनेता होने के साथ-साथ एक कुशल निर्देशक और लेखक भी हैं। उन्होंने “गर्व: प्राइड एंड ऑनर” (2004) जैसी फिल्मों का निर्देशन किया, जिसमें सलमान खान मुख्य भूमिका में थे। इस फिल्म ने बॉक्स ऑफिस पर अच्छी सफलता प्राप्त की और दर्शकों से सराहना भी मिली।
पुनीत इस्सर ने अपने करियर में कई महत्वपूर्ण फिल्मों में काम किया है। “रॉकी” (1981), “कुली” (1983), “कर्मा” (1986), “त्रिदेव” (1989), “रॉ वन” (2011), और “चेन्नई एक्सप्रेस” (2013) जैसी फिल्मों में उनकी भूमिकाएं सराहनीय रही हैं। उन्होंने अपने अभिनय कौशल से हर किरदार को जीवंत बना दिया और अपने दर्शकों को हमेशा कुछ नया दिया। उनकी विविधता और गहराई ने उन्हें फिल्म उद्योग में एक मजबूत और असाधारण कलाकार बना दिया।
फिल्मों के अलावा, पुनीत इस्सर ने टेलीविजन पर भी अपनी पहचान बनाई। “महाभारत” के अलावा उन्होंने कई अन्य टीवी शोज़ में भी काम किया। वे “बिग बॉस” के 8वें सीजन में भी नजर आए थे, जहां उनकी सख्त छवि और सटीक टिप्पणियों ने उन्हें दर्शकों के बीच और भी लोकप्रिय बना दिया।
नाडा हाफिज: गर्भावस्था में ओलंपिक का साहसिक सफर
नादा हाफिज मिस्र के काहिरा से हैं और उन्होंने तीन ओलंपिक खेलोंलंदन, टोक्यो और अब पेरिस में अपने देश का प्रतिनिधित्व किया हैं। दिलचस्प बात यह है कि तलवारबाजी शुरू करने से पहले, हाफिज एक जिमनास्ट थीं और उन्होंने मिस्र की जिमनास्टिक चैंपियन का खिताब भी जीता था। इसके अलावा, उनके पास चिकित्सा की डिग्री भी है।हम बात कर रहे हैं मिस्र की महिला तलवारबाज नाडा हाफिज का जिन्होंने पेरिस ओलंपिक में हिस्सा लिया था। आपको जानकर हैरानी होगी कि वह टूर्नामेंट के दौरान 7 महीने गर्भवती थीं। इसके बावजूद उन्होंने टूर्नामेंट में हिस्सा लिया और अपने पहले मुकाबले में जीत भी हासिल की
सोशल पोस्ट से किया खुलासा मिस्र की 26 वर्षीय ने नाडा ने व्यक्तिगत प्रतियोगिता में अपना पहला मैच जीता, लेकिन वह अंतिम 16 के मुकाबले में बाहर हो गई। बाद में उन्होंने सोशल मीडिया प्लेटफॉर्म इंस्टाग्राम पर लिखा, ‘मेरे गर्भ में एक लिटल ओलंपियन पल रहा है। मेरे बच्चे और मैंने अपनी चुनौतियों का सामना किया। भले ही यह शारीरिक और भावनात्मक हों। प्रेग्नेंसी अपने आप में इतनी कठिन यात्रा होती है। जिंदगी और खेल के बीच संतुलन बनाए रखने के लिए संघर्ष करना बहुत मुश्किल था।’ आगे उन्होंने पोस्ट लिखने के कारण को बताते हुए कहा कि ‘मैं पोस्ट यह बताने के लिए लिख रही हूं कि राउंड-16 में जगह पक्की करने के बाद मुझे बहुत गर्व महसूस हो रहा है।
मैं भाग्यशाली हूं कि मुझे अपने पति और अपने परिवार का भरोसा मिला, जिससे मैं यहां तक पहुंच पाई। मैं तीन बार ओलंपियन रही, लेकिन यह ओलंपिक अलग था, क्योंकि इस बार एक छोटा ओलंपियन मेरे साथ है। इस हार के बाद मिस्र की फेंसर नाडा की इंस्टाग्राम पोस्ट ने दुनियाभर में सुर्खियां बटोरीं
ફિલાટેક્સ ફેશન્સ લિમિટેડની માઇનિંગ સબસિડીઅરી કંપનીને 35 મિલિયન યુએસ ડોલર (રૂ. ૨૯૩ કરોડનો) એક્સપોર્ટ ઓર્ડર મળ્યો
કંપનીની માઇનિંગ પેટાકંપની ફિલાટેક્સ માઇન્સ એન્ડ મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડને સાત વર્ષના ગાળા માટે 2,97,388 મેટ્રિક ટન વ્હાઇટ માર્બલના સપ્લાય માટેનો ઓર્ડર મળ્યો
મુખ્ય બાબતો• શ્રી સુનિલ અગ્રવાલને 26 જુલાઈ 2024થી કંપનીના અધિક ડિરેક્ટર અને સીઈઓ તરીકે નિયુક્ત કર્યા• કંપનીના બોર્ડે તાજેતરમાં 1 માટે એક શેર સામે પાંચના સ્ટોક સ્પ્લિટને મંજૂરી આપી અને 9 ઓગસ્ટને રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરી• ઈજીએમમાં કંપનીએ સ્ટોક વિભાજનને મંજૂરી આપી, અધિકૃત શેર મૂડી રૂ. 850 કરોડ છે• કંપની દિલ્હીમાં ટેક્સટાઇલ ગાર્મેન્ટ્સ અને ફેબ્રિક્સની નિકાસ માટે સંપૂર્ણ માલિકીની પેટાકંપની સ્થાપશે• કંપનીના શેર 6 મે 2024 ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયા અને સોદા માટે સ્વીકારવામાં આવ્યા છે.• નાણાંકીય વર્ષ 2023-24 માટે કંપનીએ રૂ. 8.95 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો, કુલ આવક રૂ. 179.02 કરોડ રહી |
હૈદરાબાદ, 29 જુલાઈ, 2024 – હૈદરાબાદ સ્થિત અગ્રણી સૉક્સ અને કોટન પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી કંપની ફિલાટેક્સ ફેશન્સ લિમિટેડ (BSE – 532022, NSE – FILATFASH) ની સબસિડીઅરી (પેટાકંપની) એ 2,97,388 મેટ્રિક ટન વ્હાઇટ માર્બલના સપ્લાય માટે 35 મિલિયન યુએસ ડોલરનો નિકાસ ઓર્ડર મેળવ્યો છે.
માઇનિંગ બિઝનેસમાં કંપનીની પેટાકંપની ફિલાટેક્સ માઇન્સ એન્ડ મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડને બ્લૂમફ્લોરા વેન્ચર્સ લિમિટેડ તરફથી આ ઓર્ડર મળ્યો છે. આ કંપની આફ્રિકામાં તેમની આગામી 54 બેડ્સની હોસ્પિટલ માટે હોસ્પિટલ ડેવલપમેન્ટ બિઝનેસમાં છે. 7 વર્ષના સમયગાળામાં વ્હાઇટ માર્બલ સપ્લાય કરવાનો ઓર્ડર 35 મિલિયન યુએસ ડોલર (રૂ. ૨૯૩ કરોડનો) નો હોવાનો અંદાજ છે. કંપનીની માઇનિંગ પેટાકંપનીનો આ પ્રથમ એક્સપોર્ટ ઓર્ડર છે.
ફિલાટેક્સ ફેશન્સ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેની 26 જુલાઈ 2024ના રોજ યોજાયેલી બેઠકમાં શ્રી સુનિલ અગ્રવાલની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેટેગરીમાં કંપનીના અધિક ડિરેક્ટર અને સીઈઓ તરીકે નિમણૂંકને મંજૂરી આપી છે. આ નિમણૂંક આગામી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોની મંજૂરીને આધીન છે. શ્રી સુનિલ અગ્રવાલ પાસે 10 વર્ષથી વધુનો વ્યાપક અનુભવ છે અને તેઓ નાણાંકીય સેવાઓ, સલાહકાર, રોકાણ સલાહકાર અને રિસ્ક મેનેજમેન્ટ કન્સલ્ટિંગમાં કુશળતા ધરાવે છે અને કેટલીક અગ્રણી કંપનીઓના બોર્ડમાં રહી ચૂક્યા છે.
કંપનીએ 15 જુલાઇ 2024ના રોજ યોજાયેલી એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગમાં એક શેરના પાંચ શેરમાં શેર વિભાજનને મંજૂરી આપી હતી. ઇજીએમમાં શેરધારકોની મંજૂરી માટે કંપનીની કંપનીની અધિકૃત શેર મૂડી રૂ. 850 કરોડ છે અને દરેક રૂ. 1ના 850 કરોડ ઇક્વિટી શેરમાં વિભાજિત છે.
મૂડીબજારમાં તરલતા વધારવા અને શેરધારકોના આધારને વિસ્તૃત કરવા માટે, કંપનીએ 7 જૂન 2024ના રોજ યોજાયેલી બોર્ડ મીટિંગમાં 1:5 (1 શેરના પાંચ શેર)ના શેર વિભાજનને મંજૂરી આપી હતી. કંપનીએ રૂ. 5ની ફેસ વેલ્યુના હાલના 1 ઇક્વિટી શેરને પ્રત્યેક રૂ. 1ના ફુલ્લી પેઇડ-અપ પાંચ ઇક્વિટી શેર્સમાં વિભાજન કરવાને મંજૂરી આપી છે. શેર વિભાજનના હેતુ માટે રેકોર્ડ તારીખ 9 ઓગસ્ટ 2024 નક્કી કરવામાં આવી છે.
1995માં સ્થાપિત ફિલાટેક્સ ફેશન્સ લિમિટેડ ભારતમાં પ્રથમ વખત ઇન્ફ્રારેડ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નવીનતમ ફિનિશિંગ અને સેટિંગ મશીનો સાથે 25 સોક્સ-નિટીંગ મશીનો સાથે સોક્સના ઉત્પાદન અને કોટન પ્રોડક્ટ્સમાં નિષ્ણાત છે. ફિલાટેક્સ ફેશન્સ એ યુરોપિયન અને ભારતીય બજારમાં સમૃદ્ધ અનુભવ મેળવ્યો છે. હૈદરાબાદ, તેલંગાણામાં સ્થિત ઉત્પાદન પ્લાન્ટ સાથે, કંપની પ્રાઇવેટ લેબલ સર્વિસીઝ અને સોક્સ માટે તેના બ્રાન્ડેડ લેબલનો ઉપયોગ કરવાનો વિકલ્પ આપે છે. કંપનીના ગ્રાહકોમાં ફિલા, સર્જિયો ટેચિની, એડિડાસ, વોલ્ટ ડિઝની અને ફેશન જગતના અન્ય ઘણા ટોચના લેબલ્સ જેવી પ્રખ્યાત બ્રાન્ડનો સમાવેશ થાય છે.
કંપનીના શેરોને તાજેતરમાં 6 મે 2024થી FILATFASH કોડ સાથે એનએસઈ પર સોદા માટે સ્વીકારવામાં આવ્યા છે. કંપનીના શેર 23 સપ્ટેમ્બર 1996 થી બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હતા અને સ્ક્રીપ કોડ 532022 સાથે એક્સચેન્જમાં લિસ્ટ થવાનું ચાલુ રહેશે. કંપનીએ 30મી માર્ચ 2024થી કંપનીના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (સીએફઓ) તરીકે શ્રી યશ સેઠિયાની નિમણૂંક પણ કરી છે.
6 જુલાઈના રોજ મળેલી મીટિંગમાં કંપનીના બોર્ડે દિલ્હીમાં ટેક્સટાઈલ ગાર્મેન્ટ્સ અને ફેબ્રિક્સની નિકાસ માટે સંપૂર્ણ માલિકીની પેટાકંપની સ્થાપવાની મંજૂરી આપી છે કારણ કે દિલ્હી રેડીમેડ ચીજવસ્તુઓ માટેનું સ્ત્રોત છે જે વિદેશી બજારમાં સરળતાથી સપ્લાય કરી શકાય છે. વધુમાં, બોર્ડે બિઝનેસના વિસ્તરણ માટે મુંબઈમાં કોર્પોરેટ ઑફિસ સ્થાપવાની દરખાસ્તને પણ મંજૂરી આપી હતી અને સીઇઓ, હેડ ઓફ કમ્પ્લાયન્સ વગેરે જેવા સિનિયર મેનેજરીયલ કર્મચારીઓની નિમણૂંક કરવાની યોજના બનાવી હતી જે કંપનીને વૈશ્વિક બજારોમાં તેના સરળ બિઝનેસ વિસ્તરણમાં મદદ કરશે.
કંપની પાસે હૈદરાબાદ ખાતે સ્થિત એ અદ્યતન ઉત્પાદન એકમ છે, જેમાં કોરિયા અને ઇટાલીની અદ્યતન મશીનરી સાથે ઇન-હાઉસ આરએન્ડડી સુવિધાઓ છે, જે અગ્રણી બ્રાન્ડ્સના વિવિધ નવા ઓર્ડર સાથે વૃદ્ધિના માર્ગ પર છે. કંપની પાસે 4 એકરમાં ફેલાયેલો આધુનિક અત્યાધુનિક પ્લાન્ટ છે જે દર વર્ષે 8.64 મિલિયન જોડી સોક્સનું ઉત્પાદન કરી શકે છે. કંપની આગળ ઉત્પાદન ક્ષમતાને વાર્ષિક 14 મિલિયન જોડી સોક્સ સુધી વધારવાની યોજના ધરાવે છે.
નાણાંકીય વર્ષ 2023-24 માટે, કંપનીએ રૂ. 8.95 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, કુલ આવક રૂ. 179.02 કરોડ હતી. નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન, કંપનીનો ચોખ્ખો નફો રૂ. 2.56 કરોડ અને કુલ આવક રૂ. 69.59 કરોડ નોંધાઈ હતી.
For more information, visit www.filatexfashions.co.in
સુરતમાં જાહેરમાં જીવલેણ હુમલો: લક્ષ્મણ નગરમાં રાણાભાઈના પર મોતનો હૂમલો
સુરતના લક્ષ્મણ નગર વિસ્તારમાં રાણાભાઈ નામના એક વ્યક્તિ પર થયેલ જીવલેણ હુમલો એક ગંભીર અને ચિંતાજનક ઘટના છે. ઓછી જ સમયમાં આ કિસ્સાઓ વધતા જાય છે, જેના કારણે લોકોને ભયભીત બનાવ્યું છે.
આઠ અજાણ્યા શખ્સોએ જાહેરમાં હુમલો કર્યો, જે દર્શાવે છે કે આ ઘટના કેટલાંને આતંકિત કરી શકે છે. સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થવાને કારણે પોલીસે જાણકારી મેળવવી સરળ બનાવી છે, પરંતુ આવી ઘટનાની આવર્તન થવાથી સ્થાનિક જનતા અસુરક્ષિત અનુભવતી થઈ રહી છે.
આ બનાવે સુરત શહેરમાં જાહેર સુરક્ષાની સંદર્ભમાં ગંભીર ચર્ચા શરૂ કરી દીધી છે. સરકાર અને સ્થાનિક પોલીસને આવા કિસ્સાઓના ઉકેલ માટે તાકીદે પગલાં લેવા જોઈએ, જેથી સ્થાનિક લોકોમાં સુરક્ષા મહેસૂસ થાય.
ડિંડોલી: 6 વર્ષના બાળક પર શ્વાણના હુમલાનો ગંભીર પ્રકરણ
ડિંડોલી ખાતે સાઈ દર્શન વિસ્તારમાં આવેલો બનાવ ખૂબ જ ગંભીર છે. 6 વર્ષના બાળકને શ્વાણ દ્વારા હુમલો કરવો એક ગંભીર ઘટનાને દર્શાવે છે, જે સંજીવની માટે ખતરનાક હોઈ શકે છે.
સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકાને રજુઆત કરવી અતિ આવશ્યક છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓને ગંભીરતાથી લેવી જોઈએ. જો કે, શ્વાણને પકડવાના પ્રયત્નો માટે મદદરૂપ બનવી અને સતત સાફસફાઈ રાખવી જરૂરી છે, જેથી આવતી કાલમાં આવી ઘટનાઓ ન બને.
આ પ્રકારની ઘટના જો પાછા પુનરાવૃત્ત થવા પામે છે, તો તેમાં સંબંધિત તંત્રો તરફથી યોગ્ય પગલાં લેવામાં આવવાની જરૂર છે, જેથી બાળકો અને સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત થાય.
માંડવી તાલુકાના વાંકલા ગામના પ્રગતિશીલ આદિવાસી મહિલા ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા
અંજુબેન ૧.૫૦ વીઘા જમીનમાં ટીંડોરાની શાકભાજીના પાકનું નજીવા ખર્ચે વાવેતર કરી મહિને રૂ.૩૦ હજારની આવક મેળવી રહ્યા છે
આદિવાસી મહિલા ખેડૂતને જિલ્લા પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય યોજનાનો લાભ પ્રાપ્ત થયો
ગાયના છાણ આધારિત પ્રાકૃતિક ખેતીથી સારું ઉત્પાદન અને આર્થિક ઉપાર્જન મળે છેઃ મહિલા ખેડૂત અંજુબહેન ચૌધરી
સુરતઃમંગળવારઃ આજે દરેક ક્ષેત્રે મહિલાઓ પુરૂષ સમોવડી બની રહી છે. જોકે ખેતી એક એવો વ્યવસાય છે કે જેમાં મહિલાઓ પોતાના ભાઈ, પિતા કે પતિને મદદરૂપ બનતી હોય છે. પણ જાતે ખેતી અને તેમાં પણ પ્રાકૃતિક ખેતી કરતી મહિલાઓ આંગળીના વેઢે ગણાય એટલી હશે, ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના વાંકલા ગામના અંજુબેન નરેશભાઇ ચૌધરી આવી જ એક આદિવાસી મહિલા ખેડૂત છે, જે છેલ્લા ચાર વર્ષથી ગાયના છાણના ખાતર આધારિત પ્રાકૃતિક ખેતી કરી સારૂ ખેત ઉત્પાદન અને આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે. તેમણે આ વર્ષે ૧.૫૦ વીઘા જમીનમાં નજીવા ખર્ચે શાકભાજી ટીંડોરાનું વાવેતર કરી મહિને રૂ.30 હજારની આવક રળી રહ્યા છે.
વાંકલા ગામના ટેકરી ફળિયામાં રહેતા આદિવાસી મહિલા ખેડૂત અંજુબેન નરેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે,”પહેલાં અમે પરંપરાગત ખેતી કરતા હતા, પણ જ્યારથી મેં ખેતીમાં રસ લેવાનું શરૂ કર્યું, ત્યારથી પ્રાકૃતિક ખેતીમાં આકર્ષણ વધ્યું. પ્રાકૃતિક ખેતીની પ્રક્રિયા સમજી અને અભ્યાસ કર્યો, ત્યારબાદ વેલાવાળા શાકભાજીનું વાવેતર કર્યું. જેમાં સારૂ ઉત્પાદન મળ્યું. પ્રાકૃતિક ખેતીના કારણે પાકમાં કોઈ રોગ આવ્યો ન હતો. જેથી ઉત્સાહ પણ વધ્યો. બીજા વર્ષે પણ વેલાવાળા શાકભાજી ઉગાડ્યા. હાલમાં ૧.૫૦ વીઘા જમીનમાં નજીવા ખર્ચે ટીંડોરા, રીંગણના પાકનું વાવેતર કર્યું છે, જેનાથી વાર્ષિક રૂ.૩.૬૦ લાખની આવક પ્રાપ્ત થઇ રહી છે. જેનાથી ઘરપરિવારનું ગુજરાન સરળતાથી કરી રહી છું. આવકનો એક ભાગ મારા ખેતરમાં પ્રાકૃતિક ખેતીને વધુ કાર્યક્ષમ બનાવવા પર પણ કરૂ છું.
ધો.૯ પાસ એવા શિક્ષિત અને કોઠાસૂઝ ધરાવતા અંજુબેને વધુમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક એટલે મૂળ પ્રાકૃતિક ખેતી જ કરવી એવું પ્રારંભથી જ નિશ્ચિત કર્યું હતું. ખેતરમાં જાતે કામ કરવાનું, જીવામૃત, ઘન જીવામૃત, પ્રાકૃતિક દવા અને ખાતર જાતે જ તૈયાર કરવાનું. ઘરે ગાયના છાણમાંથી ખાતર બનાવીએ અને ખેતીમાં ઉપયોગ કરીએ છીએ. હવે ધીમે ધીમે ખેતીની જમીન પણ વધારીએ છીએ. પ્રાકૃતિક કૃષિમાં થોડી વધુ મહેનત જોઈએ, બાકી ઉત્પાદન ખર્ચ તો નહિવત હોય છે. આ ખેતીના કારણે મહત્તમ અને બમણું ઉત્પાદન મળે છે, બમણી આવક થાય છે. ભાવ પણ વધારે મળે છે, જેથી નુકશાન જતું નથી. પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યને રક્ષણ મળે છે, તેમજ પાણીની પણ બચત થાય છે. આ ઉપરાંત, જમીનની ભેજ સંગ્રહશક્તિ પણ વધે છે. જેથી જમીન બંજર થતી નથી. પ્રત્યેક વર્ષમાં સારો પાક મેળવી શકાય છે.
આદિવાસી મહિલાઓ માટે પ્રેરણારૂપ અંજુબેન કહે છે કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલ શાકભાજી બજારમાં વેચવા જવાની પણ જરૂર પડતી નથી. સગાસંબંધી અને આસપાસના લોકો આ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત વસ્તુઓ મારી પાસે ખરીદી જાય છે.
સરકાર દ્વારા મળેલી આર્થિક સહાય વિશે વાત કરતા તેઓ કહે છે કે, રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી અમારા જેવા છેવાડાના ખેડૂતો આર્થિક રીતે પગભર બન્યા છે. વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા જિલ્લા પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા સાધન સહાય યોજનાનો લાભ પ્રાપ્ત થયો છે. આ મદદ ખૂબ ઉપયોગી બની છે.
પ્રાકૃતિક ખેતી અપનાવી ખુશહાલ આદિવાસી મહિલા ખેડૂત અંજુબેન ચૌધરી પોતાના વિસ્તારના તેમજ રાજ્યના પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.
. . . . . . . . . . . . . . .
(ખાસ લેખ: મેહુલ વાંઝવાલા)
સુરતમાં નવ દિવસીય નેશનલ સિલ્ક એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે
– નેશનલ સિલ્ક એક્સ્પોમાં વિવિધ ડિઝાઇનવાળી સારી ગુણવત્તાની સાડીઓ, સૂટ અને કપડાં ઉપલબ્ધ થશે.
– રાખી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર 40 ટકા સુધી
હવે ગ્રાહકોને વિવિધ દુકાનોમાં ખરીદીની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
સુરત : મહારાજા અગ્રસેન ભવન, સિટીલાઇટ, સુરત ખાતે નવ દિવસીય નેશનલ સિલ્ક એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. 27મી જુલાઈથી શરૂ થઈ રહેલા નેશનલ સિલ્ક એક્સ્પોમાં મહિલાઓ માટે સિલ્ક, કોટન સાડી, ડિઝાઈનર એથનિક ડ્રેસ, ડ્રેસ મટિરિયલ, હોમ લિનન સહિતની વિવિધ વેરાયટી એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. 27 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી ચાલનાર આ નેશનલ સિલ્ક એક્સ્પો સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. તેની વિશેષતા એ છે કે તમને સમગ્ર ભારતમાંથી 150 થી વધુ માસ્ટર વીવર્સ અને શ્રેષ્ઠ ડિઝાઇનર્સનું કામ જોવા મળશે.
લગ્ન અને રક્ષાબંધન સિઝન માટે ઉપલબ્ધ નવી ડિઝાઇન સાથેની ખાસ સાડીઓ અને સૂટ્સની નવીનતમ વિવિધતા. આ સાથે 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. વિવિધ પ્રકારની ડિઝાઇન સાથે સારી ગુણવત્તાવાળી સાડીઓ, સૂટ અને ડ્રેસિસ છે. ઘણા રાજ્યોના વણકરો દ્વારા તૈયાર કરાયેલા કપડાના કાઉન્ટર એક જગ્યાએ ઉભા કરવામાં આવશે. જેથી કરીને તમે અલગ-અલગ દુકાનોમાં ખરીદીની ઝંઝટમાંથી મુક્ત થશો. “વિવિધ ડિઝાઇનના અલગ-અલગ દર હોય છે, જે લોકો ખરીદી કરી રહ્યા છે તેઓ તેમના બજેટ મુજબ ખરીદી કરી શકશે. ગ્રાહકોને પેમેન્ટ કરવા માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ સહિતના ઘણા વિકલ્પો ઉપલબ્ધ હશે.
બિહાર, આસામ, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશની લોકપ્રિય જાતો અને સાડીઓ અને ડ્રેસ મટિરિયલ રાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ થશે. સિલ્ક એક્સ્પો. જેમાં વિવિધ પ્રકારની ડિઝાઇન, પેટર્ન, કલર કોમ્બિનેશન છે. જેમાં ગુજરાતની ડબલ ઈકટ હેન્ડમેડ પટોળા સાડી 15 હજારથી લઈને 2 લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે, જે આઠ મહિનામાં તૈયાર થઈ જાય છે. તે બે વાર વણાય છે. તમિલનાડુની શુદ્ધ ઝરી વર્ક કાંજીવરમ સાડી પણ મહિલાઓને આકર્ષિત કરશે.
બનારસના વણકરો તેમની સાડીઓને નવા યુગ પ્રમાણે લોકપ્રિય બનાવવા માટે અનેક પ્રયોગો કરતા રહે છે. ક્યારેક તેઓ બનારસી સાડીઓ પર છપાયેલી બેગ મેળવે છે અને હવે તેઓ બનારસી સિલ્ક સાડીઓ પર મહારાષ્ટ્રની પૈઠાની સાડીઓના મોટિફ વણાવે છે. બાય ધ વે, પરંપરાગત બનારસી ઝરી અને કઢવા બુટીની સાડીઓથી માંડીને તાંચોઈ સિલ્ક સુધી, આ સેલમાં રૂ. 1,000 થી રૂ. 5,000 સુધીની અનેક વેરાયટી ઉપલબ્ધ છે.
ભાગલપુર, બિહારના ઘણા વણકરો, રેશમ વણાટ માટે પ્રખ્યાત, લગ્નની મોસમ જેવા ખાસ પ્રસંગોએ પહેરવામાં આવતા કુર્તા અને પાયજામા માટે ખાસ હાથથી બનાવેલા ભાગલપુર સિલ્ક અને મોદી જેકેટ ફેબ્રિક પણ પ્રદાન કરે છે. તમિલનાડુની શુદ્ધ ઝરી વર્કમાંથી બનેલી કાંજીવરમ સાડી પણ મહિલાઓને પસંદ આવી રહી છે. કારીગરો 30 થી 40 દિવસમાં સોના અને ચાંદીના તારથી બનેલી આ સાડી તૈયાર કરે છે, જેની કિંમત 5 હજારથી 2 લાખ રૂપિયા સુધીની હોય છે.
બનારસી અને જમદાની સિલ્ક, કાંચીપુરમ, બિહાર તુસાર, ભાગલપુર સિલ્ક, ગુજરાત બંધિની અને પટોળા, પશ્ચિમ બંગાળનું બાયલુ, કાંથા, હેન્ડ પેઈન્ટેડ સાડીઓ, ઢાકાઈ જમદાની, પૈઠાની, એમપી ચંદેરી, મહેશ્વરી, એરી સાડીઓ, શિબોરી અને અજરક પ્રિન્ટ, હેન્ડ કલમકારી રાજસ્થાન બ્લોક પ્રિન્ટ, છત્તીસગઢ કોસા અને ખાદી સિલ્કની સાડી અને ડ્રેસ મટિરિયલ ઉપલબ્ધ રહેશે. સુરતના સિટીલાઇટ સ્થિત મહારાજ અગ્રસેન ભવનમાં મૈસુર સિલ્કની સાડીઓ, ક્રેપ અને જ્યોર્જેટ સિલ્કની સાથે, બિહારનું તુસાર સિલ્ક, આંધ્ર પ્રદેશનું ઉપડા, ઓરિસ્સાનું મૂંગા સિલ્ક પણ ઉપલબ્ધ છે.
ઝારખંડ: હાવડા-CSMT એક્સપ્રેસ ટ્રેનનો અકસ્માત, 2ના મોત, 6 લોકો ઘાયલ
ઝારખંડના ચક્રધરપુર નજીક 30 જુલાઈના રોજ હાવડા-સીએસએમટી એક્સપ્રેસ ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી જવા પરિણામે દુઃખદ ઘટના બની છે. આ અકસ્માત સવારે 3:45 વાગ્યે થયો, જેમાં બે મુસાફરોના મૃત્યુ થયા છે અને છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આગામી સુચનાઓ બાદ, રેલ્વે અધિકારીઓએ તાત્કાલિક રીતે અકસ્માત રાહત તબીબી સાધનો (ARME) અને વધુ સ્ટાફને સ્થળે મોકલ્યો. ચક્રધરપુર રેલ્વે સ્ટેશનના વધારાના વિભાગીય અધિકારી પણ ત્યાં પહોંચ્યા, જેથી પરિસ્થિતિને સંભાળવા માટે જરૂરી પગલાં લઈ શકાય.
ઘાયલ લોકોને નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાની હાનિકારક વિગતો અને કારણો જાણીવા માટે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
આ દુઃખદ ઘટના ફરી એકવાર રેલ્વેની સલામતીના મુદ્દાને આગળ લાવે છે અને લોકોએ સલામતીના વધુ સક્ષમ ઉપાયો માટે સરકાર પાસે માંગણી કરવાની જરૂરતને પ્રબળ કરે છે. મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો છે, અને આવી દુર્ઘટનાઓ ટાળવા માટે તુરત પગલાં લેવા જોઈએ.
સુરતમાં શિક્ષણ સમિતિની વેબસાઈટ પર શાળા દેખાઈ, પરંતુ સ્થળ પરથી ગાયબ
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મોટા ઉપાડે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરીને શાસકોએ પ્રસિદ્ધિ મેળવી હતી. પરંતુ અંબાનગરમાં અંગ્રેજી માધ્યમની શાળાઓને શીખકોના અભાવે બંધ કરી દેવામાં આવી છે. સમિતિએ બાળકો ન હોવાનો બહાનું રજૂ કર્યું છે, પરંતુ વિપક્ષ આક્ષેપ કરી રહ્યો છે કે આ દાવો ખોટો છે.
શિક્ષણ સમિતિની વેબસાઈટ પર અંબાનગર ખાતેની 357 નંબરની શાળા દર્શાવવામાં આવી છે, જ્યાં અંગ્રેજી માધ્યમની શાળા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જોકે, સ્થળ પર આ શાળા છે. વિપક્ષી સભ્ય રાકેશ હીરપરાએ જણાવ્યું કે, આ શાળા ધોરણ મુજબ શરૂ કરવામાં આવી હતી, પરંતુ શિક્ષકોની અછતને કારણે બંધ કરવામાં આવી છે.
સમિતિના દાવા અનુસાર, વિદ્યાર્થીઓ ન હોવાથી શાળા બંધ કરવામાં આવી, પરંતુ આ હકીકત છે કે શિક્ષકોની અછતના કારણે શાળા બંધ કરવામાં આવી છે. એ વાત પ્રશ્ન ઉઠાવી રહી છે કે, હવે આ શાળામાં ભણતા બાળકો ક્યાં જવાના? ખાસ કરીને, મજૂર વર્ગના બાળકોની આ સ્થિતિમાં શું થશે? આ ગરીબોની મજાક બનાવવી છે?
સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2024-25માં ત્રિમાસિક ધોરણે ચોખ્ખા નફામાં બેગણી વૃદ્ધિ સાથે મજબૂત મોમેન્ટમ નોંધાવ્યું
30 જૂન, 2024ના અંતે પૂરા થતા સમયગાળા માટે મજબૂત બિઝનેસ અને ફાઇનાન્શિયલ પર્ફોર્મન્સ નોંધાવ્યું. એયુએમ વાર્ષિક ધોરણે 74 ટકા વધી, આવકો વાર્ષિક ધોરણે 71 ટકા વધી અને ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 95 ટકા વધ્યો
મુંબઈ, 26 જુલાઈ, 2024 – નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારો પર કેન્દ્રિત હોમ ફાઇનાન્સ કંપની તથા બીએસઈ લિસ્ટેડ સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે (BSE Scrip code BOM: 539017) રિટેલ હોમ ફાઇનાન્સ ક્ષેત્રે તેનો વૃદ્ધિ દર જાળનવી રાખ્યો છે અને 30 જૂન, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે મજબૂત બિઝનેસ અને ફાઇનાન્શિયલ પર્ફોર્મન્સ આપ્યું છે.
30 જૂન, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે સ્ટાર એચએફએલે તમામ બિઝનેસ ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરી છે જે નીચે મુજબ છેઃ
- બિઝનેસને લગતા આંકડાઃ એયુએમ વાર્ષિક ધોરણે 73.55 ટકા વધીને રૂ. 471.41 કરોડ થઈ. કંપનીએ ત્રિમાસિક ગાળામાં રૂ. 61.23 કરોડનું વિતરણ કર્યું.
- આવકમાં વૃદ્ધિઃ વિતરણમાં મજબૂત પ્રગતિ સાથે વ્યાજની આવકમાં વાર્ષિક ધોરણે 61.43 ટકાનો વધારો. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (એનઆઈએમ) 7.04 ટકા રહ્યું
- એસેટ ક્વોલિટી યથાવત રહીઃ 30 જૂન, 2024ના રોજ પીએઆર (શૂન્ય દિવસથી વધુ અગાઉની બાકી) 3.38 ટકા રહી જે પૈકી જીએનપીએ 1.57 ટકાએ તથા એનએનપીએ 1.12 ટકાએ રહી
- મજબૂત નફાકારકતાઃ કરવેરા પૂર્વેના નફામાં વાર્ષિક ધોરણે 87.98 ટકા વૃદ્ધિ
- જવાબદારીઓમાં વધારોઃ સ્ટાર એચએફએલ લોન બુકમાં વૃદ્ધિ માટે બેંકો અને એફઆઈ સાથે મજબૂત સંબંધો ધરાવે છે. 6 બેંકો અને 11 એફઆઈ સાથે હાલનું ઋણ રૂ. 335.35 કરોડે રહ્યું છે. હાલ રહેલી જવાબદારીઓ મજબૂત છે અને નાણાંકીય વર્ષ માટે બિઝનેસ પ્લાન મુજબ તેનું આયોજન થયેલું છે.
- મજબૂત મૂડી સ્તરોઃ 30 જૂન, 2024ના રોજ નેટવર્થ રૂ. 137.7 કરોડ રહી છે. લિવરેજ લેવલ્સ 2.43 ગણાએ રહ્યા છે.
- ESOP IIને મંજૂરીઃ કર્મચારીઓની માલિકીની ફિલોસોફીને આગળ ધપાવતા સ્ટાર એચએફએલના બોર્ડે લાયક કર્મચારીઓ માટે ESOP II સ્કીમને મંજૂરી આપી છે. કર્મચારીઓની વધેલી સંખ્યા તથા કંપનીના વિકાસમાં લાયક કર્મચારીઓના પ્રદાનને ધ્યાનમાં રાખતા કંપની દ્વારા આ બીજી સ્કીમ અમલમાં મૂકાઈ છે.
- ડિવિડન્ડની ચૂકવણીઃ સ્ટાર એચએફએલે શેરદીઠ 5 પૈસાથી ડિવિડન્ડ ચૂકવણીમાં 50 ટકા વધારો કરીને હવે શેરદીઠ 7.5 પૈસા કર્યું છે જે આગામી એજીએમમાં શેરધારકોની મંજૂરીને આધીન છે.
- લેન્ડિંગ સ્યૂટ અપગ્રેડેડઃ સ્ટાર એચએફએલે રિસિવેબલ મેનેજમેન્ટ સપોર્ટ ઉપરાંત હોમ લોન એપ્લિકેશન્સની એન્ડ-ટુ-એન્ડ પ્રોસેસિંગ માટે કોર લેન્ડિંગ સ્યૂટને સંપૂર્ણપણે લાગુ કર્યું છે.
- રેટિંગ્સઃ સ્ટાર એચએફએલ હાલ અને ઈન્ડિયા રેટિંગ્સ દ્વારા BBB / Stableનું રેટિંગ ધરાવે છે.
Operating and Financial Performance
આ ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીની કામગીરી અંગે સ્ટાર એચએફએલના સીઈઓ શ્રી કલ્પેશ દવેએ જણાવ્યું હતું કે “સ્ટાર એચએફએલ એસેટ ક્વોલિટી પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધવાનું ચાલુ રાખે છે. અમે હવે રૂ. 500 કરોડની એયુએમની સિદ્ધિ હાંસલ કરવાની નજીક છીએ અને આગામી થોડા ત્રિમાસિક ગાળામાં રૂ. 1000 કરોડની એયુએમની આગામી છલાંગ લગાવવા માટે તૈયાર છીએ. બ્રાન્ચ નેટવર્ક હવે 280થી વધુ કર્મચારીઓની સ્ટાફ સંખ્યા સાથે 34 સ્થળો પર મલ્ટી-સ્પેસ સાથે વૈવિધ્યસભર છે અને હાલના તથા નવા ભૌગોલિક વિસ્તારોમાં 50થી વધુ સ્થાનો સુધી વિસ્તરણ કરવાનો લક્ષ્યાંક છે. અમે આગામી થોડા ત્રિમાસિક ગાળામાં હાંસલ કરવા માટે માસિક રૂ. 50 કરોડ સ્થિર માસિક વિતરણના લક્ષ્યને રાખીને, વર્ષ દરમિયાન શાખાના વિસ્તરણમાં રોકાણ કરવાનું ચાલુ રાખીશું. આયોજિત પ્રગતિને પૂરક બનાવવા માટે ટેક્નોલોજીને વિસ્તારવામાં આવી છે. અમે વૃદ્ધિની આવશ્યકતાઓને અનુરૂપ અને તમામ જરૂરી મંજૂરીઓ અને પાલનને આધીન કંપનીના કેપિટલાઇઝેશન લેવલ્સને મજબૂત કરવાનું ચાલુ રાખીશું.”
રિટેલ હાઉસિંગ ફાઇનાન્સના ભાવિ અંગે શ્રી કલ્પેશ દવેએ જણાવ્યું હતું કે “PMAY-Urban 2.0 દ્વારા PMAYના રિલોન્ચથી રૂ. 10 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે જેમાં 3 કરોડ વધારાના ઘરો બાંધવામાં નાણાંકીય મદદ પૂરી પાડવા પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ પહેલ પહેલી વખત ઘર ખરીદનારાઓ માટે સારી છે અને સેક્ટરમાં વિકાસને મજબૂત બનાવે છે. સ્ટાર એચએફએલ સ્કીમના અમલીકરણ પછી થનારા ફાયદાનો લાભ લેવા માટે સારી સ્થિતિમાં છે. હાલના અને આયોજન કરેલા નવા વિસ્તારોમાં કામગીરીના વિસ્તારને સરકારની આ પહેલથી વેગ મળશે અને સ્ટાર એચએફએલ આગામી 2-3 વર્ષોમાં ઓછી કિંમતના રેટિલ હાઉસિંગ ફાઇનાન્સના ક્ષેત્રે અગ્રણી કંપની તરીકે ઊભરી આવવા પર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે.”