મહારાષ્ટ્રના જલગાંવથી મુસાફરોને લઈને જતી બસ નેપાળમાં નદીમાં પડી, 27ના મોત
આ કરૂણ અકસ્માતમાં મૃત્યુ પામનારમાં ભુસાવલના 17 મુસાફરો સામેલ હતા.
સુરત. મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ભુસાવલ તાલુકામાંથી મુસાફરોને લઈને જતી બસ નેપાળની નદીમાં પડી હતી. આ દુર્ઘટનામાં 27 મુસાફરોના મોત થયા હતા. તે જ સમયે, 16 મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે. બસમાં 43થી વધુ મુસાફરો સવાર હતા.
બસ નેપાળના પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી. ત્યારબાદ તનહુન જિલ્લાના આઈના પહાડામાં સવારે 11.30 વાગ્યે તે હાઈવેથી લગભગ 500 ફૂટ નીચે નદીમાં પડી ગઈ હતી. બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો મહારાષ્ટ્રના ભુસાવલના રહેવાસી હતા. બધા નેપાળ ફરવા ગયા હતા. તનાહુનના મુખ્ય જિલ્લા અધિકારી જનાર્દન ગૌતમે જણાવ્યું કે કેટલાક ઘાયલોનું સારવાર દરમિયાન મોત થયું છે.
નેપાળ પોલીસ, આર્મ્ડ પોલીસ ફોર્સ અને નેપાળ આર્મી શોધ અને બચાવ કામગીરી કરી રહી છે. 45 આર્મ્ડ પોલીસ ફોર્સ (APF) ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. નેપાળ આર્મીનું MI-17 હેલિકોપ્ટર મેડિકલ ટીમને લઈને કાઠમંડુથી તનાહુન પહોંચ્યું હતું. ગંભીર રીતે ઘાયલ 16 મુસાફરોને એરલિફ્ટ કરીને કાઠમંડુ લઈ જવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ભુસાવલ તહસીલના વરણગાંવ અને પિંપલગાંવથી 104 પ્રવાસીઓ નેપાળની દસ દિવસની યાત્રા પર ગયા હતા. તેઓ રેલવે દ્વારા ઉત્તર પ્રદેશના પ્રયાગ રાજ પહોંચ્યા. આ પછી અમે ખાનગી ટ્રાવેલ એજન્સીની ત્રણ બસમાં નેપાળ જવા નીકળ્યા. નેપાળના
બસ નેપાળ ના બે દિવસના પ્રવાસ બાદ કાઠમંડુ તરફ જઈ રહી હતી ત્યારે ત્રણમાંથી એક બસ નદીમાં પડી ગઈ હતી. તમને જણાવી દઈએ કે મૃતકોમાં 17 મુસાફરો ભુસાવલના હતા. હાલ તમામ મૃતદેહો નેપાળથી મહારાષ્ટ્ર લાવવાના પ્રયાસો ચાલુ છે. સમગ્ર ઘટના અંગે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર સતત નેપાળ સરકારના સંપર્કમાં છે.
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પહેલા વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં ‘આપ’ કોર્પોરેટરોએ વિરોધ પ્રદર્શન કર્યું
મત માટે ડબલ એન્જીન, કામ માટે અલગ એન્જીન કેમ? : આમ આદમી પાર્ટી
જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં મોદીજીની સરકાર બચાવવા માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટો, યોજનાઓને ગ્રાન્ટ – સહાય આપે છે અને સુરત આજે ગ્રાન્ટ માટે વલખા મારે છે : ‘આપ’
આજરોજ સુરત મનપાની સામાન્ય સભા મળી હતી. જેમાં વિપક્ષ આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, શાસકો ડબલ એન્જીનની સરકારના નામે પ્રચાર તો કરે છે પરંતુ સુરત માટે ગ્રાન્ટ લાવવામાં શાસકો નિષ્ફળ નિવાડ્યા છે. એક જ પાર્ટીની શહેર, રાજ્ય અને કેન્દ્ર એમ ત્રણેય જગ્યાએ સરકાર હોવા છતાં સુરત શહેર ગ્રાન્ટ માટે તરસી રહ્યું છે. છેલ્લા છ થી આઠ વર્ષ પહેલાં પણ જે યોજનાઓ મંજુર થઈ તેની ગ્રાન્ટ સુરત મનપાની ગ્રાન્ટ હજુ પડતર અવસ્થામાં પડેલી છે. છેલ્લા બે – ત્રણ કે ચાર વર્ષ પહેલાંની જેમાં સ્વર્ણિમ યોજના હોય, અમૃતમ યોજના હોય કે અન્ય કોઈ યોજનાઓ હોય., આ તમામ યોજનાઓની જે ગ્રાન્ટ છે તે ગ્રાન્ટ પૂરેપૂરી સુરત મહાનગરપાલિકા ને અલગ અલગ પ્રોજેક્ટો માટે મળવા પાત્ર છે તે ગ્રાન્ટ મળતી નથી. વિપક્ષ આમ આદમી પાર્ટી એ માંગ કરે છે કે સુરત શહેરની પડતર એ તમામ ગ્રાન્ટ સત્વારે પુરી કરવામાં આવે. આ જ સુરત શહેર માંથી રાજ્ય અને કેન્દ્ર સરકાર એમ બંનેને જીએસટી, કરવેરા અન્ય તમામ આવકો મળી ને લગભગ 25000 કરોડ થી વધુ રૂપિયા જાય છે અને એ જ સુરત શહેરને દર વર્ષે 3000 થી 3500 કરોડ ની ગ્રાન્ટ ની જરૂર હોય છે ત્યારે માંગવામાં આવતી ગ્રાન્ટ પણ સમયસર આપવામાં નથી આવતી. જેથી ડબલ એન્જીનની સરકારની વાતો કરતી ભાજપના તમામ પદાધિકારીઓ, સાંસદો, મંત્રીઓને આમ આદમી પાર્ટી નિવેદન કરે છે કે સુરતની જે ગ્રાન્ટ છે તે ગ્રાન્ટ પુરી પડાવવામાં આવે. આ તો ઉલ્ટા નું એક ની એક સરકાર બનાવવાના કારણે સુરત શહેરને અન્યાય થયો જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં નરેન્દ્ર મોદીજીની સરકાર બચાવવા માટે 17-17 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટો, યોજનાઓને મંજૂરીઓ, ગ્રાન્ટ, સહાય આપી દે છે. આ સુરત શહેર ભાજપને વર્ષોથી દરેક જગ્યાએ સહયોગ કરતું આવ્યું છે એ સુરત આજે ગ્રાન્ટ માટે વલખા મારે છે. શું સુરત મહાનગરપાલિકાના શાસકો નમાલા અને કાયર છે તેમની સરકાર હોવા છતાં મુખ્યમંત્રીશ્રી કે પ્રધાનમંત્રીશ્રી કે કોઈ પણ મંત્રી ને ગ્રાન્ટ માટે રજુઆત સુદ્ધા પણ કરી શક્યા નથી? આજે સુરત ગ્રાન્ટ માટે લટકી રહ્યું છે ત્યારે ફરી ફરી વાર વિનંતી છે કે સુરત શહેરને ગ્રાન્ટ પુરી પાડવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સુરત મહાનગરપાલિકાના મહત્વના પ્રોજેકટ એવા નવું વહીવટી ભવન, સ્મીમેરમાં નવા એજ્યુકેશન બ્લોક, તાપી બેરેજની ગ્રાન્ટ આપવામાંથી સરકારે લેખિતમાં હાથ ખંખેરી નાખ્યા છે ત્યારે વિપક્ષે આજ રોજ સામાન્ય સભા પહેલા “મત માટે ડબલ એન્જીન, કામ માટે અલગ એન્જીન કેમ?”, “ગ્રાન્ટ ન મળવાના કારણે પ્રોજેક્ટોના ખર્ચ વધશે તેના માટે જવાબદાર કોણ?”, “ડબલ એન્જીન સરકાર માં એક એન્જીન કેમ ખોરંભે ચડાવવું પડ્યું?” જેવા પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો.
લિંબાયતમાં યુવકની હત્યા બાદ રોષે ભરાયેલા લોકટોળાએ જમીન ફરતે બનાવેલી કમ્પાઉન્ડ વોલ તોડી પાડી…
રક્ષાબંધનના દિવસે જ ચાકુ મારી યુવકની કરાઈ હતી હત્યા
હત્યાના વિરોધમાં પરિજનો અને લોક ટોળાએ લીંબાયત પોલીસ સ્ટેશનનો કર્યો હતો ઘેરાવો..
પોલીસે બળ પ્રયોગ કરી લોકોને વિખેર્યા હતા
ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો
પૈસાની લેતી દેતી મામલે થયો હતો ઝઘડો
લિંબાયતના નીલગીરી રેલ્વે ફાટક પાસે રક્ષાબંધનના દિવસે થયેલી યુવકની કરપીણ હત્યા બાદ લોકોમાં ભારે ભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. મંગળવારે રાત્રે સ્થાનિક લોકો દ્વારા જે જગ્યાએ યુવકની હત્યા થઈ હતી તે જગ્યા ની ફરતે બનાવવામાં આવેલી કમ્પાઉન્ડ વોલને તોડી પાડવામાં આવી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ પડતર જગ્યામાં છેલ્લા ઘણા સમયથી દારૂ જુગારના અડ્ડા ઓ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલે છે, ત્યારે કમ્પાઉન્ડ વોલની અંદર ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે લોકો દ્વારા કમ્પાઉન્ડ વોલ ને જ ધરાશાયી કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રક્ષાબંધનના દિવસે રોહન પાટીલ નામના 19 વર્ષીય યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા લિંબાયત પોલીસ મથકનો ઘેરાવ કરી પોલીસ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ લિંબાયત પોલીસ દ્વારા બુટેલગરોને છાવરવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવતા લિંબાયત પોલીસની ભૂમિકા સામે સવાલ ઉભા થયા છે.
કામરેજને સુરત મહાનગરપાલિકામાં ભેળવવા માટે તા.પં. વિપક્ષ નેતા જે.ડી.કથીરિયાની આગેવાનીમાં કલેક્ટરને આવેદન અપાયું
કામરેજ તા.પં.વિપક્ષ નેતા જે.ડી. કથીરિયાની આગેવાનીમાં આજરોજ કામરેજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ વિવિધ સોસાયટીઓના પ્રમુખશ્રીઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહીત મોટી સંખ્યામાં રહીશોએ આજે અઠવાલાઈન્સ સ્થિત સુરત કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. આ મુદ્દે તા. પં. વિપક્ષ નેતા જે.ડી.કથીરિયાએ જણાવ્યું હતું કે, અમે કામરેજના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરીએ છીએ. છેલ્લા 10 વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતની વસ્તી 3 લાખથી વધુ થઈ ગઈ છે, પરંતુ તે પ્રમાણે નગર આયોજન કરવામાં આવેલ નથી. જેનાથી સમગ્ર કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં નીચે મુજબની ખૂબ મોટી સમસ્યાઓ ઉભી થયેલ છે.
જે.ડી.કથીરિયાએ સમસ્યાઓ જણાવતા કહ્યું કે, રોડ રસ્તાની સમસ્યા પુષ્કળ માત્રા માં છે. મોટે ભાગના રોડ રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય છે. શાસકોને અવાર નવાર જાણ કરવાં છતાં તેમના પેટનું પાણી હાલતું નથી. ગ્રામ પંચાયત હસ્તકના ઘણા બધા રસ્તાઓ ઉપર દબાણ કરવાથી કેટલાક રસ્તાઓ આંશિક તો કેટલાક સંપૂર્ણ રીતે બંધ થયેલ છે. આ ઉપરાંત આર એન્ડ બી હસ્તકના તમામ મુખ્ય માર્ગો ચાલવા યોગ્ય નથી અને વાહન ચલાવી શકાય તેવી પરિસ્થિતિમાં તો જરા પણ નથી. આ તમામ સમસ્યાઓ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ ના અભાવના કારણે રાત્રિના સમયે સામાન્ય રાહદારીઓને ચાલવામાં ખૂબ મુશ્કેલી પડે છે અને રોજે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
પીવાના પાણી અને ગટરની સમસ્યા બાબતે જે.ડી.કથીરિયાએ જણાવ્યું હતું કે, કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં તમામ સોસાયટીઓમાં બોરવેલ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. આ પાણી ક્ષારયુક્ત તેમજ ખરાબ ક્વોલિટી નું હોવાથી લોકોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ રહેલ છે. ગટર વ્યવસ્થા માટે કામરેજ ગ્રામ પંચાયત અને સુડા દ્વારા ભૂતકાળમાં વસ્તીને ધ્યાનમાં લીધા વગર આડેધડ રીતે ગટર લાઈનો નાખવાથી ખૂબ ખરાબ હાલત સમગ્ર કામરેજ વિસ્તારની થઈ રહી છે.
તમામ મુખ્ય માર્ગો પર ગટર ઉભરાવાથી તેમજ મોટાભાગની સોસાયટીઓની અંદર ગટરના પાણીના ભરાવાના કારણે ગંદકી ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે, જે વિસ્તાર માટે જોખમી બની શકે છે.
જે.ડી.કથીરિયાએ રખડતા ઢોર અને ગંદકીની સમસ્યાઓ બાબતે ખૂબ જ આકરા સ્વરે જણાવ્યું હતું કે, કામરેજ વિસ્તાર ના તમામ મુખ્ય માર્ગો જાહેર તબેલાઓ હોય તે રીતે સમગ્ર વિસ્તારમાં રખડતા ઢોર અડીંગો જમાવી 24 કલાક બેસી રહે છે. આ ઉપરાંત કોઈપણ સમયે જાહેર રોડ ઉપર રખડતા ઢોર ની ફાઈટ શરૂ થઈ જવાથી વાહન ચાલકો સાથે અકસ્માતની ઘટનાઓ બને છે અને ઘણી ઘટનાઓમાં જીવ ગુમાવવાનો પણ બનાવ બનેલ છે.
આ રખડતા ઢોરને દૂર કરવા માટે છેલ્લા 10 વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતને અસંખ્ય રજૂઆતો કરવા છતાં એક પણ વખત યોગ્ય કામગીરી કરી રખડતા ઢોર પકડવામાં આવેલ નથી.
આ ઉપરાંત કામરેજ ગ્રામ પંચાયત દ્વારા તમામ સોસાયટીઓમાં કચરાના ટ્રેક્ટર નિયમિત રીતે આવતા નથી જેથી જાહેર માર્ગો પર કચરાના ઢગલાઓ થતા સમગ્ર વિસ્તારમાં ગંદકી ફેલાઈ રહેલ છે અને આ કચરાની આજુબાજુમાં રખડતા ઢોર અડિંગો જમાવી બેસી રહે છે જે ખૂબ મોટી સમસ્યા છે.
જે.ડી.કથીરિયાએ વધુમાં સમસ્યાઓ જણાવતા કીધું કે, કામરેજ ગ્રામ પંચાયત અને સુડા વચ્ચે સંકલન નો અભાવ તેમજ તમામ અધિકારીઓને નિષ્ક્રિયતાને લીધે સમગ્ર વિસ્તારમાં તમામ મુખ્ય માર્ગો પર ગેરકાયદેસર બાંધકામ દબાણ તેમજ કામરેજ ચાર રસ્તા અને બાપા સીતારામ ચોકડી પર ગેરકાયદેસર શાકમાર્કેટ , ફ્રુટ માર્કેટ ના લીધે આ રસ્તાઓ સંપૂર્ણ રીતે બ્લોક થયેલ છે. આ ઉપરાંત ગ્રામ પંચાયત હસ્તકના જુના રસ્તા એક પણ ખુલ્લા નથી જેથી આ તમામ દબાણો તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે.
કામરેજમાં ટી.પી.સ્કીમ નો અભાવ છે. કામરેજ ગ્રામ પંચાયત વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદને અડીને આવેલો વિસ્તાર હોવા છતાં નવાગામ અને ખોલવડ ની જેમ ટીપી સ્કીમ નો અમલ કામરેજ વિસ્તારમાં કરવામાં આવેલ ન હોવાથી વસ્તીના પ્રમાણમાં રોડ રસ્તાઓ ખુલ્લા થયેલ નથી. આ ઉપરાંત વિસ્તારમાં શાકમાર્કેટ, આંગણવાડી, હેલ્થ સેન્ટર ,શાળા, બાગ બગીચાઓ, જાહેર વાંચનાલય, જાહેર સૌચાલય વગેરેનો સંપૂર્ણ અભાવ છે. જેનાથી આ સંપૂર્ણ વિસ્તાર ભારત દેશની બહારનો કોઈ જંગલ પ્રદેશ હોય તેવું વાતાવરણ નિર્માણ પામેલ છે ,જેથી આ વિસ્તારની અંદર તાત્કાલિક ટીપી સ્કીમ નો અમલ કરવામાં આવે તેવી વિનંતી છે.
અંતમાં જેડી. કથીરિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતના વિસ્તાર માં ખૂબ વધારો થયેલ છે તેમ જ વસ્તી 3 લાખ જેટલી થઈ ગયેલ છે પરંતુ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચ અને તલાટીની અણઆવડત અને નિષ્ક્રિયતાનો ભોગ સામાન્ય લોકો બની રહ્યા છે.
છેલ્લા દસ વર્ષમાં પ્રાથમિક સુવિધાઓ માટેની અસંખ્ય રજૂઆતો કરવા છતાં એક પણ સમસ્યાનું યોગ્ય નિરાકરણ અને કાયમી ઉકેલ લાવવામાં ગ્રામ પંચાયત તદ્દન નિષ્ફળ ગયેલ છે, જેથી તાત્કાલિક અસરથી ગ્રામ પંચાયતને બરખાસ્ત કરી આ વિસ્તારને મહાનગરપાલિકામાં ફેરવવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે.
તેમજ તમામ ઓથોરિટી વચ્ચે સંકલન નો અભાવ હોવાનું પણ જે.ડી.કથીરિયાએ જણાવ્યું હતું. કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં સુડા ,સિંચાઈ વિભાગ, આરએન્ડબી, નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ એસએમસી દ્વારા વિવિધ પ્રોજેક્ટ અમલમાં છે. પરંતુ આ તમામ ઓથોરિટી નો એકબીજા સાથે સંકલન નો અભાવ હોવાથી કામરેજ ચાર રસ્તા ની આજુબાજુમાં એક પણ સર્વિસ રોડ ખુલ્લો નથી, કામરેજ ચાર રસ્તા થી દાદા ભગવાન મંદિર તરફ જવા માટે તેમજ કામરેજ ચાર રસ્તા થી પેસિફિક હોટલ તરફ જવા માટે લોકોને ફરજિયાત મેઈન રોડ પર રોંગ સાઈડમાં જીવના જોખમ એ જવું પડે છે. આ ઉપરાંત તમામ ઓથોરિટી દ્વારા પોતાની જવાબદારી બીજા વિભાગ પર ઢોળવાના કારણે છેલ્લે સમસ્યાનો ભોગ કામરેજ વિસ્તારના નાગરિકોને બનવાનું આવી રહ્યું છે. જેથી આ તમામને દૂર કરી અને તમામ વહીવટ સુરત મહાનગરપાલિકા હસ્તક કરવામાં આવે, જેથી વિસ્તારને યોગ્ય ન્યાય મળી રહે તેમ જ મોટાભાગની સમસ્યાઓનો કાયમી નિકાલ થઈ શકે તેમ છે.
છેલ્લા દસ વર્ષમાં કામરેજ વિસ્તારને સમસ્યાઓથી મુક્ત કરવા માટે સોસાયટીના અગ્રણીઓ, વિસ્તારના જાગૃત નાગરિકો તેમજ વિવિધ સમિતિઓ દ્વારા વારંવાર તમામ કક્ષાએ તેમજ સરપંચ થી લઇ સંસદ સુધીના તમામ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને રજૂઆતો કરવા છતાં એક પણ અધિકારી કે ચૂંટાયેલા જન પ્રતિનિધિએ આ વિસ્તારની સમસ્યાને ધ્યાને લીધું નથી જેથી આ સમગ્ર વિસ્તાર ખૂબ ગંભીર કક્ષાની પરિસ્થિતિ માં પહોંચી ગયેલ છે અને લોકો માનસિક રીતે થાકી ગયા છે.
કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિ બાબતે જેડીકથીરિયાએ વાત આગળ જણાવી હતી કે, સમગ્ર વિસ્તાર ની વસ્તીમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થવા છતાં જાહેર પરિવહનની કોઈ વ્યવસ્થા ન હોવાથી આડેધડ પાર્કિંગ, માથાભારે અસામાજિક તત્વોના અડ્ડાઓ, કાયદા અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિ ના કારણે સામાન્ય નાગરિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે
આ તમામ સમસ્યાઓના ઉકેલ માટે તેમજ સમગ્ર વિસ્તારને પ્રાથમિક સુવિધાઓ નો લાભ મળે તે માટે કલેક્ટર શ્રી સમક્ષ મુખ્ય અને એકમાત્ર માંગણી એવી કરી કે આ વિસ્તારને સુરત મહાનગરપાલિકામાં તાત્કાલિક અસરથી ભેળવવામાં આવે તેમ જ આ વિસ્તારની ટીપી સ્કીમો ખોલી અને સમગ્ર વિસ્તારને સમસ્યાઓથી મુક્ત કરવામાં આવે.
જે.ડી.કથીરિયાએ કલેક્ટરશ્રી ને કહ્યું હતું કે, અમારા વતી આપશ્રીના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી સમક્ષ રજૂઆત કરશો તેવી સમગ્ર વિસ્તારના તમામ નાગરિકોની અપીલ હતી.
कौसली से अभिमन्यु यादव की दावेदारी सबसे मजबूत
दक्षिणी हरियाणा की सियासी हवा लगातार बदलती जा रही है, टिकट के लिए भी तमाम नेता लगे हुए है, लेकिन कोसली विधानसभा का मिजाज थोड़ा अलग है, जिस कार्यशैली के साथ अभिमन्यु यादव ने सरकार की योजनाओं को जन-जन तक पहुंचाया है , उससे भाजपा कार्यकर्ताओं में अलग ही जोश दिखाई दे रहा है
अभिमन्यु यादव ( पूर्व सीएम ओ.एस.डी ) के मैदान में उतरने के बाद पूरा माहौल ही बदल गया है, अभिमन्यु यादव वैसे तो पूरे अहीरवाल को ही अपना घर मानते हैं, लेकिन कोसली से वह बहुत नजदीक है, कोसली विधानसभा के प्रत्येक गांव और घर से वह परिचित हैं, इसी का कमाल है कि वह कोसली के सियासी समीकरण को नजदीक से समझते हैं, तभी तो अभिमन्यु यादव ने कोसली क्षेत्र में पूरी बीजेपी को एकजुट कर दिया, और अब कोसली विधानसभा बीजेपी की सुरक्षित सीट भी बन गई है, और यह सब अभिमन्यु यादव के जनता के साथ स्नेह का परिणाम है, कोसली विधानसभा में लोगों से उनका जुड़ाव ही उन्हें एक मजबूत नेता बन रहा है, भले ही भाजपा ने अभी टिकट डिक्लेअर नहीं किया है, लेकिन कोसली का माहौल देखकर लगता है कि अभिमन्यु यादव ही भाजपा के उम्मीदवार है, उनकी ग्राम सभा में आ रही अपार भीड़ ही अभिमन्यु यादव की ताकत भी है, पूरे कोसली विधानसभा क्षेत्र में अब सिर्फ अभिमन्यु यादव ही प्रबल दावेदार नजर आ रहे है
ડિંડોલી ફાટક પાસે રેલ્વે ટ્રેક પરથી 17 વર્ષીય તરૂણનો કપાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો…
આ મામલે રેલવે તંત્ર ગંભીર જણાતું નથી
શહેરના નવાગામ ડિંડોલી વિસ્તારમાં રેલ્વે ટ્રેક પરથી એક તરુણનો કપાઈ ગયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે રેલ્વે પોલીસ દ્વારા હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રેલ્વે પોલીસના જણાવ્યા મુજબ મરણજનાર ડિંડોલી ખાતે આવેલા યોગેશ્વર નગર ખાતે રહેતો હોવાનું અને તેની ઉંમર 17 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. ડિંડોલી ફાટક પાસે આ ઘટના બની છે ત્યારે ટ્રેન ઓળંગવા જતા આ ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ડિંડોલી ફાટક પાસે ટ્રેન નીચે અકસ્માતે કપાઈ જવાની ઘટનાઓ છાશવારે સામે આવતી હોવા છતાં આ મામલે રેલ્વે તંત્ર ગંભીર જણાતું નથી પરિણામે વધુ એક ઘટના સામે આવી છે ત્યારે લોકોમાં આ મામલે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.
કોલકત્તા ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડર ની ઘટનાના વિરોધમાં સુરત સીવીલ ખાતે અનોખુ પ્રદર્શન
નવી સિવિલ હોસ્પિટલ ખાતે હડતાળ પર ઉતરેલા તબીબોએ રક્તદાન કરી નોંધાવ્યો વિરોધ…
કોલકાતા ખાતે ટ્રેની ડોકટર સાથે રેપ વિથ મર્ડરની ઘટના બાદ દેશભરના તબીબોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ જઘન્ય કૃત્ય આચરનાર આરોપીઓને કડક શિક્ષા કરવા સાથે તબીબોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગણી સાથે રેસીડેંટ ડોકટરો હડતાળ પર છે. સુરત ખાતે પણ નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના રેસીડેન્ટ અને જુનિયર તબીબો છેલ્લા છ દિવસથી હડતાળ પર છે. ત્યારે આજરોજ હડતાળ પર ઉતરેલા તબીબોએ રક્તદાન કરીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે આંદોલન કરી રહેલા તબીબોએ રક્તદાન કરીને ન્યાયની માંગણી વધુ બુલંદ કરી હતી.
સરથાણામાં નકલી સાબુ સહિત ક્લીનર લિકવેડ બનાવતી ફેક્ટરી ઝડપાઇ…
શું સુરત ડુપ્લીકેટ પ્રોડક્ટનું હબ રહ્યું છે
સુરત. શહેરમાં વિવિધ વસ્તુઓની નકલ કરી નકલી વસ્તુઓ બનાવવાનો ધંધો મોટા પાયે ફેલાઈ રહ્યો છે. બુધવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પોલીસે મળીને નકલી ઉત્પાદનો બનાવતી આવી જ એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. બંને વિભાગની ટીમે સરથાણા વિસ્તારમાં દરોડા પાડી શકે બ્રાન્ડેડ કંપનીઓની લિક્વિડ ક્લીનર પ્રોડક્ટની નકલ કરીને ડુપ્લીકેટ પ્રોડેક્ટ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે સ્થળ પરથી નકલી ઉત્પાદનો અને કાચો માલ સહિત રૂ. 4 લાખથી વધુનો સામાન જપ્ત કર્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, એક બ્રાન્ડેડ કંપનીએ ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગને ફરિયાદ કરી હતી કે સુરતમાં તેમની પ્રોડક્ટની નકલ કરીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. માહિતીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સરથાણા પોલીસની મદદથી ફેક્ટરીમાં દરોડો પાડીને હાર્પિક, ડેટોલ જેવી પ્રખ્યાત બ્રાન્ડની નકલી પ્રોડક્ટ્સ મળી આવી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીઓ ફેક બ્રાન્ડની નકલ કરીને નકલી સાબુ, લિક્વિડ ક્લીનર જેવા ઉત્પાદનો બનાવીને અસલી તરીકે વેચતા હતા. ઘટનાસ્થળેથી 4 લાખથી વધુની કિંમતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે અને આરોપીઓ વિરુદ્ધ કોપી રાઈટ એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
सूरत में छह दिवसीय नेशनल सिल्क एक्सपो का आयोजन
– नेशनल सिल्क एक्सपो में तरह-तरह के डिजाइन के साथ अच्छी क्वालिटी की साड़ी, सूट और कपड़े होंगे उपलब्ध
– राखी स्पेशल कलेक्शन
सूरत। सूरत के सिटीलाइट स्थित महाराजा अग्रसेन भवन में छह दिवसीय नेशनल सिल्क एक्सपो आयोजित किया गया है। 15 अगस्त से शुभारंभ होनेवाले नेशनल सिल्क एक्सपो में महिलाओं के लिए सिल्क, कोटन साड़ी, डिजाइनर एथेनिक ड्रेस, ड्रेस मटेरियल्स, होम लिनन सहित अलग अलग वेरायटिया एक जगह उपलब्ध होगा। 15 से 20 अगस्त तक चलने वाला यह नेशनल सिल्क एक्सपो सुबह 11 बजे से रात 9 बजे तक खुला रहेगा। इसकी खासियत है कि इसमें पूरे भारत से 150 से ज्यादा मास्टर वीवर्स और श्रेष्ठ डिजाइनर्स की कारीगरी आपको देखने को मिलेंगी।
शादी और रक्षाबंधन सीजन के लिए स्पेशल साड़ी और सूट नई डिजाइन के साथ लेटेस्ट वेरायटी उपलब्ध है। साथ ही साथ 40 प्रतिशत तक का डिस्काउट भी मुहैया करवाया जाएगा। यहां तरह-तरह के डिजाइन के साथ अच्छी क्वालिटी की साड़ी, सूट और कपड़े हैं। एक जगह पर कई राज्यों के बुनकरों द्वारा तैयार कपड़े का काउंटर लगाए जाएंगे। जिससे कि अलग -अलग दुकान में खरीदारी करने की झंझट से मुक्ति मिलेगी। “अलग-अलग डिजाइन का अलग-अलग रेट है, जो लोग खरीदारी कर रहे हैं अपने बजट के अनुसार खरीदारी कर सकेंगे। साथ ग्राहकों को भुगतान करने के लिए डिबेट कार्ड , क्रेडिट कार्ड सहित कई विकल्प उपलब्ध होंगे।
नेशनल सिल्क एक्सपो में बिहार, आसाम, ओडि़सा, गुजरात, राजस्थान, उत्तर प्रदेश, मध्य प्रदेश, पंजाब, पश्चिम बंगाल, कर्नाटक, तमिलनाडू, तेलंगाणा, छत्तीसगढ, जम्मू और कश्मीर, आंध्र प्रदेश से लोकप्रिय वैरायटी की साड़ियां एवं ड्रेस मटेरियल उपलब्ध होंगे। जिसमें तरह तरह के डिजाइन्स, पैटन्स, कलर कॉम्बिनेशन है। जिसमें 15 हजार से लेकर 2 लाख तक की गुजरात की डबल इक्कत हैडमेड पटोला साड़ी उपलब्ध है, जो आठ महीने में तैयार होती है। इसे दो बार बुना जाता है। तमिलनाडू की प्योर जरी वर्क की कांजीवरम साड़ी भी महिलाओं को लुभाएगी।
बनारस के बुनकर अपनी साड़ीयों को नए जमाने के हिसाब से लोकप्रिय बनाने के लिए कई तरह के प्रयोग करते रहते हैं। कभी वे बनारसी साड़ीयों पर बाग की छपाई करवाते है तो अब वे बनारसी सिल्क साड़ीयों पर महाराष्ट्र की पैठणी साड़ीयों के मोटिफ बुन रहे हैं। वैसे पारंपरिक बनारसी जरी और कढ़वा बूटी साड़ीयों से लेकर तनछोई सिल्क तक कई तरह की वैरायटी एक हजार से लेकर पांच हजार तक इस सेल में मिल रही है।
रेशम की बुनाई के लिए मशहूर बिहार के भागलपुर से कई बुनकर शादी सीजन जैसे खास मौके पर पहने जाने वाले कुर्ता व पायजामा के लिये खास हाथ से बने हुये भागलपुर सिल्क व मोदी जैकेट का कपड़ा भी उपलब्ध है। तमिलनाडु की प्योर जरी वर्क की कांजीवरम साड़ी भी महिलाओं का पसंद आ रही है। सोने और चांदी के तारों से बनी इस साड़ी को कारीगर 30 से 40 दिन में तैयार करते हैं जिसकी कीमत 5 हजार से शुरु होकर 2 लाख होती है।
बनारसी और जमदानी सिल्क, कांचीपुरम, बिहार टसर, भागलपुर सिल्क, गुजरात बंधिनी और पटोला, पश्चिम बंगाल का बायलू, कांथा, हेंड पेंटेंड साडी, ढाकाई जमदानी, पैठनी, एमपी चंदेरी, महेश्वरी, एरी साड़ी, शिबोरी और अजरक प्रिंट, हेन्ड कलमकारी, राज्सथान ब्लोक प्रिन्ट, छत्तीसगढ कोसा और खादी सिल्क साडी और ड्रेस मटेरियल उपलब्ध होगा। मैसूर सिल्क साड़ीयों के साथ ही क्रेप और जॉर्जेट सिल्क, बिहार का टस्सर सिल्क, आन्ध्रा प्रदेश का उपाड़ा, उड़ीसा का मूंगा सिल्क भी सूरत के सिटीलाइट स्थित महाराज अग्रसेन भवन में उपलब्ध है।
ફાઈન આર્ટ વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માં યોજાયો આર્ટિસ ટોક.
વિસુઅલ આર્ટ માં શીખવાની ઘણી પદ્ધતિઓ હોઈ છે, જેમની એક પદ્ધતિ એટલે આર્ટિસ્ટ ના વર્ક તેમજ તેમના વર્ક પાછળ ની વિચારશરણી ને જોઈ ને શીખવું. બેચલર ઓફ ફાઈન આર્ટ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ચાલતા ફાઈન આર્ટ માં ૧૬/૮/૨૪ ને શુક્રવારે આર્ટિસ્ટ ટોક નું આયોજન યોજવામાં આવ્યું હતું. આર્ટિસ દીપ્તિ બાટલાવાળા, ના વર્ક વિદ્યાર્થીઓ માટે પથ-દર્શક તરીકે કામ કરે છે .
વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ સહિતની પ્રકૃતિ તેની ભૂમિકાની કાર્યક્ષમતા સાથે જે છબી બનાવવાનો આધાર જન છે. તે કલર પેલેટ, ટેક્સચર, ઇમેજનું વાતાવરણ તથા અમલીકરણને પ્રતિબિંબિત કરે છે. પ્રાણીશાસ્ત્ર અને કલા સાથે કામ કરવા માટે બહુ-શિસ્તનું વલણ રાખવું જરૂરી છે ખાસ કરીને પ્રિન્ટ્સ, ઝીંક મેટલ પ્લેટ્સથી 3ડી શિલ્પો સુધીના અદ્ભૂત રેખાંકનો સાથે વાસ્તવમાં,અમૂર્ત સ્વરૂપોના વિચારો વચ્ચેના જોડાણને સમાવિષ્ટ કરવાનો પ્રયાસ કરે છે.
વાઇસ ચાન્સેલર કિશોર સિંહ ચાવડા, રજીસ્ટર આર.સી.ઘઢવી અને ફાઈન આર્ટ ના કો-ઓડીનેટર મેહુલ પટેલ સર નો વાસ્તવિક બનવા માટે. આ ઇવેન્ટ ને શ્રીમતી માનસી ચાંદીવાળા એ ઓર્ગેનાઈઝ કર્યું હતું.