
7 નવેમ્બરના રોજ રિલીઝ થઇ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!”ની સ્ટારકાસ્ટ બની સુરતની મહેમાન
ફિલ્મ 7મી નવેમ્બરના રોજ થશે રિલીઝ
સુરત : 7 નવેમ્બર, 2024ના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!” એ રિલીઝ પહેલાં જ લોકોમાં ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા વધારી દીધી છે. કોમેડી, ડ્રામા અને રોમેન્ટિક સ્ટોરી લાઈન ધરાવતી આ ફિલ્મમાં પૂજા જોશી અને પરીક્ષિત તમાલિયા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફૂલ- ઓન ફેમિલી એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ છે જે સામાન્ય કોમેડીથી કાંઈક હટકે અને સસ્પેન્સથી ભરપૂર છે. એચજીપિક્ચર્સના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના પ્રોડ્યુસર હરેશ પટેલ, રુચિત પટેલ અને સંજય દેસાઈ છે. ફિલ્મના લેખક અને ડિરેક્ટર અત્યંત પ્રતિભાશાળી હુમાયૂન મકરાણી છે. ઉલ્લેખનીય છે કે પૂજા અને પરીક્ષિતની જોડી “હું અને તું” પછી ફરી એકવાર સાથે આવી રહી છે. ફિલ્મના પ્રમોશન અંગે મુખ્ય અભિનેતા પરીક્ષિત તમાલિયા તથા અભિનેત્રી પૂજા જોશી તથા અનુભવી અભિનેતા અનુરાગ પ્રપન્ના સુરતના આંગણે આવ્યા હતા અને સુરતમાં આવેલ સમતા ગૌધાણી શોરૂમ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ફિલ્મ અંગે ચર્ચા કરી હતી.
“કાલે લગન છે !?!” ફિલ્મમાં પરીક્ષિત અને પૂજા ઉપરાંત અનુરાગ પ્રપન્ના, દીપિકા રાવલ, પૂજા મિસ્ત્રી, મીર હનીફ, મેહુલ વ્યાસ, મૌલિક પાઠક અને ઉમેશ બારાત વગેરે કલાકારો પણ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજરે પડશે.
ફિલ્મની સ્ટોરીલાઈનની વાત કરીએ તો ફિલ્મમાં ‘એનોય્ડ આયુષ’ ની જર્ની બતાવવામાં આવી છે જેને દીવ જતી વખતે એક છોકરી ઈશિકાને મળે છે, જ્યાં રહસ્યમય ખુલાસાઓ તેને તેના પ્લાન બદલવા માટે ફરજ પાડે છે અને દરેક ટ્વિસ્ટ દર્શકોને રમૂજ પ્રદાન કરશે. ટ્રેલરમાં પણ પરીક્ષિત અને પૂજા સાથે કારમાં મુસાફરી કરતાં જોવા મળે છે. તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી જોવા દર્શકો આતુર છે.
ફિલ્મ 7 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

નવરાત્રી પર્વ પર લજ્જા શાહે કોરીયોગ્રાફ કરેલા ગુજરાતના લોક નૃત્યોએ રંગ જમાવ્યો
સુરત, 18 ઓક્ટોબર: વિશ્વભરમાં ગુજરાતીઓની કીર્તિ ફેલાયેલી છે. અનેક દેશોને ગુજરાતીઓએ કર્મભૂમિ બનાવી છે ત્યારે વિદેશમાં વસતા આવા ગુજરાતીઓએ હંમેશા ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને ભૂલ્યા જ નથી પણ વિદેશમાં પણ ગુજરાતની સંસ્કૃતિને જીવંત પણ રાખી રહ્યા છે. આવા જ વ્યક્તિઓમાં સામેલ છે મૂળ સુરતના લજ્જા શાહ. જેઓએ બેલ્જિયમના એંટવર્પ શહેરને કર્મભૂમિ બનાવનાર લજ્જા શાહે આ વખતે નવરાત્રી પર્વ પર બેલ્જિયમ ખાતે પોતે કોરિયોગ્રાફ કરેલા ગુજરાતના લોક નૃત્ય થકી માત્ર રંગ જ જમાવ્યો નહીં પણ યુરોપ વાસીઓને ઘેલું પણ લગાડ્યું…
લજ્જા શાહે જણાવ્યું હતું કે એંટવર્પ ઇન્ડિયન લેડીજ કમિટી દ્વારા આ વર્ષે એંટવર્પ ખાતે નવરાત્રી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની ઓપનિંગ ઇવેન્ટ માટે તેઓને હાયર કરવામાં આવ્યા હતાં. ત્યારે નવરાત્રિની ઓપનિંગ ઇવેન્ટ યાદગાર બની રહે અને ખાસ તેમાં ગુજરાતની સંસ્કૃતિના દર્શન થાય એ રીતનું આયોજન કરવાનું લજ્જા શાહે નક્કી કર્યું હતું. તેઓએ આ માટે ગુજરાતના ફોક ડાન્સ કોરિયોગ્રાફ કરવાનું નક્કી કર્યું અને 15 જેટલા ગુજરાતના ફોક ડાન્સ કોરિયોગ્રાફ કર્યા હતાં. આ ઇવેન્ટમાં બાળકોથી માંડીને વાયોવૃધ્ધો સહિત 250 લોકોએ ભાગ લીધો હતો. ફોક ડાન્સમાં ગરબાની સાથે જ હુડો, કચ્છી રાસ, સનેડો જેવા લોક નૃત્ય તૈયાર કરાયા હતા અને એક થી દોઢ કલાક સુધી આ ઇવેન્ટ ચાલી હતી અને આખો માહોલ ગુજરાતમય બની ગયો હતો. સમગ્ર ઇવેન્ટ માત્ર આકર્ષણ જ જમાવ્યું ન હતું પણ યુરોપ વાસીઓને ઘેલું પણ લગાડ્યું હતું. લજ્જા શાહે જણાવ્યું હતું કે લોકો માત્ર ગુજરાતના ગરબા મે જ ફોક ડાન્સ તરીકે ઓળખે છે પણ ગુજરાતમાં 20 જેટલા લોક નૃત્ય છે તે પૈકી 15 લોક નૃત્ય મે કોરિયોગ્રાફ કર્યા હતા અને ગુજરાતના વિવિધ લોક નૃત્યોનો બેલ્જિયમ માં વસતા ભારતીયો સાથે જ યુરોપ વાસીઓને તેનો પરિચય કરાવ્યો હતો.
સુરતમાં ચલાવતા હતા દોડિયો ક્લાસ
લજ્જા શાહ મૂળ સુરતના વતની છે, તેઓ જ્યારે 18 વર્ષના હતા ત્યારે સુરત ખાતે મલ્હાર નામથી સુરત ખાતે દોડીયો ક્લાસ ચલાવતા હતા. હવે છેલ્લા 12 વર્ષથી તેઓ બેલ્જિયમ ખાતે સ્થાયી થાય છે ત્યારે યુરોપમાં પણ તેઓ લોકોને ગરબા સાથે જ ગુજરાતમાં લોક નૃત્યો અને ડાન્સ શીખવાડે છે. એંટવર્પ સાથે જ યુરોપમાં મોટી સંખ્યામાં તેઓના વિદ્યાર્થીઓ છે. એટલું જ નહીં પણ તેઓ ઓનલાઇન ક્લાસના માધ્યમથી પણ લોકોને ડાન્સ શીખવાડી રહ્યા છે.

શ્રીયમ નેશનલ ટીએમટીનું પ્રતિષ્ઠિત કચ્છ બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ 2.0માં સન્માન કરાયું
અમદાવાદ, 18 ઓક્ટોબર: સ્ટીલ ઉદ્યોગમાં અગ્રણી સ્થાન ધરાવતી શ્રીયમ નેશનલ ટીએમટીને મંગળવારે અમદાવાદમાં આયોજિત પ્રતિષ્ઠિત કચ્છ બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ 2.0 માં ‘એક્સિલન્સ ઇન મેન્યુફેક્ચરિંગ- લાર્જ કોર્પોરેશન્સ’ કેટગરીમાં સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ ચેરમેન વિશેષ શાહરા અને મેનેજિંગ ડિરેક્ટર દેવેશ ખંડેલવાલ દ્વારા સ્વીકાર કરાયો હતો. કચ્છ મિત્ર અને ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિયા) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશના અગ્રણી ઉદ્યોગપતિયોંના યોગદાનનું સન્માન કરવામાં આવ્યું છે.
કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલા ભવ્ય એવોર્ડ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂત, સંસદીય બાબતોના પ્રધાન પ્રફુલ પાનશેરિયા, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, IFFCOના અધ્યક્ષ દિલીપ સંઘાણી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ ગેસ્ટ ઓફ ઓનર તરીકે વિશેષ હાજર રહ્યા હતા.
કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા, ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરી અને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના સન્માનિત મહેમાનોએ પણ એવોર્ડ આપતી વખતે હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

શ્રીયમ નેશનલ ટીએમટીએ FE 550 અને FE 550D સહિત શ્રેષ્ઠ-ગુણવત્તાવાળા TMT બારની શ્રેણી સાથે સ્ટીલ ઉદ્યોગમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. કંપની પોતાના 200 એકરમાં ફેલાયેલા અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટમાં આયર્ન ઓરમાંથી ટીએમટી ઉત્પાદન કરવા માટે જાણીતી છે. કંપની લેડલ રિફાઇનિંગ ફર્નેસ (LRF) અને બ્લોક મિલ (રોલિંગ મિલ) જેવી અદ્યતન તકનીકનો ઉપયોગ કરે છે. આ ઇનોવેશન્સને કારણે કંપનીના પ્રોડક્ટ્સની ગુણવત્તા ઇન્ટરનેશનલ કક્ષાની છે.
કંપની સસ્ટેનેબિલિટી તેમજ કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા અને ઇકો-ફ્રેન્ડલી બાંધકામ સોલ્યુશન્સમાં યોગદાન આપવા માટે પણ સમર્પિત છે. શ્રીયમ નેશનલ ટીએમટી પોતાના ઉદ્યોગની સાથે-સાથે કચ્છમાં રોજગાર સર્જન, સીએસઆર પહેલ અને મજબૂત સમુદાય સંબંધો દ્વારા વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
શ્રીયમ નેશનલ ટીએમટી એક મજબૂત ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને એથિકલ બિઝનેસ પ્રેક્ટિસ સાથે સમગ્ર ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરી રહી છે જે તેની પ્રતિષ્ઠામાં સતત વધારો કરે છે.
શ્રીયમ નેશનલ ટીએમટી બાર્સે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ 2023 પણ મેળવ્યો છે. આ એવોર્ડ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા આપવામાં આવ્યો હતો. ગયા વર્ષે કંપની ગુજરાતની પ્રથમ ગ્રીન પ્રો સર્ટિફાઇડ કંપની બની હતી, જેને CII-ગ્રીન પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસ કાઉન્સિલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું, જે કંપનીની પર્યાવરણ પ્રત્યેની ઉચ્ચ કક્ષાની નિસ્બતને પ્રદર્શિત કરે છે.

ફેશન અને ઇન્ટરિયર ડિઝાઇનિંગના 75 વિધાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો
સુરત: શહેરની ખ્યાતનામ ફેશન અને ઇન્ટરિયર ડીઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈ આઈ એફ ડી દ્વારા ડિપ્લોમાનો અભ્યાસક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરનાર 75 વિધાર્થીઓનો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો.
ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડીઝાઇનિંગ મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે રીગા સ્ટ્રીટ શાંતમ ખાતે પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોત, ફોસ્ટા પ્રમુખ કૈલાશ હાકિમ, નરેન્દ્ર સાબુ, પિયુષ વ્યાસ અને ગીતા શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્સ્ટિટ્યૂટમાં ફેશન ડિઝાઇનિંગમાં ડિપ્લોમા કોર્સ પૂર્ણ કરનાર 60 અને ઇન્ટરિયર ડિઝાઇનિંગના 15 વિદ્યાર્થીઓ મળી 75 વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનોના હસ્તે ડિપ્લોમા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું હતું. વધુમાં મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે સુરત ટેકસટાઇલ સાથે જ હવે ગારમેન્ટ્સ ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે વિપુલ પ્રમાણમાં ડિમાન્ડ વધી રહી છે જે એક સારી એવી કેરિયર આપી શકે છે. ત્યારે વધુમાં વધુ વિદ્યાર્થીઓ હવે ફેશન ડિઝાઇનર તરીકે કેરિયર બનવાનું પસંદ કરી રહ્યા છે.

સુરતમાં પાંચ દિવસીય નેશનલ સિલ્ક એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે
દિવાળી અને કરવા ચોથ સ્પેશિયલ કલેક્શન
- ડાયરેક્ટ વિવર્સ એક્ઝિબિશન એન્ડ સેલ
સુરત. સુરતના સિટીલાઈટ સ્થિત મહારાજા અગ્રસેન ભવન ખાતે આઠ દિવસીય નેશનલ સિલ્ક એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા નેશનલ સિલ્ક એક્સ્પોમાં મહિલાઓ માટે સિલ્ક, કોટન સાડી, ડિઝાઈનર એથનિક ડ્રેસ, ડ્રેસ મટિરિયલ, હોમ લિનન સહિતની વિવિધ વેરાયટી એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. 16 થી 20 ઓક્ટોબર સુધી ચાલનાર આ નેશનલ સિલ્ક એક્સ્પો સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. ડાયરેક્ટ વિવર્સ એક્ઝિબિશન એન્ડ સેલ છે. ઓલ સિલ્ક એન્ડ કોટન પ્રોડક્ટ્સ વિવર્સ કિંમત માં મળશે. તેની વિશેષતા એ છે કે તમને સમગ્ર ભારતમાંથી માસ્ટર વીવર્સ અને શ્રેષ્ઠ ડિઝાઇનર્સનું કામ જોવા મળશે. દિવાળી અને કરવા ચોથ , તહેવારોની મોસમ માટે ઉપલબ્ધ નવી ડિઝાઇન સાથેની ખાસ સાડીઓ અને સૂટ્સની નવીનતમ વિવિધતા. આ સાથે 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. વિવિધ પ્રકારની ડિઝાઇન સાથે સારી ગુણવત્તાની સાડીઓ, સૂટ અને ડ્રેસ છે. ઘણા રાજ્યોના વણકરો દ્વારા તૈયાર કરાયેલા કપડાના કાઉન્ટર એક જગ્યાએ ઉભા કરવામાં આવશે. જેથી કરીને તમે અલગ-અલગ દુકાનોમાં ખરીદીની ઝંઝટમાંથી મુક્ત થશો. “વિવિધ ડિઝાઇનના અલગ-અલગ દર હોય છે, જે લોકો ખરીદી કરી રહ્યા છે તેઓ તેમના બજેટ મુજબ ખરીદી કરી શકશે. ગ્રાહકોને પેમેન્ટ કરવા માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ સહિતના ઘણા વિકલ્પો ઉપલબ્ધ હશે.
બિહાર, આસામ, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશની લોકપ્રિય જાતો અને સાડીઓ અને ડ્રેસ મટિરિયલ રાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ થશે. સિલ્ક એક્સ્પો. જેમાં વિવિધ પ્રકારની ડિઝાઇન, પેટર્ન, કલર કોમ્બિનેશન છે. જેમાં ગુજરાતની ડબલ ઇક્કત હાથવણાટની પટોળા સાડી 15 હજારથી માંડીને 2 લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે, જે આઠ મહિનામાં તૈયાર થઈ જાય છે. તે બે વાર વણાય છે. તમિલનાડુની શુદ્ધ ઝરી વર્ક કાંજીવરમ સાડી પણ મહિલાઓને આકર્ષિત કરશે.
બનારસના વણકરો તેમની સાડીઓને નવા યુગ પ્રમાણે લોકપ્રિય બનાવવા માટે અનેક પ્રયોગો કરતા રહે છે. ક્યારેક તેઓ બનારસી સાડીઓ પર બાગ પ્રિન્ટ કરાવે છે અને હવે તેઓ બનારસી સિલ્ક સાડીઓ પર મહારાષ્ટ્રની પૈઠાની સાડીઓના મોટિફ વણાવે છે. બાય ધ વે, પરંપરાગત બનારસી ઝરી અને કઢવા બુટીની સાડીઓથી માંડીને તાંચોઈ સિલ્ક સુધી, આ સેલમાં રૂ. 1,000 થી રૂ. 5,000 સુધીની અનેક વેરાયટી ઉપલબ્ધ છે.
ભાગલપુર, બિહારના ઘણા વણકરો, રેશમ વણાટ માટે પ્રખ્યાત, લગ્નની મોસમ જેવા ખાસ પ્રસંગોએ પહેરવામાં આવતા કુર્તા અને પાયજામા માટે ખાસ હાથથી બનાવેલા ભાગલપુર સિલ્ક અને મોદી જેકેટ ફેબ્રિક પણ પ્રદાન કરે છે. તમિલનાડુની શુદ્ધ ઝરી વર્કમાંથી બનેલી કાંજીવરમ સાડી પણ મહિલાઓને પસંદ આવી રહી છે. કારીગરો 30 થી 40 દિવસમાં સોના અને ચાંદીના તારથી બનેલી આ સાડી તૈયાર કરે છે, જેની કિંમત 5 હજારથી 2 લાખ રૂપિયા સુધીની હોય છે.
બનારસી અને જમદાની સિલ્ક, કાંચીપુરમ, બિહાર તુસાર, ભાગલપુર સિલ્ક, ગુજરાત બંધિની અને પટોળા, પશ્ચિમ બંગાળનું બાયલુ, કાંથા, હેન્ડ પેઈન્ટેડ સાડીઓ, ઢાકાઈ જમદાની, પૈઠાની, એમપી ચંદેરી, મહેશ્વરી, એરી સાડીઓ, શિબોરી અને અજરક પ્રિન્ટ, હેન્ડ કલમકારી રાજસ્થાન બ્લોક પ્રિન્ટ, છત્તીસગઢ કોસા અને ખાદી સિલ્કની સાડી અને ડ્રેસ મટિરિયલ ઉપલબ્ધ થશે. સુરતના સિટીલાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવનમાં મૈસુર સિલ્કની સાડીઓ, ક્રેપ અને જ્યોર્જેટ સિલ્કની સાથે બિહારનું તુસ્સાર સિલ્ક, આંધ્રપ્રદેશનું ઉપડા, ઓરિસ્સાનું મૂંગા સિલ્ક પણ ઉપલબ્ધ છે.

અનીસ સંસ્થા અને અલાયન્સ દ્વારા યોજાયો કર્મભૂષણ પુરસ્કાર સમારોહ
25 કેટેગરીમાં 95 પોલીસ અધિકારી – કર્મચારીઓને કરાયા સન્માનિત
સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં બોલીવુડ સ્ટાર અને સાંસદ રવિ કિશન, અભિનેતા પ્રતીક ગાંધી અને સિમરન કૌર રહ્યા ઉપસ્થિત
સુરત. શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અને પોતાની અસાધારણ કામગીરીથી એક અમીટ છાપ છોડનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવા અનીસ સંસ્થા અને અલાયન્સ દ્વારા સુરત ખાતે કર્મભૂષણ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં 25 અલગ અલગ કેટેગરીમાં સુરત પોલીસ વિભાગમાં 95 અધિકારીઓ અને કર્મચારીઓને કર્મભૂષણ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર.પાટીલ , બોલિવૂડ સ્ટાર અને સાંસદ રવિ કિશન, અભિનેતા પ્રતીક ગાંધી અને સિમરન કૌર ઉપસ્થિત રહ્યા હતા.
સુરતની અનીસ સંસ્થા દ્વારા દર વર્ષે મુંબઈ પોલીસ માટે યોજાતા ઉમંગ શોની જેમ સુરત ખાતે કર્મ ભૂષણ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવે છે. જેમાં પોલીસના એવા અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવે છે કે જેમને પોતાના કર્યો થકી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું હોય અને મહિલાઓ તેમજ બાળકોની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હોય. આ વખતે પણ 13 ઓક્ટોબરના રોજ પાલ સ્થિત સંજીવ કુમાર ઓડિટરિયમ ખાતે કર્મ ભૂષણ પુરસ્કાર સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તી મંત્રી સી. આર.પાટીલ અને બોલિવૂડ સ્ટાર અને સાંસદ રવિ કિશન ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષ તરીકે બોલિવૂડ અભિનેતા પ્રતીક ગાંધી અને અભિનેત્રી સિમરન કૌર, મનપા કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી સહિત શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન આમંત્રિત મહેમાનો ના હસ્તે સુરત પોલીસના 95 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને અલગ અલગ 25 કેટેગરીમાં કર્મ ભૂષણ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર આયોજન અનીસ સંસ્થાના અધ્યક્ષ ગીતા શ્રોફ અને અલાયન્સ ના સુભાષ દાવર દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આયોજનને સફળ બનાવવા માટે અનીસ સંસ્થાની સિનિયર ટીમ, યુવા ટીમ , ફૌજી ટીમ અને સંસ્કૃતિ ધામ ટીમના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

કેન્સરના દર્દીઓ માટે અદ્વૈતા કેન્સર હોસ્પિટલ દ્વારા કરાયું ગરબાનું આયોજન
દશેરા પર હોસ્પિટલને એક વર્ષ પૂર્ણ થતાં ડૉ.દિવ્યેશ પાઠક દ્વારા કરાયું મોટીવેશન કાર્યક્રમનું આયોજન
સુરત. કેન્સરના દર્દીઓ પ્રત્યે સમાજમાં અણગમો જોવા મળે છે ત્યારે કેન્સરની બીમારીથી પીડાતા અને સાજા થઈ ગયેલા દર્દીઓને મુખ્ય પ્રવાહ સાથે જોડી શકાય તે માટે અદ્વૈતા કેન્સર હોસ્પિટલ અને આઇસીયુના સંચાલક ડૉ. દિવ્યેશ પાઠક દ્વારા આજરોજ ગરબા સાથે મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન અદ્વૈતા હોસ્પિટલની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવ્યું હતું.
આ અંગે ડૉ. દિવ્યેશ પાઠકે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ૧૦ વર્ષથી કેન્સર સર્જન તરીકે સેવા આપી રહ્યા હતા ત્યારે કેન્સરના દર્દીઓ માટે એક સ્પેશિયલ હોસ્પિટલ હોય એ જરૂરીયાત અનુભવતા અદ્વૈતા કેન્સર હોસ્પિટલ અને આઇસીયુ હોસ્પિટલનો પાયો નખાયો. એક વર્ષ પહેલાં દશેરાના દિવસે પ્રાઈમ આર્કેડની સામે સહજ આઇકોનમાં હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન ડૉ. દિવ્યેશ પાઠકે 250 થી વધારે સફળ સર્જરી અને 150 જેટલી સફળ કીમો થેરેપી કરી દર્દીઓને નવું જીવન આપ્યું છે. ત્યારે હોસ્પિટલની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે હોસ્પિટલ દ્વારા કેન્સરના દર્દીઓ પ્રત્યે સમાજમાં જાગૃતિ આવે અને આવા દર્દીઓ પ્રત્યે હૂંફથી અને પ્રેમથી સામાન્ય વ્યક્તિની જેમ વ્યવહાર કરે તેવા ઉદ્દેશ્ય સાથે ગરબા સાથે મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં ડૉ. દિવ્યેશ પાઠકે જણાવ્યું હતું કે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ને કેન્સર થાય તો તે નોર્મલ જીવન જીવવાનું છોડી દે છે ત્યારે આવી વ્યક્તિઓ પોતાને અલગ નહીં સમજી નોર્મલ જીવન જીવી શકે છે એ સંદેશ આપવા માટે અને સામાન્ય વ્યક્તિઓની જેમ તેઓ પણ દરેક તહેવાર ઉજવી શકે છે તે સંદેશો આપવા માટે હોસ્પિટલ દ્વારા આ આયોજન કરાયું હતું અને 150 જેટલા દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોને કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે ડૉ. દિવ્યેશ પાઠકે પોતાનું તબીબી શિક્ષણ સુરતની સરકારી મેડિકલ કોલેજ ખાતે લીધું છે. સરકારી મેડિકલ કોલેજ ખાતે એમબીબીએસ કર્યા બાદ જનરલ સર્જરીમાં સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે એમએસની ડિગ્રી મેળવી હતી ત્યારબાદ કેન્સર સર્જન તરીકેનો અભ્યાસ પુને ખાતે કરીયો છે અને ત્યારબાદ ઓંકો સર્જરી નો અભ્યાસ પુણે ખાતે પૂર્ણ કર્યો છે અને છેલ્લા ૫ વર્ષથી તેઓ સુરત ખાતે કેન્સર નિષ્ણાંત તબીબ તરીકે સેવા આપી રહ્યા છે.

દેશની સૌથી મોટી હોટેલ ટેક્નોલોજી પ્રોવાઇડર કંપની Yanolja Cloud Solution (YCS)એ તેમની નવી ઓફિસ પાલ અડાજણ ખાતેના જુનોમોનેટા ટાવર સૂરત ખાતે ખસેડી
આઇટી હબ તરીકે ઊભરી રહેલા સૂરતને પણ ગ્લોબલ કંપની આવવાથી મોટો ફાયદો થશે
યાનોલ્જા ક્લાઉડ સોલ્યુશન જે ગ્લોબલ લેવલે 170 દેશોમાં 33000થી વધુ ક્લાયન્ટસ ધરાવે છે
સૂરત, ગુજરાત, 30 સપ્ટેમ્બર, 2024 હોસ્પિટાલિટી ટેક્નોલોજીમાં વૈશ્વિક અગ્રણી અને દેશની સૌથી મોટી હોટેલ ટેક્નોલોજી પ્રોવાઇડર કંપની Yanolja Cloud Solution (YCS) તેનું નવી ઓફિસ પાલ અડાજણ ખાતેના જુનોમોનેટા ટાવર સૂરત ખાતે ખસેડી. આ અત્યાધુનિક ઓફિસ, 30 સપ્ટેમ્બર 2024 થી શરૂ થતા આઇટી હબ તરીકે ઊભરી રહેલા સૂરતમાં વધુ એક
મોરપીચ્છ ઉમેરાશે.
Yanolja Cloud Solution (YCS) કટીંગ-એજ ક્લાઉડ-આધારિત સોલ્યુશન્સ આપતી ગ્લોબલ લેવલે વિશ્વાસપાત્ર કંપની છે.
હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સેક્ટરમાં સતત ઇનોવેશન માટે જાણીતી કંપની છે. તેનું આ પગલું કંપનીની મહત્વાકાંક્ષી ગ્રોથ સ્ટ્રેટેજી અને દુનિયામાં ટોપ સોલ્યૂશન્સ પહોંચાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પહેલથી કંપની કોલાબોરેશન, ઇનોવેશન અને એફિશિયેન્સીમાં નવી ઊંચાઇઓ સર કરશે. Yanolja Cloud Solution (YCS) હોટલો અને રિસોર્ટ્સની કામગીરીઓને વધુ સક્ષમ બનાવવા, તેમની સુવિધાઓનો મહત્તમ ઉપયોગ થાય અને તેમને વધુમાં વધુ નફો મળી શકે તથા તેમના મહેમાનોને ઉત્તમ સેવા મળે તેમાં વધુ સારી મદદ કરી શકશે.
આ પ્રસંગે કંપનીના સી.ઇ.ઓ એજાઝ સોડાવાલાએ કહ્યું કે Yanolja Cloud Solution (YCS)માં અમે હોટેલ્સને એવા
ક્લાઉડ આધારિત આઇટી સોલ્યૂશન્સ આપીએ છીએ જેનાથી તેઓ જે સુવિધાઓ આપે છે તે વધુ સારી રીતે આપી
શકે અને તેમના મહેમાનોને શાનદાર અનુભવ મળે. આ ઉપરાંત હોટેલ્સના નફામાં પણ વધારો થાય. અમારી કંપની
આ ક્ષેત્રે દુનિયાભરમાં અગ્રણી છે અને દેશની સૌથી મોટી કંપની છે.
“અમારી નવી ઓફિસ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના અમારા મિશનમાં એક મોટી છલાંગ છે.
આનાથી દેશના નવા આઇટી હબ તરીકે વિકસી રહેલા સુરતની ગ્રોથ સ્ટોરીને પ્રોત્સાહન મળશે, તેમ એજાઝ સોડાવાલાએ
વધુમાં કહ્યું હતું.
સુરતમાં જુનોમોનેટા ટાવર ખાતે કંપનીના હેડક્વાર્ટર્સનું સ્થળાંતર એ YCSના વ્યાપને વધુ ઊંચાઈ પર લઇ
જવા સાથે આંતરિક વૃદ્ધિ પણ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે હીરા અને કાપડ ઉદ્યોગો માટે જાણીતું, સુરત હવે
IT ની મોટી કંપનીઓને આકર્ષિત કરી રહ્યું છે તે પરંપરાગત ઉદ્યોગોથી આગળ વધીને ડાયનેમિક અને ફોરવર્ડ થિંકિંગ ટેકનોલોજી હબ તરીકે વિકસી રહ્યું છે.ટેક-ફોરવર્ડ સિટી તરીકે સુરતનો વિકાસ થઇ રહ્યો છે જે શહેરને ભારતના વ્યાપક IT સેક્ટરમાં અગ્રણી પ્લેયર તરીકેસ્થાન આપે છે. આનાથી સૂરતના સ્થાનિક આઇટી ટેલેન્ટને પણ ઘરઆંગણે ગ્લોબલ પ્લેટફોર્મમાં કામ કરવાની તક મળી શકશે.
જુનોમોનેટા ટાવરમાં શરૂ કરાયેલી આધુનિક વર્લ્ડક્લાસ ઓફિસ Yanolja Cloud Solution (YCS) ની વિસ્તરી રહેલી
ટીમ પોતાની ક્ષમતાઓને પૂરો ઉપયોગ કરવાનો માહૌલ આપશે. આ સેક્ટરમાં કટીંગ-એજને સોલ્યૂશન આપે તે
માટે ડિઝાઇન કરવામાં આવી છે. Yanolja તેના વૈશ્વિક ક્લાયન્ટ બેઝને વધુ સારી રીતે સેવા આપી શકશે.
ક્લાયન્ટ્સને વધુ ઝડપથી ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ આપી શકશે.
યાનોલ્જા ક્લાઉડ સોલ્યુશન વિશે:
Yanolja Cloud Solution (YCS) વિશ્વભરમાં હોસ્પિટાલિટી ટેક્નોલોજી આપનાર અગ્રણી કંપનીઓમાંની એક છે અને
હોટેલ અને રેસ્ટોરન્ટ માટે એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ ઓફર કરે છે.યાનોલ્જા ગ્રુપ દ્વારા હસ્તગત – દક્ષિણ કોરિયાની
ટ્રાવેલ ટેક યુનિકોર્ન છે. eZee, GGT અને SanhaIT જેવી સભ્ય કંપનીઓના તેના વધતા પોર્ટફોલિયો સાથે આજે YCS એ ભારતની સૌથી મોટી હોટેલ ટેક્નોલોજી અને અગ્રણી વૈશ્વિક ક્લાઉડ હોટેલ સોલ્યુશન આપનાર કંપની છે. વધુ માહિતી માટે, www.yanoljacloudsolution.com ની મુલાકાત લો.

ખુશ્બુ પાઠક રૂપારેલના તિતલી ડિઝાઇનર સ્ટુડિયોએ અદભૂત નવરાત્રિ કલેક્શન-‘સતરંગી’ લોન્ચ કર્યું
વડોદરા, 08 ઓક્ટોબર: ખુશ્બુ પાઠક રૂપારેલ દ્વારા સ્થાપિત તિતલી ડિઝાઇનર સ્ટુડિયોએ 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદમાં યોજાયેલા ટાઈમ્સ ફેશન વીક 2024માં તેનું અદભૂત નવરાત્રિ કલેક્શન ‘સતરંગી‘ લોન્ચ કર્યું હતું, જેને તેની પરંપરા અને આધુનિકતાના અનોખા સંમિશ્રણ માટે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ફેશન પ્રેમીઓ અને વિવેચકો સમાન રીતે સતરંગી કલેક્શનની બોલ્ડ ડિઝાઇન્સ અને વૈભવી કાપડથી પ્રભાવિત થયા હતા. સતરંગી કલેક્શન નવરાત્રિનું એવું એક નવું કલેક્શન છે જેમાં બદલાતા સમયને અનુરૂપ ચણીયા ચોલી સિરીઝ ડિઝાઇન કરવામાં આવી છે.
કલેક્શન પાછળની પ્રેરણા સમજાવતા, જાણીતા ડિઝાઇનર ખુશ્બુ પાઠક રૂપારેલએ જણાવ્યું હતું કે, “સતરંગીમાં અમે બદલાતા સમય સાથે તેને આધુનિક બનાવવાનો ઉદ્દેશ્ય તો રાખ્યો જ હતો સાથે જટિલ મિરર વર્ક અને દોરા વર્ક પરંપરાગત નવરાત્રી સિઝનની પ્રાચીન ભાવના પણ દર્શાવે છે.”

ગરબા એપેરલ્સની પરંપરાગત ડિઝાઇનમાં કોઇ મોટા ફેરફાર કર્યા વિના તે પહેરવામાં પણ સરળતા રહે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. આ બાબત એ સતરંગીને ખરેખર અનોખું બનાવે છે. નૃત્યના સૌથી મોટા તહેવારને એ જ ઉત્સાહ સાથે ઉજવવા માટે ઘુમાવદાર સ્કર્ટ, વાઇબ્રન્ટ પેટર્ન અને આકર્ષક ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. મિરર વર્કની ચમક હોય, વિવિધ રંગોની આભા હોય કે અનોખી ડિઝાઇન હોય, તિતલી ડિઝાઇનર સ્ટુડિયોનું સતરંગી કલેક્શન એ સુનિશ્ચિત કરે છે કે પહેરનાર દરેક વ્યક્તિ ગરબામાં આકર્ષણનું કેન્દ્ર બને. તિતલી ડિઝાઇનર સ્ટુડિયો નવરાત્રિ સ્ટાઇલને બદલવા માગતા દરેક લોકોને આમંત્રણ આપે છે. સતરંગી કલેક્શન હવે ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. કલેક્શન જોવા અથવા ખરીદવા માટે તિતલી ડિઝાઇનર સ્ટુડિયો, એ-10, વ્રજધામ સોસાયટી, અક્ષર ચોક, ઓ.પી. રોડ. વડોદરાની જરૂર મુલાકાત લો।

कबड्डी का नया युग: महिला कबड्डी लीग की वापसी और रोमांचक विकास
नई दिल्ली, [10-10-2024] – भारतीय कबड्डी प्रेमियों के लिए एक खुशखबरी! वुमन कबड्डी लीग (WKL 2025) एक भव्य वापसी कर रही है, और यह भारतीय खेलों का एक बड़ा उत्सव बनने जा रहा है। इस लीग का उद्देश्य न केवल महिलाओं को खेलों में प्रोत्साहित करना है, बल्कि कबड्डी को देश के हर कोने में लोकप्रिय बनाना भी है।
इस सीजन में, WKL देशभर के खिलाड़ियों की भागीदारी को देखेगा, जो एक नई ऊर्जा और जुनून लेकर आ रहे हैं। नए नवाचारों और योजनाओं के साथ, हम खेल प्रेमियों को एक अविस्मरणीय अनुभव देने के लिए प्रतिबद्ध हैं, जो खेल के आनंद और उत्साह का सम्मान करता है।
इस सीजन में, हम न केवल उत्कृष्ट खेल प्रदर्शन देखेंगे, बल्कि खिलाड़ियों की मेहनत और समर्पण को भी सराहेंगे। प्रत्येक टीम अपने अनूठे कौशल और रणनीतियों के साथ मैदान में उतरेगी, जिससे कबड्डी प्रेमियो को रोमांच एवं जश्न से भरपूर खेल देखने का एक शानदार अवसर मिलेगा!
WKL की आयोजक समिति ने कहा, “इस लीग के माध्यम से हम अधिक महिलाओं को खेलों में भाग लेने के लिए प्रेरित करना चाहते हैं। कबड्डी भारत का खेल है, और हम इसके प्रचार के लिए हर संभव प्रयास करेंगे।”
दुबई से लौटने के साथ, यह लीग भारतीय कबड्डी के इतिहास में एक नया अध्याय जोड़ने जा रही है। अंतरराष्ट्रीय मंच पर खिलाड़ियों ने अपनी प्रतिभा का प्रदर्शन किया, और अब वे अपने देश में अपने प्रशंसकों का समर्थन प्राप्त करेंगे। दुबई में मिली सफलता ने हमें उत्साहित किया है, और हम इसे भारत में लाने के लिए तत्पर हैं, जहां कबड्डी की जड़ें गहरी हैं।
इस बार, लीग में भाग लेने वाली टीमों में और फॉर्मेट में कुछ बदलाव होने वाले है जो पहले से भी अधिक रोमांचक होगा। यह सभी प्रशंसकों के लिए खिलाड़ियों की तकनीक और खेल की भावना का अनुभव करने का बेहतरीन अवसर है।
इसके अलावा, WKL जल्द ही एक नए CEO की घोषणा करने जा रही है, जो लीग को नई ऊंचाइयों पर ले जाने के लिए प्रतिबद्ध हैं। नए CEO की योजनाओं में खिलाड़ियों के विकास पर विशेष ध्यान दिया जाएगा, ताकि उन्हें उनकी प्रतिभा के अनुसार प्रशिक्षण और संसाधन मिल सकें। महिला कबड्डी को प्रोत्साहित करने के लिए विभिन्न कार्यक्रम और प्रतियोगिताएं आयोजित की जाएंगी, जो नए प्रतिभाओं को पहचानने में मदद करेंगी।
आयोजकों की नयी टीम महिला कबड्डी को पेशेवर खेल के रूप में स्थापित करने के लिए संकल्पित है और इसी दिशा में आगे कार्य करने के लिए प्रेरित है।तकनीकी नवाचारों का उपयोग किया जाएगा, जैसे कि लाइव स्ट्रीमिंग और खेल विश्लेषण, जिससे दर्शकों को एक इंटरएक्टिव अनुभव मिलेगा।
खिलाड़ियों की सुरक्षा और स्वास्थ्य को सर्वोच्च प्राथमिकता दी जाएगी। सभी मैचों में आवश्यक सुरक्षा मानकों का पालन किया जाएगा, और खिलाड़ियों के लिए चिकित्सीय सुविधाएं उपलब्ध कराई जाएंगी।
हम सभी खेल प्रेमियों, टीमों और खिलाड़ियों से अपील करते हैं कि वे इस अद्वितीय यात्रा का हिस्सा बनें। WKL की वापसी केवल एक खेल की बात नहीं है; यह महिलाओं की शक्ति, एकता और प्रेरणा का प्रतीक है। साथ मिलकर, हम कबड्डी को नई ऊंचाइयों पर ले जाने के लिए कदम बढ़ा सकते हैं।
तारीखों और आगामी आयोजनों की जानकारी के लिए हमारे सोशल मीडिया चैनलों का अनुसरण करें।