Posts by: abhay_news_editor

પીળા ગંદાના ફૂલોથી હોળીનો સુવર્ણ તેજ: આનંદમય અને ઉજ્જ્વળ પુનરાગમન માટે હર્ષભર્યા વિદાય!
White Lotus International School માં, અમે શૈક્ષણિક સત્રના છેલ્લા કાર્યદિવસને એક હૃદયસ્પર્શી હોળી ઉજવણી સાથે સમાપ્ત કર્યો, જ્યાં અમારા કિન્ડરગાર્ટનના નાનકડા વિધાર્થીઓ માટે રંગ, સુગંધ અને આનંદથી ભરેલું વાતાવરણ રચવામાં આવ્યું હતું. આ વિશેષ ઉજવણી અમારી નાનકડા શીખનારાઓને હોળીની ભાવના અનુભવવાનો મોકો આપવા માટે રચવામાં આવી હતી, જેમાં તેમની સુરક્ષા અને સંવેદનાત્મક અનુભવનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો.
બાળકોએ તાજા પીળા ગંદાના ફૂલની પાંખડીઓથી રંગોના આ તહેવારનો આનંદ માણ્યો, જે પ્રકાશ, હકારાત્મકતા અને આનંદનું પ્રતિક છે. કૃત્રિમ રંગોના બદલે, તેમણે આનંદથી ગંદાની પાંખડીઓ ઉછાળી, જેનાથી એક સુવર્ણ વર્ષા જેવી ઉત્સાહભરી છટા પ્રસરી ગઈ. તેમની હાસ્યરજ અને ઉત્સાહે આખું શાળા પરિસર ચમકતું બનાવ્યું, જેનાથી આ શૈક્ષણિક સત્રની વિદાય ખરેખર યાદગાર બની ગઈ. ઉત્સવને વધુ રંગીન બનાવવા, નાનકડાં બાળકો હોળીના સૂર પર ઉત્સાહભેર નૃત્ય કરતા રહ્યા, તેમની ઉર્જા અને ઉત્સાહે સમગ્ર ઉજવણીને જીવંત બનાવી.

પ્રિન્સિપાલ, શ્રીમતી પૂર્વિકા સોલંકીએ આ ઉપક્રમેના મહત્વ પર પ્રકાશ નાખતા કહ્યું, “અમારા શાળામાં, અમે અમારી સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજવવાની સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ પણ ઉદ્દીપિત કરવામાં માનીએ છીએ. ગંદાના ફૂલોનો ઉપયોગ કરીને, અમે અમારા વિદ્યાર્થીઓને સતત વિકાસ અને જવાબદાર ઉજવણીનો મૂલ્ય ભણાવવાનો પ્રયાસ કર્યો. હોળી પ્રેમ, આનંદ અને એકતાનો તહેવાર છે, અને આજે, અમે તેને એકદમ કુદરતી અને સુંદર રીતે અનુભવી શક્યા.”
જેમ જેમ અમે આ સત્ર માટે અમારા નાનકડા વિધાર્થીઓને વિદાય આપી રહ્યા છીએ, અમે તેમને આનંદના રંગો અને નવા પ્રારંભની સુગંધ સાથે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. અમે તેમને આગામી શૈક્ષણિક વર્ષમાં સમાન ઉન્માદ, આનંદ અને શ્રેષ્ઠતાની પ્રતિબદ્ધતા સાથે પાછા આવવા માટે આતુર છીએ.
White Lotus International School માં, દરેક ઉત્સવ આનંદદાયક શીખવા તરફ એક પગથિયું છે, અને આજનો દિવસ શૈક્ષણિક સત્રને એક ઉર્જાવાન અને હકારાત્મક અંત આપવા માટે એક પરિપૂર્ણ રીત હતી.

૨,૫૦૦ વર્ષ અગાઉ પ્રચલિત હતાં તેવા વિલુપ્ત થયેલા ૧૨૬ શાસ્ત્રીય રાગોના ગ્રંથ “રાગોપનિષદ્નું” લોકાર્પણ
વિવિધ રાગમાલાઓનો સંચય રાગોપનિષદ સંગીતપ્રેમીઓ માટે સંભારણું બનશે – વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી
અમદાવાદ તા. ૧૨ માર્ચ ૨૦૨૫ – મુંબઈમાં તાજેતરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજાની પાવન છત્રછાયામાં, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસના શુભહસ્તે, શાસ્ત્રીય સંગીત આધારીત જૈન પ્રાચીન ભક્તિગીતોના મહાગ્રંથ ‘રાગોપનિષદ્’ અને તેના મ્યુઝિક આલબમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંદેશો આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘‘ભારતમાં સદીઓથી સંગીતની આગવી પરંપરા રહી છે. શાસ્ત્રીય રાગ, સંગીતના જ્ઞાન અને કાવ્ય સર્જન દ્વારા ભક્ત કવિઓએ અવિસ્મરણીય પદ્ય સાહિત્યની રચના કરી છે. પૂર્વ મુનિવરો વિરચિત અને આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય તીર્થભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા સંપાદિત વિવિધ રાગમાલાઓનો સંચય ‘રાગોપનિષદ્’ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો. ગ્રંથમાં શાસ્ત્રીય રાગ – રાગિણી વિષે ઊંડી જાણકારી, વાદ્યોનો સચિત્ર પરિચય, પ્રાચીન હસ્તપ્રતમાંના રાગચિત્રો અને રાગના વિસ્તૃત પરિચય માટે મધ્યકાલીન ભાષાના પદોની ઉદાહરણ તરીકે સમજૂતી વડે સમૃદ્ધ અને મૂલ્યવાન બન્યો છે. ગહન અભ્યાસ અને સંશોધનના આધારે સંપાદિત આ ગ્રંથ સૌ કોઈ સંગીતપ્રેમી માટે સંભારણું બની રહેશે.’’
આ પ્રસંગે ગુજરાત રાજ્યના ગૃહ ખાતાના યુવાન રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન મંગલપ્રભાત લોઢા અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ ગ્રંથમાં વિવિધ કવિઓની ૯૫૮ રચનાઓને સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં પ્રાચીન હસ્તપ્રતોના આધારે લગભગ વિલુપ્ત થઈ ગયેલા ૧૨૬ શાસ્ત્રીય રાગો પણ ખોળી કાઢવામાં આવ્યા છે, જેમાંના કેટલાક રાગો તો આજથી ૨,૫૦૦ વર્ષ પહેલાં પ્રચલિત હતા. આ રાગમાલામાં વિવિધ રાગોના ૯૦ જેટલા રંગીન ચિત્રો પણ સામેલ કરવામાં આવ્યા છે. તદુપરાંત તેમાં પ્રાચીન કાળથી વપરાતા સંગીતનાં ૧૫૦ સાધનોનો સચિત્ર પરિચય અપાયો છે.
આ પ્રસંગે ઉપસ્થિત ‘રાગોપનિષદ્’ ના સંપાદક પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયતીર્થભદ્રસૂરીશ્વરજી મહારાજાએ મંગલાચરણ કરતાં ફરમાવ્યું હતું કે ‘‘પરમાત્મા મહાવીર સ્વામી ભગવાન જ્યારે સમવસરણમાં બિરાજમાન થઈને માલકૌંસ રાગમાં દેશના દેતા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત માનવોનાં પથ્થર જેવાં હૃદય પણ પીગળી જતાં અને તેમની આંખોમાંથી આંસુંની ધાર વહેવા લાગતી હતી, તેવી તાકાત રાગની અને સંગીતની છે.’’
આચાર્ય ભગવંતે જણાવ્યું હતું કે ઈશ તત્ત્વની પ્રાપ્તિ માટે જ્ઞાન, ક્રિયા, ધ્યાન અને ભક્તિ જેવા અનેક યોગનું ધર્મશાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે. આત્માના સત્, ચિત્ અને આનંદ સ્વરૂપને પ્રગટ કરવામાં શાસ્ત્રીય સંગીત અને ભક્તિયોગ અસરકારક ભૂમિકા ભજવે છે. આજના વિજ્ઞાને પણ પુરવાર કર્યું છે કે સંગીત દ્વારા કેન્સર જેવા ઘણા અસાધ્ય રોગોની સારવાર કરી શકાય છે. સંગીતની અસર માત્ર માનવોને જ નહીં પણ પશુપંખીઓ અને વનસ્પતિ ઉપર પણ થાય છે. સંગીતસમ્રાટ તાનસેન જ્યારે ગાતો હતો ત્યારે ઉદ્યાનમાં રહેલી કળીઓ ખીલીને ફૂલ બની જતી હતી. તાનસેન જ્યારે તોડી રાગ ગાતો ત્યારે જંગલમાં રહેતાં હરણ ખેંચાઈને ત્યાં આવી જતાં હતાં. આ સંગીત આલ્બમના નિર્માણમાં શાસ્ત્રીય સંગીતના નિષ્ણાત ડો. ભરત બલવલ્લી દ્વારા જે ભારે જહેમત ઉઠાવવામાં આવી છે તે અનુમોદનીય છે. અખિલ ભારતીય ગંધર્વ મહાવિદ્યાલય દ્વારા ‘રાગોપનિષદ્’ ગ્રંથનો સમાવેશ પાઠ્યક્રમમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અંતમાં આચાર્ય ભગવંતે જણાવ્યું કે ‘‘પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજા સાહેબના આશીર્વાદથી જ અમારું આ કાર્ય સફળ થયું છે. ’’ આ પ્રસંગે ૬ આચાર્ય ભગવંતો અને ૧૦૦ જેટલા પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતિ રહી હતી.
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવિસે ‘રાગોપનિષદ્’નું લોકાર્પણ કરતાં કહ્યું હતું કે ‘‘મારા માટે હર્ષની વાત છે કે મને એવા ગ્રંથનું અને મ્યુઝિક આલબમનું લોકાર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે જેમાં ભારતના સંગીત શાસ્ત્રમાં જે પ્રાચીન રાગો વિલુપ્ત થઈ ગયા હતા તેને પુનર્જીવિત કરવામાં આવ્યા છે. ભારતમાં શાસ્ત્રીય સંગીતનો જન્મ સામવેદથી થયો હતો. સામવેદની ઋચાઓ શાસ્ત્રીય રાગોમાં ઢાળી શકાય તેવી રીતે રચવામાં આવી હતી.’’
દેવેન્દ્ર ફડનવિસે કહ્યું હતું કે ‘‘નેતાઓ જે રાજનીતિ કરે છે અને સંગીતકારો જે રાગનીતિ કરે છે, તે બંનેનો હેતુ પ્રજાનું કલ્યાણ કરવાનો હોય છે. સંગીતમાં શરીરના તથા મનના રોગોની સારવાર કરવાની શક્તિ છે. તમે યમન કલ્યાણ રાગ ગાઓ છો, અમે જનકલ્યાણ કરીએ છીએ. રાગોપનિષદ્ રાગના ક્ષેત્રમાં નવું જ ઉપનિષદ સાબિત થશે.’’
આ સંગીતમય પ્રયાસ પાછળ વિખ્યાત સંગીતકાર સ્વરાધીશ ડૉ. ભરત ભલવલ્લી છે, જે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. રાગોપનિષદ સંગીતમય આલ્બમમાં ભારતના સૌથી પ્રતિષ્ઠિત શાસ્ત્રીય ગાયકોને રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ઉસ્તાદ રાશિદ ખાન, પંડિત ઉલ્હાસ કાશલકર, સુરેશ વાડકર, સોનુ નિગમ, શંકર મહાદેવન, જસપિંદર નરુલા, જાવેદ અલી, કૌશિકી ચક્રવર્તી, ડૉ. અશ્વિની ભીડે, પંડિત વેંકટેશ કુમાર, પંડિત શૌનક અભિષેકી, પંડિત રઘુનંદન પાંશીકર, પંડિત રામ દેશપડિ, ઓસ્માન મીર, ફાલ્ગુની પાઠક, રાહુલ દેશપાંડે, દેવકી પંડિત, પંડિત જયતીર્થ મેવુન્દી, આરતી અંકલીકર, પંડિત આનંદ ભાટે અને પંડિત સંજીવ અભ્યંકરનો સમાવેશ થાય છે.
રાગોપનિષદ્નું લોકાર્પણ કરવા માટે તાજેતરમાં યોજાયેલી સંગીત સંધ્યામાં ડો. ભરત બલવલ્લી ઉપરાંત પદ્મશ્રી ગાયિકા અશ્વિની ભીડે જોષી, પંડિત આનંદ ભાટે, પંડિત જયતીર્થ મેવુન્દી, શ્રીમતી મંજુશ્રી પાટિલ અને અમિત પાધ્યે દ્વારા ઉપસ્થિત સંગીતપ્રેમીઓને ભક્તિરસમાં તરબોળ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવિસ દ્વારા ડો. ભરત બલવલ્લીને ‘નાદદેવ પરમહંસ’ ની ઉપાધિની નવાજેશ કરવામાં આવી હતી.

સુરત અનેસ્થેસિયા એસોસિયેશન દ્વારા સખિયા સ્કિન કેર ક્લિનિક ખાતે મહિલા દિવસની ઉજવણી
સ્કિન અને હેયરની કાળજી કેવી રીતે લેવી તે વિશે સેમિનાર યોજાયો
સુરત. સુરત અનેસ્થેસિયા એસોસિયેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સખિયા સ્કિન કેર ક્લિનિક ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે આયોજિત સેમિનારમાં સખિયા સ્કીન કેર સેન્ટરના નિષ્ણાત ડોકટરો દ્વારા હેયર અને સ્કિન કેર વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ અંગે સુરત અનેસ્થેશિયા એસોસિયેશનના ડૉ.કૃતિ અને ડૉ. નીરુ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે તેઓ દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ વખતે એસોસિયેશન ના સભ્યો અને અન્ય મહિલાઓને સ્કિન અને વાળની કાળજી કેવી રીતે લેવી તે વિશે માહિતગાર અને જાગૃત કરવા માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ માટે સખિયા સ્કિન કેર ક્લિનિક ની પસંદગી કરવામાં આવ્યું હતી. અહીં ડોકટર દેવશ્રી પંડ્યા અને ડૉ.મેઘના દ્વારા સૌને સ્કિન અને હેર કેર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેઓ દ્વારા મહિલાઓને મુંઝવતા પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે આ બંને મહિલા ડોકટરોનું સન્માન કરવામાં આવ્યું હતું.
ડૉ. દેવશ્રી પંડ્યાએ જણાવ્યું કે, “મહિલાઓએ સ્વસ્થ અને સદાબહાર ત્વચા માટે યોગ્ય કાળજી લેવી જોઈએ. જો મહિલાઓ પોતાની ત્વચાની કાળજી પર ધ્યાન આપે તો તે તેમને શ્રેષ્ઠ આવક આપવા સાથે સાથે આત્મવિશ્વાસને વધારવા મદદ કરે છે. અને જ્યારે મહિલાઓનો આત્મવિશ્વાસ વધે છે, ત્યારે તેઓ દરેક પ્રકારની સમસ્યામાંથી બહાર નીકળી શકે છે, પોતાને તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ રીતે પ્રદર્શિત કરી શકે છે.”

“આ રીતે, સ્વસ્થ ત્વચા માત્ર દેખાવમાં સુધારો લાવતું નથી, પરંતુ આમાંથી જન્મતો આત્મવિશ્વાસ અને આત્મ-સંસ્કૃતિ મહિલાઓને તે બધું સિદ્ધ કરવા માટે પ્રેરણા આપે છે, જે તેઓ જીવનમાં ચાહે છે. જેમ કે ડૉ. મેઘનાએ જણાવ્યું હતું, ‘મહિલાઓએ’ સ્વસ્થ ત્વચા ની કાળજી લે તો , સ્ફૂર્તિ, સકારાત્મક દૃષ્ટિ અને આંતરિક શક્તિ વિકાસી તેમને દરેક પડકાર પર વિજય મેળવવામાં મદદ કરી શકે છે.”

નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગ્રેટ રનનું આયોજન કરાયું
દોડમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો, આરોગ્ય સાથે મહિલાઓને ટ્રાફિક નિયમો અંગે પણ કર્યા જાગૃત
સુરતઃ નિમાયા વુમન્સ સેન્ટર ફોર હેલ્થ મહિલાઓમાં સ્વાસ્થ્ય જાગૃતિ માટે સતત પ્રયાસો કરી રહી છે. જે અંતર્ગત આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિને નિમાયાએ સતત આઠમી વખત “નિમાયા ગ્રેટ રન-2025” નું આયોજન કર્યું હતું. આ દોડમાં 2500 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ દોડમાં મહિલાઓને તેમના આરોગ્ય માટે તો જાગૃત રહેવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો પણ સાથે સાથે ટ્રાફિક નિયમો અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર આયોજન અંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના ડાયરેક્ટર પૂજા નાડકર્ણી સિંહે જણાવ્યું હતું કે નિમાયા મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતી ત્યારે મહિલાઓને જાગૃત કરવાની જરૂર છે. આ ઉદ્દેશ્ય સાથે, દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મેરેથોન દોડ “નિમાયા ગ્રેટ રન” નું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ 9 માર્ચ, રવિવારે સવારે 6 કલાકે નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમને સ્વયંસેવકોનો સહયોગ મળ્યો હતો. રેસમાં 2500 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણની સાથે આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
VIP રોડ કંકુબા પાર્ટી પ્લોટથી નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના ડાયરેક્ટર પૂજા નાડકર્ણી સિંઘ, ડીસીપી ટ્રાફિક અમીતા વાનાણી અને ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ હેતલ પટેલ સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી હતી.

ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રોગ્રેસ એલાયન્સની મહિલા વિંગ દ્વારા નવચેતના કાર્યક્રમનું આયોજન કરાયું…
બ્રહ્મા કુમારી શિવાની દીદીએ આંતરિક શક્તિને જાગૃત કરવાની યુક્તિઓ શીખવી
કાર્યક્રમ દરમિયાન એક સાથે સાત હજાર લોકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવાના શપથ લીધા
સુરત. ઉદ્યોગસાહસિકોને તેમના વ્યવસાયમાં વૃદ્ધિ માટે પ્લેટફોર્મ પૂરું પાડતી નોન પ્રોફિટ મોટીવ સંસ્થા પ્રોગ્રેસ એલાયન્સની મહિલા વિંગ દ્વારા નવચેતના – એક નવી ઉર્જા, એક નવો સંકલ્પ કાર્યક્રમનું આયોજન રવિવારે કરવામાં આવ્યું હતું. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સવારે 9 થી 1 વાગ્યા સુધી આયોજિત આ કાર્યક્રમમાં બ્રહ્મા કુમારી શિવાની દીદીએ આંતરિક શક્તિને જાગૃત કરીને જીવન કેવી રીતે સરળ બનાવી શકાય તેની ટ્રિક્સ શીખવી હતી. આ સાથે સુરત શહેર જ્યારે હવે ટ્રાફિક નિયમોના પાલનની દિશામાં સતત આગળ વધી રહ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાત હજારથી વધુ લોકોએ એક સાથ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહરિશું, સીટ બેલ્ટ અને ટ્રાફિક સિગ્નલ નું પાલન કરીશું એવો સંકલ્પ અને શપથ લીધા હતા.
શનિવારે જ્યારે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે મહિલાની આંતરિક શક્તિને જાગૃત કરવા અને વધુ સારા સમાજના નિર્માણમાં મહિલાઓની ભૂમિકાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે, ઇન્ડોર સ્ટેડિયમમાં બ્રહ્મા કુમારી શિવાની દીદીની હાજરીમાં નવચેતના – એક નવી ઉર્જા, એક નવો સંકલ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં દસ હજાર પુરૂષો અને મહિલાઓ સહિત પ્રોગ્રેસ એલાયાન્સ ના સભ્યોએ ભાગ લીધો હતો. બ્રહ્મા કુમારી શિવાની દીદીએ જીવનમાં આંતરિક ઉર્જા કેવી રીતે જાગૃત કરવી અને જીવનમાં પ્રેમ અને શાંતિની ભાવના કેવી રીતે સ્થાપિત કરવી તે અંગે દરેકને માર્ગદર્શન આપ્યું હતું.

પ્રોગ્રેસ એલાયન્સ વિશે:-
પ્રોગ્રેસ એલાયન્સ, એક નોન પ્રોફિટ મોટીવ સંસ્થા, અત્યાર સુધીમાં વેચાણ વૃદ્ધિ, નફામાં વૃદ્ધિ, ટીમ મેનેજમેન્ટ, સમય વ્યવસ્થાપન, લોનમાંથી મુક્તિ, ચુકવણી સંગ્રહ, સ્ટોક રિડક્શન, વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ તેમજ ડિસિઝન મેકિંગ, હિંમત, ફ્રીડમ, ફ્રીડમ વગેરે જેવા વિવિધ ક્ષેત્રો પર 5,000 થી વધુ સાહસિકોના જીવનમાં કામ કર્યું છે. જેના કારણે તેનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેનો 360 ડિગ્રી ગ્રોથ થયો છે!!!

પ્રામાણિકતા, અધિકૃતતા, પ્રતિબદ્ધતા અને સ્ટેન્ડના પાયાના માળખા પર બનેલ, પ્રોગ્રેસ એલાયન્સ “ગોઇંગ ટુગેદર”ની ભાવના સાથે કાર્ય કરે છે. સાથે ઊભા રહેવા, એકબીજાને ટેકો આપવા અને સાથે મળીને આગળ વધવાના સિદ્ધાંતો પર આધારિત, પ્રોગ્રેસ એલાયન્સ આજે ભારતના વિવિધ શહેરોમાં કામ કરી રહ્યું છે, અને આવનારા વર્ષોમાં ભારતના દરેક શહેરના લોકોને તેના લાભો પહોંચાડવા માટે કામ ચાલી રહ્યું છે.
ઝૂમ પ્લેટફોર્મ દ્વારા દેશ અને દુનિયાના ઘણા લોકો અમારી સાથે જોડાયેલા છે, અને વિમેન્સ પ્રોગ્રેસ ચેપ્ટર પણ મહિલા સશક્તિકરણ માટે કામ કરી રહ્યું છે.

કાપી સોલ્યુશન્સ 8 માર્ચે સુરત કોફી ફેસ્ટમાં વિશ્વ-સ્તરીય કોફી ઇનોવેશન લાવે છે
સુરત, ભારત – ભારતમાં પ્રીમિયમ આયાતી કોફી મશીનો અને સાધનોના અગ્રણી પ્રદાતા, કાપી સોલ્યુશન્સ, 8 માર્ચે સુરત કોફી ફેસ્ટમાં કોફી ઉત્સાહીઓ, કાફે ઉદ્યોગસાહસિકો અને આતિથ્ય વ્યાવસાયિકોને એક વિશિષ્ટ અનુભવ માટે આમંત્રણ આપે છે.
ભારતની સ્પેશિયાલિટી કોફી સંસ્કૃતિને ઉન્નત બનાવવાની ઊંડી પ્રતિબદ્ધતા સાથે, કાપી સોલ્યુશન્સ એસ્ટોરિયાથી હેમિલ્ટન બીચ અને ડીડ્રિચ સુધીની શ્રેષ્ઠ વૈશ્વિક બ્રાન્ડ્સનું ક્યુરેટ કરે છે – ખાતરી કરે છે કે પીરસવામાં આવતો દરેક કપ ગુણવત્તા અને કારીગરીના ઉચ્ચતમ ધોરણોને પૂર્ણ કરે છે.સુરત કોફી ફેસ્ટમાં, ઉપસ્થિતોને અત્યાધુનિક કોફી ટેકનોલોજી જોવાની, નિષ્ણાત સમજ મેળવવાની અને ભારતમાં સ્પેશિયાલિટી કોફીના ભવિષ્યને ફરીથી વ્યાખ્યાયિત કરતા જીવંત પ્રદર્શનોનો અનુભવ કરવાની તક મળશે.
ભવિષ્યની કોફીનો અનુભવ કરો
સુરત કોફી ફેસ્ટમાં, કાપી સોલ્યુશન્સ કોફી બનાવવાની કળાને વધારવા માટે રચાયેલ અત્યાધુનિક કોફી મશીનો અને બ્રુઇંગ સાધનોનું પ્રદર્શન કરશે. આ ઇવેન્ટમાં ઇન્ટરેક્ટિવ સત્રો યોજાશે જ્યાં ઉદ્યોગ વ્યાવસાયિકો નવીનતમ નવીનતાઓનું અન્વેષણ કરી શકશે, શ્રેષ્ઠ પ્રથાઓની ચર્ચા કરી શકશે અને વૈશ્વિક કોફી નિષ્ણાતો પાસેથી શીખી શકશે.
“કાપી સોલ્યુશન્સ ભારતમાં કોફીના અનુભવમાં ક્રાંતિ લાવવા માટે સમર્પિત છે. બજારમાં ટોચના સ્તરના આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ લાવીને, અમે કાફે, રોસ્ટર્સ અને હોસ્પિટાલિટી વ્યાવસાયિકોને અસાધારણ કોફી પહોંચાડવા માટે સશક્ત બનાવીએ છીએ,” કાપી સોલ્યુશન્સના સ્થાપક શ્રી વિક્રમ ખુરાનાએ જણાવ્યું. “સુરત કોફી ફેસ્ટ કોફી સંસ્કૃતિની ઉજવણી કરવા, જોડાણો બનાવવા અને ઉદ્યોગમાં નવીનતા લાવવા માટે એક અદ્ભુત પ્લેટફોર્મ છે.”
કાપી સોલ્યુશન્સ વિશે
કાપી સોલ્યુશન્સ, એક બ્રાન્ડ જે સમગ્ર ભારતમાં હાજરી ધરાવે છે, તે તમારા ગ્રાહકો માટે ઉચ્ચ કક્ષાનો કોફી અનુભવ બનાવવામાં મદદ કરવા માટે શ્રેષ્ઠ આયાતી કોફી મશીનો પૂરા પાડે છે. તે ફક્ત ઓટોમેટિક કોફી અને એસ્પ્રેસો મશીનો માટે જ નહીં પરંતુ રોસ્ટર્સ, ગ્રાઇન્ડર્સ, આઈસ બ્લેન્ડર્સ અને બરિસ્ટા ટૂલ્સ અને એસેસરીઝ સાથે સફાઈ સોલ્યુશન્સ માટે પણ ટોચના સ્તરના વૈશ્વિક બ્રાન્ડ્સ સાથે વ્યવહાર કરે છે. કાપી સોલ્યુશન્સનો હેતુ ભારતની તેજીમય સ્પેશિયાલિટી કોફી સંસ્કૃતિના મોજા પર સવારી કરવાનો છે. તે કાફે ઉદ્યોગસાહસિકો અને અન્ય હોસ્પિટાલિટી મેજર્સને ઉપલબ્ધ કરાવતી બ્રાન્ડ્સ એસ્ટોરિયાથી હેમિલ્ટન બીચ અને ડીડ્રિચ સુધીના ઉચ્ચ વર્ગનું સંચાલન કરે છે.
સુરત કોફી ફેસ્ટ વિશે
સુરત કોફી ફેસ્ટ એ કોફી ઉત્સાહીઓ અને ઉદ્યોગના નેતાઓનો એક અસાધારણ મેળાવડો છે, જે સ્પેશિયાલિટી કોફી માટેના સહિયારા જુસ્સા અને સમૃદ્ધ કાફે સંસ્કૃતિ દ્વારા એક થાય છે. સહયોગ, નવીનતા અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવાના વિઝન સાથે સ્થાપિત, સુરત કોફી સમુદાય કોફી પાછળના લોકો – ખેડૂતો, રોસ્ટર્સ, બેરિસ્ટા અને કાફે માલિકો – ને કોફી બનાવવાની કલા અને વિજ્ઞાનની ઉજવણી કરવા માટે એકસાથે લાવે છે.
લાઈવ કોફી ટેસ્ટિંગ અને વ્યવહારુ વર્કશોપથી લઈને નેટવર્કિંગ તકો સુધી, આ ઇવેન્ટ નવા સ્વાદ શોધવા, વ્યવસાયિક ભાગીદારી બનાવવા અને કોફી બનાવવાની કલાત્મકતાની પ્રશંસા કરવા માટે ગતિશીલ જગ્યા પ્રદાન કરે છે.

વુમન્સ ડે પર કેન્ડોર IVF સેન્ટરની પહેલ, મહિલાઓનું વિનામૂલ્ય કર્યું પેપ સ્મિયર ટેસ્ટ
સુરત. આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિભિન્ન કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સુરત ખાતે કેન્ડોર IVF સેન્ટર દ્વારા આ દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. તેઓ દ્વારા મહિલાઓને સર્વાઇકલ કેન્સર થી બચાવવા અને આ અંગે જાગૃતિ લાવવા માટે મહિલાઓ માટે વિનામૂલ્ય પેપ સ્મિયર ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો.
આ અંગે કેન્ડોર IVF સેન્ટરના ડો. જયદેવ ધામેલીયાએ જણાવાયું હતું કે આ આયોજન મહિલાઓને સર્વાઇકલ કેન્સર થી બચાવવા અને જાગૃતિ લાવવા માટે કરવામાં આવ્યું હતું. ખાસ કરીને મહિલાઓને પેપ સ્મિયર ટેસ્ટના મહત્વ વિશે માહિતી મળે અને તેઓ તેમના આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત થાય એ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેમ્પ દ્વારા વધુ લોકો સુધી પહોંચીને, આ જીવ બચાવનાર સંદેશાઓ વધુ વ્યાપક રીતે ફેલાવવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
પેપ સ્મિયર ટેસ્ટ શું છે?
પેપ સ્મિયર એ એક અત્યંત સરળ, દુઃખાવા વગર અને ખૂબ જ અસરકારક સ્ક્રીનિંગ ટેસ્ટ છે, જે સર્વાઇકલ કેન્સર જેવી ગંભીર બીમારીઓની શરૂઆતમાં શોધ કરી શકે છે. આ ટેસ્ટ દ્વારા અમારી ખૂણાની સેલ્સ તપાસવામાં આવે છે, જે જો ખોટી હોય, તો તે કૅન્સરમાં વિકસિત થઈ શકે છે. પેપ સ્મિયર ટેસ્ટ ક્યારેક મૃત્યુ પામવા પહેલાં કૅન્સરની અટકાવટ માટે મહત્વપૂર્ણ છે.
પેપ સ્મિયર ટેસ્ટ કેમ મહત્વપૂર્ણ છે?
કૅન્સરની શરૂઆતમાં શોધ: સર્બાઇકલ કેન્સર એ એક એવો રોગ છે જે સામાન્ય રીતે શરુઆતમાં કોઈ લક્ષણો દેખાડતો નથી. પેપ સ્મિયર ટેસ્ટ દ્વારા આ બીમારીને અટકાવી શકાય છે.
જીવન બચાવવાનો એક માર્ગ: પેપ સ્મિયર ટેસ્ટ કૅન્સર સાથેના ખોટા સેલ્સને શોધી શકે છે અને યોગ્ય ઉપચાર દ્વારા તેમને રોકી શકાય છે.

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલએ અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવ્યો: શક્તિ, સમર્પણ અને ગૌરવનું સન્માન
8 માર્ચ 2025 – તે સ્ત્રીઓને શ્રદ્ધાંજલિ, જે પેઢીઓને ઘડે છે
દરેક સમૃદ્ધ સમાજના કેન્દ્રમાં એક મહિલા હોય છે—એક પોષક, એક માર્ગદર્શક, એક ગુરુ. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં, આ સત્ય ઊંડે સુધી પ્રતિધ્વનિત થાય છે, કારણ કે અમે અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તેમની અદભૂત યાત્રાને સલામ કરી, જેઓ યુવા મનને ઘડે છે અને ભવિષ્યના નેતાઓને પ્રેરણા આપે છે.
“તે શીખવે છે, તે પ્રેરિત કરે છે, તે બદલાવ લાવે છે”
વર્ગખંડોથી લઈ શાળા સંકુલ સુધી, પાઠ્યપુસ્તકોમાંથી જીવનના પાઠ સુધી, અમારી મહિલા શિક્ષિકા અને ફેકલ્ટી સભ્યો દૃઢતા, બુદ્ધિ અને અવિરત સમર્પણના પ્રતિક છે. તેઓ માત્ર શિક્ષક નથી—તેઓ સપનાના શિલ્પી, આત્મવિશ્વાસના નિર્માતા અને પરિવર્તનના અગ્રદૂત છે.
દિવસની શરૂઆત એક વિશેષ સભાથી થઈ, જ્યાં અમારા પ્રિન્સિપાલ, ફેકલ્ટી અને સ્ટાફ સભ્યો એકત્રિત થયા અને શિક્ષણ ક્ષેત્રે મહિલાઓના અનન્ય પ્રદાનને સન્માન આપ્યું. દૃઢ સંકલ્પ અને જુસ્સાની વાર્તાઓ શેર કરવામાં આવી, જે યાદ અપાવવા માટે પૂરતી હતી કે એક શિક્ષકનો પ્રભાવ માત્ર પાઠ્યપુસ્તકો પૂરતો સીમિત નથી—તે વિદ્યાર્થીઓના હૃદય અને મગજમાં જીવનભર અંકિત રહે છે.
અમારી માનનીય પ્રિન્સિપાલ, શ્રીમતી પુર્વિકા સોલંકીએ પોતાના પ્રેરણાદાયક શબ્દો દ્વારા આ સમારંભનું ઉદ્ઘાટન કર્યું. તેમણે શિક્ષણ ક્ષેત્રે મહિલાઓની શક્તિ અને તેમનાં ત્યાગની પ્રશંસા કરી. તેમણે કહ્યું, “દરેક સફળ વિદ્યાર્થીની પાછળ એક એવો શિક્ષક હોય છે, જે કદી હાર માને નથી. અને દરેક પ્રગતિશીલ સંસ્થાની પાછળ એક એવી મજબૂત મહિલા ટીમ હોય છે, જે પોતાનું સર્વસ્વ સમર્પિત કરે છે.” તેમના આ શબ્દોએ કૃતજ્ઞતા અને પ્રશંસાની ભાવનાને વધુ ગાઢ કરી.
વર્ગખંડની બહાર: ગૌરવ સાથે નેતૃત્વ કરનારી મહિલાઓ
આ ઉત્સવએ એ સિદ્ધ કરી દીધું કે શિક્ષણ માત્ર એક પેશો નથી, પરંતુ એક સેવા છે—એવું કાર્ય, જે ધીરજ, કરુણા અને દરેક બાળકની ક્ષમતામાં અડગ વિશ્વાસની માગ કરે છે.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં, અમે માનીએ છીએ કે દરરોજ જ મહિલા દિવસ છે, કારણ કે એક શિક્ષક, એક માર્ગદર્શક અને એક સંરક્ષક તરીકે તેમની ભૂમિકા અમૂલ્ય છે. આજે, અમે તેમનો જશ્ન મનાવી રહ્યા છીએ—માત્ર તેમના કાર્ય માટે નહીં, પરંતુ તેમના અસ્તિત્વ માટે.
તે સ્ત્રીઓને સલામ, જે બુદ્ધિને ઘડે છે, હૃદયોને પોષે છે અને ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે. અંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભેચ્છાઓ!

દુર્લભ કેન્સર સર્જરી: અમદાવાદમાં 60 વર્ષીય દર્દીનું રોબોટિક સર્જરી દ્વારા નવું જીવન
અમદાવાદ, 27 ફેબ્રુઆરી: અમદાવાદમાં 60 વર્ષીય દર્દી પર 6 કલાકની રોબોટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી, જે ઉન્નત કેન્સર સારવારમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થઈ. દર્દીને મૂત્રાશયમાં બે અલગ-અલગ પ્રકારના દુર્લભ કેન્સર— લિયોમાયોસારકોમા (Leiomyosarcoma) અને ટ્રાન્ઝિશનલ સેલ કાર્સિનોમા (TCC)— હતાં, જેનો ઈલાજ આ સર્જરી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યો.
સીનીયર યુરો-ઓન્કોલોજીસ્ટ અને અમદાવાદના જાણીતા રોબોટિક સર્જન ડૉ. રોહન પટેલ, જેઓ આ જટિલ સર્જરીના નેતા હતા, એમણે કહ્યું, “અમારી જાણકારી અનુસાર, ભારતમાં આ પહેલીવાર નોંધાયું છે કે મૂત્રાશયમાં એકસાથે બે જુદા-જુદા કેન્સરના પ્રકાર જોવા મળ્યા છે. સામાન્ય રીતે, મૂત્રાશયમાં કેન્સર યુરોથેલિયલ કેન્સરના પ્રકારના હોય છે. વિશ્વભરમાં આવા 15 કરતા પણ ઓછા કેસ નોંધાયેલા છે, જ્યાં દર્દીમાં એક સાથે બે પ્રકારના મૂત્રાશય કેન્સર વિકસતા જોવા મળ્યા હોય.”
ડૉ. પટેલે વધુમાં જણાવ્યું કે લિયોમાયોસારકોમા એક અત્યંત દુર્લભ કેન્સર છે, જે 1% કરતા પણ ઓછા મૂત્રાશય કેન્સરના કેસમાં જોવા મળે છે અને મોટાભાગે તેનું ભવિષ્ય ખરાબ હોય છે.
કેવી રીતે આ કેન્સર પોહંચ્યું અને સારવાર કેવી રીતે કરવામાં આવી?
દર્દી જ્યારે પ્રથમ વખત હોસ્પિટલમાં આવ્યો ત્યારે તેને હેમેચુરિયા (મૂત્રમાં લોહી આવવું)ની સમસ્યા હતી. ત્યારબાદ CT સ્કેન દ્વારા મૂત્રાશયમાં ટ્યુમર હોવાનું સામે આવ્યું. દર્દીને અગાઉ પેટની સર્જરી થઈ હોવાને કારણે સર્જરી વધુ મુશ્કેલ બની, કેમ કે આ સ્થિતિએ આંતરડાંમાં ચિપકાવ (Adhesions) ઉત્પન્ન કર્યા હતા.
ડૉક્ટરોએ TURBT (ટ્રાન્સયુરેથ્રલ રિસેક્શન ઑફ બ્લેડર ટ્યુમર) નામની એન્ડોસ્કોપિક પ્રક્રિયા દ્વારા બાયોપ્સી કરી, જેનાથી કેન્સર હોવાની પુષ્ટિ થઈ. ત્યારબાદ, રેડિકલ સિસ્ટેક્ટૉમી નામની 6 કલાક લાંબી રોબોટિક સર્જરી કરવામાં આવી.
આ સર્જરી દરમિયાન
• પહેલેથી જ આવેલા ચિપકાવને સંયમપૂર્વક હટાવવામાં આવ્યા, જેથી આંતરડાને નુકસાન ન થાય.
• સમગ્ર મૂત્રાશયને દૂર કરી, દર્દીની આંતડીઓના એક ભાગમાંથી નવો મૂત્રાશય (નિયોબ્લેડર) બનાવવામાં આવ્યો.
• નવો મૂત્રાશય મૂત્રમાર્ગ સાથે જોડવામાં આવ્યો, જેથી દર્દી સામાન્ય રીતે મૂત્ર ત્યાગ કરી શકે.
સફળ સર્જરી પછી માત્ર 7 દિવસમાં દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ
સફળ સર્જરી પછી, ડૉ. રોહન પટેલે જણાવ્યું કે, “આ અમારાં માટે એક દુર્લભ અને ચુસ્ત ધ્યાન માંગી લેતો કેસ હતો. રોબોટિક સર્જરીએ અમને વધારે ચોકસાઈ, ઓછી જટિલતાઓ અને ઝડપી રીકવરી સુનિશ્ચિત કરવામાં મદદ કરી.”
સર્જરી પછી દર્દી ઝડપથી સાજો થયો અને માત્ર 7 દિવસમાં હોસ્પિટલમાંથી રજા અપાઈ.
અમદાવાદમાં રોબોટિક સર્જરીની ઉન્નતિ
આ સફળતા સાબિત કરે છે કે રોબોટિક સર્જરી દુર્લભ કેન્સરના કેસમાં અત્યંત અસરકારક છે. અમદાવાદે હવે અદ્યતન તબીબી સેવાઓ માટે પોતાનું સ્થાન બનાવ્યું છે, અને આ કેસ ભવિષ્યમાં વધુ રોબોટિક સર્જરી માટે એક મહત્વપૂર્ણ ઉદાહરણ બની શકે છે.
ડૉ. રોહન પટેલ વિશે
ડૉ. રોહન પટેલ – રોબોટિક સર્જન અને યુરો-ઓન્કોલોજીસ્ટ, અમદાવાદ
ડૉ. રોહન પટેલ અમદાવાદના પ્રખ્યાત યુરો-ઓન્કોલોજીસ્ટ અને યુરોલોજીસ્ટ છે. તેઓએ કિંગ જોર્જ મેડિકલ યુનિવર્સિટી, લખનૌમાંથી M.Ch. (યુરોલોજી) પૂર્ણ કર્યું છે. તેઓ ભારતના થોડાક પસંદગીના યુરોલોજિસ્ટ્સમાંના એક છે, જેમને યુરોલોજિકલ સોસાયટી ઑફ ઇન્ડિયા (USI) તરફથી પ્રતિષ્ઠિત યુએસએ ટ્રાવેલિંગ ફેલોશીપ પ્રાપ્ત થઈ છે.
તેમણે મણિપાલ હોસ્પિટલ, બેંગલુરુમાં રોબોટિક સર્જરી ફેલોશીપ પૂર્ણ કરી છે અને ત્યારબાદ મેદાંતા – ધ મેડિસિટી, ગુરુગ્રામ ખાતે વત્તિકુટી રોબોટિક યુરોલોજી અને રીનલ ટ્રાન્સપ્લાન્ટેશન ફેલોશીપ મેળવી છે.
તેઓ ખાસ કરીને યુરો-ઓન્કોલોજીમાં નિષ્ણાત છે અને પ્રોસ્ટેટ, કિડની અને મૂત્રાશયના જટિલ કેન્સરના ઈલાજ માટે રોબોટિક, ઓપન અને લેપેરોસ્કોપિક સર્જરી કરવામાં કુશળ છે.
સંપર્ક માહિતી
અનંતા યુરોલોજી & રોબોટિક્સ ક્લિનિક
Address: 1st ફ્લોર, 107, મર્લિન પેન્ટાગોન, ન્યુ મહાલક્ષ્મી ક્રોસ રોડ, પાલડી, અમદાવાદ, ગુજરાત – 380007
વેબસાઈટ: www.anantaurologyandroboticsclinic.com
CONTACT : +91 9016863102
Consultant Uro-oncology and Robotic Urology- અપોલો હોસ્પિટલ, અમદાવાદ

સુરતની એલાયન્સ કંપનીના ચેરમેન સુભાષ ડાવર, “એક્સલન્સ ઓફ બિઝનેસ લીડરશીપ” એવોર્ડથી સન્માનિત
સુરત : નવી દિલ્હીમાં હાલમાં જ ઇકોનોમિક ટાઇમ્સ ઇટી બિઝનેસ કોન્ક્લેવ અને એવોર્ડ્સ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતમાં એમ્બ્રોઇડરી મશીનના કારોબાર સાથે સંકળાયેલી એલાયન્સ કંપનીના ચેરમેન સુભાષ ડાવરને “એક્સલન્સ ઓફ બિઝનેસ લીડરશીપ” એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમને આ એવોર્ડ અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ લેફ્ટનન્ટ રાજનાયકે દ્વારા આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, “Alliance” સુરતમાં એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતું નામ છે. એલાયન્સ કંપની છેલ્લા 20 વર્ષથી નવા આધુનિક હાઈસ્પીડ એમ્બ્રોઇડરી મશીનો સાથે સતત આગળ વધી રહી છે. એલાયન્સનું મશીન વિશ્વનું શ્રેષ્ઠ મશીન કહેવાય છે. સુરતના એમ્બ્રોઇડરી ઉદ્યોગને નવી ઓળખ અને પ્રોત્સાહન આપવામાં એલાયન્સ કંપનીની મોટી ભૂમિકા રહી છે. અદ્યતન મશીનોના વેચાણની દ્રષ્ટિએ એલાયન્સ મશીનો સૌથી વધુ બજાર હિસ્સો ધરાવે છે.
એલાયન્સ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સુભાષ ડાવરના પુત્ર ચિરાગ ડાવરે ET નાઉને જણાવ્યું હતું કે, એલાયન્સ કંપનીએ હંમેશા નવી ટેકનોલોજી આધારિત મશીનો સફળતાપૂર્વક રજૂ કરી છે. કંપનીના રાફેલ નામના મશીને સુરતના ઉદ્યોગને એક નવી દિશા આપી છે. આ પ્રકારની ટેકનોલોજી અન્ય કોઈ કંપનીના મશીનોમાં નથી. ગ્રાહકોના સંતોષ અને બેસ્ટ સર્વિસ ને પ્રાધાન્ય આપીને, એમ્બ્રોઇડરી ક્ષેત્રે નવા કોન્સેપ્ટને રજૂ કરવા સાથે કંપની સતત આગળ વધી રહી છે.
નોંધનીય છે કે, ET બિઝનેસ કોન્ક્લેવ અને એવોર્ડ્સ 2025 માં વિવિધ શ્રેણીઓમાં ઇન્ડસ્ટ્રીઝના લીડર્સ અને ઈનોવેટર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સફળ કાર્યક્રમે વાસ્તવમાં રાષ્ટ્રીય સુરક્ષા, નવીનતા, આર્થિક સુધારા અને આત્મનિર્ભરતા… એ “વિકસિત ભારત” તરફની ભારતની યાત્રાના આધારસ્તંભો કેવી રીતે બનાવે છે..? તેના પર ભાર મૂક્યો હતો.