Posts by: abhay_news_editor

દીકરીઓના ઉત્થાન માટે ‘Run for Girl Child’ની બીજી આવૃત્તિનું 4 જાન્યુઆરીએ સુરતમાં આયોજન

 

સુરત: સમાજના શોષિત વંચિત અને પીડિત વર્ગની દીકરીઓના સર્વાંગી વિકાસ માટે ડોક્ટર હેડર્ગવાર સેવા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘Run for Girl Child’ ચેરિટી રનની બીજી આવૃત્તિ આગામી 4 જાન્યુઆરી 2026ના રોજ VNSGU કેમ્પસ, સુરત ખાતે યોજાશે.

આ માહિતી આયોજન સમિતિના સહ સહયોજક અમિતભાઇ ગજ્જર દ્વારા પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી. આ ચેરિટી રનમાં 8થી 10 હજાર દોડવીરો ભાગ લેવાની અપેક્ષા છે. મેરેથોનમાં 21 કિ.મી., 10 કિ.મી., 5 કિ.મી. અને 2 કિ.મી. જેવી વિવિધ કેટેગરી રહેશે. વિજેતાઓને કુલ મળીને રૂ. 2,20,000ના રોકડ ઇનામો આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં AMNS મુખ્ય સ્પોન્સર તરીકે સહયોગ આપી રહ્યું છે, જ્યારે રામકૃષ્ણ ડાયમંડ, PPL અને રાજકોટ નાગરિક સહકારી બેંક સહયોગી દાતાઓ તરીકે જોડાયા છે. આ પ્રસંગે આઈસીસી ચેરમેન જય શાહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. સાથે જ શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ આ મેરેથોનની આયોજન સમિતિના સહ સહયોજક એવા શ્રી ઘનશ્યામ શંકર અમિતભાઈ ગજ્જર (પીપલ્સ બેંક ચેરમેન), શ્યામજી રાઠી, રાજેશજી સુરાણા અને રાકેશજી કંસલને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.

સમિતિના સહ સહયોજક શ્યામજી રાઠી એ જણાવ્યું કે, ‘Run for Girl Child’ માત્ર દોડ નથી, પરંતુ દીકરીઓના સર્વાંગી ઉત્થાન માટેનું એક અભિયાન છે. સ્લમ વિસ્તારોમાં રહેતી શોષિત, વંચિત અને પીડિત દીકરીઓને શારીરિક, માનસિક, આધ્યાત્મિક, બૌદ્ધિક અને સામાજિક આ પાંચ ક્ષેત્રોમાં સશક્ત બનાવવા માટે ટ્રસ્ટ સતત કાર્ય કરી રહેલ છે. ગયા વર્ષે જ્યાં માત્ર 7 કિશોરી વિકાસ કેન્દ્રો હતા, ત્યાં આજે 159 કેન્દ્રો કાર્યરત બન્યા છે. તે ઉપરાંત ટ્રસ્ટનો ‘જ્ઞાન મંદિર’ પ્રકલ્પ પણ 60 કેન્દ્રોથી વધીને 105 કેન્દ્રો સુધી વિસ્તર્યો છે.આ મેરેથોન દ્વારા કિશોરી વિકાસ કેન્દ્ર આવનારા વર્ષ માં 159 માંથી 500 તેમજ જ્ઞાન મંદિર પ્રકલ્પ 105 માંથી 300 સુધી પહોંચાડવાનો લક્ષ બનાવેલ છે.
આ ચેરિટી રનથી મળનારી સમગ્ર રકમ દીકરીઓના શિક્ષણ, વિકાસ અને કલ્યાણ કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ડોક્ટર હેડર્ગવાર સેવા સ્મૃતિ ટ્રસ્ટની સ્થાપના વર્ષ 1988માં થઈ હતી. ટ્રસ્ટ સામાજિક, શૈક્ષણિક, સ્વાવલંબન અને આરોગ્ય આ ચાર મુખ્ય ક્ષેત્રોમાં સેવાકાર્ય કરે છે. ડોક્ટર હેડર્ગવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી રણછોડભાઈ ધોળિયા છે, જ્યારે મંત્રી તરીકે નીતિન પટેલ જવાબદારી સંભાળી રહ્યા છે.

વિદ્યા વિહાર સંકુલ ખાતે ભક્તિ સાથે તુલસી પૂજાની ઉજવણી

 

સુરત: 24 ડિસેમ્બરના રોજ સુરતના ડીંડોલી વિસ્તારના ઓમ નગરમાં આવેલ વિદ્યાવિહાર સંકુલ ખાતે આધ્યાત્મિક રીતે તુલસી પૂજાની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ સાથે બાળકોમાં સંસ્કાર નું સિંચન થાય તે હેતુથી પારંપરિક એક પાત્રીય અભિનય વેશભૂષા નું પણ આયોજન કરેલ હતું.વેશભૂષા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. તદુપરાંત બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તે માટે ગીતાજીના શ્લોકોનું દરરોજ પ્રાર્થનામાં ગાન કરાવવામાં આવે છે.

તુલસીપૂજાની ઉજવણીની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા તુલસી માતાને સમર્પિત ભજનો અને કવિતાઓથી થઈ. જેનું સુંદર રીતે પઠન કરવામાં આવ્યું જેનાથી ભક્તિ અને શુદ્ધતાથી ભરેલું વાતાવરણ સર્જાયું આ કાર્યક્રમનું એક મહત્વપૂર્ણ આકર્ષણ સામૂહિક વૃક્ષ રક્ષા સંકલ્પ હતો.જ્યાં વિદ્યાર્થીઓ એ વૃક્ષોનું રક્ષણ અને પ્રકૃતિનું સંવર્ધન કરવાનો સંકલ્પ લીધો.

માનનીય ટ્રસ્ટીશ્રી દુર્લભભાઈ કાશીયા સરને સમકાલીન સમયમાં તુલસી પૂજાની સુસંગતતા પર ગ્રહણ સમજ આપીને આ પ્રસંગને પ્રકાશિત કર્યો. આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક બાળક અને વાલીઓનો માનનીય આચાર્યશ્રી પટેલ કલ્પેશભાઈ, પટેલ ચિરાગભાઈએ આભાર વ્યક્ત કર્યો.
જય હિન્દ
જય ભારત

ન્યૂ મોડેલ પબ્લિક ઇંગ્લિશ સ્કૂલ ખાતે ભક્તિ અને પર્યાવરણીય ચેતના સાથે તુલસી પૂજાની ઉજવણી

 

સુરત, 24 ડિસેમ્બર: 24 ડિસેમ્બરના રોજ સુરતના ડિંડોલી સ્થિત SMC તળાવ, માનસરોવર સોસાયટી પાસે સ્થિત પ્રતિષ્ઠિત ન્યૂ મોડેલ પબ્લિક ઇંગ્લિશ સ્કૂલ ખાતે આધ્યાત્મિક રીતે ઉન્નત અને બૌદ્ધિક રીતે સમૃદ્ધ તુલસી પૂજાની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમે શાળાના પરિસરને ભક્તિ, ચિંતન અને પર્યાવરણીય જાગૃતિના શાંત કેન્દ્રમાં પરિવર્તિત કર્યું.
આ ઉજવણીની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા તુલસી માતાને સમર્પિત ભાવનાત્મક ભજનો અને કવિતાઓથી થઈ, જેનું સુંદર રીતે પઠન કરવામાં આવ્યું, જેનાથી ભક્તિ અને શુદ્ધતાથી ભરેલું વાતાવરણ સર્જાયું. પુરાણો અને ઉપનિષદોના શ્લોકોનું મધુર સ્વરમાં ગાન કરવામાં આવ્યું, જે યુવા મનને ભારતીય આધ્યાત્મિક વારસાના શાશ્વત જ્ઞાન સાથે જોડે છે.
આ કાર્યક્રમનું એક મહત્વપૂર્ણ આકર્ષણ સામૂહિક “વૃક્ષ રક્ષા સંકલ્પ” હતું, જ્યાં વિદ્યાર્થીઓએ વૃક્ષોનું રક્ષણ અને પ્રકૃતિનું સંવર્ધન કરવાનો સંકલ્પ લીધો, જે સંદેશને મજબૂત બનાવે છે કે તુલસી પ્રત્યેનો આદર, સારમાં, જીવન માટેનો આદર છે. આ સમગ્ર ઘટના ખરેખર એક દૈવી ક્ષણ તરીકે ઉભરી આવી, જેમાં ઉપસ્થિત દરેક વ્યક્તિ પર કાયમી આધ્યાત્મિક છાપ છોડી ગઈ.

માનનીય આચાર્ય શ્રી રાણા જનાર્દને સમકાલીન સમયમાં તુલસી પૂજાની સુસંગતતા પર ગહન સમજ આપીને આ પ્રસંગને પ્રકાશિત કર્યો. તેમના વિચારશીલ ભાષણે પરંપરાને આધુનિક પર્યાવરણીય જવાબદારી સાથે જોડી દીધી, વિદ્યાર્થીઓને પ્રકૃતિના સભાન રક્ષક બનવા પ્રેરણા આપી.

તુલસી પૂજાનું બહુપરીમાણીય મહત્વ છે. વૈજ્ઞાનિક રીતે, તુલસી તેના નોંધપાત્ર ઔષધીય ગુણધર્મો, હવાને શુદ્ધ કરવા અને માનવ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે જાણીતી છે. ઐતિહાસિક અને પૌરાણિક રીતે, તુલસીને ભક્તિ અને શુદ્ધતાના પવિત્ર અભિવ્યક્તિ તરીકે આદરણીય છે, જે ભારતીય શાસ્ત્રો અને લોકવાયકાઓમાં ઊંડાણપૂર્વક મૂળ ધરાવે છે. મનોવૈજ્ઞાનિક રીતે, તુલસી પૂજા જેવા ધાર્મિક વિધિઓ આંતરિક શાંતિ, સભાનતા અને ભાવનાત્મક સંતુલનને પ્રોત્સાહન આપે છે. પર્યાવરણીય દ્રષ્ટિકોણથી, તુલસી પ્રકૃતિ સાથે સુમેળનું પ્રતીક છે, માનવતાને યાદ અપાવે છે કે પર્યાવરણીય સંરક્ષણ એક પવિત્ર ફરજ છે, માત્ર પસંદગી નથી.

ન્યુ મોડેલ પબ્લિક ઇંગ્લિશ સ્કૂલમાં ઉજવણી માત્ર એક ધાર્મિક વિધિ નહોતી, પરંતુ પરંપરા, વિજ્ઞાન અને ટકાઉપણું વચ્ચેનો અર્થપૂર્ણ સંવાદ હતો. તેણે શક્તિશાળી રીતે સંદેશ આપ્યો કે જ્યારે સંસ્કૃતિ ચેતનાને પોષે છે, ત્યારે શિક્ષણ પરિવર્તનશીલ બને છે.

ઇન્ડોર સ્ટેડિયમમાં સંસ્કાર, શિક્ષણ અને સંસ્કૃતિનો સંગમ, વી. એન. ગોધાણી ઇંગ્લિશ સ્કૂલનો ભવ્ય વાર્ષિક ઉત્સવ ઉત્સાહભેર સંપન્ન

 

સુરત. શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી વી. એન. ગોધાણી ઇંગ્લિશ સ્કૂલ દ્વારા તા. 24 ડિસેમ્બર 2025ના રોજ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વર્ષ 2024-25નો ભવ્ય વાર્ષિક ઉત્સવ ગૌરવભેર અને ઉત્સાહભેર યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઇ માવાણી, સાંસદ શ્રી મુકેશભાઇ દલાલ તથા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. કિશોરસિંહ ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ પદ્મશ્રી મથુરભાઇ સવાણી, પદ્મશ્રી સવજીભાઇ ધોળકિયા સહિતના અગ્રણી મહેમાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું હતું.
આ પ્રસંગે ગત બોર્ડની પરીક્ષામાં A અને A* ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ગોધાણી પ્રતિભા શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરી ત્રણ વર્ષ માટે ફી માફી મેળવનાર ધોરણ-6ના વિદ્યાર્થીઓ તેમજ તમામ ધોરણમાં ગત વાર્ષિક પરીક્ષામાં A+ ગ્રેડ મેળવી એક વર્ષ માટે ફી માફી મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.


વાર્ષિક ઉત્સવનું મુખ્ય આકર્ષણ શાળાના અંદાજે 1600 વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલાં સાંસ્કૃતિક કાર્યક્રમો રહ્યા હતા. દિવાળી, હોળી, ઉત્તરાયણ, નવરાત્રિ, જન્માષ્ટમી અને દુર્ગાપૂજા જેવા ભારતીય તહેવારો, ખેતી, હીરા અને કાપડ જેવા વ્યવસાયો તથા દેશભક્તિની થીમ પર તૈયાર કરાયેલી કૃતિઓએ ઉપસ્થિત મહેમાનો અને દર્શકોને ભાવવિભોર કરી દીધા હતા.
આ કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓને શાળા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગોવિંદકાકા તેમજ શ્રીમતી માધવીબેન અને મયુરીબેનના પ્રેરક માર્ગદર્શન હેઠળ ડાયરેક્ટર શ્રી ભાવેશભાઇ લાઠીયા અને શાળાના આચાર્યા દિવ્યાબેન ગજ્જરના સૂચન મુજબ શિક્ષકો દ્વારા કઠોર મહેનતથી તૈયાર કરવામાં આવ્યા હતા.
“વિદ્યાવિહારસદને, દીપ્ત ભવિષ્યદીપકમ્ ।
શિક્ષણં સંસ્કૃતિં યત્ર, તત્ વિદ્યાલયં નમામ્યહમ્ ॥”
આ સૂત્રને સાર્થક કરતો આ વાર્ષિક ઉત્સવ ઉપસ્થિત સૌ માટે યાદગાર બની રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વી.એન. ગોધાણી એ સંસ્કાર સાથે ધર્મનું શિક્ષણ આપતી શૈક્ષણિક સંસ્થા છે. જ્યાં દરરોજ વિધાર્થીઓ દ્વારા યજ્ઞ કરવામાં આવે છે. સાથે જ ગીતના અધ્યાયોનુ પઠન અને હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવે છે.

રાજહંસ પ્રેશિયા મલ્ટિપ્લેક્સ સુરતના પ્રીમિયમ મનોરંજન સ્થળ તરીકે ઉભરી આવ્યું : એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું

 

સુરતના મોજીલા લોકોને ‘પ્રેશિયા’, સિનેમાનો એક ઈનોવેટીવ રોમાંચક અનુભવ આપી રહ્યું છે, આ થિયેટર પહેલા ક્યારેય ન હોય તેવી આકર્ષક વિઝુઅલ ક્લેરિટી અને કોન્ટ્રાસ્ટ પ્રદાન કરે છે, જે પ્રેક્ષકોને ખુબજ મોહિત કરે છે 

સુરત (ગુજરાત) [ભારત], 22 ડિસેમ્બર: ભારતના સૌથી મોટા મલ્ટિપ્લેક્સ તથા 14 સ્ક્રીન અને 3000+ બેઠકો ધરાવતા, ‘પ્રેશિયા’ એ તેના લોન્ચીંગ બાદ સંચાલનનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ સિદ્ધિ, દર્શકોને પ્રીમિયમ સિનેમા અનુભવો પ્રદાન કરવાની તેની સફરમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે.

વિતેલા એક વર્ષમાં, આ મલ્ટિપ્લેક્સ સુરતમાં એક મુખ્ય મનોરંજન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. તેણે મોટી સંખ્યામાં મુલાકાતીઓને આકર્ષિત કર્યા છે અને તેમને ટેકનોલોજી, આરામ અને આતિથ્યના જોરદાર સંગમ સાથે સિનેમા જોવાનો રોમાંચક અનુભવને આપ્યો છે.

પ્રેશિયાના પ્રથમ વર્ષની ખાસ હાઇલાઇટ, સુરતમાં IMAX ફોર્મેટની રજૂઆત હતી. IMAX સ્ક્રીન વધુ સારી વિઝ્યુઅલ ક્લેરિટી અને કોન્ટ્રાસ્ટ પ્રદાન કરે છે. આની સાથે જ, તેમાં ઇમર્સિવ, મલ્ટિડાયરેક્શનલ સાઉન્ડ પણ છે જે પ્રેક્ષકોનું મનોરંજન વધારે છે.

રાજહંસ પ્રેશિયા

પ્રેશિયાએ મૂવી જોવાના એક કસ્ટમાઇઝ્ડ અનુભવ તરીકે પણ પ્રેક્ષકોને મોહિત કર્યા છે. લાંબા સમય સુધી જોવા માટે રજાઇવાળા સ્યુટ બેડથી લઈને પ્રાઇવેસી અને આરામ આપતા કપલ રિક્લાઈનર્સ સુધી, દરેક ઓડિટોરિયમને આરામ અને આનંદને પ્રાથમિકતા આપવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આવી રોમાંચ સાથેની વ્યવસ્થાએ ‘પ્રેશિયાની પ્રીમિયમ સિનેમેટિક લાઉન્જ તરીકે અલગ ઓળખ ઉભી કરે છે.

‘પ્રેશિયા’ની આ ઉપલબ્ધિ અંગે રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈએ જણાવ્યું હતું કે, “રાજહંસનું વિઝન હંમેશા વિશ્વના સૌથી શ્રેષ્ઠ મનોરંજન અનુભવોને ઘર આંગણે ઉપલબ્ધ કરાવવાનું રહ્યું છે. ‘પ્રેશિયા’ સાથે, અમે સુરતમાં ફિલ્મો જોવાની રીત બદલી નાખી છે અને પ્રેક્ષકોને એક્સ્ટ્રાઓર્ડિનરી અનુભવ આપ્યો છે. અમારી માટે એ જોવું ખરેખર રોમાંચક છે કે, પ્રેશિયા એક વર્ષની અંદર શહેરના લેન્ડમાર્ક તરીકે ઉભર્યુ છે અને મનોરંજન, લેઝર અને આનંદ માટે એક પસંદગીનું સ્થળ બન્યું છે. અમે પ્રેક્ષકોને વર્લ્ડ-ક્લાસ મનોરંજન અનુભવો આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”

તેની મનમોહક ડિઝાઇન, સુલભતા અને પ્રીમિયમ આહલાદક અનુભવે, પ્રેશિયા મલ્ટિપ્લેક્સને પરિવારો, યુગલો અને સિનેમાના શોખીન લોકોમાં લોકપ્રિય બેસ્ટ ચોઈસ બનાવી છે.

રાજહંસ સિનેમાઝ દેશભરમાં તેની હાજરીનો વિસ્તાર કરી છે. હાલમાં સમગ્ર ભારતમાં તેની 160 થી વધુ સ્ક્રીનો કાર્યરત છે અને ચંદીગઢ, મુંબઈ, ચેન્નાઈ, બેંગલુરુ, પુણે, કોલકાતા અને હૈદરાબાદ સહિતના શહેરોમાં 65+ સ્ક્રીનોનું ડેવલપમેન્ટ કાર્ય જારી છે.

સુરતમાં BNI ગ્રેટર સુરત દ્વારા રમતોના મેદાન પર એચઆઈવી જાગૃતિનો અનોખો સંદેશ

 

સુરત. બિઝનેસ નેટવર્કિંગની જાણીતી સંસ્થા બીએનઆઈ (BNI) ગ્રેટર સુરતે રમતોના ઉત્સાહ સાથે સામાજિક જવાબદારીનો અદ્ભુત સંગમ સાધ્યો છે. સુરતમાં આયોજિત વિશાળ સ્પોર્ટ્સ ઇવેન્ટ દ્વારા સભ્યો વચ્ચે નેટવર્કિંગ અને ટીમવર્કને પ્રોત્સાહન આપવાની સાથે એચઆઈવી જાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવી રહ્યો છે.

આ મેગા ઇવેન્ટ 14 ડિસેમ્બરથી શરૂ થઈ 28 ડિસેમ્બર સુધી ચાલશે. કુલ છ અલગ-અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બેડમિન્ટન, ચેસ, ટેબલ ટેનિસ, કેરમ, ક્રિકેટ, પિકલ બોલ અને વોલીબોલનો સમાવેશ થાય છે. 14 ડિસેમ્બરે બેડમિન્ટન, ચેસ, ટેબલ ટેનિસ અને કેરમ સ્પર્ધાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. હાલ 19 ડિસેમ્બરથી શરૂ થયેલી ત્રણ દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટ ધમાકેદાર રીતે ચાલી રહી છે, જેમાં BNI ગ્રેટર સુરતની 13 ટીમો અને અંદાજે 200 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આગામી શનિ-રવિવારે પિકલ બોલ અને વોલીબોલ સ્પર્ધાઓ યોજાશે, જેમાં વોલીબોલમાં 8 ટીમો અને પિકલ બોલમાં 50થી 60 ખેલાડીઓ જોડાશે.

આ તમામ રમતોમાં મળીને અંદાજે 450થી 500 જેટલા ઉદ્યોગસાહસિકો અને વ્યાવસાયિકો ભાગ લઈ રહ્યા છે. આ ઇવેન્ટનો મુખ્ય હેતુ સભ્યો વચ્ચે એકતા, ટીમવર્ક અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ વિકસાવવાનો તો છે જ, સાથે નવી બિઝનેસ તકો ઊભી કરવાનો પણ છે.

આ કાર્યક્રમની સૌથી વિશેષ વાત એ છે કે તેમાં એચઆઈવી પોઝિટિવ એડ્સ સંસ્થાઓ સાથે સહયોગ કરીને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ક્રિકેટ ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં એચઆઈવી પોઝિટિવ બાળકો અને યુવતીઓએ 5થી 7 મિનિટનું આકર્ષક નૃત્ય પ્રદર્શન રજૂ કર્યું હતું. તેમજ ઇવેન્ટમાં ખાસ કોર્નર બનાવીને એચઆઈવી કેવી રીતે ફેલાય છે અને તેના વિશેની માહિતી આપવામાં આવી રહી છે.

BNI ગ્રેટર સુરતનો સ્પષ્ટ સંદેશ છે કે એચઆઈવી પોઝિટિવ વ્યક્તિઓને સમાજમાંથી અલગ ન પાડવા, પરંતુ તેમને પરિવાર અને સમાજનો સહારો આપીને જીવનમાં આગળ વધવાની તક આપવી. આ ઇવેન્ટમાંથી મળનારી આવકનો એક ભાગ એચઆઈવી પોઝિટિવ બાળકો અને મહિલાઓની સહાય માટે દાન કરવામાં આવશે.

આ આયોજન ગૌરવ વીકે સિંઘવી અને ડૉ. નિધિ સિંઘવી માર્ગદર્શન તથા નિશાંત શાહની રીજનલ ઇવેન્ટ ડિરેક્ટર તરીકેની મહેનતથી સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. આવા કાર્યક્રમો દ્વારા BNI ગ્રેટર સુરત બિઝનેસની સાથે સામાજિક જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડી રહી છે.

સાર્વજનિક યુનિવર્સિટીમાં AI આધારિત મેનેજમેન્ટ શિક્ષણ પર પ્રથમ એકેડેમિક–ઇન્ડસ્ટ્રી મીટ

 

સાર્વજનિક યુનિવર્સિટી, સુરત દ્વારા દક્ષિણ ગુજરાતના વાણિજ્ય અને મેનેજમેન્ટ શિક્ષકો તથા ઉદ્યોગ પ્રતિનિધિઓના પ્રસ્તાવિત ફોરમ અંતર્ગત પ્રથમવાર એકેડેમિક–ઇન્ડસ્ટ્રી મીટનું આયોજન કરીને એક આગવી પહેલ કરવામાં આવી હતી. આ પહેલનો હેતુ દક્ષિણ ગુજરાતના વાણિજ્ય અને મેનેજમેન્ટ ક્ષેત્રના શિક્ષકો તથા ઉદ્યોગ ક્ષેત્રના વ્યાવસાયિકોને એક જ મંચ પર એકત્ર કરી, ઉદ્યોગના પ્રવાહો, ટેકનોલોજીકલ વિકાસ અને શૈક્ષણિક અભ્યાસક્રમોને વર્તમાન ઉદ્યોગની આવશ્યકતાઓ સાથે સુસંગત બનાવવા જરૂરી સુધારાઓ અંગે ચર્ચા કરવાનો હતો. 20 ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પ્રથમ બેઠક નું આયોજન કરવામાં આવ્યું. જેનો મુખ્ય વિષય “Decoding AI in Management Education: Are We Ready for the Challenges?” હતો.

કાર્યક્રમની શરૂઆત સાર્વજનિક યુનિવર્સિટીના માનનીય પ્રોવોસ્ટ, પ્રોફે. કિરણ પંડ્યા દ્વારા સ્વાગત પ્રવચન સાથે થઈ હતી અને કાર્યક્રમનું ઉદ્ઘાટન સંબોધન ઓરો યુનિવર્સિટીના માનનીય પ્રોવોસ્ટ, પ્રોફે. પરિમલ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તાઓ તરીકે લીડરશીપ કોચ અને ઇન્ક્યુબેટર, શ્રી હિમાન્શુ ભટ્ટ તથા સ્ટકબય.com ના સ્થાપક, શ્રી રચિત ખતોર, ઉપસ્થિત રહી હાજર સભાઓ ને સંબોધન કર્યું અને તેમણે મેનેજમેન્ટ શિક્ષણમાં નેતૃત્વ, નવીનતા અને AI આધારિત પરિવર્તન અંગે મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા.

દક્ષિણ ગુજરાતની 100થી વધુ કોલેજો અને યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યોએ આ બેઠકમાં સક્રિય ભાગ લીધો હતો. આ બેઠક શૈક્ષણિક–ઉદ્યોગ સહયોગને મજબૂત બનાવવાની તથા ભવિષ્યમાં વાણિજ્ય અને મેનેજમેન્ટ શિક્ષણને વધુ આધુનિક તથા અસરકારક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

હૈદરાબાદ જિલ્લામાં જાહેર સેવા કાર્યક્ષમતા વધારવા માટે દેશની પ્રથમ ક્યૂઆર કોડ ફીડબેક પ્રણાલીનો આરંભ

 

હૈદરાબાદ (તેલંગાણા) [ભારત], ૧૫ ડિસેમ્બર: સેવા વિતરણ અને ઝડપી પ્રતિભાવમાં સુધારાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરીને, હૈદરાબાદ જિલ્લા કલેક્ટર હરિ ચંદના આઈએએસ દ્વારા હૈદરાબાદ કલેક્ટરેટમાં ક્યૂઆર કોડ આધારિત જન ફીડબેક પ્રણાલીનો આરંભ કરવામાં આવ્યો છે. આ પહેલ દેશની પોતાની જાતની પ્રથમ છે, જે નાગરિકોને પ્રાપ્ત થયેલી સેવાઓ અંગે પોતાનો અનુભવ વહેંચવા અને પ્રતિસાદ આપવા માટે સીધું તથા સરળ માધ્યમ પ્રદાન કરે છે।

પ્રણાલીનો હેતુ અને કાર્યપદ્ધતિ

નવી શરૂ કરાયેલી આ પ્રણાલી નાગરિકો અને સેવા પ્રદાતાઓ વચ્ચે સંચારને સરળ અને અસરકારક બનાવવા માટે રચાયેલ છે. ક્યૂઆર કોડ સ્કેન કરીને મુલાકાતીઓ તરત જ પોતાનો ફીડબેક નોંધાવી શકે છે, જેના દ્વારા અધિકારીઓને સેવાઓની ગુણવત્તા અને પોતાના કાર્યક્ષમતા વિશે રિયલ-ટાઈમ માહિતી મળે છે. આ વ્યવસ્થા ફીડબેક એકત્ર કરવાની પરંપરાગત સમસ્યાઓ—જેમ કે વિલંબ, અકાર્યક્ષમતા અને પારદર્શિતાની અછત—ને દૂર કરવામાં મદદરૂપ થશે।

સરળતા અને સર્વસુલભતા

આ પ્રણાલીની એક મુખ્ય વિશેષતા એ છે કે તે ફીડબેક આપવાની પ્રક્રિયાને સરળ અને સર્વસુલભ બનાવે છે. હવે મુલાકાતીઓને ઔપચારિક પ્રક્રિયાની રાહ જોવાની કે જટિલ ફોર્મ ભરવાની જરૂર નથી. ક્યૂઆર કોડ દ્વારા તેઓ પોતાની ફરિયાદ, સૂચન અથવા પ્રશંસા તરત જ વ્યક્ત કરી શકે છે. આ પ્રણાલી સ્માર્ટફોન સાથે સુસંગત છે અને તેમાં કોઈ ખાસ તકનિકી જ્ઞાનની જરૂર નથી, જેથી તમામ વય જૂથો અને પૃષ્ઠભૂમિના લોકો તેનો ઉપયોગ કરી શકે છે।

અપેક્ષિત પ્રભાવ અને લાભ

આ પહેલનો પ્રભાવ વ્યાપક થવાની અપેક્ષા છે. નાગરિકોથી સીધો ફીડબેક મળવાથી કર્મચારીઓ સમસ્યાઓનું ઝડપી નિરાકરણ કરી શકશે, વિલંબ ઘટશે અને સેવાની કુલ ગુણવત્તામાં સુધારો થશે. ફીડબેક પ્રક્રિયાને પારદર્શક અને ઝડપી બનાવીને, આ પ્રણાલી પ્રશાસનિક કચેરીના તમામ સભ્યોમાં વધુ જવાબદારી, કાર્યક્ષમતા અને સંવેદનશીલતાને પ્રોત્સાહન આપે છે।

ટેકનોલોજીનો ઉપયોગ અને ડિજિટલ અભિગમ

કાર્યક્ષમતાની સાથે-साथ, ક્યૂઆર કોડ ફીડબેક પ્રણાલી જાહેર સેવાઓમાં ટેકનોલોજીના ઉપયોગનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે. ડિજિટલ ઉકેલો અપનાવીને આ પહેલ દર્શાવે છે કે સરળ તકનિકી સાધનો પણ સંચારની ખાઈઓને પૂરી કરી શકે છે, કાર્યપ્રવાહમાં સુધારો કરી શકે છે અને જવાબદારીની સંસ્કૃતિ વિકસાવી શકે છે. રિયલ-ટાઈમ ફીડબેકથી વારંવાર આવતી સમસ્યાઓની ઓળખ, સેવા ગુણવત્તાની દેખરેખ અને લક્ષ્યિત સુધારા શક્ય બને છે, જેના સીધા લાભ નાગરિકોને મળે છે।

અન્ય સંસ્થાઓ માટે મોડેલ

આ પહેલ અન્ય કચેરીઓ અને સંસ્થાઓ માટે પણ એક આદર્શ મોડેલ રજૂ કરે છે, જે જવાબદારી અને જનસહભાગિતા વધારવા ઈચ્છે છે. સરળ, પારદર્શક અને અસરકારક ફીડબેક તંત્ર દ્વારા હૈદરાબાદ જિલ્લો દર્શાવે છે કે નવીનતા કેવી રીતે પ્રશાસન અને જનતા વચ્ચેના દૈનિક સંવાદને વધુ સારો બનાવી શકે છે. નાગરિકોને પોતાના અનુભવ વહેંચવાની અને સુધારાઓને પ્રભાવિત કરવાની તક મળે છે, જેના કારણે વધુ સંવાદાત્મક અને પ્રતિભાવશીલ વાતાવરણ સર્જાય છે।

ફીડબેકનું સંચાલન અને વિશ્લેષણ

ક્યૂઆર કોડ ફીડબેક પ્રણાલી સામાન્ય ટિપ્પણીઓ અને સૂચનોથી લઈને સેવા ગુણવત્તા સંબંધિત વિશિષ્ટ ફરિયાદો સુધી, વિવિધ પ્રકારના ઇનપુટને સંભાળવામાં સક્ષમ છે. દરેક પ્રતિસાદને ટ્રેક કરવામાં આવે છે, જેથી કાર્યવાહીનું નિરીક્ષણ અને પરિણામોનું મૂલ્યાંકન કરી શકાય. સમય સાથે આ પ્રણાલી પ્રવૃત્તિઓ, નમૂનાઓ અને સુધારાના ક્ષેત્રો અંગે મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરશે, જેના આધારે સેવા સુધારણા માટે ડેટા આધારિત અભિગમ અપનાવી શકાય।

જનતા અને કર્મચારીઓ પર અસર

જનતા માટે આ પહેલ કચેરીની સંવેદનશીલતા અને અસરકારકતા પર વિશ્વાસ વધારે છે. તે ખાતરી કરે છે કે કોઈ પણ ફરિયાદ અવગણાય નહીં કે વિલંબિત ન થાય અને દરેક ફીડબેકને સ્વીકારી તેના પર કાર્યવાહી કરવામાં આવે. કર્મચારીઓ માટે આ ભાગીદારી અને જવાબદારીનું નવું સ્તર સ્થાપિત કરે છે, જે સક્રિય સમસ્યા નિરાકરણ અને સતત સુધારાને પ્રોત્સાહન આપે છે।

ઉપયોગકર્તા-કેન્દ્રિત સેવા મોડેલ

આ ફીડબેક પ્રણાલીની શરૂઆત ઉપયોગકર્તા-કેન્દ્રિત સેવા મોડેલ પર વધતા ભારને દર્શાવે છે અને બતાવે છે કે જાહેર જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ટેકનોલોજીનો વ્યવહારુ ઉપયોગ કેવી રીતે કરી શકાય. ઉપયોગકર્તાઓ અને સેવા પ્રદાતાઓ વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરીને આ પહેલ પારદર્શિતા, ઝડપી પ્રતિભાવ અને કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપે છે, જેના લાભ તમામને મળે છે।

ઉપયોગ કરવાની રીત

હૈદરાબાદ કલેક્ટરેટમાં આવનારા મુલાકાતીઓ કચેરી પરિસરમાં મુખ્ય સ્થળોએ લગાવવામાં આવેલા ક્યૂઆર કોડને સ્કેન કરીને આ પહેલમાં ભાગ લઈ શકે છે. આ પ્રણાલી ઉપયોગમાં સરળ અને સર્વસુલભ છે, જેના માટે માત્ર એક સ્માર્ટફોનની જરૂર પડે છે. પ્રક્રિયા સુરક્ષિત છે, ઇચ્છા હોય તો ગોપનીય રીતે પણ ફીડબેક આપી શકાય છે, અને ખાતરી કરવામાં આવે છે કે તમામ સૂચનો અને પ્રતિસાદોને સેવા ગુણવત્તા સુધારવા માટે ગંભીરતાથી લેવામાં આવે છે।

નિષ્કર્ષ

સારાંશરૂપે, ક્યૂઆર કોડ આધારિત ફીડબેક પ્રણાલીનો આરંભ જાહેર સેવા કાર્યક્ષમતા અને સંવેદનશીલતાને આગળ વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સંચારને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવે છે, જેથી ફીડબેકને સક્રિય રીતે એકત્રિત કરી, તેની દેખરેખ રાખી અને તેના પર કાર્યવાહી કરી શકાય. નાગરિકોને પોતાના અનુભવ અને વિચારો વહેંચવાનો અધિકાર આપી, આ પહેલ સતત સુધારણા અને જવાબદારીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે અને સેવા સંચાલન માટે એક નવો ધોરણ સ્થાપિત કરે છે।

દીપ દર્શન વિદ્યા સંકુલ – ડિંડોલી દ્વારા પ્રાઈમરી સેક્શનના વિધાર્થીઓ માટે કરાયું જોય રાઇડ એન્ડ સિટી ટૂરનું આયોજન

 

દીપ દર્શન વિદ્યા સંકુલ, ડિંડોલી શાળા માં GSEB Primary Section, English Medium માં ધોરણ ૧ થી ૪ ના વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ‘જોય રાઇડ એન્ડ સિટી ટુર’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો, જે બાળકોને શહેરના વિવિધ મહત્વપૂર્ણ પાસાઓને સમજવામાં મદદરૂપ થયા.

આ કાર્યક્રમને સમ્માનિત કરવા અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા માટે વિશેષ અતિથિ શ્રીમતી નિરાલા રાજપૂત (દિંડોલી સેક્ટરની કોર્પોરેટર), શાળા શિક્ષણ સલાહકાર પૂજ્ય શ્રી સવજીભાઈ પટેલ, માનનીય નિદેશકગણ શ્રી દશરથ પટેલ અને શ્રી તુષાર પટેલ, પ્રાધ્યાપિકા શ્રીમતી કૃતિ દેસાઈ, ઉપપ્રાધ્યાપક રુષિકેશ કોલ્હાપુરે, વિવિધ વિભાગોના પ્રાધ્યાપકગણ અને માતા-પિતા, સમર્પિત શિક્ષકોએ DDVSના નાના વિદ્વાનો સાથે ભાગ લઈને તેને અત્યંત યાદગાર અને ભવ્ય બનાવ્યો.

સિટી ટુરમાં સુપરમાર્કેટ, હોસ્પિટલ, હાઈકોર્ટ, ભારતીય પરંપરાગત સંસ્કૃતિ અને સમુદાય સહાયકો જેવા વિષયો પર આકર્ષક પ્રસ્તુતિઓ આપવામાં આવી. બાળકોએ આ ભૂમિકાઓ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે ભજવી.

અતિથિગણ, માતા-પિતા અને સમગ્ર શાળા નેતૃત્વ આ अवસરે उपस्थित રહ્યા. તેમની उपस्थितિએ કાર્યક્રમને વધુ આકર્ષક અને યાદગાર બનાવ્યો.

બાળકોની પ્રસ્તુતિઓએ દરેકને મંત્રમુગ્ધ કરી દીધા અને કાર્યક્રમની સફળતામાં મહત્વનો ફાળો આપ્યો.

બાળકો દ્વારા પ્રસ્તુત નૃત્ય કાર્યક્રમે આ આયોજને વધુ ઉત્સાહપૂર્ણ બનાવ્યો. વિવિધ શૈક્ષણિક અને મનોરંજનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોએ શીખ્યા અને મજા કરી.

આ કાર્યક્રમ બાળકો માટે જ્ઞાનપ્રદ, મનોરંજક અને યાદગાર રહ્યો.

સુરતના વિવાન શાહે રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યું

 

સુરત. સુરતનો ઉભરતો સિતારો બેડમિન્ટન ખેલાડી અને મનીત પાહુજા એકેડમી સાથે સંકળાયેલા વિવાન શાહે બિહારમાં યોજાયેલી પ્રતિષ્ઠિત યોનેક્સ સનરાઇઝ ૩૭મી સબ જુનિયર રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં અન્ડર-૧૩ બોયઝ સિંગલ્સ વર્ગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ત્રીજું સ્થાન મેળવી કાંસ્ય પદક જીત્યું છે. તેમની આ સિદ્ધિથી સુરત તેમજ ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે.

સુરત સ્થિત મનીત પાહુજા બેડમિન્ટન અકાદમીમાં મળતા ઉચ્ચ સ્તરીય તાલીમનું પ્રતિનિધિત્વ કરતા વિવાને આ સફળતા હાંસલ કરી છે. તેમની આ સિદ્ધિ તેમની કઠોર મહેનત, અવિરત લગન અને કોચીસના માર્ગદર્શનનું પરિણામ છે. આ ટૂર્નામેન્ટમાં વિવાનને રેન્કિંગના આધારે પાંચમું સ્થાન મળ્યું હતું.

આ અગાઉ પણ વિવાને અનેક રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. તેમણે મુંબઈમાં યોજાયેલી એક ઓલ ઇન્ડિયા રેન્કિંગ ટૂર્નામેન્ટમાં અન્ડર-૧૩ બોયઝ સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. ઉપરાંત બેંગલુરુમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા રેન્કિંગ બોયઝ ડબલ્સ સ્પર્ધામાં વિજેતા રહ્યા હતા, જ્યારે ગોવામાં યોજાયેલી ઓલ ઇન્ડિયા રેન્કિંગ બોયઝ ડબલ્સ ટૂર્નામેન્ટમાં ઉપવિજેતા રહ્યા હતા.

વિવાને આ સફળતા માટે પોતાના સ્કૂલ સ્કોલર ઇંગ્લિશ અકાદમી, ડુમસનો સહયોગ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે.