Posts by: abhay_news_editor

સુરત કરે છે ઇનોવેશન: ભારતનું પહેલું AI-Powered રોબોટિક ક્લીનિંગ શોરૂમ ખુલ્યું
સુરત, એપ્રિલ 14: ભારતમાં હોમ ટેકનોલોજી માટે એક મોટા પગલા તરીકે, સુરત દેશનું પહેલું શહેર બન્યું છે જ્યાં AI-powered ક્લીનિંગ રોબોટ્સનું ડેડિકેટેડ શોરૂમ ખુલ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે આપણી રોજિંદી જિંદગીના ઘણા પાસાઓને બદલી નાખ્યા છે—સ્માર્ટફોનથી લઈને હેલ્થકેર સુધી—પણ ઘરની સફાઈ હજુ સુધી મોટે ભાગે પરંપરાગત જ રહી છે.
ઉદ્યોગસાહસિક ભૌદીપ સુહાગિયા, નિરવ રાખોલિયા, અને વિપુલ રામાણીના નેતૃત્વમાં, બ્રાન્ડ રોબોલ્ટા ભારતીય ઘરો, ઓફિસો અને કમર્શિયલ જગ્યાઓમાં સફાઈની પ્રથાઓને બદલવાનું લક્ષ્ય રાખે છે.
“આ માત્ર એક શોરૂમ નથી—આ એક આંદોલન છે,” ભૌદીપ સુહાગિયા સમજાવે છે. “અમે માનીએ છીએ કે સફાઈનું ભવિષ્ય સ્માર્ટ, પર્યાવરણ-જાગૃત, અને સ્વતંત્ર હોવું જોઈએ. જો આપણા ગેજેટ્સ અને વાહનો AI દ્વારા પાવર થઈ શકે છે, તો આપણી સફાઈ હજુ પણ મેન્યુઅલ અથવા બીજા પર આધારિત કેમ હોવી જોઈએ?”
ક્લીનિંગ ઇનોવેશનની વધતી જરૂરિયાત
- આધુનિક શહેરી ભારતીય જીવનમાં ઘણા પડકારો છે જે પરંપરાગત સફાઈને વધુને વધુ મુશ્કેલ બનાવે છે:
- કામના દબાણમાં વધારો થવાથી વિશ્વસનીય મદદ શોધવી વધુ પડકારજનક બની ગઈ છે
- ઘણા પરિવારોને બહારના લોકો વિશે વધતી જતી પ્રાઇવસી અને સુરક્ષાની ચિંતાઓ છે
- સમયની મર્યાદાઓ વર્કિંગ પ્રોફેશનલ્સને, ખાસ કરીને બંને પાર્ટનર કામ કરતા હોય એવા ઘરોને અસર કરે છે
- સંપૂર્ણ, સતત સફાઈની માંગ વધી રહી છે
રોબોલ્ટાના ક્લીનિંગ રોબોટ્સ ખાસ કરીને ભારતીય ઘરો માટે ડિઝાઇન કરેલા ઇન્ટેલિજન્ટ, ઓટોમેટેડ સોલ્યુશન્સ સાથે આ પડકારોને હલ કરે છે. આ ડિવાઇસીસ વિવિધ સપાટીઓ પર નેવિગેટ કરી શકે છે, લિવિંગ સ્પેસનો મેપ બનાવી શકે છે, અવરોધોને ટાળી શકે છે, અને એવી જગ્યાઓને સંપૂર્ણપણે સાફ કરી શકે છે જે અન્યથા છૂટી જઈ શકે છે.
ટેકનોલોજી દ્વારા મહિલાઓને સપોર્ટ
રોબોલ્ટાના મિશનનો એક મહત્વપૂર્ણ પાસો ઘણા ભારતીય ઘરોમાં ઘરેલુ જવાબદારીઓના અસમાન વિતરણને સંબોધે છે.
“આ મહિલા સશક્તિકરણ વિશે પણ છે,” નિરવ રાખોલિયા નોંધે છે. “ટેકનોલોજીનો હેતુ જીવનને સરળ બનાવવાનો છે. ઘરકામમાં ખર્ચાતા સમય અને પ્રયાસને ઘટાડીને, અમે મહિલાઓને તેમના કેરિયર, આરોગ્ય, અથવા શોખ પર ધ્યાન કેન્દ્રિત કરવા સક્ષમ બનાવીએ છીએ.”

પર્યાવરણીય જવાબદારી
સુવિધા ઉપરાંત, રોબોલ્ટાએ તેના બિઝનેસ મોડેલમાં ટકાઉપણું એકીકૃત કર્યું છે. તેમના રોબોટ્સ પરંપરાગત સફાઈની પદ્ધતિઓ કરતાં નોંધપાત્ર રીતે ઓછું પાણી વાપરે છે, અને તેમના “ક્લીન હોમ, ગ્રીન પ્લેનેટ” પહેલ દ્વારા, કંપની દરેક વેચાયેલા રોબોટ માટે એક વૃક્ષ વાવે છે.
“ટકાઉપણું માત્ર એક ફીચર નથી, તે અમારી જવાબદારી છે,” વિપુલ રામાણી ભાર મૂકે છે. “અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે સ્માર્ટ ક્લીનિંગ પર્યાવરણની કિંમતે ન આવે.”
રોબોલ્ટા પ્રોડક્ટ લાઈન
G52, હોમલેન્ડ સિટી, J.H. અંબાણી સ્કૂલની સામે, વેસુ, સુરતમાં આવેલા શોરૂમમાં ક્લીનિંગ રોબોટ્સની વ્યાપક રેન્જ છે:
- RQ1 ક્વોરા: નાના ઘરો અને પહેલીવાર યુઝર્સ માટે એન્ટ્રી-લેવલ સોલ્યુશન
- RX3 ઝેનિથ: 5000Pa સક્શન અને ડિસ્પોઝેબલ મોપ્સ સાથે કોમ્પેક્ટ મોડેલ
- RU1 એપેક્સ: ગરમ પાણીથી મોપ ધોવાની ક્ષમતાઓ સાથે પ્રીમિયમ ઓપ્શન
- RA1 ક્વોન્ટમ: ઓટોમેટિક ચાર્જિંગ અને સેલ્ફ-મેઇન્ટેનન્સ સાથે ઓલ-ઇન-વન સિસ્ટમ
- RX5: એર પ્યુરિફિકેશન અને એડવાન્સ્ડ 3D મેપિંગ બંને ફીચર ધરાવે છે
- RC3 & C3 AIR: UV સ્ટેરિલાઇઝેશન સાથે એલર્જન કંટ્રોલ માટે વિશેષ
- Z3 સ્લિમ, Z5 પ્રો: પાલતુ પ્રાણીઓના માલિકો અને પડકારજનક જગ્યાઓ માટે ડિઝાઇન કરેલ
વિઝિટર્સ લાઇવ ડેમોન્સ્ટ્રેશન અનુભવી શકે છે અને તેમના પોતાના ઘર જેવી સેટિંગ્સમાં ટેકનોલોજીની અસરકારકતા જોઈ શકે છે.
સંપૂર્ણ કસ્ટમર સપોર્ટ
એ ઓળખીને કે ટેકનોલોજી અપનાવવા માટે વિશ્વસનીય સપોર્ટની જરૂર છે, રોબોલ્ટાએ સ્થાપિત કર્યું છે:
- ડેડિકેટેડ કસ્ટમર કેર ટીમ
- સુરત ભરમાં પ્રોફેશનલ ઇન્સ્ટોલેશન સર્વિસીસ
- લોકલ વોરંટી સર્વિસ સેન્ટર
- સ્પેર પાર્ટ્સની તત્પરતાથી ઉપલબ્ધતા
“આ માત્ર શરૂઆત છે,” ભૌદીપ કહે છે. “વધુ એડવાન્સ્ડ મોડેલ્સ, સ્માર્ટ હોમ ઇન્ટિગ્રેશન્સ, અને વૉઇસ-બેઝ્ડ કંટ્રોલ્સ ડેવલપમેન્ટમાં છે. અને અમને સુરતથી આ બદલાવની આગેવાની લેવામાં ગર્વ છે – એક એવું શહેર કે જેણે હંમેશા ઇનોવેશનને અપનાવ્યું છે.”
શોરૂમ વિઝિટ કરો:
G52, હોમલેન્ડ સિટી, J.H. અંબાણી સ્કૂલની સામે
વેસુ, સુરત
કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન:
કસ્ટમર કેર: +91 78744 74487
વેબસાઇટ: www.robolta.com
ઇન્સ્ટાગ્રામ: @robolta.official

રેંટિયો તુવેરદાળની 90 વર્ષની સફળ યાત્રાની ભવ્ય ઉજવણી…
ભારત ની આઝાદી પહેલા નવાપુરમાં સ્થપાયેલી રેંટિયો તુવેરદાળ બ્રાન્ડ આજે પણ લોકોની પહેલી પસંદ
નવાપુર ખાતે આવેલી ફેક્ટરીમાં રોજ 80 થી 90 મેટ્રિક ટન દાળનું ઉત્પાદન થાય છે
માત્ર મહારાષ્ટ્ર, ગુજરાત કે ભારત જ નહીં પણ વિદેશમાં પણ રેંટિયો તુવેરદાળ એક્સપોર્ટ થાય છે
તુવેરદાળ નું નામ પડે તો સૌથી પહેલા મોઢે એક જ બ્રાન્ડ નેમ આવે અને તે છે રેંટિયો તુવેરદાળ ! આજે રેંટિયો તુવેરદાળ બ્રાન્ડે તેની સફરના 90 વર્ષ પૂરા કર્યા છે અને આ માઇલ સ્ટોનની ભવ્ય ઉજવણી કરવા આવી રહી છે. આ અનેરા પ્રંસગે અમદાવાદની હોટલ હયાત વસ્ત્રાપુર ખાતે રવિવારે સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

આ અંગે રેંટિયો તુવેરદાળ ના સીઈઓ શ્રીમતી શીતલ વાણી ચોખાવાળાએ જણાવ્યું હતું કે રેંટિયો તુવેરદાળ બ્રાન્ડની શરૂઆત આઝાદી પહેલા અને ગુજરાત મહારાષ્ટ્રના ભાગલા પહેલા 1935માં ઉત્તર મહારાષ્ટ્રનો ભાગ કહેવાતા નવાપુર ખાતે થઈ હતી. દેશી તુવેર દાળ માટે ની વિશ્વાસ પાત્ર બ્રાન્ડ તરીકે રેંટિયો તુવેરદાળ લોકોમાં લોકપ્રિય રહી છે. ચાર પેઢીઓ થી લોકો રેંટિયો તુવેરદાળ નો આસ્વાદ માણી રહ્યા છે જે આ બ્રાન્ડ ની સફળતા દર્શાવે છે. આ વર્ષે રેંટિયો તુવેરદાળ બ્રાન્ડ 90 વર્ષ પૂર્ણ કરી રહી છે. ત્યારે કંપની દ્વારા આ માઇલ સ્ટોનની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત હોટલ હયાત ખાતે રવિવારે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેંટિયો બ્રાન્ડ સાથે જોડાયેલા ડિસ્ટ્રિબ્યુટર્સ, વ્યાપારી અને કેટલાક ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રેંટિયોં તુવેરદાળ ની 90 વર્ષની સફર રજૂ કરવામાં આવી રહી છે.
- રેંટિયો તુવેરદાળ વિશે:-
- 1935 માં મહારાષ્ટ્રના નવાપુર ખાતે સ્થાપના
- પ્રતિદિન 80 થી 90 મેટ્રિક ટન ઉત્પાદન
- 150 થી 200 કરોડ વાર્ષિક ટર્નઓવર
- તુવેરદાળ સાથે જ જુવાર, મગની દાળ, ચણાદાળ અને ઇન્દ્રિયની ચોખાનું ઉત્પાદન
- યુકે, યુએસએ, કેનેડા, સિંગાપોર અને દુબઇ ખાતે એક્સપોર્ટ
- બ્રાન્ડ તરીકે ઇન્ડિયા, યુકે અને યુએસએ ખાતે રજીસ્ટર્ડ

સુરત ડાયમંડ બુર્સ ની ગુજરાત કસ્ટમ્સઝોન ના ચીફ કમિશનર ની મુલાકાત થી ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ માં ઉત્સાહ
સુરત, એપ્રિલ 11, 2025: સુરત ડાયમંડ બુર્સ (એસડીબી) ખાતે તા. ૧૧.૪.૨૫ ના અમદવાદ કસ્ટમ્સ ઝોન ના ચીફ કમિશનર શ્રી પ્રાણેશ પાઠક, IRS અને પ્રિન્સિપાલ કમિશનરશ્રી શિવકુમાર શર્મા, IRS ની સાથે સફળ મુલાકાત થઈ. આ મીટંગ કસ્ટમ ના અધિકારીઓ સાથે SDB ના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, વાઈસ ચેરમેન શ્રી લાલજીભાઈ પટેલ, પ્રેસીડેન્ટ શ્રી અરવિંદભાઈ દોશી( ધાનેરા), શ્રી સેવંતીભાઈ શાહ (વિનસ જેમ્સ), GJEPC ના રીજીયોનલ ચેરમેન શ્રી જયંતિભાઈ, SDB કસ્ટમ કમીટી ના કન્વીનર શ્રી મહેશભાઈ વાઘાણી, શ્રી ભરતભાઈ કથીરીયા અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. આ મુલાકાતમાં સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે કસ્ટમ્સ ના વિભાગના મજબૂત સહકાર બદલ આભાર દર્શાવેલ અને કસ્ટમ ને સુરત ડાયમંડ બુર્સ માથી Import – Export વધુ થાય તેના માટે કસ્ટમ ના પુરા સહયોગ ની ખાત્રી આપી હતી.

આ મહત્વપૂર્ણ મીટીંગ દરમિયાન નિકાસ સુવિધા વધારવા પર ચર્ચાઓ કેન્દ્રિત હતી. મીટીંગ મા કન્સાઇનમેન્ટ નિકાસ, ડ્યુટી ડ્રોબેક, GIA માં ટેસ્ટીંગ માટે ની નિકાસ, ઓટો આઉટ ઓફ ચાર્જ સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા અને વ્યવસાય કરવાની સરળતા વધારવા અને વૈશ્વિક નિકાસમાં ભારતની સ્થિતિ મજબૂત કરવા માટે ભારપૂર્વક હિમાયત કરી.
આ મહત્વપૂર્ણ બેઠક દર્શાવે છે કે કસ્ટમ્સ વિભાગ આગામી મહિનાઓમાં સુરત ડાયમંડ બુર્સ સાથે નજીકથી કામ કરશે. તેઓ આયાત-નિર્યાત સંબંધિત તમામ કાર્યક્રમોને સમર્થન આપશે અને તકનીકી મુશ્કેલીઓનું નિરાકરણ કરશે. આ સહયોગ સુરતના ડાયમંડ ઉદ્યોગને વિશ્વભરમાં એક મોટા કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે.
આગામી મહિનાઓમાં સુરતનો ડાયમંડ ઉદ્યોગ ઝડપથી વિકસિત થશે અને વૈશ્વિક બજારમાં તેનું પ્રભાવ વધશે. આ સહયોગ સરકારી એજન્સીઓ અને ઉદ્યોગ સંસ્થાઓ વચ્ચેના સમન્વયને દર્શાવે છે, જે સુરતના ડાયમંડ ક્ષેત્રમાં ક્રાંતિકારી વિકાસ લાવશે.

અધ્યાત્મ અને ભક્તિનો મહાપર્વ: તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવમાં ખાતે પધારી રહ્યા છે આચાર્ય મહાશ્રમણ
સુરત. તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવ પથક ખાતે તેજસ્વી માર્ગદર્શક, યુગપ્રધાન, પૂજ્ય આચાર્યશ્રી મહાશ્રમણજી પ્રવાસે પધારી રહ્યા છે.યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણ તૃતીય વાર વાવ પધારી રહ્યા છે.
આચાર્યશ્રી મહાશ્રમણજી—એક એવું દિવ્ય વ્યક્તિત્વ, જે માત્ર શાબ્દિક વ્યાખ્યામાં બંધાઈ ન શકે. વિચારો ની ક્રાંતિ, કર્મની પરિભાષા અને કલ્યાણની સરિતા એવા મહાન યોગીપુરુષ!
તેમના અધ્યાત્મયજ્ઞે અંધશ્રદ્ધા, સામાજિક દૂષણો અને રૂઢિચુસ્ત માન્યતાઓ પર સશક્ત ઘાત કર્યા છે. આચાર્યશ્રી માત્ર વિચાર નહિં, નશામુક્તિ અને આધ્યાત્મિક જાગૃતિના જીવનમંત્રથી ૧ કરોડથી વધુ લોકોમાં પરિવર્તન લાવનાર પ્રભાવશાળી પ્રણેતા છે!
આચાર્ય મહાશ્રમણ જીએ 60,000 કિમીથી વધુની પદયાત્રા, ૨૩ રાજ્યો અને હિમાલય પાર્શ્વના પ્રદેશો સુધી ધર્મસંચાર કર્યો છે.
એક સાથે ૪૩ સંયમરત્નો નું દિક્ષાસંસ્કાર, જે સંતપરંપરાનો એક અદભૂત અધ્યાય બન્યો હતો. આજ સુધી તેરાપંથ ધર્મસંઘ માં વાવ પથક માંથી 31 સંયમ રત્નો દીક્ષિત થયા છે. જે વાવ પથક માટે સાત્વિક ગૌરવ ની વાત છે. આપણા આરાધ્યના આગમનથી વાવની ધરા પર એક મહોત્સવ રૂપી આભા છવાઈ રહી છે. આ એક સાધારણ ઘટના નહીં પણ ધર્મ અને ભક્તિનું મહાપર્વ છે, જ્યાં શ્રદ્ધા, અનુશાસન અને અધ્યાત્મનો સંગમ થશે!

જૈન તેરાપંથ ધર્મસંઘ ના એકાદશમ અધિશાસ્તા યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણ જી 12 વર્ષ પછી વાવની ધરાને પાવન કરવા આવી રહ્યા છે અને આ અવસરે વાવ નગરના દરેક બાળક,યુવાન અને વડીલ શ્રાવકો તેમજ જૈન અને જૈનેતર દરેક ના મન માં એમના આરાધ્ય ના આગમન નો અનેરો ઉમઁગ છવાયેલો જોવા મળી રહ્યો છે. તેરાપંથ ધર્મસંઘના આચાર્ય નો પ્રવાસ બહુમૂલ્ય હોય છે જેમના ભાગ્યના દ્વાર ખુલે તેમને જ એમનું સાનિધ્ય પ્રાપ્ત થાય અને આજે આ અવસરે વાવમાં નવા નવા કિર્તીમાન થવા જઈ રહ્યા છે. મહાશ્રમણ મુખ્ય પ્રવેશદ્વાર , વાવ નૂતન તેરાપંથ ભવન નિર્માણ , વાવ તેરાપંથ ભવન નવીનીકરણ તેમજ ભવ્ય પ્રવચન પંડાળથી વાવ અને વાવ નગરના દરેક શ્રાવક એમના આરાધ્યના સ્વાગત માટે સજી ધજી ને તૈયાર થઈ ગયા છે.14 એપ્રિલ 2025ના રોજ ભવ્ય મહાશ્રમણ મુખ્ય પ્રવેશદ્વાર અને ભવ્ય નૂતન તેરાપંથ ભવનનું લોકાર્પણ આચાર્ય શ્રીના વરદ હસ્તે થશે. 14 થી 22 એપ્રિલના 9 દિવસ ના પાવન પ્રસંગે આચાર્ય શ્રીની અમૃતવાણી , ચરણ સ્પર્શ , સાધુ – સાધ્વી જી નું સાનિધ્ય થી વાવના દરેક શ્રાવકો ધન્યતા નો અનુભવ કરશે અને વાવ ના મુમુક્ષુ રત્ન કલ્પભાઈ ની શોભાયાત્રા તેમજ દીકરી વાવ તેરાપંથ ની અને જૈન કાર્યશાળા થકી વાવ નગર શોભાયમાન થશે.
જૈન પ્રબુદ્ધ આચાર્ય મહાશ્રમણ ના આગમન માટે નાનકડા ગામમાં આશરે 5000 વ્યક્તિનો ભવ્ય પંડાળ બની રહ્યો છે. ત્યાં અંદાજિત 10000 થી વધારે લોકો આચાર્ય શ્રીના પાવન સાનિધ્યનો લાભ લેશે. આ પ્રસંગે વાવ નગર વાસી પણ ખૂબ જ સહયોગ આપી રહ્યા છે . આચાર્ય શ્રીના આ 9 દિવસ નો પાવન પ્રવાસ વાવ ના શ્રાવક સમાજ માટે ઉત્સવ બની ગયો છે.

વિશ્વ શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે હજારો જૈનોએ ઈન્ડોર સ્ટેડિયમમાં કર્યો નવકાર મહામંત્ર જાપ
નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે સુરત સહિત વિશ્વના 108 દેશોમાં એક સાથે યોજાયેલા કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો
સુરતમાં જીતો દ્વારા ઈન્ડોર સ્ટેડિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
સુરત: બુધવારે સવારે 8 વાગ્યે શહેરનું ઇન્ડોર સ્ટેડિયમ નવકાર મહામંત્રથી ગુંજી ઉઠ્યું હતું. નવકાર મંત્ર દિવસ નિમિત્તે જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સુરત ચેપ્ટર દ્વારા ઈન્ડોર સ્ટેડિયમમાં નવકાર મહામંત્ર જાપનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરમાં વસતા હજારો જૈન પરિવારોએ ભાગ લીધો હતો.
જીતો સુરત ચેપ્ટરના અધ્યક્ષ મિલન પારેખે જણાવ્યું હતું કે જૈન સમાજ દ્વારા 9 એપ્રિલને નવકાર મંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે પણ આ ખાસ દિવસે ભારત સહિત વિશ્વના 108 દેશોમાં 3000થી વધુ સ્થળોએ એક સાથે નવકાર મહામંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં પણ સવારે આઠ વાગ્યે નવકાર મહામંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. જીતો સુરત ચેપ્ટરના અધ્યક્ષ મિલન પારેખએ જણાવ્યું હતું કે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શહેરમાં રહેતા હજારો જૈન પરિવારોએ ભાગ લીધો હતો. સવારે 8:01 વાગ્યાની સાથે જ ઇન્ડોર સ્ટેડિયમ નવકાર મહામંત્રથી ગુંજી ઉઠ્યું હતું. જીતો સુરતના સેક્રેટરી વિકાસ દોશીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં ઘણી પ્રખ્યાત હસ્તીઓએ પણ ભાગ લીધો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીના વિજ્ઞાન ભવનથી વર્ચ્યુઅલ રીતે કાર્યક્રમમાં જોડાયા હતા અને 3000 થી વધુ સ્થળોએ ઉપસ્થિત જૈનોને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં મુખ્ય સચિવ મિતેષ ગાંધી, કન્વીનર નીરવ શાહ અને જવાહર ધારીવાલ, ગુજરાત ઝોનના સચિવ પ્રકાશ ડુંગાણીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
નવકાર મહામંત્ર માત્ર એક મંત્ર નથી પણ આપણા જીવનનું કેન્દ્ર છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે વર્ચ્યુઅલ રીતે ભાગ લેનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે “નવકાર મહામંત્ર માત્ર એક મંત્ર નથી, પરંતુ તે આપણા જીવનનું કેન્દ્ર છે. તે આપણને આત્મશુદ્ધિ અને સમાજ પ્રત્યેની જવાબદારી તરફ દોરી જાય છે. નવકાર મહામંત્રના મહત્વ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે “નવકાર મહામંત્રના દરેક શબ્દ અને અક્ષરનો વિશેષ અર્થ છે. તે આપણને જીવનના સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે.”

જૈન ધર્મના સિદ્ધાંતોની ચર્ચા કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “જૈન ધર્મ આપણને આત્મવિજય તરફ દોરી જાય છે, બહારની દુનિયાને જીતવા માટે નહીં. આપણે આપણી અંદરના નકારાત્મક વિચારો અને દુષ્ટ વિચારોને હરાવવાના છે.
ભારતના સાંસ્કૃતિક વારસા પર ભાર મૂકતા વડાપ્રધાને કહ્યું હતું કે “ભારતને તેની સાંસ્કૃતિક વારસા પર ગર્વ છે. આપણે આપણા મૂળ સાથે જોડાયેલા રહેવું પડશે અને આપણી સંસ્કૃતિને જાળવી રાખવી પડશે.”
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકને નવા સંકલ્પો આપ્યા હતા. જેમાં 1. પાણી બચાવો, 2. માતાના નામે એક વૃક્ષ વાવો, 3. સ્વચ્છતા પહેલમાં સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહન આપો, 4. સ્થાનિક લોકો માટે અવાજ ઉઠાવો, 5. ભારતમાં દેવ દર્શન: સાંસ્કૃતિક વારસો અને આધ્યાત્મિક શોધને પ્રાધાન્ય આપો, 6. કુદરતી ખેતીને પ્રાધાન્ય આપો, 7. તંદુરસ્ત જીવનશૈલી બનાવો, 8.ફિટનેસ અને યોગ ને જીવનનો ભાગ બનાવો, અને 9. ગરીબ લોકોને મદદ કરો જેવા સંકલ્પ સામેલ હતા

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ માં નવા શૈક્ષણિક વર્ષનો પ્રથમ દિવસ
આજનો દિવસ વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ માટે ખૂબ જ ખાસ રહ્યો। શાળાનું પરિસર બાળકોની હાસ્યભરી ચહેરાઓ, નવી આશાઓ અને ઉત્સાહથી ઉજળાઈ ઉઠ્યું। નાનાંથી લઈ મોટા બાળકો સ્કૂલ ના પ્રથમ દિવસે એક નવી શરૂઆત સાથે શાળામાં પ્રવેશ્યા, અને શિક્ષકો પણ તેમને હર્ષભેર આવકારતા નજરે પડ્યા।
શાળામાં વિદ્યાર્થીઓ માટે મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી તેઓ સ્વચ્છંદ અનુભવ કરે અને પોતાના સહપાઠીઓ સાથે જોડાઈ શકે। શિક્ષકોએ પણ શૈક્ષણિક પ્રવૃત્તિઓને રસપ્રદ બનાવી, બાળકોમાં શીખવા માટે ઉત્સુકતા જગાવી।

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ હંમેશાં આ બાબત સુનિશ્ચિત કરે છે કે દરેક વિદ્યાર્થીને સુરક્ષિત, પ્રેરણાદાયક અને સહયોગી માહોલ મળી રહે, જ્યાં તેઓ પોતાના સર્વાંગી વિકાસ માટે શક્યતાઓ ઊપજાવી શકે।
આ નવો શૈક્ષણિક વર્ષ બધાં વિદ્યાર્થીઓ માટે જ્ઞાન, કળા અને સિદ્ધિઓથી ભરપૂર રહે એવી શુભકામનાઓ!
– વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર તરફ

સાથે મળીને આગળ વધીએ: શાળા-અભ્યાસક સમાજ ભાગીદારીને મજબૂત બનાવતા મિટ એન્ડ ગ્રીટ – પેરેન્ટ્સ કનેક્ટ 2025 | વ્હાઇટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલ
આમંત્રણસભર અને આનંદમય વાતાવરણમાં, વ્હાઇટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલે તાજેતરમાં તેના બહુ અપેક્ષિત ‘મિટ એન્ડ ગ્રીટ – પેરેન્ટ્સ કનેક્ટ 2025’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું — જેનો મુખ્ય ઉદ્દેશ શાળા, શિક્ષકો અને માતા-પિતાઓ વચ્ચે વધુ મજબૂત સંબંધો બાંધવાનો છે. આ કાર્યક્રમ દરમિયાન ઉત્સાહિત માતા-પિતાઓ તેમના બાળકોના શૈક્ષણિક પ્રવાસને ઘડનાર ટીમ સાથે મુલાકાત માટે સ્કૂલે આવ્યા હતા.
કાર્યક્રમમાં પ્રવેશ કરતી જ માતા-પિતાઓનું અભિવાદન કરવામાં આવ્યું અને તેમને પોતાપણાની ભાવે આવકારવામાં આવ્યા, જેનાથી આ સત્ર માટે સહકારભાવ અને સંવાદશીલતાનો સરસ આરંભ થયો. સમગ્ર સ્કૂલ પરિસર સકારાત્મક ઊર્જાથી મહેકી ઉઠ્યો હતો, જ્યાં શિક્ષકો, સ્ટાફ અને સ્કૂલ લીડર એકસાથે મળી શાળાની મૂલ્યો, શૈક્ષણિક પદ્ધતિઓ અને વિદ્યાર્થીઓ ને કેન્દ્રસ્થાને રાખતી અભિગમ વિશે ખૂલીને વાતચીત કરી રહ્યાં હતા.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહી હતી, મુખ્યાધ્યાપિકા શ્રીમતી પૂર્વિકા સોલંકી દ્વારા આપેલી પ્રેરણાદાયી સંવાદ. તેમણે બાળકના સર્વાંગી વિકાસ માટે શિક્ષક અને માતા-પિતા વચ્ચેની સહભાગિતાની ભૂમિકા વિશે ખૂબ જ હૃદયસ્પર્શી રીતે વાત કરી. તેમણે માતા-પિતાને તેમના બાળકના શિક્ષણ અને ભાવનાત્મક સુખાકારીમાં સક્રિય રીતે જોડાવાનું પ્રોત્સાહન આપ્યું. તેમનો સંદેશો એ યાદ અપાવતો રહ્યો કે જ્યારે શિક્ષક અને માતા-પિતા એક જ ઉદ્દેશ સાથે સાથે આવે છે ત્યારે બાળક ખરેખર ખીલી ઉઠે છે.
આ પહેલા ઓપન ફોરમ સત્ર યોજાયું જેમાં માતા-પિતાઓએ પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા, પ્રશ્નો પૂછ્યા અને ઉમદા પ્રતિસાદ આપ્યો.
મિટ એન્ડ ગ્રીટનો સમાપન પારસ્પરિક આદર અને આશાવાદ સાથે થયો. માતા-પિતાઓ અને શિક્ષકો બંનેએ ખુલ્લા સંવાદ અને એકસમાન દૃષ્ટિકોણ માટે એકબીજાની પ્રશંસા કરી. આ માત્ર એક મુલાકાત નહોતી—પણ વિશ્વાસ, સંવાદ અને દરેક બાળકના આનંદ, આત્મવિશ્વાસ અને શૈક્ષણિક સફળતાની સાંઝી પ્રતિબદ્ધતા પર આધારિત એક અર્થપૂર્ણ ભાગીદારીની શરૂઆત હતી

અજમેરા ફેશને પ્રીમિયમ કિડ્સવેર ફ્રેન્ચાઇઝી બ્રાન્ડ ‘લિટલ વિંગ્સ’ લોન્ચ કરી
સુરત, એપ્રિલ 8: ભારતની અગ્રણી ટેક્સટાઇલ અને એથનિકવેર કંપની અજમેરા ફેશને આજરોજ સુરત સુરાણા 101 ખાતે તેની નવી પ્રીમિયમ કિડ્સવેર ફ્રેન્ચાઈઝી બ્રાન્ડ લિટલ વિંગ્સ લોન્ચ કરી હતી. આ પ્રસંગે અજમેરા ગ્રુપના સિનિયર લીડરશીપ અને ખાસ મહેમાનો હાજર રહ્યા હતા.
300 થી વધુ આઉટલેટ્સ સાથે પહેલથી ભારતભરમાં સફળ થઈ ચૂકેલી બ્રાન્ડ અજમેરા ટ્રેન્ડસ પછી હવે કંપની બાળકોના ફેશન સેગમેન્ટમાં પ્રવેશ કરી રહી છે. આ નવી બ્રાન્ડની શરૂઆત અજમેરા ફેશનના સ્થાપક અને સીઈઓ અજય અજમેરાની દૂરંદેશીનું પરિણામ છે. તેમણે મહત્વની બાબતને ઓળખી કે ભારતના ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં સાડીઓ, લહેંગા અને મેન્સવેરની ઘણી બ્રાન્ડ્સ છે, ત્યાં કિડ્સવેર સેગમેન્ટમાં બ્રાન્ડેડ અને સંગઠિત વિકલ્પોનો અભાવ છે. આ ગેપ ભરવાના ઉદ્દેશ્ય સાથે લિટલ વિંગ્સ લાવવામાં આવી છે.
લિટલ વિંગ્સ 0 થી 15 વર્ષના બાળકો માટે ફ્રોક્સ, ડેનિમ, એથનિકવેર, ટી-શર્ટ્સ, શોર્ટ્સ, કેઝ્યુઅલ અને પાર્ટીવેર જેવા તમામ કપડાં બજારમાં ઉપલબ્ધ કરાવશે. બ્રાન્ડની વિશેષતા છે કે સુપર સોફ્ટ ફેબ્રિક, સુંદર ડિઝાઇન અને પોસાય તેવી કિંમત. આ ઈવેન્ટમાં અજય અજમેરાએ જણાવ્યું હતું કે, “અમારું મિશન નાના શહેરોમાં રહેતા પરિવારો માટે સારા, આરામદાયક અને મૂલ્યવાન કિડ્સ વેર લાવવાનું છે. અમે આ બ્રાન્ડને ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં લૉન્ચ કરી રહ્યા છીએ, જ્યાં લોકોની અપેક્ષાઓ વધારે છે પરંતુ વિકલ્પો મર્યાદિત છે.”
લિટલ વિંગ્સ ફ્રેન્ચાઈઝી ઓન્ડ મોડલ પર કામ કરશે અને ફ્રેન્ચાઈઝી આપવાની પ્રક્રિયા હજી પણ શરૂ છે. બ્રાન્ડનું પ્રારંભિક ધ્યાન નાના શહેરો અને નગરોમાં વિસ્તરણ કરવાનું છે, જ્યાં બાળકોના વસ્ત્રોની માંગ સતત વધી રહી છે.
લોકાર્પણ કાર્યક્રમમાં અજમેરા ફેશનના સી.એફ.ઓ. મિસ્ટર. વિજય અજમેરા, એમડી શ્રી મોહિત અજમેરા, વીપી શ્રી તરુણ શર્મા, ફ્રેન્ચાઇઝ હેડ શ્રી સિદ્ધાર્થ, ફ્રેન્ચાઇઝ મેનેજર શ્રી રાહુલ, માર્કેટિંગ મેનેજર શ્રી શાંતનુ અષ્ટિકર અને અન્ય મુખ્ય ટીમના સભ્યો હાજર હતા. આ લોન્ચિંગ અજમેરા ફેશન માટે માત્ર એક નવો અધ્યાય નથી, પરંતુ ભારતના ઉદ્યોગ સાહસિકો માટે પણ એક મોટી તક લઈને આવે છે.

સુરત શહેરમાં “JITO SURAT CHAPTER” દ્વારા વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ અર્થે સુરતમાં બિરાજીત તમામ પરમ પૂજ્ય ગુરૂ ભગવંતોની નિશ્રામાં તા.૦૯/૦૪/૨૦૨૫ ના રોજ સામુહિક વિશ્વ નવકાર મહામંત્ર દિવસ સમારોહ યોજાશે….
જીતો દ્વારા 9મી એપ્રિલે પડીત દિનદયાળ ઉપાધ્યાય, ઇન્ડોર સ્ટેડિયમ, અઠવાલાઇન્સ, સુરત ખાતે વિશ્વ નવકાર મંત્ર દિવસની ઉજવણીનું આયોજન…
એક સાથે વિશ્વના ૧૦૮ થી વધુ દેશોમાં કરાશે નવકાર મંત્રનો જાય
નવી દિલ્લી વિજ્ઞાન ભવન ખાતેથી પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્વયં ઉપસ્થિત રહેશે અને આખા વિશ્વમાં વર્ચ્યુઅલ દ્વારા સંબોધન કરશે.
જીતો સુરત દ્વારા આગામી 9મી એપ્રિલે નવકાર મંત્ર દિવસ તરીકે ભવ્ય રીતે ઉજવાશે. સુરતના પંડીત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે હજારો લોકો આ કાર્યક્રમમાં જોડાશે અને નવકાર મંત્રનો જાપ કરી વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરશે.
આવા નમસ્કાર મહામંત્રનો સામૂહિક જાપ કરવા દ્વારા જગતના સઘળા જીવોને સુખ, શાંતિ અને પ્રસન્નતાની પ્રાપ્તિ થાય એવા સંકલ્પ સાથે આ નવકાર મંત્ર સમૂહમાં ગણવાથી તેના વિચાર આંદોલનો તરંગો વિશ્વમાં ફેલાશે અને તેની પોઝિટિવ અસર જોવા મળશે એવી અમને સૌને શ્રદ્ધા છે.
વિશ્વ નવકાર મંત્ર દિવસ નિમિત્તે આયોજીત જાપમાં પુરુષોએ સફેદ વસ્ત્ર અને મહિલાઓને લાલ વસ્ત્ર પરિધાન કરવાના રહેશે.

વિશ્વ નવકાર મંત્ર દિવસ એટલે કે, ૯મી એપ્રિલના દિવસે સુરત મહાનગર પાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રાખવાનો ઠરાવ કરીને અનેક મૂંગા-અબોલ પશુઓને અભયદાન આપવાનો સરાહનીય નિર્ણય ભા.જ.પા.ના શાસકો દ્વારા લેવામાં આવ્યો તેની અનુમોદના કરીએ છીએ.
જીતો સુરત ચેપ્ટરના ચેરમેન અને આ પ્રોજેક્ટના કન્વીનર શ્રી નિરવ શાહ એ જણાવ્યું હતું કે, 9મી એપ્રિલનો દિવસ જીતો દ્વારા નવકાર મંત્ર દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે 9મી એપ્રિલના રોજ ભારત સહિત વિશ્વના ૧૦૮ દેશોમાં આ કાર્યક્રમમાં એક સાથે યોજાશે. સુરત ખાતે નવકાર મહામંત્ર જાપનો કાર્યક્રમ ઘોડદોડ રોડ સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે. જેમાં જૈન સમાજના લોકો સહિત અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની ખાસ વાત એ છે કે, ભારત સરકાર દ્વારા 9 એપ્રિલના દિવસને સત્તાવાર રીતે વિશ્વ નવકાર મંત્ર દિવસ તરીકે જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે. ત્યારે 9મી એપ્રિલના રોજ નવી દિલ્લી, વિજ્ઞાન ભવન ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્વયં જોડાશે અને તેઓ પણ નવકાર મહામંત્રનો જાપ કરશે અને સંપૂર્ણ વિશ્વને વર્ચુયલી તેઓ સંબોધિત કરશે.
સિદ્ધ ભગવતોને અર્થાત જેમને પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું છે અને આ સંસારના 84 લાખ યોનીના જીવન-મરણના ચક્રમાંથી જેઓ હંમેશા માટે મુક્ત થઈ ગયા છે તેવા સિદ્ધ પરમાત્માઓને નમસ્કાર કરવામાં આવ્યો છે.
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ કે જેઓ સિદ્ધ બનવા માટે સાધના કરી રહ્યા છે, આરાધના કરી રહ્યા છે અને મોક્ષ માર્ગ તરફ આગળ વધી રહ્યા છે તેવા આચાર્ય ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર કરવામાં આવ્યો છે.
સાધકના મંત્રજાપ કરનારના રાગ-દ્વેષ શાંત થાય છે. તૃષ્ણાઓ નાશ પામે છે. સંતોષ, અહિંસા, કરુણા, વાત્સલ્ય જેવા ગુણો તેના હૈયામાં પ્રગટ થાય છે. જીવનના સાચા સુખનો તે અનુભવ કરે છે અને એના સઘળા અમંગલ, પાપો અને આવનારા દુઃખો એ બધું દૂર થાય છે.

પ્રિઝમા ઓન્કોઇમેજિંગ સેન્ટર દ્વારા સુરતના પ્રથમ ડિજિટલ PET-CTનું લોન્ચિંગ – ભારતમાં ઓન્કોઇમેજિંગની સૌથી મોટી ચેઇનની શરૂઆત
પ્રિઝમા ઓન્કોઇમેજિંગ સેન્ટર, કેન્સર નિદાનમાં ક્રાંતિ લાવવા માટે સુરતના પ્રથમ ડિજિટલ PET-CT સ્કેનર લોન્ચ કરી રહ્યું છે, જે ભારતમાં સૌથી મોટી ઓન્કોઇમેજિંગ ચેઇન સ્થાપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ સેન્ટર પર દર્દીઓ સરળતાથી પહોંચી શકે તે હેતુથી સુરત સિવિલ હોસ્પિટલથી ખૂબ જ નજીક છે અને તેનું ઉદ્ઘાટન આજે સવારે 9:00 કલાકે, માનનીય ઓન્કોલોજીસ્ટ, રેડિયોલોજીસ્ટ અને આરોગ્ય નિષ્ણાતોની ઉપસ્થિતિમાં થશે.
સુરતમાં ડિજિટલ PET-CT લોન્ચ કરીને, અમે ભારતમાં સૌથી અદ્યતન ઓન્કોઇમેજિંગ ચેઇન બાંધવા માટે મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યા છીએ, જેથી વિશ્વ સ્તરની કૅન્સર ડાયગ્નોસ્ટિક સુવિધાઓ દેશના દરેક ખૂણામાં પહોંચે,” પ્રિઝમા સુરત નાં ચેરમેન ડૉ. હેમંત પટેલ જણાવે છે, જે એશિયન ઓશિયેનિક સોસાયટી ઓફ રેડિયોલોજીના સચિવ અને ઇન્ડિયન રેડિયોલોજિકલ & ઇમેજિંગ એસોસિએશનના ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ છે.
પ્રિઝમા સુરત નાં ઇન્ચાર્જ અને સુરત નાં ખ્યાતનામ રેડિયોલોજિસ્ટ ર્ડા. કેયુર માંડલિયા જણાવે છે પ્રિઝમા ઓન્કોઇમેજિંગ સેન્ટર દ્વારા સમગ્ર દેશમાં અદ્યતન ઇમેજિંગ સેન્ટર્સની એક મજબૂત ચેઇન બનાવવાનો દ્રષ્ટિકોણ છે, જે શરૂઆતની કેન્સર નિદાન, ચોક્કસ તબક્કાઓ અને સારવાર મોનિટરિંગ પર કેન્દ્રિત છે. એક કુશળ ઓન્કોઇમેજિગ નિષ્ણાતોની ટીમ સાથે, પ્રિસ્મા કૅન્સર કેર ક્ષેત્રમાં નવી ઉંચાઈઓ સર કરવાની તૈયારીમાં છે, જેમાં સુરત પ્રિઝમા AI આધારિત ડાયગ્નોસ્ટિકસ અને પર્સનલાઇઝડ ઇમેજિગ સોલ્યુશન્સ શામેલ છે.
પ્રિઝમા ઓન્કોઇમેજિંગ નેટવર્ક આગામી સમયમાં ભારત નાં વિવિધ રાજ્યો અને શહેરોમાં વિસ્તરશે, જેથી ઉચ્ચ ગુણવત્તાવાળા ઓન્કોલોજીકલ ઇમેજિંગ સેવાઓ ભારતમાં તમામ દર્દીઓ માટે ઉપલબ્ધ અને સસ્તી બને.