Posts by: abhay_news_editor

નાણાવટી‌ સિટ્રોઈન સુરત એ લોન્ચ કરી ડાર્ક એડિશન: C3, એરક્રોસ અને બેસાલ્ટ SUV કૂપેમાં ઓલ-બ્લેક સ્ટાઇલ

 

સિટ્રોન ઇન્ડિયાએ પોતાની સૌથી આકર્ષક અને ખાસ ડાર્ક એડિશન સિરિઝ લોન્ચ કરી છે, જેમાં C3, એરક્રોસ અને બેસાલ્ટ SUV કૂપેના ટોપ વેરિઅન્ટ્સ શામેલ છે. સ્ટાર ક્રિકેટર અને સિટ્રોઈનના બ્રાન્ડ એમ્બેસેડર મહેન્દ્ર સિંહ ધોનીએ આ ડાર્ક એડિશનનું અનાવરણ કર્યું અને પ્રથમ બેસાલ્ટ ડાર્ક એડિશનની ડિલિવરી લઈ તેના પ્રથમ માલિક બન્યા.

આ ડાર્ક એડિશન કારો લિમિટેડ સંખ્યામાં ઉપલબ્ધ છે અને તેમની આકર્ષક ડિઝાઇન તેમજ પ્રીમિયમ ઇન્ટિરિયર્સ સાથે ભારતીય રસ્તાઓ પર ઉતરીને ધ્યાન ખેંચવા તૈયાર છે.

સિટ્રોઈન ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર શિશિર મિશ્રાએ જણાવ્યું કે ડાર્ક એડિશન અમારી સ્ટાઇલિશ ડિઝાઇન્સ અને આધુનિકતાને એકાસાથે જોડવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ લિમિટેડ એડિશનની ખાસ સિરિઝ પોતાના પ્રીમિયમ ફીચર્સ સાથે ભારતીય ગ્રાહકોની બદલાતી જતી પસંદગીને અનુરૂપ છે. અમે ખુશ છીએ કે એમ.એસ. ધોની આ સિટ્રોઈન સિરિઝના પહેલા ગ્રાહક બનીને ઓનર્સ ક્લબમાં પોતાની આગવી અદા સાથે જોડાયા.

ડાર્ક એડિશન ગાડીઓ પર્લ નેરા બ્લેક રંગમાં બોલ્ડ અને સ્પોર્ટી લુક ધરાવે છે. બહારના ભાગમાં શેવરોન બેજ, ફ્રન્ટ ગ્રિલ અને બોડી સાઇડ મોલ્ડિંગ પર ડાર્ક ક્રોમ એક્સેન્ટ્સ છે, જ્યારે બમ્પર અને ડોર હેન્ડલ્સ પર ગ્લોસ બ્લેક ફિનિશ છે. આ ફીચર્સને કારણે રસ્તા પર આ ગાડીઓ પોતાની એક સ્ટ્રોંગ અને અલગ હાજરી નોંધાવે છે.

ગાડીની અંદર પણ ઓલ-બ્લેક થીમ અપાઇ છે જે પ્રીમિયમ અનુભવ આપે છે. મેટ્રોપોલિટન બ્લેક લેધરેટ સીટ્સ અને કસ્ટમ લેધરેટથી બનેલું ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ છે. કાર્બન બ્લેક ઇન્ટિરિયર્સમાં લાવા રેડ ડિટેલિંગ અને હાઇ-ગ્લોસ બ્લેક ફિનિશ અપાયું છે. આ ઉપરાંત, કસ્ટમ સીટ કવર્સ, ડાર્ક ક્રોમ મોલ્ડિંગ્સ અને ગ્રિલ એમ્બેલિશર જેવા ખાસ ફીચર્સ કેબિનને વધુ આકર્ષક બનાવે છે.

આ ડાર્ક એડિશન ફક્ત C3, એરક્રોસ અને બેસાલ્ટના ટોપ વેરિઅન્ટ્સ પર જ ઉપલબ્ધ છે અને 10 એપ્રિલ, 2025થી સિટ્રોનના દેશભરના ડીલરશિપ નેટવર્ક દ્વારા વેચાઇ રહી છે. ડાર્ક એડિશન C3ની કિંમત રૂ. 8,38,300 રૂપિયાથી શરૂ થાય છે જ્યારે એરક્રોસ રૂ. 13,13,300 રૂપિયાથી અને ડાર્ક એડિશન બસાલ્ટ ની કિંમત 12,80,000 રૂપિયાથી શરૂ થાય છે.

“ઇન્ડિયન મુજાહિદ્દીન – નિશાન ઉપર ગુજરાત” પુસ્તક વિમોચન સમારોહ યોજાયો

 

“દેશ વિરોધી તત્વો, આતંકવાદીઓની ખતરનાક ઈરાદા અને ષડયંત્ર જાણવા માટે આ પુસ્તક સૌ કોઈએ જરૂર વાંચવું જોઈએ” : સાંસદ બ્રૃજલાલજી

સુરત : પુસ્તક વિમોચન સમિતિ દ્વારા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના તારામતી હોલ ખાતે બ્રૃજલાલજી (રાજ્યસભાના સાંસદ) ની ગુજરાતી બુક “ઇન્ડિયન મુજાહિદ્દીન – નિશાન ઉપર ગુજરાત” પુસ્તકનો વિમોચન સમારોહ 21 એપ્રિલ, સોમવારના રોજ યોજાયો હતો.

સાંસદ અને ઉત્તર પ્રદેશના પૂર્વ ડીજીપી અને આ પુસ્તકના લેખક શ્રી બ્રૃજલાલજીએ કહ્યું હતું કે, “ભારતની પ્રગતિના વિરોધી કેટલાક કટ્ટરપંથી લોકો વર્ષ 2047 સુધીમાં ભારતને ગજવા એ હિન્દ, ઈસ્લામિક ઈન્ડિયા બનાવવા માંગે છે. સામાન્ય માણસ તેમના ઈરાદાઓથી અજાણ છે. દેશ વિરોધી તત્વોની ખતરનાક મનસા જાણવા માટે આ પુસ્તક સૌ કોઈએ જરૂર વાંચવું જોઈએ.”

આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા મુખ્ય મહેમાન તરીકે મેયર દક્ષેશ માવાણી અને વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચાવડા, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ ભરત શાહ, રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં શ્રી બ્રૃજલાલજીએ ઉત્તરપ્રદેશના ડીજીપી તેમજ ડીજી-સિવિલ ડિફેન્સ અને ડીજી-સીઆરપીએફ તરીકે તેમની કાર્યો અને અનુભવો અંગે માહિતી આપી હતી. વીતેલા વર્ષો દરમિયાન આતંકી સંગઠનો દ્વારા દેશના વિવિધ શહેરોમાં કરવામાં આવેલા બોમ્બ બ્લાસ્ટ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, લશ્કરે તોયબાનું ઇન્ડિયન વર્ઝન ઇન્ડિયન મુજાહિદ્દીન છે. આ પુસ્તકમાં તેમણે દિલ્હી, મુંબઈ, જયપુર, બનારસ, અમદાવાદ સહિતના શહેરોમાં કરવામાં આવેલા બોમ્બ બ્લાસ્ટ, આતંકી સંગઠનની યોજનાઓ, આતંકીઓને હથિયારો ચલાવવા અને બોમ્બ બનાવવા આપવામાં આવતી તાલીમ, તેમના ટાર્ગેટ, આતંકી સંગઠનને ફંડિંગ માટે દેશભરમાં વેપારીઓના અપહરણ, વર્ષ 2007-08 દરમિયાન ગુજરાતમાં રચવામાં આવેલા ષડયંત્ર, અમદાવાદ-સુરતમાં બોમ્બ બ્લાસ્ટની યોજનાઓ,
આતંકી તત્વો દ્વારા કરવામાં આવેલા ઇ-મેઈલ, ભડકાવનારા નિવેદનો, ગુજરાત પોલીસની કાર્યવાહી, કોર્ટમાં હિયરિંગ, આતંકીઓને થયેલી સજાઓ વગેરે બાબતોનો સવિસ્તાર ઉલ્લેખ કર્યો છે.

પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતે કહ્યું હતું કે, એક સિવિલ સર્વન્ટ રહી ચૂકેલા ઉચ્ચ અધિકારી દ્વારા “સિવિલ સર્વન્ટ ડે” ના દિવસે જ આ પુસ્તકનું વિમોચન એ ઘણો મોટો સંયોગ છે. તેમણે ગુજરાતમાં આતંકી સંગઠનો દ્વારા કરવામાં આવેલા બ્લાસ્ટ, પોલીસની કાર્યવાહી, આરોપીઓને થયેલી સજા અંગેની વાતો શેયર કરી હતી.

અસલ જીવનના વીરોથી મુલાકાત: ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓની ફાયર સ્ટેશન મુલાકાતવ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ

 

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમારો મક્કમ વિશ્વાસ છે કે શીખવાનો સચોટ અર્થ માત્ર પુસ્તકો સુધી સીમિત નથી રહેતો—અનુભવો દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન વધુ ઘેરું અને સ્થાયી બને છે. આવું જ એક અનોખું શૈક્ષણિક અનુભવ અમારા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ અનુભવીને મેળવ્યું જ્યારે તેઓ નજીકના ફાયર સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત માટે ગયા.

સવારનો સમય ઉત્સાહથી ભરેલો હતો. વિદ્યાર્થીઓ ફાયર સ્ટેશન ખાતે પહોંચ્યા ત્યારે તેમને ત્યાંના બહાદુર ફાયર ફાઈટર્સ દ્વારા હાર્દિક સ્વાગત અપાયું. આ મુલાકાત માત્ર એક ફિલ્ડ ટ્રિપ નહોતી, પરંતુ જીવનદાયક શીખણ અને પ્રેરણાથી ભરેલો અવિસ્મરણીય અનુભવ હતો.

જીવંત પ્રદર્શન અને સુરક્ષા અંગે શીખણ
ફાયરફાઈટર્સ દ્વારા તેમના રોજિંદા કાર્યો અને ફરજો અંગે સરળ ભાષામાં વિસ્તૃત માહિતી આપવામાં આવી. પછી વિદ્યાર્થીઓએ જીવંત પ્રદર્શન જોયું જેમાં ફાયરફાઈટર્સએ તાત્કાલિક સ્થિતિમાં કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તે બતાવ્યું. આગ બુઝાવવાનું સાધન ચલાવવું, બચાવ સાધનોનો ઉપયોગ અને સુરક્ષા માટે કરાતા પગલાંઓને જોઈને વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

હાથો વડે શોધખોળ અને અનુભવ
વિદ્યાર્થીઓએ ફાયર એન્જિનની અંદર ઝાંખી લઈ, ઉપકરણો હાથમાં લીધાં, અને ફાયરફાઈટર જેવો હેલમેટ પહેરીને ખુશખુશાલ અનુભવ કર્યો. નાના વિદ્યાર્થીઓ માટે આ રમૂજભર્યો અનુભવ હતો જ્યારે મોટા વિદ્યાર્થીઓએ વધુ ટેક્નિકલ માહિતી જાણવા ઉત્સુકતા બતાવી.

પ્રેરણાત્મક વાર્તાલાપ
વિદ્યાર્થીઓ અને ફાયરફાઈટર્સ વચ્ચે થયેલો સંવાદ ખૂબ જ હૃદયસ્પર્શી રહ્યો. ફાયરફાઈટર્સે તેમના અનુભવો, પડકારો અને સમાજ માટેની સેવા અંગેની વાર્તાઓ શેર કરી. બાળકો તરફથી ઘણા રોમાંચક પ્રશ્નો આવ્યા જેમ કે “તમે ક્યારેય ડરાવો છો?” અથવા “તમે ઊંચી ઈમારતમાં ફસાયેલા લોકોને કેવી રીતે બચાવો છો?”

આ સંવાદો દ્વારા બાળકોમાં સાહસ, સેવા અને જવાબદારીના મૂળભૂત મૂલ્યો વાવાયા.

અનુભવોની અસર અને અભિપ્રાય
જ્યારે વિદ્યાર્થીઓ શાળામાં પાછા ફર્યા, ત્યારે દરેકની આંખોમાં ઉત્સાહ અને નવા જ્ઞાનની ઝાંખી જોવા મળતી હતી. શિક્ષકોએ શાળામાં તેમને પોતાના અનુભવો શેર કરાવ્યા અને એ વિશે ચર્ચા કરાવી. ઘણાં વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેઓ હવે ઘરમાં સુરક્ષા નિયમો અનુસરીને પોતાના પરિવારને પણ ફાયર સેફ્ટી અંગે શીખવશે.

સારાંશ
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમે હંમેશા એવો પ્રયાસ કરીએ છીએ કે બાળકોને જીવન સાથે જોડાયેલી શાળાબાહ્ય પ્રવૃત્તિઓ દ્વારા સમજ અને સહાનુભૂતિ શીખવા મળે. ફાયર સ્ટેશનની આ મુલાકાતે બાળકોને માત્ર શીખવ્યું જ નહીં, પણ જીવતી જાગતી પ્રેરણા આપી કે સાચી વીરતા શી રીતે દેખાય છે.

અમે ફાયર સ્ટેશનની આખી ટીમનો દિલથી આભાર માનીએ છીએ કે જેમણે આ યાદગાર દિવસ શક્ય બનાવ્યો અને બાળકોના હૃદયમાં આગવી પ્રેરણા ફૂંકી.

રેસીન દ્વારા સુરતમાં પ્રથમ-એવર ફ્લેગશિપ સ્ટોરનો આરંભ

 

અભિનેત્રી નીતાંશી ગોયલે બ્રાન્ડ સાથે એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ શૈલીમાં પદાર્પણ કર્યું

સુરત, ભારત – 20 એપ્રિલ, 2025: ભારતની સૌથી ઝડપથી વિકસતી સમકાલીન એથનિક અને ફ્યુઝન વેર બ્રાન્ડ્સમાંની એક રેસીન દ્વારા સુરતમાં તેના પ્રથમ એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ ના ભવ્ય રીતે શરૂઆત કરવામાં આવી છે. અભિનેત્રી નીતાંશી ગોયલે સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું હતું.

આધુનિક ડિઝાઇન માટે જાણીતું રેસીન નો નવો ફ્લેગશિપ સ્ટોર તેના વિઝનનું ભૌતિક સંભારણું છે. એક ઇમર્સિવ રિટેલ સ્પેસ જે બ્રાન્ડની ઐતિહાસિક ક્ષણમાં લાવણ્ય, આરામ અને સમકાલીન એથનિક ફેશન ટચને મિશ્રિત કરે છે.

આ અવસરે રેસીન ના કો-ફાઉન્ડર વિકાસ પચેરીવાલે કહ્યું હતું કે “સુરતમાં અમારું પ્રથમ એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ શરૂ કરવું તે એક ગર્વની અને ભાવનાત્મક ક્ષણ છે, આ સ્ટોર રૈસીન માટે જે છે તે બધું રજૂ કરે છે, અને નીતાંશી અમારી સાથે જોડાઈને તે સપનાને વાસ્તવિકતામાં ફેરવવાની ઉજવણી કરે છે.”

સુરત સ્ટોરના ફ્રેન્ચાઇઝ પાર્ટનર અતુલ ગુપ્તાએ ઉમેર્યું હતું કે,
” રેસીનની સફરનો ભાગ બનવા અને આ ફ્લેગશિપ અનુભવને જીવનમાં લાવવા માટે હું રોમાંચિત છું. આ અને માત્ર એક સ્ટોર જ નહીં, તે ભારતમાં ફેશન રિટેલના ભાવિનો પ્રવેશદ્વાર છે, અને અમે અમારા ગ્રાહકને આવકારવા માટે રાહ જોઈ શકતા નથી.

સમગ્ર ભારતમાં 250 થી વધુ મલ્ટી-બ્રાન્ડ આઉટલેટ ટચપોઇન્ટ સાથે એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ ફોર્મેટમાં એક બોલ્ડ નવા તબક્કાનો સંકેત આપે છે. સુરત ફ્લેગશિપ સ્ટોર સંપૂર્ણ કલેક્શન ઓફર કરે છે. ભવ્ય એથનિક સેટ અને રોજિંદા જરૂરી વસ્તુઓથી લઈને આધુનિક ભારતીય મહિલાઓની બહુમુખી વસ્ત્રોની જરૂરિયાતો માટે સ્ટાઇલિશ ફ્યુઝન પીસ-કેટરિંગ વગેરે અહીં ઉપલબ્ધ છે.

રેસીન માર્ચ 2025 સુધીમાં સમગ્ર દેશમાં 25 વધુ એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ લોન્ચ કરવાની યોજના ધરાવે છે અને તેની વિસ્તરણ યાત્રામાં જોડાવા માટે ફ્રેન્ચાઈઝી ભાગીદારોને સક્રિયપણે આમંત્રિત કરી રહી છે.

ભવ્ય લોંચ ઈવેન્ટમાં ગ્રાહકો, પ્રભાવકો અને મીડિયાની ઉત્સાહપૂર્ણ હાજરી જોવા મળી હતી જેણે તેને બ્રાન્ડ માટે સીમાચિહ્નરૂપ દિવસ બનાવ્યો હતી.

થ્રેડ લિફ્ટની વધતી માંગને કારણે APTOS ની લોકપ્રિયતા વધી : સખીયા સ્કિન ક્લિનિક

 

સુરત  : હાલમાં જ્યારે નોન-સર્જિકલ એસ્થેટિક ટ્રીટમેન્ટની માંગ વધી રહી છે, તેવામાં ડર્મેટોલોજી અને એસ્થેટિક મેડિસિનના ક્ષેત્રે અગ્રણી, સખીયા સ્કિન ક્લિનિક, APTOS થ્રેડ લિફ્ટિંગ તરફ નવેસરથી ધ્યાન આકર્ષિત કરી રહી છે. આ એક એવી પ્રક્રિયા છે, જેણે સર્જરીની જરૂરિયાત વગર ત્વચાને ઉપાડવા અને કાયાકલ્પ સાથે ફરીથી યુવાન બનાવવાની તેની ક્ષમતા માટે ખુબજ લોકપ્રિયતા મેળવી છે.

27 વર્ષથી વધુના અનુભવ અને ટેકનોલોજીકલ પ્રગતિ સાથે ક્લિનિકલ કુશળતાને જોડવાની મજબૂત પ્રતિષ્ઠા સાથે, સખીયા સ્કિન ક્લિનિક તેના ન્યૂનતમ ઈન્વેસીવ એન્ટિ-એજિંગ સોલ્યુશન્સના ભાગરૂપે, APTOS થ્રેડ લિફ્ટિંગની ઓફર કરે છે. આ સારવારમાં ઢીલી ત્વચાને ઉપાડવા અને કોલેજન ઉત્પાદનને ઉત્તેજીત કરવા માટે ઓગળી શકાય તેવા દોરાનો ઉપયોગ થાય છે. આ સારવાર પદ્ધતિ, ઓછા સમયમાં કુદરતી દેખાતા હોય તેવાં પરિણામો મેળવવા ઇચ્છતા લોકોમાં પસંદગીની ચોઈસ બની ગઈ છે.

સખીયા સ્કિન ક્લિનિકના સંસ્થાપક ડૉ. જગદીશ સખીયાએ જણાવ્યું હતું કે, “થ્રેડ લિફ્ટિંગ, ખાસ કરીને APTOS થ્રેડ્સનો ઉપયોગ, એવા દર્દીઓ માટે એક વિશ્વસનીય વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે, જેઓ સર્જરીના જોખમ વગર વિઝીબલ હોય તેવાં સુધારા ઇચ્છે છે. અમે આમાંની ઘણી પ્રક્રિયાઓ કરી છે અને સતત સંતોષકારક પરિણામો આપ્યા છે. તે ખાસ કરીને ચહેરાના મધ્ય ભાગની શિથિલતા, ઝૂલતી ત્વચા, ગાલ, ગરદન અને ભમર માટે અસરકારક છે.”

પરંપરાગત ફેસલિફ્ટ્સથી વિપરીત, APTOS ટેકનિક પોલિલેક્ટિક એસિડ (PLA) અથવા પોલિકેપ્રોલેક્ટોન (PCL) થી બનેલા બાયોકોમ્પેટીબલ થ્રેડોનો ઉપયોગ કરે છે. જેને પેશીઓના પુનઃસ્થાપન(ફરીથી સ્થાન આપવા) અને કોલેજન ઉત્પાદન વધારવા માટે ઝીણી પાતળી સોય અથવા કેન્યુલાનો ઉપયોગ કરીને ત્વચાના સબક્યુટેનીયસ સ્તરમાં ધીમેધીમે દાખલ કરવામાં આવે છે.

આ પ્રક્રિયાના પરિણામો ન્યૂનતમ ઈન્વેસીવ હોવા ઉપરાંત, ઘણીવાર તાત્કાલિક હોય છે, જેની અસર લગભગ 6-12 મહિના સુધી રહે છે અને કોલેજન ઉત્તેજના 1.5 થી 2 વર્ષ સુધીના પરિણામ આપે છે. સમય જતાં વધુ સુધારો થાય છે કારણ કે, દોરા ઓગળી જાય છે અને ત્વચા અંદરથી પુનર્જીવિત થાય છે. આ ઉપરાંત, આ પ્રક્રિયામાં ફક્ત 45 મિનિટથી એક કલાકનો સમય લાગે છે. તે વિવિધ ક્ષેત્રો માટે અસરકારક છે અને પરિણામો પણ કુદરતી પ્રતીત થાય છે. APTOS થ્રેડ લિફ્ટિંગ એવા લોકો માટે કામ કરે છે, જેમની ત્વચામાં હળવાથી મધ્યમ શિથિલતા હોય છે. સામાન્ય રીતે 30-60 વર્ષની વય જૂથના લોકો અને જેઓ ઢીલી ત્વચા, કરચલીઓ, ગાલ અથવા ઢીલી પડી ગયેલી ભમર સુધારવા માંગે છે.

દેશભરમાં વિવિધ સેન્ટર્સના નેટવર્કનું સંચાલન કરતી સખીયા સ્કિન ક્લિનિક, દર્દીઓની બદલાતી જરૂરિયાતોને પૂરી કરતી સલામત અને પુરાવા-આધારિત સારવારને પ્રાથમિકતા આપે છે. APTOS થ્રેડ લિફ્ટિંગ એ સખીયા સ્કિન ક્લિનિકની અનેક અદ્યતન પ્રક્રિયાઓમાંની એક છે, જે વ્યક્તિને ફરીથી યુવાવસ્થા અને તેજસ્વી ચમક આપે છે.

વધુ માહિતી માટે, કૃપા કરીને નજીકના સખીયા સ્કિન ક્લિનિક અથવા www.sakhiyaskinclinic.com ની વિઝિટ લો.

નારાયણા કોચિંગ સેન્ટર, સુરત JEE મેઈન 2025માં ઉત્કૃષ્ટ પરીણામોની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે, જ્યાં અમારા વિદ્યાર્થીઓએ સ્થાનકિ અને રાષ્ટ્રીય સ્તરે અસાધારણ રેન્ક અને પસેન્ટાઇલ હાસલ કર્યા છે.

 

➤ National Achievement Highlights:

10 Ranks in top 25 Open Category

25 Ranks in top 100 Open Category

Banibrata Majee-AIR

1 Shiven Vikas Toshniwal -AIR 9

Saurya – AIR 12 |

Archisman

Nandy-AIR 13

Sanidhya Saraf-AIR 19 Ayush Singhal – AIR 20 |

Vishad Jain – AIR 21 |

Lakshay Sharma – AIR

22 Kushagra Gupta-AIR 24

Pranav Nori-AIR 251

➤ Surat Center Excellence:

Out of 149 students who appeared in JEE Main’2025 from Narayana Surat, 90 students are eligible to write JEE Advanced (success ratio arount 60% which is highest in the city)

20 students secured 99+ percentiles

Aagam Shah-99.9968083 percentile (AIR 87) with 100 Percentile in Mathematics

Moksh Bhatt -99.9944145 percentile (AIR 142)

Raj Aryan-99.9492059 percentile (AIR 874) with 100 Percentile in Physics

Aditya Agarwal – 99.9353680 percentile (AIR 1087)

Smeet Vesmawala -99.9052028 percentile (AIR 1560)

Vihaan Jain – 99.9007929 percentile (AIR 1632) – Best result among Repeaters in Surat city. and more students who have achieved score to get admission into their dream engineering colleges

“આ નોંધપાત્ર સિદ્ધિ અમારા વિદ્યાર્થીઓના સમર્પણ, માતા-પિતાના સમર્થન અને અમારા ફેકલ્ટીના શ્રેષષ્ઠતા પ્રત્યેની પ્રતિબંધતાને દર્શાવે છે.” શ્રી મનીષ બાગરી, સેન્ટર ડર્રિક્ટર, નારાયણા કોટિંગ સેન્ટર, સુરતે જણાવ્યું. “શશક્ષણ ક્ષેત્રમાં 46 વર્ષથી વધુના અનુભવ સાથે, નારાયણા નવીન શક્ષિણ પદ્યતઓ અને નિષ્ણાત માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓને સશક્ત બનાવવાનું ચાલુ રાખે છે.

JEE મેઈન 2025 પરીક્ષામાં આશરે 10.61 લાખ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 9.92 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થતિ થયા હતા. નારાયણા કોચિંગ સેન્ટર સુરતે 99 પસેન્ટાઇલથી વધુ મેળવનાર વિદ્યાર્થીઓ માટે શહેરમાં સૌથી વધુ સફળતા દર હાસલ કર્યો છે.”

SRKની 61મી વર્ષગાંઠ પર માધ્યમ, ભક્તિ અને સેવાના સંગમની એક અવિસ્મરણીય “પરીવારોત્સવ” તરીકે ભવ્ય ઊજવણી થઈ

 

“ભારતમાં સેવા એ સંસ્કાર છે અને પરિવારભાવનાએ આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે” : કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા
માણસનું ઘડતર કરીને તેને હીરો બનાવવાનું કામ ગોવિંદકાકાએ કર્યું : શ્રી રજત શર્મા

સુરત : હાલમાં નફાથી પ્રેરિત આ દુનિયામાં, કુદરતી હીરાના ઉત્પાદન અને નિકાસ સાથે સંકળાયેલી શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (SRK) કંપની, તેના શાશ્વત મૂલ્યો સાથે હીરાની જેમ જ સતત ચમકતી રહે છે. દેશ-દુનિયામાં પ્રખ્યાત SRK કંપની, એ ફક્ત માઇલસ્ટોન જ નહીં, પરંતુ તેની પાછળ મુખ્ય યોગદાન આપનારા લોકોની પણ ઉજવણી કરતી રહે છે. કંપનીની આ ભાવના આજે તેના “પરિવારોત્સવ 2025” કાર્યક્રમમાં પણ જીવંત થઈ હતી. જે ખરેખર, 20 એપ્રિલ, 2025ના રોજ સુરતમાં SRKની 61મી વર્ષગાંઠની ઊજવણી અને ટીમના દરેક સભ્યને પરિવાર તરીકે માન આપવાની તેની ઊંડા મૂળવાળી સંસ્કૃતિના સન્માનમાં આયોજિત એક હૃદયસ્પર્શી સમારોહમાં વ્યક્ત થઈ હતી.

આ ફક્ત અન્ય કોઈ કોર્પોરેટ સમારંભ ન હતો, પરંતુ તે સહિયારા ઉદ્દેશ્ય, મૂલ્યો અને સંબંધની ઉજવણીનો ભવ્ય ઉત્સવ હતો. તેના નામ પ્રમાણે જ આ પરિવારોત્સવ (જેનો અર્થ ‘પરિવારની ઉજવણી’) SRKના એ વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે કે, તેના લોકો, કંપનીના કર્મચારીઓ કે સ્ટાફ કરતાં વધુ, વાસ્તવમાં એક વિસ્તૃત પરિવારના પ્રિય સભ્યો છે.

આ રમણીય સાંજે 3 પ્રેરણાદાયી જાણીતી હસ્તીઓ હાજર રહી હતી, જેમણે SRKની યાત્રાના મુખ્ય મૂલ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

ભારત સરકારના શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ આર્થિક વિકાસ અને પર્યાવરણ જાળવણીમાં SRKના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં સેવા એ સંસ્કાર છે. પરિવાર આપણા સંસ્કાર, સ્વભાવ અને જીવનશૈલી છે. પરિવારભાવનાએ આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે. “પરિવારોત્સવ 2025” કાર્યક્રમનું આયોજન કરીને SRK કંપનીએ સિદ્ધ કર્યું છે કે, સમૂહ અસ્તિત્વ સાથેની પરિવારભાવના વિકાસ માટે પ્રેરક બની શકે છે. ભારત માટે સેવા જ સંસ્કાર છે. “વસુધૈવ કુટુમ્બકમ” એટલે કે દુનિયા એક પરિવાર છે. ભારતે આ વિશ્વાસ સાથે જ કોવીડના સમયમાં દુનિયાના 150 દેશોમાં દવા ઉપલબ્ધ કરાવી હતી.

ભારતના અગ્રણી પત્રકાર શ્રી રજત શર્માએ સત્ય, નીતિમત્તા અને નેતૃત્વ પર શાનદાર સંવાદનું સંચાલન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, માણસનું ઘડતર કરીને તેને હીરો બનાવવાનું કામ ગોવિંદકાકાએ કર્યું છે. ગોવિંદકાકામાં સેવા અને સમર્પણની ભાવના અપાર છે. ગોવિંદકાકા કર્મચારીને પોતાનો પરિવાર સમજીને તેના જીવન વિકાસ ઘડતરનું કામ કરે છે. મુશ્કેલીના સમયે તેઓ કર્મચારીની સાથે સહકારની ભાવના સાથે ઉભા રહે છે. હું આજે SRKની અદાલતમાં ઊભો છું, તેમ કહીને તેમને લોકોએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.

પ્રખ્યાત આધ્યાત્મિક અને પ્રેરક વક્તા જયા કિશોરીજીએ રોજિંદા જીવનમાં ભક્તિ, ઉદ્દેશ્ય, શ્રદ્ધા અને અર્થ શોધવા પરના તેમના ભાવનાત્મક વિચારોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તમે કહ્યું હતું કે ભક્તિનું પ્રથમ પગલું સમર્પણ છે. પરિસ્થિતિ તમારા હાથમાં નથી. તમારા હાથમાં કંઈ છે તો તે તમારા પોતાના કર્મ છે. ભગવાનના જીવનમાં પણ અસંખ્ય દુઃખ હતા. જીવન જીવવું જ છે તો ખુશીથી જીવીએ. પરિવાર જેટલું તમારું સગુ કોઈ નથી. પરિવારની ભાવના આપણને એકબીજા સાથે જોડી રાખે છે. તેમણે દ્રષ્ટાંતો દ્વારા વ્યક્તિત્વ વિકાસની વાતો કરી સૌને આકર્ષિત કર્યા હતા.

ઉદ્યોગજગતમાં 61 ગૌરવશાળી વર્ષોની ઉજવણી સાથે, SRK ગ્રુપ દ્વારા આ કાર્યક્રમ દરમિયાન, બે મોટા સૌર ઉર્જા પ્રોજેક્ટ્સનો પણ શુભારંભ કર્યો હતો. ગુજરાતમાં અકાલા ગામ ખાતે આવેલ 6 MWનો પ્લાન્ટ અને આમોદ ગામ ખાતે આવેલ 0.814 MWનો પ્લાન્ટ, હવે SRKના અત્યાધુનિક કુદરતી હીરા ઉત્પાદન યુનીટ – SRK એમ્પાયર અને SRK હાઉસને વીજળી પૂરી પાડે છે. આ પહેલ, SRKના નેટ ઝીરો મિશનમાં એક ગૌરવવંતુ પગલું છે, જે કંપનીને ખરેખર કુદરતી, લીલા અને ઉર્જા-કાર્યક્ષમ વાતાવરણમાં હીરા બનાવવા સક્ષમ બનાવે છે.

SRKની ઉત્પાદન સુવિધાઓ હીરા ઉદ્યોગમાં વિશ્વની પ્રથમ નેટ ઝીરો એનર્જી-પ્રમાણિત ઇમારતો છે અને સસ્ટેનિબિલિટી અને કર્મચારી કલ્યાણમાં વૈશ્વિક માપદંડોનું શ્રેષ્ઠ ઉદાહરણ આપે છે.

SRKના માર્ગદર્શક અને સંસ્થાપક-અધ્યક્ષ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ શ્રોતાઓ સાથે એક ભાવનાત્મક સંદેશો આપ્યો હતો. તેમણે લોકોને વ્યસન નહીં કરવાની અને વ્યાજના વિષચક્રમાં નહીં ફસાવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમારી સંસ્થામાં તમામ લોકો વ્યસનરહિત છે અને અમારી સંસ્થા સાત્વિક છે. કોઈને વ્યસન નથી, તેથી જ અમારો પરિવાર આજે વિકાસના પંથે આગળ વધી રહ્યો છે.

આ કાર્યક્રમમાં SRK પરિવારના વાસ્તવિક સભ્યોની પ્રેરણાદાયી વાર્તાઓ પણ રજૂ કરવામાં આવી હતી. જેમાં SRKમાં તેમની જીવન યાત્રા, વિકાસ અને પરિવર્તનની ક્ષણો દર્શાવવામાં આવી હતી, જે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોના હૃદયને સ્પર્શી ગઈ હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજ્યસભાના સાંસદો પણ ઉપસ્થિત રહ્યા હતા. SRK પરિવારના સભ્યોના આકસ્મિક મૃત્યુ સમયે તેમના પરિવારને મદદ કરવા માટે કંપની દ્વારા 20 લાખના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા.

યોગાનુયોગ, એપ્રિલ, એ SRKની સ્થાપનાનો મહિનો અને હીરાનો જન્મરત્ન છે, જેણે આ પરીવારોત્સવને વધુ સ્પેશ્યલ બનાવ્યો હતો. આ વાસ્તવમાં, SRK જે કંઈ પણ “શ્રેષ્ઠતા, નીતિશાસ્ત્ર અને સ્થાયી સંબંધો” દર્શાવે છે, તેને એક શ્રદ્ધાંજલિ હતી. ઉલ્લેખનીય છે કે, SRK કંપની, વૈશ્વિક હીરા ઉદ્યોગનું નેતૃત્વ કરતા ડેવલોપમેન્ટ કરી રહી છે. તે ફક્ત પ્રતિભા સાથે જ નહીં, પરંતુ ભક્તિ, સેવા અને સત્યને તેના હૃદયમાં રાખીને પણ આગળ વધી રહી છે.

એસ.આર. લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટને 2023-24 માટે એસજીસીસીઆઈ ગોલ્ડન જ્યુબિલી એવોર્ડ મળ્યો

 

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી (SES) દ્વારા સંચાલિત અને સાર્વજનિક યુનિવર્સિટી (SU)ના એક ઘટક કોલેજ એસ.આર. લૂથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (SRLIM)ને પુરસ્કાર વર્ષ 2023-24 માટે શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાના રૂપમાં પ્રતિષ્ઠિત SGCCI ગોલ્ડન જુબિલી મહાવીર સિન્થેસિસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે.

આ પ્રતિષ્ઠિત માન્યતા, જેને બીજી વખત એવોર્ડ વર્ષ 2017-18 માટે મળી હતી, તે એસઆરએલઆઈએમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પ્રત્યેની અવિરત પ્રતિબદ્ધતા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેના અવિરત પ્રયાસને પ્રકાશિત કરે છે.


આ પુરસ્કાર સર્વજનિક યુનિવર્સિટીના એસઈએસના અધ્યક્ષ અને પ્રમુખ શ્રી ભરત શાહના હસ્તે પ્રાપ્ત થયો હતો. શ્રી આશિષ વકીલ, વાઇસ ચેરમેન – 1, એસઇએસ; ડો.કિશોર દેસાઈ, વાઈસ ચેરમેન – 2, એસઈએસ; ડો.કિરણ પંડયા, પ્રોવોસ્ટ, સર્વજનિક યુનિવર્સિટી; શ્રી યતીશ પારેખ, એસઈએસના પાસ્ટ ચેરમેન, અને એસ.આર.એલ.આઈ.એમ.ના ડાયરેક્ટર ડો.જીમી એમ.કાપડિયા તેમજ ફેકલ્ટી અને સ્ટાફના સભ્યો નો સમાવેશ થાય છે.

આ પ્રશંસા ઉદ્યોગની ગતિશીલ જરૂરિયાતોને પહોંચી વળવા માટે સતત વિકસિત થતી વખતે ઉચ્ચ શૈક્ષણિક ધોરણોને સમર્થન આપવાની એસ.આર.એલ.આઈ.એમ.ની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. તે બધા હિસ્સેદારોના સમર્પણ અને સામૂહિક પ્રયત્નોની ઉજવણી કરે છે જે સતત શ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલ રહે છે.

સર્જનાત્મકતા અને કલ્પનાની ઉજવણી: વર્લ્ડ આર્ટ ડે વિધાનમાં વ્હાઇટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલમાં રંગોથી ભરેલ દિવસ

 

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વર્લ્ડ આર્ટ ડે નિમિત્તે વિદ્યાર્થીઓ માટે રચનાત્મકતા અને કલ્પનાશક્તિનો ભવ્ય ઉત્સવ યોજાયો. સમગ્ર દિવસ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની કલાકૃતિઓ દ્વારા પોતાના વિચારો, લાગણીઓ અને સપનાઓને રંગરૂપે રજૂ કર્યા, અને શાળાનું વાતાવરણ એક જીવંત કળામંચમાં પરિવર્તિત થયું.

શાળાનું મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓની અંદર છુપાયેલી સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન આપવાનું હતું. શાળાનો મક્કમ વિશ્વાસ છે કે દરેક બાળકમાં એક અનોખો કલાકાર છુપાયેલો છે—જેણે પોતાની વાત કહેવા માટે માત્ર એક મંચ અને મંજુરીની જરૂર છે.

આ અવસરે વિદ્યાર્થીઓ માટે અનેક આકર્ષક અને હસ્તકલા આધારિત પ્રવૃત્તિઓ યોજાઈ, જેમાં સૌથી વિશેષ હતી પેબલ આર્ટ (નાનું પથ્થર કળા). બાળકોને નાના પથ્થરો અને રંગોની સહાયથી તેમને મનપસંદ આકાર આપવાનો મોકો મળ્યો. કોઈએ પંખીઓ બનાવ્યા, કોઈએ પ્રકૃતિ દર્શાવી, તો કોઈએ મૌલિક ડિઝાઇન બનાવી. સામાન્ય પથ્થરમાંથી વિદ્યાર્થી ઓ એ જે રીતે સર્જનાત્મકતા ઉપસાવી એ જોઈને સૌ ચકિત રહી ગયા.

બીજી રોચક પ્રવૃતિ હતી કોલાજ મેકિંગ, જ્યાં વિદ્યાર્થીઓએ જૂના મેગેઝીન, કપડાંના ટુકડા, સૂકા પાન અને રંગીન કાગળોની મદદથી કલ્પનાત્મક દૃશ્યો તૈયાર કર્યા. દરેક કોલાજ પોતાની એક અલગ કહાણી કહેતો હતો—ક્યારેક કુદરતની, તો ક્યારેક સપનાની દુનિયાની. આ પ્રવૃત્તિએ વિદ્યાર્થીની દૃશ્ય અભિવ્યક્તિ અને કહાણી કહવાની ક્ષમતા વિકસાવી.

અત્રે ફ્રીહેન્ડ ડ્રોઇંગ, ફિંગર પેઇન્ટિંગ અને જૂથમાં બનાવવામાં આવેલા મ્યુરલ જેવી પ્રવૃત્તિઓ પણ યોજાઈ, જેણે શાળાનું વાતાવરણ રચનાત્મક ઉર્જાથી પરિપૂર્ણ કરી દીધું. બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાનાં વિચારોને રંગોથી વ્યક્ત કર્યા.

અંતે વિદ્યાર્થીઓની કલાકૃતિઓની એક વિશાળ પ્રદર્શન ગેલેરી યોજાઈ, જ્યાં શિક્ષકો, માતાપિતાઓ અને સ્કૂલ સ્ટાફે બાળકોના કાર્યની પ્રશંસા કરી. દરેક પેઇન્ટિંગ અને કોલાજમાં બાળકની કલ્પનાની ઊંચી ઊડાન સ્પષ્ટ જોવા મળી.

આ અવસરે વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના મુખ્યાધ્યાપકે જણાવ્યું કે, “કલા એ માત્ર સૌંદર્ય નથી, તે બાળકોને પોતાની અંદરની દુનિયાને શોધવાનો અને વ્યક્ત કરવાનો માર્ગ આપે છે. આજના સમય માટે આવું સર્જનાત્મક અભ્યાસ મહત્વપૂર્ણ છે.”

વાસ્તવમાં, વર્લ્ડ આર્ટ ડેનું આ ઉજવણી માત્ર એક કાર્યક્રમ ન હતો, પણ વિદ્યાર્થીઓની અંદર રહેલી કલા, કલ્પના અને અભિવ્યક્તિની ઉજવણી હતી—એક એવો દિવસ, જ્યાં દરેક બાળકને પોતાને વ્યક્ત કરવાની તાકાત અને મંચ મળ્યો.

ગુજરાત પ્રજાપતિ સમાજ શતાબ્દી મહોત્સવની અમદાવાદ ખાતે ભવ્ય ઉજવણી

 

ગુજરાતમાં ભારતની પ્રજાપતિ સમાજની સૌથી જુની સંસ્થા ગુજરાત પ્રજાપતિ સમાજ, અમદાવાદ દ્વારા ૧૦૦ વર્ષની ઉજવણીરૂપે શતાબ્દી મહોત્સવનું ઐતિહાસિક આયોજન ૧૩ એપ્રિલ, ૨૦૨૫, રવિવારના રોજ શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે પ્રમુખશ્રી કેશવલાલ એસ. પ્રજાપતિની આગેવાનીમાં ભવ્યતાથી સંપન્ન થયું. સમગ્ર ગુજરાતમાંથી સૌ પ્રથમવાર ૩૦૦ થી વધારે ગોળ સમાજના પ્રમુખો, આગેવાનો અને શ્રેષ્ઠીઓ સાથે ૧૫૦૦૦ થી વધુ ભાઈઓ-બહેનોએ પરિવાર સાથે ઉપસ્થિત રહીને શતાબ્દી મહોત્સવને ભવ્ય અને યાદગાર બનાવ્યો હતો.

શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે સમાજ દ્વારા ૫૦૦ દિકરીઓ માટે રૂા. ૩૫ કરોડના ખર્ચે અઘતન સુવિધાઓ યુક્ત કન્યા છાત્રાલયનું નિમાંણ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રસંગે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીએ નિર્માણાધીન કન્યા છાત્રાલયના બ્રોશરનું વિમોચન કર્યું હતું તેમજ સામાજિક એકતા અને સર્વાંગી વિકાસ માટે ખુબ જ સચોટ પ્રવચન અને માર્ગદર્શન પુરું પાડયું હતું. ઉપસ્થિત તમામ જ્ઞાતિબંધુઓને સંસ્થાને પ્રતિબદ્ધ રહીને દરેક કાર્યમાં એકતા સાથે સહયોગ આપવાના પ્રણ લેવડાવ્યા હતા.

આ સમારંભમાં માનનીય સાસંદ શ્રી મયંકભાઈ નાયક તેમજ શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ (ભાજપ, નેતાશાસક પક્ષ AMC) એ ઉપસ્થિત રહીને પ્રસંગને દિપાવ્યો હતો. મયંકભાઈ નાયકે પ્રસંગોચિત ઉદબોધનમાં સમાજના સર્વાંગી વિકાસ અને શિક્ષણ અંગે માર્ગદર્શન પુરું પાડયું હતું તેમજ સમાજને નિર્માણાધીન કન્યા છાત્રાલય રૂ।. ૧૧ લાખનું દાન જાહેર સામાજિક સમરસતાનો એક ઉત્તમ દાખલો બેસાડયો હતો.

અમદાવાદ, સુરત, નવસારી, ઉત્તર ગુજરાત તેમજ ગુજરાતના અન્ય ભાગમાંથી પણ શ્રેષ્ઠીઓ અને દાતાઓએ રૂા. ૨૦ કરોડથી પણવધારેનું દાન લખાવ્યું હતું. જંખીતભાઈ સી. પ્રજાપતિ, અમદાવાદનાં અધ્યક્ષ સ્થાને તેમજ દિનેશભાઈ ડી. મિસ્ત્રી, નવસારીની વિશેષ ઉપસ્થિતિમાં આ સમારંભના મંચ પર સમાજના દાનવીર શ્રેષ્ઠીઓની સાથે શૈલેષભાઈ કે. પ્રજાપતિ (IAS, કલેકટરશ્રી, મહેસાણા), જયંતિભાઈ એસ. પ્રજાપતિ (IAS, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મોરબી), હસમુખભાઈ ડી. પ્રજાપતિ (IAS, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોરબંદર), બાબુભાઈ એમ. પ્રજાપતિ (IAS, એડિશનલ કમિશનરશ્રી ડેવલોપમેન્ટ, ગાંધીનગર) એ ઉપસ્થિત રહીને સમારંભની શોભામાં વધારો કર્યો હતો.

આ સમગ્ર પ્રસંગના અભૂતપૂર્વ આયોજનમાં ડૉ. પ્રો. જયંતિભાઈ પ્રજાપતિ, વિજયભાઈ કે. પ્રજાપતિ, વસંતભાઈ જે. પ્રજાપતિ, કાંતિભાઈ જે. ઓઝા (સુરત), લાલજીભાઈ કે. પ્રજાપતિ અને સમાજના મહિલા સંયોજક વર્ષાબેન હારેજા અને અરુણાબેન પ્રજાપતિ સાથે ડૉ. વિધિ એન. ઓઝા, રાણીપ વિમેન્સ ક્રિએટિવ ગ્રુપના સભ્યો તેમજ અનેક કન્વીનર ભાઈઓ-બહેનોએ અથાગ પરિશ્રમ કર્યો હતો. જેના પરિણામ સ્વરૂપે ગુજરાત પ્રજાપતિ સમાજનું આ મહાસંમેલન સામાજિક એકતા માટેના તેના ઉદ્દેશ્યમાં સમાજની વિવિધ પેટા જ્ઞાતિઓને સાથે રાખીને અતિ ભવ્ય રીતે સફળ થયું હતું.