Posts by: abhay_news_editor
AURO યુનિવર્સિટીમાં 12મા દીક્ષાંત સમારોહની ઉજવણી કરાય
સુરત, 6 ડિસેમ્બર, 2024 – AURO યુનિવર્સિટીએ ઈન્ટિગ્રલ અને ટ્રાન્સફોર્મેશનલ લર્નિંગ માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે શુક્રવારે, ડિસેમ્બર 6, 2024 ના રોજ તેના 12મા દીક્ષાંત સમારોહની ઉજવણી કરી..
AURO યુનિવર્સિટીએ ઉત્કૃષ્ટ રેન્ક ધારકોને કુલ 41 મેડલ [16 ગોલ્ડ-પ્લેટેડ મેડલ અને 25 સિલ્વર મેડલ] એનાયત કર્યા હતા, જેમાં 23 ગર્લ્સ મેડલિસ્ટ્સ કે જેઓ 18 બોય્ઝ રેન્ક ધારકો સમાવિષ્ટ થયા.
કુલ મળીને, 275 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી જેમાં 156 છોકરાઓ અને 119 છોકરીઓનો સમાવેશ થાય છે. જેમાં 200 સ્નાતકો, 71, અનુસ્નાતક અને 04 સંશોધન વિદ્વાનોને સ્કૂલ ઑફ બિઝનેસ, લૉ, ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને લિબરલ આર્ટ્સ એન્ડ હેઠળ પીએચડીની ડિગ્રી આપવામાં આવી હતી. પદવીદાનના અનુક્રમે સ્કૂલ ઑફ બિઝનેસે યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું 120 ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી, ત્યારબાદ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી[44], લૉ [28] લિબરલ આર્ટસ એન્ડ હ્યુમન સાયન્સ અને હોસ્પિટાલિટી પ્રત્યેક [23] જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન [21] અને ડિઝાઇન [16] વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી.
, માનનીય વાઇસ ચાન્સેલર, પ્રોફેસર પરિમલ એચ. વ્યાસે તેમના પ્રેરણાદાયી સંબોધનમાં NEP-2020 ના અમલીકરણ સહિત, AURO યુનિવર્સિટીના મુખ્ય લક્ષ્યો અને નોંધપાત્ર સિદ્ધિઓ વિષે વાત કરી. તેમણે રેન્ક ધારકોને પણ અભિનંદન પાઠવ્યા હતા તેમજ 2024 ના વર્ગના મેરીટોરીયસ સ્નાતક વિદ્યાર્થીઓને ભવિષ્યની પ્રેરણા આપી અને તેમની સિદ્ધિની પ્રશંસા કરી હતી.

સ્થાપક પ્રમુખ અને માનનીય ચાન્સેલર શ્રી હસમુખ પી. રામાએ પ્રમુખીય પ્રવચનમાં જણાવ્યું કે, “અમે અમારા વિદ્યાર્થીઓને એવા મૂલ્યો અને સિદ્ધાંતો સાથે તૈયાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ જે તેમને અર્થપૂર્ણ જીવન જીવવામાં અને તેમને સમાજ ઉપયોગી સેવા આપવા માટે સક્ષમ બનાવે.”
વિશેષ અતિથિપદે ઉપસ્થિત શ્રેષ્ઠ ઉદ્યોગપતિ અને પદ્મશ્રી પુરસ્ક્રુત શ્રી સવજીભાઈ ધોળકિયા (હરી કૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા. લિ.ના સ્થાપક અને અધ્યક્ષ)એ તેમના ભાવનાત્મક ઉદબોધનમાં દ્વારા વિદ્યાર્થીઓને જીવનના મૂળભૂત મૂલ્યો માટે પ્રોત્સાહિત કર્યા અને સમાજ ઉપયોગી થવાનો સંદેશ આપ્યો. તેઓએ જણાવ્યું કે, “વિદ્યાર્થીઓએ માત્ર સફળતા માટે જ પ્રયત્ન નહીં કરવો જોઈએ, પરંતુ સમાજની સેવા કરવા અને રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા માટે સમર્પિત રહેવું જોઈએ.”
AURO યુનિવર્સિટીનો 12મોં દીક્ષાંત સમારોહ સર્વગ્રાહી શિક્ષણના ઉદ્દેશ્ય પ્રત્યેના તેના નીષ્ઠાત્મક પ્રયત્ન અને યુનિવર્સિટીની ટેગ લાઇન ‘લર્નર્સ ટુ લીડર્સ’ની અનુભૂતિને ગૌરવપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે, જેઓ ભારતને @2047માં “વિકસિત ભારત” માં રૂપાંતરિત કરવામાં તેમની સંપૂર્ણ પ્રતિબદ્ધતા અને નવીન દ્રષ્ટિ દ્વારા વિકાસ કરી રહ્યા છે જે આપણા પ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પરીકલ્પના મુજબ નજીકના ભવિષ્યમાં ‘નયા ભારત’નું નિર્માણ કરશે.
ઓરો યુનિવર્સિટીનો ૧૨મો પદવીદાન સંમારંભ 6 ડિસેમ્બરે યોજાશે
સુરત. ઓરો યુનિવર્સિટી દ્વારા 12મા પદવીદાન સમારોહનું આયોજન શુક્રવાર, 06મી ડિસેમ્બર 2024ના રોજ સાંજે 4:45 કલાકે કરવામાં આવ્યું છે. શ્રી હસુમુખભાઈ પી. રામાના નેતૃત્વ હેઠળ સ્થપાયેલ ઓરો યુનિવર્સિટી, શ્રી અરવિંદ અને માતાજીની દ્રષ્ટિ અને શિક્ષણોથી પ્રેરિત છે. AURO યુનિવર્સિટી એ ઇન્ટિગ્રલ અને ટ્રાન્સફોર્મેશનલ લર્નિંગની પ્રીમિયર યુનિવર્સિટી છે જે વિદ્યાર્થીઓને ભાવિ લીડર બનવા માટે સશક્ત કરે છે. યુનિવર્સિટીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ (NEP-2020)ને સફળતાથી અમલમાં મૂકી છે.
પદવીદાન સંમારંભના મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા હાજર રહેશે, જેઓ હરી કૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા. લિ.ના સ્થાપક અને અધ્યક્ષ છે. તેઓ માત્ર પ્રખ્યાત ઉદ્યોગપતિ જ નહીં પરંતુ એક નિષ્ઠાવાન પર્યાવરણ પ્રેમી છે, જેમને “લેક્સ મેન ઓફ ઇન્ડિયા” તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 160 થી વધુ તળાવ બનાવ્યા છે અને અનેક નદીઓને પુનર્જીવિત કરી છે.
આ પદવીદાન સંમારંભમાં કુલ ૨૭૫ વિદ્યાર્થીઓને ડોકટર ઓફ ફિલોસોફી (Ph.D.), પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિગ્રી, અંડરગ્રેજ્યુએટ ડિગ્રી અને ડિપ્લોમા પ્રદાન કરવામાં આવશે. જેમાં ૪૧ રેન્કધારકોને મેડલ આપવામાં આવશે, જેમાં ૧૬ ગોલ્ડ મેડલ અને ૨૫ સિલ્વર મેડલ એનાયત કરાશે. આમાં ૨૩ વિદ્યાર્થિનીઓ અને ૧૮ વિદ્યાર્થિઓનો સમાવેશ થાય છે.
તદ્ ઉપરાંત શાળાવાર ડિગ્રી વિતરણ જોઈએ તો બિઝનેસ સ્કૂલમાં સૌથી વધુ ૧૨૦ વિદ્યાર્થી (Ph.D., MBA, BBA, B.Com), ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સ્કૂલ: ૪૪ વિદ્યાર્થીઓ (Ph.D., B.Sc. & M.Sc.: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), કાયદા શાળા: ૨૮ વિદ્યાર્થી (Ph.D., LLM, 5 વર્ષના BBA-LLB અને BA-LLB), હોસ્પિટાલિટી સ્કૂલ: ૨૩ વિદ્યાર્થી (B.Sc.: HM), લિબરલ આર્ટ્સ અને હ્યુમન સાઇન્સ સ્કૂલ: ૨૩ વિદ્યાર્થી (Ph.D., BA અને BA [Honours]), જર્નાલિઝમ અને માસ કમ્યુનિકેશન સ્કૂલ: ૨૧ વિદ્યાર્થી (BJMC, MJMC), ડિઝાઇન શાળા: ૧૬ વિદ્યાર્થી (M. Des, B. Design: ગ્રાફિક્સ અને કમ્યુનિકેશન, ઈન્ટરસ્પેસ, ફેશન અને ટેક્સટાઇલ્સ). આ વર્ષે ૪ વિદ્યાર્થીઓને Ph.D.ડિગ્રી એનાયત થશે.
પદવીદાન સમારોહ સ્નાતકો, તેમના પરિવારજાનો અને AURO યુનિવર્સિટી પરિવાર માટે ગર્વની ક્ષણ બની રહેશે.
હીરાના વેપારી અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ વડાપ્રધાન મોદીને ‘ નવા ભારત ‘ ના સ્વપ્નનું પ્રતીક “નવભારત રત્ન” અર્પણ કર્યો
નવી દિલ્હી. કુદરતી હીરાનું ઉત્પાદન અને નિકાસ કરતી પ્રતિષ્ઠિત કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK)ના સ્થાપક-ચેરમેન શ્રી ગોવિંદ ધોળકિયાએ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને એક અનોખી ભેટ આપી છે. ભારતના નકશાના આકારમાં કાપવામાં આવેલ કુદરતી હીરાનું નામ “નવભારત રત્ન” છે. જે 2.120 કેરેટનો ઉત્કૃષ્ટ હીરો ભારતની એકતા, સૌંદર્ય અને અનંત તેજનું પ્રતીક છે, જેને સુરતના કુશળ કારીગરો દ્વારા ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે. જે આજરોજ ગોવિંદભાઈ ધોળકિયાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને અર્પણ કર્યો છે.

આ હીરાને અંદાજે 3700 મિનિટની મહેનત, આયોજન અને ઝીણવટભરી પ્રક્રિયા બાદ તૈયાર કરવામાં આવ્યો છે. તે માત્ર દેશની સમૃદ્ધિનું પ્રતીક જ નથી પણ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રદ્ધાંજલિ પણ છે. “નવભારત રત્ન” એ ઉત્તમ હીરાની કારીગરી અને સમર્પણનો જીવંત સાક્ષી છે જે રાજેશભાઈ કાછડિયા અને વિશાલભાઈ ઈટાલિયા જેવા રત્ન કલાકારોની મહેનતથી ફળીભૂત થયું છે. SRKમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા રાજેશભાઈએ ભારતનો નકશો દોરવા માટે 40 કલાકનો સમય લીધો જે એક સૈનિકના બલિદાન સમાન ગણવામાં આવી રહ્યું છે. તેમનો ઉત્સાહ ગુજરાત સાથેના તેમના ઊંડા ભાવનાત્મક જોડાણથી પ્રેરિત હતો. તે જ સમયે, વિશાલભાઈ, જેઓ SRK સાથે 6 વર્ષથી કામ કરી રહ્યા છે, તેમણે 22 કલાક સુધી આ ડાયમંડને ખૂબ જ કાળજીપૂર્વક પોલિશ કર્યો. તેઓએ સાથે મળીને જુસ્સા, કૌશલ્ય અને ઉજ્જવળ ભવિષ્યના વિઝન સાથે “નવભારત રત્ન” એનાયત કર્યો.
હીરાના ઉત્પાદનમાં વિશ્વ અગ્રેસર એવા પ્રદેશમાં આ ભેટનું વ્યક્તિગત મહત્વ પણ છે. કારણ કે સુરત અને ગુજરાતમાં વિશ્વના 90% હીરા તૈયાર કરવામાં આવે છે. જેને પગલે ગુજરાતએ વૈશ્વિક હીરા ઉદ્યોગના હૃદય તરીકે ચમકે છે. આ અનન્ય હીરા ભારતીય કારીગરોની અજોડ પ્રતિભા અને ભારતના વધતા વૈશ્વિક મહત્વને દર્શાવે છે. “નવભારત રત્ન” માત્ર હીરા નથી તે ભારતના ઉજ્જવળ ભાવિનું પ્રતીક છે, જે કુશળ કારીગરો દ્વારા પ્રેમ અને દ્રષ્ટિથી તૈયાર કરવામાં આવ્યો છે.
ક્રિસમસને લઈને લે મેરિડીયન હોટેલ ખાતે કેક મિક્સિંગ સેરેમની યોજાઈ
સુરત. આગામી ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટને લઈને આજરોજ શહેરની ખ્યાતનામ લે મેરિડીયન હોટેલ ખાતે કેક મિકસિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. હોટેલના ચીફ શેફ શશીકાંત રાઠોડે જણાવ્યું હતું કે સમગ્ર વર્લ્ડ માં આ પરંપરા રહી છે કે ક્રિસમસ પહેલા ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં કેક મિક્સીંગ સેરેમની યોજવાના આવે છે. જેમાં ડ્રાઈ ફ્રુટ્સ સમેત કેક માટેની જરૂરી સામગ્રીઓ મિક્સ કરવામાં આવે છે. આ મીક્સિંગ મેટરિયલને એક વર્ષ સુધી ગેલનમાં ફ્રીઝ કરી દેવામાં આવે છે અને એક વર્ષ બાદ ક્રિસમસ પર તેનો કેક, પેસ્ટી બનાવી હોટલમાં આવનાર ગ્રાહકોને સર્વ કરવામાં આવે છે. આજરોજ હોટેલની ક્લબ લોબી ખાતે આયોજિત કેક મિક્સિગ સેરેમાનીમાં હોટેલના જનરલ મેનેજર પ્રકાશ પરમાર સહિત તમામ સિનિયર અને જુનિયર સેફ અને અન્ય સ્ટાફ હજાર રહ્યો હતો.
ઈઝી બોબા સુરતમાં 18મું આઉટલેટ ખોલી, ગુજરાતમાં સતત વૃદ્ધિની દિશામાં નવો મકામ
સુરત, ગુજરાત – 2 ડિસેમ્બર, 2024: ઈઝી બોબા, જે ભારતમાં પ્રામાણિક બબલ ટી લાવવાનું બીજું નામ છે, ગૌરવભેર સુરતમાં 18મું આઉટલેટ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. આ આઉટલેટ સુરતના વેસુ વિસ્તારમાં સ્થિત છે, જે “ડાયમંડ કેપિટલ” તરીકે ઓળખાય છે. આ ઉલ્લેખનીય ઉપલબ્ધિ પાછલા મહિને ગુજરાતમાં પટેલ કોલોની, મોરબી અને યુનિવર્સિટી રોડ, રાજકોટ સ્થિત આઉટલેટ્સના શાનદાર લૉન્ચના પગલે થઈ છે.
ઈઝી બોબાના સ્થાપક, અદનાન સરકર, એ બ્રાન્ડના વિસ્તરણ અંગે જણાવ્યું હતું કે
“સુરત સંસ્કૃતિઓનું મિશ્રણ અને ખોરાકના નવનવતા માટેની જુસ્સાને પ્રતિબિંબિત કરે છે, જે ઈઝી બોબા માટે એક આદર્શ સ્થાન બનાવે છે. ભારતમાં પ્રામાણિક અને સર્વસમાવેશક બબલ ટીનો અનુભવ લાવવા માટે અમે સદૈવ પ્રતિબદ્ધ રહીએ છીએ, અને આ નવું આઉટલેટ આ દ્રષ્ટિકોણને હકીકતમાં લાવવા માટે એક સકારાત્મક પગલું છે. ગુજરાતે અમારા પ્રોડક્ટ્સ માટે ઉત્સાહ પ્રદર્શિત કર્યો છે, અને અમને રાજ્યમાં અમારી હાજરી મજબૂત કરવામાં આનંદ થાય છે.”
મુંબઇમાંથી ઉદ્ભવેલી બ્રાન્ડ, ઈઝી બોબા, હાલ મુંબઇ, પુણે અને ગુજરાતમાં 18 આઉટલેટ્સની સફળતાપૂર્વક કામગીરી કરી રહી છે. તેની વેગવાળેલી વૃદ્ધિ અને ભારતમાં વિવિધ ગ્રાહકો વચ્ચે તેની લોકપ્રિયતાને આ બ્રાન્ડની પ્રામાણિકતા અને સર્વગ્રાહ્યતા પ્રતીત થાય છે.
ઈઝી બોબા તેની વિશાળ શ્રેણીની બબલ ટી ફ્લેવર્સ માટે ઓળખાય છે, જેમાં ડેરી-મુક્ત, લોક-કૅલરી અને પ્લાન્ટ-બેઝ્ડ વિકલ્પો શામેલ છે, જે લેક્ટોઝ અસહ્યતાવાળા અથવા આરોગ્યપ્રદ વિકલ્પોની શોધમાં રહેલા તમામ માટે આનંદમય અનુભવ પૂરો પાડે છે.
વિશ્વના ખોરાક ટ્રેન્ડ્સને ભારતીય બજારમાં લાવવા માટે પ્રતિબદ્ધ, ઈઝી બોબા તેના શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં પણ ઝડપથી ઉપસ્થિતી વધારી રહ્યું છે. બ્રાન્ડની ઝડપભેર વૃદ્ધિ ભારતના બબલ ટી બજારમાં મિશ્ર માનકને ફરીથી પરિભાષિત કરવા માટેની તેની મહત્વાકાંક્ષાને દર્શાવે છે.
વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લો:
https://www.easyboba.in/
અમારા Instagram પેજને ફોલો કરવા માટે:
https://www.instagram.com/easybobaindia?igsh=MWRzcmFpZjBkdTk2MA==
ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોસીએશન દ્વારા પ્રિસ્કૂલ નોંધણી નિયમમાં રહેલ વિસંગતતા દૂર કરી નવી પોલિસી બનાવવાની રજૂઆત કરાઈ
આજરોજ GIPSA (ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિસ્કૂલ આસોસીશન) નાં ગુજરાત ભરમાંથી આવેલ એસોસીએશનના મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા તાજેતરમાં આવેલ પ્રિ-સ્કૂલની નોંધણી કરાવવા માટે જે આકરા નિયમો બનાવેલ છે અને પ્રિ-સ્કૂલની પોલિસી માં જે વિસંગતાઓ રહેલ છે તે બાબતની સ્પષ્ટતાઓ તેમજ પ્રિસ્કૂલ બચાવવા માટેની રજૂઆત કરવા માટે આજરોજ ગુજરાત ભરમાંથી રાજકોટ, સુરત અમદાવાદ, વડોદરા તેમજ ગાંધીનગર પ્રિસ્કૂલ એસોસીએશન ના મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રીશ્રી શિક્ષણમંત્રીશ્રી, શિક્ષણ સચિવશ્રી, મહિલા અને બાળવિકાસ મંત્રીશ્રી, તમામ જિલ્લાના કલેકટરશ્રી, શિક્ષણાધિકારીશ્રી, તેમજ તમામ મહાનગરોના મ્યુ. કમિશ્નરશ્રીને એકસાથે વિનંતી તેમજ રજૂઆત પત્રક આપવામાં આવેલ છે.
સરકાર દ્વારા રજીસ્ટ્રેશન માટે ઘડવામાં આવેલ નિયમોની સામે પ્રિ-સ્કૂલોની રજૂઆત :-
1 – કોઈપણ (રેસીડેન્સીયલ, કોમર્શિયલ, એજ્યુકેશનલજી બી.યુ. પરમિશન માન્ય રાખવામાં આવે અને બી.યુ. પરમિશન ન હોવાના કિસ્સામાં સ્ટ્રકચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટને પણ માન્ય રાખવામાં આવે
2 – 15 વર્ષના રજીસ્ટર્ડ ભાડા કરારને બદલે સાદો 11 મહિનાનો નોટરાઈઝડ ભાડા કરારની મંજૂરી આપવામાં આવેતો આ પ્રશ્ન હલ થઈ જાય તેવો છે.
3 – ટ્રસ્ટ / નોન પ્રોફિટ કંપની / સહકારી મંડળીની સાથે સાથે પ્રોપરાઇટર કે ભાગીદારીનો ઓપ્શન પણ પ્રિ-સ્કૂલની નોંધણી માટે હોવો જોઈએ
તમામ મુખ્ય કમિટીના મેમ્બર્સ દ્વારા સરકારને આ નાના પાયે ચાલતા એકમોને બંધ કરવાનો વારો નાં આવે અને 3 થી 6 વર્ષના બાળકોને ઘરની નજીકજ માતૃ પ્રેમ પીરસતી સંસ્થાઓ ટકી રહે અને ગુજરાતની સ્ત્રીઓ પગભર રહે તેવી માન્ય રજૂઆતો માનનીયશ્રી મુખ્યમંત્રી શિક્ષણમંત્રીશ્રી, મહિલા અને બાળવિકાસ મંત્રિશ્રી ને કરવામાં આવેલ છે.
ઝિક્સા સ્ટ્રોંગની હ્રદયસ્પર્શી ‘રેન્ડમ એક્ટ્સ ઑફ રિલીફ’ ઝુંબેશ: અદાણી અમદાવાદ મેરેથોનના પેઈન રિલીફ પાર્ટનર તરીકે ઝિક્સા સ્ટ્રોંગનો ગુજરાતમાં પ્રવેશ
મુંબઈ, નવેમ્બર 25, 2024 : ઝિક્સા સ્ટ્રોંગ જેનબર્ક્ટ ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડ વેલનેસ ડિવિઝનની પેઈન રિલીફ બ્રાન્ડ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લીસ્ટેડ 39 વર્ષ જૂન મુંબઈમાં હેડ ઓફિસ ધરાવતી, જેનબર્ક્ટ ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડના વેલનેસ ડિવિઝને ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. જેનબર્ક્ટની પેઈન રિલીફ બ્રાન્ડ ઝિક્સા સ્ટ્રોંગ અદાણી અમદાવાદ મેરેથોન 2024ની પેઈન રીલીફ એન્ડ રિકવરી પાર્ટનર રહી હતી. ગ્રાઉન્ડ ઉપર આવેલા ઝિક્સા સ્ટ્રોંગના ૩૨૦૦ સ્કે.ફિટ જેટલા વિશાળ સ્ટોલમાં રિકવરી સર્વિસીસ ઓફર કરવામાં આવી હતી, જેનો મહત્તમ લોકોએ લાભ લીધો હતો.
સમગ્ર ભારતમાં અગ્રણી ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા સમર્થિત, ઝિક્સા સ્ટ્રોંગ એ પ્રથમ અને એકમાત્ર પીડા રાહત શ્રેણી છે જે પીડા રાહત વિજ્ઞાનમાં એક નવો યુગ લાવતી ફ્લેશ માઇસીલ (Flash Micelle) ફાસ્ટ એબ્સોર્પ્શન ટેકનોલોજીનો સફળતાપૂર્વક ઉપયોગ કરે છે. ઝિક્સા સ્ટ્રોંગ પેઈન રિલીફ સ્પ્રે, જેલ, રોલ-ઓન, ઓઈલ અને બામ એમ બહુવિધ ફોર્મેટમાં ઉપલબ્ધ છે અને શક્તિશાળી પ્લાન્ટ એક્ટિવ્સથી ભરપૂર છે. આ વ્યાપક શ્રેણી દરેક પસંદગી અને જરૂરિયાતને અનુરૂપ ચીકાશ રહિત, (નોન-સ્ટીકી) એપ્લિકેશન ઓફર કરતી વધુ અસરકારક રાહત આપે છે.
જેનબર્કટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી આશિષ યુ ભુતાએ, જણાવ્યું હતું કે ” ઝિક્સા સ્ટ્રોંગ વિજ્ઞાન અને નવીનતા દ્વારા વધુ સારી રીતે પીડા રાહત માટેની અમારી સંસ્થાની પ્રતિબદ્ધતાને રજૂ કરે છે. અમારી ક્રાંતિકારી ફ્લેશ માઇસીલ (Flash Micelle) ટેક્નોલોજી સાથે, અમે પ્રાકૃતિક પીડા રાહતમાં એક પ્રગતિ કરી છે જે પરંપરાગત ઉકેલો કરતાં વધુ ઝડપી અને વધુ અસરકારક રીતે કામ કરે છે. ગુજરાતમાં અમારું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R & D) સેન્ટર છે. આજે અમે ગુજરાતમાં આ પ્રોડક્ટને લોન્ચ કરવા સાથે આ અદ્યતન પીડા રાહત ઉકેલો ગુજરાતમાં લાવવામાં ગર્વ અનુભવીએ છીએ. પીડા વ્યવસ્થાપન માટેના અમારા નવીન, કુદરતી અભિગમનો પ્રતિસાદ જબરજસ્ત રહ્યો છે, જે દર્શાવે છે કે ગ્રાહકો વધુ સ્માર્ટ, વધુ અસરકારક ઉકેલો માટે તૈયાર છે, તેમ શ્રી ભુતાએ ઉમેર્યુ હતું”
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઝિક્સા સ્ટ્રોંગ બ્રાન્ડની ગુજરાતની સફર અમદાવાદ અને સુરતના ફાર્મસી નેટવર્કમાં ઉપલબ્ધતા સાથે શરૂ થાય છે અને સમગ્ર રાજ્યમાં વિસ્તરણ પામે છે. આ માઈલસ્ટોનને અંકિત કરીને, ઝિક્સા સ્ટ્રોંગે અદાણી અમદાવાદ મેરેથોનમાં તેના અદ્યતન પેઈન રિલિફ અને રિકવરી લાઉન્જનું પ્રદર્શન કર્યું હતું. ઝિક્સા સ્ટ્રોંગે ફિનિશ લાઈનની નજીક એક આધુનિક પેઈન રિલિફ અને રિકવરી લાઉન્જ, વ્યાવસાયિક મસાજ સ્ટેશન, કૂલિંગ થેરાપી પોઈન્ટ્સ ઊભા કર્યા હતા. આ એસોસિએશનમાં ફિઝિયોથેરાપી કોર્નર સાથે 20,000 થી વધુ દોડવીરોને સેવા આપી હતી, આ ઉપરાંત KD હોસ્પિટલના સહયોગથી એક ફિઝિયોથેરાપી કોર્નર, ઇન્ટરેક્ટિવ ફોટો લેવાની તકો અને પ્રખ્યાત હેલ્થ અને લાઈફ કોચ સપના વ્યાસ પટેલ સાથે વિશેષ શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી.
મેરેથોન સુધી આગળ વધીને, ઝિક્સા સ્ટ્રોંગે તેના હૃદયસ્પર્શી “રેન્ડમ એક્ટ્સ ઓફ રિલીફ” ઝુંબેશને અમદાવાદમાં રજૂ કરી હતી, જે શહેરના અથાક રોજિંદા હીરોની ઉજવણી કરે છે. નવીન #ઝિક્સા ઓન વ્હીલ્સ (#ZIXA On Wheels) ઝુંબેશમાં એક ખાસ બ્રાન્ડેડ કાર છે, જે શહેરની ભાવનાને જીવંત રાખનારાઓ જેમ કે શહેરની સવારને ઉત્તેજન આપતા સ્થાનિક ચા વાળાઓ, અસંખ્ય કલાકો અન્યની સેવામાં વિતાવતા અને શહેરના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખનારા જુસ્સાદાર હેરિટેજ વોક ગાઈડ જેવી મહેનતુ વ્યક્તિઓ સુધી પહોંચે છે, અને ઝિક્સા સ્ટ્રોંગ ગુડી બેગ્સ અને પીડા રાહત નમૂનાઓ દ્વારા પૂરક છે. આ ઝુંબેશથી કાળજી અને કૃતજ્ઞતાની આ અધિકૃત ક્ષણો સમગ્ર સોશિયલ મીડિયા પર એક શક્તિશાળી સ્પંદનો પેદા કરી રહી છે, જે હૃદયને સ્પર્શી રહી છે અને જેની સૌથી વધુ જરૂર છે તેમને રાહત આપવા માટે ઝિક્સા સ્ટ્રોંગની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી રહી છે.
ઝિક્સા સ્ટ્રોંગનું અનોખું સૂત્ર શક્તિશાળી પ્લાન્ટ એક્ટિવ્સ સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા ઘટકોને જોડે છે, જે ડિક્લોફેનાક-મુક્ત, ત્વચા-મૈત્રીપૂર્ણ અને ચીકાશ રહિત સોલ્યુશન ઓફર કરે છે. દેશભરમાં 75 થી વધુ મેરેથોન્સના વિશ્વસનીય ભાગીદાર તરીકે આ બ્રાન્ડ એમેઝોન (Amazon), ફ્લિપકાર્ટ (Flipkart), ટાટા ૧ એમજી(Tata 1mg), www.zixa.co અને મહારાષ્ટ્ર તેમજ કર્ણાટકમાં ફાર્મસીઓમાં ઉપલબ્ધ છે. જે હવે ગુજરાતના ફાર્મસી નેટવર્કમાં પણ વિસ્તરી રહી છે.
For More Information
Please Contact Jignesh Thakar on 98792 32190
દુબઈમાં વર્લ્ડ માઇન્ડ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં સુરતના બાળકો ચમક્યા
ઉમર ફારુક પટેલ, જિશા દેસાઈ, ઝારા ફારુક પટેલ, અર્ના કાપડિયા, દિવ્યમ લધ્ધા, યુગ કાવઠિયા અને દેવ શાહ જેઓ સુરત-ગુજરાતના પ્રતિભાશાળી યુવાનો એ દુબઈમાં યોજાયેલી પ્રતિષ્ઠિત વર્લ્ડ માઇન્ડ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં તેમની કેટેગરીમાં વિજય મેળવ્યો છે. 7,485 સ્પર્ધકોમાંથી, માત્ર 150 વિદ્યાર્થીઓ જ આ પ્રતિષ્ઠિત ઇવેન્ટ માટે ક્વોલિફાય થયા હતા. આ સ્પર્શમાં 10 દેશોમાંથી પ્રતિભાશાળી યુવા વિદ્યાર્થીઓ સ્પર્ધક તરીકે આવ્યા હતા. આ ચેમ્પિયનશિપમાં સુડોકુ, ચેસ, વર્ડ બેંક, ફ્લેશ મેથ્સ, ઓડિટર મેથ્સ , 10 ક્યુબમાં 1000, N- Fix, MMCWC – જુનિયર, MMCWC – સિનિયર, All 3 Cube જેવી 10 પડકારરૂપ સ્પર્ધાઓ હતી.
સુરતના બાળકોએ અસાધારણ પરાક્રમનું પ્રદર્શન કરીને ટોચના સન્માન મેળવ્યા: ઉમર પટેલ N-Fix માં ચેમ્પિયન, ચેસમાં સેકન્ડ રનર અપ અને All 3 Cube માં સેકન્ડ રનર અપ,
જીશા દેસાઈ MMCWC JR માં પ્રથમ રનર અપ,
ઓડિટરીમાં અર્ના કાપડિયા સેકન્ડ રનર અપ,
દિવ્યમ લદ્દા MMCWC SR માં પ્રથમ રનર અપ, N Fix માં યુગ કાવઠીયા સેકન્ડ રનર અપ, ઝારા ફારુક પટેલ અને દેવ શાહ વેરાટાઈલ ટ્રોફી મેળવી હતી. આ નોંધપાત્ર સિદ્ધિ તેમના સમર્પણ, સખત મહેનત અને બૌદ્ધિક શ્રેષ્ઠતાનો પુરાવો છે.
જીનિયસ કિડના સ્થાપક યુસેબીયસ નોરોન્હાએ જણાવ્યું હતું કે, “તેમને વૈશ્વિક મંચ પર આપણા રાષ્ટ્રને ગૌરવ અપાવતા જોઈને અમે રોમાંચિત છીએ,” આ સિદ્ધિ અમને વધુ યુવાનોને આવી માઈડ ગેમ માં પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરવા પ્રોત્સાહન આપવા પ્રેરણા આપે છે.
સમર્થ IVF દ્વારા પોરબંદરમાં ડો.પારસ મજીઠીયા અને ડો.સ્વાતિ મજીઠીયાના નેતૃત્વમાં નવા સેન્ટરનો પ્રારંભ
પોરબંદર, 22 નવેમ્બર: ફર્ટિલિટી અને ફર્ટિલિટી હેલ્થકેરમાં અગ્રણી નામ સમર્થ IVF દ્વારા પોરબંદરમાં તેના નવા ફર્ટિલિટી સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ડો. પારસ મજીઠીયા (MBBS, MS – O&G, ART માં ફેલો) અને ડો. સ્વાતિ મજીઠીયા (MBBS, DGO)ના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ આ કેન્દ્ર પોરબંદરના લોકોને ઘર આંગણે વિશ્વ કક્ષાની વંધ્યત્વની સારવાર પૂરી પાડશે.
એક ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પોરબંદરના ભાજપના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની સાથે વિવિધ ક્ષેત્રના અન્ય આગેવાનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય ભાઈ શ્રી વસંત બાવાના આશીર્વાદથી ઉદ્ઘાટન વધુ નોંધપાત્ર અને આધ્યાત્મિક બન્યું. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણી મહેમાનોમાં શ્રી કાંધલભાઈ જાડેજા (ધારાસભ્ય, કુતિયાણા), શ્રી બાબુભાઈ બોખીરીયા (પૂર્વ કેબીનેટ મંત્રી, ભાજપ), હિરલબા જાડેજા (લાયન્સ ગવર્નર), શ્રી ભરતભાઈ ઓડેદરા (પૂર્વ સાંસદ, કોંગ્રેસ, પોરબંદર) ડો. ચેતનાબેન તિવારી (નગરપાલિકા પ્રમુખ, પોરબંદર) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડો. જીતેન વાઢેર (પ્રમુખ, IMA, પોરબંદર) ડો. હીરા ખોડિયાતર (પ્રમુખ, FOGSI, પોરબંદર), શ્રી પંકજ અગ્રવાલ (ડીઆઇજી, કોસ્ટગાર્ડ, પોરબંદર) અને પવન શિયાળ જેવા અગ્રણી મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરતાં ડૉ. પારસ મજીઠીયાએ જણાવ્યું હતું કે સમર્થ IVF યુગલોની જરૂરિયાતોને અનુરૂપ ફર્ટિલિટીની વિશ્વસનીય સારવાર પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે વંધ્યત્વની સારવારમાં નિપુણતાની સાથે સાથે સહાનુભૂતિપૂર્ણ વલણ પણ જરૂરી છે.

સમર્થ IVFના સહ-સ્થાપક ડૉ. આતિશ લઢ્ઢા, ડૉ. હર્ષલતા લઢ્ઢા અને ડૉ. કૃતિ પાથરિકરે પણ આ લૉન્ચમાં ભાગ લીધો હતો, જેમના પ્રયાસોને કારણે સંસ્થા ફર્ટિલિટી કેરના ક્ષેત્રમાં દેશભરમાં સતત સફળતાપૂર્વક વિકાસ કરી રહી છે.
હેલ્થકેર પ્રોફેશનલ્સ, કોમ્યુનિટી લીડર્સ અને સ્થાનિક રહેવાસીઓ સહિત 1000 થી વધુ હાજરીવાળી આ ઇવેન્ટમાં ફર્ટિલિટી કેરની ઉપલબ્ધતા અને વધતી માંગને અનુરૂપ સેવા પૂરી પાડવા માટે IVF સેવાઓમાં સમાજના વિશ્વાસ અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
સમર્થ IVF પોરબંદરમાં શરૂ થયેલા કેન્દ્ર સાથે ગુજરાતમાં તેના કેન્દ્રોનો ઝડપથી વિસ્તરણ કરી રહ્યું છે. માતા-પિતા બનવાની તૈયારી કરી રહેલા યુગલો માટે આશાના કિરણ તરીકે ઊભર્યું છે કારણ કે તે તેમના ઘરઆંગણે જ વિશ્વસ્તરીય ફર્ટિલિટી સોલ્યૂશન્સ પ્રદાન કરે છે.
રન ફોર ગર્લ ચાઈલ્ડ મેરેથોનની પૂર્વ ઈવેન્ટ Empower Summit યોજાઈ
ડૉ. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ આયોજિત મેરેથોન દોડનું આયોજન 5 જાન્યુઆરીના રોજ
સુરત. ડૉ. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા 5 જાન્યુઆરીના રોજ આયોજિત રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન માટે પ્રી-ઇવેન્ટ તરીકે ગુરુવારે “એમ્પાવર સમિટ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનનો ઉદ્દેશ્ય “કિશોરી વિકાસ” ને પ્રોત્સાહન આપવાનો છે, જે શિક્ષણ, આરોગ્ય અને શોષિત, વંચિત અને પીડિત સમુદાયોની દીકરીઓની આત્મનિર્ભરતા પ્રત્યે જાગૃતિ અને સમર્થનનો સંદેશ આપે છે.
પ્રી ઇવેન્ટના મુખ્ય મહેમાન શ્રી કેશુભાઈ ગોટી હતા. આ કાર્યક્રમમાં સુરત શહેરના તમામ નામાંકિત દોડવીરોએ ભાગ લીધો હતો. શહેરના અગ્રણી ઉદ્યોગ સાહસિકો, વ્યાવસાયિકો, શિક્ષણવિદો અને સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના દરેક ક્ષેત્રની મહિલાઓની હાજરીએ કાર્યક્રમના ઉદ્દેશ્યને સાર્થક બનાવ્યો હતો.

આ પ્રસંગે ટ્રસ્ટના પ્રેરણાદાયી સેવા કાર્યોની માહિતી આપવામાં આવી હતી. આ સાથે શ્રી લલિત જી પેરીવાલ રેસ ડાયરેક્ટર દ્વારા મેરેથોનના ટેકનિકલ અને મેનેજમેન્ટ પાસાઓ વિશે માહિતી રજૂ કરવામાં આવી હતી. સંવાદ સત્રમાં ઉપસ્થિત સહભાગીઓએ તેમના મંતવ્યો અને સૂચનો શેર કર્યા હતા. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ એ હતું કે આ ઇવેન્ટમાં *#runforgirlchild મેરેથોન*ના વિશેષ ટી-શર્ટ અને મેડલનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના આહ્વાનમાં ઉપસ્થિત મહેમાનોએ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ, યોજનાઓ અને અભિયાનમાં સહયોગ આપવાનું વચન આપ્યું હતું.
મેરેથોનનો ઉદ્દેશ્ય:
#runforgirlchild marathon એ કિશોરવયની છોકરીઓના સશક્તિકરણ માટે સમાજને સંવેદનશીલ અને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ છે.
કાર્યક્રમ માહિતી:
મેરેથોન તારીખ: 5 જાન્યુઆરી 2025
સ્થળ: vnsgu,સુરત
અભિયાનની થીમ: “બાળકીને સશક્ત બનાવો, રાષ્ટ્રને સશક્ત કરો”
આ પ્રસંગ સમાજના દરેક વર્ગમાંથી સહકાર અને સહભાગિતા માટે અપીલ કરે છે.
#runforgirlchild એ માત્ર એક જાતિ નથી, પરંતુ દીકરીઓ અને સમાજ માટે એક નવી દિશા છે.
માટે નવી પ્રેરણા છે.