Posts by: abhay_news_editor

ડુમસ આર્ટ પ્રોજેક્ટે તેની દસમી એડિશનનો પ્રારંભ કર્યો

 

‘Transcending Boundaries’ થીમ સાથે ડુમસ આર્ટ પ્રોજેક્ટની દસમી એડિશનનું વીઆર સુરત, ડુમસ રોડ, મગદલ્લા ખાતે ઉદ્ઘાટન થયું

સુરત, ગુજરાત, 18 સપ્ટેમ્બર, 2024 – યુજ આર્ટ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત પબ્લિક આર્ટ ફેસ્ટિવલ ડુમસ આર્ટ પ્રોજેક્ટે 18 સપ્ટેમ્બર, 2024ના રોજ તેની દસમી એડિશનનો પ્રારંભ કર્યો હતો. આ વર્ષની થીમ ‘Transcending Boundaries’ કલાકારોને તેમનું વિઝન, કલ્પાના અને કલાત્મક પ્રતિભાઓને દર્શાવે તેવી નવીનતમ કલાકૃતિઓ અને શિલ્પો તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના માનનીય મ્યુનિસિપલ કમિશ્નર આઈએએસ સુશ્રી શાલિની અગ્રવાલે આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. સમારંભનો પ્રારંભ પરંપરાગત દીપપ્રાગટ્ય સાથે અને કલા કારના ઉદ્ઘાટન સાથે થયો હતો. ત્યારબાદ મગદલ્લા પ્લાઝા ખાતે સર્વમ પટેલ દ્વારા ‘Sands of Time’ શીર્ષક હેઠળ મંત્રમુગ્ધ કરનારો લાઇવ સેન્ડ આર્ટ શૉ યોજાયો હતો.

આ ફેસ્ટિવલ ખાતે 200થી વધુ આર્ટ ઇન્સ્ટોલેશન, શિલ્પો, ચિત્રો અને ફોટોગ્રાફ્સ દર્શાવવામાં આવ્યા હતા. આ ઇન્સ્ટોલેશન જેજે સ્કૂલ ઓફ આર્ટ્સ, એમ એસ યુનિવર્સિટી, વડોદરા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ચિત્રકલા પરિષદ અને સાર્વજનિક સ્કૂલ ઓફ ફાઇન આર્ટ્સ તથા જેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. એવોર્ડ વિજેતા કલાકાર અને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ ધારક મિત્તલ સોજીત્રા સાથેના સહયોગથી કલા કાર તૈયાર કરવામાં આવી હતી. વીઆર સુરતના બેઝમેન્ટની દિવાલોને આર્ટ ગેલેરીમાં ફેરવતા ધ બેઝમેન્ટ આર્ટ પ્રોજેક્ટમાં કલાકારોની પિંઠુરા આર્ટની કૃતિઓ દર્શાવાઈ છે. આગામી એક મહિના સુધી વીઆર સુરત ઇન્સ્ટોલેશન, ફાઇન આર્ટ, ફોટોગ્રાફી, પ્રદર્શનો, વર્કશોપ, પેનલ ડિસ્કશન, યુવા કલાકારો વચ્ચે સ્પર્ધાઓ અને કલાકૃતિઓના બજાર સાથે કલાત્મક ઊજવણીઓનું કેન્દ્ર બની રહેશે.

ડુમસ આર્ટ પ્રોજેક્ટની આ એડિશન મહત્વપૂર્ણ સહયોગની શ્રેણી દ્વારા સંચાલિત છે જે દરેક આ ફેસ્ટિવલના બૃહદ વિઝનમાં પ્રદાન કરે છે. સ્ટેમ, શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રે યુનેસ્કો, નવી દિલ્હી સાથે એક મહત્વપૂર્ણ ભાગીદારી કરવામાં આવી છે. ધ્યાનાકર્ષક બાબતોમાં યુનેસ્કોના પબ્લિકેશન “A Braided River: The Universe of Indian Women in Science” પર આધારિત ફોટો એક્ઝિબિશન, ઈન્ટરવોવન લેગસીઝ: વર્લ્ડ હેરિટેજ અને ભારતમાં લિવિંગ હેરિટેજ વચ્ચે સિનર્જીઝ શીર્ષક હેઠળનું ડિજિટલ શૉકેસ અને રાજસ્થાનમાં લાંગા સંગીતકારો અને હાથશાળની કલાના જીવંત વારસાને સાચવવા તથા તેને પ્રોત્સાહન આપવા માટે યુનેસ્કોના પ્રયાસોની અનોખી રજૂઆતનો સમાવેશ થાય છે.

યુનાઇટેડ નેશન્સ સિવિલ સોસાયટી કોન્ફરન્સના સમર્થનથી ન્યૂયોર્ક સ્થિત આર્ટ્સ ફોર ધ ફ્યુચર ફેસ્ટિવલ સાથેનો આંતરરાષ્ટ્રીય સહયોગ વૈશ્વિક જનસમુદાયમાં અમારી પહોંચને વિસ્તારે છે. આ બંને ફેસ્ટિવલ્સ કલાકારો અને રચનાત્મક લોકો માટે સમાવેશક ઇકોસિસ્ટમ બનાવવાની પ્રતિબદ્ધતા ધરાવે છે જે આ ભાગીદારીને ડુમસ આર્ટ પ્રોજેક્ટનું સાહજિક વિસ્તરણ બનાવે છે.

“2013માં પ્રારંભ થયો ત્યારથી ડુમસ આર્ટ પ્રોજેક્ટે સમગ્ર ભારતમાં અદ્વિતીય પબ્લિક આર્ટ ફેસ્ટિવલ યોજવાની, અભિવ્યક્તિ માટે વાઇબ્રન્ટ સ્થળો ઊભા કરવાની તથા સાંસ્કૃતિક આદાનપ્રદાન માટેની અમારી સફરનો માર્ગ મોકળો કર્યો છે. અમે મેળવેલા અભૂતપૂર્વ સમર્થન અને જોડાણ માટે અમે ખૂબ જ આભારી છીએ જેના પગલે દરેક ફેસ્ટિવલ સાથે અમે અનેરો વિકાસ સાધ્યો છે. હવે અમે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે અમારો પ્રભાવ વિસ્તારી રહ્યા છીએ.

છેલ્લા એક દાયકામાં અમે યુનેસ્કો અને યુનાઇટેડ નેશન્સ સિવિલ સોસાયટી કોન્ફરન્સ દ્વારા સમર્થિત ન્યૂયોર્ક સ્થિત આર્ટ ફોર ધ ફ્યુચર ફેસ્ટિવલ જેવી સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારીઓ દ્વારા સાંસ્કૃતિક જાળવણી માટે ઉત્પ્રેરક તરીકે કામ કરવા માટે અમારા પબ્લિક આર્ટ ફેસ્ટિવલનો અવકાશ વિસ્તાર્યો છે. આર્ટિસ્ટ મેન્ટરશિપ પ્રોગ્રામ જેવી અમારી પહેલે ઊભરતી પ્રતિભાઓને સ્થાપિત વ્યવસાયિકો તરફથી શીખવાની તકો પૂરી પાડી છે. અમને ગર્વ છે કે અમે ડુમસ આર્ટ પ્રોજેક્ટની દસમી એડિશનનું આ સીમાચિહ્ન સર કર્યું છે અને વિદ્યાર્થીઓ તથા સમુદાય બંનેને સમૃદ્ધ બનાવે તેવી પહેલ તથા નવી ભાગીદારીઓ કરવાનું ચાલુ રાખવા માટે હું આતુર છું”, એમ ડુમસ આર્ટ પ્રોજેક્ટના ક્યુરેટર સુમી ગુપ્તાએ જણાવ્યું હતું.

“દુનિયાએ બનાવેલો વારસો, કુદરતી વારસો અને જીવંત વારસો એ ત્રણેય એકબીજા સાથે ગહન રીતે જોડાયેલા છે. એકમેક પરની આ નિર્ભરતાને ઓળખવી એ કેન્દ્રસ્થાને છે જેથી સુનિશ્ચિત કરી શકાય કે વારસાને સુરક્ષિત રાખવાના પ્રયાસો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સના માળખાકીય પાસાંને જ જાળવતા નથી પરંતુ પેઢીઓ સુધી પહોંચેલી સમુદાયોની જીવંત કામગીરીઓને ટકાવી પણ રાખે છે જે આ સાઇટ્સને તેનો ગહન અર્થ અને મહત્વ બક્ષે છે. યુનેસ્કો દ્વારા ડિજિટલ એક્ઝિબિશન ‘Interwoven Legacies’ ભારતમાં 8 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ અને તેની સાથે જોડાયેલી જીવંત વારસાગત અભિવ્યક્તિઓ વચ્ચેનો સંબંધ શોધે છે. રાજસ્થાનના હસ્તકલા કારીગરો અને લાંગા સંગીતકારોને સુરક્ષિત રાખવા માટેના ગંભીર પ્રયાસો દર્શાવવા સાથે તેને રજૂ કરવામાં આવ્યો છે”, એમ યુનેસ્કો નવી દિલ્હી સાઉથ એશિયા રિજનલ ઓફિસના ડિરેક્ટર અને પ્રતિનિધિ ટીમ કર્ટિસે જણાવ્યું હતું.

આ ફેસ્ટિવલ વિવિધ કલાત્મક અભિવ્યક્તિઓ, પ્રતિભાઓ અને પ્રોજેક્ટ્સનું ડાયનેમિક સંયોજન છે. ફોટોગ્રાફી અને વાર્તા કહેવા દ્વારા ઇતિહાસની અજાણી મહિલા નાયિકાઓને ઉજાર કરતા કાદમ્બરી મિશ્રાના શક્તિશાળી “Iconic Women Project”થી માંડીને ગીતા હડસનના કામોના પૂર્વવ્યાપી અવલોકનો સુધી. “Gujarat in Focus” નિષ્ણાંત ફોટોગ્રાફર્સ અને ઊભરતી પ્રતિભાઓ બંને દ્વારા લેવાયેલા શહેરના અદ્ભુત ફોટોગ્રાફ્સ દર્શાવે છે. યંગ આર્ટિસ્ટ્સ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને વિવિધ કલાત્મક માધ્યમો દ્વારા પોતાની જાતને શોધવા અને વ્યક્ત કરવાની તક આપે છે.

આ વર્ષે પબ્લિક આર્ટ ફેસ્ટિવલ્સે આર્ટરિચ સાથે ભાગીદારી કરી છે. આ સ્વૈચ્છિક સંસ્થા ભારતમાં હાંસિયામાં ધકેલાયેલા સમુદાયોના બાળકો, યુવાનો અને મહિલાઓના જીવનને સમૃદ્ધ બનાવવા માટે કલાકારો સાથે કામ કરે છે અને વિઝ્યુઅલ આર્ટ્સ દ્વારા સર્વાંગી શીખવાના અનુભવ પૂરા પાડીને તથા રચનાત્મકતા દ્વારા સહભાગીઓને સશક્ત કરે છે. ડુમસ આર્ટ પ્રોજેક્ટ માટે આર્ટરિચ સ્થાનિક કલાકારો અને સમુદાય સાથે સહયોગ કરશે, પબ્લિક આર્ટ ફેસ્ટિવલમાં ભાગ લેવાના અનુભવ શોધવા માટે બાળકો સાથે વર્કશોપ યોજશે અને નવી કલા શીખવાના કૌશલ્યો તથા વાર્તા કહેવાની રીત શીખવશે.

શહેરી પરિવર્તનમાં કલાની ભૂમિકા અંગેની પેનલ ડિસ્કશન યોજાશે જેમાં કલાકારો અને નિષ્ણાંતો ચર્ચા કરશે કે કલા કેવી રીતે શહેરી ક્ષેત્રની નવેસરથી વ્યાખ્યા કરી શકે છે. મોક્ષ ફાઉન્ડેશનના નિષ્ણાંત કલાકારો દ્વારા સ્પેશિયલ આર્ટ થેરાપી સેશનમાં કલા દ્વારા લાગણીઓ વ્યક્ત કરવાની શક્તિ રજૂ કરવામાં આવશે.

અન્ય આકર્ષણોમાં બ્લોક પ્રિન્ટિંગ, પેપર મેક, પોટરી, ફ્રેગનન્સ મેકિંગ અને મિરર મોઝેક પરની વર્કશોપ્સનો સમાવેશ થાય છે. આર્ટ બાઝાર લાઇવ મ્યુઝિક સાથે પોતાના પ્રેક્ષકો સાથે જોડાવા માટે સ્થાનિક કલાકારો માટે ક્યુરેટેડ માર્કેટ પૂરું પાડશે. યુનેસ્કો અને રાજસ્થાન ટુરિઝમ સાથેના સહયોગથી રાજસ્થાની કલાકારો દ્વારા લોકનૃત્યો અને હસ્તકલા પ્રદર્શનો સમૃદ્ધ સાંસ્કૃતિક અનુભવ પૂરો પાડશે. આઉટડોર અને મજબૂત કલાત્મક ઝુકાવ માટે અનેરા પ્રેમ માટે જાણીતા સુરતીઓને આનંદપ્રમોદ માટે બધું જ ઉપલબ્ધ થશે.

ડુમસ આર્ટ પ્રોજેક્ટ 2024માં ભાગ લેનારા કલાકાર વિદ્યાર્થીઓને પબ્લિક આર્ટ ફેસ્ટિવલના આર્ટિસ્ટ મેન્ટરશિપ પ્રોગ્રામ દ્વારા જાણીતા કલાકારો દ્વારા માર્ગદર્શન મેળવવાની તક મળશે. 2023માં શરૂ કરાયેલા આ પ્રોગ્રામમાં દર વર્ષે દરેક છ પબ્લિક આર્ટ ફેસ્ટિવલમાંથી ત્રણ વિદ્યાર્થી કલાકારોને પસંદ કરવામાં આવે છે. આ યુવા કલાકારોને બ્રિટિશ કન્ટેમ્પરી આર્ટિસ્ટ પિઅર્સ બુર્ક, કોચી-મુઝિરિસ બિનાલેના સહસ્થાપક અને કલાકાર બોઝ કૃષ્ણામાચારી, લેખક ઇના પુરી, ઈન્ડિયન આર્ટ ફેરના ડિરેક્ટર જયા અશોકન, જાણીતા હેરિટેજ ફોટોગ્રાફર અમિત પસરિચા, ટેક્સટાઇલ ડિઝાઇનર સુનિતા શંકર, કન્ટેમ્પરી આર્ટિસ્ટ મુરલી ચીરોઠ અને આર્ટ પ્રેક્ટિશનર તથા પેડાગોગ ભૃગુ શર્મા જેવા જાણીતા ક્રિએટર્સ તરફથી મેન્ટરશિપ મળશે.

ફિલ્મશૉપી, પાર્ક ઇન, આર્ટ્સ ફોર ધ ફ્યુચર ફેસ્ટિવલ, સ્વચ્છ ભારત સર્વેક્ષણ, લોટસ બોટલ આર્ટ અને એનઓએસ સાથેનો સહયોગ આ એડિશનની સફળતા તથા વૃદ્ધિ મેળવવા માટે મહત્વપૂર્ણ રહ્યો છે.

સુરત શહેરે હંમેશા રચનાત્મકતાની ઊજવણી કરી છે. તેના રહીશોએ કલાત્મક અભિવ્યક્તિના વિવિધ પ્રકારોમાં ઉત્સાહભેર ભાગ લીધો છે. ફેસ્ટિવલના પ્રારંભથી અત્યાર સુધી 3.17 મિલિયન મુલાકાતીઓ તેના પ્રત્યે આકર્ષાયા છે તે જ આ ફેસ્ટિવલની નોંધપાત્ર સફળતાનો પુરાવો છે.

2013માં શરૂ કરાયેલો ડુમસ આર્ટ પ્રોજેક્ટ ગુજરાતની વિવિધ કલાત્મક અભિવ્યક્તિઓનું વાઇબ્રન્ટ પ્રદર્શન છે. તે ધ યુજ આર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત છે અને વીઆર સુરતની Connecting Communities©️ પહેલનો પણ તે ભાગ છે જેનો ઉદ્દેશ્ય નાગરિક ગર્વને પ્રોત્સાહન આપવાનો, સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરવાનો અને શહેરની રાષ્ટ્રીય તથા આંતરરરાષ્ટ્રીય છબિને વધારવાનો છે.

MSU અને ISGJ દ્વારા સંયુક્તરૂપે જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગમાં ઉદ્યોગ-કેન્દ્રિત MBA-BBA કોર્સિસની શરૂઆત

 

સુરત, ગુજરાત: જેમ્સ અને જ્વેલરી સેક્ટરમાં સ્કીલ બેઝ્ડ ઉચ્ચ શિક્ષણ આપવાની દિશામાં 17 સપ્ટેમ્બરે એક મહત્વપૂર્ણ પગલું મેધાવી સ્કીલ્સ યુનિવર્સિટી (MSU) અને સુરતના ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી (ISGJ) વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) થકી મંડાયું છે. આ ક્ષેત્રમાં સ્કીલ ગેપને દૂર કરવા જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ (JD&M) માં તેઓ સંયુક્ત રૂપે ઉદ્યોગ સંલગ્ન BBA અને MBA અભ્યાસક્રમો શરૂ કરી રહ્યા છે. આ કોર્સિસ એપ્રેન્ટિસશીપ એમ્બેડેડ ડિગ્રી પ્રોગ્રામ (AEDP) છે જેનાથી વિદ્યાર્થીઓને ભણતા ભણતા જ સીધો ઉદ્યોગનો અનુભવ મળી રહેશે.

એમઓયુ પર હસ્તાક્ષર MSUના સહ-સ્થાપક અને પ્રો- ચાન્સેલર શ્રી કુલદીપ સરમા અને ISGJના સ્થાપક અને સીઈઓ શ્રી કલ્પેશ દેસાઈએ કર્યા હતા. આ પ્રસંગે MSUના ઇન્ડસ્ટ્રીયલ રીલેશન્સના વાઇસ પ્રેસિડન્ટ શ્રી સજીવ કુમાર અને ISGJ ના એકેડેમિક ડિરેક્ટર હાજર રહ્યા હતા.

સમારોહ પછી એક ઇન્ડસ્ટ્રી ટૂર કરવામાં આવી હતી. આ ટૂરમાં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરના મુખ્ય સ્ટેકહોલ્ડર્સ એટલે કે ઉદ્યોગના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ એકસાથે આવ્યા. પ્રતિનિધિમંડળે જેમ્સ અને જ્વેલરી ઉત્પાદન પ્રક્રિયામાં અત્યાધુનિક પ્રગતિનો ફર્સ્ટ હેન્ડ અનુભવ મેળવ્યો હતો. આ પ્રકારના કાર્યક્રમોથી શિક્ષણ જગત અને જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર વચ્ચે મજબૂત કડીનું નિર્માણ થાય છે.

આ એમઓયુનો ઉદ્દેશ્ય પરંપરાગત કારીગરી અને આધુનિક ઉદ્યોગની જરૂરિયાતો વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. આ કોર્સિસ વિદ્યાર્થિઓને સતત બદલાતા જતા જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ સાથે તાલ મિલાવતા શીખવશે.

આ પ્રસંગે પોતાનો ઉત્સાહ વ્યકત કરતા એમએસયુના કુલદીપ સરમાએ કહ્યું કે જેમ્સ અને જ્વેલરી સેક્ટરમાં 46 લાખ જેટલા લોકો મોટી સંખ્યામાં કામ કરે છે. તેઓ દેશના જીડીપીમાં મોટું યોગદાન કરે છે. એટલે તેમની સ્કીલ્સમાં વધારો કરવાનું કાર્ય આજે ખૂબ જ મહત્વનું બની ગયું છે. આ કરારથી અમે અમેં એવું કામ કરવા જઇ રહ્યા છીએ જે આ ક્ષેત્રના વિકાસમાં ખૂબ જ ગતિ લાવશે.

આ અંગે ખુશી વ્યક્ત કરતા, ISGJના શ્રી કલ્પેશ દેસાઈએ કહ્યું: “અમે BBA અને MBA અભ્યાસક્રમો શરૂ કરવા માટે MSU સાથે થયેલી ભાગીદારીથી ખૂબ જ ઉત્સાહિત છીએ. આ પ્રોગ્રામ્સ જેમ્સ અને જ્વેલરી બનાવવા માટેના કૌશલ્યમાંમાં ISGJના ઊંડા અને લાંબાગાળાના અનુભવ અને MSU ના કૌશલ્ય-આધારિત શિક્ષણ માટે ભવિષ્ય કેન્દ્રિત અભિગમનું શક્તિશાળી મિશ્રણ રજૂ કરે છે. સાથે મળીને અમે ડિઝાઇનર્સ અને પ્રોફેશનલ્સની એવી નવી પેઢીને ઉછેરવાનો ધ્યેય ધરાવીએ છીએ જેઓ મોર્ડન ગ્લોબલ ટ્રેન્ડ્સને અપનાવીને જેમ્સ અને જ્વેલરીમાં ભારતના સમૃદ્ધ વારસાને આગળ ધપાવશે.”

MSUના ડૉ. સજીવ કુમારે, ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગ માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા કહ્યું, “ જ્વેલરીનું ભારતના વારસામાં હંમેશા અનેરૂં મહત્ત્વ રહ્યું છે. આ એમઓયુ ઉભરતા ઉદ્યોગોમાં નવીનતા અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે અમારી યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાનો એક નવો અધ્યાય છે. અમારો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને શીખવાની એવી અનન્ય તકો પ્રદાન કરવી કરવાનો છે જે ઉદ્યોગ-સંબંધિત અને ભવિષ્ય-કેન્દ્રિત હોય.

કલામંદિર જ્વેલર્સ સુવર્ણ મહોત્સવ 2.0 ની ભવ્ય સફળતા માટે ગ્રાહકોનો દિલથી આભાર

 

સુરત, 18 સપ્ટેમ્બર: ભારતના ફેવરિટ જ્વેલરી ડેસ્ટિનેશન કલામંદિર જ્વેલર્સના સુવર્ણ મહોત્સવ 2.0 ને ગ્રાહકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. આ ઝુંબેશ એકટાઇમલેસ ડિઝાઇન્સ અને અનબિટેબલ ઓફર્સની ભવ્ય ઉજવણી હતી જે કલામંદિર જ્વેલર્સના તમામ સ્ટોર્સમાં ચલાવાઇ હતી.

સુવર્ણ મહોત્સવની ખાસ વાત હતી તમામ પ્રકારના સોના અને હીરાના આભૂષણોના મેકિંગ ચાર્જિસમાં 100% સુધીની છૂટ હતી. આ ઉપરાંત ગ્રાહકો પાસે 36,000 થી વધુ અદભૂત ડિઝાઇન્સમાંથી પસંદગીની અનોખી તક હતી.  પરંપરાને આધુનિકતા સાથે જોડીને અદભૂત ડિઝાઇન્સ રજૂ કરવી તેકલામંદિર જ્વેલર્સની વિશેષતા છે. આ ઝુંબેશની ભવ્ય સફળતા બતાવે છે કે કલામંદિર જ્વેલર્સે વર્ષોથી ભારતના સૌથી ગમતા જ્વેલરી ડેસ્ટિનેશન તરીકે ગ્રાહકોનો વિશ્વાસ અને વફાદારી સતત મેળવી છે.

ઝુંબેશની સફળતા પર ખુશી વ્યક્ત કરતા કલામંદિર જ્વેલર્સના ડાયરેક્ટર મિલન શાહે જણાવ્યું હતું કે,

કલામંદિર જ્વેલર્સ મુંબઈ, અમદાવાદ, સુરત, વાપી, ભરૂચ અને કોસંબામાં શોરૂમ સાથે તેની ઉત્કૃષ્ટ ડિઝાઇન અને શ્રેષ્ઠ કારીગરી માટે પ્રખ્યાત છે.  તહેવારોની મોસમ અને આગામી લગ્નની સીઝનને લઇને નોંધપાત્ર બચતનો આનંદ આ મહોત્સવે આપ્યો હતો.

કલામંદિર જ્વેલર્સના વ્યાપક જ્વેલરી કલેક્શનમાં તમામ ઊંમરના ગ્રાહકો માટે બ્રેસલેટ, ચેન, વીંટી, મંગળસૂત્ર, કાડા, નેકલેસ, પેન્ડન્ટ, એરિંગ્સ, પેન્ડન્ટ સેટ અને ઘણું બધું સામેલ છે.

“સુવર્ણ મહોત્સવ 2.0 ની આવી અપૂર્વ ઉજવણી કરવા બદલ અમે અમારા ગ્રાહકોના ખૂબ આભારી છીએ. તેમના પ્રેમ અને વિશ્વાસે આ ઇવેન્ટને અસાધારણ સફળતા આપી છે.   કલામંદિર જ્વેલર્સમાં, અમારૂ ધ્યેય સતત અમારા ગ્રાહકોને અસાધારણ શોપિંગ એક્સપિરિયન્સ આપવાનો છે.  અમે અમારા ગ્રાહકોનો આભાર માનીએ છીએ અને સાથે મળીને ભવિષ્યમાં વધુ યાદગાર બનાવવા માટે આતુર છીએ.”

23 વર્ષના સંઘર્ષ બાદ રાજ બાસિરા (Raj Baasira) નું સ્વપ્ન થયું સાકાર, ‘સતરંગી રે’ 20 સપ્ટેમ્બર, 2024ને થશે રિલીઝ

 

અમદાવાદ, સપ્ટેમ્બર 17: 20 સપ્ટેમ્બરે રીલીઝ થતી ગુજરાતી ફિલ્મ સતરંગી રે બનવાની કહાણી ભાવનગરના નાનકડા ગામથી શરૂ થાય છે. રાજેશ કુમાર ગાંગાણીએ 23 વર્ષ સુધી સંઘર્ષ કરીને પોતાનું સપનું પુરૂં કર્યું.

નામ – રાજેશ કુમાર મનજીભાઇ ગાંગાણી

પ્યાર કા નામ – રાજબાસિરા

જન્મ – જિલા- ભાવનગર, તાલુકા- સિહોર, ગામ- બેકડી ગામ 

દિન – 5 જુલાઇ 1981 

આ ઓળખાણ અમિતાભ બચ્ચનની ફિલ્મ અગ્નિપથના ડાયલોગ જેવી લાગે છે. પરંતુ જે વ્યક્તિ છે તેણે પણ એક ફિલ્મ બનાવવા માટે જાણે અગ્નિપથ પર ચાલવું પડ્યું છે. સતત 23 વર્ષ સુધી સંઘર્ષ કર્યા પછી અંતે હવે- સંતરંગી રે નામનું ગુજરાતી મૂવી 20 સપ્ટેમ્બરે રીલીઝ કરવા જઇ રહ્યા છે. 

રાજેશ કુમાર ગાંગાણી ઉર્ફે રાજબાસિરાનું મૂળ ગામ હબુકવડ છે જે ભાવનગરના જ તળાજા તાલુકામાં આવેલું છે. અહીં બાળપણ વીત્યુ અને 7 ધોરણ સુધી અભ્યાસ કર્યો. ગામ એટલું નાનું કે પ્રાથમિક શાળા પછી ધો. 10 સુધી બાજુના ગામ ટીમાણામાં અભ્યાસ કરવા જવું પડ્યું. પછી પરિસ્થિતિ એવી હતી કે 1997માં હીરાના કામકાજ માટે મુંબઇ જવું પડ્યું. 2 થી 3 વર્ષ હીરામાં કામ કર્યું. મુંબઇમાં રહીને લાગ્યું કે હું તો ફિલ્મ લાઇન માટે બન્યો છું. પછી 2001માં ફિલ્મલાઇનમાં આવી ગયો. ફિલ્મો અને સિરિયલોમાં નાના મોટા રોલ કરતો રહ્યો. અનિલ કપૂરની જાણીતી ફિલ્મ નાયકમાં પણ રોલ મળ્યો પરંતુ ફિલ્મ લાંબી થતી હોવાથી તે કમનસીબે કાઢી નાંખવામાં આવ્યો. પછી- કભી દીયા જલે, કહીં જિયા- નામની સિરિયલમાં કામ કર્યું. વર્ષ 2004 પછી અંગત કારણોસર સુરત આવવું પડ્યું. ત્યાં ટેક્સટાઇલ અને જમીનના ધંધામાં કામ શરૂ કર્યું. ત્યાં 10 વર્ષ કામ કર્યું. પણ મનમાં તો મુંબઇ જ રમતું હતું. એટલે 2014માં ફરી મુંબઇ આવી ગયા. હવે તો મન મક્કમ કરીને મુંબઇમાં અંધેરીમાં ઓફિસ ખોલી. ગોલટચ એન્ટરટેનમેન્ટ નામની પોતાની કંપની શરૂ કરી. પછી, મેં એક્ટર તરીકે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. બે ગુજરાતી ફિલ્મો લીડ કેરેક્ટર તરીકે કરી જે હજુ રીલીઝ નથી થઇ. એક હિંદી ફિલ્મ રામરતન નામની આવી હતી જેમાં કામ કર્યું. આ ઉપરાંત હમે હક ચાહિયે નામની હિંદી ફિલ્મ કરી જે રીઝર્વેશનને લગતી હતી. તે ફિલ્મમાં એક નેગેટિવ કેરેક્ટર કર્યું હતું.

ફરી ભાગ્યનું ચક્કર ફર્યું અને પાછા વર્ષ 2018માં સુરત આવવું પડ્યું. ફરી જમીનના કામ સાથે જોડાયા. પણ મન તો મુંબઇ જ અટકેલું હતું.  અંતે ફરી 2022માં મુંબઇ ગયા. જૂનમાં સતરંગી રે મૂવીના મ્યુઝિક અને સ્ટોરી પર કામ શરૂ કર્યું. પછી 23 મે 2023ના દિવસે શૂટિંગ શરૂ કર્યું. એક મહિનામાં શૂટ પતાવીને 6 મહિના પોસ્ટ પ્રોડેક્શન ચાલ્યું. ફાઇનલી હવે 20 સપ્ટેમ્બર 2024ના રોજ સંતરંગી મૂવી રીલીઝ કરી રહ્યા છે. રાજેશ કુમાર ગાંગાણીની લાઇફની સ્ટોરીમાં પણ ઘણા રંગો છે. પરંતુ એક વસ્તુ નક્કી છે કે તેઓ પોતાના ફિલ્મમેકિંગના પેશન સાથે સતત 23 વર્ષ સાથે જોડાયેલા રહ્યા અને અંતે ફિલ્મ બનાવી ને જ રહ્યા.

પથદર્શક પ્રકાશ: અમારા શાળાના જ્ઞાન વણનારાઓને શ્રદ્ધાંજલિ

 

ટીચર્સ ડેના પ્રસંગે વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકો અને માર્ગદર્શકોનું સન્માન કર્યું અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી, જેમણે તેમને તકો અને સફળતાની દુનિયા તરફ માર્ગદર્શન આપ્યું. આ ઉજવણીએ શિક્ષણનું મહત્વ અને શિક્ષકોની નવી પેઢીને ઘડવામાં મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો, જે વિદ્યાર્થીઓની અંદરની ક્ષમતાનો જાગૃત કરે છે અને વિવિધ કારકિર્દીના માર્ગો ખોલે છે.

વિદ્યાર્થીઓએ નાટકો, નૃત્ય બેલેટ અને ગીતો દ્વારા સમગ્ર ફેકલ્ટી પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કર્યો. આ દિવસ આનંદ અને હાર્દિક શ્રદ્ધાંજલિથી ભરેલું હતું, જેના કારણે શિક્ષકોને તેમના પસંદ કરેલા વ્યવસાય પર ગર્વ અનુભવાયો – એક એવો વ્યવસાય જે માનવજાત અને સમગ્ર વિશ્વના ભવિષ્યને ઘડવાની શક્તિ ધરાવે છે.

યશ્વી ફાઉન્ડેશન અને યશ્વી એન્ટરટેનમેન્ટ દ્વારા ખેલૈયા મીટનું કરાયું આયોજન

 

  • મહિલા સુરક્ષા સહિત યશ્વી નવરાત્રિ મહોત્સવના મજબૂત પાસાઓની ખેલૈયાઓને આપી માહિતી
  • સીઝન પાસ ધરાવતી ખેલૈયા બહેનો અને દીકરીઓ માટે વિનામૂલ્યે યોજાશે ખાસ નવરાત્રી સેલ્ફ ડિફેન્સ વર્કશોપ

સુરત. ગુજરાતનું લોક પર્વ એટલે નવરાત્રી મહોત્સવ પર પહેલી વખત સુરતની વચ્ચોવચ પાલ વિસ્તારમાં યશ્વી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ નવરાત્રી મહોત્સવમાં મહિલા સુરક્ષા સહિતના મજબૂત પાસાઓની જાણકારી ખેલૈયાઓને મળી રહે તે માટે આયોજક યશ્વી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ, યશ્વી એન્ટરટેનમેન્ટ અને બીયોન્ડ ઇવેન્ટ દ્વારા ખેલૈયા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે યશ્વી ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડાયરેક્ટર પરેશ ખંડેલવાલે જણાવ્યું હતું કે સુરતના આંગણે યશ્વી ફાઉન્ડેશન અને યશ્વી એન્ટરટેનમેન્ટ દ્વારા બિયોંડ ઇવેન્ટના સથવારે યશ્વી નવરાત્રી મહોત્સવનું પાલ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં પ્રથમ જ વખત મહિલા સુરક્ષાની બાબતને એક લેવલ આગળ જઈને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી દરેક ગરબા આયોજનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે પરંતુ યશ્વી નવરાત્રી મહોત્સવમાં એક ડગલું આગળ વિચારીને સ્થળ પર ૨૪*૭ એક મહિલા હેલ્પ ડેસ્ક બુથ ઊભું કરવામાં આવશે. જ્યાં ચાર મહિલા સુરક્ષા કર્મીઓ હજાર હશે. જે ખેલૈયા બહેનો અને દીકરીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં મદદ કરવા હંમેશા તત્પર રહેશે. મહિલા સુરક્ષા સહિત ખેલૈયાઓને યશ્વી નવરાત્રી મહોત્સવમાં ક્યાં ક્યાં પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે અને કયાં કયાં પ્રકારની નાની નાની બાબતોનું આયોજકો દ્વારા ધ્યાન રાખવમાં આવ્યું છે એ અંગે માહિતગાર કરવા શહેરની તમામ ગરબા ક્લાસિસનો સંપર્ક કરી એક ખેલૈયા મીટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાંઓ સહિત ખેલૈયાઓને મળનારી સુવિધા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં સ્થળ પર જ ચેંજીંગ રૂમની વ્યવસ્થા સહિત સુરક્ષા વ્યવસ્થા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પરેશ ખંડેલવાલે ખાસ જાહેરાત કરી હતી કે ખેલૈયા બહેનો અને દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી યશ્વી ફાઉન્ડેશન દ્વારા સીઝન પાસ ધરવાની ખેલૈયા બહેનો અને દીકરીઓ માટે વિનામૂલ્યે એક ખાસ નવરાત્રી સેલ્ફ ડિફેન્સ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાયનેમિક વોરિયર્સ માર્શલ આર્ટ્સના પમિર શાહ દ્વારા સેલ્ફ ડિફેન્સની ખાસ ટેકનિક શીખવવામાં આવશે. વધુમાં તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે જે રીતે યશ્વી નવરાત્રી મહોત્સવમાં સુરક્ષા સહિત અન્ય સુવિધાઓની ખાતરી આપવામાં આવી રહી છે એ જોતાં વાલીઓ ચોક્કસ જ તેના પર ભરોસો કરી આ આયોજનને સફળ બનાવશે.

નેશનલ ઇમ્પેક્ટ ડે: સમાજને સક્ષમ નેતૃત્વ પૂરું પાડનાર અને દિર્ઘદ્રષ્ટા સ્નેહલ બ્રહ્મભટ્ટના સન્માનમાં

 

અમદાવાદ, ઓગસ્ટ 28: સમાજમાં સકારાત્મક ફેરફાર લાવવા માટે સ્નેહશિલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સ્નેહલ ભ્રહ્મભટ્ટ સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. અને અત્યાર સુધી તેમના દ્વારા અગણિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે તેમના સન્માનમાં તેમના જન્મ દિન નિમિત્તે  27 ઓગસ્ટના દિવસને નેશનલ ઇમ્પેક્ટ ડે તરીકે દર વર્ષે ઉજવવામાં આવશે.

તેમણે સ્નેહશિલ્પ ફાઉન્ડેશન દ્વારા નશા મુક્તિની જાગૃતિ લાવવા માટે મેરેથોન જેવી પ્રવૃત્તિઓની આગવી પહેલ કરી છે. તેવી જ રીતે હેરિટેજ વૉક દ્વારા તેમણે આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસા અંગે જાગૃતિ ફેલાવી હતી. અને સ્ટાર્ટઅપ ફેસ્ટ દ્વારા નવા ઉદ્યોગકારોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આ સાથે જ ભોજન વિતરણ, જરૂરિયાતમંદોને શિક્ષણ, અને કુશળતા નિર્માણ જેવા મિશન દ્વારા ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. તેમની આ કામગીરીઅમદાવાદના અગ્રણી રિયલ એસ્ટેટ ગ્રુપ એવા શિલ્પ ગ્રુપના મુખ્ય ઓપરેટિંગ ઓફિસર તરીકેની ભૂમિકા સુધી વિસ્તરી છે.

નેશનલ ઇમ્પેક્ટ ડે ના અવસરે સમાજ સેવા પર ભાર મુકવામાં આવશે, જ્યાં નાગરિકોને સમાજમાં સ્વયંસેવક તરીકે સેવા આપવાનો અવસર મળશે તે સાથે જ પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન જેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય આદાન-પ્રદાનના ક્ષેત્રમાં શિક્ષણ દ્વારા માર્ગદર્શન, સંસાધનોનું દાન, અને વર્કશોપનું આયોજન કરવામાં આવશે. ખાસ કરીને આરોગ્ય સેવા અને માનસિક સુખાકારીની દિશામાં આગળ કાર્ય કરવામાં આવશે તેમજ સ્ટાર્ટઅપ્સ, યુવા, અને કુશળતા સંબંધિત પ્રવૃત્તિઓ ઉપર પણ સક્રિયતાથી કાર્ય કરવામાં આવશે.

સ્નેહલબેનના નેતૃત્વ હેઠળ સ્નેહશિલ્પ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલા કાર્યોના કારણે અનેક સમગ્ર દેશમાં લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. તેમની કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સમાજ માટે તેમના દ્વારા કરવામાં આવતા સકારાત્મક કાર્યોએ અનેક સંસ્થાઓ અને યુવાનોને પ્રેરિત કર્યા છે. ચાલો, આપણે સાથે મળીને એક સકારાત્મક પરિવર્તન લાવીએ અને તમામ માટે એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ.

એરોન કમ્પોઝિટ લિમિટેડનો રૂ. 56.10 કરોડનો પબ્લિક ઇશ્યૂ 28 ઓગસ્ટે ખૂલશે

 

કંપની શેરદીઠ રૂ. 121-125ના પ્રાઇસ બેન્ડમાં રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 44.88 લાખ ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે; શેર્સ એનએસઈના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ કરાશે

મુખ્ય બાબતોઃ44.88 લાખ ઇક્વિટી શેરનો ફ્રેશ પબ્લિક ઇશ્યૂ 28 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી સબસ્ક્રીપ્શન માટે ખૂલશેઅરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ 1,000 શેર છે, લઘુતમ આઈપીઓ અરજીની રકમ રૂ. 1.25 લાખ છેઇશ્યૂ દ્વારા એકત્રિત કરાયેલ ભંડોળનો ઉપયોગ ગુજરાતના મહેસાણા ખાતે ઉત્પાદન એકમની સ્થાપના માટે મૂડી ખર્ચની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા તથા સામાન્ય કોર્પોરેટ હેતુ માટે કરવામાં આવશેનાણાંકીય વર્ષ 2023-24 (ફેબ્રુઆરી 2024 સુધી) માટે કંપનીએ રૂ. 179.1 કરોડની આવક અને રૂ. 9.42 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યોકંપની 30થી વધુ દેશોમાં નિકાસ પણ કરે છેહેમ સિક્યોરિટીઝ લિમિટેડ ઇશ્યૂની બુક રનિંગ લીડ મેનેજર છે.

અમદાવાદ, 26 ઓગસ્ટ 2024: ફાઇબર ગ્લાસ રિઇનફોર્સ્ડ પોલિમર પ્રોડક્ટ્સના ઉત્પાદન અને સપ્લાય સાથે સંકળાયેલી અગ્રણી કંપની અમદાવાદ સ્થિત એરોન કમ્પોઝિટ લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 56.10 કરોડ સુધીની રકમ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઇશ્યૂનું લિસ્ટિંગ કરવાની મંજૂરી મળી છે. પબ્લિક ઇશ્યૂ 28 ઓગસ્ટના રોજ સબસ્ક્રીપ્શન માટે ખૂલશે અને 30 ઓગસ્ટે બંધ થશે. પબ્લિક ઇશ્યૂની આવકમાંથી રૂ. 39 કરોડની રકમનો ઉપયોગ ગુજરાતના મહેસાણામાં મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના માટે મૂડી ખર્ચની જરૂરિયાતોને ભંડોળ આપવા માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. હેમ સિક્યોરિટીઝ લિમિટેડ ઇશ્યૂની બુક રનિંગ લીડ મેનેજર છે.

રૂ. 56.10 કરોડના આઈપીઓમાં રૂ. 10ની ફેસ વેલ્યુના 44.88 લાખ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. કંપનીએ પબ્લિક ઇશ્યૂ માટે ઇક્વિટી શેર દીઠ રૂ. 121-125ની પ્રાઇસ બેન્ડ ફિક્સ કર્યો છે. રિટેલ રોકાણકારો માટે લઘુત્તમ લોટ સાઈઝ 1,000 શેર છે જે શેર દીઠ રૂ. 125ના અપર પ્રાઇઝ બેન્ડ પર રૂ. 1,25,000ના લઘુત્તમ રોકાણ જેટલું થાય છે. આઈપીઓ માટે રિટેલ રોકાણકારોનો ક્વોટા નેટ ઓફરના લઘુતમ 35 ટકા, એચએનઆઈ ક્વોટા ઓફરના લઘુતમ 15 ટકા અને ક્યુઆઈબી ભાગ ઓફરના 50 ટકા રાખવામાં આવ્યો છે.

                                    Aeron Composite Ltd

Issue OpensIssue PriceIssue Closes
28 August, 2024Rs. 121-125 Per Equity Share30 August, 2024

વર્ષ 2011માં સ્થાપાયેલી એરોન કમ્પોઝિટ લિમિટેડ વિવિધ ઔદ્યોગિક ઉપયોગો માટે તૈયાર કરેલા એફઆરપી પલ્ટ્રુડેડ પ્રોડક્ટ્સ, એફઆરપી મોલ્ડેડ ગ્રેટિંગ્સ અને એફઆરપી રોડ્સ સહિતની ફાઇબર ગ્લાસ રિઇનફોર્સ પોલીમર પ્રોડક્ટ્સ એટલે કે એફઆરપી પ્રોડક્ટ્સના ઉત્પાદન અને સપ્લાયના વ્યવસાયમાં સંકળાયેલી છે. એફઆરપી પ્રોડક્ટ એ કમ્પોઝિટ મટિરિયલ છે જે ફાઇબર ગ્લાસ, કાર્બન કે એરામિડ જેવા ફાઇબર્સ સાથે રિઇનફોર્સ્ડ કરેલા પોલિમર મેટ્રિક્સ (રેઝિન) ધરાવે છે. આ સંયોજન કાટ પ્રતિરોધક, રાસાયણિક પ્રતિરોધક, ખૂબ જ શક્તિશાળી, હળવા વજનના ગુણધર્મો, ઇલેક્ટ્રિકલ અને થર્મલ નોન-કન્ડક્ટિવિટી સહિતના લાભો આપે છે. કંપની વ્યાપક સોલ્યુશન્સ પ્રદાન કરે છે જેમ કે કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન, પ્રોટોટાઇપ વિકસાવવા, પરીક્ષણ, ઉત્પાદન, લોજિસ્ટિક સપોર્ટ, ઇન્સ્ટોલેશન અને વેચાણ પછીની સેવાઓનો સમાવેશ થાય છે.

ISO 9001:2015 દ્વારા પ્રમાણિત કંપનીનું ઉત્પાદન એકમ અમદાવાદના ચાંગોદર ખાતે સાકેત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલું છે અને તે 26,320 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. ઉત્પાદન એકમ એફઆરપી પલ્ટ્રુડેડ પ્રોડક્ટ્સ, એફઆરપી હેન્ડરેઇલ્સ, એફઆરપી કેબલ ટ્રે, એફઆરપી ફેન્સીંગ, એફઆરપી મોલ્ડેડ ગ્રેટીંગ્સ, એફઆરપી ક્રોસ આર્મ, એફઆરપી પોલ્સ, એફઆરપી રોડ્સ અને સોલર પેનલ્સ (એમએમએસ) માટે મોડ્યુલ માઉન્ટિંગ સ્ટ્રક્ચર્સની ડિઝાઇન, ઉત્પાદન અને સપ્લાય માટે પ્રમાણિત છે. કંપની 30થી વધુ દેશોમાં નિકાસ કરે છે.

Key Financial Performance:-

                                                                                                                                               Figures in Rs. Crore

z29 Feb 202431 Mar 202331 Mar 202231 Mar 2021
Revenue from Operations179.14179.38108.3378.82
EBITDA & Margin14.27 (7.97%)9.82 (5.48%)5.99 (5.53%)6.11 (7.75%)
Profit After Tax & Margin9.42 (5.26%)6.61 (3.69%)3.62 (3.34%)2.55 (3.24%)
Net Worth34.7825.3615.5712.08
Reserves and Surplus33.2123.7914.2710.78

કંપનીએ વર્ષોથી શ્રેષ્ઠ ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી દર્શાવી છે. કંપનીએ વર્ષોથી આવક અને નફાકારકતામાં અનેક ગણી વૃદ્ધિ જોઈ છે. નાણાંકીય વર્ષ 2023-24 માટે (ફેબ્રુઆરી, 2024 સુધી), કંપનીએ રૂ. 9.42 કરોડનો ચોખ્ખો નફો (ચોખ્ખા નફાનું માર્જિન 5.26 ટકા), એબિટા રૂ. 14.27 કરોડ (એબિટા માર્જિન 7.97 ટકા) અને કામગીરીમાંથી રૂ. 179.14 કરોડની આવક નોંધાવી છે. નાણાંકીય વર્ષ 2022-23ના સંપૂર્ણ વર્ષ માટે, કંપનીએ રૂ. 6.61 કરોડનો ચોખ્ખો નફો (ચોખ્ખા નફાનું માર્જિન 3.69 ટકા), એબિટા રૂ. 9.82 કરોડ (એબિટા માર્જિન 5.48 ટકા) અને કામગીરીમાંથી રૂ. 179.38 કરોડની આવક નોંધાવી હતી.

ફેબ્રુઆરી 2024 સુધીમાં, કંપનીની નેટવર્થ રૂ. 34.78 કરોડ, રિઝર્વ અને સરપ્લસ રૂ. 33.21 કરોડ અને એસેટ બેઝ રૂ. 99.79 કરોડ નોંધવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2024 સુધીમાં, કંપનીનો આરઓઈ 31.33 ટકા, આરઓસીઈ 29.67 ટકા અને આરઓએનડબ્લ્યુ 27.09 ટકાએ હતો તથા ડેટ/ઇક્વિટી રેશિયો 0.35 ગણાના સ્વસ્થ સ્તરે હતો. પબ્લિક ઇશ્યૂ પછી કંપનીમાં પ્રમોટર ગ્રૂપનું શેરહોલ્ડિંગ 73.63 ટકા રહેશે. કંપનીના શેર એનએસઈના ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.

IPO Highlights – Aeron Composite Ltd
IPO Opens on August 28, 2024
IPO Closes on August 30, 2024
Issue Price Rs. 121-125 Per Share
Issue Size44.88 lakh shares – up to Rs. 56.10 crore
Lot Size1000 Shares
Listing on NSE Emerge Platform of National Stock Exchange
ભારતીય આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂએ વિશ્વ શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રોમાં રામકથા સંસ્થાનને સમર્પિત કરી

 

ન્યુ યોર્ક, 04 ઓગસ્ટ, 2024: પરમ પૂજ્ય મોરારી બાપૂએ સંયુક્ત રાષ્ટ્રો (યુએન)ના મુખ્યાલય ખાતે તેમના નવ દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમ સંસ્થાનને સમર્પિત કર્યો હતો અને વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના કરી હતી. પ્રવચન સમાપ્ત કર્યાં બાદ તેઓ યુએનની જનરલ એસેમ્બલી ગયાં હતાં, જ્યાં તેમણે ગોસ્વામી તુલસીદાસનું રામચરિત માનસ (રામાયણ) મૂકીને વૈદિક સ્તોત્રનો ઉચ્ચાર કર્યો હતો.

ॐ सर्वे भवन्तु सुखिनः । सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु । मा कश्चित् दुःख भाग्भवेत् ॥

(ઓમ,બધાં સુખી રહે,બધાં માંદગીથી મુક્ત રહે. દરેકનું જીવન સુખી રહે, કોઈને તકલીફ ન પડે.)

હિંદુ વૈદિક સનાતન ધર્મના માર્ગદર્શક સિદ્ધાંત વસુધૈવ કુટુમ્બકમને તેમના પ્રવચનનું નામ આપ્યું હતું, જ્યારબાદ તેમણે જય સિયા રામનું પવિત્ર અભિવાદન કર્યું હતું. વસુધૈવ કુટુમ્બકમ એક સંસ્કૃત વાક્ય છે, જે હિંદુ પવિત્ર ગ્રંથ મહા ઉપનિષદમાં જોવા મળે છે અને તેનો અર્થ વિશ્વ એક પરિવાર છે.

પૂજ્ય મોરારી બાપૂએ ન્યુયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં નવ-દિવસીય આધ્યાત્મિક અને અને ઐતિહાસિક રામકથાનું આયોજન કર્યું હતું, જે કોઇપણ આધ્યાત્મિક ગુરૂ દ્વારા કરાયેલું આ પ્રકારનું પ્રથમ આયોજન હતું. આ આયોજન 27 જુલાઇથી 4 ઓગસ્ટ, 2024 દરમિયાન કરાયું હતું.

હિંદુ આધ્યાત્મિક ગુરૂએ કહ્યું હતું કે આ પ્રવચનના મુખ્ય પાંચ તત્વો હતાં – આકાશ, જળ, પૃથ્વી, વાયુ અને અગ્નિ.

આ સપ્તાહ દરમિયાન પૂજ્ય બાપૂએ સંયુક્ત રાષ્ટ્રના ઉપ મહાસચિવ અમીના જે. મોહમ્મદ સાથે મુલાકાત કરી હતી, જેમણે કહ્યું કે, અગાઉ તમે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની પરિક્રમા કરી હતી અને હવે તમે મુખ્યાલયના કેન્દ્રમાં છો. તેમણે કહ્યું કે આ આયોજને 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ  ગોલને સાકાર કરવાના પ્રયાસોને બળ આપ્યું છે.

પૂજ્ય મોરારી બાપૂએ તેમને કહ્યું હતું કે, તેમની વ્યાસપીઠ હંમેશા વિશ્વ શાંતિ, વિશ્વ પ્રગતિ અને વિશ્વ સુખ માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘના કાર્યક્રમની સાથે રહેશે.

ઘણાં વર્ષો પહેલાં બાપૂએ યુએનના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. તેમણે હંમેશા ભારપૂર્વક કહ્યું છે કે વિશ્વના નેતાઓએ સ્વાર્થ છોડીને ઇઝરાયલ અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધની સમાપ્તિ માટે પ્રયાસો કરવા જોઇએ.

આ પહેલાં 30 જુલાઈના રોજ ઘણા મહાનુભાવોએ પ્રવચનમાં હાજરી આપી હતી, જેમાં આંતરરાષ્ટ્રીય બાબતોના કમીશનર એડવર્ડ મર્મેલસ્ટીન, એનવાયસી મેયર ઓફિસના આંતરરાષ્ટ્રીય બાબતોના ડેપ્યુટી કમીશનર દિલિપ ચૌહાણ તથા ડેપ્યુટી કમિશનર અને ચીફ ઓફ સ્ટાફ આઈસાટા કામરા સહિતના મહાનુભાવોનો સમાવેશ થાય છે. એનવાયસી મેયર ઓફિસે પણ મોરારી બાપુની વ્યાસપીઠને સર્વોચ્ચ સન્માન આપ્યું.

ન્યુ યોર્કમાં કાઉન્સલ જનરલ ઓફ ઇન્ડિયા બિનાયા શ્રીકાંત પ્રધાન અને યુએન ખાતે પર્મેનન્ટ મીશન ઓફ ઇન્ડિયા ખાતે કાઉન્સેલર અને હેડ ઓફ ચારન્સી સુરેન્દ્ર કે. અધાના પણ અતિથિ હતાં.

આધ્યાત્મિક ગુરૂપના ઉપદેશો સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ(એસડીજી)સાથે જોડાયેલા છે, જે વિશેષ કરીને શાંતિ,પર્યાવરણીય ટકાઉપણું અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા ઉપર કેન્દ્રિત છે.પૂજ્ય બાપૂએ રામચરિત માનસના ઉદાહરણો ટાંક્યા હતાં.

કથાના સમાપનના દિવસે પૂજ્ય મોરારી બાપુએ રામ રાજ્ય અથવા આદર્શ રાજા પ્રભુ રામના શાસનની વિશેષતાઓ અને તે પણ કેવી રીતે સંયુક્ત રાષ્ટ્રના સિદ્ધાંતો સાથે મેળ ખાતી જીવન સંહિતાનું ઉદાહરણ આપ્યું હતું.

ફિલાટેક્સ ફેશન્સ લિમિટેડની માઇનિંગ સબસિડીઅરી કંપનીને 35 મિલિયન યુએસ ડોલર (રૂ. ૨૯૩ કરોડનો) એક્સપોર્ટ ઓર્ડર મળ્યો

 

કંપનીની માઇનિંગ પેટાકંપની ફિલાટેક્સ માઇન્સ એન્ડ મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડને સાત વર્ષના ગાળા માટે 2,97,388 મેટ્રિક ટન વ્હાઇટ માર્બલના સપ્લાય માટેનો ઓર્ડર મળ્યો

મુખ્ય બાબતો• શ્રી સુનિલ અગ્રવાલને 26 જુલાઈ 2024થી કંપનીના અધિક ડિરેક્ટર અને સીઈઓ તરીકે નિયુક્ત કર્યા• કંપનીના બોર્ડે તાજેતરમાં 1 માટે એક શેર સામે પાંચના સ્ટોક સ્પ્લિટને મંજૂરી આપી અને 9 ઓગસ્ટને રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરી• ઈજીએમમાં ​​કંપનીએ સ્ટોક વિભાજનને મંજૂરી આપી, અધિકૃત શેર મૂડી રૂ. 850 કરોડ છે• કંપની દિલ્હીમાં ટેક્સટાઇલ ગાર્મેન્ટ્સ અને ફેબ્રિક્સની નિકાસ માટે સંપૂર્ણ માલિકીની પેટાકંપની સ્થાપશે• કંપનીના શેર 6 મે 2024 ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયા અને સોદા માટે સ્વીકારવામાં આવ્યા છે.• નાણાંકીય વર્ષ 2023-24 માટે કંપનીએ રૂ. 8.95 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો, કુલ આવક રૂ. 179.02 કરોડ રહી

હૈદરાબાદ, 29 જુલાઈ, 2024 – હૈદરાબાદ સ્થિત અગ્રણી સૉક્સ અને કોટન પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી કંપની ફિલાટેક્સ ફેશન્સ લિમિટેડ (BSE – 532022, NSE – FILATFASH) ની સબસિડીઅરી (પેટાકંપની) એ 2,97,388 મેટ્રિક ટન વ્હાઇટ માર્બલના સપ્લાય માટે 35 મિલિયન યુએસ ડોલરનો નિકાસ ઓર્ડર મેળવ્યો છે.

માઇનિંગ બિઝનેસમાં કંપનીની પેટાકંપની ફિલાટેક્સ માઇન્સ એન્ડ મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડને બ્લૂમફ્લોરા વેન્ચર્સ લિમિટેડ તરફથી આ ઓર્ડર મળ્યો છે. આ કંપની આફ્રિકામાં તેમની આગામી 54 બેડ્સની હોસ્પિટલ માટે હોસ્પિટલ ડેવલપમેન્ટ બિઝનેસમાં છે. 7 વર્ષના સમયગાળામાં વ્હાઇટ માર્બલ સપ્લાય કરવાનો ઓર્ડર 35 મિલિયન યુએસ ડોલર  (રૂ. ૨૯૩ કરોડનો) નો હોવાનો અંદાજ છે. કંપનીની માઇનિંગ પેટાકંપનીનો આ પ્રથમ એક્સપોર્ટ ઓર્ડર છે.

ફિલાટેક્સ ફેશન્સ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેની 26 જુલાઈ 2024ના રોજ યોજાયેલી બેઠકમાં શ્રી સુનિલ અગ્રવાલની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેટેગરીમાં કંપનીના અધિક ડિરેક્ટર અને સીઈઓ તરીકે નિમણૂંકને મંજૂરી આપી છે. આ નિમણૂંક આગામી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોની મંજૂરીને આધીન છે. શ્રી સુનિલ અગ્રવાલ પાસે 10 વર્ષથી વધુનો વ્યાપક અનુભવ છે અને તેઓ નાણાંકીય સેવાઓ, સલાહકાર, રોકાણ સલાહકાર અને રિસ્ક મેનેજમેન્ટ કન્સલ્ટિંગમાં કુશળતા ધરાવે છે અને કેટલીક અગ્રણી કંપનીઓના બોર્ડમાં રહી ચૂક્યા છે.

કંપનીએ 15 જુલાઇ 2024ના રોજ યોજાયેલી એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગમાં એક શેરના પાંચ શેરમાં શેર વિભાજનને મંજૂરી આપી હતી. ઇજીએમમાં ​​શેરધારકોની મંજૂરી માટે કંપનીની કંપનીની અધિકૃત શેર મૂડી રૂ. 850 કરોડ છે અને દરેક રૂ. 1ના 850 કરોડ ઇક્વિટી શેરમાં વિભાજિત છે.

મૂડીબજારમાં તરલતા વધારવા અને શેરધારકોના આધારને વિસ્તૃત કરવા માટે, કંપનીએ 7 જૂન 2024ના રોજ યોજાયેલી બોર્ડ મીટિંગમાં 1:5 (1 શેરના પાંચ શેર)ના શેર વિભાજનને મંજૂરી આપી હતી. કંપનીએ રૂ. 5ની ફેસ વેલ્યુના હાલના 1 ઇક્વિટી શેરને પ્રત્યેક રૂ. 1ના ફુલ્લી પેઇડ-અપ પાંચ ઇક્વિટી શેર્સમાં વિભાજન કરવાને મંજૂરી આપી છે. શેર વિભાજનના હેતુ માટે રેકોર્ડ તારીખ 9 ઓગસ્ટ 2024 નક્કી કરવામાં આવી છે.

1995માં સ્થાપિત ફિલાટેક્સ ફેશન્સ લિમિટેડ ભારતમાં પ્રથમ વખત ઇન્ફ્રારેડ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નવીનતમ ફિનિશિંગ અને સેટિંગ મશીનો સાથે 25 સોક્સ-નિટીંગ મશીનો સાથે સોક્સના ઉત્પાદન અને કોટન પ્રોડક્ટ્સમાં નિષ્ણાત છે. ફિલાટેક્સ ફેશન્સ એ યુરોપિયન અને ભારતીય બજારમાં સમૃદ્ધ અનુભવ મેળવ્યો છે. હૈદરાબાદ, તેલંગાણામાં સ્થિત ઉત્પાદન પ્લાન્ટ સાથે, કંપની પ્રાઇવેટ લેબલ સર્વિસીઝ અને સોક્સ માટે તેના બ્રાન્ડેડ લેબલનો ઉપયોગ કરવાનો વિકલ્પ આપે છે. કંપનીના ગ્રાહકોમાં ફિલા, સર્જિયો ટેચિની, એડિડાસ, વોલ્ટ ડિઝની અને ફેશન જગતના અન્ય ઘણા ટોચના લેબલ્સ જેવી પ્રખ્યાત બ્રાન્ડનો સમાવેશ થાય છે.

કંપનીના શેરોને તાજેતરમાં 6 મે 2024થી FILATFASH કોડ સાથે એનએસઈ પર સોદા માટે સ્વીકારવામાં આવ્યા છે. કંપનીના શેર 23 સપ્ટેમ્બર 1996 થી બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હતા અને સ્ક્રીપ કોડ 532022 સાથે એક્સચેન્જમાં લિસ્ટ થવાનું ચાલુ રહેશે. કંપનીએ 30મી માર્ચ 2024થી કંપનીના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (સીએફઓ) તરીકે શ્રી યશ સેઠિયાની નિમણૂંક પણ કરી છે.

6 જુલાઈના રોજ મળેલી મીટિંગમાં કંપનીના બોર્ડે દિલ્હીમાં ટેક્સટાઈલ ગાર્મેન્ટ્સ અને ફેબ્રિક્સની નિકાસ માટે સંપૂર્ણ માલિકીની પેટાકંપની સ્થાપવાની મંજૂરી આપી છે કારણ કે દિલ્હી રેડીમેડ ચીજવસ્તુઓ માટેનું સ્ત્રોત છે જે વિદેશી બજારમાં સરળતાથી સપ્લાય કરી શકાય છે. વધુમાં, બોર્ડે બિઝનેસના વિસ્તરણ માટે મુંબઈમાં કોર્પોરેટ ઑફિસ સ્થાપવાની દરખાસ્તને પણ મંજૂરી આપી હતી અને સીઇઓ, હેડ ઓફ કમ્પ્લાયન્સ વગેરે જેવા સિનિયર મેનેજરીયલ કર્મચારીઓની નિમણૂંક કરવાની યોજના બનાવી હતી જે કંપનીને વૈશ્વિક બજારોમાં તેના સરળ બિઝનેસ વિસ્તરણમાં મદદ કરશે.

કંપની પાસે હૈદરાબાદ ખાતે સ્થિત એ અદ્યતન ઉત્પાદન એકમ છે, જેમાં કોરિયા અને ઇટાલીની અદ્યતન મશીનરી સાથે ઇન-હાઉસ આરએન્ડડી સુવિધાઓ છે, જે અગ્રણી બ્રાન્ડ્સના વિવિધ નવા ઓર્ડર સાથે વૃદ્ધિના માર્ગ પર છે. કંપની પાસે 4 એકરમાં ફેલાયેલો આધુનિક અત્યાધુનિક પ્લાન્ટ છે જે દર વર્ષે 8.64 મિલિયન જોડી સોક્સનું ઉત્પાદન કરી શકે છે. કંપની આગળ ઉત્પાદન ક્ષમતાને વાર્ષિક 14 મિલિયન જોડી સોક્સ સુધી વધારવાની યોજના ધરાવે છે.

નાણાંકીય વર્ષ 2023-24 માટે, કંપનીએ રૂ. 8.95 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, કુલ આવક રૂ. 179.02 કરોડ હતી. નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન, કંપનીનો ચોખ્ખો નફો રૂ. 2.56 કરોડ અને કુલ આવક રૂ. 69.59 કરોડ નોંધાઈ હતી.

For more information, visit www.filatexfashions.co.in