Posts by: abhay_news_editor

દર્દીને શ્રેષ્ઠ સારવાર આપવા સાથે પરિવારજનોને સતત માહિતગાર કરાયા હતા : શેલ્બી હોસ્પિટલ

 

સુરત. શેલ્બી હોસ્પિટલ સુરત ખાતે કૌશિક પટેલ નામ દર્દીના મૃત્યુના કેસમાં સંબંધીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને નકારી કાઢતા હોસ્પિટલ તંત્ર દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે દર્દી અતિ ગંભીર અવસ્થામાં હોસ્પિટલ ખાતે દાખલ થયા બાદ હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા શ્રેષ્ઠ સારવાર આપવા સાથે સારવારની દરેક પદ્ધતિ અને સ્થિતિ અંગે સતત પરિવારના સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારે પરિવાર દ્વારા કરવામાં આવેલા આ દાવાઓ ખોટા અને પાયાવિહોણા છે.

દર્દી કૌશિક પટેલને 18મી નવેમ્બર 2024ના રોજ INS પ્લસ હોસ્પિટલ, નવસારીમાંથી ગંભીર હાલતમાં શેલ્બી હોસ્પિટલમાં ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે દર્દીને બરોળમાં બહુવિધ થ્રોમ્બી અને મેસેન્ટરિક ધમની થ્રોમ્બોસિસ સાથે B/L રીનલ ધમનીઓ અને ગેંગ્રેનસ ફેરફારો સાથે તીવ્ર થ્રોમ્બોસિસ હોવાનું નિદાન થયું હતું. દર્દીને તેની મહાધમની અને તેના જમણા પગને સપ્લાય કરતી ધમનીઓમાં લોહીની ગંઠાઇ હતી. તેની સારવાર માટે પણ કાર્યવાહી કરવામાં આવી હતી

દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, દર્દી/દર્દીના સંબંધીની સંમતિ મેળવ્યા પછી, તેને 19મી નવેમ્બરની મધ્યરાત્રિએ તરત કેત્થલેબ અને ઓપરેશન થિયટરમાં કરવામાં આવી. આ અંગે દર્દીના પરિવારને સતત અપડેટ્સ સાથે વ્યાપક અને શ્રેષ્ઠ શક્ય તબીબી સારવાર આપવામાં આવી રહી હોવા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. છતાં, દર્દી લ્યુપસ એન્ટીકોએગ્યુલેન્ટ પોઝીટીવ હોવાનું જણાયું હતું, જેના કારણે દર્દીને વારંવાર થ્રોમ્બોસિસ થવાનું વલણ હતું. દર્દી સારવાર હેઠળ હતો અને તેને વધુ રહેવાની જરૂર હતી પરંતુ સંબંધીઓએ નવસારીની અન્ય હોસ્પિટલમાં સારવાર લેવાનું નક્કી કર્યુ અને દર્દીએ 3જી ડિસેમ્બર, 2024ના રોજ તબીબી સલાહ વિરુદ્ધ ડિસ્ચાર્જ લીધો હતો. ત્યારે દર્દીના મૃત્યુ બાદ પરિવારજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તદ્દન ખોટા છે અને મીડિયાને પણ ગેરમાર્ગે દોરવામાં આવ્યું છે.
દર્દી જ્યારે હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ થયો ત્યારે ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ, GI સર્જન, કાર્ડિયો વેસ્ક્યુલર સર્જન (CTVS), ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ, ઇન્ટેન્સિવિસ્ટ, પ્લાસ્ટિક સર્જન, હેમેટોલોજિસ્ટ અને પલ્મોનોલોજિસ્ટ સહિત ડોકટરોની ટીમે પારદર્શક અપડેટ્સ અને સંભાળ પૂરી પાડી હતી. દર્દી અને તેના નજીકના સંબંધીઓની સલાહ અને સંમતિ પછી જ સારવાર આપવામાં આવતી હતી.

લી.
શેલ્બી હોસ્પિટલ મેનેજમેન્ટ

સ્પીડ એન્ડ સ્કિલ કાર્નિવલ 2025 – ચપળતા, કુશળતા અને રમતગમતની ભાવનાનું ઉત્સવ

 

વ્હાઇટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાયેલા સ્પીડ એન્ડ સ્કિલ કાર્નિવલ 2025 એ હરીફાઈની જ્વાળાને ગતિ અને રોમાંચ સાથે સંલગ્ન કરી! આ દિવસો ઉત્સાહભરી દોડ, કુશળતા આધારિત પડકારો અને દ્રઢ સંકલ્પના શાનદાર પ્રદર્શનથી ભરપૂર રહ્યા, કારણ કે આ કાર્યક્રમ મર્યાદાઓને આઝમાવા, શ્રેષ્ઠતા માટે પ્રેરણા આપવા અને અતૂટ ટીમ ભાવનાને વિકસાવવા માટે રચાયેલો હતો.

અમારા નાનકડા એથ્લીટ્સ, કિન્ડરગાર્ટનનાં બાળકો માટે હર્ડલ્સ રેસ અને બેલૂન બ્લાસ્ટ રેસ એ તેમની પ્રથમ મૈત્રીપૂર્ણ સ્પર્ધાનું અનોખું અનુભવ લઈને આવી. ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓએ હર્ડલ્સ રેસ અને લીંબુ-ચમચી દોડ દ્વારા પોતાનું સંતુલન અને ગતિ દર્શાવી, જ્યાં એકાગ્રતા અને સંકલનને પર્ક્તિ આપવામાં આવી.

ધોરણ 3 થી 9 ના વિદ્યાર્થીઓએ સ્પીડ સ્પ્રિન્ટ, સ્કીપીંગ ચેલેન્જ, રિલે દોડ અને રોમાંચક ક્રિકેટ મેચો જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો, જ્યાં દરેક પળ મોહક હતી અને ટીમ વર્કની તેજસ્વી ઝલક જોવા મળી.

આ માત્ર એક હરીફાઈ નહીં, પણ હિંમત, ચપળતા અને રમતગમતની ભાવનાનો એક ભવ્ય ઉત્સવ હતો. દરેક દોડ, દરેક કૂદકા અને દરેક રમતમાં, વિદ્યાર્થીઓએ પોતાનું શ્રેષ્ઠ આપવા અને નવી ઉંચાઈઓ સર કરવા હર્ષ અનુભવ્યો.

વિદ્યાર્થીઓએ ઉત્સાહભર્યા હૃદયથી, સચોટ પગલાંઓ સાથે અને ગૌરવભર્યા સમાપન સાથે મેદાનમાં પ્રવેશ કર્યો.

આ ઉત્સાહ અને ઊર્જાથી ભરેલા દિવસો અમને અવિસ્મરણીય વિજય અને મૈત્રીપૂર્ણ સમાગમની અમૂલ્ય યાદગાર પળો આપી ગયા!

મહિલા ટેકનિશિયને ધારાસભ્યના ઘરમાં લગાવ્યું સ્માર્ટ મીટર, કહ્યું માતા-પિતાએ દીકરીઓ પ્રત્યેનો અભિગમ બદલવો જોઈએ

 

• ધારાસભ્ય ભરતભાઈ કિકૂભાઈ પટેલના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું
• મહિલા ટેકનિશિયન ઉજાલા રમેશભાઈ પટેલે મીટર લગાવ્યું.

સુરત, 24 જાન્યુઆરી: આધુનિકતા અને પરિવર્તનને અપનાવનાર ગુજરાત પણ ઝડપથી સ્માર્ટ મીટર અપનાવી રહ્યું છે જે ઊર્જા ક્ષેત્રે ક્રાંતિ લાવી રહ્યું છે. જનપ્રતિનિધિઓ તેને અપનાવવા આગળ આવી રહ્યા છે. આ ક્રમમાં વલસાડ વિધાનસભાના ધારાસભ્ય ભરતભાઈ કિકૂભાઈ પટેલના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું. તેમણે સામાન્ય લોકોને પણ અપીલ કરી હતી અને કહ્યું હતું કે સ્માર્ટ મીટર એ ઉર્જા ક્ષેત્રે એક ક્રાંતિકારી પરિવર્તન છે, જે વીજળી ગ્રાહકોને વીજળીનો ઉપયોગ કરવા સક્ષમ બનાવે છે. આપણે આપણા ઉર્જા વપરાશને સરળતાથી જોઈ અને નિયંત્રિત કરી શકીએ છીએ. તેથી સ્માર્ટ મીટર લગાવવા માટે સૌએ આગળ આવવું પડશે, તો જ ગુજરાતના વિકાસની ગાડી ઝડપથી આગળ વધી શકશે.

ધારાસભ્ય ભરતભાઈ કિકૂભાઈ પટેલના ઘરે સ્માર્ટ મીટર ઈન્સ્ટોલેશન દરમિયાન મહિલા ફિલ્ડ ટેકનિશિયન ઉજાલા રમેશભાઈ પટેલ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. ઉજાલાનું જીવન તે તમામ છોકરીઓ માટે પ્રેરણારૂપ છે જેઓ મજબૂરીને કારણે અધવચ્ચે ભણવાનું છોડીને ઘરે બેસી જાય છે. ઉજાલાએ હાર ન માની અને ઈલેક્ટ્રિશિયન તરીકેનો અભ્યાસ પૂર્ણ કર્યો. ઉજાલાની મહેનત રંગ લાવી અને અત્યાર સુધી ફિલ્ડ ટેકનિશિયનનું કામ માત્ર છોકરાઓ માટે જ માનવામાં આવતું હતું, ઉજાલા ટેક્નિશિયન બની ગઈ છે અને સ્માર્ટ મીટર લગાવી રહી છે. આ સાથે જ તે મહિલા સશક્તિકરણનો સંદેશ પણ આપી રહી છે કે આજે અંતરિક્ષમાં પહોંચવાથી લઈને ટેકનિશિયન બનવા સુધી મહિલાઓ કોઈપણ કામમાં પુરૂષોથી પાછળ નથી. શનિવારે ઉજાલા દ્વારા વલસાડ વિધાનસભાના ધારાસભ્ય ભરતભાઈ કીકુભાઈ પટેલના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉજાલા કહે છે કે મારા માટે એ ગૌરવની વાત છે કે હું આત્મનિર્ભર છું અને ફિલ્ડ ટેકનિશિયન તરીકે મારી ઓળખ બનાવી રહી છું. આનાથી પણ મહત્વની વાત એ છે કે આ કાર્યને કારણે આજે મને એક જનપ્રતિનિધિના ઘરે સ્માર્ટ મીટર લગાવવાની તક મળી. ઉજાલા છોકરીઓને લઈને સમાજની વિચારસરણી બદલવાની વાત પણ કરે છે. તેમનું કહેવું છે કે ઘણા કારણોસર આજે પણ ગામડાઓમાં છોકરીઓ પોતાનું શિક્ષણ પૂરું કરી શકતી નથી. આ માટે વાલીઓ પણ જવાબદાર છે. કારણ કે, ધોરણ 8 અથવા 10 પછી, તેઓ તેમની પુત્રીઓને ઘરે રહેવા અથવા તેમના લગ્ન કરવા મોકલે છે. હું ભાગ્યશાળી છું કે મારા માતા-પિતાએ મને મારી પસંદગીનું શિક્ષણ અને નોકરી મેળવવામાં સાથ આપ્યો છે. ઉજાલા કહે છે કે તમામ માતા-પિતાએ તેમનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. તો જ છોકરીઓ આત્મનિર્ભર બની શકશે અને મહિલા સશક્તિકરણનો ઉદ્દેશ્ય સાચા અર્થમાં સિદ્ધ થઈ શકશે. માત્ર સરકારની ઈચ્છાથી કંઈ નહીં થાય, આ પરિવર્તન માટે સમાજે આગળ આવવું પડશે.

તમને જણાવી દઈએ કે સ્માર્ટ મીટર ઊર્જા સંરક્ષણના ક્ષેત્રમાં એક ક્રાંતિ બની ગયું છે. દેશના તમામ રાજ્યો આગળ આવી રહ્યા છે અને કેન્દ્ર સરકારની આ પ્રજાલક્ષી યોજનાને અપનાવી રહ્યા છે. સ્માર્ટ મીટરમાં લોકોનો વિશ્વાસ વધારવા માટે, જનપ્રતિનિધિઓ સૌપ્રથમ તેમને તેમના ઘરોમાં લગાવે છે. ભરતભાઈ કિકૂભાઈ પટેલના પ્રયાસો પણ આ દિશામાં એક પગલું છે.

પ્રજાસત્તાક દિને કાર્નિવલ થકી યુથ નેશને આપ્યો સે નો ટુ ડ્રગ્સ, યેસ ટુ લાઈફનો સંદેશ

 

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત રહ્યા ઉપસ્થિત

સુરત. યુવા પેઢીને ડ્રગ્સના નશાની ચંગુલથી બચવવા માટે છેલ્લા દસ વર્ષથી કાર્યરત યુથ નેશન સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે જ ડ્રગ્સ ના દૂષણ સામે લોક જાગૃતિ લાવવા માટે કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્નિવલમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સહિત શહેરની અનેક ગણમાન્ય વ્યક્તિઓ અને પોલીસ તેમજ જિલ્લા તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર આયોજન અંગે માહિતી આપતા યુથ નેશન ના સંસ્થાપક વિકાસ દોશીએ જણાવ્યું હતું કે આજે સમાજમાં ડ્રગ્સનુ દૂષણ ફેલાયેલું છે અને યુવાધન બરબાદીના માર્ગે આગળ વધી રહ્યું છે. ત્યારે સમાજને અને ખાસ કરીને યુવા પેઢીને ડ્રગ્સના દૂષણ થી બચાવવા યુથ નેશન સંસ્થા દ્વારા બીડું ઝડપવામાં આવ્યું છે. છેલ્લા દસ વર્ષથી સંસ્થા દ્વારા યુવાઓને ડ્રગ્સ ના વ્યસન સામે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જે લોકો ડ્રગની ચુંગલમાં ફંસાયેલા હોય તેવા લોકોની સારવારમાં મદદ કરી તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવે છે.

આ માટે દર વર્ષે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પર રેલી, કાર્નિવલ જેવા આયોજન કરી સમાજને સે નો ટુ ડ્રગ્સ નો સંદેશ આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ 26મી જાન્યુઆરીના રોજ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે જ સાંજે 5 વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુથી પ્રાઈમ શોપર્સ થી વાય જંકશન સુધી આ કાર્નિવલ યોજવામાં આવ્યો હતો. જેમાં દસ જેટલા સ્ટેજ બનાવમાં આવ્યા હતા અને તેના પર શહેરના નામી કલાકારો દ્વારા ડાન્સ, લાઈવ બેન્ડ, યોગા સહિત વિવિધ કાર્યક્રમોની પ્રસ્તુત થકી સે નો ટુ ડ્રગ્સ, યેસ ટુ લાઈફનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્નિવલમાં બાળકો માટે જગલર્સ, જોકર, કાર્ટૂન કેરેક્ટર જેવા મનોરંજન માટેના પાત્રો હતા. આ કાર્યક્રમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સહિત મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને શહેરના ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

BNI સુરત દ્વારા આયોજિતબે દિવસીય બિઝનેસ કોન્ક્લેવનું સમાપન

 

બે દિવસીય કોન્ક્લેવમાં ભૂતપૂર્વ ક્રિકેટર વી.વી.એસ.લક્ષ્મણ, કેપી ગ્રુપના ફારુક પટેલ અને સંજય રાવલ જેવી હસ્તીઓએ સફળ બિઝનેસમેન બનવાની ટિપ્સ આપી

કોન્ક્લેવમાં ચાર દેશ, 100 થી વધુ શહેરોમાંથી 250 થી વધુ એઝસીબીટર્સ, 10,000 થી વધુ લોકોએ ભાગ લીધો

સુરત: BNI ગ્રેટર સુરત દ્વારા તેની ફ્લેગશિપ ઇવેન્ટ બિઝનેસ કોન્ક્લેવનું 18 અને 19મી જાન્યુઆરીએ આયોજન કરવામાં આવ્યું. શનિવારથી શરૂ થયેલી આ ઇવેન્ટનું રવિવારે સમાપન થયું. બે દિવસીય ઇવેન્ટમાં 50 કરોડ થી વધુની સફળ ડિલ્સ થઈ. સરસાણા સ્થિત કન્વેશન સેન્ટર ખાતે આયોજિત ઇવેન્ટમાં પ્રથમ દિવસે કી નોટ સ્પીકર તરીકે પૂર્વ ભારતીય ક્રિકેટર વી.વી.એસ.લક્ષ્મણ ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે બીજા દિવસે કેપી ગ્રુપના ફારુક પટેલ અને સંજય રાવલે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું. તેઓએ પોતાના અનુભવ રજૂ કરવા સાથે કેવી રીતે સફળ બિઝનેસમેન બની શકાય છે તે અંગે ટિપ્સ આપી. BNI સુરતની આ અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ હતી. બિઝનેસ કોન્ક્લેવની આ વખતની થીમ કનેક્ટ, કોલાબ્રેટ અને કો ક્રીએટ રાખવામાં આવી હતી. બે દિવસની આ બિઝનેસ કોન્ક્લેવમાં વિવિધ ઉદ્યોગોના નિષ્ણાંતોએ ઉપસ્થિત રહી પેનલ ચર્ચા સાથે જ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું. સાથે જ સેક્ટર વાઇસ બિઝનેસ મીટ, ક્લાસિસ નું પણ આયોજન કરવામાં આવ્યું.. જેમાં જે તે સેક્ટરના નામાંકીત ઉદ્યોગપતિઓ કીનોટ સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા અને માર્ગદર્શન પૂરું પાડ્યું. આ કોન્ક્લેવમાં ચાર દેશ, 100 શહેરોમાંથી 250 એઝસીબીટર્સ અને 10000 થી વધુ લોકોએ ભાગ લીધો.


બિઝનેસ કોન્ક્લેવના આયોજન અંગે માહિતી આપતા ગૌરવ સિંઘવી અને ડો.નિધિ સિંઘવી, BNI ગ્રેટર સુરતના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એ જણાવ્યું કે બિઝનેસ કોન્ક્લેવનો ઉદ્દેશ્ય બિઝનેસ નેટવર્કિંગ, વિચારોનું આદાન પ્રદાન અને સહયોગ થકી બિઝનેસના વિસ્તરણ તકો માટે ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોને એક મંચ પર લાવવાનો હતો. આ વખતનું એડીશન એ નવમું એડીશન હતું અને અત્યાર સુધીનું સૌથી મોટુ આયોજન હતું. જેમાં 100થી વધુ શહેરો અને વિવિધ બિઝનેસ કેટેગરીના 250થી વધુ બિઝનેસ એક્સીબીશનની સહભાગિતા જોવા મળી.આ ઇવેન્ટમાં મેગા ટેકસટાઇલ, મેગા જ્વેલરી, મેગા ટ્રાવેલ મીટ અને પ્રોડેક્ટ લોન્ચનું આયોજન કરવામાં આવ્યું. અલગ – અલગ બિઝનેસ માટે અલગ અલગ મીટ અને પેનલ ચર્ચાઓ યોજાઈ. આ બિઝનેસ કોન્ક્લેવનો ઉદ્દેશ્ય સુરત શહેરની અર્થવ્યવસ્થા અને બિઝનેસ લેન્ડસ્કેપ ને વેગ આપવાનો હતો. ત્યારે બે દિવસીય આયોજનના અંતે 50 કરોડ થી વધુની સફળ ડીલ્સ થઈ.

HDFC બેંક દ્વારા પ્રજાસત્તાક દિન પૂર્વે સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે તિરંગા યાત્રાનું કરાયું આયોજન

 

દેશના નાગરિકોમાં દેશભક્તિની ભાવના વધુ મજબૂત બને અને લોકો ડિજિટલ છેતરપિંડી અંગે જાગૃત થાય એવા ઉદ્દેશ્ય સાથે થયેલા આયોજનમાં મોટી સંખ્યમાં નાગરિકોએ પણ ભાગ લીધો


સુરત. ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી HDFC બેંકે પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. બેંક દ્વારા પ્રજાસત્તાક દિનના ઉપલક્ષમાં એક સાથે સુરત, અમદાવાદ અને વડોદરામાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા ઉજવવા પાછળનો ઉદ્દેશ્ય નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવવા સાથે જ આજ કાલ વધી રહેલા સાયબર ફ્રોડના ગુનાઓ સામે લોકો જાગૃત થાય એ હતો. ત્રણેય શહેરોમાં યોજાયેલ તિરંગા યાત્રાને નાગરિકો દ્વારા ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો.

– સુરતમાં તિરંગા યાત્રા દરમિયાન માર્ગદર્શક પત્રિકાઓનું વિતરણ

સુરત ખાતે બેંકની પાર્લે પોઈન્ટ, સિટી લાઇટ શાખાથી તિરંગા યાત્રાની શરૂઆત થઈ હતી. આ તિરંગા યાત્રા ખાટુ શ્યામ, અલથાણ અને વીઆઈપી રોડ સહિત અનેક સ્થળોએથી પસાર થઈને વેસુ ખાતે સમાપ્ત થઈ હતી. આ યાત્રામાં બેંકના કર્મચારીઓ સહિત વિશાળ સમુદાયની સક્રિય ભાગીદાર જોવા મળી હતી. સહભાગીઓએ યાત્રાના માર્ગ પર ભારતીય તિરંગા અને સુરક્ષિત ડિજિટલ બેંકિંગ પદ્ધતિઓ પર માર્ગદર્શક પત્રિકાઓનું વિતરણ કર્યું હતું.

– વડોદરામાં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે તિરંગા યાત્રાને આપી લીલીઝંડી

વડોદરા ખાતે ક્લસ્ટર હેડ રોશન ભટ્ટના માર્ગદર્શન હેઠળ ડિજિટલ છેતરપિંડી અંગે જાગૃતિ ફેલાવવાની સાથે દેશભક્તિને પણ પ્રોત્સાહન આપવામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખી તિરંગા યાત્રાને વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે મુખ્ય મહેમાન તરીકે રાવપુરા ખાતે લીલી ઝંડી આપી હતી. ગાયકવાડે રાષ્ટ્રીય ગૌરવને નાણાકીય શિક્ષણ સાથે જોડવાના બેંકના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગમાં બેંકના અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રાહકો અને સ્થાનિક લોકોએ પૂરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. યાત્રા રાવપુરાથી કોઠી રાવપુરા, સંગમ ચાર રસ્તા, કારેલીબાગ અને સમા સાવલી સહિત અનેક સ્થળોએથી આગળ વધી હતી. સહભાગીઓએ યાત્રાના માર્ગ પર નાગરિકોને ભારતીય ધ્વજ અને સલામત ડિજિટલ બેંકિંગ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપતી પત્રિકાઓનું વિતરણ કર્યું હતું.

– અમદાવાદમાં રિફિલ રોડ ખાતેથી નીકળી તિરંગા યાત્રા

HDFC બેંક દ્વારા સુરત અને વડોદરાની જેમ અમદાવાદ ખાતે પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા રિલીફ રોડ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે શરૂ થઈ હતી અને ગાંધી રોડ, ખડિયા, સુમેલ બિઝનેસ પાર્ક, સારંગપુર, સ્વામિનારાયણ મંદિર અને શાહીબાગ વગેરે વિવિધ વિસ્તારોમાંથી પસાર થયા પછી અસારવા ખાતે સમાપ્ત થઈ હતી. આ યાત્રામાં બેંક અધિકારીઓ, ગ્રાહકો અને સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે યાત્રા દરમિયાન રાષ્ટ્રીય ધ્વજ અને માહિતીપ્રદ પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. જેમાં રાષ્ટ્રીય ભાવનાના સંદેશ અને સુરક્ષિત ડિજિટલ બેંકિંગ પ્રથાઓના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

એક સાથે ત્રણ શહેરોમાં યોજાયેલી તિરંગા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના નાગરિકોને આજના ડિજિટલ યુગમાં સાયબર છેતરપિંડી સામે સાવચેત રહેવાની જરૂરિયાત વિશે શિક્ષિત કરવાની સાથે રાષ્ટ્રના મૂલ્યોનું સન્માન કરવાનો હતો. રાષ્ટ્રીય ગૌરવને નાણાકીય શિક્ષણ સાથે જોડીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવાની આ ખરેખર એક અનોખી રીત હતી. ત્યારે ડિજિટલ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટેના HDFC બેંકના પ્રયાસોએ લોકોને પ્રભાવિત કર્યા હતા અને યાત્રાને જબરદસ્ત સફળતા મળી હતી.

સખીયા સ્કિન ક્લિનિકનો ગ્રોથ પ્લાન : બે વર્ષમાં દેશભરમાં 100 ક્લિનિક સુધી પહોંચવાનું લક્ષ્ય

 

સુરત : ભારતમાં ડર્મેટોલોજી અને સૌંદર્ય ચિકિત્સા ક્ષેત્રે અગ્રણી “સખીયા સ્કિન ક્લિનિક”, સ્કિનકેર અને હેરકેરમાં તેની સ્થિતિ વધુ મજબૂત કરીને આગળ ઝડપી વૃદ્ધિ માટે તૈયાર છે. તેની મહત્વાકાંક્ષી વૃદ્ધિ વ્યૂહરચનાના ભાગરૂપે, સંસ્થા દ્વારા નવા ક્લિનિક શરૂ કરીને બે વર્ષમાં દેશભરમાં 100 જેટલા ક્લિનિક સંચાલિત કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 1998માં જાણીતા ત્વચારોગ વિશેષજ્ઞ ડૉ. જગદીશ સખીયા દ્વારા સ્થાપિત, સખીયા સ્કિન ક્લિનિક હાલમાં સમગ્ર ભારતમાં ૩૫ ક્લિનિકનું સંચાલન કરે છે. ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં આ સંખ્યા વધીને 40 થઈ જવાનું અનુમાન છે.

સખીયા સ્કિન ક્લિનિક દ્વારા પ્રદાન કરવામાં આવતી સારવારમાં ખીલની ટ્રીટમેન્ટ, એંટી એજીંગ ટ્રીટમેન્ટ અને અદ્યતન કોસ્મેટિક પ્રક્રિયાઓ સામેલ છે. આ તમામ ઉપચાર અને પ્રક્રિયાઓ US FDA-મંજૂર ટેકનોલોજી દ્વારા સંચાલિત છે.

સખીયા સ્કિન ક્લિનિકના સંસ્થાપક ડૉ. જગદીશ સખીયાએ જણાવ્યું હતું કે, “અમારું લક્ષ્ય હંમેશા સલામતી, ચોકસાઈ અને દર્દીના સંતોષ પર ધ્યાન કેન્દ્રિત કરીને વિશ્વ સ્તરીય દેખરેખ પૂરી પાડવાનું રહ્યું છે. અમે અમારા બધા ક્લિનિકમાં લેટેસ્ટ ટેકનોલોજી અપનાવીને તેમજ બેસ્ટ ક્વોલિટીની પ્રોડક્ટનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરવા ઉપરાંત તેનાથી વધુ આગળ વધીને ઉત્તમ પરીણામ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારું લક્ષ્ય દર્દીઓ તેમના આત્મવિશ્વાસ અને ફરીથી સુંદરતા મેળવવામાં મદદ કરવાનું છે. વર્ષ 2027 ના અંત સુધીમાં કુલ 100 ક્લિનિક સુધી પહોંચવાનું અમારું લક્ષ્ય તે દિશામાં જ એક પ્રયાસ છે.”

સખીયા સ્કિન ક્લિનિકના તમામ કેન્દ્રો પર, અત્યંત કુશળ ડર્મેટોલોજિસ્ટ, કોસ્મેટોલોજિસ્ટ અને થેરાપિસ્ટ કાર્યરત છે, જેઓ દરેક સારવાર માટે દર્દી કેન્દ્રિત અભિગમ અપનાવે છે.

સખીયા સ્કિન ક્લિનિક “જસ્ટ સ્કિન એન્ડ હેર ક્લિનિક” પણ લોંચ કરવા માટે તૈયાર છે. જે ટાયર-3 શહેરોમાં વ્યાજબી દરે, ઉચ્ચ ગુણવત્તા વાળા સ્કિનકેર સોલ્યુશન પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી રચવામાં આવનાર સમર્પિત ડિવિઝન છે.

સખીયા સ્કિન ક્લિનિકના પ્લાસ્ટિક સર્જરી સેન્ટર માં બધી સર્જિકલ અને નોન-સર્જિકલ પ્રક્રિયાઓ પ્રદાન કરે છે. આ ઉપરાંત, તેના પ્રોડક્ટ ડિવિઝન, ડૉ. સખીયા એડવાન્સ્ડ સ્કિન સાયન્સમાં, સ્કિનકેર પ્રોડક્ટ્સની વિશાળ પ્રોડક્ટ-શ્રેણી બનાવવામાં આવે છે. સખીયા સ્કિન ક્લિનિક સમાજને કઈક પરત આપવામાં પણ દ્રઢ વિશ્વાસ ધરાવે છે. તેની સમાજસેવા સાથે સંકળાયેલી શાખા, PJ સખીયા ચેરિટેબલ ટ્રસ્ટ, નિ:શુલ્ક આરોગ્ય શિબિરોનું આયોજન કરે છે અને વિવિધ શૈક્ષણિક પહેલોના માધ્યમથી જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે.

રોજિંદા હીરો અમારી સેવા કરતા હાથનું સન્માન

 

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમે પૂર્વ-પ્રાથમિક અને પ્રાથમિક વિદ્યાર્થીઓ માટે એક પ્રવૃત્તિ હાથ ધરી હતી જેથી નાના બાળકોને સમજાય કે કેવી રીતે સામુદાયિક સહાયકો સારી રીતે કાર્યરત, સુમેળભર્યા સમાજના નિર્માણમાં આવશ્યક ભૂમિકા ભજવે છે. તેઓ આપણા સમુદાયોની કરોડરજ્જુ છે, આપણું જીવન સરળતાથી અને તણાવમુક્ત ચાલે તેની ખાતરી કરવા માટે અથાક કામ કરે છે. દરેક વ્યાવસાયિક સલામતી, આરોગ્ય, શિક્ષણ અને એકંદર સુખાકારી જાળવવા માટે અનન્ય અને મહત્વપૂર્ણ હેતુ પૂરો પાડે છે.

આ રોજબરોજના હીરો માત્ર સેવાઓ જ આપતા નથી પરંતુ પડકારજનક સમયમાં સુરક્ષા, આરામ અને સમર્થન પણ આપે છે. આપણને સાજા કરવા માટે હેલ્થકેર પ્રોફેશનલ્સ વિનાની દુનિયાની કલ્પના કરો, આપણું રક્ષણ કરવા માટે અગ્નિશામકો, અથવા ખેડૂતોને ખોરાક પૂરો પાડવા માટે-આપણી દિનચર્યાઓ અનિશ્ચિતતા અને મુશ્કેલીઓથી ભરેલી હશે. સામુદાયિક સહાયકો આ અંતરને દૂર કરે છે, સ્થિરતા અને વ્યવસ્થા સુનિશ્ચિત કરે છે, આપણું જીવન વધુ વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ બનાવે છે.

નાની ઉંમરથી આ ભૂમિકાઓને ઓળખવા અને આદર આપવાથી સહાનુભૂતિ, કૃતજ્ઞતા અને સામાજિક જાગૃતિ વધે છે. તે બાળકોને સહયોગ અને પરસ્પર આદરનું મહત્વ શીખવે છે, દયા અને જવાબદારીના મૂલ્યો સ્થાપિત કરે છે. કોમ્યુનિટી હેલ્પર્સ ડ્રેસ-અપ ડેની ઉજવણી કરીને, અમારો ઉદ્દેશ્ય અમારા યુવા શીખનારાઓને આ વ્યક્તિઓની મહેનતની કદર કરવા અને દરેક ભૂમિકા સમાજની સુધારણામાં કેવી રીતે ફાળો આપે છે તે સમજવા માટે પ્રેરિત કરવાનો છે.

જેઓ પોતાનું જીવન અન્યની સેવા કરવા માટે સમર્પિત કરે છે તેઓનું આપણે સન્માન કરવાનું ચાલુ રાખીએ, કારણ કે તેમના યોગદાન એક સમૃદ્ધ, તણાવમુક્ત સમુદાયનો પાયો

ઉત્તરાયણ પર્વ પર પતંગ છોડી સમાજ સેવાને મહત્વ આપ્યું, વી.એન. ગોધાણી સ્કૂલના 56 વિદ્યાર્થીઓએ દાન એકત્રિત કર્યું

 

એકત્રીત થયેલ દાન, વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ અને બહેરા મૂંગા બાળકોની સંસ્થાને આપશે

સુરત. ઉત્તરાયણ પર્વ એટલે કે મકર સંક્રાંતિ પર પતંગ સાથે ઉજવણીનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ દાનનું પણ છે. ત્યારે શહેરની વી.એન. ગોધાણી સ્કૂલના 56 જેટલા વિદ્યાર્થીઓએ આજરોજ પતંગ સાથે પર્વની ઉજવણી કરવાના બદલે દાન એકત્રીત કર્યું હતું અને આ એકત્રિત થયેલ દાન હવે વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ અને બહેરા મૂંગા બાળકોની સંસ્થાને આપવામાં આવશે.

હિન્દુઓ માટે ઉત્તરાયણ પર્વ દાન આપવા માટેનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. અમીર – ગરીબ સૌ કોઈ પોતાની ક્ષમતા – અનુકૂળતા મુજબ ગૌશાળા – ધર્મસ્થાનો – વૃદ્ધાશ્રમ – અનાથ આશ્રમમાં દાન આપતા હોય છે. ત્યારે મૂંગા પશુ – પક્ષી, વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ માટે દાન એકત્ર કરી, આવી અલગ – અલગ સંસ્થાઓમાં વી. એન. ગોધાણી ઈંગ્લીશ સ્કૂલના માધ્યમથી પહોંચાડવામાં આવે એવો વિચાર ધોરણ-૯ અને ધોરણ-૧૧ ના વર્ગમાં વહેતો મૂકવામાં આવેલ.

ત્યારે બાળકોએ પણ આ નિર્ણયને વધાવી લીધેલ. સામાન્ય રીતે બાળકો ઉત્તરાયણ પર્વનો વિશેષ આનંદ ઉઠાવતા હોય છે. વહેલી સવારથી જ અગાશી પર પતંગ ચગાવવા આવી જતાં હોય, આખો દિવસ અગાશી પર DJ (માઇક-સ્ટીરીયો) પર ગીતો વગાડી નાચ-ગાન કરતાં હોય. મોટાભાગે જમવાનું અને નાસ્તો બધુ અગાશી પર જ થતું હોય, પરંતુ આવા આનંદના સમયમાં મિત્રો-કઝિન્સ અને ફેમિલી સાથે એન્જોય કરવાનું મૂકીને વી.એન.ગોધાણી શાળામાં ધોરણ 9 અને 10ના 56 જેટલા બાળકો અને શિક્ષકોએ સવારના ૮-૦૦ કલાકથી બપોરે ૨-૦૦ કલાક સુધી દાન એકત્ર કર્યું હતું. આ બાળકો અને શિક્ષકો સ્કૂલના યુનિફોર્મ પહેરીને કતારગામ વિસ્તારમાં સન્ડે હબ, ડભોલી ચારરસ્તા, સિંગણપોર ચાર રસ્તા તેમજ સ્વામીનારાયણ મંદિર, કતારગામ કુલ – ૪ જગ્યાઓ પર ઉપસ્થિત રહ્યા હતા અને દાન સ્વીકાર્યું હતું. શાળાના બાળકો દ્વારા એકત્રિત કરવામાં આવેલ આ દાન હવે વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ, બહેરા મૂંગા બાળકોની સંસ્થાને અર્પણ કરવામાં આવશે.

શાળાના બાળકો દ્વારા કરવામાં આવેલા આ કાર્ય બદ્દલ શાળાના વડા ગોવિંદકાકા એ જણાવ્યું હતું કે,

આ પ્રયોગ કરવાનું વિચાર એટલે જ આવ્યો કે, આ ઉંમરે વિદ્યાર્થીને ખબર પડે કે, બીજા માટે દાન કેમ માંગવું..? આવેલા દાનનો ઉપયોગ કોના માટે કરવો..?

ટૂંકમાં વિદ્યાર્થીઓમાં આપવાની ભાવના કેળવાય એને સમાજ શિક્ષણની તંદુરસ્તી સ્કુલમાં જ મળી જાય એ ભાવ સાથે આગળ વધી રહ્યા છીએ..

સ્કુલના ડાયરેક્ટર ભાવેશ લાઠિયા જણાવ્યુ હતુ કે, ઉત્તરાયણના પર્વમાં દાનનો પણ એટલો જ પારંપરિક મહિમા છે ત્યારે, આ રીતે દાન એકત્ર કરીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવું જવાબદારી વિદ્યાર્થીમા આવે એ મહત્વ સમજાવવા આ પ્રમાણેના પ્રયોગો સ્કુલ દ્વારા કરવામાં આવે છે.
ભારતનો આ વારસો આવનારી પેઢીમાં જળવાય તે માટે આ એક શરૂઆત છે . આવી પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં જીવદયા, કરુણા, જરૂરિયાત વાળા લોકોને મદદરૂપ થવું તેવા સદગુણોનું ચિંતન થાય તે હેતુ ની સાથે સાથે સમાજ પ્રત્યેની જવાબદારી અને વ્યક્તિઓને મદદ કરવાની ભાવનાના બીજ આ કુમળા માનસમાં જ રોપાય જાય, જે સમય જતાં સારા નાગરિક તરીકે સમાજને અને પરિવારને દરેક આપત્તીના સમયે સમાજ સાથે ઊભા રહેવાની પ્રેરણા આપતું રહે તે ઉપરાંત અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, બહેરા-મૂંગા માટેની સંસ્થાઓમાં પણ દાન મળી રહે તેવા હેતુથી આ પ્રવૃતિ કરવામાં આવી હતી.

આવેલા દાનને વિદ્યાર્થીઓ જ જરૂિયાતમંદોને પહોચાડવાના છે અને ત્યાબાદ જે તે ચોકમાં આવેલા દાનનો હિસાબ પણ વિદ્યાર્થીઓ જે તે જગ્યાએ પારદર્શકતા સાથે આપવાના છે.

ટૂંકમાં લીધા પછી સમાજને હિસાબ કેમ અપાય એ પણ જાહેરમાં આપવનું શિક્ષણ પણ બાળકોના હૃદયમા જગાડવાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે

મકર સંક્રાંતિ: ઉર્જા અને નવી શરૂઆતનો સ્વાગત

 

મકર સંક્રાંતિનું આગમન આપણને યાદ કરાવે છે કે કઠોર શિયાળો પણ અંતે સુખદ અને મીઠી ધુપમાં પરિવર્તિત થાય છે, જે જીવનનો એક ઊંડો પાઠ આપે છે – સકારાત્મકતા અને નવી શરૂઆતને સ્વીકારવાનો. આ તહેવાર આપણને ખુશી ફેલાવવા અને બધાં સાથે મીઠી બોલવાની પ્રેરણા આપે છે, જેને મરાઠી કહેવત “તિલગુલ ઘ્યા, ગોડ ગોડ બોલા” – “તિલગુલ લો અને મીઠું બોલો” દ્વારા સુંદર રીતે વ્યક્ત કરવામાં આવ્યું છે.

મકર સંક્રાંતિ એ નવી પાકલીઓની કાપણીના સિઝનની શરૂઆત સૂચવે છે, જયારે તાજી પાકેલ ફસલોનું પૂજન થાય છે અને આભાર અને સમૃદ્ધિના પ્રતીક તરીકે બધાં સાથે વહેંચાય છે. આ તહેવાર એક ખગોળીય પરિવર્તનનો પણ સંકેત આપે છે, જ્યારે સુર્ય દક્ષિણાયનમાંથી ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે, જે શિયાળાના અંત અને લાંબા, ઉર્જાશીલ અને ઉષ્ણ દિવસોની શરૂઆત દર્શાવે છે.

ભારતમાં આ તહેવાર વિવિધ રાજ્યોમાં અલગ-અલગ નામોથી ઉજવાય છે, જે દેશની સાંસ્કૃતિક વિવિધતાને વ્યક્ત કરે છે. તમિલનાડુમાં તે પોંગલ તરીકે, પંજાબ અને હરિયાણામાં લોહડી, આસામમાં મઘ બીહુ અને ઉત્તર પ્રદેશ અને બિહારમાં ખીચડી તરીકે ઉજવાય છે. પ્રાદેશિક વિવિધતાઓ હોવા છતાં, આ તહેવારનો મુખ્ય સત્વ – કૃતજ્ઞતા, સમૃદ્ધિ અને ઉષ્મા – સર્વત્ર એકસરખો રહે છે.

વિશિષ્ટ રીતે, મકર સંક્રાંતિ એ એકમાત્ર હિન્દુ તહેવાર છે જે સૂર્ય પંચાંગ પર આધારિત છે, જ્યારે અન્ય તમામ તહેવારો ચંદ્ર પંચાંગ પ્રમાણે ઉજવાય છે. આ દિવસે સૂર્ય દેવની પૂજા કરવામાં આવે છે, જે પ્રકાશ, સકારાત્મકતા અને આધ્યાત્મિક જાગૃતિના મહત્વને ઉજાગર કરે છે.

આ આનંદમય તહેવારનું મહત્વ અમારા વિદ્યાર્થીઓને સમજાવવા અને અનુભવ આપવા માટે, અમે રોમાંચક રીતે મકર સંક્રાંતિનો ઉજવણીઓ યોજી. બાળકોને આ સાંસ્કૃતિક અને ઋતુગત તહેવારનું મહત્વ સમજાવવા માટે, તેમણે રંગબેરંગી પતંગો બનાવવી અને ડેકોરેટ કરવી. તેમણે તેજસ્વી શિયાળાની ધૂપમાં આકર્ષક પતંગો ઊડાવવાની મજા માણી. આ અનુભવે ન માત્ર તેમની સાંસ્કૃતિક સમજણમાં વધારો કર્યો, પણ એ દિવસ હાસ્ય, સર્જનાત્મકતા અને યાદગાર પળોથી ભરાયો.