Posts by: abhay_news_editor
એઆઈ ટેક્નોલોજી આધારિત જ્વેલરી ડિઝાઇનનો યુગ શરૂ: ISGJએ કતારગામમાં નવું GenZ કેમ્પસ શરૂ કર્યું
સુરતના હીરા–જ્વેલરી ઉદ્યોગને મળશે નવી દિશા, નવી પેઢી માટે હાઈટેક કોર્સિસ શરૂ
સુરત. સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે એક નવો અને ટેક્નોલોજીથી સમૃદ્ધ અધ્યાય શરૂ થયો છે. ઇન્ટરનેશનલ સ્કૂલ ઑફ જેમ્સ એન્ડ જ્વેલરી (ISGJ)એ કતારગામ ખાતે પોતાના નવા Next GenZ કેમ્પસનો પ્રારંભ કર્યો છે, જ્યાં AI આધારિત જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ કોર્સિસ શીખવાડવામાં આવશે.
ડાયમંડ અને જ્વેલરી ક્ષેત્રમાં વિશ્વસ્તરીય શિક્ષણ આપતી આ પ્રતિષ્ઠિત સંસ્થા હવે શહેરના હીરા ઉદ્યોગના હૃદયસ્થાન સમા કતારગામ સુધી પહોંચી છે.
નવા કેમ્પસમાં વિદ્યાર્થીઓને 15 પ્રકારના અલગ અલગ જેમ્સ, જ્વેલરી, ડાયમંડ, ડાયમંડ ગ્રેડિંગ, વેલ્યુએશન અને એઆઈ–બેઝ્ડ ડિઝાઇન કોર્સિસ શીખવાડવામાં આવશે. આ કોર્સિસ નવી પેઢીને વૈશ્વિક જ્વેલરી માર્કેટની માંગ પ્રમાણે હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ પૂરી પાડશે.
ISGJ વતી કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે, “કતારગામ ખાતે શરૂ થયેલું આ નવું જ્વેલરી ડિઝાઇન અને રિસર્ચ સેન્ટર આવનારા સમયમાં કતારગામ અને આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો યુવાનોને રોજગારી અને આત્મનિર્ભરતાની તક આપશે. અહીં નવીનતમ હાઈ-ટેક અને AI ટેક્નોલોજીના આધારે ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ શીખવાડવામાં આવશે.”

– આધુનિક સુવિધાઓ સાથેનું 5,000 ચોરસ ફૂટ કેમ્પસ
કતારગામ કેમ્પસ 5,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે, જેમાં સ્ટેટ-ઓફ-દ-આર્ટ વર્ગખંડો, અદ્યતન લેબોરેટરી, મશીનરી અને ટેક્નોલોજીની સુવિધાઓ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓને રિયલ ઈન્ડસ્ટ્રી જેવી પરિસ્થિતિમાં કામ કરવાનો અનુભવ મળે તે રીતે આ ઈન્સ્ટિટ્યૂટ ડિઝાઇન કરાયું છે.
– વૈશ્વિક સ્તરે ISGJનું નામ
ISGJના કેમ્પસ હાલમાં અમદાવાદ, હૈદરાબાદ, શ્રીલંકા અને રશિયામાં કાર્યરત છે અને હવે આફ્રિકામાં પણ તેની હાજરીની તૈયારી છે.
સંસ્થા હાલમાં 27થી વધુ વિશિષ્ટ કોર્સિસ આપે છે, જેમાં ભારતનો પ્રથમ BBA in Jewellery Design & Management અને MBA in Jewellery Business Managementનો સમાવેશ થાય છે. અત્યાર સુધી 25,000થી વધુ વિદ્યાર્થીઓ ISGJમાંથી ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે.
—
📍 સરનામું: ISGJ – કતારગામ કેમ્પસ, 2રું માળ, રાજહન્સ ફ્લેમિંગો, કતારગામ
📞 સંપર્ક: 9925050423
📧 ઈમેઈલ: connect@isgj.org
🌐 વેબસાઇટ: www.isgj.org
શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડ કંપનીએ Rs 85 કરોડના IPOની જાહેરાત કરી, 7 નવેમ્બર સુધી બિડ કરી શકાશે
એકત્રિત કરવામાં આવનાર ભંડોળનો ઉપયોગ પ્લાન્ટ વિસ્તરણ, મશીનરી, કોલ્ડ સ્ટોરેજની સ્થાપના, આધુનિકીકરણ, ઉર્જા અને કાર્યકારી મૂડી માટે કરવામાં આવશે
નવી દિલ્હી [ભારત], ૬ નવેમ્બર: અગ્રણી એગ્રો-પ્રોસેસિંગ અને એફએમસીજી કંપની, શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડએ NSE ઇમર્જ પ્લેટફોર્મ પર તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) લોન્ચ કરવાની યોજના જાહેર કરી છે. આ જાહેર ઇશ્યૂમાં 68 લાખ ઇક્વિટી શેરનો નવો ઇશ્યૂ શામેલ છે. આ IPO મારફતે કંપની, ભારત અને વિદેશમાં સ્થિત તેની મુખ્ય વિસ્તરણ યોજનાઓ માટે આવશ્યક ભંડોળ એકત્રિત કરવાનું લક્ષ્ય ધરાવે છે.
શ્રીજી ગ્લોબલ, એક ટ્રેડિંગ ફર્મથી એગ્રો-પ્રોસેસિંગ પાવરહાઉસ તરીકે વિસ્તરી છે. 2018 માં સ્થપાયેલ, શ્રીજી ગ્લોબલ એફએમસીજી, રાજકોટ અને મોરબીમાં બે સંપૂર્ણ સંકલિત ઉત્પાદન સુવિધાઓ સાથે નાના ટ્રેડિંગ યુનિટથી એક મજબૂત એન્ટરપ્રાઇઝમાં ઝડપથી વિકસિત થઈ છે. તેની મુખ્ય બ્રાન્ડ “SHETHJI” એફએમસીજી માર્કેટમાં એક વિશ્વસનીય નામ બની ગયું છે, જે એગ્રો-પ્રોસેસ્ડ પ્રોડક્ટની વિવિધ શ્રેણી ઓફર કરે છે.
કંપનીના પોર્ટફોલિયોમાં આખા મસાલા, પીસેલા મસાલા, બીજ, કઠોળ, અનાજ અને લોટ (આટા)નો સમાવેશ થાય છે. જીરું, ધાણા, તલ, વરિયાળી, મગફળી, કલોંજી અને મરચાં, હળદર અને ધાણાના પાવડર જેવા લોકપ્રિય ઉત્પાદનો કડક ગુણવત્તા ધોરણો હેઠળ બનાવવામાં આવે છે. આ દરેક ઉત્પાદનોના તેની બનાવટ, સુગંધ અને શેલ્ફ લાઇફમાં એકરૂપતા સુનિશ્ચિત કરવા માટે નિર્ધારિત ગુણવત્તા પરિમાણો હેઠળ તૈયાર કરવામાં આવે છે. આ સંકલિત પ્રક્રિયા પ્રવાહ તેમને પોતાના “SHETHJI” બ્રાન્ડ હેઠળ અને વ્હાઇટ-લેબલ પેકેજિંગ દ્વારા કાચા, પ્રક્રિયા કરેલ અને મૂલ્યવર્ધિત કૃષિ ઉત્પાદનો પ્રદાન કરવા માટે સક્ષમ બનાવે છે.
શ્રીજી ગ્લોબલ એફએમસીજી કંપનીએ ટૂંકા ગાળામાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. નાણાકીય વર્ષ 2022 અને નાણાકીય વર્ષ 2025 વચ્ચે પરિચાલન કામગીરીમાંથી આવક રૂ. 25,781.91 લાખથી બમણી થઈને રૂ. 64,892.12 લાખ થઈ છે. આ ઉપરાંત, 25 ઓગસ્ટ સુધીમાં, કંપનીએ 25,039.47 લાખ રૂપિયાની આવક મેળવી હતી. ઓગસ્ટ-2025 સુધીમાં, શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડે ચાલુ નાણાકીય વર્ષના માત્ર પાંચ મહિનામાં ₹9.20 કરોડનો ચોખ્ખો નફો હાંસલ કર્યો છે, જે તેની કાર્યકારી કાર્યક્ષમતા, બ્રાન્ડની મજબૂતી તેમજ સ્થાનિક અને નિકાસ બજારોમાં સતત વધતી જતી ગ્રાહક માંગનું મજબૂત પ્રમાણ છે.
પ્રતિ શેર ₹125 ના ઉપલા પ્રાઈસ બેન્ડ પર, આ ઇશ્યૂ આકર્ષક ભાવે ઉપલબ્ધ છે, જે રોકાણકારોને 12.89 ના નીચા પ્રાઈઝ-ટુ-અર્નિંગ (P/E) પર પ્રવેશ આપે છે, જે તેને અન્ય લિસ્ટેડ FMCG કંપનીઓની તુલનામાં સારી મૂલ્યાંકન તક બનાવે છે.
બજાર વિશ્લેષકો અને શરૂઆતના રોકાણકારો, શ્રીજી ગ્લોબલ એફએમસીજીને સંભવિત ભવિષ્યના મલ્ટિબેગર સ્ટોક તરીકે જુએ છે, જે સતત આવક વૃદ્ધિ, વ્યૂહાત્મક વિસ્તરણ અને મજબૂત ફંડામેન્ટલ્સ દ્વારા સમર્થિત છે.
કંપનીનું મજબૂત બિઝનેસ મોડેલ, ડાઇવર્સફાઇડ પ્રોડક્ટ પોર્ટફોલિયો અને સ્કેલેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેને ટૂંકા ગાળાના લાભ અને લાંબાગાળાના સંપત્તિ સર્જન બંને માટે આશાસ્પદ તક બનાવે છે. આજે, કંપની 25 થી વધુ દેશોમાં નિકાસ કરે છે, જે તેની અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓ દ્વારા સમર્થિત છે અને વૈશ્વિક માંગને કાર્યક્ષમ રીતે પૂર્ણ કરવામાં તેના પ્રદર્શનમાં નોંધપાત્ર યોગદાન આપે છે. માર્ચ-2025 માં જ્યારે “SHETHJI” બ્રાન્ડને પ્રતિષ્ઠિત ઉદ્યોગ પુરસ્કાર મળ્યો ત્યારે સુસંગત ઉત્પાદન ગુણવત્તા તરફના તેના પ્રયાસોને પણ માન્યતા આપવામાં આવી હતી.
કંપનીના IPO નો ઉદ્દેશ વિસ્તરણ યોજના, કામગીરી વધારવા અને માળખાગત સુવિધાને મજબૂત બનાવવા માટે ભંડોળ એકત્ર કરવાનો છે. આ ભંડોળનો ઉપયોગ નિમ્ન દર્શાવવામાં આવેલા કાર્યો કરવામાં આવશે:
- ઉત્પાદન વધારવા માટે નવા ફેક્ટરી પરિસરનું સંપાદન
- આધુનિક કોલ્ડ સ્ટોરેજ સાથે અદ્યતન પ્લાન્ટ અને મશીનરી સ્થાપિત કરવી
- ઊર્જા કાર્યક્ષમતા માટે 1000 KWP રૂફટોપ સોલાર પાવર સિસ્ટમની સ્થાપના કરવી
- સતત વિકાસને ટેકો આપવા માટે કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવી
કંપનીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, “આ પહેલો દ્વારા કંપનીની ક્ષમતામાં વધારો થશે, ખર્ચ ઘટાશે અને કાર્યદક્ષતામાં પણ વધારો થશે. આની સાથે જ, તેના ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર (D2C) ફૂટપ્રિન્ટનો પણ વિસ્તાર થશે.”
શ્રીજી ગ્લોબલ એફએમસીજી કંપનીનું નેતૃત્વ અને વિઝન હંમેશા વિકાસલક્ષી રહ્યું છે. કંપનીની સફળતા પાછળનું પ્રેરક બળ મેનેજિંગ ડિરેક્ટર જિતેન્દ્ર તુલશીદાસ કક્કડ છે, જેઓ કંપનીના સંસ્થાપક છે. તેમણે શરૂઆતથી જ ઊંડી ઉદ્યોગ કુશળતા અને વ્યવસાયિક સૂઝબૂઝ સાથે કંપનીની વ્યૂહરચનાને માર્ગદર્શન આપ્યું છે. સાથે જ, ડિરેક્ટર વિવેક તુલશીદાસ કક્કડએ ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં અને સ્કેલેબલ બિઝનેસ મોડેલને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
IPO ની જાહેરાત અંગે મેનેજિંગ ડિરેક્ટર જિતેન્દ્ર તુલશીદાસ કક્કડે જણાવ્યું હતું કે, “આ IPO શ્રીજી ગ્લોબલ એફએમસીજી માટે એક સીમાચિહ્નરૂપ ઐતિહાસિક ઘટના છે. એકત્ર કરાયેલી મૂડી અમને અમારા વ્યૂહાત્મક વિકાસને વેગ આપવા, ગુણવત્તા અને ટેકનોલોજીમાં રોકાણ કરવા અને અમારી બજાર પહોંચને વિસ્તૃત કરવા માટે સક્ષમ બનાવશે. અમારો વિશ્વાસ છે કે, આ પગલું અમારા શેરધારકો માટે લાંબાગાળાના મૂલ્યનું સર્જન કરશે. આ ઉપરાંત, આનાથી વિશ્વભરના ગ્રાહકોને પ્રીમિયમ એગ્રો-પ્રોસેસ્ડ ઉત્પાદનો પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂતી મળશે.”
કંપની વિશે માહિતી
ગુજરાતના રાજકોટમાં મુખ્ય મથક ધરાવતી, શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડ “SHETHJI” બ્રાન્ડ હેઠળ મસાલા, બીજ, કઠોળ, અનાજ અને લોટ સહિત કૃષિ-પ્રક્રિયાવાળા ઉત્પાદનોની વિશાળ શ્રેણીનું ઉત્પાદન અને માર્કેટિંગ કરે છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત હાજરી સાથે, કંપનીએ ભારતના એફએમસીજી ક્ષેત્રમાં એક વિશ્વસનીય અને ઝડપથી વિકસતી કંપની તરીકે પોતાની ઓળખ ઉભી કરી છે.
For more information, please visit: https://shreejifmcg.com/
સુરતથી શરૂ થઈ ‘Eco Kranti’ શ્રી શ્રી રવિશંકરજી ના માર્ગદર્શન હેઠળ સિંગલ યૂઝ પ્લાસ્ટિક મુક્ત ગ્રીન મિશનની શરૂઆત
આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ના SSRDP ( Sri Sri Rural Development Program & Sustainability ) વિભાગ અને સુરત મહાનગરપાલિકા વચ્ચે MoU; સુરત બનશે “ક્લીનેસ્ટ સિટી ટુ ગ્રીનેસ્ટ સિટી”
સુરત. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ તરફના સંકલ્પ સાથે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ના માર્ગદર્શન હેઠળ શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (SSRDP) દ્વારા શરૂ કરાયેલ ‘Eco Kranti’ મિશનની ગુજરાતમાંથી ભવ્ય શરૂઆત સુરત શહેરથી થઈ છે.
સુરત ક્લીનેસ્ટ સિટી સાથે સાથે બનશે ગ્રીનેસ્ટ સિટી, સુરતી ઓ સાથે મળી ને સમગ્ર વિશ્વ માં પ્રથમ એવો દાખલો બેસાડસે કે ક્લિનેસ્ટ સિટી અને ગ્રીનેસ્ટ સિટી સાથે સ્માર્ટ સિટી બનાવશે આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહિવત કરીને પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું રાખવાનો છે.
Eco Kranti ની મુખ્ય લડત સિંગલ યુઝ પ્લાસ્ટિક સાથે છે જે આપણા રોજિંદા જીવન માં આપડે પ્લાસ્ટિક ની વસ્તુઓ વાપરી ને ફેંકી દઈએ છીએ એ ઉપયોગ થી મુક્ત કરવા ની લડત છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિક થી જે માઇક્રો પ્લાસ્ટિક નું ઉત્પાદન થાય છે એ સૌથી મોટી ચેલેન્જ છે જે પર્યાવરણ સાથે સાથે આપડા શરીર ને પણ ખુબજ નુકસાન કરે છે જેમ કે કેન્સર જેવા રોગો તથા શુક્રાણુ ને લગતા પ્રશ્નો જેવા અનેક કારણો સાથે માનવ જીવન ને પણ ઘણું નુકસાન કારક છે કારણ કે એક સંશોધન અનુસાર હવા , પાણી અને ખોરાક દ્વારા એક ATM કાર્ડ ની સાઇઝ જેટલું માઇક્રો પ્લાસ્ટિક દર અઠવાડિયે આપડા શરીર માં જાય છે આ ગંભીરતા ને ધ્યાન માં રાખી ને આર્ટ ઓફ લિવિંગ દ્વારા અનેક ઇકો ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ વિકસાવાયા છે, જે સિંગલ યુઝ પ્લાસ્ટિક વિકલ્પરૂપે ઉપયોગી સાબિત થશે. આ પ્રોડક્ટ્સ કુદરતી રીતે માત્ર છ મહિના અંદર નાશ પામે છે, જ્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકને નાશ થવામાં એક હજાર વર્ષથી વધુ સમય લાગે છે.
આ અભિયાનનો હેતુ માનવ સમાજ ને પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનાવવાનો છે. SSRDP નો હેતુ એ છે કે અન્ય ઉદ્યોગકારો અને નાગરિકો પણ આવા ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ બનાવવા માટે આગળ આવે અને “Eco Kranti” ના મિશનને સમર્થન આપે.

સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર ગણાય છે, હવે તેને “ક્લીનેસ્ટ ટુ ગ્રીનેસ્ટ” બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ માટે SSRDP અને સુરત મહાનગરપાલિકા વચ્ચે ખાસ MoU કરવામાં આવ્યું છે. આ MoU દ્વારા ઇકો ફ્રેન્ડલી ઉપક્રમો, કચરાનું વૈજ્ઞાનિક રિસાયકલિંગ અને ગ્રીન ઈનોવેશન પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન મળશે.
આ મિશન ની શરૂઆત સુરત થી થાય એ માટે ભાજપ સુરત શહેર પ્રમુખ પરેશભાઈ પટેલે પહેલ કરી અને એમનો વિશેષ સહયોગ પણ રહ્યો છે. આજના MoU સેરેમની પ્રસંગે આર્ટ ઓફ લિવિંગ ના SSRDP વિભાગ ના ડાઇરેક્ટર તેમજ ટ્રસ્ટી દેવાંગભાઈ વોરા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી નું પ્રતિનિધિત્વ કરવા ખાસ બેંગલોરથી આવ્યા હતા. સાથે મેયર દક્ષેશભાઈ માવાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ , આર્ટ ઓફ લિવિંગ ના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિટી મેમ્બર પ્રકાશભાઈ ધોરીયાણી તેમજ આર્ટ ઓફ લિવિંગ ના શિક્ષક CA હરી અરોરા સહિત મહાનગરપાલિકા તેમજ આર્ટ ઓફ લિવિંગ ના અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં પણ આ આમંત્રિત મહેમાનોના હસ્તે જ્યાં વધુ પ્રમાણમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ થાય છે એવી હોસ્પિટલો ખાતે તેમજ યુવા પેઢીને જાગૃત કરવા માટે ટ્યુશન ક્લાસીસમાં Eco Kranti ની પ્રોડકટસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત લૉન્ચિંગની સાથે જ આજરોજ સુરતના 50થી વધુ સ્થળોએ આ દસ લાખ રૂપિયાથી વધુની કિંમતના Eco Kranti ના પ્રોડક્ટ્સનું મફત વિતરણ કરવામાં આવ્યું. આ પહેલથી સુરત શહેર ગ્રીન રેવોલ્યુશનનું નવું કેન્દ્ર બન્યું છે. આર્ટ ઓફ લિવિંગ નો ઉદ્દેશ્ય છે કે આ Eco Kranti માત્ર શહેર કે રાજ્ય સુધી મર્યાદિત ન રહે, પરંતુ વિશ્વના દરેક ખૂણામાં પહોંચે અને ધરતીને વધુ સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળી બનાવે.
હાલ લોકો ને સહેલાઈ થી Eco Kranti ના પ્રોડક્ટ્સ મળી રહે એ અનુસંધાને amazon તથા blinkit જેવી એપ પર Eco Kranti ના પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે.
ગેમ ચેન્જર્સ ટેક્સફેબ લિમિટેડ કંપનીએ ઇન્વેસ્ટર રોડ-શોનું સફળ આયોજન કર્યું
— જયપુર અને સુરતમાં યોજાયેલી બંને ઈવેન્ટમાં કંપનીના બિઝનેસ મોડેલ, કાર્યકારી ક્ષમતાઓ, નાણાકીય કામગીરી અને તેના લાંબાગાળાના ગ્રોથ વિઝનની ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી
જયપુર/સુરત : ગેમ ચેન્જર્સ ટેક્સફેબ લિમિટેડ કંપનીએ BSE પ્લેટફોર્મ પર તેના SME IPO ના ભાગરૂપે, 25 અને 27 ઓક્ટોબર, 2025 ના રોજ જયપુર અને સુરતમાં ઇન્વેસ્ટર રોડ-શોનું સફળતાપૂર્વક આયોજન કર્યુ હતું. આ રોડ-શો એ સંભવિત રોકાણકારો, સંસ્થાકીય ખરીદદારો અને બજારના સહભાગીઓ માટે કંપનીના બિઝનેસ મોડેલ, કાર્યકારી ક્ષમતાઓ, નાણાકીય કામગીરી અને તેના પબ્લિક ઇશ્યૂ પહેલાં લાંબાગાળાના ગ્રોથ વિઝનની ઊંડાણપૂર્વક સમજ મેળવવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પ્રદાન કર્યું હતું.
NNM ગ્રુપ દ્વારા યોજાયેલા આ રોડ શોના માધ્યમથી કંપનીની મેનેજમેન્ટ ટીમ અને સંભવિત રોકાણકારો વચ્ચે અર્થપૂર્ણ વાતચીત સુગમ બની હતી. પહેલી ઈવેન્ટ શનિવાર, 25 ઓક્ટોબર, 2025 ના રોજ જયપુરની હોટેલ હિલ્ટન ખાતે યોજાઈ હતી તેમજ બીજી ઈવેન્ટ સોમવાર, 27 ઓક્ટોબર, 2025 ના રોજ સુરતમાં TGB ખાતે એમેરાલ્ડ હોલમાં યોજાઈ હતી. બંને ઇવેન્ટ્સમાં રોકાણકારોની ઉત્સાહવર્ધક હાજરી જોવા મળી હતી. આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ, ગેમ ચેન્જર્સ ટેક્સફેબના ગ્રોથ પ્લાન, વ્યવસાયિક વિકાસની સંભાવના અને ભાવિ વિસ્તરણ યોજનાઓ પર પ્રકાશિત પાડવાનો તેમજ કંપનીની કાર્યકારી ક્ષમતાઓમાં રોકાણકારોના વિશ્વાસને મજબૂત બનાવવાનો હતો.
આ સત્રો દરમિયાન, રોકાણકારો સાથેના વાર્તાલાપમાં કંપનીના પ્રમોટર્સ અને સિનિયર મેનેજમેન્ટે તેમના દરેક પ્રશ્નોના પારદર્શિતા અને સ્પષ્ટતા સાથે જવાબ આપ્યા હતા. તેમણે કંપનીના વ્યવસાયના મૂળભૂત સિદ્ધાંતો પર વિગતવાર ચર્ચા કરી હતી અને તેના એસેટ-લાઇટ ઓપરેશનલ માળખા અંગે જાણકારી આપી હતી. આ ઉપરાંત, તેમણે કંપનીના ઉત્પાદન અને વિતરણ નેટવર્કને વધારવા માટેની યોજનાઓ વિશે પણ ઊંડાણપૂર્વકની ચર્ચા કરી હતી. જેમાં રોકાણકારોએ કંપનીની આવક, વૈવિધ્યકરણ વ્યૂહરચના, માર્જિન અને આગામી રિટેલ વિસ્તરણ પહેલને સમજવામાં ઊંડો રસ દાખવ્યો હતો. ઈવેન્ટમાં પ્રમોટરોના આત્મવિશ્વાસ અને ડેટા-સમર્થિત પ્રતિભાવોને સારો પ્રતિસાદ મળ્યો હતો, જેનાથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો.+

આ બન્ને રોડ શો કંપનીના IPO પહેલા જ યોજાયા હતા. કંપનીનો IPO 28 થી 30 ઓક્ટોબર, 2025 દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખૂલ્યો છે, જેની પ્રાઈસ બેન્ડ ₹96 થી ₹102 પ્રતિ શેર છે. કુલ ઇશ્યૂનું કદ ₹54.84 કરોડ થાય છે અને કંપનીના શેર 4 નવેમ્બર, 2025 ના રોજ BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ થવાની અપેક્ષા છે. કંપની આ આવકનો ઉપયોગ મુખ્યત્વે મૂડી ખર્ચ, કાર્યકારી મૂડી જરૂરિયાતો, સામાન્ય કોર્પોરેટ હેતુઓ અને સંભવિત અજાણ્યા સંપાદન માટે કરવાની યોજના ધરાવે છે. જે ટકાઉ વિસ્તરણ અને કાર્યકારી કાર્યક્ષમતા પર તેનું ધ્યાન કેન્દ્રિત કરવાનો સંકેત આપે છે.
આ રોડ શોના સફળ આયોજન પછી, ગેમ ચેન્જર્સ ટેક્સફેબ લિમિટેડે 27 ઓક્ટોબર, 2025 ના રોજ તેની એન્કર ઇન્વેસ્ટર બિડિંગ હાથ ધરી હતી. જેના માધ્યમથી કંપનીએ પ્રતિ શેર ₹102 ના ભાવે શેર ફાળવીને એન્કર રોકાણકારો પાસેથી ₹9.15 કરોડ એકત્રિત કર્યા હતા. આ આયોજને કંપનીમાં રોકાણકારોના વધતા વિશ્વાસ રેખાંકિત કર્યો હતો. જોકે, આ સકારાત્મક ધારણાની વચ્ચે, કેટલાક બજાર નિરીક્ષકોએ કંપનીના કમાણી વૃદ્ધિની તુલનામાં પ્રમાણમાં ઊંચા મૂલ્યાંકન અને તેના એસેટ-લાઇટ મોડેલ સાથે સંકળાયેલા સંભવિત જોખમો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ મંતવ્યો હોવા છતાં, કંપનીના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, તેની વ્યૂહરચના લાંબાગાળાની વૃદ્ધિ, સુગમતા અને મજબૂત રિટર્ન પ્રદાન કરે છે. કંપનીના વિકાસના આયોજન અને વિઝને રોડ શોમાં મોટાભાગના સહભાગીઓએ વધાવ્યો હતો.
આમ, એકંદરે, જયપુર અને સુરતમાં રોકાણકારોની મીટિંગમાં ગેમ ચેન્જર્સ ટેક્સફેબ લિમિટેડના બિઝનેસ વિઝન, ઓપરેશનલ ક્ષમતાઓ અને નેતૃત્વની વિશ્વસનીયતાનું સફળતાપૂર્વક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ બન્ને રોડ શો ખૂબ જ સફળ રહ્યા હતા અને તેનાથી કંપનીના SME IPO માટે સકારાત્મક વાતાવરણ તૈયાર થયું હતું.
वेदांता एल्यूमीनियम की कौशल पहल के साथ कालाहांडी के युवाओं ने आधुनिक कार्यस्थलों में कदम रखा
भुवनेश्वर (ओडिशा) [भारत], 30 अक्टूबर: कालाहांडी, जो अपनी जीवंत परंपराओं और अप्रयुक्त संभावनाओं की भूमि है, अब एक उल्लेखनीय परिवर्तन का साक्षी बन रहा है। इसकी शांत गलियों में महत्वाकांक्षा, आत्मविश्वास और आत्मनिर्भरता की एक नई कहानी आकार ले रही है — जो वेदांता एल्युमिनियम की कौशल विकास पहल के नेतृत्व में आगे बढ़ रही है। इस पहल के तहत भवानीपटना और लांजीगढ़ के 800 से अधिक युवाओं को प्रशिक्षण दिया जा चुका है। 55% महिला भागीदारी के साथ, कालाहांडी में यह कार्यक्रम अपने लोगों के लिए नए अवसरों के द्वार खोल रहा है, लैंगिक समावेशी रोजगार को बढ़ावा दे रहा है और इस क्षेत्र में नई ऊर्जा का संचार कर रहा है।
दशकों से, कालाहांडी एक ऐसा क्षेत्र रहा है जहाँ अवसरों की कमी थी, और आकांक्षाएँ अक्सर परिस्थितियों से सीमित होती थीं। आज ज्वार-भाटा बदल रहा है। भवानीपटना और लांजीगढ़ में वेदांता के कौशल केंद्रों में युवा पुरुष और महिलाएँ व्यावहारिक, नौकरी के लिए तैयार कौशल सीख रहे हैं जो उन गाँवों से परे दरवाजे खोलते हैं जहाँ वे पले-बढ़े हैं।
ओडिशा कौशल विकास प्राधिकरण (ओ. एस. डी. ए.) और नाबार्ड के साथ साझेदारी में संचालित ये केंद्र उद्योग-संरेखित पाठ्यक्रम प्रदान करते हैं जो तकनीकी ज्ञान और व्यावहारिक प्रशिक्षण का मिश्रण करते हैं। आतिथ्य और खुदरा से लेकर खाद्य और पेय सेवाओं तक, प्रत्येक कार्यक्रम को वास्तविक दुनिया की मांगों और विकसित भूमिकाओं को पूरा करने के लिए तैयार किया गया है। अब तक 800 से अधिक प्रशिक्षित युवाओं में से 75% ने रोजगार प्राप्त किया है, जो एक मजबूत नियुक्ति दर और सार्थक कैरियर के अवसर पैदा करने में कार्यक्रम के प्रभाव को दर्शाता है।
लेकिन संख्या कहानी का केवल एक हिस्सा बताती है। प्रत्येक आँकड़ों के पीछे सैकड़ों व्यक्तियों का अनुभव होता है जो पूरी तरह से नया जीवन जीते हैं। उदाहरण के लिए, भटगुडा की 21 वर्षीय बिगनासिनी बिसी, वेदांता एल्यूमीनियम द्वारा प्रदान किए गए अपने प्रशिक्षण को पूरा करने के बाद अब पुणे में फिएस्टा बारबेक्यू नेशन में काम करती है। वह कहती हैं,
“मैंने इससे पहले कभी अपने गाँव से बाहर कदम नहीं रखा था। प्रशिक्षण ने मुझे न केवल कौशल दिया, बल्कि एक ऐसी दुनिया में कदम रखने का साहस भी दिया, जिसके बारे में मैंने कभी सोचा था कि यह मेरी पहुंच में नहीं है।”
100% एक पाठ्यक्रम में नियुक्तिः गर्व का क्षण
कार्यक्रम के खाद्य और पेय पाठ्यक्रम के 22वें बैच ने हाल ही में एक ऐतिहासिक उपलब्धि हासिल की-100% प्लेसमेंट। सभी 24 प्रशिक्षुओं को मदुरै में एवीएन समूह, बैंगलोर में सोडेक्सो, पुणे में क्लब महिंद्रा और भुवनेश्वर में स्मिता हॉलिडेज जैसे प्रसिद्ध संगठनों में रोजगार मिला है। इन युवा पेशेवरों में से प्रत्येक अब औसत वार्षिक वेतन अर्जित करता है जो न्यूनतम मजदूरी सीमा से ऊपर है। उन परिवारों के लिए जहां मासिक आय कभी अनिश्चित थी, ये स्थिर वेतन गरिमा और सुरक्षा दोनों का प्रतिनिधित्व करते हैं। वे समुदाय में भी घूमते हैं, अन्य युवाओं को उसी रास्ते पर चलने और बड़े सपने देखने के लिए प्रेरित करते हैं। वेदांता एल्युमिना बिजनेस के सी. ई. ओ. प्रणब कुमार भट्टाचार्य कहते हैं, “कौशल विकास के माध्यम से युवाओं को सशक्त बनाना विकास के लिए हमारे दृष्टिकोण का केंद्र है। यह तथ्य कि हमने जिन 800 युवाओं को प्रशिक्षित किया है, उनमें से आधे से अधिक लड़कियां हैं, कालाहांडी में लैंगिक समानता और आत्मनिर्भरता के प्रति हमारी प्रतिबद्धता को दर्शाता है। यह मील का पत्थर, हमारे नवीनतम बैच के अभूतपूर्व 100% प्लेसमेंट के साथ, ओडिशा कौशल विकास प्राधिकरण के साथ गुणवत्तापूर्ण प्रशिक्षण और सहयोग की परिवर्तनकारी शक्ति को साबित करता है। हम इस क्षेत्र के लिए अधिक न्यायसंगत और समृद्ध भविष्य बनाने की कोशिश कर रहे हैं ।“
प्रशिक्षण से परेः सतत आजीविका का निर्माण
इस कार्यक्रम की सफलता न केवल युवाओं की संख्या में निहित है, बल्कि इसके दीर्घकालिक दृष्टिकोण में निहित है-सार्थक आजीविका के माध्यम से आत्मनिर्भर समुदायों का पोषण करना। सुनिश्चित रोजगार या उद्यमशीलता के मार्गों के साथ गुणवत्तापूर्ण प्रशिक्षण को जोड़कर, यह पहल ग्रामीण युवाओं को स्थानीय अर्थव्यवस्था में योगदान करते हुए अपने पैरों पर खड़े होने का एक तरीका प्रदान करती है। संयुक्त राष्ट्र के सतत विकास लक्ष्यों जैसे वैश्विक ढांचे के साथ संरेखित-विशेष रूप से लैंगिक समानता, गरीबी में कमी और सभ्य काम पर- वेदांता एल्यूमीनियम की कौशल पहल एक मॉडल का प्रतिनिधित्व करती है कि कैसे कॉर्पोरेट हस्तक्षेप जमीनी स्तर पर परिवर्तन को बढ़ावा दे सकते हैं। कंपनी का ध्यान अब स्केलिंग प्रभाव पर दृढ़ता से बना हुआ है। प्रशिक्षण मॉड्यूल का विस्तार करने, उद्योग संबंधों को मजबूत करने और नई व्यावसायिक धाराओं का पता लगाने के लिए योजनाएं चल रही हैं जो बाजार की बढ़ती जरूरतों से मेल खाती हैं। कालाहांडी के युवाओं के लिए, इसका मतलब है नौकरी और वादे से भरा भविष्य। एक कौशल कार्यक्रम के रूप में जो शुरू हुआ वह सशक्तिकरण के आंदोलन में विकसित हुआ है, जो ग्रामीण भारत की ताकत को फिर से परिभाषित कर रहा है। लांजीगढ़ की कक्षाओं से लेकर देश भर के कार्यस्थलों तक, इन 800 युवा उपलब्धियों की कहानी एक शक्तिशाली अनुस्मारक के रूप में खड़ी हैः जब अवसर दृढ़ संकल्प से मिलता है, तो परिवर्तन होता है।
“ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનું ભાવિ ઉજ્જવળ : ગુજરાતી વેબ સીરીઝ પણ ડેવલપ થવી જોઈએ” : સુરતની ઉભરતી અભિનેત્રી હીના જયકિશન
“હીના કહે છે કે, ગુજરાતી ફિલ્મોની મોર્ડન સ્ટોરી, ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ, રિમિક્સ, ડિસ્કો અને મધુર ગીત-સંગીત બોક્સ ઓફિસ પર દર્શકોને આકર્ષી રહી છે. આ ટ્રેન્ડ ઇન્ડસ્ટ્રીના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે સારા સંકેત છે.”
સુરત :“વીતેલાં દોઢ દશક દરમિયાન, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. એક્શન, હોરર, સસ્પેન્સ થ્રીલર, કોમેડી કે સમાજને એક સારો મેસેજ આપતી ફિલ્મ હોય, ઇનોવેટિવ આઇડિયા આધારિત અનેક ગુજરાતી ફિલ્મોએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર ચાહના મેળવી છે. નવા કોન્સેપ્ટ સાથેની મોર્ડન ટોપિક આધારિત ફિલ્મોએ દર્શકોમાં સ્વીકૃતિ મેળવીને બોક્સ ઓફિસ પર ડંકો વગાડ્યો છે. આજે વર્ષ દરમિયાન, સરેરાશ નાની-મોટી 100 જેટલી ગુજરાતી ફિલ્મોનું નિર્માણ થઈ રહ્યું છે. યુવા ફિલ્મ નિર્માતાઓ પોતાની પ્રતિભા, સર્જનાત્મકતા અને ફિલ્મ નિર્માણ પ્રત્યેના જુસ્સા સાથે ગ્લોબલ સિનેમેટિક એક્સેલેન્સનો પરિચય કરાવી રહ્યા છે, જે હકીકતમાં ગુજરાતી સિનેમાના ઉજ્જવળ ભવિષ્યની પ્રતિતિ કરાવે છે.” આ ઉદગાર સુરતની ઉભરતી અભિનેત્રી હીના જયકિશને વ્યક્ત કર્યા છે.
હીના, વર્ષ 2020 પછી 5 વર્ષના સમયગાળા દરમિયાન વિવિધ 12 ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે. તેઓ હાલમાં જ રજૂ થયેલી ગુજરાતી કોમેડી ડ્રામા ફિલ્મ ‘ચણીયા ટોળી’માં તેમના પર્ફોર્મન્સ અને દર્શકો પાસેથી મળેલી સરાહનાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હીના કહે છે કે, મનોરંજનથી ભરપૂર આ ફિલ્મે તેની રિલીઝ પછી પહેલાં સપ્તાહમાં 10 કરોડથી વધુનું ઐતિહાસિક કલેક્શન મેળવ્યું છે. સુરતની હીના સિનેમા ઉદ્યોગમાં કેરિયર ડેવલપમેન્ટને લઈને ખૂબ જ સકારાત્મક અભિગમ ધરાવે છે.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ, તેમાં રહેલી તકો, ફિલ્મોના પ્રમોશન અને આજની આધુનિક ફિલ્મો અંગે હીનાએ પોતાના વિચારો શેર કર્યા છે.
પ્રશ્ન : તમારા કેરિયર, એક્ટિંગ અને સ્ક્રીનના અનુભવ અંગે જણાવશો.
હીના : મેં વર્ષ 2015માં સુરતમાં ભગવાન મહાવીર કોલેજમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યાર પછી હું મુંબઈમાં આઇટી કંપનીમાં જોડાઈ હતી. એક્ટિંગ ક્ષેત્રે મારું કોઈ બેકગ્રાઉન્ડ નથી. જોકે, એક્ટિંગમાં મને પહેલેથી જ રુચિ રહી છે. જોબમાંથી સમય કાઢીને વિકેન્ડ દરમિયાન, હું ઓડીશન આપતી રહેતી હતી. મેં મોડેલિંગ ઉપરાંત કેટલાક સોંગ્સમાં પર્ફોર્મન્સ આપવા સાથે કેટલીક એડ ફિલ્મોમાં પણ કામ કર્યું. મારા કામની પ્રશંસા થઈ અને મને પ્રોત્સાહન મળ્યું ત્યાર પછી મેં એક્ટિંગ અને ફિલ્મોમાં કેરિયર ડેવલપ કરવાનું નક્કી કર્યું. મેં જોબ છોડી દીધી અને એક્ટિંગમાં કેરિયર બનાવવાના નિર્ધાર સાથે ઓડિશન આપવાનું શરૂ કર્યું. જોકે તે વખતે વર્ષ 2020માં કોરોના દરમિયાન દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. છ મહિના સુધી કોઈ કામ ન હતું. જોકે, હું ઘરેથી જ ઓનલાઈન ઓડિશન આપતી રહેતી હતી અને મને એક ગુજરાતી ફિલ્મ ‘કહી દે ને પ્રેમ છે’ માં કામ કરવાની તક મળી હતી. મારા કામની સરાહના થઈ અને મને અનેક ફિલ્મોમાં કામ કરવાનો અવસર મળ્યો. પાંચ વર્ષમાં મેં અત્યાર સુધી 12 ફિલ્મોમાં અભિનય કર્યો છે. મેં એક હિન્દી ફિલ્મમાં પણ અભિનય કર્યો છે, જે આગામી જાન્યુઆરીમાં રિલીઝ થવાની છે.

પ્રશ્ન : તમે ભજવેલી યાદગાર ભૂમિકાઓ કંઈ છે.?
હીના : કહી દે ને પ્રેમ છે, નાસૂર, વેલકમ પૂર્ણિમા, ચાર ફેરાનું ચકડોળ, વિશ્વગુરુ, કચ્છ એક્સપ્રેસ, મારું મન તારું થયું, મીરાં વગેરે મારી ફિલ્મો છે. એવોર્ડ વિજેતા ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ એ મારી મુખ્ય અને મનગમતી ફિલ્મ છે. આ ઉપરાંત, ફિલ્મ ‘મીરા’ ની ભૂમિકા મારી માટે ખૂબ ચેલેન્જીંગ હતી. હું એ ભૂમિકાને પૂરો ન્યાય આપી શકી તેનો મને ખરેખર ખૂબ જ ગર્વ છે.
પ્રશ્ન : તમને આગળ કેવો રોલ કરવાની ઈચ્છા છે.?
હીના : હું માનું છું કે, હાલમાં સિનેમામાં મહિલાઓ માટે પરિવર્તનશીલ યુગની શરૂઆત છે. ગુજરાતી હોય કે હિન્દી, હાલમાં મહિલાઓ ફિલ્મોમાં ખુબજ પડકારજનક અને મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહી છે. મારી પોતાની વાત કરું તો, મને આગળ એક આઇપીએસ ઓફિસર, સસ્પેન્સ અને પૌરાણિક-ઐતિહાસિક ફિલ્મોમાં મુખ્ય રોલ કરવાની ઈચ્છા છે.
પ્રશ્ન : ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને યુવાવર્ગને તેમાં કેરિયર ડેવલપમેન્ટ અંગેની તકો અંગે શું કહેશો.?
હીના : ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હાલમાં સારો એવો ગ્રોથ કરી રહ્યો છે. વર્ષ દરમિયાન નાની મોટી 100 જેટલી ફિલ્મોનું નિર્માણ થઈ રહ્યું છે. ઘણી ફિલ્મોએ દર્શકો પાસેથી સારી ચાહના મેળવી છે. મોર્ડન વિષયોને આવરી લેતી અનેક ગુજરાતી ફિલ્મો ગ્રામીણ દર્શકોની સાથે-સાથે હવે શહેરી, ઉચ્ચ વર્ગ, યુવાનો અને મલ્ટીપ્લેક્સ પ્રેક્ષકોને આકર્ષી રહી છે. ટેકનોલોજીકલ પરિવર્તન સાથે ગુજરાતી ફિલ્મોના વાર્તા કથન અને માર્કેટિંગમાં મોટો ફેરફાર થયો છે. મોટી સંખ્યામાં યુવા ડિરેક્ટરો, કલાકારો, ગીતકારો, સંગીતકારો સહિત અનેક પ્રોફેશનલોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સફળતાના શિખરો સર કર્યા છે. ગુજરાતી લોકો આજે દેશ દુનિયામાં જઈને વસ્યા છે. જોકે, તેમને પોતાની ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે અનોખો લગાવ છે. ગુજરાતની સંસ્કૃતિ આધારિત ફિલ્મોમાં મોર્ડન ટચ જોવા મળી રહ્યો છે. રિમિક્સ, ડિસ્કો અને મધુર સંગીત દર્શકોને પસંદ આવી રહ્યા છે. ગુજરાતી ફિલ્મોનો ચાહક વર્ગ વધી રહ્યો છે. કેટલીક ફિલ્મોએ સિનેમાઘરોમાં સિલ્વર જુબલી અને ગોલ્ડન જુબલી પણ મનાવી છે. ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય ઉજ્વળ છે, તેમ ચોક્કસ કહી શકાય.
પ્રશ્ન : ગુજરાતી ફિલ્મોના પ્રમોશન માટે નવું શું કરી શકાય.?
હીના : હું માનું છું કે, ગુજરાતી ફિલ્મોના પ્રમોશન માટે હિન્દી અને અંગ્રેજીની જેમ ગુજરાતી વેબ સીરીઝ પણ ડેવલપ કરવી જોઈએ. તેમાં નવા ઉભરતા કલાકારોને પોતાની ટેલેન્ટ બતાવવાનો અવસર મળશે.
પ્રશ્ન : તમને ફિલ્મોમાં કેરિયર માટે પરિવારનો સહયોગ મળ્યો છે.?
હીના : સાચું કહું તો, મારા પરિવારના સપોર્ટને કારણે જ હું ફિલ્મોમાં મારી હાલની જગ્યા બનાવી શકી છું. મારા પિયર પક્ષ અને અને સાસરામાંથી, બંને પરિવારોએ મને પૂરું પ્રોત્સાહન આપ્યું છે.
સોલેક્સ એનર્જી લિમિટેડ અને જર્મનીના આઈએસસી કોન્સ્ટાન્ઝે નેક્સ્ટ-જેન સોલાર ઇનોવેશનને આગળ વધારવા માટે સ્ટ્રેટેજિક RGD પાર્ટનરશીપ કરી
ભારતના પ્રથમ રીઅર કોન્ટેક્ટ સોલાર મોડ્યુલ, TAPI રીઅર કોન્ટેક્ટ (TRC), વિઝન 2030 નું લક્ષ્યાંક રજૂ કરે છે
રૂ. 1 લાખ કરોડનું મૂલ્યાંકન, $1.5 બિલિયનનું રોકાણ, અને 25,000-મજબૂત કાર્યબળ
સુરત , ઓક્ટોબર, 2025: ભારતના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ પગલામાં,NSE પર સૂચિબદ્ધ અગ્રણી સૌર ઉત્પાદક, સોલેક્સ એનર્જી લિમિટેડ (Solex Energy Limited): સોલેક્સ (SOLEX) એ સોલાર સેલ ઉત્પાદનમાં અદ્યતન RGD અને તકનીકી સહયોગ માટે ISC કોન્સ્ટાન્ઝ, જર્મની સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ ઘોષણા નવી દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી, જેમાં સોલેક્સ લીડરશીપ, ISC કોન્સ્ટાન્ઝના પ્રતિનિધિઓ અને મુખ્ય ઈન્ડસ્ટ્રી સ્ટેકહોલ્ડર હાજર રહ્યા હતા.
આ વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા, ISC કોન્સ્ટાન્ઝ તેની આગામી TOPCon સેલ લાઇનને અપગ્રેડ કરવા અને આગામી પેઢીની રીઅર કોન્ટેક્ટ અને c-Si ટેન્ડમ/પેરોવસ્કાઇટ સોલર ટેકનોલોજી અપનાવવા માટે સોલેક્સને વ્યાપક ટેકનોલોજીકલ સહાય પૂરી પાડશે. આ સહયોગ ISC કોન્સ્ટાન્ઝના પેટન્ટ પોર્ટફોલિયો દ્વારા સમર્થિત, સોલેક્સની સમર્પિત ઇન-હાઉસ RGD લાઇનની સ્થાપનાને પણ સક્ષમ બનાવશે, જે ભારતમાં સતત નવીનતા અને ઉચ્ચ-કાર્યક્ષમતાવાળા સૌર ઉત્પાદનને આગળ ધપાવશે.
આ કાર્યક્રમમાં બોલતા, સોલેક્સ એનર્જી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ચેતન શાહે (Dr. Chetan Shah, Chairman and Managing Director) જણાવ્યું હતું કે, “આ ભાગીદારી સોલેક્સની ટેકનોલોજીકલ શ્રેષ્ઠતા અને વૈશ્વિક નેતૃત્વ તરફની સફરમાં એક નિર્ણાયક પ્રકરણ છે. અમારા વિઝન 2030 હેઠળ, અમે 1 લાખ કરોડ રૂપિયાના લક્ષ્યાંકિત મૂલ્યાંકન, 1.5 બિલિયન ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ અને 25,000 હાઈલી સ્કિલ્ડ ટીમ મેમ્બર્સ સાથે ભારતને સૌર નવીનતાના કેન્દ્રમાં પરિવર્તિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ જે આ વિઝનને આગળ ધપાવે છે.

ગયા વર્ષે, રિન્યુએબલ એનર્જી ઇન્ડિયા (REI) પ્રદર્શન 2024 દરમિયાન, સોલેક્સે રેક્ટેન્ગયુલર સેલ્સ દ્વારા સંચાલિત ભારતનું પ્રથમ સૌર મોડ્યુલ રજૂ કર્યું, જે દેશમાં ટેકનોલોજીકલ નેતૃત્વ માટે એક મિસાલ સ્થાપિત કરે છે. આ વર્ષે, અમે ફરી એકવાર ભારતમાં સૌથી અદ્યતન સૌર તકનીકોમાંથી એક લાવીને અને તેના વારસાને ટકાવી રાખીને ઇતિહાસ રચી રહ્યા છીએ. અમારી પ્રતિબદ્ધતા કસ્ટમર ફર્સ્ટ રહે છે, ખાતરી કરીને કે અમે સમુદાયો, ઉદ્યોગો અને રાષ્ટ્રને સશક્ત બનાવતા બેસ્ટ-ઇન-ક્લાસ સોલ્યુશન્સ પહોંચાડીએ છીએ.”
તેમણે વધુમાં ઉમેર્યું, “અમારું ધ્યાન ફક્ત ક્ષમતા વધારવા પર નથી પરંતુ કાર્યક્ષમતા, વિશ્વસનીયતા અને પ્રદર્શન દ્વારા અજોડ મૂલ્ય પહોંચાડવા પર છે. ભારત, યુરોપ અને યુ.એસ.માં અમારી વૈશ્વિક હાજરી વિસ્તરી રહી છે, ત્યારે અમે એક એવું ભવિષ્ય બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ જ્યાં ક્લીન, એફોર્ડેબલ એનર્જી દરેક ઘર, વ્યવસાય અને સમુદાયને સશક્ત બનાવે. ISC કોન્સ્ટાન્ઝ સાથે મળીને, અમે તે દ્રષ્ટિને વાસ્તવિકતામાં ફેરવી રહ્યા છીએ.”
આ ઉપરાંત, [Name, Designation, ISC Konstanz] એ શેર કર્યું, “આઈએસસી કોન્સ્ટાન્ઝ ખાતે, અમે 2005 થી ખર્ચ ઘટાડીને ફોટોવોલ્ટેઇક કાર્યક્ષમતામાં સતત વધારો કરી રહ્યા છીએ. અમારું ધ્યેય એવા સંશોધન પરિણામો પ્રાપ્ત કરવાનું છે જે ઉદ્યોગ અને સમાજ બંનેને લાભ આપે. અમે વૈશ્વિક ધોરણો નક્કી કરીએ છીએ, વિશ્વભરના ભાગીદારો અને યુવા પ્રતિભાઓ સાથે કુશળતા શેર કરીએ છીએ, અને એક અંતિમ ધ્યેય દ્વારા સંચાલિત રહીએ છીએ, જે સ્વચ્છ સૌર ઊર્જાને બધા માટે સુલભ અને સસ્તું બનાવે છે. સોલેક્સ એનર્જી સાથેની અમારી ભાગીદારી અમને તે દ્રષ્ટિકોણને સાકાર કરવા અને સફળ વૈશ્વિક એનર્જી ટ્રાન્ઝિશનને આગળ વધારવાની નજીક લાવે છે.”
વિઝન 2030 હેઠળ, સોલેક્સનો ઉદ્દેશ્ય 10 GW સોલર મોડ્યુલ અને 10 GW સોલર સેલ ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવાનો છે, જે ભારતીય સૌર ઉત્પાદનમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરે છે..
આ જ કાર્યક્રમમાં, સોલેક્સે ભારતના પ્રથમ રીઅર કોન્ટેક્ટ સોલર મોડ્યુલ, TAPI રીઅર કોન્ટેક્ટના કોન્સેપ્ટ લોન્ચનું અનાવરણ કર્યું, જે ડિઝાઇન અને કાર્યક્ષમતામાં એક મોટી છલાંગ રજૂ કરે છે. TAPI એ સોલેક્સ એનર્જી લિમિટેડ હેઠળ નોંધાયેલ નામ અને લોગો છે. અદ્યતન N-ટાઇપ રીઅર કોન્ટેક્ટ ટેકનોલોજી દ્વારા સંચાલિત, નવું મોડ્યુલ 24.60% સુધી કાર્યક્ષમતા અને 665W પાવર આઉટપુટ પ્રદાન કરે છે, જેમાં શૂન્ય ફ્રન્ટ શેડિંગ અને અસાધારણ તાપમાન પ્રદર્શન છે. TAPI રીઅર કોન્ટેક્ટનું વાણિજ્યિક ઉત્પાદન નાણાકીય વર્ષ 2027 સુધીમાં શરૂ થવાનું છે, જે સોલેક્સના પ્રીમિયમ સોલર ટેકનોલોજીના આગામી યુગમાં પ્રવેશને ચિહ્નિત કરે છે.
સોલેક્સે એવી પણ જાહેરાત કરી હતી કે મુલાકાતીઓ 30 ઓક્ટોબર, 2025 થી ગ્રેટર નોઈડા ખાતે શરૂ થઈ રહેલા રિન્યુએબલ એનર્જી ઈન્ડિયા (REI) એક્સ્પોમાં તેની નવીનતાઓનું અન્વેષણ કરી શકે છે. કંપની બૂથ નંબર R318, હોલ 11 ખાતે તેની નવીનતમ ટેકનોલોજી અને TAPI રીઅર કોન્ટેક્ટ પ્રોડક્ટ રેન્જનું પ્રદર્શન કરશે.
તેની વિસ્તરણ વ્યૂહરચનાના ભાગ રૂપે, સોલેક્સ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપ સહિત આંતરરાષ્ટ્રીય બજારોમાં ડીલરો અને વિતરકો સાથે નવી ભાગીદારી શોધવા માટે સક્રિયપણે કાર્યરત છે, જે તેની વૈશ્વિક પહોંચને વધુ મજબૂત બનાવે છે.
ઉલ્લેખનીય છે કે, સોલેક્સ એનર્જી લિમિટેડ તાજેતરમાં NSE ઇમર્જથી NSE મેઇન બોર્ડમાં સ્થળાંતરિત થયું છે, જે તેની માઈલસ્ટોન જર્નીમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે અને ભારતના સૌથી વિશ્વસનીય અને ભવિષ્ય માટે તૈયાર નવીનીકરણીય ઉર્જા સાહસોમાંના એક તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવે છે.
वेदांता लांजीगढ़ ने ‘प्रोजेक्ट संगम’ के अंतर्गत मत्स्य पालन पहल से किसानों के लिए नई आमदनी का स्रोत
भुवनेश्वर (ओडिशा), अक्टूबर 16: भारत की सबसे बड़ी एल्युमिनियम उत्पादक कंपनी, वेदांता एल्युमिनियम ने सतत आजीविका को बढ़ावा देने और ग्रामीण अर्थव्यवस्था को सशक्त बनाने की दिशा में एक महत्वपूर्ण कदम बढ़ाते हुए लांजीगढ़ में अपने प्रमुख जलग्रहण एवं आजीविका कार्यक्रम – ‘प्रोजेक्ट संगम’ के अंतर्गत मत्स्य पालन (पिसिकल्चर) कार्यक्रम शुरू किया है। इस पहल का उद्देश्य किसानों और स्वयं सहायता समूह (SHG) के सदस्यों को वैज्ञानिक तरीकों से मछली पालन के माध्यम से वैकल्पिक आय के अवसर प्रदान करना है।
कलााहांडी के मत्स्य एवं पशुपालन विभाग के सहयोग से लागू यह कार्यक्रम 13 गांवों में पांच एकड़ में फैले 32 जलाशयों को कवर करता है और सीधे तौर पर 44 किसानों एवं स्वयं सहायता समूह सदस्यों को लाभान्वित करेगा। उन्हें संसाधन, प्रशिक्षण और तकनीकी सहायता उपलब्ध कराई जाएगी, ताकि वे मछली पालन को एक टिकाऊ आजीविका गतिविधि के रूप में अपना सकें। इस पहल से प्रतिवर्ष 20 टन मछलियों का उत्पादन होने की उम्मीद है, जो स्थानीय उपभोग और बाजार आपूर्ति दोनों में अहम योगदान देगा।
वेदांता एल्युमिना बिजनेस के सीईओ प्रणव कुमार भट्टाचार्य ने कहा, “वेदांता लांजीगढ़ में हम पर्यावरणीय और सामाजिक लक्ष्यों के अनुरूप सतत आजीविका अवसरों के जरिए समग्र सामुदायिक विकास को आगे बढ़ाने के लिए प्रतिबद्ध हैं। ‘प्रोजेक्ट संगम’ के तहत मत्स्य पालन पहल किसानों की आय में विविधता लाने में मदद करती है और ग्रामीण अर्थव्यवस्था को सशक्त बनाती है, साथ ही राज्य के विकास दृष्टिकोण के अनुरूप है।”
मछली उत्पादन को बढ़ाने के अलावा, यह पहल ओडिशा के ‘वन डिस्ट्रिक्ट, वन प्रोडक्ट’ (ODOP) कार्यक्रम को भी मजबूत करती है, जिससे कलााहांडी में मत्स्य पालन को प्रमुख आजीविका स्रोत के रूप में बढ़ावा मिलता है। मौजूदा जल निकायों के उपयोग और आधुनिक मछली पालन पद्धतियों को अपनाकर यह परियोजना किसानों को नई आय के साधन प्राप्त करने और मौसमी उतार-चढ़ाव से निपटने की क्षमता विकसित करने में सक्षम बनाती है, जिससे दीर्घकालिक आर्थिक स्थिरता सुनिश्चित होती है।
‘प्रोजेक्ट संगम’ एक समेकित जलग्रहण एवं आजीविका परियोजना है, जो ग्रामीण समुदायों की आजीविका को सुदृढ़ बनाने हेतु तकनीक-आधारित पहलों को बढ़ावा देती है। इस परियोजना का लक्ष्य ओडिशा के कलााहांडी जिले के लांजीगढ़ क्षेत्र के 41 गांवों में जल आधारित परिसंपत्तियां विकसित करना है, ताकि वर्षभर पेयजल और कृषि कार्यों के लिए जल की उपलब्धता सुनिश्चित की जा सके। इससे क्षेत्र में 3,500 एकड़ से अधिक भूमि को सिंचाई सुविधा मिलेगी और जल भंडारण क्षमता तथा भूजल पुनर्भरण दर में वृद्धि होगी, जिससे 22,000 से अधिक लोगों को पूरे वर्षभर लाभ मिलेगा। ऐसी पहलों के माध्यम से, वेदांता लांजीगढ़ स्थानीय समुदायों को सशक्त बनाने, ग्रामीण उद्यमिता को प्रोत्साहित करने और ओडिशा की समावेशी विकास यात्रा में योगदान देने की अपनी प्रतिबद्धता को पुनः पुष्टि करता है।
Disclaimer: यह कंपनी की प्रेस विज्ञप्ति है। इसमें दिए गए तथ्यों की जिम्मेदारी प्रकाशन या उसके कर्मचारियों की नहीं है।
આત્મવિશ્વાસ સાથે મંચને પ્રકાશિત કરાયો: વ્હાઈટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલે દિવાળીની ઉજવણી પ્રતિભા સાથે ભરેલી સાપ્તાહિક પ્રવૃત્તિઓથી કરી
સુરત, 17 ઓક્ટોબર, 2025:દિવાળીના પાવન અવસરે, વ્હાઈટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે એક અઠવાડિયા લાંબો ઉત્સવ ઉજવ્યો, જેમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિની ઉમંગભેર ઉજવણી જોવા મળી. દરેક વય જૂથના વિદ્યાર્થીઓ માટે વિશેષ તૈયાર કરવામાં આવેલી સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓને મંચભય દૂર કરવા, આત્મવિશ્વાસથી મંચ પર આવવા અને વર્ગખંડની બહારના જીવન માટે જરૂરી કૌશલ્યો વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
“આ દિવાળી, નિર્ભય બનીએ અને સ્ટેજ ફિયર દૂર કરી દઈએ”—આ સંદેશ સાથે શાળાએ આત્મવિશ્વાસ, સંવાદકૌશલ્ય અને વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહન આપ્યું, જે એક ભવિષ્યલક્ષી વ્યક્તિ બનવા માટે મહત્વપૂર્ણ ગુણો છે.
ઉત્સવની શરૂઆત પ્રી-પ્રાઈમરીના નાનકડા વિદ્યાર્થીઓની કથા કહો સ્પર્ધાથી થઈ. રંગીન વસ્ત્રોમાં સજ્જ થયેલા અને ઉત્સાહથી ભરેલા બાળકો મંચ પર આવ્યા અને પોતાની પસંદગીની વાર્તાઓ આનંદપૂર્વક રજૂ કરી. પ્રોપ્સ, અભિનય અને ઉત્સાહપૂર્વકની રજૂઆત દ્વારા તેમણે પ્રાણીઓ, તહેવારો અને નૈતિકતા આધારિત વાર્તાઓ જીવંત બનાવી. এতલા નાનકડા બાળકોને આત્મવિશ્વાસથી મંચ પર બોલતા જોવું એક ભાવનાત્મક અને પ્રેરણાદાયી ક્ષણ હતી, જેનાથી સમગ્ર સપ્તાહ માટે ઉર્જાવાન વાતાવરણ ઊભું થયું.
પછી પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ કવિતા પઠન સ્પર્ધામાં ભાગ લીધો, જેમાં તેમણે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં સુંદર કવિતાઓ રજૂ કરી. પરંપરાગત કાવ્યોથી લઈને મૂળ રચનાઓ સુધી, વિદ્યાર્થીઓએ લય, ઉચ્ચારણ અને ભાવનાઓથી ભરપૂર પ્રસ્તુતિ આપી. દરેક કવિતામાં ભાષા પ્રત્યેનો પ્રેમ અને ભાવ વ્યક્ત કરવાની તેમની ક્ષમતા સ્પષ્ટ રીતે જણાઈ. ઘણાં બાળકો માટે આ પ્રથમ વખત હતું કે તેઓ માઇક્રોફોન સાથે મંચ પર આવ્યા હતા, અને તેમના સ્પષ્ટ ઉચ્ચારણ અને આત્મવિશ્વાસને શિક્ષકોએ ખુબ પ્રશંસા આપી.

મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ભાષણ સ્પર્ધા યોજાઈ, જેમાં તેમણે વિચારજનક વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. વિષયોમાં “આત્મવિશ્વાસનું મહત્વ,” “ડિજિટલ ઈન્ડિયા,” અને “સ્વચ્છ પર્યાવરણ, લીલું ભવિષ્ય” જેવા વિષયો સમાવિષ્ટ હતાં. વિદ્યાર્થીઓએ માત્ર સાર્વજનિક ભાષણ કૌશલ્ય જ નહીં, પણ સામાજિક વિષયો વિશેની સમજદારી અને તર્કશક્તિ પણ દર્શાવી. તેમની અવાજની ફરાવટ, હાથવગા હાવભાવ અને આંખોનો સંપર્ક તેમની તૈયારી અને આત્મવિશ્વાસનો પરિચય આપતો હતો. સ્પષ્ટ હતું કે શાળા એવા વિદ્યાર્થીઓને ઘડવાનું કામ કરી રહી છે, જે આત્મવિશ્વાસપૂર્વક બોલી શકે અને નેતૃત્વ કરી શકે.
સીનિયર સેકન્ડરી વિદ્યાર્થીઓએ ક્વિઝ સ્પર્ધા સાથે આ ઉજવણીનો સમાપન કર્યો. વિભિન્ન હાઉસિસમાં વિભાજિત વિદ્યાર્થીઓએ વર્તમાન ઘટનાઓ, વિજ્ઞાન, ઈતિહાસ, તર્કશક્તિ અને સામાન્ય જ્ઞાન જેવા વિષયોને આવરી લેતા અનેક રાઉન્ડમાં સ્પર્ધા કરી. સંપૂર્ણ હોલ ઉત્સાહ અને તીવ્રતા સાથે ધબકતો રહ્યો જ્યારે વિદ્યાર્થીઓએ ઝડપી વિચારીને ટીમ વર્ક સાથે જવાબ આપ્યા. ખાસ દિવાળી થીમ આધારિત રાઉન્ડ દ્વારા ભારતીય તહેવારો, પરંપરાઓ અને વારસો અંગેની સમજણને પણ કસોટી પર મુકી. આ ક્વિઝ માત્ર બુદ્ધિશક્તિ શાર્પ કરતી ન હતી, પણ એક આરોગ્યદાયક સ્પર્ધાત્મક ભાવનાનું પાલન પણ કરાવ્યું.
આ સમગ્ર સપ્તાહ દરમ્યાન વ્હાઈટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઉત્સાહ, આત્મવિશ્વાસ અને વખાણોથી ભરેલું વાતાવરણ જોવા મળ્યું. શાળાની પ્રિન્સીપલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ ભાવપૂર્વક જણાવ્યું:
“દિવાળી પ્રકાશનું પર્વ છે, અને અમે માનીએ છીએ કે દરેક બાળકની અંદર એક ઉજાસ છે, જે ચમકવાનો હકદાર છે. આ સ્પર્ધાઓ માત્ર મુકાબલો નથી, પરંતુ આવાસરો છે—જ્યાં બાળકો પોતાના ડરનો સામનો કરે છે, અભિવ્યક્તિ અને આત્મવિશ્વાસ શીખે છે, અને સાહસ ધરાવે છે. અમે દરેક બાળક પર ગર્વ અનુભવી રહ્યા છીએ કે જેઓ મંચ પર આવ્યા અને પોતાનું શ્રેષ્ઠ આપ્યું.”
અભિણવકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ પહેલની ખૂબ પ્રશંસા કરી અને તેના અસરકારક પરિણામોને માણ્યા. અનેક માતાપિતાએ ખુશી વ્યક્ત કરી કે તેમણે પોતાના બાળકોને મંચ પર એટલા આત્મવિશ્વાસથી રજૂ થતું જોયું, જ્યારે શિક્ષકોએ પણ કહ્યું કે આ પ્રકારના અનુભવોથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે.
આ સાપ્તાહિક ઉજવણીનું મુખ્ય હેતુ—વિદ્યાર્થીઓના અંદરના સંકોચો દૂર કરીને તેમને મંચ પર જાતે રજૂ થવામાં આરામદાયક બનાવવું—સફળતાપૂર્વક પ્રાપ્ત થયું.
હિરાબાના નામે દીકરીઓના શિક્ષણ માટે ઉદાર પહેલ…
સુરતના ઉદ્યોગપતિ પિયુષ દેસાઈનો સંકલ્પ: ૨૧,૦૦૦ દીકરીઓને મળશે ₹૭,૫૦૦ની સહાય
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે “હિરાબા નો ખમકાર” અભિયાન હેઠળ અત્યાર સુધી ૨૫૧ દીકરીઓને સહાય, ધનતેરસે વધુ ૧૫૧ને મળશે લાભ
સુરત: શિક્ષણ દ્વારા સમાજની ઉન્નતિનો સંદેશ આપતા સુરતના યુવા ઉદ્યોગપતિ શ્રી પિયુષભાઈ ભૂરાભાઈ દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે તેઓની માતા હિરાબાના નામથી “હિરાબા નો ખમકાર” શિર્ષક હેઠળ અનોખું અભિયાન શરૂ કર્યું છે. આ પહેલ હેઠળ પિયુષભાઈએ ૨૧,૦૦૦ આર્થિક રીતે નબળી દીકરીઓને ₹૭,૫૦૦ની સહાય આપવા નો સંકલ્પ વ્યક્ત કર્યો છે. સહાયરૂપ રકમથી દીકરીઓને શાળા ફી મા શૈક્ષણિક સહાય મળશે.

પિયુષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દીકરીને શિક્ષિત કરવી એ સમગ્ર સમાજની પ્રગતિનું પ્રથમ પગથિયું છે. દીકરી મજબૂત બનશે તો કુટુંબ અને રાષ્ટ્ર મજબૂત બનશે.
આ અભિયાનનો શુભારંભ શ્રી સી.આર. પાટીલ સાહેબના હસ્તે કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ તબક્કામાં ૨૫૧ દીકરીઓને સહાય અપાઈ હતી. હવે આવનારા ધનતેરસના શુભ અવસર પર વધુ ૧૫૧ દીકરીઓને સહાય આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પિયુષભાઈનો જન્મ ૨૧ એપ્રિલ, ૧૯૯૩ના રોજ થયો હતો. હાલમાં તેઓ સુરત શહેરમાં ટેક્સટાઇલ, જમીન વેચાણ, બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળતાપૂર્વક કાર્યરત છે.
સમાજસેવાની ભાવના સાથે શરૂ કરાયેલ “હિરાબા નો ખમકાર” અભિયાન ઉદ્યોગપતિઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ છે, જે દર્શાવે છે કે સાચી સફળતા એ ત્યારે જ મળે છે જ્યારે એને સમાજ સાથે વહેંચવામાં આવે.ઉદ્યોગપતિઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ છે, જે દર્શાવે છે કે સાચી સફળતા એ ત્યારે જ મળે છે જ્યારે એને સમાજ સાથે વહેંચવામાં આ