Posts by: abhay_news_editor
ભરૂચમાં ઓમ ગુરુની પાવન નિશ્રામાં યોજાયો મંત્ર થેરાપી દરબાર, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
ભરૂચ: શહેરમાં તારીખ 12 એપ્રિલ 2026ના રોજ ઓમ ગુરુની પાવન નિશ્રામાં દિવ્ય મંત્ર થેરાપી દરબારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તોએ હાજરી આપી. આ વિશેષ દરબાર માનવ જીવનના ચાર મુખ્ય ક્ષેત્રો — આર્થિક, શારીરિક, સામાજિક અને માનસિક પ્રશ્નોના માર્ગદર્શન માટે કેન્દ્રસ્થાન બન્યો.
કાર્યક્રમ દરમિયાન ઓમ ગુરુએ આર્થિક પ્રગતિ, વ્યવસાયિક વિકાસ અને જીવનમાં સમૃદ્ધિ મેળવવા માટે માર્ગદર્શન આપ્યું. તેમણે ભક્તોને સકારાત્મક વિચારસરણી, યોગ્ય દિશામાં પ્રયત્નો અને આધ્યાત્મિક શક્તિ સાથે આગળ વધવા પ્રેરિત કર્યા. આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોને દિવ્ય “કુબેર પેન્ડન્ટ” અને “કુબેર લક્ષ્મી મલમ” નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું.
સામાજિક જીવનમાં સુખ-શાંતિ અને સુરક્ષા માટે દિવ્ય સ્ટોન, રક્ષા સૂત્ર અને બ્રેસલેટ પણ ભક્તોને આપવામાં આવ્યા. માનસિક તણાવ, નિરાશા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ માટે ઓમ ગુરુએ માનસિક સંતુલન અને સકારાત્મક જીવનશૈલી અંગે માર્ગદર્શન આપ્યું.
શારીરિક પીડા અને રોજિંદી તકલીફો માટે ઉપસ્થિત લોકોને દિવ્ય બામ આપવામાં આવ્યું. આયોજકોના જણાવ્યા મુજબ, મંત્ર થેરાપી દરબાર સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને તેનો હેતુ સમાજને આધ્યાત્મિક માર્ગદર્શન તથા માનસિક સશક્તિકરણ પૂરૂં પાડવાનો છે.
સુરત પ્રી સ્કૂલ એસોસિએશનનો અનોખો મતદાન જાગૃતિ અભિયાન
10,120 નાનાં બાળકો દ્વારા ડ્રોઇંગ મારફતે માતા-પિતાને મતદાન કરવાની અપીલ સુરત. ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે, છતાં ઘણીવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગરમી, વ્યસ્તતા અને જાગૃતિના અભાવે મતદાન ટકાવારી ઓછી રહેતી હોય છે. આ વિચારને બદલવા અને નાગરિકોને મતદાન પ્રત્યે પ્રેરિત કરવા માટે સુરત પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા એક પ્રેરણાદાયક અને અનોખું અભિયાન યોજાયું. આ અભિયાન હેઠળ સુરત શહેરની 100થી વધુ સ્કૂલોના 10,120 નાનાં બાળકો જોડાયા અને સુંદર ડ્રોઇંગ બનાવી પોતાના માતા-પિતા તથા પરિવારજનોને મતદાન કરવા અપીલ કરી. બાળકોના ચિત્રો દ્વારા “પહેલા મતદાન, પછી જલપાન”, “વોટ આપવો અમારો અધિકાર છે” અને “મજબૂત લોકશાહી માટે મતદાન જરૂરી છે” જેવા સંદેશ આપવામાં આવ્યા. એસોસિએશન દ્વારા અગાઉ પણ ગયા ચૂંટણી દરમિયાન આવું જ જાગૃતિ અભિયાન યોજાયું હતું, જેને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. તે સમયે પણ વહીવટી તંત્ર અને શહેરના આગેવાનો દ્વારા આ પ્રયાસની પ્રશંસા કરવામાં આવી હતી.

ફિલ્મ ‘ધરપકડ’ નું ટીઝર રિલીઝ: “તમારા બેંક ખાતાના પૈસા ક્યાં ગયા?” – ડિજિટલ અરેસ્ટના ભયાનક સ્કેમનો પર્દાફાશ
અમદાવાદ (ગુજરાત) [ભારત], ૨૨ એપ્રિલ: ભારતની પ્રથમ ડિજિટલ અરેસ્ટ પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘ધરપકડ’ નું સત્તાવાર ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. 1 મિનિટ અને 5 સેકન્ડનું આ ટીઝર દર્શકોના રુંવાડા ઉભા કરી દે તેવું છે અને આજના સમયમાં વધતા સાયબર ક્રાઈમની વરવી વાસ્તવિકતા રજૂ કરે છે. ટીઝરની શરૂઆત એક મધ્યમવર્ગીય પરિવારની લાચારી અને આર્થિક તંગીના દ્રશ્યોથી થાય છે. મલ્હાર ઠાકર એક ભાવુક અને ગંભીર સંવાદમાં કહેતા સંભળાય છે કે, “આખી જિંદગીની નોકરીમાં તમે એટલું જ કમાયા કે એક માણસનો જીવ ના બચાઈ શક્યા.”ટીઝરનો સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવે છે જ્યારે બેંક એકાઉન્ટમાં ‘ઇનસફિશિયન્ટ બેલેન્સ’ બતાવે છે અને સવાલ ઉઠે છે – “પૈસા નથી તો ગયા ક્યાં પપ્પા?” ટીઝરમાં સમજાવવામાં આવ્યું છે કે કેવી રીતે સ્કેમર્સ વેબની દુનિયામાં છુપાયેલા હોય છે અને સામાન્ય માણસને ભરોસો અપાવી દે છે કે જે થઈ રહ્યું છે તે સાચું છે. ટીઝરના અંતમાં આવતો એક અજાણ્યો ફોન કોલ, જેમાં કહેવામાં આવે છે કે “આપકે બેટે કો હમને અરેસ્ટ કિયા હૈ” આખી ફિલ્મની ગંભીરતા અને સસ્પેન્સને વધુ ગાઢ બનાવે છે. અનિશ શાહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામી પહેલીવાર સાથે જોવા મળશે. તેમની સાથે પ્રશાંત બારોટ, પ્રતીક રાઠોડ અને જય ભટ્ટ જેવા મજબૂત કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે. ઇંદિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સના નેજા હેઠળ બનેલી આ ફિલ્મ સાયબર છેતરપિંડીના એવા પાસાને સ્પર્શે છે જેની કોઈએ કલ્પના પણ નથી કરી હોતી. સસ્પેન્સ, ડ્રામા અને સામાજિક સંદેશાથી ભરપૂર આ ફિલ્મ 15 મે, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ટીઝર રિલીઝ થયા બાદ હવે દર્શકોમાં મલ્હાર અને શ્રુહદની આ જોડીને આધુનિક ક્રાઈમ થ્રિલરમાં જોવા માટે ભારે આતુરતા જોવા મળી રહી છે. ટીઝર લિંક- https://www.youtube.com/watch?v=kp-8NmNU0uo
પરફેક્ટ 100 અને વધુ: સીબીએસઈ ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ 2026માં ફિઝિક્સવાલા (PW) ના વિદ્યાર્થીઓએ નોંધાવી ભવ્ય સફળતા
સુરત, એપ્રિલ 16, 2026 : ગુરુવારનો દિવસ એજ્યુકેશન કંપની ફિઝિક્સવાલા (PW) માટે ઉજવણીનો દિવસ રહ્યો, કારણ કે તેના અનેક વિદ્યાર્થીઓ CBSE ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ 2026માં ઉચ્ચ સ્કોરર તરીકે ઉભરી આવ્યા છે, જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ પૂરેપૂરા 100 ટકા ગુણ મેળવ્યા છે. ટોચનું પ્રદર્શન કરનારાઓમાં ફાઝિલ્કા (પંજાબ) ના વૈભવ અરોરા, અમદાવાદ (ગુજરાત) ના અમોલિક પંડિત અને ભુવનેશ્વર (ઓડિશા) ના આયુષ્માન મોહપાત્રાનો સમાવેશ થાય છે, જેમણે 100 ટકા ગુણ મેળવીને દેશમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વધુમાં, ફિઝિક્સવાલાના ટેક-એનેબલ્ડ ઓફલાઇન સેન્ટર્સ ‘PW વિદ્યાપીઠ’ દ્વારા સુરતમાં એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. CBSE ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ 2026માં સારું પ્રદર્શન કરનાર શહેરના PW વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ પ્રદર્શન કરનારાઓમાં રુશાંક અંકુર શાહ (99.60%), આહાન શાહ (97.40%) અને સિયા ખાતીવાલા (97.20%) સામેલ હતા.

ગૌતમ ક્લાસીસ, સુરતનો CBSE ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ સાથે દબદબો 20 વર્ષથી વધુના અનુભવો સાથે આ વર્ષે પણ 100% રિઝલ્ટ
સુરત: ગૌતમ ક્લાસીસે છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી શૈક્ષણિક ક્ષેત્રમાં પોતાની વિશ્વસનીયતા અને ગુણવત્તાસભર માર્ગદર્શન માટે ઓળખ ઉભી કરી છે. આ જ પરંપરાને આગળ વધારતા, સંસ્થાએ CBSE ધોરણ 10 બોર્ડ પરીક્ષા (2025-26)માં 100% પરિણામ મેળવી ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે.
આ વર્ષે પણ ગૌતમ ક્લાસીસના વિદ્યાર્થીઓએ સરેરાશ 93% સુધીના ઉત્તમ ગુણ મેળવી સંસ્થાનો ગૌરવ વધાર્યો છે.
ખાસ નોંધપાત્ર બાબત એ રહી કે ગૌતમ ક્લાસીસના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં સરેરાશ 10% થી 20% સુધીનો નોંધપાત્ર સુધારો નોંધાયો છે, જે સંસ્થાની અસરકારક શિક્ષણ પદ્ધતિને પ્રતિબિંબિત કરે છે.
ટોપ પરફોર્મર્સ:
પોઝિશન વિદ્યાર્થીનું નામ ટકા
1 મોહિત પ્રસાદ 93%
2 અનુપ પાંડે 87.8%
3 અજીત યાદવ 83.6%
ઉલ્લેખનીય છે કે ગૌતમ ક્લાસીસમાં અભ્યાસ કરનારા તમામ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી સંસ્થાને 100% પરિણામ અપાવ્યું છે.
ઉધના અને પાંડેસરા વિસ્તારમાં CBSE માટે સમર્પિત અગ્રણી કોચિંગ સેન્ટર તરીકે, ગૌતમ ક્લાસીસ વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર કરે છે.

સંસ્થાની મુખ્ય વિશેષતાઓ:
CBSE માટે અલગ બેચ સિસ્ટમ
.
દરેક વિષય માટે નિષ્ણાત ફેકલ્ટી
CBSE સકર્ક્યુલર અને લેટેસ્ટ પેટર્ન મુજબ અભ્યાસ
અહીં અભ્યાસ સંપૂર્ણપણે CBSEના નવીનતમ માર્ગદર્શિકા અનુસાર કરાવવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ બદલાતા પરીક્ષા પેટર્ન માટે સજ્જ રહે.
સંસ્થામાં માત્ર ગુણ પર જ નહીં, પરંતુ concept clarity, તાર્કિક વિચારશક્તિ અને આત્મવિશ્વાસના વિકાસ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે. નિયમિત ટેસ્ટ અને વ્યક્તિગત માર્ગદર્શન દ્વારા દરેક વિદ્યાર્થી પોતાની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચે છે.
સંસ્થાના ડિરેક્ટરે જણાવ્યું:
અમારું લક્ષ્ય માત્ર પરિણામ નહીં, પરંતુ દરેક વિદ્યાર્થીને મજબૂત આધાર આપી તેની સંપૂર્ણ ક્ષમતા વિકસાવવાનો છે.
વાલીઓએ પણ ગૌતમ ક્લાસીસની પ્રશંસા કરતાં જણાવ્યું કે અહીંનું આયોજનબદ્ધ માર્ગદર્શન અને CBSE આધારિત અભ્યાસ બાળકોની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
માહેશ્વરી સમાજનો ગૌરવ: સુરતની ભાવિકા માહેશ્વરીને “MVMP માહેશ્વરી ગ્લોબલ સ્ટાર 2026” એવોર્ડ
પુણે ખાતે આયોજિત પ્રતિષ્ઠિત માહેશ્વરી ગ્લોબલ કાર્યક્રમમાં સુરતની પ્રતિભાશાળી દીકરી ભાવિકા માહેશ્વરીને “MVMP માહેશ્વરી ગ્લોબલ સ્ટાર 2026” એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ સન્માન અંતર્ગત તેમને ₹1 લાખનું રોકડ ઇનામ, મેડલ તેમજ મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા.
આ આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં વિશ્વભરમાંથી પસંદ કરાયેલા 12 પ્રતિભાશાળી બાળકોને ₹1-1 લાખનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું, જેમાં ભાવિકા માહેશ્વરીને ઓલ રાઉન્ડર કેટેગરીમાં વિશેષ સન્માન પ્રાપ્ત થયું.
આ એવોર્ડ ડૉ. સંજય માલપાણી (પ્રેસિડેન્ટ – ગીતા પરિવાર તથા સ્થાપક – એશિયન યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન, ધ્રુવ ગ્લોબલ સ્કૂલ)ના હસ્તે આપવામાં આવ્યો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ માહેશ્વરી ગ્લોબલ કન્વેન્શનમાં ભાવિકા માહેશ્વરીને “સમાજ ગૌરવ” ની ઉપાધિથી સન્માનિત કરવામાં આવી હતી, જે તેમના સતત શ્રેષ્ઠ પ્રદર્શનનો પુરાવો છે.
નાની ઉંમરે જ અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરનાર ભાવિકા માહેશ્વરીએ માત્ર 10 વર્ષની ઉંમરે રામકથાના માધ્યમથી અયોધ્યા રામ મંદિર માટે ₹52 લાખની સમર્પણ નિધિ અર્પણ કરી પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
TEDx સ્પીકર, લેખિકા અને ઉદ્યોગસાહસિક તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર ભાવિકા અત્યાર સુધી ઇન્ડોનેશિયા, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, લંડન, જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાન સહિતના અનેક દેશોમાં 500થી વધુ કાર્યક્રમોમાં ભાગ લઈ ચૂકી છે.
તેમના પ્રેરણાદાયક વિચારો, આધ્યાત્મિક દૃષ્ટિકોણ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ દ્વારા ભાવિકા માહેશ્વરીએ ભારતીય સંસ્કૃતિ અને સનાતન મૂલ્યોનું વૈશ્વિક સ્તરે ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ કરીને દેશનું નામ રોશન કર્યું છે.
અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશનના સભ્ય વિપુલ જોશીના નેતૃત્વ હેઠળ સુરતમાં ઇમિગ્રેશન લૉ ફર્મનું વિસ્તરણ
વિપુલ જોશી & અસોસિયેટ્સ ફર્મની યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા ઈનબાઉન્ડ ઇમિગ્રેશનમાં વિશેષતા
સુરત: સુરતના હિલ્ટન હોટેલ ખાતે આયોજિત પ્રેસ મીટમાં ઇમિગ્રેશન ક્ષેત્રમાં 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા તેમજ અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન (AILA)ના સભ્ય વિપુલ જોશીના આગેવાની હેઠળ એક પ્રતિષ્ઠિત લૉ ફર્મ વિપુલ જોશી & અસોસિયેટ્સએ હવે સુરતમાં પોતાની સેવાઓનું વિસ્તરણની જાહેરાત કરાઈ હતી. આ ફર્મ આંતરરાષ્ટ્રીય સ્તરના ઇમિગ્રેશન પ્રેક્ટિસ ધોરણોને અનુસરે છે અને મુખ્યત્વે અમેરિકા, કેનેડા અને ભારતમાં ઇનબાઉન્ડ ઇમિગ્રેશન સંબંધિત કેસોમાં વિશિષ્ઠ સ્તર ધરાવે છે.
આ ફર્મે અત્યાર સુધીમાં 100થી વધુ સબસ્ટિટ્યુશન કેસ સફળતાપૂર્વક સંભાળ્યા છે, જેમાં મૂળ અરજદારના અવસાન બાદ અરજી રદ થઈ ગયેલી હોય તેવી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. આવા કેસોમાં જૉઇન્ટ સ્પોન્સર ઉમેરવા જેવી કાનૂની પ્રક્રિયાથી અરજીઓને ફરી આગળ વધારવામાં સફળતા મેળવી છે. ઉપરાંત, ફર્મ જટિલ વેવર કેસોમાં પણ વિશેષ કુશળતા ધરાવે છે.

આ પ્રસંગે માહિતી આપતા વિપુલ જોશીએ જણાવ્યું હતું કે વિવિધ ઉદ્યોગોના ક્લાયન્ટ્સ સાથે કામ કરવાનો અનુભવ ધરાવતી આ ફર્મે સુરત તેમજ ગુજરાતના હીરા વેપારીઓને L-1 અને EB-5 પિટિશન ફાઈલ કરવામાં સહાયતા આપી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફર્મે રોમાનિયા નાગરિકો માટે ભારતના બિઝનેસ વિઝા મેળવ્યા બાદ તેમના ભારતીય નાગરિક સાથે લગ્ન થયા પછી X-1 વિઝા મેળવવામાં મદદ કરી છે. ઉપરાંત ઝિમ્બાબ્વેના નાગરિકો માટે પણ બિઝનેસ વિઝા પ્રક્રિયામાં સહાયતા પૂરી પાડી છે.
ફર્મ OCI રિનન્સિએશન અને OCI એપ્લિકેશન જેવી સેવાઓ પણ પૂરી પાડે છે. સાથે જ રશિયા, યુનાઇટેડ કિંગડમ, દુબઈ સહિતના દેશોમાં વિઝા રિફ્યુઝલ બાદ ક્લાયન્ટ્સને સફળતા અપાવવામાં પણ મદદ કરી છે. તેમજ ક્લાયન્ટની માંગને ધ્યાનમાં રાખીને ફર્મ પોલેન્ડ અને શેન્ગેન વિઝા માટે પણ માર્ગદર્શન આપે છે, જોકે આ તેમનું મુખ્ય વિશેષ ક્ષેત્ર નથી. ફર્મની કામગીરીનું કેન્દ્રબિંદુ ક્લાયન્ટ-સેન્ટ્રિક અભિગમ છે, જેમાં દરેક કેસ માટે વિગતવાર બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવે છે અને સંપૂર્ણ પારદર્શિતા સાથે ક્લાયન્ટને સંભવિત પડકારો અને વાસ્તવિક પરિણામોની જાણ કરવામાં આવે છે.
વધુમાં મુંબઈ સ્થિત ઓફિસ સાથે કાર્યરત આ ફર્મે 9 એપ્રિલ 2026ના રોજ પોતાની બીજી વર્ષગાંઠ ઉજવી હતી અને આ જ દિવસે પોતાની પ્રથમ ઓફિશિયલ ન્યૂઝલેટર પણ લોન્ચ કરી હતી.
સુરતમાં રિયલ એસ્ટેટનો ‘મહાકુંભ’: HALO પ્રોપર્ટી એક્સ્પો 2026નું 24 એપ્રિલે ભવ્ય ઉદ્ઘાટન
પૂર્વ સુરતના વિકાસને મળશે નવી ગતિ, 40થી વધુ ડેવલપર્સના 180+ પ્રોજેક્ટ્સ એક જ છત નીચે
મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી મંગળ પ્રભાત લોઢા કરશે ઉદ્ઘાટન, ત્રણ દિવસમાં 2 લાખથી વધુ મુલાકાતીઓની આશા
સુરત : શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે ઐતિહાસિક ગણાતા “HALO પ્રોપર્ટી એક્સ્પો 2026”નું આયોજન 24 થી 26 એપ્રિલ દરમિયાન એન્થમ સર્કલ, વલથાણ-પુણાગામ કેનાલ રોડ, આઉટર રિંગ રોડ પર કરવામાં આવશે. સુરત ઈસ્ટ બિલ્ડર્સ એસોસિયેશન (SEBA) દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય ઇવેન્ટને ‘પ્રોપર્ટીનો મહાકુંભ’ કહેવામાં આવી રહ્યો છે, જેમાં શહેરના અગ્રણી ડેવલપર્સ અને રોકાણકારો એક જ પ્લેટફોર્મ પર જોવા મળશે.
આ આયોજન અંગે શનિવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું હતું કે એક્સ્પોનું ભવ્ય ઉદ્ઘાટન 24 એપ્રિલે બપોરે 12:30 વાગ્યે મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી મંગળ પ્રભાત લોઢાના હસ્તે થશે. આયોજકોના જણાવ્યા મુજબ, આ માત્ર પ્રોપર્ટી પ્રદર્શન નથી, પરંતુ સમગ્ર રિયલ એસ્ટેટ ઇકોસિસ્ટમને જોડતું એક વ્યૂહાત્મક પ્લેટફોર્મ છે.
HALO પ્રોપર્ટી એક્સ્પોમાં 40થી વધુ જાણીતા ડેવલપર ગ્રુપ્સ ભાગ લઈ રહ્યા છે, જ્યારે કુલ 179થી વધુ પ્રીમિયમ એક્ઝિબિટર્સ અને 180થી વધુ રેસિડેન્શિયલ તથા કોમર્શિયલ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે. લગભગ 1 લાખ સ્ક્વેર ફૂટના વિશાળ એસી ડોમમાં યોજાનારા આ એક્સ્પોમાં અંદાજે 2 લાખથી વધુ મુલાકાતીઓ પહોંચવાની અપેક્ષા છે. જે. એક્લેરા, અનંત ગ્રુપ, ગ્રીન ગ્રુપ અને દેવમ જેવા મોટા ડેવલપર્સ અહીં પોતાના પ્રોજેક્ટ્સ રજૂ કરશે, જેમાં એફોર્ડેબલ હાઉસિંગથી લઈને પ્રીમિયમ પ્રોપર્ટી અને રોકાણના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ રહેશે.
SEBAના અધ્યક્ષ શ્રેયાંશ સવાણીએ જણાવ્યું હતું કે, “આ એક્સ્પોનો હેતુ માત્ર પ્રોજેક્ટ્સ બતાવવાનો નથી, પરંતુ ખરીદદારોને પારદર્શક અને વિશ્વસનીય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. પૂર્વ સુરતના વિકાસ માટે આ ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે.”
SEBAના સેક્રેટરી દીપેશ ધનાણી અને વિપુલ રાડાડિયાએ પણ વધુમાં વધુ ડેવલપર્સ અને સ્ટેકહોલ્ડર્સને આ પહેલ સાથે જોડાવા અપીલ કરી છે.

SEBAના મીડિયા હેડ હિરેન પટેલે જણાવ્યું કે આ એક્સ્પોનું ખાસ આકર્ષણ તેમાં હાજર રહેતી સેલિબ્રિટીઝ રહેશે. એક્સ્પોમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો દર્શન જરીવાલા, હિતેન કુમાર, જાનકી બોડીવાલા અને શ્રદ્ધા ડાંગર ખાસ ઉપસ્થિત રહેશે. પ્રેસવાર્તામાં ગોપીન ડેવલપર્સના પિયુષ ડાલિયા, એન્થમ ગ્રુપના નિકુંજ ગજેરા, જે. એક્લેરાના જૈંતીભાઈ બાબરિયા, અનંત ગ્રુપના હરેશભાઈ પાચાણી, ગ્રીન ગ્રુપના મીત કોટડિયા, એસોસિયેશનના પ્રવક્તા તેમજ સહજ ગ્રુપના સંચાલક કમલેશભાઈ કોરાટ અને તાપી રિયલ્ટીના રવિભાઈ સવાણી પણ હાજર રહ્યા હતા.
– SEBA: પૂર્વ સુરતના વિકાસ માટે મજબૂત નેટવર્ક
750થી વધુ સભ્યો ધરાવતી SEBA આજે માત્ર એક એસોસિયેશન નથી, પરંતુ મજબૂત રિયલ એસ્ટેટ નેટવર્ક બની ગઈ છે. શહેરના આશરે 75% વિસ્તારોને આવરી લેતી આ સંસ્થા અબ્રામા, મોટા વરાછા, ઉત્રાણ, કોશાડ, અમરોલી, વલથાણ, કડોદરા, ડિંડોલી, સચિન, કામરેજ, કિમ અને પીપોદરા જેવા વિસ્તારોમાં સક્રિય છે. આ વિસ્તારો ઝડપી વિકાસ તરફ આગળ વધી રહ્યા છે, જેને SEBA દ્વારા “સુરતનો સૂર્યોદય” નામ આપવામાં આવ્યું છે.
– પૂર્વ સુરત બનશે આગામી ગ્રોથ એન્જિન
વરાછા, કતારગામ, ઉધના, ડિંડોલી, સચિન, કડોદરા અને કિમ-પીપોદરા જેવા વિસ્તારોમાં ડાયમંડ, ટેક્સટાઇલ અને આઈટી ઉદ્યોગોના કારણે ઝડપી શહેરીકરણ થઈ રહ્યું છે. મેટ્રો, એક્સપ્રેસવે અને આઉટર રિંગ રોડ જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને કારણે આ વિસ્તાર રોકાણકારો માટે હોટસ્પોટ બની રહ્યો છે. આ એક્સ્પો દ્વારા પૂર્વ સુરતને નવી ઓળખ મળશે, રોકાણકારોમાં વિશ્વાસ વધશે અને પ્રોજેક્ટ્સને નવી ગતિ મળશે.
– ખરીદનારાઓ માટે સરળ બનશે નિર્ણય
આ એક્સ્પોની વિશેષતા એ છે કે હોમબાયર્સ અને રોકાણકારોને એક જ સ્થળે વિવિધ વિકલ્પો સાથે કાનૂની અને નાણાકીય માર્ગદર્શન મળશે. જેના કારણે યોગ્ય અને સુરક્ષિત રોકાણનો નિર્ણય લેવો સરળ બનશે. સાથે જ ડેવલપર્સને સીધા ગ્રાહકો સાથે જોડાવાનો મોકો મળશે, જેનાથી બજારમાં પારદર્શિતા અને વિશ્વાસ વધશે.
– કેમ ખાસ છે ‘પ્રોપર્ટીનો મહાકુંભ’?
HALO પ્રોપર્ટી એક્સ્પો 2026 માત્ર એક ઇવેન્ટ નથી, પરંતુ એક મૂવમેન્ટ તરીકે ઉભરી રહ્યું છે, જે પૂર્વ સુરતને શહેરના આગામી ગ્રોથ એન્જિન તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જો તમે ઘર ખરીદવા, રોકાણ કરવા અથવા રિયલ એસ્ટેટમાં રસ ધરાવતા હો, તો આ ત્રણ દિવસીય ઇવેન્ટ તમારા માટે સોનેરી તક સાબિત થઈ શકે છે.
મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સએ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ્સમાં બહુમતી હિસ્સેદારીનો અધિગ્રહણ પૂર્ણ કર્યો, પશ્ચિમ ભારતમાં ઉપસ્થિતિ મજબૂત કરી
સુરત, ૧૭ એપ્રિલ ૨૦૨૬: મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સએ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ્સમાં મહુમતી હિસ્સેદારીનો અધિગ્રહણ કરીને પશ્ચિમ ભારતમાં પોતાની ઉપસ્થિતિ વધુ મજબૂત કરી છે. સુરત અને વડોદરા સ્થિન બે NABH માન્યતા પ્રાપ્ત હોસ્પિટલ્સની કુલ ક્ષમતા ૪૦૦ ખેડની છે. આ અપિગ્રહણથી ગુજરાતમાં મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સની હાજરી વધુ મજબૂત બની છે, જ્યાં અમદાવાદ અને ભુજમાં પહેલેથી જ તેના બે યુનિટ કાર્યરત છે. આ સાથે મેરેન્ગો એશિયા હોસ્પિટસ ગુજરાતના મોટા હોસ્પિટલ જૂથોમાંથી એક બની ગયું છે, જેમાં કુલ ૧૧૫૦થી વધુ ભેડની ક્ષમતા છે.
મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સ તીરી અને કક્વાર્ટરનરી ઉપચાર, વિવિધ તબીબી વિશેષતાઓમાં સેન્ટર્સ ઓફ એક્સેલન્સ’ની રચના તથા ‘પેશન્ટ ફર્સ્ટ’ અભિગમ પર ખાન આપે છે. આ અપિગ્રહણ ક્લિનિકલ કોરિડોરની સંકલ્પનાને પણ મજભૂત બનાવશે, જેના દ્વારા ગુજરાતના મુખ્ય શહેરોમાં આવેલી હોસ્પિટલ્સની ઉપ-વિશેષતા તથા સુપર-વિશેષતા ક્ષમતાનો લાભ લેવામાં આવશે.
આ અધિગ્રહણ સાથે સુરત અને વડોદરાના તબીબોને માત્ર મેરેન્ગો એશિયાના રાષ્ટ્રીય સ્તરના નેટવર્કનો લાભ જ મળશે નહીં, પરંતુ કેન્યા, ઇરાક, સાઉદી અરબ સામ્રાજ્ય, મધ્ય પૂર્વ અને ઉઝબેકિસ્તાનમાં જૂથની હાલની આંતરરાષ્ટ્રીય તબીબી ભાગીદારીઓ દ્વારા પોતાની કુશળતાનો ઉપયોગ કરવાની તક પણ મળશે.
અધિગ્રહણ અંગે પ્રતિભાવ આપતાં મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સના સ્થાપક સભ્ય, ગ્રુપ મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ડૉ. રાજીવ સિંઘલે જણાવ્યું, “પશ્ચિમ ભારતમાં ૧૧૫૦થી વધુ બેડ સાથે આપણાં વિસ્તરણ થતાં અમે ગુજરાતના સૌથી મોટા આરોગ્ય સેવા પ્રદાતાઓમાંના એક બન્યા છીએ. સુરત અને વડોદરા જેવા મહત્વના શહેરોમાં પ્રવેશ કરીને ત્યાંના નાગરિકો અને આસપાસના વિસ્તારો માટે અદ્યતન તર્શરી અને ક્વાર્ટરનરી સારવાર ઉપલબ્ધ કરાવી અમને આનંદ થાય છે. મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સ નેટવર્કમાં જોડાતી દરેક નવી હોસ્પિટલ પેશન્ટ ફર્સ્ટ’ અભિગમ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે—ઉન્નત સારવારને દર્દીઓના ઘર નજીક લાવવાનું અમારું લક્ષ્ય છે. સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ્સના સંકલન સાથે જૂથ હવે કુલ આઠ હોસ્પિટલ્સ ચલાવે છે, જેની સંયુક્ત ક્ષમતા ૨૫૦૦ બેડની છે અને જેમાં ૧૦૦૦થી વધુ ડોક્ટરો તથા ૫૨૦૦ કર્મચારીઓ કાર્યરત છે. ડો. રાજીય સિંચથે વધુમાં જણાવ્યું, “આ વર્ષે અમારું લક્ષ્ય રાષ્ટ્રીય સ્તરે અમારી હાજરી વિસ્તારવાનું તેમજ દિલ્હી, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ઉત્તર ભારત લસ્ટરને મજબુત બનાવવાનું છે. ઉપરાંત, અમે આંતરરાષ્ટ્રીય વિસ્તારોમાં પણ તકો શોધી રહ્યા
આ વિસ્તરણથી સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ્સના હાલના દર્દીઓને નોંધપાત્ર લાભ મળશે તેમજ દક્ષિણ અને મધ્ય ગુજરાતના લોકોને તર્શરી અને કવાર્ટરનરી સુપર-સ્પેશિયલિટી સેવાઓ સુધી વિશાળ પહોંચ મળશે.

બરોડા મેડિકેર પ્રા. લિ.ના ડિરેક્ટર તથા જનરલ, લેપરોસ્કોપિક અને બેરિયાટ્રિક સર્જન ડૉ. ભીખુભાઈ પટેલે જણાવ્યું, “આ સહયોગ ગુણવત્તાયુક્ત અને પેશન્ટ ફર્સ્ટ’ આરોગ્ય સેવા આપવા અમારા દૃષ્ટિકોણ સાથે સંપૂર્ણ રીતે અનુરૂપ છે. અમે સાથે મળીને દક્ષિણ ગુજરાતમાં વૈશ્વિક આરોગ્ય ધોરણો લાવીશું.”
બરોડા મેડિકેર પ્રા. લિ.ના ડિરેક્ટર તથા ફૂટ અને એન્કલ સર્જન ડૉ. રાજીવ શાહે જણાવ્યું, “મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સ સાથે જોડાવાથી અદ્યતન આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાની અમારી ક્ષમતા વધુ મજબૂત બનશે અને ગુજરાત તેમજ તેની બહાર અમારી પહોંચ અને પ્રભાવ વધશે.*
મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સ વિશે
૨૧ ઑક્ટોબર ૨૦૨૦ના રોજ સ્થાપિત મેરેન્ગો એશિયા હોસ્પિટવસ ભારતના ઝડપી વિકાસ પામતા આરોગ્ય નેટવર્ક્સમાંનું એકરૂપે વિકસ્યું છે, જે આઠ મલ્ટી-સ્પેશિયલિટી હોસ્પિટલ્સમાં ૨૫૦૦થી વધુ બેડનું સંચાલન કરે છે. જૂથ તર્થરી અને ક્વાર્ટરનરી સારવાર, સેન્ટર્સ ઓફ એક્સેલન્સના વિકાસ તથા પેશન્ટ ફર્સ્ટ’ તત્વજ્ઞાન પર કેન્દ્રિત છે.
ડૉ. રાજીવ સિંઘલ દ્વારા સ્થાપિત આ જૂથ એક સ્થાપક-ઉદ્યોગપતિ દ્વારા સંચાલિત, સંસ્થાગત આધારિત પ્લેટફોર્મ છે, જેને અગ્રણી પ્રાઇવેટ ઇક્વિટી રોકાણકારો અને પ્રતિષ્ઠિત ભારતીય પરિવારિક ઓફિસોનું સમર્થન પ્રાપ્ત છે અને જેનું દીર્ધકાલીન લક્ષ્ય ટકાઉ મૂલ્ય સૃજન છે.
મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સની હાજરી દિલ્હી એનસીઆર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને સાઉદી અરબ સામ્રાજ્યમાં ફેલાયેલી છે અને તેને ૧૦૦૦થી વધુ ડૉક્ટરો તથા ૫૨૦૦ કર્મચારીઓની ટીમનું સમર્થન પ્રાપ્ત છે. આ નેટવર્ક ‘ટીચ, ટ્રેન અને ટ્રીટ (3T)” સિદ્ધાંતો પર આધારિત આંતરરાષ્ટ્રીય ક્લિનિકલ કોરિડોરને પ્રોત્સાહન આપે છે, જેના દ્વારા વૈશ્વિક આરોગ્ય સહયોગ વધે છે. અને સુલભ, વાજબી તથા જવાબદાર સારવાર પૂરી પાડવામાં આવે છે.
મીડિયા સંપર્ક
ડો. નેહલ શાહ
+९१ ८८०४८४८९४३
સાર્વજનિક યુનિવર્સિટીના એસ. આર. લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા “MBA: Unlocking Future Career Opportunities” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને સાર્વજનિક યુનિવર્સિટીની ઘટક સંસ્થા એસ. આર. લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા તા.16 એપ્રિલ 2026ના રોજ સવારે 10:00 વાગ્યે SU સેમિનાર હોલ, અથવાલાઇન્સ, સુરત ખાતે “MBA: Unlocking Future Career Opportunities” વિષય પર માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં મોટી સંખ્યામાં અંતિમ વર્ષના ગ્રેજ્યુએટ (સેમેસ્ટર-૬) વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને MBA પ્રોગ્રામ, વિવિધ સ્પેશિયલાઇઝેશન અને મેનેજમેન્ટ ક્ષેત્રમાં ઉપલબ્ધ કારકિર્દીની તકો અંગે માર્ગદર્શન આપવાનો હતો. સેમિનારમાં વિદ્યાર્થીઓને વર્તમાન ઉદ્યોગના ટ્રેન્ડ્સ, કંપનીઓની અપેક્ષાઓ અને વ્યાવસાયિક વિકાસ માટે જરૂરી કૌશલ્યો અંગે માહિતી આપવામાં આવી.

આ પ્રસંગે પ્રતિષ્ઠિત વક્તાઓએ તેમના અનુભવો અને માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. શ્રી વિક્રમ ચંપાનેરિયા (Head – Talent Acquisition, NJ Group) એ વર્તમાન કોર્પોરેટ વર્લ્ડની અપેક્ષાઓ અને પ્લેસમેન્ટ માટે જરૂરી સ્કિલ્સ અંગે માર્ગદર્શન આપ્યું. પ્રો. મેહુલ ઠક્કર (નવસારી કૃષિ યુનિવર્સિટી) એ મેનેજમેન્ટ ક્ષેત્રમાં ઊંચા અભ્યાસની તકો અને વિવિધ સ્પેશિયલાઇઝેશન અંગે માહિતી આપી. ડૉ. હિરેન પટેલ (Assistant Professor, SRLIM) એ MBA પ્રોગ્રામની રચના અને તેના પ્રેક્ટિકલ લાભો વિશે વિસ્તૃત સમજણ આપી. કાર્યક્રમમાં સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. ડૉ. કિરણ પંડયા તથા SRLIMના ડિરેક્ટર ડૉ. જીમી એમ. કાપડીઆએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.