Posts by: abhay_news_editor

એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલના ભૂગોળ શિક્ષકે ભારતના બેસ્ટ ટીચર્સ એવોર્ડઝ 2026ના ટોચના 5 રાષ્ટ્રીય ફાઇનલિસ્ટમાં સ્થાન મેળવ્યું

 

હઝીરા – સુરત, સપ્ટેમ્બર 19, 2026: એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલના PGT – ભૂગોળ (પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર – ભૂગોળ) સોમનાથ મુખર્જીને ભારતના બેસ્ટ ટીચર્સ એવોર્ડ્ઝ 2026ના ભૂગોળ વિભાગમાં ટોચના 5 રાષ્ટ્રીય ફાઇનલિસ્ટમાં સ્થાન મળ્યું છે. આ પ્રથમ વખત યોજાયેલા ઈન્ડિયાઝ બેસ્ટ ટીચર્સ એવોર્ડ્સ 2026નું સંયુક્ત આયોજન શિવ નાદાર ફાઉન્ડેશન અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની સેઈડ બિઝનેસ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ એવોર્ડ્સ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકોને સન્માનિત કરે છે, જેઓ નવીન શિક્ષણ પદ્ધતિઓ અને વર્ગખંડમાં અસરકારક શૈક્ષણિક પ્રયોગો માટે નોંધપાત્ર કાર્ય કરે છે. 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પ્રાપ્ત થયેલી 10,000થી વધુ નોંધણીઓમાંથી 79 શિક્ષકો રાષ્ટ્રીય ફાઇનલિસ્ટ તબક્કા સુધી પહોંચ્યા હતા. સોમનાથ મુખર્જી ભૂગોળ વિષયના 5 ફાઇનલિસ્ટ બન્યા છે. ઉપરાંત, સુરત શહેરમાંથી એકમાત્ર શિક્ષક છે, જેમને આ સન્માન પ્રાપ્ત થયુ છે.

તેમના શૈક્ષણિક પદ્ધતિઓના પોર્ટફોલિયોમાં તાપી મુખપ્રદેશ, હઝીરા ઔદ્યોગિક કોરિડોર અને મોબાઇલ GIS કાર્ટોગ્રાફી દ્વારા ક્ષેત્ર-આધારિત શિક્ષણનો સમાવેશ થતો હતો. આ કાર્યને કારણે તેમને રોયલ જીઓગ્રાફિક સોસાયટી, લંડન સાથે સંશોધન પેપર પ્રકાશિત કરવા માટે આમંત્રણ પણ મળ્યું હતું. શિવ નાદાર યુનિવર્સિટી, દિલ્હી એનસીઆર ખાતે તાજેતરમાં યોજાયેલા ગ્રાન્ડ ફાઈનલમાં સોમનાથ મુખર્જીને સંસ્થાકીય સ્મૃતિચિહ્નો અને ઓક્સફર્ડ-સેઈડ ફેલોશીપ કીટ પ્રાપ્ત થઈ હતી.
આ સન્માન શાળાની શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે અને નવીન તથા ક્ષેત્ર-આધારિત શિક્ષણ અભિગમોને પ્રોત્સાહન આપતા એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલના શૈક્ષણિક વાતાવરણને પ્રતિબિંબિત કરે છે.

સુનિતા મટુ, પ્રિન્સિપાલ, એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલે જણાવ્યું હતુ કે “આ સન્માન અમારા શિક્ષકમંડળની નિષ્ઠા અને શ્રેષ્ઠતાને પ્રતિબિંબિત કરે છે અને ઉચ્ચતમ શૈક્ષણિક ધોરણો પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.”

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ‘હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

 

અમદાવાદ (ગુજરાત) [ભારત], ૧૭ સપ્ટેમ્બર: વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશે વિકાસની સાકર ચાખી લીધી છે: CM શ્રી ભૂપેન્દ્ર પટેલ. PM શ્રી નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ 76,000 કિચન ગાર્ડનના છોડ વાવવાના સંકલ્પ સાથે વિશ્વ ગુજરાતી સમાજના અભિયાનનો પ્રારંભ

દેશના લોકલાડીલા એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ‘હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનના શુભારંભ કરાવી જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે વિકાસની સાકર ચાખી લીધી છે, એટલે દેશના લોકોનો આજે પણ તેમના પર ભરોસો છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ વિકાસની સાથે પર્યાવરણને પણ એટલું જ મહત્ત્વ આપે છે. તેમણે ‘મિશન લાઇફ’ નો મંત્ર આપ્યો છે. વડાપ્રધાનશ્રીએ ‘કેચ ધ રેઇન’ ‘એક પેડ માં કે નામ’ અને પ્રાકૃતિક ખેતી જેવાં અભિયાન શરૂ કરાવ્યાં, જે આજે જનઆંદોલન બની ગયાં છે. વડાપ્રધાનશ્રીએ વિકાસની સાથે હંમેશાં પર્યાવરણ સંરક્ષણની ચિંતા કરી છે, વિશ્વ ગુજરાતી સમાજનું ‘હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાન એ જ દિશા તરફનો પ્રશંસનીય પ્રયાસ છે. લોકો પોતાના ઘરમાં શાકભાજી ઉગાડશે, એટલે તેમને પર્યાવરણ અને વિકાસની સમજ વધારે સ્પષ્ટ થશે, એવું તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનશ્રીની દૂરંદેશી અંગે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીને પરિણામે જ આજે ગિફ્ટ સિટી વૈશ્વિક ફાઇનાન્શિયલ હબ બની ચૂક્યું છે. શ્રી નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ કરાવી, આજે ગુજરાત વૈશ્વિક મૂડીરોકાણમાં મોખરે છે. દુનિયાની ટોચની 500 કંપનીઓમાંથી 100 કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. વર્ષ 2001માં એક લાખ પંચાસી હજાર સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી હતી, આજે 27 લાખથી વધારે MSME ગુજરાતમાં છે અને લાખો લોકોને રોજગારી આપી રહી છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી ભાવેશ ભાઈ લાખણીને મુખ્ય મંત્રી શ્રી ના હસ્તે કિચન ગાર્ડનના 76,000 રોપા વિતરણના અનોખા અભિયાન માટે ગોલ્ડન બુક ઑફ રેકોર્ડ દ્વારા વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

વિશ્વમાં અને ભારતમાં વસતા ગુજરાતીઓ વતી વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ ભાવેશ એસ લખાણી એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ પર્યાવરણ રક્ષણ માટે કાર્યરત 35 જેટલા સ્ટાર્ટઅપનાં ઉત્પાદન અને સેવાઓનું પ્રદર્શન -વેચાણ માટે તૈયાર કરાયેલા સ્ટોલ્સની મુલાકાત લઈને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી ભાવેશ લાખાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સંસ્થાના મહામંત્રી શ્રી સુધીર એસ. રાવલે અભિયાન અંગે વિગતવાર વાત કરી હતી.

આ સમારંભમાં અમદાવાદના મેયરશ્રી હિતેશભાઈ બારોટ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ હોદ્દેદારો અને સંસ્થા સાથે જોડાયેલા તેમજ પર્યાવરણ સંરક્ષક સ્ટાર્ટઅપ ચલાવતા યુવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નમો સંવેદના દિવસ: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે SVNM ટ્રસ્ટનો ૨૦૦ નિઃશુલ્ક નેત્ર સર્જરીનો સંકલ્પ

 

સુપા, નવસારી ,૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે, સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ (SVNM TRUST, સુપા,નવસારી ) દ્વારા સેવા અને સંવેદનાનો અનોખો સેવાયજ્ઞ આરંભવામાં આવ્યો છે. આ વિશેષ અવસરે SVNM ટ્રસ્ટે ૨૦૦ જરૂરિયાતમંદ દર્દીઓની સંપૂર્ણ નિઃશુલ્ક નેત્ર સર્જરી કરવાનો સંકલ્પ લીધો છે.

આ પહેલ ૨૦૦ જીવનમાં નવી રોશની પાથરી ૨૦૦ પરિવારોમાં ખુશી અને આશાનો સંચાર કરવાનો પવિત્ર પ્રયાસ છે. દૃષ્ટિ પુનઃસ્થાપિત થવી એટલે દર્દી માટે આત્મવિશ્વાસ, સ્વાવલંબન અને આત્મનિર્ભરતાથી ભરેલા એક નવા જીવનનો પ્રારંભ.

સેવાની અવિરત સરવાણી: ૪૯,૫૦૦થી વધુ સફળ સર્જરીઓ

નિવારી શકાય તેવા અંધત્વ (Preventable Blindness) સામે અવિરત સેવારત SVNM ટ્રસ્ટે અત્યાર સુધી ૪૯,૫૦૦થી વધુ નિઃશુલ્ક નેત્ર સર્જરીઓ સફળતાપૂર્વક સંપન્ન કરી છે. આ સેવાયજ્ઞ હોસ્પિટલના પરિસરથી આગળ વધીને છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે, જેમાં નિયમિત નિઃશુલ્ક નેત્ર તપાસ, ગુણવત્તાસભર સારવાર, ચશ્મા વિતરણ અને વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

‘ઘર-ઘર દૃષ્ટિ’ અભિયાન: પ્રત્યેક આંખને મળે રોશનીનો અધિકાર

ટ્રસ્ટનું મુખ્ય અભિયાન ‘ઘર-ઘર દૃષ્ટિ’ એવા ઉમદા ધ્યેય સાથે કાર્યરત છે કે સમાજના દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી ઉત્તમ સારવાર અને સ્નેહપૂર્ણ સહાય સહજતાથી પહોંચે, જેથી દરેક વ્યક્તિ પોતાના સપનાઓને ખુલ્લી આંખે સાકાર કરી શકે. ૨૦૦ નિઃશુલ્ક નેત્ર સર્જરીનો આ સંકલ્પ ‘ઘર-ઘર દૃષ્ટિ’ના આ મહા-અભિયાનને વધુ બળ આપતું એક સંવેદનશીલ કદમ છે.

૨૦૦ આંખો • ૨૦૦ જીવન • ૨૦૦ પરિવારો

 એક પિતા પોતાના વ્હાલસોયા સંતાનને ફરી જોઈ શકે,

એક માતા પોતાના સમગ્ર પરિવારના સ્નેહાળ ચહેરાઓ ફરી નિહાળી શકે,

અને વડીલો પોતાના પૌત્ર-પૌત્રીના સ્મિતનો આનંદ માણી શકે—

આવી અસંખ્ય ભાવુક ક્ષણોમાં જ આ સેવાયજ્ઞની ખરી સાર્થકતા સમાયેલી છે.

દૃષ્ટિ એટલે જીવનને ફરી ઉત્સાહ અને આત્મગૌરવ સાથે જીવવાની નવી દિશા.

સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ (SVNM TRUST)

સુપા, નવસારી, ગુજરાત

Save Vision. Save Life.

એક દિવસ — અનેક સપનાઓને નવી ઉડાન

 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના 76માં જન્મદિવસ પર ફૂટપાથ પર રહેતા બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો એક અનોખો પ્રયાસ

17 સપ્ટેમ્બર 2026 :દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 76માં જન્મદિવસ પર હીરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશન દ્વારા રસ્તા અને ફૂટપાથ પર જીવન વિતાવતા બાળકોના નાનાં-નાનાં સપનાઓને સાકાર કરવાના સંકલ્પ સાથે એક વિશેષ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બાળકો માટે આ દિવસ માત્ર ફરવાનો કે મનોરંજનનો દિવસ નહીં, પરંતુ તેમને પણ સન્માન, ખુશી અને નવી આશાનો અનુભવ કરાવવાનો પ્રયાસ રહેશે.

દિવસભરનું વિશેષ આયોજન:
• સવારે બાળકોનું હેરકટિંગ અને ગ્રૂમિંગ
• ત્યારબાદ લક્ઝરી કારમાં બાળકોને કપડાંના શોરૂમ પર લઈ જઈ તેમની પસંદગીના નવા કપડાં અપાશે
• નવા શૂઝ અને ચપ્પલ અપાશે
• હીરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશનની ઓફિસ ખાતે શ્રી ગણપતિજીની આરતી
• પિયુષભાઈ દેસાઈ સાથે બાળકોનું પ્રેમભર્યું ભોજન
• મીડિયા/ન્યૂઝ સંસ્થાની વિશેષ મુલાકાત
• બાળકોને થિયેટરમાં ફિલ્મ બતાવવામાં આવશે
• દિવસના અંતે કેફે ખાતે ખાસ પાર્ટી અને આનંદોત્સવ

પણ સેવા અહીં પૂર્ણ થતી નથી…

76 જરૂરિયાતમંદ પરિવારોને નવી શરૂઆત

આ કાર્યક્રમ અંતર્ગત લગભગ 76 પરિવારોને પ્રતિ પરિવાર ₹25,000ની આર્થિક સહાય આપવામાં આવશે, જેથી તેઓ પોતાનો નાનો વ્યવસાય, રોજગાર અથવા સ્વરોજગાર શરૂ કરી શકે.

અમારો હેતુ માત્ર એક દિવસની ખુશી આપવાનો નથી, પરંતુ પરિવારોને પોતાના પગ પર ઊભા થવાની તક, આવકનું નવું સાધન અને જીવનમાં નવી આશા આપવાનો છે.

દરેક બાળકને સપનું જોવાનો અધિકાર છે…
અને દરેક જરૂરિયાતમંદ પરિવારને ફરીથી ઊભા થવાની એક તક મળવી જોઈએ.

હીરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશન
શિક્ષણ • સેવા • સ્વાભિમાન • સ્વરોજગાર

“એક દિવસ બાળકોના સપનાઓ માટે…
અને એક પ્રયાસ પરિવારોના આખા ભવિષ્ય માટે.”

સુરતમાં ‘સુરક્ષિત ગણેશ મંડળ’ ઈનિશિયેટિવને સારો પ્રતિસાદ 50થી વધુ ગણેશ મંડળોની એન્ટ્રી, ઝોનવાઈઝ ગ્રાઉન્ડ સર્વે શરૂ ફાયર સેફ્ટી, સિક્યોરિટી અને ક્રાઉડ મેનેજમેન્ટના આધારે થશે મૂલ્યાંકન

 

સુરત: ગણેશોત્સવ દરમિયાન સુરક્ષા અને જાગૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી ફાયર એન્ડ સિક્યોરિટી એસોસિએશન ઓફ ઈન્ડિયા (FSAI), સુરત ચેપ્ટર દ્વારા ‘સુરક્ષિત ગણેશ મંડળ’ ઈનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલ અંતર્ગત ગણેશ મંડળોમાં ફાયર સેફ્ટી, સિક્યોરિટી અને ક્રાઉડ મેનેજમેન્ટ અંગેની વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

FSAI સુરત ચેપ્ટરના પ્રેસિડેન્ટ ચિન્મય દેસાઈએ જણાવ્યું હતું કે, ગણેશોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. આ ઉત્સવના માધ્યમથી ફાયર સેફ્ટી અને સિક્યોરિટી અંગે જાગૃતિ વધારવાનો તેમજ સુરક્ષાને પ્રાધાન્ય આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

એવોર્ડ માટે ત્રણ મુખ્ય માપદંડ નક્કી કરાયા છે:

ફાયર સેફ્ટી: આગની સ્થિતિમાં ઉપલબ્ધ સુરક્ષા વ્યવસ્થા

સિક્યોરિટી: મંડળ ખાતે સુરક્ષા સંબંધિત વ્યવસ્થાઓ

ક્રાઉડ મેનેજમેન્ટ: ભીડના સુચારુ સંચાલન માટેની વ્યવસ્થા

આ પહેલ અંતર્ગત અત્યાર સુધીમાં 50થી વધુ ગણેશ મંડળોની એન્ટ્રી મળી ચૂકી છે. વધુ મંડળો પણ જોડાય તેવી શક્યતા છે. રજિસ્ટ્રેશન બાદ FSAI દ્વારા ઝોનવાઈઝ ટીમો બનાવીને મંડળોમાં ગ્રાઉન્ડ સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.

ગણેશોત્સવના 10મા અથવા 11મા દિવસે વિજેતા ગણેશ મંડળોને એવોર્ડ એનાયત કરવામાં આવશે. એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈમરજન્સી સર્વિસિસના વડા વસંત પરીખ, અનિલભાઈ બિસ્કિટવાળા, સુરત મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

AM/NS India એ ડ્યુઅલ BIS પ્રમાણપત્રો મેળવ્યા, વિશિષ્ટ સ્ટીલ ક્ષેત્રમાં નેતૃત્વ મજબૂત કર્યું અને આયાતના વિકલ્પ મેળવવાની પ્રક્રિયા વધુ ઝડપી કરી

 

  • ક્વેન્ચ્ડ એન્ડ ટેમ્પર્ડ પ્લેટ્સ‘ (IS 2062: ભાગ 2) અને અદ્યતન ‘Zn-Al-Mg કાટ-પ્રતિરોધક કોટિંગ્સ‘ (IS 19210) માટેનું લાઇસન્સ મેળવનાર ભારતની પ્રથમ સ્ટીલ ઉત્પાદક કંપની બની
  • AM/NS Indiaએ આત્મનિર્ભર ભારતના માનાંક હેઠળ વ્યૂહાત્મક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રક્ષા અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં ઊંચી ગુણવત્તાવાળા સ્થાનિક પ્રોડક્ટ મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનાવી

હજીરા – સુરત, સપ્ટેમ્બર 17, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ બે મહત્વપૂર્ણ નવાં ધોરણો હેઠળ ભારતીય માનક બ્યૂરો (BIS)નાં લાઇસન્સ મેળવીને અદ્યતન સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રે પોતાના મોખરાના સ્થાનને વધુ મજબૂત બનાવ્યું છે. આ સિદ્ધિથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેવી એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં નવી તકના દ્વાર ખુલવાની સાથો-સાથે, ઇનોવેશન, ગુણવત્તા અને ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા મેક ઇન ઇન્ડિયા તથા આત્મનિર્ભર ભારત  પહેલના આહ્વાન પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતા વધુ દૃઢ બની છે.

AM/NS India હવે હોટ રોલ્ડ ક્વેન્ચ્ડ એન્ડ ટેમ્પર્ડ (Q&T) સ્ટીલ પ્લેટ્સ, શીટ્સ, સ્ટ્રિપ્સ અને વાઇડ ફ્લેટ્સ માટેના નવા અમલમાં મૂકાયેલા માનક IS 2062 (Part 2):2026 માટે ઓલ ઇન્ડિયા ફર્સ્ટ BIS લાઇસન્સ મેળવનારી ભારતની પ્રથમ સ્ટીલ ઉત્પાદક બની ગઈ છે. સાથે જ, કંપનીએ પ્રી-પેઇન્ટેડ ઝિંક-એલ્યુમિનિયમ-મેગ્નેશિયમ (Zn-Al-Mg) એલોય કોટેડ સ્ટીલ સ્ટ્રિપ અને શીટ માટે IS 19210:2025 હેઠળ BIS લાયસન્સ પણ મેળવ્યું છે, જે ભારતીય બજારમાં વૈશ્વિક સ્તરે અદ્યતન સ્ટીલ સોલ્યુશન્સ લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે.

BIS લાયસન્સના ઓપરેશનલ અને કોમર્શિયલ પ્રભાવ:

  • જાહેર ખરીદી માટે નિયમનકારી પાલન: સરકારી ભંડોળ આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંરક્ષણ અને જાહેર ક્ષેત્રના પ્રોજેક્ટ્સને સ્ટીલ પૂરું પાડવા માટે BIS પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત પૂર્વશરત છે. આ લાઇસન્સ ફરજિયાત ખરીદી માપદંડોને પૂર્ણ કરે છે, જે AM/NS Indiaને આ પ્રમાણિત ગ્રેડની જરૂર હોય તેવા સરકારી ભંડોળ આધારિત પ્રોજેક્ટ્સને સપ્લાય કરવાની મંજૂરી આપે છે.
  • સ્થાનિક ઉપલબ્ધતા અને આયાતનો વિકલ્પ: IS 2062 (Part 2):2026 માટેના પ્રથમ સ્થાનિક લાયસન્સધારક તરીકે, AM/NS Indiaની Q&T સ્ટીલ પ્લેટ્સ માટે સ્થાનિક પુરવઠાનો સ્રોત પૂરો પાડે છે અને એવા બજાર સેગમેન્ટ્સની જરૂરિયાતો પૂરી કરે છે જે અગાઉ આયાતી સામગ્રી પર નિર્ભર હતા.
  • પ્રોડક્ટ પોર્ટફોલિયોનું વિસ્તરણ: આ લાયસન્સથી કંપનીના હજીરા અને પુણે સ્થિત પ્લાન્ટ્સમાં ઉત્પાદિત વિશિષ્ટ ઉત્પાદનોનું વ્યાવસાયિક ધોરણે વિતરણ શક્ય બનશે; આ ઉત્પાદનોમાં ભાર સહન કરવો પડે તેવા સ્ટ્રક્ચરલ ઉપયોગો અને કાટ-પ્રતિરોધક કોટિંગ ધરાવતા ઉત્પાદનોનો સમાવેશ થાય છે

હજીરા અને પુણે ખાતે આવેલી AM/NS Indiaની અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓમાં ઉત્પાદિત આ પ્રમાણિત ઉત્પાદનો, ઝડપથી બદલાઈ રહેલી ઔદ્યોગિક જરૂરિયાતોને અનુરૂપ વિશિષ્ટ ઉકેલો વિકસાવવાની કંપનીની ટેકનિકલ ક્ષમતા અને તત્પરતા બતાવે છે. આ સિદ્ધિ કંપનીના પ્રતિષ્ઠિત ટ્રેક રેકોર્ડમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરે છે;
પહેલાંથી જ AM/NS Indiaનું સ્ટીલ ચેનાબ રેલ બ્રિજ અને INS સુરત, INS વિશાખાપટ્ટનમ તથા તાજેતરમાં સેવામાં નિયુક્ત કરવામાં આવેલા INS માલવણ જેવા વ્યૂહાત્મક નૌકાદળના પ્લેટફોર્મ્સ સહિતની મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંપત્તિઓના નિર્માણમાં યોગદાન આપી રહ્યું છે.

તાજેતરમાં રજૂ કરાયેલ IS 2062 (ભાગ 2):2026 ખાસ કરીને ક્વેન્ચ્ડ એન્ડ ટેમ્પર્ડ સ્ટીલ પ્લેટ્સ માટે વિકસાવવામાં

આવેલું પ્રથમ BIS માનક છે. વિશિષ્ટ હીટ-ટ્રીટમેન્ટ પ્રક્રિયા દ્વારા ઉત્પાદિત Q&T સ્ટીલ અસાધારણ મજબૂતી અને ટકાઉપણું આપે છે, જેનાથી વધુ વજન સહન કરી શકે તેવા હળવા છતાં મજબૂત માળખાઓનું નિર્માણ કરવાનું શક્ય બને છે. આ ઉત્પાદનો સલામતી અને કાર્યક્ષમતા અત્યંત મહત્વપૂર્ણ હોય તેવા પુલ, ભારે એન્જિનિયરિંગ સાધનો, ખાણકામની મશીનરી, ઓફશોર સ્ટ્રક્ચર્સ, દરિયાઇ ક્ષેત્રના ઉપયોગો અને અન્ય પડકારજનક ઔદ્યોગિક વાતાવરણમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.

IS 19210:2025 માનક પ્રી-પેઇન્ટેડ ઝિંક-એલ્યુમિનિયમ-મેગ્નેશિયમ કોટેડ સ્ટીલ ઉત્પાદનો માટે ગુણવત્તા ફ્રેમવર્ક સ્થાપિત કરે છે. આ કેટેગરી હેઠળ AM/NS India દ્વારા પૂરું પાડવામાં આવતું ઉત્પાદન Optigal® પર આધારિત છે, જે આર્સેલરમિત્તલની વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ઝિંક-એલ્યુમિનિયમ-મેગ્નેશિયમ કોટેડ સ્ટીલ ટેકનોલોજી છે. પરંપરાગત કલર કોટિંગવાળા સ્ટીલનાં ઉત્પાદનોની તુલનામાં, અદ્યતન કોટિંગ નોંધપાત્ર રીતે શ્રેષ્ઠ કાટ પ્રતિકાર, ઉન્નત અદ્યતન સ્તરનું રક્ષણ, લાંબી આવરદા અને ઓછી જાળવણીની જરૂરિયાતો જેવા લાભો આપે છે. આ ઉત્પાદનોનો વ્યાપકપણે છત અને ક્લેડીંગ, પ્રી-એન્જિનિયર્ડ ઇમારતો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેરહાઉસિંગ, રેલ્વે અને ઔદ્યોગિક બાંધકામમાં ઉપયોગ થાય છે.

AM/NS India હાલમાં 25 BIS લાઇસન્સ ધરાવે છે, જેમાં IS 3039, IS 18809:2024 અને IS 2062 (ભાગ 2):2026 હેઠળના 3 પ્રતિષ્ઠિત ઓલ ઇન્ડિયા ફર્સ્ટ લાઇસન્સનો સમાવેશ થાય છે; આ બાબત ભારતીય બજારમાં અદ્યતન સ્ટીલ ટેકનોલોજી અને વિશ્વ-સ્તરીય ઉત્પાદનો પૂરા પાડવામાં કંપનીનું સતત મોખરાનું સ્થાન બતાવે છે.

તાજેતરમાં પ્રાપ્ત થયેલી આ સ્વીકૃતિઓ કંપનીની પ્રતિષ્ઠાને આ ક્ષેત્રમાં એક પ્રચંડ અગ્રણી તરીકે રજૂ છે, જે વૈશ્વિક સ્તરે સ્થાપિત થયેલા સ્ટીલ સંબંધિત સોલ્યુશન્સ પૂરા પાડવા માટે સક્ષમ છે અને ભારતના લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદન વિકાસને તાકાત આપે છે.

શેલબી હોસ્પિટલ, સુરત એડવાન્સ્ડ કિડની ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે નવા માપદંડો સ્થાપિત કરે છે

 

સુરત, ગુજરાત – શેવબી હોસ્પિટલે છેલ્લા ૧૨ મહિનામાં ૨૫ કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે જે સ્વાપ (SwaD) અને ABO-ઇનકમ્પેટીબલ (ABO-Incompatible) પ્રોસિજર્સમાં અદ્યતન ક્લિનિકલ સિદ્ધિઓ પર આધારિત છે.

અદ્યતન ટ્રાન્સપ્લાન્ટ હાઇલાઇટ્સ અને નિષ્ણાત ટીમનો સહયોગ

૨૫ સફળ ટ્રાન્સપ્લાન્ટ: અત્યંત કુશળ મલ્ટિડિસિપ્લિનરી ટીમ દ્વારા છેલ્લા એક વર્ષમાં પૂર્ણ

પાયોનિયરિંગ સ્વાપ અને ABO-ઇનકમ્પેટીબલ પ્રોસિજર્સ: દક્ષિણ ગુજરાતમાં સીપ્રથમ પ્રાઇવેટ કોર્પોટેટ હોસ્પિટલ સેટિંગમાં સ્વાપ કિડની ટ્રાન્સપ્લાન્ટ, બહુવિધ ABO-ઇનકપેટીબલ ટ્રાન્સપ્લાન્ટન્ટ્સ અને જટિલ રી-ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પાર પાડ્યા.

 

દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ વખત એક અત્યંત જટિલ કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. આ કેસમાં દર્દીનું આ બીજી વખતનું કિડની ટ્રાન્સપ્લાન્ટ હતું અને સૌથી મોટો પડકાર એ હતો કે તે ‘ABO ઇનકમ્પેટીબલ’ એટલે કે દાતા અને દર્દીનું બ્લડ ગ્રૂપ અલગ હતું

સ્પેશિયાલાઇઝડ ક્રિટિકલ કેર અને એનેસ્થેસિયા ટીમ: કિટિકલ સ્પેશિયાલિટી (ડૉ. અરુલ અને ટીમ) તથા એનેસ્થેસિયા ટીમ (ડૉ. કેવિન દેસાઈ અને ટીમ) ના નિષ્ણાત સહયોગથી સજ્જ, પ્રી-ઓપરેટિવ અને ક્રિટિકલ કેર મેનેજમેન્ટમાં ચોકસાઈ સુનિશ્ચિત કરે છે.

 

શેલ્બી હોસ્પિટલનો વધતો કિડની ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમ સુરતને ગુજરાતના અદ્યતન હેલ્થકેર હબ તરીકે વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે, ખાસ કરીને જટિલ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં.

મુખ્ય નેતૃત્વના વિચારો

ડૉ. મુકેશ ગોયલ, કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિજિશિયન:

“સુરતની ટ્રાન્સપ્લાન્ટ ડેસ્ટિનેશન તરીકે બદલાતી છબી એક ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધિ છે. શેલબીમાં અમારી વ્યાપક ટીમ અમને સ્વાપ અને ABO-ઇનકમ્પેટીબલ જેવા જટિલ ટ્રાન્સપ્લાન્ટ કરવાની ક્ષમતા પૂરી પાડે છે, જેથી દર્દીઓને ઘરની નજીક ઉચ્ચ ગુણવત્તાની સારવાર મળી રહે. ”

ડૉ. ભાર્ગવ પંડ્યા, કન્સલ્ટન્ટ યુરોસર્જન:

“કિડની ટ્રાન્સપ્લાન્ટ આપણા માટે માત્ર એક સર્જરી નથી–આ કોઈ દર્દીને એક નવું જીવન અને નવી આશા આપવાનો પ્રયાસ છે. આપણું લક્ષ્ય માત્ર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નથી, પરંતુ દર્દીને ડાયાલિસીસની નિર્ભરતાથી આગળ વધારીને એક સ્વસ્થ, સ્વતંત્ર અને વધુ સારા જીવન તરફ લઈ જવાનું છે.”

IDTના ફેશન ડિઝાઇનિંગ વિદ્યાર્થીઓ દ્વારા ‘જન્માષ્ટમી રનવે’નું અનોખું સર્જન

 

સુરત: જન્માષ્ટમીના પાવન પર્વને સર્જનાત્મકતા, ભારતીય સંસ્કૃતિ અને ફેશન ડિઝાઇન સાથે જોડીને IDTના ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓ દ્વારા એક અનોખું ‘જન્માષ્ટમી રનવે’ તૈયાર કરવામાં આવ્યું છે. આ રનવેમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે જોડાયેલી વિવિધ લીલાઓને ફેશનના માધ્યમથી રજૂ કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણના જીવન અને બાળપણની વિવિધ પ્રસંગોને આધાર બનાવીને અલગ-અલગ થીમ પર ગારમેન્ટ્સ ડિઝાઇન કર્યા છે. જેમાં શ્રીકૃષ્ણ જન્મ, મહાભારત, યમુના લીલા, કાળીયા નાગ લીલા, માખણચોર, હોળી ઉત્સવ, ગોવર્ધન લીલા અને ગવાલા જેવી વિવિધ થીમ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દરેક થીમને અનુરૂપ વિદ્યાર્થીઓએ માત્ર ગારમેન્ટ જ નહીં, પરંતુ તેની સાથે જોડાયેલા ઓર્નામેન્ટ્સ, હેડગિયર, એક્સેસરીઝ અને અન્ય ડિઝાઇન એલિમેન્ટ્સ પણ જાતે જ ડિઝાઇન કર્યા છે. આ સમગ્ર પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓએ પરંપરાગત ભારતીય કળા અને આધુનિક ફેશન ડિઝાઇનનું સુંદર સંયોજન રજૂ કર્યું છે.

આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે શ્રીકૃષ્ણના વિવિધ સ્વરૂપો માટે તૈયાર કરવામાં આવેલા લાડુ ગોપાલના પોશાકો વિદ્યાર્થીઓ દ્વારા સંપૂર્ણપણે હેન્ડક્રાફ્ટેડ બનાવવામાં આવ્યા છે. પોશાકોમાં હેન્ડવર્ક, એપ્લિકે વર્ક, એમ્બ્રોઇડરી તથા વિવિધ પ્રકારની સપાટી સુશોભન તકનીકો*નો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરેક પોશાક પાછળ વિદ્યાર્થીઓએ તેમની કલ્પનાશક્તિ, સંશોધન અને ટેકનિકલ કુશળતાનો ઉપયોગ કર્યો છે.

આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓએ થીમ ડેવલપમેન્ટથી લઈને ગારમેન્ટ ડિઝાઇન, કલર કોમ્બિનેશન, ઓર્નામેન્ટેશન, એક્સેસરી ડિઝાઇન અને હેન્ડવર્ક સુધીનું સમગ્ર કાર્ય ટીમવર્ક સાથે પૂર્ણ કર્યું છે.

‘જન્માષ્ટમી રનવે’નો મુખ્ય ઉદ્દેશ માત્ર ફેશન પ્રસ્તુતિ કરવાનો નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, પૌરાણિક વાર્તાઓ અને પરંપરાગત કળાને નવી પેઢીની સર્જનાત્મક દૃષ્ટિ સાથે જોડવાનો છે. વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણની લીલાઓને માત્ર એક વાર્તા તરીકે નહીં, પરંતુ એક વિઝ્યુઅલ ફેશન સ્ટોરી તરીકે રજૂ કરી છે.

આ પ્રોજેક્ટ દ્વારા IDTના વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે ફેશન માત્ર વસ્ત્રો સુધી મર્યાદિત નથી, પરંતુ તે સંસ્કૃતિ, વારસો, કલા, વાર્તા અને સર્જનાત્મકતાને વ્યક્ત કરવાનું એક શક્તિશાળી માધ્યમ પણ છે.

‘જન્માષ્ટમી રનવે’ દ્વારા IDTના વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાને આધુનિક ફેશનની ભાષામાં રજૂ કરીને સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનો અનોખો સંગમ સર્જ્યો છે.

પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે, પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ

 

નવી દિલ્હી, ઓગસ્ટ 2026: પારુલ યુનિવર્સિટીના પત્રકારત્વ અને જનસંચારના વિદ્યાર્થીઓએ છ દિવસના દિલ્હી મીડિયા લીડરશિપ ટૂરમાં ઇન્ડિયા ગેટ પરની લાઇવ રિપોર્ટિંગથી લઈને પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, હિન્દુસ્તાન ટાઇમ્સ, ન્યૂઝ18, ટીવી9, રિપબ્લિક અને એનડીટીવી સુધીના ન્યૂઝરૂમમાં સમાચાર બનવાની આખી પ્રક્રિયા નજીકથી શીખી.

ઇન્ડિયા ગેટ પર લાઇવ રિપોર્ટિંગથી શરૂઆત

ટૂરની શરૂઆત જ મેદાન પરના અનુભવથી થઈ. પહેલા દિવસે ઇન્ડિયા ગેટ પર દરેક જૂથને તૈયારી માટે માત્ર દસ મિનિટ મળી અને પછી કૅમેરા સામે 60 સેકન્ડનો લાઇવ પીસ ટુ કૅમેરા આપવાનો હતો. મોટા ભાગનાં જૂથો માટે કૅમેરા શરૂ થયા પછી બીજી તક નહોતી, અને આ વર્ગખંડથી તદ્દન અલગ, દબાણ હેઠળનો રિપોર્ટિંગ અનુભવ હતો.

સમાચાર કેવી રીતે ચકાસાય છે

પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં એડિટર શુજા ઉલ હકે વિદ્યાર્થીઓને એજન્સીના ત્રણ-સ્રોત નિયમ વિશે સમજાવ્યું, જ્યાં જનહિતને સ્પર્શતી કોઈ પણ ખબર ત્રણ સ્વતંત્ર સ્રોતથી પુષ્ટિ થયા વિના પ્રકાશિત થતી નથી. તેમણે ભાર મૂક્યો કે ઝડપ કરતાં સચોટતા વધુ મહત્વની છે, અને પીટીઆઈ દરરોજ 1,000થી વધુ ટેક્સ્ટ સ્ટોરી તૈયાર કરે છે.

એક ટીવી ન્યૂઝરૂમ કેવી રીતે કામ કરે છે

ન્યૂઝ18, ટીવી9 અને રિપબ્લિકમાં વિદ્યાર્થીઓએ એક ખબરને અસાઇનમેન્ટ ડેસ્કથી લઈને પ્રોડક્શન અને માસ્ટર કંટ્રોલ રૂમ થઈને પ્રસારણ સુધી પહોંચતાં જોઈ. તેમણે સમજ્યું કે એક શાંત દેખાતા ચહેરા પાછળ ગ્રાફિક્સ, સાઉન્ડ અને દિગ્દર્શનની આખી ટીમ સાથે કામ કરે છે. રિપબ્લિકના નોઇડા કૅમ્પસમાં, જેને નેટવર્ક એશિયાનું સૌથી મોટું ઇન્ટિગ્રેટેડ ન્યૂઝરૂમ ગણાવે છે, ક્રોમા સ્ટૂડિયોમાં એન્કરને 3D વાતાવરણમાં મૂકતી ટેક્નોલોજી જોવા મળી.

કાગળથી પ્રિન્ટિંગ પ્રેસ સુધીની સફર

હિન્દુસ્તાન ટાઇમ્સમાં વિદ્યાર્થીઓએ એક તૈયાર પાનું પ્રી-પ્રેસ, પ્રેસ અને મેઇલરૂમ થઈને કેવી રીતે છપાય એ પ્રક્રિયા નિહાળી. તેમણે શીખ્યું કે રંગીન PDFને સાયન, મૅજેન્ટા, પીળા અને કાળા પ્લેટમાં વિભાજિત કરીને પ્રેસ કલાકે 90,000 નકલ સુધી છાપે છે.
રજત શર્મા અને વરિષ્ઠ પત્રકારોની સલાહ

ઇન્ડિયા ટીવીના ચેરમેન રજત શર્માએ વિદ્યાર્થીઓ સાથે બે કલાક વિતાવ્યા અને કહ્યું કે પત્રકારત્વ “ફ્રી, ફેર અને ફિયરલેસ” હોવું જોઈએ, ઝડપી પ્રસિદ્ધિ પર નહીં. એનડીટીવીના પદ્મજા જોશીએ સલાહ આપી કે કારકિર્દી રિપોર્ટિંગથી શરૂ કરવી, અને ઇન્ડિયા ટુડે નેટવર્કના રાજદીપ સરદેસાઈએ સમાચારને દિલ્હી-કેન્દ્રિત નજરે નહીં જોવા કહ્યું. રજત શર્માનું આખું સત્ર યુવા પત્રકારોને તેમની સલાહ પરના લેખમાં નોંધાયેલું છે.

પારુલ યુનિવર્સિટીનો પત્રકારત્વ કાર્યક્રમ

છ દિવસના આ અનુભવમાં વિદ્યાર્થીઓએ રિપોર્ટિંગ, મીડિયા એથિક્સ, બ્રોડકાસ્ટ અને ડિજિટલ પત્રકારત્વની વ્યાવહારિક સમજ મેળવી. સમગ્ર વિગત પારુલ યુનિવર્સિટીના દિલ્હી મીડિયા લીડરશિપ ટૂરના લેખમાં છે. યુનિવર્સિટીનો પત્રકારત્વ અને જનસંચારમાં અનુસ્નાતક (MA JMC) કાર્યક્રમ વિદ્યાર્થીઓને આ જ પ્રકારના વ્યાવહારિક અનુભવ, સ્ટૂડિયો અને ઉદ્યોગ સાથેના જોડાણ સાથે તૈયાર કરે છે.

સુરતમાં સાઈરામ યુવક મંડળ દ્વારા ૨૯મા વર્ષે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન: ‘સૂર્ય કોણાર્ક મંદિર’ની થીમ અને વડાપ્રધાનના જન્મદિને ૭૬ કિલોની કેક કપાશે

 

– ભટાર – અલથાણના કોમ્યુનિટી હોલમાં ગણેશ સ્થાપના સાથે દસ દિવસ સમાજસેવાના કાર્યોનું પણ થશે આયોજન

સુરત: સુરતના અલથાણ ભટાર રોડ પર શાકભાજી માર્કેટ પાસે કમ્યુનિટી હોલ ખાતે સાઈરામ યુવક મંડળ દ્વારા આ વર્ષે ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થતા ગણેશ ઉત્સવનું ૨૯મા વર્ષમાં મંગળ પ્રવેશ સાથે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ‘મન્નત કા રાજા’ તરીકે વિખ્યાત આ ગણેશ મંડળ ખાતે દર વર્ષે શ્રદ્ધાળુઓ પોતાની બાધા-આખડી પૂરી થતાં વિઘ્નહર્તા દેવને મંગળમૂર્તિ અર્પણ કરે છે.

– ૨૯મા વર્ષે ‘સૂર્ય કોણાર્ક મંદિર’ની વિશેષ થીમ

સાઈરામ યુવક મંડળના આયોજક કમલ મેવાવાલાના જણાવ્યા અનુસાર, આ વખતે ગણેશ પંડાલમાં ઓડિશાના પ્રસિદ્ધ ‘સૂર્ય કોણાર્ક મંદિર’ ની આકર્ષક થીમ આધારિત મંડપ તૈયાર કરવામાં આવ્યો છે.
મનોકામના પૂર્ણ કરતા આ ગણરાજ છે જ્યાં છેલ્લા બે દિવસમાં લોકો કાનમાં તેઓની ઈચ્છા કહે. કહે છે. જે પૂરી થતાં શ્રદ્ધાળુઓ અહીં મંગળમૂર્તિ તેમજ સોના-ચાંદીના ઘરેણાં અને નંગના હાર અર્પણ કરતા હોય છે. દર વર્ષે અહીં ભક્તો દ્વારા ૮૦ થી ૧૦૦ જેટલી મંગળમૂર્તિઓ અર્પણ કરતા હોય છે, જ્યારે ગયા વર્ષે જ ૯૬ મંગળમૂર્તિઓ અર્પણ થઈ હતી.

– વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને ૭૬ કિલોની કેક અને ખાસ આયોજન

ગણેશોત્સવ દરમિયાન ૧૭ સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સાઈરામ યુવક મંડળ દ્વારા ખાસ ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાનના ૭૬મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ૭૬ કિલોની કેક કાપવામાં આવશે. આ ઉપરાંત સફાઈ કર્મચારીઓ, કિન્નર સમાજ તેમજ સર્વધર્મ (હિન્દુ, મુસ્લિમ, સિખ, ઈસાઈ) ના લોકો દ્વારા ખાસ મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવશે.

– નરેન્દ્ર મોદીથી લઈને વર્તમાન મુખ્યમંત્રી સુધીના મહાનુભાવો કરી ચૂક્યા છે દર્શન

સાઈરામ યુવક મંડળના આ ગણેશોત્સવનો ઈતિહાસ પણ ખાસ રહ્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૧૨માં, ત્યારબાદ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી તેમજ વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના તમામ મુખ્યમંત્રીઓ આ પંડાલમાં ગણપતિ બાપ્પાના દર્શનાર્થે આવી ચૂક્યા છે. સમગ્ર આયોજન દરમિયાન મંડળ દ્વારા ભક્તિ સાથે સમાજસેવાનો પણ સંદેશ આપવામાં આવે છે. દસ દિવસીય આ ગણેશોત્સવ દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો, નોટબુક વિતરણ તેમજ સામાજિક સમરસતાને જોડતી વિવિધ મહાઆરતીઓનું આયોજન કરવામાં આવે છે.