Posts by: abhay_news_editor
સાર્વજનિક યુનિવર્સિટીની એસસીઈટી (SCET) ના વિદ્યાર્થીને ઓફ-કેમ્પસ રિક્રુટમેન્ટ દ્વારા ₹64 લાખની વાર્ષિક ઓફર મળી
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના નેજા હેઠળ સ્થપાયેલી, સાર્વજનિક યુનિવર્સિટીની ઘટક સંસ્થા, સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (SCET), સુરતે તેની ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ પ્રવૃત્તિઓમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે। સંસ્થાના વિદ્યાર્થી શ્રી પીયૂષ સિંહ સુનીલને ઓફ-કેમ્પસ ભરતી પ્રક્રિયા દ્વારા ₹64 લાખના વાર્ષિક સીટીસી (CTC) સાથે પ્રી-પ્લેસમેન્ટ ઓફર (PPO) પ્રાપ્ત થઈ છે।
વિદ્યાર્થીની બિઝનેસ ડેવલપમેન્ટ ઇન્ટર્ન તરીકેની સફળ ઇન્ટર્નશિપ બાદ ટેકઇન્ફિનિટી એલએલપી (Techinfinity LLP) દ્વારા આ ઓફર આપવામાં આવી છે। ઓફર લેટર મુજબ, ઇન્ટર્નશિપ દરમિયાન દર મહિને ₹2 લાખનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે, ત્યારબાદ ઇન્ટર્નશિપની સફળ પૂર્ણાહુતિ અને સંતોષકારક કામગીરીને આધીન ₹64 લાખના વાર્ષિક સીટીસી સાથે પૂર્ણ-સમયની રોજગારીની ઓફર મળશે।
આ સિદ્ધિ અંગે વાત કરતા એસસીઈટીના પ્રિન્સિપાલ ડૉ. હિરેન પટેલે જણાવ્યું હતું કે, “અમારા વિદ્યાર્થીની આ અસાધારણ સિદ્ધિથી અમે ખૂબ જ આનંદિત છીએ. વાર્ષિક ₹64 લાખની ઓફ-કેમ્પસ ઓફર એ અમારા વિદ્યાર્થીઓની ગુણવત્તા, આત્મવિશ્વાસ અને ઉદ્યોગ માટેની સજ્જતા (industry-readiness) ની સાબિતી છે. એસસીઈટીમાં, અમે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક વાતાવરણમાં શ્રેષ્ઠ દેખાવ કરવા માટે ટેકનિકલ શિક્ષણ, વ્યાવસાયિક કૌશલ્યો અને ઔદ્યોગિક એક્સપોઝરનું યોગ્ય મિશ્રણ પ્રદાન કરવા માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ.”
આ સિદ્ધિ ઉદ્યોગ જગત માટેની સજ્જતા, વ્યાવસાયિક કૌશલ્યો અને કારકિર્દીના વિકાસ પર એસસીઈટીના સતત ભારને પણ પ્રતિબિંબિત કરે છે। ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ (T&P) વિભાગ એપ્ટિટ્યુડ અને લોજિકલ રીઝનિંગ, કોમ્યુનિકેશન અને સોફ્ટ સ્કિલ્સ, ઇન્ટરવ્યુની તૈયારી, સાયકોમેટ્રિક એસેસમેન્ટ, કરિયર ગાઇડન્સ, ટેકનિકલ ટ્રેનિંગ, ઇન્ડસ્ટ્રી ઇન્ટરેક્શન અને ઉચ્ચ અભ્યાસ માટે કાઉન્સેલિંગ જેવા કાર્યક્રમો ચલાવે છે।
શૈક્ષણિક વર્ષ 2024-25 દરમિયાન, ટીએન્ડપી (T&P) વિભાગે કરિયર ગાઇડન્સ, પ્રી-પ્લેસમેન્ટ ટ્રેનિંગ અને ઉચ્ચ અભ્યાસ કાઉન્સેલિંગને આવરી લેતા 27 તાલીમ સત્રો યોજ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓએ 20,891 થી વધુ તાલીમ કલાકો મેળવ્યા હતા।
એસસીઈટી ઇન્ડસ્ટ્રિયલ એક્સપોઝર અને ઇન્ટર્નશિપ પર પણ ખૂબ ભાર મૂકે છે। 2024-25 દરમિયાન, વિદ્યાર્થીઓએ ઔદ્યોગિક મુલાકાતોમાં ભાગ લીધો હતો જેમાં 1,464 સ્ટુડન્ટ-ડેઝ (student-days) નો સમાવેશ થાય છે। વર્ષ 2022-2025 દરમિયાન, સંસ્થાએ વિવિધ એન્જિનિયરિંગ શાખાઓમાં 2,583 અંડરગ્રેજ્યુએટ ઇન્ટર્નશિપ જોડાણો નોંધ્યા છે।
એસસીઈટીના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ વિભાગના ઇન્ચાર્જ હેડ પ્રોફેસર શબ્બીર ગઢિયાલીએ જણાવ્યું હતું કે, “પીયૂષ દ્વારા મેળવેલ ₹64 લાખનું પીપીઓ એસસીઈટી માટે ગર્વની ક્ષણ છે. અમારી ટીએન્ડપી પહેલો માત્ર કેમ્પસ પ્લેસમેન્ટ પર જ ધ્યાન કેન્દ્રિત કરતી નથી પરંતુ વિદ્યાર્થીઓને ઓફ-કેમ્પસ તકો સહિત સમગ્ર ઉદ્યોગમાં રહેલી તકોને ઓળખવા અને સ્પર્ધા કરવા માટે સજ્જ કરે છે.
એપ્ટિટ્યુડ, કોમ્યુનિકેશન, ઇન્ટરવ્યુ સ્કિલ્સ, કરિયર પ્લાનિંગ અને ઇન્ડસ્ટ્રી ઇન્ટરેક્શનમાં નિયમિત તાલીમ વિદ્યાર્થીઓને સફળ થવા માટે જરૂરી આત્મવિશ્વાસ અને ક્ષમતા બનાવવામાં મદદ કરે છે.”
ઓફ-કેમ્પસ તક દ્વારા પ્રાપ્ત થયેલ ₹64 લાખનું વાર્ષિક પીપીઓ એ વિદ્યાર્થી અને એસસીઈટી માટે એક ગૌરવપૂર્ણ સિદ્ધિ છે, જે તમામ શાખાઓમાં ઉદ્યોગ માટે સજ્જ એન્જિનિયરો અને વ્યાવસાયિકો તૈયાર કરવા તરફના સંસ્થાના સતત પ્રયાસોને દર્શાવે છે।
૧,૨૫,૦૦૦ શ્રી દત્ત માલા મંત્ર અનુષ્ઠાનની પૂર્ણાહુતિ
દત્તાશ્રય આશ્રમ ખાતે ૧,૨૫,૦૦૦ શ્રી દત્ત માલા મંત્ર અનુષ્ઠાનની પવિત્ર પૂર્ણાહુતિ ભક્તિભાવ અને વૈદિક પરંપરા સાથે સંપન્ન થઈ.
આ દિવ્ય અનુષ્ઠાનમાં ૧૫ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર, ૬૦૦ કિલોથી વધુ ઘીની આહુતિ, દૈનિક રુદ્રાભિષેક તેમજ યજુર્વેદના પવિત્ર મંત્રોના પાઠ દ્વારા યજ્ઞને દિવ્ય ઊર્જાથી પૂર્ણ કરવામાં આવ્યો.
આચાર્ય ભાવિન પંડ્યા અને આચાર્ય મનન પંડ્યા આચાર્યશ્રીઓએ શ્રી દત્ત ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી કે સમગ્ર વિશ્વમાં શાંતિ, સુખ અને સદભાવના સ્થાપિત થાય.
નેપાળમાં સર્જાયેલી કુદરતી આપત્તિમાં મૃત્યુ પામેલા હજારો નિર્દોષ આત્માઓને શ્રી દત્ત ભગવાન મોક્ષ અને શાંતિ અર્પે, તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અને હિંમત આપે તેવી કરુણાભરી પ્રાર્થના કરવામાં આવી.
સાથે જ, તમામ ભક્તજનો સનાતન ધર્મના માર્ગે ચાલે, સદાચાર અને સત્યને જીવનમાં ઉતારે અને પોતાના જીવનમાં આધ્યાત્મિક તથા સર્વાંગી પ્રગતિ પ્રાપ્ત કરે, તેવી પણ શ્રી દત્ત ભગવાનને પ્રાર્થના કરવામાં આવી.

યજ્ઞની પવિત્ર જ્યોતમાંથી વિશ્વશાંતિનો સંકલ્પ…
મંત્રોમાંથી દિવ્ય ઊર્જા…
અને હૃદયમાંથી સર્વજીવ કલ્યાણની પ્રાર્થના…
જય જય દત્તાશ્રય
જય ગુરુદેવ દત્ત
નર્મદે હર
સુરતમાં 22 નવેમ્બરે યોજાશે એનપીસી વેસ્ટ ઇન્ડિયા ચેમ્પિયનશિપ અને આઇપીએલ ચેમ્પિયનશિપ
– બોડીબિલ્ડિંગ, પાવરલિફ્ટિંગ અને આર્મ રેસલિંગના ખેલાડીઓ આવશે એક મંચ પર – ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર ખેલાડીઓને શેરૂ ક્લાસિક ઇન્ડિયા-2026માં ક્વોલિફાય થવાની મળશે તક સુરત. રમતગમત ક્ષેત્રે ગુજરાતના ખેલાડીઓને વધુ મોટી તક અને યોગ્ય પ્લેટફોર્મ મળે તે હેતુથી સુરતમાં આગામી 22 નવેમ્બરે એનપીસી વેસ્ટ ઇન્ડિયા ચેમ્પિયનશિપ અને આઇપીએલ ગુજરાત ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાઓમાં બોડીબિલ્ડિંગ, પાવરલિફ્ટિંગ અને આર્મ રેસલિંગ એમ ત્રણ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પર્ધામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ વિવિધ કેન્દ્રશાસિત પ્રદેશોના ખેલાડીઓ ભાગ લેશે. આ અંગે આયોજકો દ્વારા જણાવાયું હતું કે, એનપીસી (નેશનલ ફિઝિક્સ કમિટી) વેસ્ટ ઇન્ડિયા ચેમ્પિયનશિપ બોડીબિલ્ડિંગ ક્ષેત્રની મહત્વપૂર્ણ સ્પર્ધા રહેશે. સાથે જ આઈપીએલ (ઇન્ડિયન પાવરલિફ્ટિંગ લીગ) દ્વારા પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે. સાથે જ આર્મ રેસલિંગની સ્પર્ધા પણ યોજાશે, જેમાં ગુજરાત આર્મ રેસલિંગ ફેડરેશન સહિત સંબંધિત ફેડરેશન સાથે જોડાયેલા ખેલાડીઓ ભાગ લેશે. આ સ્પર્ધાઓમાં વિજેતા ખેલાડીઓને આઈએચએફએફ શેરૂ ક્લાસિક ઇન્ડિયા-2026 માટે ક્વોલિફાય થવાની તક મળશે. એનપીસી સાથે જોડાયેલા ખેલાડીઓ માટે રિજનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેવો આગળની સ્પર્ધાઓ માટે મહત્વપૂર્ણ રહેશે. આ ઉપરાંત આયોજકોએ વધુમાં જણાવ્યું કે આજે કરવામાં આવેલી આગામી ચેમ્પિયનશિપની સત્તાવાર તારીખ જાહેરાત દેશ અને રાજ્યના ખેલાડીઓને પોતાની તૈયારી શરૂ કરવા માટે પ્રેરિત કરવા માટે છે.

હીરાબાનું ખમકાર ફાઉન્ડેશન દ્વારા 100થી વધુ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર વિતરણ, હવે ગુજરાતભરમાં 5,100 કોમ્પ્યુટર આપવાનો સંકલ્પ
સુરત: યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત અને દીકરા-દીકરીઓના શિક્ષણ તથા ઉજ્જવળ ભવિષ્ય માટે સતત કાર્યરત પીયુષભાઈ દેસાઈ અને હીરાબાનું ખમકાર ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સેવાકીય પહેલ કરવામાં આવી છે.
ફાઉન્ડેશન દ્વારા સુરત શહેર તેમજ આસપાસના વિસ્તારોના 100થી વધુ અભ્યાસરત દીકરા-દીકરીઓને કોમ્પ્યુટરનું વિતરણ કરવામાં આવ્યું છે. આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ ટેક્નોલોજી સાથે જોડાઈને અભ્યાસ, કૌશલ્ય વિકાસ અને રોજગારની નવી તકો મેળવી શકે તે મુખ્ય હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
પીયુષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, “આજના યુગમાં કોમ્પ્યુટર શિક્ષણનું એક મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. આર્થિક પરિસ્થિતિના કારણે ગુજરાતનો કોઈ પણ દીકરો કે દીકરી ડિજિટલ શિક્ષણથી વંચિત ન રહે, એ અમારો સંકલ્પ છે.”

ગુજરાતભરમાં 5,100 કોમ્પ્યુટર વિતરણનું આગામી લક્ષ્ય
હીરાબાનું ખમકાર ફાઉન્ડેશન દ્વારા સુરતમાં શરૂ થયેલી આ પહેલને હવે સમગ્ર ગુજરાત સુધી પહોંચાડવાની તૈયારી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં ગુજરાતભરના જરૂરિયાતમંદ અને અભ્યાસરત દીકરા-દીકરીઓને કુલ 5,100 કોમ્પ્યુટર વિતરણ કરવાનો સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા લેવામાં આવ્યો છે.
આ અભિયાન દ્વારા શહેરોની સાથે ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓ સુધી પણ ડિજિટલ શિક્ષણના સાધનો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

પીયુષભાઈ દેસાઈ અને હીરાબાનું ખમકાર ફાઉન્ડેશનનો સંકલ્પ છે કે “દીકરો હોય કે દીકરી — શિક્ષણમાં કોઈ પાછળ ન રહે અને ટેક્નોલોજીથી કોઈ વંચિત ન રહે.”
શિક્ષણ દ્વારા સશક્ત સમાજ અને સશક્ત ગુજરાતના નિર્માણ માટે ફાઉન્ડેશન આગામી સમયમાં પણ વિવિધ શૈક્ષણિક અને સમાજસેવાના કાર્યોને વધુ વ્યાપક સ્તરે આગળ વધારશે.
સુરતની સાચી સુખડિયા બની આઈડીસી નેશનલ્સ ગર્લ્સ ચેમ્પિયન
કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય ડાર્ટ્સ સ્પર્ધામાં દેશભરમાંથી ખેલાડીઓએ લીધો ભાગ
સુરત: અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલી આઈડીસી નેશનલ્સ ગર્લ્સ ડાર્ટ્સ ચેમ્પિયનશિપમાં સુરતની હિલ્સ હાઈસ્કૂલ, વેસુની વિદ્યાર્થીની સાચી સુખડિયાએ શાનદાર પ્રદર્શન કરી ગર્લ્સ કેટેગરીમાં રાષ્ટ્રીય ચેમ્પિયનનો ખિતાબ મેળવ્યો છે. અમદાવાદ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં દેશભરમાંથી ડાર્ટ્સ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સાચીના આ શાનદાર પ્રદર્શન બદલ ઇન્ડિયન ડાર્ટ્સ કાઉન્સિલ દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે ચેમ્પિયન બન્યા બાદ હવે સાચી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે.
લીઓ ગ્રુપ ની સનરેઝ સ્કૂલ ખાતે ૧૦ મીટર એર રાઇફલ શૂટિંગ રેન્જ નું ઉદ્ઘાટન
સુરત : આજ રોજ શિક્ષક દિન ની ઉજવણી ની સાથે સાથે લીઓ ગ્રુપ ની સનરેઝ અને લીઓ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ ખાતે ૧૦ મીટર એર રાઇફલ શૂટિંગ રેન્જ નું ઉદ્ઘાટન એડિશનલ સીપી ક્રાઈમ બ્રાન્ચ સુરત શહેર પોલીસ ડીઆઇજી ડો. કરણ રાજ વાઘેલા IPS દ્વારા NCC કેડેટ્સ અને વિદ્યાર્થીઓ ની હાજરી કરવામાં આવ્યું હતું.
આજ શિક્ષક દિન ની ઉજવણી પ્રસંગે લીઓ ના બે ભૂતપૂર્વ વિધાર્થીઓ કુમારી હિલ્પા સિંઘા પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઈમ બ્રાન્ચ સુરત અને કિરણસિંહ બારીયા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઈકો સેલ સુરત શહેર નું પણ સન્માન પત્ર સાથે સન્માન કરવામાં આવ્યું હતું.
NCC કેડેટ્સ અને વિદ્યાર્થીઓ ની હાજરી માં લીઓ ગ્રુપ ના બંને ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા પોલીસ ઇન્સ્પેક્ટર નું અભિવાદન કરતા સંચાલક શ્રી જયસુખ કથીરિયા એ જણાવ્યું હતું કે આ બંને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નું સન્માન એમનાજ ઉપરી અધિકારી DIG કરણરાજ વાઘેલા સાહેબ ના હસ્તે થાય એ લીઓ ગ્રુપ માટે ગૌરવ ની બાબત છે .

સન્માન પત્ર અર્પણ થાય બાદ પી આઈ કિરણસિંહ બારીયા એ ભૂતપૂર્વ વિદ્યાર્થી ને યાદ કરી સન્માન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ડીઆઇજી કરણ રાજ વાઘેલા એ પોતાના પ્રાસંગિક પ્રવચન થી બાળકો ને પ્રોત્સાહન પૂરું પાડતા જણાવ્યું હતું કે જીવન માં સફળ થવા અને તંદુરસ્ત રહેવા સ્પોર્ટ્સ નું ખૂબ મહત્વ છે અને રાઇફલ શૂટિંગ રેન્જ માં પ્રેક્ટિસ કરવાથી એકાગ્રતા માં વધારો થવાની સાથે સાથે માનસિક તણાવ પણ ઓછો થાય છે.

તેમણે ઝેન જી તરીકે સોશિયલ મીડિયા નો વિવેક પૂર્ણ ઉપયોગ કરવા પર ખાસ ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા માં આવતું બધું જ સત્ય હોતું નથી. ક્યારેક તમારા જેવા બાળકો ને ગેરમાર્ગે દોરી જાય છે.
તેમણે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી પણ કરી હતી અને વર્તમાન પરિસ્થિતિ વિદ્યાર્થી તરીકે તમારું ધ્યાન માત્ર અને માત્ર કારકિર્દી લક્ષી હોવું જોઈએ તે સમજાવ્યું હતું.
JITO પ્રીમિયર લીગ 2026 માટે ગુજરાત ગ્લેડિયેટર્સની ટીમ અને જર્સીનું લોન્ચિંગ
– 300થી વધુ ખેલાડીઓમાંથી પસંદ થયા 25 ગ્લેડિયેટર્સ, કોલંબોમાં ગુજરાતનું નામ રોશન કરશે
સુરત: ગુજરાતની રમતગમતની ઓળખને આંતરરાષ્ટ્રીય મંચ સુધી લઈ જવાના ઉદ્દેશ સાથે ગુજરાત ગ્લેડિયેટર્સની સત્તાવાર ટીમ અને જર્સીનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. JITO પ્રીમિયર લીગ 2026માં ગુજરાત ગ્લેડિયેટર્સ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. લીગનું આયોજન 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર 2026 દરમિયાન કોલંબો, શ્રીલંકામાં થશે.
ગુજરાત ગ્લેડિયેટર્સ ટીમના માલિકી કંપની ચિંતામણી એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક નીતિન મહેતાએ જણાવ્યું હતું કે ગુજરાત ગ્લેડિયેટર્સ
માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયામાં સમગ્ર ભારતમાંથી 300થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. વિવિધ તબક્કાની પસંદગી પ્રક્રિયા બાદ 25 ખેલાડીઓને અંતિમ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. હવે આ 25 ખેલાડીઓ કોલંબોમાં ગુજરાતના નામ અને ઓળખ સાથે મેદાનમાં ઉતરશે.
વધુમાં નીતિન મહેતાએ કહ્યું હતું કે ટીમનું નામ કોઈ બિઝનેસ, કંપની કે કોર્પોરેટ ઓળખ પરથી રાખવાને બદલે સીધું ‘ગુજરાત’ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતને ઉદ્યોગસાહસિકતા, સાહસ, વિકાસ, નવી તકો અને સતત આગળ વધવાની ભાવનાના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવ્યું છે. ટીમનો ઉદ્દેશ માત્ર એક ફ્રેન્ચાઈઝી તરીકે ઓળખ બનાવવાનો નહીં, પરંતુ ગુજરાતની ઓળખ અને ગૌરવનું પ્રતિનિધિત્વ કરવાનો છે અને આ બાબતની નોંધ ખુદ કેન્દ્રીય રમત ગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ લઈ નીતિન મહેતાની પ્રશંસા પણ કરી છે.
ટીમના માલિકે જણાવ્યું હતું કે ગુજરાત ગ્લેડિયેટર્સની પસંદગી પ્રક્રિયામાં 300થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. દરેક ખેલાડી માટે ટ્રાયલ પોતાની પ્રતિભા સાબિત કરવાની તક બની હતી. અંતે 25 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ ખેલાડીઓ માટે JPL માત્ર એક ટુર્નામેન્ટ નહીં, પરંતુ પોતાની પ્રતિભા અને નવી ઓળખ સ્થાપિત કરવાની તક પણ છે.
ગુજરાત ગ્લેડિયેટર્સની ટીમની વિચારધારા પાંચ મુખ્ય સિદ્ધાંતો પર આધારિત છે તે છે સાહસ, શિસ્ત, એકતા, જુસ્સો અને ગૌરવ. ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે મેદાન પર વ્યક્તિગત પ્રદર્શન સાથે ટીમભાવનાને પણ એટલું જ મહત્વ આપવામાં આવશે.
– પાર્થિવ પટેલ બન્યા બ્રાન્ડ એમ્બેસેડર
ભારતના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પાર્થિવ પટેલ ગુજરાત ગ્લેડિયેટર્સ સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા છે. ભારતીય ક્રિકેટનો અનુભવ, રમતની સમજ અને ગુજરાત સાથેનું તેમનું જોડાણ ટીમ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.
– JITO Apexના ચેરમેન પૃથ્વીરાજ કોઠારીની વિશેષ ઉપસ્થિતિ
JPLના વ્યાપક વિઝન અને રમતગમત સાથે સમાજને જોડવાના પ્રયાસને JITO Apexના નેતૃત્વનું સમર્થન છે. JITO Apexના ચેરમેન પૃથ્વીરાજ કોઠારી પણ ટીમ લોન્ચ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
– ટીમ પાછળનું વિઝન
ગુજરાત ગ્લેડિયેટર્સના માલિક નિતિન મહેતાના જણાવ્યા અનુસાર ટીમ બનાવવાનો હેતુ માત્ર ક્રિકેટ મેચ જીતવાનો નથી. પ્રતિભાશાળી ખેલાડીઓને તક આપવી, મજબૂત ટીમ તૈયાર કરવી, આગવી ઓળખ ઊભી કરવી અને ગુજરાત ગર્વ કરી શકે તેવી વિરાસતનું નિર્માણ કરવું એ ટીમ પાછળનું મુખ્ય વિઝન છે.
– ક્રિકેટથી આગળ વધતું JPLનું પ્લેટફોર્મ
JITO પ્રીમિયર લીગને માત્ર ક્રિકેટ ટુર્નામેન્ટ તરીકે નહીં, પરંતુ રમતગમત, પ્રતિભા, ઉદ્યોગસાહસિકતા, નેતૃત્વ અને સમાજને જોડતા પ્લેટફોર્મ તરીકે રજૂ કરવામાં આવી છે. JPL 2026માં 12 ફ્રેન્ચાઈઝી ટીમો ભાગ લઈ રહી છે. લીગનો મુખ્ય ઉદ્દેશ પ્રતિભાની શોધ, નવી તકોનું નિર્માણ, ટીમ સ્પિરિટને પ્રોત્સાહન અને નવી પેઢીને રમતગમત તરફ પ્રેરિત કરવાનો છે.
24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન કોલંબોમાં યોજાનારી JPL 2026માં ગુજરાત ગ્લેડિયેટર્સના 25 ખેલાડીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ટીમ મેનેજમેન્ટનું કહેવું છે કે જ્યારે ગ્લેડિયેટર્સ મેદાનમાં ઉતરશે ત્યારે તેમની જર્સી પર માત્ર ટીમનો લોગો નહીં, પરંતુ ‘ગુજરાત’ની ઓળખ પણ હશે.
ગુજરાત ગ્લેડિયેટર્સનું સૂત્ર છે એક ટીમ, એક રાજ્ય, એક ગૌરવ.
CubeSanchar નું VyomLink-1 હાઈ-એલ્ટિટ્યુડ બલૂન ટેક્નોલોજી ડેમો સફળતાપૂર્વક પૂર્ણ
હૈદરાબાદ, 1 સપ્ટેમ્બર 2026: CubeSancharએ પોતાની VyomLink-1 હાઈ-એલ્ટિટ્યુડ બલૂન મિશનની ફ્લાઇટ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ મિશનનો મુખ્ય હેતુ ઓછા ખર્ચે ડેટા રિલે કમ્યુનિકેશન સિસ્ટમ વાસ્તવિક ફ્લાઇટ પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરે છે તે તપાસવાનો હતો.
આ મિશન CubeSanch arની ટીમના માહિર ચાહવાળા, કૃષ્ણેન્દ્ર સિંહ, પવન કુમાર અને સાઈ પ્રસાદ ધોધી દ્વારા કરવામાં આવ્યું હતું. ટીમે પેલોડ બનાવવાથી લઈને તેની ટેસ્ટિંગ, ઇન્ટિગ્રેશન, કમ્યુનિકેશન સિસ્ટમ અને આખા મિશનના ઓપરેશન સુધીની જવાબદારી સંભાળી હતી.
ફ્લાઇટ દરમિયાન VyomLink-1એ લગભગ 10 કિમીની ઊંચાઈ સુધી અને અંદાજે 16 કિમીના સ્લાન્ટ રેન્જ સુધી Store-and-Forward Data Relay સિસ્ટમ સફળતાપૂર્વક બતાવી.
આ સફળ રિલે તબક્કામાં અપેક્ષિત 20માંથી 20 ડેટા પેકેટ સફળતાપૂર્વક મળ્યા, એટલે કે 100% પેકેટ રિસેપ્શન થયું અને કોઈ પેકેટ લોસ નોંધાયો નહીં.
લગભગ 10 કિમીની ઊંચાઈ બાદ નવા મોકલાયેલા Store Commands માટે acknowledgement મળવાનું બંધ થયું. તેનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી. પેલોડ રિકવર થયા પછી ટીમ આ બાબતનું વિગતવાર વિશ્લેષણ કરશે.
મહત્વની વાત એ છે કે આ સમસ્યા આવ્યા પછી પણ પેલોડ કામ કરતું રહ્યું.
VyomLink-1એ 32.8 કિમીથી વધુ ઊંચાઈ પરથી પણ પોતાના હેલ્થ બીકન મોકલવાનું ચાલુ રાખ્યું, અને લગભગ 68 કિમીના સ્લાન્ટ રેન્જ સુધી કમ્યુનિકેશન સફળ રહ્યું.
આથી સાબિત થયું કે CubeSancharનું નાનું અને કોમ્પેક્ટ કમ્યુનિકેશન પેલોડ ઘણું મજબૂત છે. મુખ્ય Store-and-Forward પ્રયોગમાં સમસ્યા આવ્યા પછી પણ સિસ્ટમ Near-Space જેવી ઊંચાઈ પરથી પૃથ્વી સાથે વાતચીત કરતી રહી.
આ મિશન દરમિયાન પેલોડને જમીન પરની ટેસ્ટિંગ કરતા ઘણી વધુ કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો.
લૉન્ચ પહેલા સિસ્ટમને લગભગ -15°C થી -24°C તાપમાનમાં ટેસ્ટ કરવામાં આવી હતી. પરંતુ વાસ્તવિક ફ્લાઇટ દરમિયાન પેલોડ અંદાજે -60°C થી -80°C જેટલી ઠંડી પરિસ્થિતિમાંથી પસાર થયું , અને છતાં પણ કામ કરતું રહ્યું.
હવે CubeSancharની ટીમ પેલોડ રિકવર થવાની રાહ જોઈ રહી છે. પેલોડ પાછું મળ્યા પછી તેના હાર્ડવેર અને અંદરના રેકોર્ડ્સ ચેક કરવામાં આવશે.
તેના આધારે સમજવામાં આવશે કે 10 કિમી પછી Store-and-Forward સિસ્ટમમાં આવેલી સમસ્યા રિસીવિંગ લિંક, પેલોડના ઇલેક્ટ્રોનિક્સ, સોફ્ટવેર, સ્ટોરેજ અથવા ફ્લાઇટ સાથે જોડાયેલા અન્ય કોઈ કારણને કારણે હતી કે નહીં.
ટીમ માટે આ તપાસ પણ ટેક્નોલોજી ડેવલપમેન્ટનો મહત્વનો ભાગ છે.
CubeSanchar STAR Labs Surat નો પણ હૃદયપૂર્વક આભાર માને છે, જેમણે VyomLink-1 પેલોડના ડેવલપમેન્ટમાં મદદ કરી, પોતાની સુવિધાઓ ઉપયોગ કરવા આપી અને ટેસ્ટિંગથી લઈને મિશન તૈયારી સુધી ટીમને સતત સહકાર આપ્યો.
VyomLink-1 મિશને અત્યાર સુધીમાં ત્રણ મહત્વપૂર્ણ પરિણામ આપ્યા છે:
લગભગ 10 કિમી ઊંચાઈ અને 16 કિમી સ્લાન્ટ રેન્જ સુધી Store-and-Forward Relay સફળ રહ્યો.
32.8 કિમીથી વધુ ઊંચાઈ અને લગભગ 68 કિમી સ્લાન્ટ રેન્જ સુધી પેલોડ સાથે કમ્યુનિકેશન ચાલુ રહ્યું.
જમીન પરની ટેસ્ટિંગ કરતા ઘણી વધુ કઠિન ઠંડી પરિસ્થિતિમાં પણ પેલોડ સફળતાપૂર્વક કામ કરતું રહ્યું.
CubeSanchar માટે આ મિશન લેબોરેટરીમાં થયેલી ટેસ્ટિંગથી આગળ વધીને વાસ્તવિક દુનિયામાં ઓછા ખર્ચે ડેટા રિલે કમ્યુનિકેશન સિસ્ટમ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
“પેલોડ પહેલા કરતાં વધુ ઊંચું ગયું, વધુ દૂર ગયું અને વધુ કઠિન પરિસ્થિતિમાંથી પસાર થયું — છતાં પણ પૃથ્વી સાથે વાત કરતું રહ્યું.”
VyomLink-1માંથી મળેલા ડેટાનો ઉપયોગ હવે CubeSancharની આગામી પેઢીની કમ્યુનિકેશન ટેક્નોલોજીને વધુ સારી અને મજબૂત બનાવવા માટે કરવામાં આવશે.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભક્તિ, ઉલ્લાસ અને સાંસ્કૃતિક ભવ્યતા સાથે જન્માષ્ટમી ઉત્સવની ઊજવણી
બાળકોએ કૃષ્ણની મનમોહક દુનિયાને જીવંત કરીને ભારતીય સંસ્કૃતિ અને વિરાસતનો ભવ્ય ઉત્સવ મનાવ્યો
સુરત. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીનો પર્વ અત્યંત ઉત્સાહ, શ્રદ્ધા અને સાંસ્કૃતિક ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો. આ અવસરે વિદ્યાલય પરિસરને આકર્ષક સજાવટથી સુસજ્જ કરીને વૃંદાવનની મનમોહક છટાને સાકાર કરવામાં આવી, જેણે શ્રીકૃષ્ણની દિવ્યતા, બાલ સુલભ માસૂમિયત અને ચંચળતાને જીવંત કરી દીધી.
ઉત્સવ દરમિયાન સંગીત, નૃત્ય, પારંપરિક વેશભૂષા અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓની મનમોહક ઝલક જોવા મળી. નાના વિદ્યાર્થીઓ મનમોહક કાનુડો અને રાધાના રૂપમાં સજેલા હોવાથી અત્યંત આકર્ષક લાગી રહ્યા હતા. તેમની માસૂમ મુસ્કાન, ઉત્સાહ અને ઉમંગે આખા વિદ્યાલય પરિસરને આનંદ, ભક્તિ અને ઉત્સવના રંગમાં રંગી નાખ્યું.
કૃષ્ણ-આધારિત વિવિધ પ્રવૃત્તિઓ અને મનોહારી રજૂઆતોના માધ્યમથી વિદ્યાર્થીઓને ભગવાન શ્રીકૃષ્ણના જીવન, બાલ લીલાઓ અને તેમના શાશ્વત સંદેશાઓને સમજવાની તક મળી. આ આયોજન માત્ર એક ઉત્સવ સુધી સીમિત ન રહ્યું, પરંતુ બાળકોને પ્રેમ, કરુણા, મિત્રતા, સાહસ, વિવેક અને ધર્મના માર્ગ પર ચાલવા જેવા જીવન મૂલ્યોને આત્મસાત કરવાની પ્રેરણા પણ આપી.

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલની આચાર્યા શ્રીમતી પૂર્વિકા સોલંકીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઉત્સાહપૂર્ણ સહભાગિતા પર પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું કે “ત્યોહાર બાળકોની શીખવાની યાત્રાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જન્માષ્ટમી આપણા નાના વિદ્યાર્થીઓને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત સાથે જોડાવા સાથે-સાથે પ્રેમ, કરુણા, સાહસ અને ધર્મનિષ્ઠા જેવા શાશ્વત જીવન મૂલ્યોને સમજવાની તક પૂરી પાડે છે. જ્યારે બાળકો આપણી પરંપરાઓને આનંદ અને સહભાગિતા સાથે અનુભવે છે, ત્યારે તેની સાથે જોડાયેલા મૂલ્યો તેમના જીવનમાં ઊંડાણથી પોતાનું સ્થાન બનાવી લે છે અને લાંબા સમય સુધી તેમની સાથે રહે છે.”
વિદ્યાલય વ્યવસ્થાપને આ ભવ્ય આયોજનને સફળ બનાવવામાં શિક્ષકોના સમર્પિત પ્રયત્નો તથા વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્ણ સહભાગિતાની સરાહના કરી.
ઉત્સવનું સમાપન આનંદ, ભક્તિ અને સામૂહિક ઉલ્લાસના વાતાવરણમાં થયું. આ અવસરે સૌના મનમાં સુંદર સ્મૃતિઓ સંજોઈ સાથે-સાથે ભારતની સમૃદ્ધ અને વિવિધ સાંસ્કૃતિક વિરાસત પ્રત્યેના સન્માન અને ગૌરવની ભાવનાને વધુ પ્રગાઢ બનાવી.
આવા આયોજનોના માધ્યમથી વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાર્થીઓ માટે શીખવાના એવા સાર્થક અનુભવો સતત સૃજન કરે છે, જે તેમને માત્ર શૈક્ષણિક રીતે જ નહીં, પરંતુ સાંસ્કૃતિક જાગૃતિ, રચનાત્મકતા, આત્મવિશ્વાસ અને સુદૃઢ માનવીય મૂલ્યોથી પણ સમૃદ્ધ કરે છે.
કૃષિમાં આયર્ન ઓર ટ્રેઇલિંગ્સના ઉપયોગ પર ક્રાંતિકારી સંશોધન માટે AM/NS India અને ICAR-IARIએ હાથ મિલાવ્યા
ખાણની બાય-પ્રોડક્ટ્સને મૂલ્યવર્ધિત કૃષિ એપ્લિકેશન્સમાં રૂપાંતરિત કરવા, સર્ક્યુલર અર્થતંત્ર અને ટકાઉ વિકાસને ટેકો આપવા અંગે વૈજ્ઞાનિક અભ્યાસને આગળ વધારવા માટે સમજૂતી કરાર
સુરત , સપ્ટેમ્બર 01, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) અને ઈન્ડિયા કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ – ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (ICAR-IARI)એ આજે કૃષિ ક્ષેત્રે આયર્ન ઓર (અયસ્ક) ટ્રેઇલિંગ્સના ટકાઉ ઉપયોગ અંગે અદ્યતન સંશોધન હાથ ધરવા માટે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. જે ભારતમાં સર્ક્યુલર અર્થતંત્ર અને સંસાધન સંરક્ષણ તરફનું એક નોંધપાત્ર પગલું છે.
આ સમજૂતી કરાર પર ડો. વિશ્વનાશન એન., હેડ – રિસર્ચ એન્ડ ડેવોલપમેન્ટ, AM/NS India અને ડો. સી. વિશ્વનાથન, સંયુક્ત નિર્દેશક (સંશોધન), ICAR-IARI દ્વારા ડો. ભૂપિન્દર સિંઘ, મુખ્ય વૈજ્ઞાનિક અને તપાસકર્તા ICAR-IARI સહિત બંને સંસ્થાઓના અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ સહયોગ વર્ષ 2024માં AM/NS India અને ICAR-IARI વચ્ચે કૃષિમાં આયર્ન ઓર ટ્રેઇલિંગ્સની ટકાઉતા શોધવા માટે શરૂ કરવામાં આવેલા પ્રાથમિક અભ્યાસોને પ્રોત્સાહિત કરવા પર આધારિત છે, કારણ કે આયર્ન ઓરના બેનેફિકેશન (શુદ્ધિકરણ) દરમિયાન ઉત્પન્ન થતા આયર્ન ઓર ટ્રેઇલિંગ્માં કુદરતી બનતા ખનીજો જેવા કે સિલિકા, આયર્ન ઓક્સાઇડ્સ, એલ્યુમિના, કેલ્શિયમ અને મેગ્નેશિયમ તથા અન્ય સૂક્ષ્મ અને લાભદાયી પોષકતત્વો હોવાનું જાણવા મળ્યું છે, જેનો ઉપયોગ પાક ઉત્પાદન અને જમીનનાં સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે કરી શકાય છે.
શરૂઆતમાં પ્રયોગશાળા અને ક્ષેત્રીય અભ્યાસ નવી દિલ્હીના ICAR-IARI અને છત્તીસગઢના કિરનદુલમાં AM/NS Indiaના બેનેફિકેશન સુવિધા નજીક હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રયોગ દરમિયાન આશાસ્પદ પરિણામો મળ્યા હતા. સંશોધનમાં ડાંગર, ઘઉં અને શાકભાજી સહિતના પાકો માટે આવશ્યક અને લાભદાયક ખનીજ પોષકતત્વોના સ્ત્રોત તરીકે આયર્ન ઓર ટ્રેઇલિંગ્સનો ઉપયોગ કરવા માટેની સંભાવના દર્શાવવામાં આવી હતી.
પ્રવર્તમાન એમઓયુ નવી દિલ્હીના ICAR-IAR ખાતે અને કિરનદુલુમાં AM/NS India ખાતે હાથ ધરાનારા અનેક ઋતુઓમાં લાંબા ગાળાના વૈજ્ઞાનિક અભ્યાસો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેથી પાકના પ્રતિસાદ, પોષક ઉપલબ્ધતા, ફાઇટો-ટોક્સિસિટી, લિચિંગ લાક્ષણિકતાઓ અને એકંદર પર્યાવરણીય અસરનું મૂલ્યાંકન કરી શકાય. આ સંશોધનનો ઉદ્દેશ મજબૂત વૈજ્ઞાનિક પુરાવાને સ્થાપિત કરવાનો છે, જે કૃષિમાં આયર્ન ઓર ટ્રેઇલિંગ્સના સુરક્ષિત અને લાભદાયક ઉપયોગને સક્ષમ અને સુનિશ્ચિત કરી શકે. આ ખાણની બાય-પ્રોડક્ટ્સના લાંબા ગાળાના સંગ્રહ માટેની જરૂરિયાતને ઘટાડવામાં સહાય કરશે.

આ અભૂતપૂર્વ સંશોધન સહયોગનો ઉદ્દેશ ખાણ ક્ષેત્રની બાય-પ્રોડક્ટ્સ પૈકીની એક માટે ટકાઉ ઉકેલ શોધવાનો છે, જે કૃષિ ઉત્પાદકતા અને પર્યાવરણીય વ્યવસ્થાપનમાં પણ યોગદાન આપશે. અગ્રણી વૈજ્ઞાનિક પ્રોયોગો અને ચકાસણી દ્વારા, આ પ્રોજેક્ટ આયર્ન ઓર ટ્રેઇલિંગ્સના સુરક્ષિત અને લાભદાયક ઉપયોગને પ્રોત્સાહિત કરતા ટેકનોલોજીકલ નવીનીકરણ પૂરા પાડવાનો પ્રયત્ન કરશે, આ ઉપરાંત તે કુદરતી સંસાધન સંરક્ષણ, કચરાના ન્યુનતમીકરણ અને પર્યાવરણીય રીતે ટકાઉ વ્યવસ્થાપનમાં સહાય કરશે, કચરો ઘટાડશે, રાસાયણિક ખાતરોની આયાત ઘટાડશે અને કૃષિમાં વન હેલ્થ અભિગમને ટેકો આપશે, સાથે-સાથે તે લાંબાગાળાના સંગ્રહની આવશ્યકતા હોય એવી સામગ્રીઓમાંથી મૂલ્ય અને સંપત્તિનાં સર્જનની તકો ઊભી કરશે.
હિરૂ ઇશિબાશી, ડિરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટ – ટેકનોલોજી, AM/NS Indiaએ જણાવ્યું હતું કે: “AM/NS India ખાતે, ટકાઉપણું અને નવીનતા એક સાથે ચાલે છે. ICAR-IAR સાથેનો આ સહયોગ વિજ્ઞાન આધારિત સંશોધન મારફતે આયર્ન ઓર ટ્રેએલિંગ્સની સંભાવનાને અનલોક કરવા માટેના અગ્રણી પ્રયાસોનું પ્રતિનિધિત્ત્વ કરે છે. જો સફળ રહેશે તો, આ પહેલ ટકાઉ કૃષિ અને સંસાધન સંરક્ષણને ટેકો આપતી વખતે બાય-પ્રોડક્ટના સંગ્રહ સાથે સંકળાયેલા પર્યાવરણીય પ્રભાવને ઘટાડીને લાભદાયક પરિણામો લાવી શકે છે. તે સર્ક્યુલર અર્થંત્રના ઉકેલોને આગળ ધપાવવા માટેની અમારી વચનબદ્ધત્તાને પ્રતિબિંબિત કરે છે, જેનાથી ઉદ્યોગ અને સમાજ બંનેને લાભ થાય.”
ડો. ભૂપિન્દર સિંઘે, પ્રોજેક્ટના મુખ્ય તપાસકર્તાએ જણાવ્યું હતું કે: “આ ખેતી, ઔદ્યોગિક બાય-પ્રોડક્ટ્સનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન તેમના લાભદાયક ઉપયોગોને વિકસાવવા માટે પૂર્વશરત છે. હકીકતમાં, કચરાનું મૂલ્યાંકન ટકાઉ કૃષિ અને પર્યાવરણ માટે સંશોધનનું મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે. અમારા આરંભિક પ્રયાસોએ કૃષિ પ્રણાલીમાં આયર્ન ઓર ટ્રેઇલિંગ્સના સંભવિત ઉપયોગ અંગે પ્રોત્સાહક સંકેતો દર્શાવ્યા છે. આ AM/NS India સાથેના લાંબા ગાળાના સહયોગી કાર્યક્રમ મારફતે, અમે કૃષિ કામગીરી, પર્યાવરણીય સુરક્ષા અને પોષકતત્વોની ગતિશીલતા પર સમગ્રલક્ષી વૈજ્ઞાનિક ડેટા ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ, જે ખાસ કરીને નબળી અને બિનઉપજાઉ જમીનમાં આયર્નની ઉણપને દૂર કરવા અને બાયોફોર્ટિફિકેશનના પ્રયત્નોને ટેકો આપવા માટે કૃષિ ઉત્પાદોમાં આયર્નનું પ્રમાણ સુધારવા માટે આયર્ન ઓર ટ્રેઇલિંગ્સના જવાબદાર ઉપયોગ માટે પુરાવા-આધારિત માર્ગો વિકસાવવામાં સહાય કરી શકે છે.”
ICAR-IAR સાથેના સહયોગથી ઔદ્યોગિક બાય-પ્રોડક્ટ્સનાં મૂલ્યવાન સંસાધનોમાં રૂપાંતરણ માટેના સંભવિત માર્ગોનો વધુ વિસ્તાર થાય છે, જે પર્યાવરણીય સુરક્ષા અને સામાજિક લાભમાં યોગદાન આપે છે.
આ પહેલ AM/NS Indiaની વ્યાપક ટકાઉપણાની વ્યુહરચના સાથે સંરેખિત છે, જે સંશાધન અસરકારકતા, કચરાનાં મૂલ્યાંકન અને સર્ક્યુલર અર્થતંત્રની પ્રથાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની સંશાધનોના ઉપયોગને વધારવા માટે ઘણી પહેલોનો અમલ કરી રહી છે, જેમાં મોટા પાયે સ્ટીલ સ્ક્રેપ રિસાઇકલિંગ, આંતરમાળખાકીય સુવિધાના વિકાસ માટે સ્ટીલ સ્લેગનું તેની બ્રાન્ડેડ એગ્રીગેટ પ્રોડક્ટ “આકાર” માં રૂપાંતરણ, ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સિસ્ટમ મારફતે વ્યાપક જળ રિસાઇક્લિંગ, અને તેની કામગીરીમાં ઉત્પન્ન થતી 90%થી વધુ બાય-પ્રોડક્ટસનો પુનઃઉપયોગ અથવા રિસાઇક્લિંગનો સમાવેશ થાય છે.