Posts by: abhay_news_editor
સાર્વજનિક યુનિવર્સિટીએ બે દિવસીય ઉદ્ઘાટન કાર્યક્રમ સાથે સાર્વજનિક કોલેજ ઑફ લિબરલ આર્ટ્સની શરૂઆત કરી
સુરત, 10 ઑગસ્ટ: સાર્વજનિક યુનિવર્સિટીએ લિબરલ આર્ટ્સ ક્ષેત્રમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાના હેતુથી સાર્વજનિક કોલેજ ઑફ લિબરલ આર્ટ્સ (SCLA)ની સ્થાપના કરી છે. સાર્વજનિક યુનિવર્સિટીના આ નવા કોલેજમાં મનોવિજ્ઞાન (Psychology) અને અર્થશાસ્ત્ર (Economics)માં ઑનર્સ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. કોલેજનો હેતુ એવું શૈક્ષણિક વાતાવરણ વિકસાવવાનો છે, જે તાર્કિક વિચારશક્તિ, વિવિધ વિષયોના સમન્વય પર આધારિત અભ્યાસ અને સંપૂર્ણ વિકાસને પ્રોત્સાહન આપે.
કોલેજની સ્થાપનાના અવસર પર સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા 6 અને 7 ઑગસ્ટે બે દિવસીય ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલા દિવસે નાનપુરા સ્થિત ટી. એન્ડ ટી. વી. કેમ્પસ ખાતે સાર્વજનિક કોલેજ ઑફ લિબરલ આર્ટ્સના કેમ્પસનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જ્યારે બીજા દિવસે ઑક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધક ડૉ. સ્મૃતિ બલસારી દ્વારા “બિહેવિયરલ ઇકોનોમિક્સ: એપ્લિકેશન્સ ઇન હેલ્થકેર” વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું.
ઉદ્ઘાટન સમારોહમાં સાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન શ્રી આશિષ વકીલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યા, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના વાઇસ ચેરમેન-1 શ્રી કિશોર દેસાઈ, વાઇસ ચેરમેન-2 શ્રી અજીત શાહ, SCLAની વર્કિંગ કમિટીના ચેરમેન શ્રી નિક્કી ક્રિસ્ટી, SCLAના ઇન-ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. જયેશ દેસાઈ, મેનેજમેન્ટ કમિટીના સભ્યો, વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોના શિક્ષણવિદો, અધ્યાપકગણ, વિદ્યાર્થીઓ તથા અન્ય વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને પરંપરાગત દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચનમાં ડૉ. જયેશ દેસાઈએ જણાવ્યું હતું કે નવું કેમ્પસ અભ્યાસ, સંવાદ અને બૌદ્ધિક વિકાસ માટેનું સશક્ત કેન્દ્ર બનશે. શ્રી નિક્કી ક્રિસ્ટીએ લિબરલ આર્ટ્સ શિક્ષણ દ્વારા રચનાત્મકતા, નવતર પ્રયોગો, અને જવાબદાર નેતૃત્વના વિકાસના મહત્વ પર ભાર મૂક્યો હતો. પોતાના સંબોધનમાં ડૉ. કિરણ પંડ્યાએ શૈક્ષણિક શ્રેષ્ઠતા, વિવિધ વિષયોના સમન્વય પર આધારિત શિક્ષણ અને વૈશ્વિક સ્તરની શિક્ષણ વ્યવસ્થાના આધારે સંસ્થાઓના નિર્માણ માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને સ્પષ્ટ કરી હતી. અધ્યક્ષીય સંબોધનમાં શ્રી આશિષ વકીલે જણાવ્યું હતું કે સાર્વજનિક યુનિવર્સિટીનુ હેતુ કે જે બૌદ્ધિક રીતે જિજ્ઞાસુ, સામાજિક રીતે જવાબદાર અને શોધ આધારિત તેમજ સમગ્ર શિક્ષણ દ્વારા આજના સમયના પડકારોનો સામનો કરવા સક્ષમ વિદ્યાર્થીઓની નવી પેઢી તૈયાર કરવાનો છે એને પૂર્ણ કરવામાં સાર્વજનિક કોલેજ ઑફ લિબરલ આર્ટ્સ યોગદાન આપશે.
બીજા દિવસે યોજાયેલ ડૉ. સ્મૃતિ બલસારીનું વિશેષ વ્યાખ્યાન SCLA ની શૈક્ષણિક વિચારધારાના વિવિધ વિષયોના સમન્વયવાળા અભિગમને દર્શાવતો હતો. ડૉ. બલસારીએ પોતાનું શાળા અને કોલેજનું શિક્ષણ સુરતમાં પૂર્ણ કર્યું હતું અને ત્યારબાદ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ તથા ઑક્સફોર્ડ યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ અને સંશોધન કાર્ય કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી કે સમર્પણ, યોગ્ય કારકિર્દી આયોજન અને સતત શીખવાની ટેવ દ્વારા વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકાય છે.
પોતાના વ્યાખ્યાન દરમિયાન ડૉ. બલસારીએ બિહેવિયરલ ઇકોનોમિક્સના માધ્યમથી મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર વચ્ચેના આપસી સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સમજાવ્યું કે બંને વિષયો વ્યક્તિગત નિર્ણયો, જાહેર નીતિઓ અને આર્થિક નિર્ણય પ્રક્રિયાને કેવી રીતે પ્રભાવિત કરે છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે બિહેવિયરલ ઇકોનોમિક્સ વ્યક્તિને સંપૂર્ણપણે તર્કસંગત નિર્ણય લેનાર માનતી પરંપરાગત આર્થિક ધારણાને પડકારે છે અને દર્શાવે છે કે માનસિક પ્રક્રિયાઓ, લાગણીઓ, વિચાર સાથે જોડાયેલા પૂર્વગ્રહો અને સામાજિક પ્રભાવો માનવ વર્તનને કેવી રીતે આકાર આપે છે.

તેમણે ડ્યુઅલ પ્રોસેસ થિયરી, પ્રોસ્પેક્ટ થિયરી, પ્રેઝન્ટ બાયસ, હ્યુરિસ્ટિક્સ, ચોઇસ આર્કિટેક્ચર, સોશિયલ નોર્મ્સ અને લિબર્ટેરિયન પેટરનલિઝમ જેવી મહત્વપૂર્ણ સંકલ્પનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આરોગ્ય ક્ષેત્રના સંદર્ભમાં તેમણે સમજાવ્યું કે બિહેવિયરલ ઇકોનોમિક્સના સિદ્ધાંતોનો ઉપયોગ બિન-ચેપી રોગોની રોકથામ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે અસરકારક રીતે થઈ શકે છે. ડિમેન્શિયાને એક ઉદાહરણ તરીકે રજૂ કરતાં તેમણે સમજાવ્યું કે પુરાવા આધારિત અસરકારક પગલાં દ્વારા લોકોને વધુ સારા આરોગ્ય સંબંધિત નિર્ણયો લેવા માટે પ્રેરિત કરી શકાય છે, સાથે જ જાહેર નીતિમાં નૈતિક મુદ્દાઓનું સંતુલન જાળવવું પણ જરૂરી છે.
આ વ્યાખ્યાનમાં નાગરિક સમાજના પસંદગીના પ્રતિનિધિઓ, અધ્યાપકગણ તથા સાર્વજનિક યુનિવર્સિટીના વિવિધ કોલેજોના 150થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને આરોગ્ય સેવા, જાહેર નીતિ અને આર્થિક નિર્ણય પ્રક્રિયામાં બિહેવિયરલ ઇકોનોમિક્સની વધતી જતી ભૂમિકા અંગે મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ હતી.
આ પ્રસંગે ડૉ. કિરણ પંડ્યાએ જણાવ્યું હતું કે, “અમારા શિક્ષકો અને વિદ્યાર્થીઓના સતત સમર્પણ સાથે અમારું લક્ષ્ય સુરતમાં એવી શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ કરવાનું છે, જે ઑક્સફોર્ડ જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓની સમકક્ષ સ્થાન પ્રાપ્ત કરી શકે.”
ડૉ. જયેશ દેસાઈએ જણાવ્યું હતું કે આ વ્યાખ્યાન નવા કોલેજની શૈક્ષણિક વિચારધારાને સ્પષ્ટ રીતે દર્શાવે છે. તેમણે જણાવ્યું હતું કે આ સત્રે વિદ્યાર્થીઓને માત્ર બિહેવિયરલ ઇકોનોમિક્સના વ્યવહારિક ઉપયોગો સાથે પરિચિત કર્યા નથી, પરંતુ એ પણ સાબિત કર્યું છે કે સુરતમાં શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓ પણ યોગ્ય કારકિર્દી આયોજન, સમર્પણ અને દૃઢતા દ્વારા ઑક્સફોર્ડ યુનિવર્સિટી જેવી વિશ્વસ્તરીય સંસ્થાઓ સુધી પહોંચવાનું સ્વપ્ન સાકાર કરી શકે છે.
બે દિવસીય ઉદ્ઘાટન કાર્યક્રમે સાર્વજનિક કોલેજ ઑફ લિબરલ આર્ટ્સની તે વ્યાપક શૈક્ષણિક વિચારધારાને સ્પષ્ટ કરી, જેના અંતર્ગત વૈશ્વિક દૃષ્ટિકોણ, વિવિધ વિષયોના સમન્વય પર આધારિત અભ્યાસ, બૌદ્ધિક શ્રેષ્ઠતા અને આજના સમયના પડકારો સાથે અર્થપૂર્ણ સંવાદને વિદ્યાર્થીઓના શૈક્ષણિક અનુભવનો અભિન્ન ભાગ બનાવવામાં આવશે.
સુરતના ઈવેન્ટ ઉદ્યોગને ‘લોકલથી ગ્લોબલ’ બનાવવાનો પ્રયાસ: 16 ઓગસ્ટે ‘EVOLVE 2.0’માં દેશભરના દિગ્ગજ નિષ્ણાતો આવશે એક મંચ પર
સુરત, ઓગસ્ટ 2026:સંગઠિત ઈવેન્ટ મેનેજમેન્ટ અને વેડિંગ પ્લાનિંગ ઉદ્યોગ હજુ પ્રમાણમાં નવો છે. ઈવેન્ટ મેનેજર્સ, પ્લાનર્સ અને આ ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય વ્યાવસાયિકો પોતાની નિપુણતા અને અનુભવના આધારે સતત નવા કોન્સેપ્ટ્સ, ડેકોર અને સિસ્ટમ્સ વિકસાવી રહ્યા છે તથા પોતાના કાર્યમાં નિયમિતપણે સુધારા કરી રહ્યા છે. જોકે, ઉદ્યોગની બહારના બહુ ઓછા લોકો આ ક્ષેત્રમાં થઈ રહેલા વિકાસ અને પરિવર્તનથી પરિચિત છે. સામાન્ય રીતે લોકો વેડિંગ બિઝનેસથી વધુ પરિચિત છે, જ્યારે અન્ય પ્રકારના ઇવેન્ટસ વિશે પ્રમાણમાં ઓછી જાણકારી છે.
પરંતુ હવે આ ઉદ્યોગમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. કંપનીઓ અને વ્યક્તિગત પ્રોફેશનલ્સ વધુ કાર્યક્ષમ, પ્રોફેશનલ અને ટેક્નોલોજી આધારિત બની રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સ જેવા મેગા ઇવેન્ટ્સ અને સંભવિત રીતે ઓલિમ્પિક્સ જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના ઇવેન્ટ્સ પણ હવે ગુજરાતમાં આવી રહ્યા છે.
આવા સજોગોમાં, 13 વર્ષ જૂનું આપણું ઇન્ડસ્ટ્રી એસોસિએશન SGEMA (South Gujarat Event Management Association) પોતાના 340થી વધુ સભ્યોને એકબીજાની નજીક લાવવા અને સાથે મળીને કામ કરવાની તકો ઊભી કરવા માટે નિયમિતપણે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.
SGEMA સતત ઈવેન્ટ પ્રોફેશનલ્સ, સર્વિસ પ્રોવાઇડર્સ, આર્ટિસ્ટ્સ, પ્રોડક્શન હાઉસિસ, હોસ્પિટાલિટી પાર્ટનર્સ, વેન્યુ ઓનર્સ તેમજ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ સ્ટેકહોલ્ડર્સને એકસાથે વાવવા, તેમને શિક્ષિત કરવા, જોડવા અને સશક્ત બનાવવા માટે કાર્ય કરે છે. સાથે જ, સમગ્ર ક્ષેત્રને વધુ પ્રોફેશનલ અને સુવ્યવસ્થિત બનાવવાની તથા તેના વિકાસને વેગ આપવાની દિશામાં પણ સતત પ્રયાસ કરે છે.
ગત વર્ષે SGEMA દ્વારા EVOIVE નામે એક મેગા કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી હતી, જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. દેશભરમાં જાણીતા વક્તાઓએ સુરતના ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીના પ્રોફેશનલ્સ સાથે પોતાના જ્ઞાન અને અનુભવો શેર કર્યા
આ વર્ષે EVOLVE 2.0નું આયોજન 16 ઓગસ્ટના રોજ Advaitaa Banquet Hall ખાતે કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે કાર્યક્રમનો વ્યાપ અને કદ અગાઉ કરતાં વધુ મોટું છે. કોન્ફરન્સમાં ભાગ લેવા માટે એટલા બધા જાણીતા સ્પીકર્સ ઉત્સુક હતા કે કાર્યક્રમને બે દિવસનો કરવાની શક્યતા પણ હતી. જોકે, લોજિસ્ટિક્સ સંબંધિત પડકારોને કારણે આ વર્ષે પણ કોન્ફરન્સ એક દિવસની જ રહેશે.
આ વર્ષે Tourism Corporation Of Gujarat Limited (TCGL) આ કાર્યક્રમને સહયોગ આપી રહ્યું છે.
અન્ય પ્રતિષ્ઠિત સ્પોન્સર્સમાં
Culture Media – દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ઓડિયો-વિઝયુઅલ કંપની અને સતત બીજા વર્ષ માટે
Title Sponsor
Advaita Ballroom & Lawn – સુરતના પ્રતિષ્ઠિત ઈવેન્ટ સ્પેસ અને સતત બીજા વર્ષ માટે Venue Partner
Le Meridien Surat-Hospitality પાર્ટનર
આ ઉપરાંત, સુરત અને દક્ષિણ ગુજરાતની ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીની આશરે 15 જેટલી અન્ય કંપનીઓ પણ SGEMAને પોતાના મટીરિયલ, ઈન્વેન્ટરી અને નિપુણતા દ્વારા સહયોગ આપી રહી છે. આ સહયોગ ઉદ્યોગમાં રહેલી એકતા અને સાથે મળીને આગળ વધવાની ભાવનાનું મજબૂત ઉદાહરણ છે.
आ वर्धनी थीम – Journey from Local to Global’
આ વર્ષની થીમ ‘Journey from Local to Global છે, જે આપણા સપનાઓ, મહત્વાકાંક્ષાઓ અને ભવિષ્યની યોજનાઓની પણ અભિવ્યક્તિ છે.
આજે સુરતના ઇવેન્ટ પ્લાનર્સ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ ખેશિયા, યુરોપ અને અમેરિકાના અનેક આંતરરાષ્ટ્રીય સ્થળોએ પણ પોતાના ક્લાયન્ટ્સ માટે ઇવેન્ટ્સનું આયોજન કરી રહ્યા છે.
એટલું જ નહીં, ક્લાયન્ટ્સનો વિશ્વાસ તેમજ સરકારનો વિશ્વાસ પણ એવા મહત્વપૂર્ણ પરિબળો છે જેના કારણે Commonwealth Games જેવા વિશ્વસ્તરીય મેગા ઇવેન્ટ્સ ગુજરાતમાં આવી રહ્યા છે.
આ વર્ષની કોન્ફ્લેવમાં નીચેના વિષયો પર ચર્ચા અને સેશન યોજાશે-
A. Storytelling & Designing (Designing Emotions-Storytelling Beyond Décor)
B. “Local to Global” by Tourism Corporation Of Gujarat Limited (TCGL) for Wed In Gujarat, MICE and experiential event possibilities and opportunity in Gujarat
Dr. Vipin Garg-IAS (Commissioner of Tourism & Managing Director of TCGL – Govt. Of Gujarat)
C. The Destination Playbook (Strategies for Planning Weddings Anywhere in the World)
श्री Sushil Wadwa – Platinum World Group, Mumbai
Dr. Jaydeep Mehta – True Events, Ahmedabad
D. Beyond Wedding/The IP Blueprint (Creating Sustainable Event Brands)
श्री Shaju Ignatius-Laqshya Media Group, Mumbai
श्र Saurabh Khurana-Laqshya Live Experiences, Mumbai
Giresh Vasudev Kulkarni – Temple Connect, Goa
श्री Vincent Samuel-Greenstone Entertainment, Bangalore
E. Behind the Curtain (Unveiling the Secrets of Event Excellence)
श्री Vikram Chaudary-Taxi Design Studio
श्री Warren D’Souza – Sound.com
श्री Akshay – Giant Trussing
श्री Viral Shah – Mint Lab
श्र Kaycee – Pixadoo
श्री Vincent Samuel-Greenstone Entertainment
F. Behind the Curtain (Unveiling the Secrets of Event Excellence)
श्री Vikram Chaudary – Taxi Design Studio
श्री Warren D’Souza-Sound.com
श्री Akshay – Giant Trussing
श्री Viral Shah – Mint Lab
श्री Kaycee – Pixadoo
श्री Vincent Samuel-Greenstone Entertainment
G. Pitch Perfect with Al (From Brief to Boardroom: Building Winning Event Pitches with Al)
Ms. Sukriti Sachar – New Delhi
ઇવેન્ટ્સ અને વેડિંગ્સ ઇન્ડસ્ટ્રીના કેટલાક અન્ય રાષ્ટ્રીય સ્તરના વક્તાઓની પણ ભાગીદારી અંગે પ્રાથમિક પુષ્ટિ મળી છે.
કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ્યો
ગુજરાતને રાષ્ટ્રીય અને વૈશ્વિક ઇવેન્ટ ડેસ્ટિનેશન તરીકે પ્રોત્સાહિત કરવું
વેડિંગ્સ, સ્પોર્ટ્સ, રિક્રિએશન, કલ્ચરલ, ટૂરિઝમ અને એક્સપિરિએન્શિયલ ઈવેન્ટ્સના ક્ષેત્રોમાં નવી તકોને મજબૂત બનાવવી
ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો સાથેના સંવાદ અને પરસ્પર આદાનપ્રદાન દ્વારા સ્થાનિક પ્રોફેશનલ્સના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરવો.
ટૂરિઝમ, હોસ્પિટાલિટી, રોજગાર, રોકાણ અને સ્થાનિક વ્યવસાયો માટે નવી તકો ઊભી કરવી.
માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત સરકારનો વિશેષ સંદેશ અને વિઝન:
*વેડ ઇન ગુજરાત” પડેલ ઘરા ગુજરાતને ભારતના અગ્રણી વેડિંગ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની ગુજરાત સરકારનો દૃઢ સંકલ્પ છે.
ગુજરાત પાસે ઐતિહાસિક વારસી, સમૃદ્ધ સંસ્કૃતિ, ઉમદા આતિથ્ય, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈવિધ્યસભર ડેસ્ટિનેશનૌનું અનોખું સંયોજન છે. રણ ઓફ કચ્છ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર અને ડુમસ જેવા સુંદર દરિયાકાંઠાના સ્થળો તેમજ ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રુકિમણીના પવિત્ર વિવાહ સાથે જોડાયેલા સાંસ્કૃતિક મહત્વ ધરાવતા માધવપુર જેવા સ્થળી ગુજરાતને એક અનન્ય ઓળખ આપે છે.
અમારું વિઝન ભારત તથા વિશ્વભરના વેડિંગ પ્લાનર્સ, ઇવેન્ટ પ્રોફેશનલ્સ અને પરિવારી સમક્ષ ગુજરાતની આ વિશાળ સંભાવનાઓને ઉજાગર કરવાનું છે, જેથી પર્યટન, ડ્રોસ્પિટાલિટી, સ્થાનિક કારીગરી તેમજ સમગ્ર ઇવેન્ટ ઇકોસિસ્ટમ માટે નવી તકોનું સર્જન થઈ શકે-
– માનનીય નાથબ મુખ્યમંત્રીશ્રી, ગુજરાત સરકાર
By: Nirav Vachchani – President
South Gujarat Event Management Association
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા “વીર બાલક – સ્વાતંત્ર્ય સેનાની પ્રદર્શન 2026”નું આયોજન કરાયું
યુવા મનોએ ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓના સાહસ અને વારસાને જીવંત કર્યા
સુરત, ૮ ઓગસ્ટ ૨૦૨૬ : વેસુ સ્થિત વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા પ્રેરણાદાયી “વીર બાલક – સ્વાતંત્ર્ય સેનાની પ્રદર્શન 2026”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓના સાહસ, બલિદાન અને અદમ્ય જુસ્સાની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓને ભારતના સમૃદ્ધ ઇતિહાસને સમજવા તેમજ સર્જનાત્મક પાત્રાલેખન અને આકર્ષક રજૂઆતો દ્વારા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન અને યોગદાનને રજૂ કરવા માટે એક અર્થપૂર્ણ મંચ મળ્યો હતો. યુવા સહભાગીઓએ અસાધારણ આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા, મંચ પર રજૂઆત કરવાની કુશળતા તેમજ દેશના મહાન નાયકો દ્વારા દર્શાવવામાં આવેલા મૂલ્યોની ઊંડી સમજણનું પ્રદર્શન કર્યું હતું.
આ પ્રદર્શનનો હેતુ ઇતિહાસને વધુ રસપ્રદ અને અનુભવ આધારિત બનાવવાનો હતો. તેના દ્વારા વિદ્યાર્થીઓને સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ અને બલિદાન વિશે શીખવાની સાથે સાહસ, દેશભક્તિ, દૃઢ નિશ્ચય અને નિઃસ્વાર્થ સેવાના મૂલ્યો આત્મસાત કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શોભા સુશ્રી અપેક્ષા પરદેશીએ વધારી હતી. તેમણે નિર્ણાયક તરીકે સહભાગી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કર્યું હતું. રજૂઆત, આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા, ઐતિહાસિક સમજણ, પાત્રાલેખન અને સમગ્ર પ્રભાવ જેવા વિવિધ માપદંડોના આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

શાળાના આચાર્યા શ્રીમતી પૂર્વિકા સોલંકીએ વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારીની પ્રશંસા કરી હતી અને તેમના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે યુવા વિદ્યાર્થીઓને ભારતના નાયકોની પ્રેરણાદાયી ગાથાઓથી પરિચિત કરાવવા તેમજ તેમનામાં સન્માન, જવાબદારી અને દેશભક્તિની ભાવના વિકસાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
વિદ્યાર્થીઓની રજૂઆતોમાં તેમની સમર્પણ ભાવના અને તૈયારી સ્પષ્ટપણે જોવા મળી હતી. તેમણે સ્વાતંત્ર્ય સેનાનીઓના વ્યક્તિત્વ અને તેમની પ્રેરણાદાયી ગાથાઓને મંચ પર જીવંત કરી હતી. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓના ભારતીય ઇતિહાસ અંગેના જ્ઞાનમાં વધારો થયો હતો તેમજ તેમને સર્જનાત્મક અને આત્મવિશ્વાસપૂર્ણ અભિવ્યક્તિ માટે પણ ઉત્તમ તક મળી હતી.
કાર્યક્રમના સમાપન પ્રસંગે તમામ સહભાગી વિદ્યાર્થીઓની પ્રશંસા કરવામાં આવી હતી અને તેમના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારીએ સમગ્ર આયોજનને અર્થપૂર્ણ અને યાદગાર બનાવ્યું હતું.
“વીર બાલક – સ્વાતંત્ર્ય સેનાની પ્રદર્શન 2026” જેવી પહેલ દ્વારા વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ અનુભવ આધારિત શિક્ષણ, સર્વાંગી વિકાસ અને માનવીય મૂલ્યો પર આધારિત શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને સતત આગળ ધપાવી રહી છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ ભૂતકાળમાંથી પ્રેરણા મેળવી ભવિષ્યના જવાબદાર નાગરિક બની શકે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
“તમારા નાયકોને યાદ કરો, તમારા ભવિષ્યને પ્રેરણા આપો.”
૨૦ વર્ષ • ૪૫૦ પ્લોટ • એક પણ પ્લોટનું ‘ક્લિયર ટાઇટલ’ (સ્પષ્ટ માલિકી હક) નહીં
‘સાયલન્ટ ઝોન’ પ્લોટ ધારકો ઉકેલ અને ન્યાય મેળવવા સુરત કલેક્ટરને મળ્યા
સુરત, ૧૧ ઓગસ્ટ ૨૦૨૬: ‘સાયલન્ટ ઝોન’ પ્રોજેક્ટને લગતા જમીન, માલિકી હક (ટાઇટલ) અને મહેસૂલ સંબંધિત લાંબા સમયથી પડતર પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે, ‘સાયલન્ટ ઝોન પ્લોટ હોલ્ડર્સ સર્વિસ એસોસિએશન’ના સભ્યો અને ૧૦૦થી વધુ પ્લોટ ધારકોએ આજે સુરતના જિલ્લા કલેક્ટરને વિગતવાર રજૂઆત કરી હતી.
એસોસિએશનના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટમાં અંદાજે ૪૫૦ પ્લોટનો સમાવેશ થાય છે, જે નાગરિકોએ બે દાયકા કરતાં વધુ સમય પહેલાં વાજબી કિંમત ચૂકવીને અને સંપૂર્ણ વિશ્વાસ સાથે ખરીદ્યા હતા. જોકે, એસોસિએશનનું કહેવું છે કે ૨૦ વર્ષથી વધુ સમય વીતી જવા છતાં, આ ૪૫૦ પ્લોટમાંથી એક પણ પ્લોટ ધારકને તેમની મિલકત સંપૂર્ણ અને સ્પષ્ટ માલિકી હક (ક્લિયર ટાઇટલ) સાથે મળી નથી.
એસોસિએશને જણાવ્યું છે કે જમીન, મહેસૂલ, બિન-ખેતી (NA), માલિકી હક અને અન્ય કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની તેમજ પાત્ર ખરીદદારોને તેમના પ્લોટ યોગ્ય અને સ્પષ્ટ માલિકી હક સાથે મળે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી આયોજક/ડેવલપરની હતી.
તેથી, પ્લોટ ધારકોએ એક મૂળભૂત પ્રશ્ન ઉઠાવ્યો છે:
“આ કેવી રીતે શક્ય છે કે અંદાજે ૪૫૦ પ્લોટ વેચાયા, સાચા ખરીદદારોએ તેમની મહેનતની કમાણી ચૂકવી, ૨૦ વર્ષથી વધુ સમય વીતી ગયો, અને તેમ છતાં એક પણ પ્લોટ ધારકને સંપૂર્ણ અને સ્પષ્ટ માલિકી હક સાથે મિલકત મળી નથી?”
એસોસિએશને જિલ્લા કલેક્ટરને નમ્ર વિનંતી કરી છે કે તેઓ સમગ્ર બાબતની તપાસ કરે, સંબંધિત સત્તાવાળાઓ પાસેથી જરૂરી રેકોર્ડ મંગાવે, આટલા લાંબા સમયથી મામલો પડતર રહેવાના કારણો જાણી લે અને અસરગ્રસ્ત સેંકડો પ્લોટ ધારકોના કાયદેસરના હિતોનું રક્ષણ કરવા માટે કાયદા અનુસાર યોગ્ય પગલાં લે.

સંકલિત તપાસ અને યોગ્ય કાર્યવાહીની વિનંતી સાથે સંબંધિત મહેસૂલ અધિકારીઓ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, ટાઉન પ્લાનિંગ સત્તાવાળાઓ, નોંધણી/સબ-રજિસ્ટ્રાર કચેરીઓ અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓને પણ રજૂઆતો કરવામાં આવી રહી છે.
એસોસિએશને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય સંઘર્ષ કરવાનો નથી, પરંતુ બે દાયકાથી વધુ સમયથી વણઉકેલાયેલા આ મામલાનું ન્યાયી, પારદર્શક અને કાયદેસરનું નિરાકરણ લાવવાનો છે. સંસ્થાના હોદ્દેદારો
પ્રમુખ: શ્રી ગૌરાંગભાઈ ગોયલ
ઉપપ્રમુખ: શ્રી મનોજભાઈ અગ્રવાલ
મંત્રી: શ્રી કિરીટભાઈ પટેલ
સંયુક્ત મંત્રી: શ્રી ગૌરવભાઈ સિંઘવી
ખજાનચી: શ્રી દિનેશભાઈ માલુ
બોર્ડના સભ્યો: શ્રી મહેશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી સંદીપભાઈ અને શ્રી શશિકાંતભાઈ સિંગાપુરી
સંસ્થાએ જિલ્લા વહીવટીતંત્ર અને સરકાર સમક્ષ સામૂહિક અપીલ કરી છે કે તેઓ એ સુનિશ્ચિત કરે કે ૨૦ વર્ષથી વધુ સમયથી રાહ જોઈ રહેલા સેંકડો સાચા પ્લોટ ખરીદદારોને આખરે તેમની મિલકતો અંગે સ્પષ્ટતા મળે અને કાયદા અનુસાર યોગ્ય ન્યાય પ્રાપ્ત થાય.
જાહેર કરનાર:
સાયલન્ટ ઝોન પ્લોટ હોલ્ડર્સ સર્વિસ એસોસિએશન, સુરત
સુરતની 22 વર્ષની વન્યાએ ફિનલેન્ડમાં વગાડ્યો ગુજરાતનો ડંકો, વિશ્વની ટોચની મ્યુઝિક એકેડમીમાં મળ્યું એડમિશન
સુરતની Gen Z યુવતી હવે હેલસિંકીમાં ભણશે, સિબેલિયસ એકેડમીના ગ્લોબલ મ્યુઝિક માસ્ટર્સ પ્રોગ્રામમાં પસંદગી
સુરત. Gen Zની ઓળખ સામાન્ય રીતે સોશિયલ મીડિયા, ડિજિટલ દુનિયા અને નવી ટેક્નોલોજી સાથે જોડાય છે. પરંતુ સુરતની 22 વર્ષની વન્યા ભટ્ટે આ જ Gen Z માટે એક અલગ ઓળખ ઊભી કરી છે. વન્યાને ફિનલેન્ડની પ્રતિષ્ઠિત Sibelius Academyના Global Music Master’s Programmeમાં એડમિશન મળ્યું છે. આ એકેડમી વિશ્વની અગ્રણી સંગીત સંસ્થાઓમાં ગણાય છે.
QS World University Rankings by Subject 2025 મુજબ Sibelius Academyને Musicમાં વિશ્વમાં 9મું અને Performing Artsમાં 14મું સ્થાન મળ્યું છે. University of the Arts Helsinkiનો ભાગ એવી આ એકેડમીમાં વિશ્વભરમાંથી સંગીતના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માટે પ્રયાસ કરે છે અને પસંદગીની પ્રક્રિયા અત્યંત સ્પર્ધાત્મક માનવામાં આવે છે.
સુરતથી ફિનલેન્ડ સુધીની સફર

હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે વિશ્વભરમાં ઓળખાતા સુરતમાંથી સંગીતના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરની આ સિદ્ધિ ખાસ બની જાય છે. વન્યાએ બાળપણમાં ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી. જોકે, એક સમયે તેની સામે પણ સવાલ હતો—સંગીતને માત્ર શોખ રાખવું કે તેને જ કારકિર્દી બનાવવી?
આ સવાલનો જવાબ શોધવા માટે તેણે બેંગલુરુની *CHRIST (Deemed to be University)*માંથી Western Classical Vocal Musicમાં બેચલર ડિગ્રી મેળવી.
અભ્યાસ દરમિયાન તેને જાણીતા મ્યુઝિકલ My Fair Ladyમાં મુખ્ય પાત્ર Eliza Doolittleની ભૂમિકા ભજવવાની તક મળી. માર્ચ 2025માં થયેલા આ પ્રોડક્શનને દર્શકો તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. આ અનુભવ બાદ સંગીતને સંપૂર્ણ સમયની કારકિર્દી બનાવવાનો તેનો આત્મવિશ્વાસ વધુ મજબૂત થયો.
હવે ભારતીય મૂળ સાથે ગ્લોબલ મ્યુઝિકનું સપનું
ગ્રેજ્યુએશન બાદ વન્યાએ ફિનલેન્ડની Sibelius Academy માટે ઓડિશન આપ્યું અને Global Music Master’s Programmeમાં તેની પસંદગી થઈ.
વન્યાનું લક્ષ્ય હવે ભારતીય શાસ્ત્રીય સંગીતના પાયાને Western Classical અને વિવિધ દેશોની સંગીત પરંપરાઓ સાથે જોડીને એવું ઓરિજિનલ મ્યુઝિક તૈયાર કરવાનું છે, જેમાં ભારતીય મૂળ પણ હોય અને વૈશ્વિક શ્રોતાઓ સાથે કનેક્ટ થવાની ક્ષમતા પણ હોય.
‘હજારો વિદ્યાર્થીઓને વિદેશ મોકલ્યા, પણ આવું પ્રથમ વખત જોયું’

દક્ષિણ-પૂર્વ એશિયાના અગ્રણી વિદ્યાર્થી ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ અને હજારો વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે માર્ગદર્શન આપનાર રાજીવ સોનીએ વન્યાની પસંદગીને અસામાન્ય સિદ્ધિ ગણાવી.
તેમણે કહ્યું, “ફિનલેન્ડ સહિત વિવિધ દેશોમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની મારી સમગ્ર કારકિર્દીમાં પહેલીવાર મેં કોઈ ગુજરાતી યુવતીને Sibelius Academyમાં એડમિશન મેળવતા જોઈ છે. આ ખરેખર નોંધપાત્ર સિદ્ધિ છે.”
સોનીના જણાવ્યા અનુસાર, છેલ્લા એક દાયકામાં ગુજરાતમાંથી ફિનલેન્ડ જતાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. એન્જિનિયરિંગ, IT, બિઝનેસ અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ વધુ જોવા મળે છે. જોકે, સંગીત જેવી વિશિષ્ટ શાખામાં વિશ્વસ્તરીય એકેડમીમાં પ્રવેશ મેળવવો હજુ પણ દુર્લભ છે.
Gen Z માટે પણ એક અલગ મેસેજ
વન્યાની સફર માત્ર એક વિદ્યાર્થીના વિદેશ જવાના સમાચાર નથી. તે એ વાતનો સંકેત પણ છે કે આજની Gen Z પરંપરાગત કરિયર વિકલ્પોથી આગળ વિચારી રહી છે. મેડિકલ, એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ ઉપરાંત સંગીત, પરફોર્મિંગ આર્ટ્સ અને અન્ય વિશિષ્ટ ક્ષેત્રોમાં પણ ભારતીય યુવાનો વૈશ્વિક સ્તરે પોતાની જગ્યા બનાવી રહ્યા છે.
વન્યા હવે હેલસિંકીમાં અભ્યાસ શરૂ કરશે. ત્યાં તે વિવિધ સંસ્કૃતિઓની સંગીત પરંપરાઓનો અભ્યાસ કરવાની સાથે ભારતની સંગીત પરંપરામાંથી પ્રેરણા લઈને પોતાની ઓરિજિનલ મ્યુઝિક તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ક્રિએટિવ ફોટોગ્રાફી અને હેન્ડક્રાફ્ટેડ ફિલ્મ્સ માટે જાણીતી નાઇસ ટુ મીટ યુ કંપનીએ EMF (ઇવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશન) ACE (પુરસ્કારો, સંમેલન, પ્રદર્શન) ગ્લોબલ ઍવોર્ડ્સ 2026 માં ચાર પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીતીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
સુરત : 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન નેપાળના કાઠમંડુ સ્થિત ભવ્ય સોલ્ટી હોટેલ ખાતે યોજાયેલા એવોર્ડ સમારોહમાં કંપનીની ફોટોગ્રાફી અને ફિલ્મ્સની સર્જનાત્મકતા, કલાત્મકતા અને સ્ટોરીટેલિંગની અનોખી રજૂઆતને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવી.
2022માં મીત દેસાઈ દ્વારા સ્થાપિત ‘નાઇસ ટુ મીટ યુ’ એ ખૂબ જ ટૂંકા સમયમાં પોતાના ક્ષેત્રમાં આગવી ઓળખ બનાવી છે. આ વર્ષે કંપનીને નીચે મુજબ ચાર એવોર્ડ મળ્યા:
ગોલ્ડ એવોર્ડ – બેસ્ટ ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી
ગોલ્ડ એવોર્ડ – બેસ્ટ સિનેમેટોગ્રાફી ઓફ ધ યર
સિલ્વર એવોર્ડ – બેસ્ટ ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી
બ્રોન્ઝ એવોર્ડ – બેસ્ટ ફોટોગ્રાફી ઓફ ધ યર
એવોર્ડ સમારોહમાં કંપનીનું પ્રતિનિધિત્વ સ્થાપક અને ડિરેક્ટર મીત દેસાઈ તથા ક્રિએટિવ ડિરેક્ટર વિધિ દેસાઈએ કર્યું હતું. આ એવોર્ડ્સનું વિતરણ ઉદયપુરના શ્રીજી હુઝુર ડૉ. લક્ષ્યરાજ સિંહ મેવાડ, બોલીવૂડ અભિનેતા વિક્રાંત મેસી, શિલ્પા શેટ્ટી, મનીષા કોઇરાલા, કુબ્રા સૈત તેમજ ગાયિકા શિબાની કશ્યપના હસ્તે કરવામાં આવ્યું હતું.

13 વર્ષ પૂર્ણ કરનાર EMF (ઇવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશન) ગ્લોબલ ઍવોર્ડ્સ વેડિંગ ફોટોગ્રાફી, ઇવેન્ટ પ્લાનિંગ અને વેડિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ક્રિએટિવ પ્રતિભાશાળી લોકોનું સન્માન કરે છે. 2026ની આવૃત્તિમાં ભારતભરના અગ્રણી વિઝ્યુઅલ આર્ટિસ્ટ્સે ભાગ લીધો હતો.
આ સિદ્ધિ અંગે મીત દેસાઈએ જણાવ્યું હતું કે, “ચાર આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવવા એ અમારા માટે ખૂબ ગૌરવ અને નમ્રતાની ક્ષણ છે.
દુનિયાભરના શ્રેષ્ઠ સર્જકો વચ્ચે અમારા કામને મળેલી આ ઓળખ અમારા માટે ખૂબ જ વિશેષ છે. સુરતમાં શરૂ થયેલું એક સપનું આજે ક્રિયેટિવિટી, મહેનત અને ઉત્તમ સ્ટોરીટેલિંગના આધારે આ મુકામ સુધી પહોંચ્યું છે. આ એવોર્ડ્સ માત્ર સન્માન નથી, પરંતુ અમારા દરેક ક્લાયન્ટનો વિશ્વાસ, દરેક યાદગાર ક્ષણ અને દરેક વાર્તાની કદર છે.અમારા તમામ ક્લાયન્ટ્સ, સહયોગીઓ અને સમગ્ર ટીમનો હું દિલથી આભાર માનું છું. આ સન્માન અમને વધુ ઉત્તમ અને યાદગાર કામ કરવા માટે નવી પ્રેરણા આપે છે.”
ક્રિએટિવ ડિરેક્ટર વિધિ દેસાઈએ જણાવ્યું હતું કે, “નેપાળમાં ચાર આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવવા એ મારા માટે શબ્દોથી પરનો આનંદ અને ગૌરવની ક્ષણ છે. દરેક સન્માન મને વધુ ઉત્સાહ અને આત્મવિશ્વાસ આપે છે કે અમે દિલથી અને સંપૂર્ણ સમર્પણ સાથે સર્જનાત્મક કામ કરતા રહીએ. આ ક્ષણ મારા માટે હંમેશા યાદગાર રહેશે.”

આ નવી સિદ્ધિ સાથે ‘નાઇસ ટુ મીટ યુ’ એ સ્થાપનાના માત્ર ચાર વર્ષમાં GIWA, WeddingSutra અને EMF એવોર્ડ સહિત કુલ 13 + રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે. આ સફળતા કંપનીની મહેનત, સમર્પણ અને દૂરંદેશી વિચારસરણીનું પ્રતિબિંબ છે.
‘નાઇસ ટુ મીટ યુ’ વેડિંગ ફોટોગ્રાફી ઉપરાંત ફેશન, આર્કિટેક્ચર, કોર્પોરેટ, એડવર્ટાઇઝમેન્ટ ફિલ્મો અને અન્ય અનેક ક્ષેત્રોમાં ફોટોગ્રાફી અને ફિલ્મમેકિંગની સેવાઓ આપે છે. કંપનીની દરેક કૃતિમાં સર્જનાત્મકતા, લાગણી અને ઉચ્ચ કક્ષાની કલાત્મકતા જોવા મળે છે. EMF ACE ગ્લોબલ એવોર્ડ્સમાં મળેલું આ સન્માન માત્ર કંપનીની સફળતા નથી, પરંતુ ભારતીય સર્જનાત્મક પ્રતિભાની વધતી વૈશ્વિક ઓળખનું પણ પ્રતિક છે.
કંપની અને તેની ટીમનું માનવું છે કે દરેક પ્રોજેક્ટ માત્ર એક કામ નથી, પરંતુ એક એવી કૃતિ છે જે લોકોના જીવનમાં લાંબા સમય સુધી યાદ રહી શકે.
આજ રોજ લીઓ ગ્રુપ ની સનગ્રેસ, સનલાઈટ, સનરેઝ, લીઓ સ્કૂલ ઓફ સાયન્સ ના સંયુક્ત ઉપક્રમે શાર્ક ટેન્ક .૨ નું આયોજન કરેલ છે,
સુરત : જેમાં વિદ્યાર્થીઓ ની ૧૬ ટીમ દ્વારા બિઝનેસ આડિયા રજૂ કરવામાં આવ્યા હતા. ઉદ્ઘાટક તરીકે DIG ટ્રાફિક સુરત શહેર ના સજ્જનસિંહ પરમાર , સી ડિવિઝન એસીપી ચિરાગ વાડદોરીયા , આશા ગ્રુપ ઓફ સ્કૂલ ના મહેશ ભાઈ રામાણી ઉપસ્થિત રહ્યા હતા.
શાર્ક ટીમ તરીકે ઉપસ્થિત સહજાનંદ ટેકનોલોજી ના સીઈઓ રાહુલ ભાઈ ગાયવાલા, યુરો ફ્રેશ ફૂડ ના સીઈઓ શાહિલ સાસપરા, વ્હાઇટ લાયન ઓટો મેશન ના ચેરમેન વિશાલ કુકડીયા અને સ્કીન ઓક્યું ના દીક્ષિતતા સિનોજીયા એ દરેક બાળકો ના વિચારો સાંભળી પ્રશ્નો પૂછી વધુ સારી રીતે બિઝનેસ કેમ વિકસાવવી તેનું માર્ગદર્શન આપ્યું હતું.

ઇકો બ્રિક્સ, ઇકો ફ્યુલ, સ્લીપિંગ મેડિકલ ઍલારમ, સ્વીટ લીફ મુખવાસ વગેરે બિજનેસ વિચારો રજૂ થયા હતા.
આ કાર્યક્રમ થી બાળકો ભવિષ્ય માં મોટા બિઝનેસમેન બને, નવી નવી પ્રોડક્ટ માર્કેટ માં આવે તેનું માર્કેટિંગ વગેરે કેવી રીતે કરવું તે માર્ગદર્શન મેળવ્યું હતું,
BANKERA – Banking and Finance Academy સુરત, વાપી, વલસાડ, નવસારી, દમણ, ભરુચ, અંકલેશ્વર, બારડોલી અને વ્યારા સહિતના વિસ્તારોના વિદ્યાર્થીઓને 100% Job Placement Assistance સાથે બૅન્કિંગ અને ફાયનાન્સ ક્ષેત્રમાં સફળ કારકિર્દી બનાવવા માટે માર્ગદર્શન અને તાલીમ આપી રહ્યું છે.
સુરત, – BANKERA એ Banking and Finance ક્ષેત્રનું અગ્રણી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, જે ખાસ કરીને Graduate વિદ્યાર્થીઓને પ્રોફેશનલ ટ્રેનિંગ આપી તેમને પ્રતિષ્ઠિત private Bank (Officer/ Sr. Officer Grade), ઇન્ડસ્ટ્રીમાં રોજગારની તકો ઉપલબ્ધ કરાવવામાં વિશેષતા ધરાવે છે.
સંસ્થાના વિશ્વસનીય ગ્રુપ દ્વારા અત્યાર સુધી સમગ્ર ભારતમાં 50,000થી વધુ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી છે, જેના કારણે સંસ્થાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની મજબૂત ઓળખ ઉભી કરી છે.
તાજેતરમાં Bankera Academy દ્વારા વિદ્યાર્થીઓ માટે YES Bank, Kotak Bank અને બીજી પ્રતિષ્ઠિત પ્રાઇવેટ બેન્ક માં ઇન્ટરવ્યૂ રોજગાર નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇન્ટરવ્યૂ ડ્રાઇવ નો હેતુ વિદ્યાર્થીઓને સારી અને નામચીન બેન્ક માં ઓફિસર લેવલ ની રોજગાર તક અને બૅન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા નું આયોજન કરેલ .

સંસ્થાના મેનેજમેન્ટે એન્ડ ઇન્ટરવ્યૂ ડ્રોવ ને સફળ બનાવવા અને કેન્ડિડેટ ને સારી તક આપવા અને ઉચ્ચ પગાર આપવા બદલ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. સંસ્થાના જણાવ્યા મુજબ, આવી બૅન્કિંગ ની રોજગાર તક વિદ્યાર્થીઓને બૅન્કિંગ ક્ષેત્ર માં સફળ કારકિર્દી આપવા માટે તૈયાર કરવાની તેમની પ્રતિબદ્ધતાનો મહત્વપૂર્ણ ભાગ છે.
ગત એક વર્ષ દરમિયાન સંસ્થાએ અનેક વિદ્યાર્થીઓને ઓફિસર, સીનિયર ઓફિસર અને મેનેજર લેવલ ના રોલ માટેની કારકિર્દી બનાવવા માટે સફળતાપૂર્વક તાલીમ આપી છે. ઉચ્ચ ગુણવત્તાવાળી ટ્રેનિંગ,બેકિંગ ક્ષેત્ર અનુભવી ફેકલ્ટી અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર Professional Skills જ નહીં પરંતુ Confidence Building અને Personality Developmentમાં પણ નિષ્ણાત બનાવવામાં આવ્યા છે.

સંસ્થાનો મુખ્ય હેતુ યુવાનોને તેમના સપનાઓ સાકાર કરવામાં મદદરૂપ થવાનો અને તેમને સફળ કારકિર્દી તરફ દોરી જવાનો છે.
આ સિદ્ધિ પ્રસંગે સંસ્થાના ડિરેક્ટર અને સ્ટાફે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર વ્યક્ત કરતાં ભવિષ્યમાં પણ વધુ સારી શિક્ષણ અને Placement Opportunities ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમનો સમાપન એક Interactive Discussion Session અને Group Interaction સાથે થયો, જેના કારણે વિદ્યાર્થીઓમાં બૅન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં ઉત્તમતા પ્રાપ્ત કરવાની નવી પ્રેરણા અને ઉત્સાહ જોવા મળ્યો.
ડીઝાઇનકેફે એ સુરતીઓ માટે નવું એક્સપિરિયન્સ સેન્ટર ખોલ્યું, ગુજરાતમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવી
નવું એક્સપિરિયન્સ સેન્ટર ભારતના સૌથી ઝડપથી વિકસતા રેસિડેન્શિયલ માર્કેટમાં પર્સનલાઇઝ્ડ ડિઝાઇન, ટેકનોલોજી આધારિત પ્લાનિંગ અને ચોકસાઈપૂર્વકનું મેન્યુફેક્ચરિંગ લાવશે
સુરત, ગુજરાત ૨૦૨૬ : ભારતની અગ્રણી હોમ ઇન્ટિરિયર બ્રાન્ડ્સમાંની એક એવી ડીઝાઇનકેફેએ ઉધના-મગદલ્લા રોડ (પીપલોદ) પર આવેલા હોમલેન્ડ સિટી ખાતે પોતાનું નવું એક્સપિરિયન્સ સેન્ટર શરૂ કરીને ગુજરાતમાં પોતાની હાજરીને વધુ મજબૂત બનાવી છે. આ વિસ્તરણ ભારતના સૌથી ઝડપથી વિકસતા રેસિડેન્શિયલ માર્કેટ પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જ્યાં નવા મકાનોની ખરીદી અને ગ્રાહકોની બદલાતી પસંદગીઓને કારણે સંગઠિત હોમ ઇન્ટિરિયર સોલ્યુશન્સની માંગ વધી રહી છે.
આ વિસ્તરણ વિશે વાત કરતા ડીઝાઇનકેફેના સીઈઓ અને કો-ફાઉન્ડર ગીતા રામનને જણાવ્યું હતું કે:”સુરત હંમેશા ખર્ચવામાં આવેલા એક-એક રૂપિયાનું મૂલ્ય જાણે છે. આ એક એવું શહેર છે જે ગુણવત્તાને ઝડપથી ઓળખે છે અને શોર્ટકટ્સ પસંદ કરતું નથી, અને ડીઝાઇનકેફેમાં અમે આવા જ ઘરમાલિકો માટે કામ કરવાનું પસંદ કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય ક્યારેય માત્ર મટિરિયલ કે ફિનિશિંગ વેચવાનો હોતો નથી; અમારો પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો છે કે પરિવાર એક એવા ઘરમાં પ્રવેશે જે તેમના રોજિંદા જીવન માટે બનાવવામાં આવ્યું હોય, માત્ર ફોટામાં સારું દેખાવા માટે નહીં. પીપલોદમાં હોમલેન્ડ સિટી મોલ ખાતેના અમારા નવા સ્ટોરમાં, દિવાલને સ્પર્શતા પહેલા જ અમારા આર્કિટેક્ટ્સ સાથે મળીને આ પ્લાનિંગ અને નલાઈઝેશન કરવામાં આવે છે.”
કંપનીની કામગીરી અંગે વાત કરતા ડીઝાઇનકેફેના ચીફ ઓપરેટિંગ ઓફિસર અનુપ ક્રિષ્નને જણાવ્યું હતું કે:”જ્યારે અમે સુરત જેવા ઝડપથી વિકસતા બજારોમાં વિસ્તરણ કરી રહ્યા છીએ, ત્યારે અમારું ધ્યાન ટેકનોલોજી આધારિત પ્લાનિંગ, ચોક્કસ મેન્યુફેક્ચરિંગ અને સ્ટાન્ડર્ડ કામગીરી દ્વારા ગ્રાહકોને એકસમાન અને શ્રેષ્ઠ અનુભવ આપવા પર છે. અમારું મોડેલ અમને ગુણવત્તા જાળવી રાખવા, ડિલિવરીનો સમય સુધારવા અને ઘરમાલિકોને તેમના ઘરના ઇન્ટિરિયરની મુસાફરીમાં વધુ આત્મવિશ્વાસ પ્રદાન કરવાની મંજૂરી આપે છે. આ વિસ્તરણ ભારતભરના વધુ શહેરોમાં સંગઠિત, ભરોસાપાત્ર અને વધારી શકાય તેવા ઇન્ટિરિયર સોલ્યુશન્સ લાવવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.”
પોતાના વ્યાપારીક અભિગમ અને કારીગરીની કદર કરવા માટે જાણીતા સુરત શહેરમાં વેસુ, ડુમસ રોડ, અડાજણ અને પાલ જેવા વિસ્તારોમાં પ્રીમિયમ એપાર્ટમેન્ટ્સ અને સ્વતંત્ર મકાનોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ઘરમાલિકો હવે એવું ઇન્ટિરિયર ઈચ્છે છે જે દેખાવમાં સુંદર હોય, ઉપયોગી હોય અને લાંબા સમય સુધી ટકી રહે. આથી ડીઝાઇનકેફેનો ઉદ્દેશ્ય લોકોને ઘરના ઇન્ટિરિયર માટે એક પારદર્શક અને સરળ વિકલ્પ આપવાનો છે.

1,800 ચોરસ ફૂટમાં ફેલાયેલું આ નવું એક્સપિરિયન્સ સેન્ટર ગ્રાહકોને એક એવો અનુભવ આપે છે જ્યાં તેઓ ઘરનું ઇન્ટિરિયર શરૂ કરતા પહેલા પોતાના ભવિષ્યના ઘરને જોઈ અને અનુભવી શકે છે. અહીં મુલાકાતીઓ સંપૂર્ણ ફર્નિશ્ડ 2BHK અને 3BHK હોમ મોક-અપ્સ, મોડ્યુલર કિચન, વોર્ડરોબ, લિવિંગ સ્પેસ અને મલ્ટિફંક્શનલ ફર્નિચર સોલ્યુશન્સ જોઈ શકે છે. સાથે જ અહીં 51,000 થી વધુ ડિઝાઇન ધરાવતી મટીરિયલ લાઇબ્રેરી પણ છે. આ સેન્ટરમાં ઘરમાલિકો ડીઝાઇનકેફેના આર્કિટેક્ટ્સ સાથે મળીને તેમની પસંદગી મુજબ લેઆઉટ, કલર, ફિનિશિંગ અને મટિરિયલ્સ રિયલ-ટાઇમમાં પસંદ કરી શકે છે. આ ઉપરાંત ગ્રાહકોને પારદર્શક કિંમતો અને સરળ ઈએમઆઈના વિકલ્પો પણ મળે છે.
ડીઝાઇનકેફેનું મોડલ ટેકનોલોજી આધારિત પ્લાનિંગ, કંપનીની પોતાની મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ અને સ્ટાન્ડર્ડ કામગીરીને એકસાથે લાવે છે. દરેક પ્રોજેક્ટ કડક ગુણવત્તા તપાસમાંથી પસાર થાય છે અને અદ્યતન જર્મન મશીનરીનો ઉપયોગ કરીને ચોકસાઈપૂર્વક બનાવવામાં આવે છે. જેથી ગુણવત્તામાં એકરૂપતા, સમયસર ડિલિવરી અને સાઇટ પર ઓછામાં ઓછી અડચણ સુનિશ્ચિત કરી શકાય. ગ્રાહકોને ઇન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ વોરંટીનો લાભ પણ મળે છે, જે કંપનીના ભરોસાપાત્ર કામને દર્શાવે છે.
સુરત એક્સપિરિયન્સ સેન્ટરની શરૂઆત ડીઝાઇનકેફેની વિસ્તરણ સફરમાં એક નવો સીમાચિહ્નરૂપ છે. ગુજરાતમાં ડીઝાઇનકેફેનું આ ત્રીજું એક્સપિરિયન્સ સેન્ટર છે, જેનાથી ભારતભરમાં તેના કુલ 23 એક્સપિરિયન્સ સેન્ટર્સ થયા છે. આ લોન્ચની ઉજવણી કરવા માટે, ડીઝાઇનકેફે પીપલોદ એક્સપિરિયન્સ સેન્ટર પર એપોઇન્ટમેન્ટ બુક કરાવનાર સુરતના ઘરમાલિકોને મર્યાદિત સમય માટે એક વિશિષ્ટ ઉદ્ઘાટન ઓફર રજૂ કરી રહ્યું છે.
રાંદેરના ગૌરાંગભાઈ ભગત છેલ્લા 20 વર્ષથી નિઃશુલ્ક સ્વિમિંગ તાલીમ આપી રહ્યા છે તેમના શિષ્યો નેશનલથી ઈન્ટરનેશનલ સુધી જીતે છે મેડલ
સુરત: આજના સમયમાં જ્યાં સ્વિમિંગ ક્લાસ માટે લોકો મોટી ફી ચૂકવતા હોય છે, ત્યાં સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા ગૌરાંગભાઈ છેલ્લા 20 વર્ષથી સંપૂર્ણ નિઃશુલ્ક સ્વિમિંગ તાલીમ આપી સમાજસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તેમની નિઃસ્વાર્થ સેવાભાવના કારણે અત્યાર સુધીમાં સેંકડો યુવાનો અને બાળકો સ્વિમિંગ શીખી ચૂક્યા છે, જેમાંથી દર વર્ષે અંદાજે 60 થી 70 જેટલા તરવૈયાઓ તેમના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવે છે તથા વેકેશન બેચ દરમિયાન અલગથી વિદ્યાર્થીઓ પણ તાલીમ લેવા આવતા હોય છે અનેક તરવૈયાઓ નેશનલ તેમજ ઈન્ટરનેશનલ સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેવા પણ સ્વિમિંગ ક્લાસ જવા પહેલા તેમના પાસે તાલીમ મેળવી અનેક મેડલ જીતી સુરત અને દેશનું નામ રોશન કરી રહ્યા છે.
ગૌરાંગભાઈ માટે સ્વિમિંગ માત્ર રમત નથી, પરંતુ જીવન બચાવતી આવશ્યક કળા છે. તેમનો એક જ સંદેશ છે કે “દરેક વ્યક્તિને સ્વિમિંગ આવડવું જ જોઈએ.” તેઓ માને છે કે પૂરની સ્થિતિ, નદી-તળાવ કે અન્ય કોઈ પણ જળસંકટ જેવી ઈમર્જન્સીમાં સ્વિમિંગનું જ્ઞાન વ્યક્તિનો જીવ બચાવી શકે છે. આ જ ઉદ્દેશ્ય સાથે તેઓ વર્ષોથી કોઈપણ પ્રકારની ફી લીધા વગર લોકોને તાલીમ આપી રહ્યા છે.
તેમની પાસે તાલીમ લેવા માટે બાળકો, યુવાઓ ઉપરાંત અનેક વયસ્કો પણ પહોંચે છે. તાલીમ દરમિયાન તેઓ માત્ર તરવાની ટેક્નિક જ નહીં, પરંતુ પાણીમાં સુરક્ષા, આત્મવિશ્વાસ, શિસ્ત અને ફિટનેસ પર પણ વિશેષ ભાર મૂકે છે.
સમાજમાં નિઃસ્વાર્થ સેવા અને રમતગમતને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરતા ગૌરાંગભાઈ આજે અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિ કે લાભની અપેક્ષા વગર છેલ્લા દસ વર્ષથી તેઓ સતત પોતાની સેવા ચાલુ રાખી છે. તેમના પ્રયાસોથી અનેક પરિવારોમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને અનેક યુવાનોને રમતગમતમાં નવી ઓળખ મળી છે.
ગૌરાંગભાઈની આ નિઃશુલ્ક સેવા એ સાબિત કરે છે કે સમાજમાં પરિવર્તન લાવવા માટે માત્ર ઈચ્છાશક્તિ અને સેવાભાવ જ પૂરતા હોય છે. છેલ્લા ૨૦ વર્ષથી તેઓ જે કાર્ય કરી રહ્યા છે તે ખરેખર સમાજ માટે એક પ્રેરણાદાયી પહેલ છે અને તેમની આ સેવા પ્રશંસાને પાત્ર છે.