Posts by: abhay_news_editor

સુરતમાં ‘સુરક્ષિત ગણેશ મંડળ’ ઈનિશિયેટિવને સારો પ્રતિસાદ 50થી વધુ ગણેશ મંડળોની એન્ટ્રી, ઝોનવાઈઝ ગ્રાઉન્ડ સર્વે શરૂ ફાયર સેફ્ટી, સિક્યોરિટી અને ક્રાઉડ મેનેજમેન્ટના આધારે થશે મૂલ્યાંકન

 

સુરત: ગણેશોત્સવ દરમિયાન સુરક્ષા અને જાગૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી ફાયર એન્ડ સિક્યોરિટી એસોસિએશન ઓફ ઈન્ડિયા (FSAI), સુરત ચેપ્ટર દ્વારા ‘સુરક્ષિત ગણેશ મંડળ’ ઈનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલ અંતર્ગત ગણેશ મંડળોમાં ફાયર સેફ્ટી, સિક્યોરિટી અને ક્રાઉડ મેનેજમેન્ટ અંગેની વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

FSAI સુરત ચેપ્ટરના પ્રેસિડેન્ટ ચિન્મય દેસાઈએ જણાવ્યું હતું કે, ગણેશોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. આ ઉત્સવના માધ્યમથી ફાયર સેફ્ટી અને સિક્યોરિટી અંગે જાગૃતિ વધારવાનો તેમજ સુરક્ષાને પ્રાધાન્ય આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

એવોર્ડ માટે ત્રણ મુખ્ય માપદંડ નક્કી કરાયા છે:

ફાયર સેફ્ટી: આગની સ્થિતિમાં ઉપલબ્ધ સુરક્ષા વ્યવસ્થા

સિક્યોરિટી: મંડળ ખાતે સુરક્ષા સંબંધિત વ્યવસ્થાઓ

ક્રાઉડ મેનેજમેન્ટ: ભીડના સુચારુ સંચાલન માટેની વ્યવસ્થા

આ પહેલ અંતર્ગત અત્યાર સુધીમાં 50થી વધુ ગણેશ મંડળોની એન્ટ્રી મળી ચૂકી છે. વધુ મંડળો પણ જોડાય તેવી શક્યતા છે. રજિસ્ટ્રેશન બાદ FSAI દ્વારા ઝોનવાઈઝ ટીમો બનાવીને મંડળોમાં ગ્રાઉન્ડ સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.

ગણેશોત્સવના 10મા અથવા 11મા દિવસે વિજેતા ગણેશ મંડળોને એવોર્ડ એનાયત કરવામાં આવશે. એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈમરજન્સી સર્વિસિસના વડા વસંત પરીખ, અનિલભાઈ બિસ્કિટવાળા, સુરત મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

AM/NS India એ ડ્યુઅલ BIS પ્રમાણપત્રો મેળવ્યા, વિશિષ્ટ સ્ટીલ ક્ષેત્રમાં નેતૃત્વ મજબૂત કર્યું અને આયાતના વિકલ્પ મેળવવાની પ્રક્રિયા વધુ ઝડપી કરી

 

  • ક્વેન્ચ્ડ એન્ડ ટેમ્પર્ડ પ્લેટ્સ‘ (IS 2062: ભાગ 2) અને અદ્યતન ‘Zn-Al-Mg કાટ-પ્રતિરોધક કોટિંગ્સ‘ (IS 19210) માટેનું લાઇસન્સ મેળવનાર ભારતની પ્રથમ સ્ટીલ ઉત્પાદક કંપની બની
  • AM/NS Indiaએ આત્મનિર્ભર ભારતના માનાંક હેઠળ વ્યૂહાત્મક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રક્ષા અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં ઊંચી ગુણવત્તાવાળા સ્થાનિક પ્રોડક્ટ મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનાવી

હજીરા – સુરત, સપ્ટેમ્બર 17, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ બે મહત્વપૂર્ણ નવાં ધોરણો હેઠળ ભારતીય માનક બ્યૂરો (BIS)નાં લાઇસન્સ મેળવીને અદ્યતન સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રે પોતાના મોખરાના સ્થાનને વધુ મજબૂત બનાવ્યું છે. આ સિદ્ધિથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેવી એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં નવી તકના દ્વાર ખુલવાની સાથો-સાથે, ઇનોવેશન, ગુણવત્તા અને ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા મેક ઇન ઇન્ડિયા તથા આત્મનિર્ભર ભારત  પહેલના આહ્વાન પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતા વધુ દૃઢ બની છે.

AM/NS India હવે હોટ રોલ્ડ ક્વેન્ચ્ડ એન્ડ ટેમ્પર્ડ (Q&T) સ્ટીલ પ્લેટ્સ, શીટ્સ, સ્ટ્રિપ્સ અને વાઇડ ફ્લેટ્સ માટેના નવા અમલમાં મૂકાયેલા માનક IS 2062 (Part 2):2026 માટે ઓલ ઇન્ડિયા ફર્સ્ટ BIS લાઇસન્સ મેળવનારી ભારતની પ્રથમ સ્ટીલ ઉત્પાદક બની ગઈ છે. સાથે જ, કંપનીએ પ્રી-પેઇન્ટેડ ઝિંક-એલ્યુમિનિયમ-મેગ્નેશિયમ (Zn-Al-Mg) એલોય કોટેડ સ્ટીલ સ્ટ્રિપ અને શીટ માટે IS 19210:2025 હેઠળ BIS લાયસન્સ પણ મેળવ્યું છે, જે ભારતીય બજારમાં વૈશ્વિક સ્તરે અદ્યતન સ્ટીલ સોલ્યુશન્સ લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે.

BIS લાયસન્સના ઓપરેશનલ અને કોમર્શિયલ પ્રભાવ:

  • જાહેર ખરીદી માટે નિયમનકારી પાલન: સરકારી ભંડોળ આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંરક્ષણ અને જાહેર ક્ષેત્રના પ્રોજેક્ટ્સને સ્ટીલ પૂરું પાડવા માટે BIS પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત પૂર્વશરત છે. આ લાઇસન્સ ફરજિયાત ખરીદી માપદંડોને પૂર્ણ કરે છે, જે AM/NS Indiaને આ પ્રમાણિત ગ્રેડની જરૂર હોય તેવા સરકારી ભંડોળ આધારિત પ્રોજેક્ટ્સને સપ્લાય કરવાની મંજૂરી આપે છે.
  • સ્થાનિક ઉપલબ્ધતા અને આયાતનો વિકલ્પ: IS 2062 (Part 2):2026 માટેના પ્રથમ સ્થાનિક લાયસન્સધારક તરીકે, AM/NS Indiaની Q&T સ્ટીલ પ્લેટ્સ માટે સ્થાનિક પુરવઠાનો સ્રોત પૂરો પાડે છે અને એવા બજાર સેગમેન્ટ્સની જરૂરિયાતો પૂરી કરે છે જે અગાઉ આયાતી સામગ્રી પર નિર્ભર હતા.
  • પ્રોડક્ટ પોર્ટફોલિયોનું વિસ્તરણ: આ લાયસન્સથી કંપનીના હજીરા અને પુણે સ્થિત પ્લાન્ટ્સમાં ઉત્પાદિત વિશિષ્ટ ઉત્પાદનોનું વ્યાવસાયિક ધોરણે વિતરણ શક્ય બનશે; આ ઉત્પાદનોમાં ભાર સહન કરવો પડે તેવા સ્ટ્રક્ચરલ ઉપયોગો અને કાટ-પ્રતિરોધક કોટિંગ ધરાવતા ઉત્પાદનોનો સમાવેશ થાય છે

હજીરા અને પુણે ખાતે આવેલી AM/NS Indiaની અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓમાં ઉત્પાદિત આ પ્રમાણિત ઉત્પાદનો, ઝડપથી બદલાઈ રહેલી ઔદ્યોગિક જરૂરિયાતોને અનુરૂપ વિશિષ્ટ ઉકેલો વિકસાવવાની કંપનીની ટેકનિકલ ક્ષમતા અને તત્પરતા બતાવે છે. આ સિદ્ધિ કંપનીના પ્રતિષ્ઠિત ટ્રેક રેકોર્ડમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરે છે;
પહેલાંથી જ AM/NS Indiaનું સ્ટીલ ચેનાબ રેલ બ્રિજ અને INS સુરત, INS વિશાખાપટ્ટનમ તથા તાજેતરમાં સેવામાં નિયુક્ત કરવામાં આવેલા INS માલવણ જેવા વ્યૂહાત્મક નૌકાદળના પ્લેટફોર્મ્સ સહિતની મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંપત્તિઓના નિર્માણમાં યોગદાન આપી રહ્યું છે.

તાજેતરમાં રજૂ કરાયેલ IS 2062 (ભાગ 2):2026 ખાસ કરીને ક્વેન્ચ્ડ એન્ડ ટેમ્પર્ડ સ્ટીલ પ્લેટ્સ માટે વિકસાવવામાં

આવેલું પ્રથમ BIS માનક છે. વિશિષ્ટ હીટ-ટ્રીટમેન્ટ પ્રક્રિયા દ્વારા ઉત્પાદિત Q&T સ્ટીલ અસાધારણ મજબૂતી અને ટકાઉપણું આપે છે, જેનાથી વધુ વજન સહન કરી શકે તેવા હળવા છતાં મજબૂત માળખાઓનું નિર્માણ કરવાનું શક્ય બને છે. આ ઉત્પાદનો સલામતી અને કાર્યક્ષમતા અત્યંત મહત્વપૂર્ણ હોય તેવા પુલ, ભારે એન્જિનિયરિંગ સાધનો, ખાણકામની મશીનરી, ઓફશોર સ્ટ્રક્ચર્સ, દરિયાઇ ક્ષેત્રના ઉપયોગો અને અન્ય પડકારજનક ઔદ્યોગિક વાતાવરણમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.

IS 19210:2025 માનક પ્રી-પેઇન્ટેડ ઝિંક-એલ્યુમિનિયમ-મેગ્નેશિયમ કોટેડ સ્ટીલ ઉત્પાદનો માટે ગુણવત્તા ફ્રેમવર્ક સ્થાપિત કરે છે. આ કેટેગરી હેઠળ AM/NS India દ્વારા પૂરું પાડવામાં આવતું ઉત્પાદન Optigal® પર આધારિત છે, જે આર્સેલરમિત્તલની વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ઝિંક-એલ્યુમિનિયમ-મેગ્નેશિયમ કોટેડ સ્ટીલ ટેકનોલોજી છે. પરંપરાગત કલર કોટિંગવાળા સ્ટીલનાં ઉત્પાદનોની તુલનામાં, અદ્યતન કોટિંગ નોંધપાત્ર રીતે શ્રેષ્ઠ કાટ પ્રતિકાર, ઉન્નત અદ્યતન સ્તરનું રક્ષણ, લાંબી આવરદા અને ઓછી જાળવણીની જરૂરિયાતો જેવા લાભો આપે છે. આ ઉત્પાદનોનો વ્યાપકપણે છત અને ક્લેડીંગ, પ્રી-એન્જિનિયર્ડ ઇમારતો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેરહાઉસિંગ, રેલ્વે અને ઔદ્યોગિક બાંધકામમાં ઉપયોગ થાય છે.

AM/NS India હાલમાં 25 BIS લાઇસન્સ ધરાવે છે, જેમાં IS 3039, IS 18809:2024 અને IS 2062 (ભાગ 2):2026 હેઠળના 3 પ્રતિષ્ઠિત ઓલ ઇન્ડિયા ફર્સ્ટ લાઇસન્સનો સમાવેશ થાય છે; આ બાબત ભારતીય બજારમાં અદ્યતન સ્ટીલ ટેકનોલોજી અને વિશ્વ-સ્તરીય ઉત્પાદનો પૂરા પાડવામાં કંપનીનું સતત મોખરાનું સ્થાન બતાવે છે.

તાજેતરમાં પ્રાપ્ત થયેલી આ સ્વીકૃતિઓ કંપનીની પ્રતિષ્ઠાને આ ક્ષેત્રમાં એક પ્રચંડ અગ્રણી તરીકે રજૂ છે, જે વૈશ્વિક સ્તરે સ્થાપિત થયેલા સ્ટીલ સંબંધિત સોલ્યુશન્સ પૂરા પાડવા માટે સક્ષમ છે અને ભારતના લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદન વિકાસને તાકાત આપે છે.

શેલબી હોસ્પિટલ, સુરત એડવાન્સ્ડ કિડની ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે નવા માપદંડો સ્થાપિત કરે છે

 

સુરત, ગુજરાત – શેવબી હોસ્પિટલે છેલ્લા ૧૨ મહિનામાં ૨૫ કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે જે સ્વાપ (SwaD) અને ABO-ઇનકમ્પેટીબલ (ABO-Incompatible) પ્રોસિજર્સમાં અદ્યતન ક્લિનિકલ સિદ્ધિઓ પર આધારિત છે.

અદ્યતન ટ્રાન્સપ્લાન્ટ હાઇલાઇટ્સ અને નિષ્ણાત ટીમનો સહયોગ

૨૫ સફળ ટ્રાન્સપ્લાન્ટ: અત્યંત કુશળ મલ્ટિડિસિપ્લિનરી ટીમ દ્વારા છેલ્લા એક વર્ષમાં પૂર્ણ

પાયોનિયરિંગ સ્વાપ અને ABO-ઇનકમ્પેટીબલ પ્રોસિજર્સ: દક્ષિણ ગુજરાતમાં સીપ્રથમ પ્રાઇવેટ કોર્પોટેટ હોસ્પિટલ સેટિંગમાં સ્વાપ કિડની ટ્રાન્સપ્લાન્ટ, બહુવિધ ABO-ઇનકપેટીબલ ટ્રાન્સપ્લાન્ટન્ટ્સ અને જટિલ રી-ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પાર પાડ્યા.

 

દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ વખત એક અત્યંત જટિલ કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. આ કેસમાં દર્દીનું આ બીજી વખતનું કિડની ટ્રાન્સપ્લાન્ટ હતું અને સૌથી મોટો પડકાર એ હતો કે તે ‘ABO ઇનકમ્પેટીબલ’ એટલે કે દાતા અને દર્દીનું બ્લડ ગ્રૂપ અલગ હતું

સ્પેશિયાલાઇઝડ ક્રિટિકલ કેર અને એનેસ્થેસિયા ટીમ: કિટિકલ સ્પેશિયાલિટી (ડૉ. અરુલ અને ટીમ) તથા એનેસ્થેસિયા ટીમ (ડૉ. કેવિન દેસાઈ અને ટીમ) ના નિષ્ણાત સહયોગથી સજ્જ, પ્રી-ઓપરેટિવ અને ક્રિટિકલ કેર મેનેજમેન્ટમાં ચોકસાઈ સુનિશ્ચિત કરે છે.

 

શેલ્બી હોસ્પિટલનો વધતો કિડની ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમ સુરતને ગુજરાતના અદ્યતન હેલ્થકેર હબ તરીકે વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે, ખાસ કરીને જટિલ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં.

મુખ્ય નેતૃત્વના વિચારો

ડૉ. મુકેશ ગોયલ, કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિજિશિયન:

“સુરતની ટ્રાન્સપ્લાન્ટ ડેસ્ટિનેશન તરીકે બદલાતી છબી એક ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધિ છે. શેલબીમાં અમારી વ્યાપક ટીમ અમને સ્વાપ અને ABO-ઇનકમ્પેટીબલ જેવા જટિલ ટ્રાન્સપ્લાન્ટ કરવાની ક્ષમતા પૂરી પાડે છે, જેથી દર્દીઓને ઘરની નજીક ઉચ્ચ ગુણવત્તાની સારવાર મળી રહે. ”

ડૉ. ભાર્ગવ પંડ્યા, કન્સલ્ટન્ટ યુરોસર્જન:

“કિડની ટ્રાન્સપ્લાન્ટ આપણા માટે માત્ર એક સર્જરી નથી–આ કોઈ દર્દીને એક નવું જીવન અને નવી આશા આપવાનો પ્રયાસ છે. આપણું લક્ષ્ય માત્ર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નથી, પરંતુ દર્દીને ડાયાલિસીસની નિર્ભરતાથી આગળ વધારીને એક સ્વસ્થ, સ્વતંત્ર અને વધુ સારા જીવન તરફ લઈ જવાનું છે.”

IDTના ફેશન ડિઝાઇનિંગ વિદ્યાર્થીઓ દ્વારા ‘જન્માષ્ટમી રનવે’નું અનોખું સર્જન

 

સુરત: જન્માષ્ટમીના પાવન પર્વને સર્જનાત્મકતા, ભારતીય સંસ્કૃતિ અને ફેશન ડિઝાઇન સાથે જોડીને IDTના ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓ દ્વારા એક અનોખું ‘જન્માષ્ટમી રનવે’ તૈયાર કરવામાં આવ્યું છે. આ રનવેમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે જોડાયેલી વિવિધ લીલાઓને ફેશનના માધ્યમથી રજૂ કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણના જીવન અને બાળપણની વિવિધ પ્રસંગોને આધાર બનાવીને અલગ-અલગ થીમ પર ગારમેન્ટ્સ ડિઝાઇન કર્યા છે. જેમાં શ્રીકૃષ્ણ જન્મ, મહાભારત, યમુના લીલા, કાળીયા નાગ લીલા, માખણચોર, હોળી ઉત્સવ, ગોવર્ધન લીલા અને ગવાલા જેવી વિવિધ થીમ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દરેક થીમને અનુરૂપ વિદ્યાર્થીઓએ માત્ર ગારમેન્ટ જ નહીં, પરંતુ તેની સાથે જોડાયેલા ઓર્નામેન્ટ્સ, હેડગિયર, એક્સેસરીઝ અને અન્ય ડિઝાઇન એલિમેન્ટ્સ પણ જાતે જ ડિઝાઇન કર્યા છે. આ સમગ્ર પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓએ પરંપરાગત ભારતીય કળા અને આધુનિક ફેશન ડિઝાઇનનું સુંદર સંયોજન રજૂ કર્યું છે.

આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે શ્રીકૃષ્ણના વિવિધ સ્વરૂપો માટે તૈયાર કરવામાં આવેલા લાડુ ગોપાલના પોશાકો વિદ્યાર્થીઓ દ્વારા સંપૂર્ણપણે હેન્ડક્રાફ્ટેડ બનાવવામાં આવ્યા છે. પોશાકોમાં હેન્ડવર્ક, એપ્લિકે વર્ક, એમ્બ્રોઇડરી તથા વિવિધ પ્રકારની સપાટી સુશોભન તકનીકો*નો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરેક પોશાક પાછળ વિદ્યાર્થીઓએ તેમની કલ્પનાશક્તિ, સંશોધન અને ટેકનિકલ કુશળતાનો ઉપયોગ કર્યો છે.

આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓએ થીમ ડેવલપમેન્ટથી લઈને ગારમેન્ટ ડિઝાઇન, કલર કોમ્બિનેશન, ઓર્નામેન્ટેશન, એક્સેસરી ડિઝાઇન અને હેન્ડવર્ક સુધીનું સમગ્ર કાર્ય ટીમવર્ક સાથે પૂર્ણ કર્યું છે.

‘જન્માષ્ટમી રનવે’નો મુખ્ય ઉદ્દેશ માત્ર ફેશન પ્રસ્તુતિ કરવાનો નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, પૌરાણિક વાર્તાઓ અને પરંપરાગત કળાને નવી પેઢીની સર્જનાત્મક દૃષ્ટિ સાથે જોડવાનો છે. વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણની લીલાઓને માત્ર એક વાર્તા તરીકે નહીં, પરંતુ એક વિઝ્યુઅલ ફેશન સ્ટોરી તરીકે રજૂ કરી છે.

આ પ્રોજેક્ટ દ્વારા IDTના વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે ફેશન માત્ર વસ્ત્રો સુધી મર્યાદિત નથી, પરંતુ તે સંસ્કૃતિ, વારસો, કલા, વાર્તા અને સર્જનાત્મકતાને વ્યક્ત કરવાનું એક શક્તિશાળી માધ્યમ પણ છે.

‘જન્માષ્ટમી રનવે’ દ્વારા IDTના વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાને આધુનિક ફેશનની ભાષામાં રજૂ કરીને સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનો અનોખો સંગમ સર્જ્યો છે.

પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે, પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ

 

નવી દિલ્હી, ઓગસ્ટ 2026: પારુલ યુનિવર્સિટીના પત્રકારત્વ અને જનસંચારના વિદ્યાર્થીઓએ છ દિવસના દિલ્હી મીડિયા લીડરશિપ ટૂરમાં ઇન્ડિયા ગેટ પરની લાઇવ રિપોર્ટિંગથી લઈને પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, હિન્દુસ્તાન ટાઇમ્સ, ન્યૂઝ18, ટીવી9, રિપબ્લિક અને એનડીટીવી સુધીના ન્યૂઝરૂમમાં સમાચાર બનવાની આખી પ્રક્રિયા નજીકથી શીખી.

ઇન્ડિયા ગેટ પર લાઇવ રિપોર્ટિંગથી શરૂઆત

ટૂરની શરૂઆત જ મેદાન પરના અનુભવથી થઈ. પહેલા દિવસે ઇન્ડિયા ગેટ પર દરેક જૂથને તૈયારી માટે માત્ર દસ મિનિટ મળી અને પછી કૅમેરા સામે 60 સેકન્ડનો લાઇવ પીસ ટુ કૅમેરા આપવાનો હતો. મોટા ભાગનાં જૂથો માટે કૅમેરા શરૂ થયા પછી બીજી તક નહોતી, અને આ વર્ગખંડથી તદ્દન અલગ, દબાણ હેઠળનો રિપોર્ટિંગ અનુભવ હતો.

સમાચાર કેવી રીતે ચકાસાય છે

પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં એડિટર શુજા ઉલ હકે વિદ્યાર્થીઓને એજન્સીના ત્રણ-સ્રોત નિયમ વિશે સમજાવ્યું, જ્યાં જનહિતને સ્પર્શતી કોઈ પણ ખબર ત્રણ સ્વતંત્ર સ્રોતથી પુષ્ટિ થયા વિના પ્રકાશિત થતી નથી. તેમણે ભાર મૂક્યો કે ઝડપ કરતાં સચોટતા વધુ મહત્વની છે, અને પીટીઆઈ દરરોજ 1,000થી વધુ ટેક્સ્ટ સ્ટોરી તૈયાર કરે છે.

એક ટીવી ન્યૂઝરૂમ કેવી રીતે કામ કરે છે

ન્યૂઝ18, ટીવી9 અને રિપબ્લિકમાં વિદ્યાર્થીઓએ એક ખબરને અસાઇનમેન્ટ ડેસ્કથી લઈને પ્રોડક્શન અને માસ્ટર કંટ્રોલ રૂમ થઈને પ્રસારણ સુધી પહોંચતાં જોઈ. તેમણે સમજ્યું કે એક શાંત દેખાતા ચહેરા પાછળ ગ્રાફિક્સ, સાઉન્ડ અને દિગ્દર્શનની આખી ટીમ સાથે કામ કરે છે. રિપબ્લિકના નોઇડા કૅમ્પસમાં, જેને નેટવર્ક એશિયાનું સૌથી મોટું ઇન્ટિગ્રેટેડ ન્યૂઝરૂમ ગણાવે છે, ક્રોમા સ્ટૂડિયોમાં એન્કરને 3D વાતાવરણમાં મૂકતી ટેક્નોલોજી જોવા મળી.

કાગળથી પ્રિન્ટિંગ પ્રેસ સુધીની સફર

હિન્દુસ્તાન ટાઇમ્સમાં વિદ્યાર્થીઓએ એક તૈયાર પાનું પ્રી-પ્રેસ, પ્રેસ અને મેઇલરૂમ થઈને કેવી રીતે છપાય એ પ્રક્રિયા નિહાળી. તેમણે શીખ્યું કે રંગીન PDFને સાયન, મૅજેન્ટા, પીળા અને કાળા પ્લેટમાં વિભાજિત કરીને પ્રેસ કલાકે 90,000 નકલ સુધી છાપે છે.
રજત શર્મા અને વરિષ્ઠ પત્રકારોની સલાહ

ઇન્ડિયા ટીવીના ચેરમેન રજત શર્માએ વિદ્યાર્થીઓ સાથે બે કલાક વિતાવ્યા અને કહ્યું કે પત્રકારત્વ “ફ્રી, ફેર અને ફિયરલેસ” હોવું જોઈએ, ઝડપી પ્રસિદ્ધિ પર નહીં. એનડીટીવીના પદ્મજા જોશીએ સલાહ આપી કે કારકિર્દી રિપોર્ટિંગથી શરૂ કરવી, અને ઇન્ડિયા ટુડે નેટવર્કના રાજદીપ સરદેસાઈએ સમાચારને દિલ્હી-કેન્દ્રિત નજરે નહીં જોવા કહ્યું. રજત શર્માનું આખું સત્ર યુવા પત્રકારોને તેમની સલાહ પરના લેખમાં નોંધાયેલું છે.

પારુલ યુનિવર્સિટીનો પત્રકારત્વ કાર્યક્રમ

છ દિવસના આ અનુભવમાં વિદ્યાર્થીઓએ રિપોર્ટિંગ, મીડિયા એથિક્સ, બ્રોડકાસ્ટ અને ડિજિટલ પત્રકારત્વની વ્યાવહારિક સમજ મેળવી. સમગ્ર વિગત પારુલ યુનિવર્સિટીના દિલ્હી મીડિયા લીડરશિપ ટૂરના લેખમાં છે. યુનિવર્સિટીનો પત્રકારત્વ અને જનસંચારમાં અનુસ્નાતક (MA JMC) કાર્યક્રમ વિદ્યાર્થીઓને આ જ પ્રકારના વ્યાવહારિક અનુભવ, સ્ટૂડિયો અને ઉદ્યોગ સાથેના જોડાણ સાથે તૈયાર કરે છે.

સુરતમાં સાઈરામ યુવક મંડળ દ્વારા ૨૯મા વર્ષે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન: ‘સૂર્ય કોણાર્ક મંદિર’ની થીમ અને વડાપ્રધાનના જન્મદિને ૭૬ કિલોની કેક કપાશે

 

– ભટાર – અલથાણના કોમ્યુનિટી હોલમાં ગણેશ સ્થાપના સાથે દસ દિવસ સમાજસેવાના કાર્યોનું પણ થશે આયોજન

સુરત: સુરતના અલથાણ ભટાર રોડ પર શાકભાજી માર્કેટ પાસે કમ્યુનિટી હોલ ખાતે સાઈરામ યુવક મંડળ દ્વારા આ વર્ષે ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થતા ગણેશ ઉત્સવનું ૨૯મા વર્ષમાં મંગળ પ્રવેશ સાથે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ‘મન્નત કા રાજા’ તરીકે વિખ્યાત આ ગણેશ મંડળ ખાતે દર વર્ષે શ્રદ્ધાળુઓ પોતાની બાધા-આખડી પૂરી થતાં વિઘ્નહર્તા દેવને મંગળમૂર્તિ અર્પણ કરે છે.

– ૨૯મા વર્ષે ‘સૂર્ય કોણાર્ક મંદિર’ની વિશેષ થીમ

સાઈરામ યુવક મંડળના આયોજક કમલ મેવાવાલાના જણાવ્યા અનુસાર, આ વખતે ગણેશ પંડાલમાં ઓડિશાના પ્રસિદ્ધ ‘સૂર્ય કોણાર્ક મંદિર’ ની આકર્ષક થીમ આધારિત મંડપ તૈયાર કરવામાં આવ્યો છે.
મનોકામના પૂર્ણ કરતા આ ગણરાજ છે જ્યાં છેલ્લા બે દિવસમાં લોકો કાનમાં તેઓની ઈચ્છા કહે. કહે છે. જે પૂરી થતાં શ્રદ્ધાળુઓ અહીં મંગળમૂર્તિ તેમજ સોના-ચાંદીના ઘરેણાં અને નંગના હાર અર્પણ કરતા હોય છે. દર વર્ષે અહીં ભક્તો દ્વારા ૮૦ થી ૧૦૦ જેટલી મંગળમૂર્તિઓ અર્પણ કરતા હોય છે, જ્યારે ગયા વર્ષે જ ૯૬ મંગળમૂર્તિઓ અર્પણ થઈ હતી.

– વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને ૭૬ કિલોની કેક અને ખાસ આયોજન

ગણેશોત્સવ દરમિયાન ૧૭ સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સાઈરામ યુવક મંડળ દ્વારા ખાસ ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાનના ૭૬મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ૭૬ કિલોની કેક કાપવામાં આવશે. આ ઉપરાંત સફાઈ કર્મચારીઓ, કિન્નર સમાજ તેમજ સર્વધર્મ (હિન્દુ, મુસ્લિમ, સિખ, ઈસાઈ) ના લોકો દ્વારા ખાસ મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવશે.

– નરેન્દ્ર મોદીથી લઈને વર્તમાન મુખ્યમંત્રી સુધીના મહાનુભાવો કરી ચૂક્યા છે દર્શન

સાઈરામ યુવક મંડળના આ ગણેશોત્સવનો ઈતિહાસ પણ ખાસ રહ્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૧૨માં, ત્યારબાદ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી તેમજ વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના તમામ મુખ્યમંત્રીઓ આ પંડાલમાં ગણપતિ બાપ્પાના દર્શનાર્થે આવી ચૂક્યા છે. સમગ્ર આયોજન દરમિયાન મંડળ દ્વારા ભક્તિ સાથે સમાજસેવાનો પણ સંદેશ આપવામાં આવે છે. દસ દિવસીય આ ગણેશોત્સવ દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો, નોટબુક વિતરણ તેમજ સામાજિક સમરસતાને જોડતી વિવિધ મહાઆરતીઓનું આયોજન કરવામાં આવે છે.

સુરત શહેરમાં “આઇકોનિક ગ્લોરી એવોર્ડ્સ ૨૦૨૬” યોજાયા

 

અસાધારણ પ્રતિભા ધરાવતા ૫૦થી વધુ વ્યક્તિઓનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું.

સુરત: પ્રતિભા, સિદ્ધિ અને શ્રેષ્ઠતાની ઉજવણી કરતા ભવ્ય કાર્યક્રમ “આઇકોનિક ગ્લોરી એવોર્ડ્સ ૨૦૨૬”નું આયોજન સુરતના જહાંગીરપુરા સ્થિત ‘ધ પ્રિવિલેજ – રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ’ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ‘આદિત્ય ગ્લોબલ આઇકોન્સ’ના સ્થાપક આરતી એમ. માલ્કે દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને ગુરુકૃપા વિદ્યાલય (મોરાભાગળ), સિટી એજ્યુકેશન, વિનફાસ્ટ (VinFast), મહાવીર મોબાઈલ, કર્મિક ઈવેન્ટ્સ, શૌર્ય એન્ટરપ્રાઈઝિસ, માલ્કે એન્ટરપ્રાઈઝિસ, ડીએમ લૂપ + લાઈવલૂપ, માયફ્લેજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એવિએશન એન્ડ હોસ્પિટાલિટી, Fnx અને બિગ એફએમ (Big FM) દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો.

આ એવોર્ડ સમારોહનું આયોજન એવી વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા અને સન્માનિત કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું હતું જેમણે પોતાની પ્રતિભા, ક્ષમતા અને અસાધારણ યોગદાન દ્વારા વિવિધ ક્ષેત્રોમાં આગવી ઓળખ બનાવી છે.

હિન્દી ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ની જાણીતી અભિનેત્રી અદાહ શર્મા “આઇકોનિક ગ્લોરી એવોર્ડ્સ ૨૦૨૬”માં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી હતી. તેમણે વિશિષ્ટ વિજેતાઓને વ્યક્તિગત રીતે એવોર્ડ અર્પણ કર્યા હતા. આ ભવ્ય એવોર્ડ શોમાં હેતલ પુનીવાલા, કનુભાઈ ટેલર, તરુણ મિશ્રા અને અન્ય ઘણા ઉદ્યોગપતિઓ તથા પ્રભાવશાળી વ્યક્તિઓ (ઇન્ફ્લુએન્સર્સ) ઉપસ્થિત રહ્યા હતા, જેનાથી આ કાર્યક્રમ એક ભવ્ય અને યાદગાર સફળતા બની રહ્યો.

વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન દ્વારા તેમને નવી ઓળખ મળી, અને સમાજમાં સક્રિય અન્ય સંસ્થાઓને કંઈક વિશેષ કરવા તથા શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પ્રેરણા મળી. આ એક સફળ સફરની માત્ર શરૂઆત હતી અને તેનો બીજો ભાગ (Part 2) ટૂંક સમયમાં આવી રહ્યો છે…

દત્તાશ્રય આશ્રમમાં સવા લાખ પાર્થેશ્વર શિવલિંગ સાથે ઉજવાયો ભવ્ય શિવભક્તિ મહોત્સવ

 

ખરચ ખાતે આવેલા દત્તાશ્રય આશ્રમમાં શ્રાવણ માસના અંતિમ દિવસે સવા લાખ એટલે કે ૧,૨૫,૦૦૦ પાર્થેશ્વર શિવલિંગ સાથે ભવ્ય શિવભક્તિ મહોત્સવ યોજાયો હતો. આશ્રમ દ્વારા સતત ૧૧મા વર્ષે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં હજારો ભક્તોએ ઉપસ્થિત રહી ભગવાન શિવની આરાધના કરી હતી. ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયેલી ભસ્મ આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

સમગ્ર આયોજન અંગે આચાર્ય ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે સવારથી જ આશ્રમ ખાતે ભક્તોની અવરજવર શરૂ થઈ હતી. ભગવાન શિવના ભજનો અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર આશ્રમ પરિસર ભક્તિમય બની ગયું હતું. સવા લાખ પાર્થેશ્વર શિવલિંગની વિશેષ પૂજા-અર્ચના સાથે ભગવાન શિવની આરાધના કરવામાં આવી હતી. ત્યારબાદ ભસ્મ આરતી યોજાઈ હતી, જેમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે ભક્તોએ ભગવાન શિવના ચરણોમાં શાંતિ, લોકકલ્યાણ તેમજ સૌના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ધાર્મિક વિધિઓ દરમિયાન આશ્રમ પરિસરમાં ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો.

આચાર્ય મનન પંડ્યાએ જણાવ્યું હતું કે દત્તાશ્રય આશ્રમ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી શ્રાવણ માસના પવિત્ર અવસરે શિવભક્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ પરંપરાના ભાગરૂપે ૧૧મા વર્ષે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

પારુલ સેવાશ્રમ હોસ્પિટલ NABH નર્સિંગ એક્સલન્સ ર્ટિફિકેશન મેળવનારી વડોદરાની પ્રથમ અને ગુજરાતમાં બીજી હોસ્પિટલ બની

 

પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચ સાથે જોડાણમાં પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ગુણવત્તાયુક્ત હેલ્થકેર આપવા સતત ખંતપૂર્વક કામ કરે છે, જેણે એક નવું સીમાચિહ્ન સર કર્યું છે. પારુલ સેવાશ્રમ હોસ્પિટલે પ્રતિષ્ઠિત NABH નર્સિંગ એક્સલન્સ સર્ટિફિકેશન મેળવ્યું છે. આ સર્ટિફિકેશન મેળવનારી પારુલ સેવાશ્રમ હોસ્પિટલ વડોદરામાં પ્રથમ અને ગુજરાતમાં ફક્ત બીજી હોસ્પિટલ છે. આ સફળતાએ હોસ્પિટલની અત્યાધુનિક નર્સિંગ સિસ્ટમ, દર્દીની સલામતી, નૈદાનિક ગુણવત્તા અને દર્દી-કેન્દ્રીત હેલ્થકેર સેવાઓ આપવાની કટિબદ્ધતાની વધુ પુષ્ટિ કરી છે.

પારુલ સેવાશ્રમ હોસ્પિટલ એક ટીચિંગ હોસ્પિટલ છે, જે 1100 બેડની મલ્ટિસ્પેશિયાલિટી અને સુપર-સ્પેશિયાલિટી સેવાઓ આપે છે. હોસ્પિટલ પોતાની હેલ્થકેર સેવાઓ આપવાના ભાગરૂપે નર્સિંગ કુશળતા સાથે પોતાની નૈદાનિક અને ગુણવત્તાયુક્ત માળખાને મજબૂત કરી રહી છે. નર્સિંગ એક્સલન્સ સર્ટિફિકેશન એવી હોસ્પિટલોને જ મળે છે, જે દર્દીની સારવાર, નૈદાનિક અને સારવારમાં સલામતી, ઇન્ફેક્શન નિવારણ અને નિયંત્રણ, નર્સિંગ લીડરશિપ અને પરિણામોનાં મૂલ્યાંકન જેવા મુખ્ય ક્ષેત્રોમાં સતત અને શ્રેષ્ઠ નર્સિંગ રીતો ધરાવે છે.

આ સર્ટિફિકેશન નર્સિંગ કેરમાં સાતત્યતા અને જવાબદારી તરફ મહત્વપૂર્ણ પગલું છે. પ્રમાણભૂત નર્સિંગ આચારસંહિતા અને વ્યવસ્થિત નૈદાનિક રીતો એ સલામત સારવાર, ઇન્ફેક્શન નિવારણ અને હાનિકારક ઘટનાઓ ઘટાડવાનો આધાર છે. દર્દીઓને માળખાબદ્ધ જાણકારી, અસરકારક સંચાર અને સારવારની સાતત્યતા એ વધારે શ્રેષ્ઠ, સુમાહિતગાર રીતે દર્દીને સારો અનુભવ આપે છે. આ સર્ટિફિકેશન સ્વતંત્ર, રાષ્ટ્રીય માન્યતા પણ પ્રદાન કરે છે કે હોસ્પિટલની નર્સિંગ સિસ્ટમ અને રીતો ગુણવત્તાના સુપરિભાષિત ધારાધોરણો પૂર્ણ કરે છે.

નર્સિંગ કોઈ પણ હેલ્થકેર સંસ્થાનું હાર્દ છે, જેમાં નર્સો પ્રવેશથી લઈને નૈદાનિક નિરીક્ષણથી સારવારમાં ટેકો આપવા, તેની જાણકારી આપવા અને રિકવરી સુધી ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. એટલે NABH નર્સિંગ એક્સલન્સ સર્ટિફિકેશન સંસ્થાગત વ્યવસ્થાઓની સાથે રોજિંદી કામગીરીમાં શિસ્ત, નૈદાનિક ક્ષમતા અને દર્દી-કેન્દ્રીત અભિગમને પણ દર્શાવે છે.

પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સીઓઓ સુશ્રી એકતા મોદીએ આ સીમાચિહ્નરૂપ સર્ટિફિકેશન પર કહ્યું હતું, “આ સર્ટિફિકેશન અમારા માટે માન્યતાની સાથે અમારી નર્સોની કટિબદ્ધતા, શિસ્ત અને સંવેદનાનું પ્રતીક છે. અમને લાગે છે કે, આ સફળતા અમારી નર્સિંગ ટીમને શીખવા, સુધરવા અને સારસંભાળના માપદંડોને વધારવા પ્રેરિત કરશે. અમારું ધ્યાન દ્રઢતા સાથે એ સુનિશ્ચિત કરવા પર છે કે, અમારે ત્યાં આવતા તમામ દર્દીઓને નૈદાનિક ઉત્કૃષ્ટતાના સર્વોચ્ચ ધારાધોરણો સાથે સલામત, સંવેદનશીલ, પુરાવા પર આધારિત અને સાતત્યપૂર્ણ સારવાર મળે.”

NABH નર્સિંગ એક્સલન્સ સર્ટિફિકેશન એ પારુલ સેવાશ્રમ હોસ્પિટલની હાલ ચાલુ ગુણવત્તાની સફરમાં એક વધારો છે, જેમાં NABH ફૂલ એક્રેડિટેશન, NABH સ્ટ્રોક સર્ટિફિકેશન, NABH સર્ટિફાઇડ બ્લડ બેંક અને NABL સર્ટિફાઇડ લેબોરેટરી શામેલ છે. આ તમામ એવોર્ડ સંયુક્તપણે હોસ્પિટલની હેલ્થકેરના તમામ પાસાંમાં ગુણવત્તા અને સલામતી પ્રત્યેની કટિબદ્ધતા પર ભાર મૂકે છે.

આ સીમાચિહ્ન હોસ્પિટલના હેલ્થકેર વાતાવરણ ઊભું કરવાના બૃહદ્ વિઝન પર પણ ભાર મૂકે છે, જ્યાં ગુણવત્તા સર્ટિફિકેશનની સાથે રોજિંદી કામગીરીમાં વણાયેલી છે. પારુલ સેવાશ્રમ હોસ્પિટલ દર્દીની સલામતી, નૈદાનિક પરિણામો અને સંવેદનશીલ સારસંભાળ સાથે હેલ્થકેર સેવાની આતુરતા દર્શાવે છે, જે નર્સિંગ લીડરશિપને મજબૂત કરવાનું, નૈદાનિક પ્રક્રિયાના પ્રમાણીકરણ અને સતત સુધારાની શૈલીને પ્રોત્સાહન આપવાનું હાર્દ છે.

આ નવી માન્યતા હોસ્પિટલની નર્સિંગ ટીમની વ્યાવસાયિક રીતોના ધારાધોરણો વધારવા અને હેલ્થકેરની બદલાતી જરૂરિયાતો સાથે સતત વિકસવા પ્રોત્સાહન આપે છે. આ સર્ટિફિકેશન પારુલ સેવાશ્રમ હોસ્પિટલની ગુણવત્તાની કામગીરીની સફરમાં એક વધુ પગલું છે, જે દરેક પ્રક્રિયા, દરેક સંવાદ અને દરેક દર્દીના અનુભવમાં છે.

ઓડિશાના AM/NS ઇન્ડિયા જિમ્નેસ્ટિક્સ હાઇ-પરફોર્મન્સ સેન્ટરની ઓલિમ્પિયન પ્રણતિ નાયક એશિયન ગેમ્સ 2026માં ભારત તરફથી રમશે

 

 

આઇચી-નાગોયા એશિયન ગેમ્સ માટે પસંદગી પામેલી એકમાત્ર ભારતીય જિમ્નાસ્ટ

 

મુંબઈ, 14 સપ્ટેમ્બર 2026: ભુવનેશ્વર સ્થિત ‘ઓડિશા AM/NS ઇન્ડિયા જિમ્નેસ્ટિક્સ હાઇ-પરફોર્મન્સ સેન્ટર’ (ઓડિશા AM/NS GHPC) ખાતે તાલીમ મેળવી રહેલી ઓલિમ્પિયન પ્રણતિ નાયકને 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન જાપાનના આઇચી-નાગોયા ખાતે યોજાનારી 20મી એશિયન ગેમ્સ 2026માં ભારત તરફથી રમવા માટે પસંદ કરવામાં આવી છે.

પ્રણતિ એશિયન ગેમ્સ માટે પસંદગી પામેલી એકમાત્ર ભારતીય જિમ્નાસ્ટ છે અને તે આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સમાં મહિલાઓની વૉલ્ટ અને ઓલ-અરાઉન્ડ સ્પર્ધાઓમાં ભાગ લેશે.

પોતાના શાનદાર પરફોર્મન્સના પગલે પસંદગી પામેલી પ્રણતિએ તાશ્કંદ, ઉઝબેકિસ્તાન ખાતે યોજાયેલી FIG વર્લ્ડ ચેલેન્જ કપ 2026ની મહિલા વૉલ્ટ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવવા સહિત અન્ય સ્પર્ધાઓ જીતી છે.

AM/NS ઇન્ડિયાના HR અને એડમિનિસ્ટ્રેશન વિભાગના ડાયરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ આશુતોષ તેલાંગે જણાવ્યું હતું કે, એશિયન ગેમ્સ માટે ભારતમાંથી એકમાત્ર જિમ્નાસ્ટ તરીકે પ્રણતિને પસંદ કરવામાં આવી છે તે એક નોંધપાત્ર સિદ્ધિ છે, જેમાં તેનું નિરંતર પરફોર્મન્સ, શિસ્ત અને દૃઢ નિશ્ચય દેખાઈ આવે છે. ઓડિશા AM/NS ઇન્ડિયા જિમ્નાસ્ટિક્સ હાઇ-પરફોર્મન્સ સેન્ટર ખાતે, અમે એથલેટ્સને સર્વોચ્ચ સ્તરે સ્પર્ધા કરવા માટે જરૂરી તાલીમ અને સહાય પૂરી પાડવા પર ધ્યાન આપીએ છીએ. આઇચી-નાગોયા ખાતે ભારત તરફથી રમવા જઈ રહેલી પ્રણતિને અમે ખૂબ જ શુભેચ્છાઓ પાઠવીએ છીએ.”

પ્રણતિ ટોક્યો 2020 ઓલિમ્પિક ગેમ્સમાં ભારત તરફથી રમી હતી અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સતત શાનદાર પરફોર્મન્સ કર્યું છે. 2026માં, તેણે તાશ્કંદમાં યોજાયેલી FIG વર્લ્ડ ચેલેન્જ કપમાં સિલ્વર મેડલ અને 54મી ઓલ ઇન્ડિયા રેલવે જિમ્નેસ્ટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, તેમજ ગ્લાસગો ખાતેની કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારત તરફથી રમી હતી.

વર્ષ 202૫માં, તેણે એશિયન આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ ચેમ્પિયનશિપ અને FIG એપરેટસ વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા, તેમજ 38મી નેશનલ ગેમ્સમાં એક ગોલ્ડ, એક સિલ્વર તથા એક બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. આ ઉપરાંત, તેમણે વિતેલા કેટલાંક વર્ષોમાં રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ્સ અને આંતરરાષ્ટ્રીય FIG સ્પર્ધાઓમાં પણ અનેક મેડલ જીત્યા છે.

ભુવનેશ્વરમાં આવેલું ઓડિશા AM/NS ઇન્ડિયા જિમ્નેસ્ટિક્સ હાઇ-પર્ફોર્મન્સ સેન્ટર, ભારતીય એથલેટ્સને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતાપૂર્વક સ્પર્ધા કરવા સક્ષમ બનાવવાના ઉદ્દેશ્ય સાથે, વિશિષ્ટ કોચિંગ, તાલીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એથ્લેટ સપોર્ટ દ્વારા હાઇ-પરફોર્મન્સ જિમ્નેસ્ટનો વિકાસ કરવામાં સપોર્ટ કરે છે.