Posts by: abhay_news_editor

“SRK પરિવાર દ્વારા ક્રિયમ ફાર્માનો શુભારંભ – દરેક માટે સુલભ આરોગ્યસંભાળનું વચન”

 

“ડાયમંડ ઈન્ડસ્ટ્રી પછી SRK ગ્રૂપનું આરોગ્યક્ષેત્રે નવું પગલું – વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ 20,000 ગામડાં અને શહેરોમાં પહોંચાડવાનો સંકલ્પ”

શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ(SRK) પરિવાર દ્વારા ક્રિયમ ફાર્માનો શુભારંભ – દરેક માટે સુલભ આરોગ્યસંભાળનું વચન

સુરત/મુંબઈ, 11 સપ્ટેમ્બર 2025 : નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK) ફેમિલીએ હવે આરોગ્યસંભાળ અને સર્વાંગી કલ્યાણના ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ નવી પહેલ રૂપે “ક્રિયમ ફાર્મા” નો શુભારંભ કરવામાં આવ્યો છે. સુરતમાં આજે યોજાયેલા ભવ્ય ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, “આરોગ્યમ – આરોગ્ય અને ઉપચારની દિશામાં નવી ઉડાન” થીમ હેઠળ ક્રિયમ ફાર્માનું સત્તાવાર લોન્ચિંગ થયું.

આ પહેલ દ્વારા SRK પરિવાર તેના વિશ્વાસ, જવાબદારી અને શ્રેષ્ઠતા જેવા વારસાને આગળ ધપાવતું, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના વિઝન સાથે આગળ વધી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે નેચરલ ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં SRK ગ્રૂપ છેલ્લા છ દાયકાથી વૈશ્વિક સ્તરે પારદર્શિતા, પ્રામાણિકતા અને વિશ્વાસ માટે જાણીતું છે. આ જ વારસામાંથી જન્મેલું ક્રિયમ ફાર્મા હવે આરોગ્યસંભાળની દુનિયામાં એ જ મૂલ્યોને આગળ વધારશે. જેમ SRK ગ્રૂપે ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે, તેમ ક્રિયમ ફાર્મા ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં વિશ્વસનીયતા અને ગુણવત્તા માટે પ્રતિબદ્ધ છે.

આ લોન્ચિંગ સમારોહમાં સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ(SRK)ના સંસ્થાપક અને ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, કન્સોર્ટિયમ ઓફ એક્રેડિટેડ હેલ્થકેર ઓર્ગેનાઇઝેશન (CAHO) ના પ્રમુખ ડૉ. વિજય અગ્રવાલ, એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર્સ ઓફ ઇન્ડિયા (AHPI) ના ડિરેક્ટર જનરલ ડૉ. ગિરધર જ્ઞાની, સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના સંચાલક અને કિરણ હોસ્પિટલના ચેરમેન શ્રી મથુરભાઈ સવાણી, બિલ ગેટ્સ ફાઉન્ડેશનના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી આર્નવ કપૂર, શ્રી હરિકૃષ્ણ એક્સપોર્ટના સંચાલક અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા તેમજ હેલ્થકેર ઇકોસિસ્ટમના અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ લોન્ચિંગ પ્રસંગે, ક્રિયમ ફાર્માના સ્થાપક શ્રી તેજ ધોળકિયા એ જણાવ્યુ, “આરોગ્યસંભાળ દરેક વ્યક્તિ માટે આવશ્યક છે, પરંતુ વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત દવાઓની ઉપલબ્ધતા હજુ પણ એક પડકાર બનેલી છે. ક્રિયમ ફાર્મા દ્વારા અમે આરોગ્યસંભાળ પ્રદાતાઓ અને દર્દીઓ બંને વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઉભુ કરીને ઉચ્ચ-ગુણવત્તાવાળી દવાઓ પહોંચાડીને આ તફાવત દૂર કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. અમારી આ યાત્રા બિઝનેસની નહીં પણ સેવાની યાત્રા છે. અમે ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવીશું. આ દવાઓ બજારમાં વ્યાજબી ભાવે મળશે. શરૂઆતમાં 20,000 જેટલા ગામ અને શહેરોમાં દવા સપ્લાયનો નિર્ધાર કર્યો છે.”

ક્રિયમ ફાર્મા, અસ્થિરતા અને અસંગત ધોરણોથી ઘેરાયેલા બજારમાં, દૃઢ કાળજી, વ્યાજબી કિંમત અને અડગ નૈતિકતાનું પ્રતીક છે. તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં એન્ટી-ડાયાબેટિક, કાર્ડિયક કેર, ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ, પેઈન મેનેજમેન્ટ, ડર્માસ્યુટિકલ્સ, વિટામિન્સ અને મિનરલ્સ તથા એન્ટી-ઇન્ફેક્ટિવ્સ જેવી દવાઓનો સમાવેશ થાય છે, જે તાત્કાલિક તથા લાંબા ગાળાની બંને આરોગ્ય જરૂરિયાતોને પૂરી પાડે છે.

સુરતના મેયર શ્રી, દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, “હું આ નવી પહેલ શરૂ કરવા માટે SRK ગ્રુપ અને ક્રિયમ ફાર્માને અભિનંદન પાઠવું છું. મને વિશ્વાસ છે કે ક્રિયમ ફાર્માના પ્રયાસોથી અને બિલ ગેટ્સ ફાઉન્ડેશનના સહકારથી કંપનીની દવાઓ સાઉથ આફ્રિકામાં પણ પહોંચે, તેવી શુભેચ્છા પાઠવું છું. પ્રારંભિક તબક્કામાં ક્રિયમ ફાર્મા ગુજરાત અને મહારાષ્ટ્રમાં પોતાનું ફોકસ રાખશે. દર્દીઓ સુધી દવાઓ ઝડપી અને વિશ્વસનીય રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે કંપની ડાયરેક્ટ-ટુ-કેમિસ્ટ ડિસ્ટ્રીબ્યુશન મોડેલ અપનાવશે.”

CAHO ના પ્રમુખ ડૉ. વિજય અગ્રવાલે કહ્યું હતું કે, “મેડિકલ ક્ષેત્રે 100 વર્ષમાં અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે. જોકે હજી પણ જનતા માટે સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રમાં વિશ્વાસનો અભાવ છે. તેમણે CAHO સંસ્થાનો પરિચય આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ સંસ્થાના માધ્યમથી તેઓ સ્વાસ્થ્ય ક્ષેત્રે અનેક વર્ગોમાં કામ કરે છે. તેમણે આરોગ્યસંભાળ ક્ષેત્રને આર્થિક રીતે પોષણક્ષમ અને કાર્યક્ષમ બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, સમાજના દરેક વર્ગને ગુણવત્તાયુક દવાઓ વ્યાજબી ભાવે મળવી જોઈએ. જે રોગોમાં દવા અને આરોગ્યસંભાળથી મૃત્યુ ટાળી શકાય, તે માટે પ્રયાસ ચોક્કસ થવા જોઈએ. ક્રિયમ ફાર્મા તેની દવાઓથી આરોગ્યસંભાળ ક્ષેત્રે ઉમદા કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.”

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, કંપની વર્ષ 2030 સુધીમાં સમગ્ર ભારતમાં દરેક શહેર, નગર અને ગામ સુધી દવાઓ ઉપલબ્ધ કરાવવાનું તેમજ 3,500 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારના અવસર ઉભા કરવાનું લક્ષ્ય ધરાવે છે. સાથે જ જ્યાં વ્યાજબી અને ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓની માંગ છે તેવા ઉભરતા બજારોમાં નિકાસની સંભાવનાઓ પણ કંપની જોઈ રહી છે.

એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર્સ ઓફ ઇન્ડિયા (AHPI) ના ડિરેક્ટર જનરલ ડૉ. ગિરધર જ્ઞાનીએ કહ્યું હતું કે, “દેશમાં હોસ્પિટલમાં 30 ટકા જેટલો ખર્ચ દવાઓનો હોય છે. તેમની સંસ્થા સરકાર સાથે સહકારથી કામ કરે છે. સ્વાસ્થ્ય સેવા જન-જન સુધી લઈ જવા માટે હેલ્થકેર અને મેડિસિન ક્ષેત્રે અફોરડેબિલિટી, અવેલેબિલિટી, એક્સેસિબિલિટી અને ક્વોલિટી ઉપર ફોકસ કરે છે. હાલમાં અગ્રણી કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન (CDMOs) પાસેથી દવાઓનું સોર્સિંગ કરી રહેલી, ક્રિયમ ફાર્મા આગામી તબક્કામાં તેની પોતાની ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવાની યોજના ધરાવે છે.”

શ્રી તેજ ધોળકિયાએ વધુમાં જણાવ્યું હતું કે, “અમારું મિશન એક સરળ માન્યતા પર આધારિત છે – દવાઓ દરેક સુધી પહોંચે તે કોઈ વિશેષાધિકાર નથી, પરંતુ દરેકનો મૂળભૂત અધિકાર છે. અમારી દરેક પ્રોડક્ટ, દરેક ભાગીદારી અને દરેક નિર્ણય આ જ ગુણવત્તા અને પ્રામાણિકતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”

SRK એક્સપોર્ટના બ્રાન્ડ કોર્ડીનેટર શ્રી શ્રેયાંસ ધોળકિયાએ જણાવ્યું હતું કે, “ડાયમંડ-જ્વેલરી ક્ષેત્રે 60 વર્ષની સફળયાત્રા સાથે સાથે હવે અમે ક્ષમતા વિકાસ અને દેશને દવા ક્ષેત્રે સર્વિસ આપવાનો નિર્ધાર કર્યો છે. આરોગ્યસંભાળ એ આપણા દેશની જરૂરીયાત અને ફોકસનું ક્ષેત્ર છે. નવી પહેલની જવાબદારી તેજ ધોળકિયાએ લીધી છે. પ્રારંભિક તબક્કામાં ગુજરાત અને રાજસ્થાનમાં દવાની સપ્લાય કરવામાં આવશે. અમે હાલમાં 60 જેટલાં ડિસ્ટ્રીબ્યુટર સાથે કામકાજ શરૂ કર્યું છે.”

કાર્યક્રમમાં બિલ ગેટ્સ ફાઉન્ડેશનના શ્રી આર્નવ કપૂરે સંસ્થાનો પરિચય કરાવી આરોગ્યસંભાળ ક્ષેત્રે સંસ્થાની કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો.

સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના સંચાલક અને પદ્મશ્રી, શ્રી મથુરભાઈ સવાણીએ સ્વાસ્થ્ય સુધાર અને વ્યાજબી ભાવની દવા ઉપર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, હાલમાં દવાઓ વિશ્વાસ પ્રાપ્ત કરવામાં સંઘર્ષ કરી રહી છે ત્યારે ક્રિયમ ફાર્મા આ ક્ષેત્રને નવો આકાર આપશે. કંપની દવા છેવટના ગામ સુધી પહોચડવા માટે નવો રસ્તો તૈયાર કરશે.

શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના સંસ્થાપક અને ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા કહ્યું હતું કે, “કંપની કીમતી છે, પણ મૂલ્યવાન હોવું જરૂરી છે. તેમણે નવી પહેલ ક્રિયમ ફાર્માને નૈતિક મૂલ્યો સાથે મૂલ્યવાન બનાવવાની અપીલ કરી હતી.”

CAR24 ની એલિટ ફ્રેન્ચાઇઝી Y ઝોન સુરતમાં શરુ, પ્રીમિયમ કાર ખરીદી-વેચાણ હવે વધુ સરળ અને ફાયદાકારક

 

સુરત. ઓટોમોબાઇલ માર્કેટમાં એક નવી ઉર્જા સાથે, CAR24 ની એલિટ ફ્રેન્ચાઇઝી Y ઝોનનો શોરૂમ સુરત શહેરમાં શરુ થયો છે. ગુજરાતમાં માત્ર બે CAR24 ફ્રેન્ચાઇઝી પૈકી પ્રથમ ફ્રેન્ચાઇઝી તરીકે સુરતમાં શરૂ થતી આ સર્વિસ, વડોદરાથી વાપી સુધીના પ્રીમિયમ કાર ચાહકો માટે કાર ખરીદી અને વેચાણની પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને વિશ્વસનીય બનાવશે.

Y ઝોનના સંચાલક યતીન ભક્તા એ જણાવ્યું હતું કે, “સુરતમાં ઉદ્યોગના ઝડપી વિકાસ સાથે કેન્દ્ર સરકાર દ્વારા ઓટોમોબાઇલ ક્ષેત્ર માટે GST દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને આગામી સમયમાં મોટો બૂમ આપશે. હાલ દર મહિને ભારતમાં ત્રણ લાખ કારોનું વેચાણ થાય છે અને તેમાં પણ પ્રીમિયમ કે 10 લાખથી વધુ કિંમતની કારોનું માર્કેટ શેર 25 ટકા છે. રીસેલ કારોના મામલે, દર મહિને છ લાખ કારોનું ટ્રાન્ઝેક્શન થાય છે, જેથી સ્પષ્ટ છે કે આ ક્ષેત્રમાં શ્રેષ્ઠ વિકાસની સંભાવના છે.”

CAR24 Y ઝોન શોરૂમ VR મોલ પાસે ડુમસ રોડ સુરત ખાતે 30,000 સ્ક્વેર ફૂટથી વધુ વિસ્તારમાં ખુલ્યું છે. અહીં એડિશનલ ફેસિલિટીઓ જેવી કે કાર ડિટેલિંગ સેન્ટર, કાર વોશ સેન્ટર, ફાઇનાન્સ, RTO, ઇન્શ્યોરન્સ, CAR મેન્ટેનન્સ એડવાઇસ એક જ છત નીચે મળશે.

કાર 24ના એલિટ હેડ રવિ ઠક્કરે જણાવ્યું હતું કે તેઓ દ્વારા ભારતમાં પહેલી વખત ગ્રાહકો માટે નવી પોલિસી પણ લાગુ કરવામાં આવી છે. જેમાં સૌથી ખાસ છે સેવન ડે રિટર્ન પોલિસી, એક મહિનાની ક્રોમપ્રેહેન્સિવ વોરંટી, સ્પોટ ઓન ફાઇનાન્સ સર્વિસ, જેન્યુઇન સર્વિસ હિસ્ટ્રી ઉપલબ્ધ, સ્પોટ ઓન વેલ્યુએશન, આર સી ટ્રાન્સફર ફેસિલિટીનો સમાવેશ થાય છે. CAR24 Y ઝોનમાં પેન ઇન્ડિયામાં ઉપલબ્ધ તમામ બ્રાન્ડની કાર ખરીદી અને વેચાણ માટે રેડી પોઝિશનમાં ઉપલબ્ધ રહેશે. ત્યારે આ નવી શરૂઆતથી સુરતના પ્રીમિયમ કાર ચાહકોને વિશ્વસનીય અને સંપૂર્ણ સેવા પ્રાપ્ત થશે અને કાર ખરીદવાનું અને વેચવાનું અનુભવું વધુ સરળ બનશે.

ટ્રી ગણેશા અને વિરલ દેસાઈને આંતરરાષ્ટ્રીય ઓળખ, એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

 

પર્યાવરણ જાગૃતિના અનોખા અભિયાન ‘ટ્રી ગણેશા’એ આંતરરાષ્ટ્રીય સ્તરે નવો ઈતિહાસ રચ્યો છે. પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ દ્વારા પાછલા આઠ વર્ષથી ઉજવાતો ‘ટ્રી ગણેશા’ મહોત્સવ એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે. આ ઈવેન્ટને એશિયા બુક દ્વારા વિશ્વની એકમાત્ર ધાર્મિક-સાંસ્કૃતિક ઈવેન્ટ તરીકે ઓળખવામાં આવી છે, જે સંપૂર્ણપણે પર્યાવરણ સંરક્ષણ પર કેન્દ્રિત છે અને જેમાં લાખો યુવાનોની સહભાગિતા જોવા મળી છે.
‘ટ્રી ગણેશા’માં ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્યલાયમેટચેન્જ’ ચળવળ અંતર્ગત વિરલ દેસાઈએ પાછલા આઠ વર્ષોમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓને ‘પર્યાવરણ સેનાની’ તરીકે તૈયાર કર્યા છે. આ મહોત્સવમાં સુરત પોલીસ, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) અને ગુજરાત વન વિભાગ સત્તાવાર રીતે જોડાયેલા છે, જેના સમર્થનથી આ અભિયાને વિશાળ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે.

વિરલ દેસાઈએ જણાવ્યું, “ટ્રી ગણેશા એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ એક એવી ચળવળ છે જે યુવા પેઢીને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરીને આપણા ગ્રહનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો પ્રયાસ કરે છે. એશિયા બુક ઓફ રેકોર્ડની આ ઓળખ આપણી મુહિમની સફળતાનો પુરાવો છે.”

ઉલ્લેખનીય છે કે ‘ટ્રી ગણેશા’માં દર વર્ષે પર્યાવરણ કેન્દ્રી વિવિધ થીમ પર સ્ટડી ટૂર્સ યોજવામાં આવે છે, જે અંતર્ગત બાયોડાવર્સિટી, ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન તેમજ અર્બન ફોરેસ્ટ જેવી વિવિધ થીમ્સ રાખવામાં આવે છે. આ અભિયાનની આંતરરાષ્ટ્રીય ઓળખથી સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજી ઉઠ્યું છે. વિરલ દેસાઈએ આ સફળતા બદલ સુરત પોલીસ, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને ગુજરાત વન વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે, જેમના સહયોગ વિના આ મુહિમ આટલી ઊંચાઈએ પહોંચી શકી ન હોત.

સુપર ડુપર ગુજરાતી ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફરી રિલીઝ થઇ રહી છે

 

તાજેતરમાં સિનેમાઘરોમાં બોલિવુડ ફિલ્મ સૈયારાએ ધૂમ મચાવી છે અને ભારે કલેકશન મેળવ્યું છે. પણ આનાથી પણ વધારે ધૂમ મચાવનારી એક ગુજરાતી ફિલ્મ 25 વર્ષ પહેલાં આવી હતી જેનું નામ હતું’મૈયરમાં મનડું નથી લાગતું’. આ ફિલ્મ એટલી સુપર ડુપર રહી હતી કે 52 સપ્તાહ સુધી ચાલી હતી અને હજુ વધારે ચાલી શકે તેમ હતું, પરંતુ બીજી ફિલ્મોને ચાનસ મળે એના માટે આ ફિલ્મ ઉતારી લેવામાં આવી હતી. એ જમાનામાં આ ફિલ્મ જોવા માટે લાઇનો લાગતી અને લોકો બ્લેકની ટિકીટ ખરીદીને ફિલ્મ જોવા જતા.
ફિલ્મ એટલી સંવેદનશીલ બનાવવામાં આવી હતી કે પ્રેક્ષકો ચોધાર આંસુએ રડતા અને છેલ્લાં ક્લાઇમેક્સમાં તો મહિલાઓ બેભાન થઇ જતી હોવાના બનાવો પણ અનેક સિનેમાઘરોમાં બનેલા. હવે ફરી એક વાર આ ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે આવી રહી છે અને 5 સપ્ટેમ્બર 2025ના દિવસે રિલીઝ થવાની છે.
કોઇ ગુજરાતી ફિલ્મને આટલો બધો ઉમળકો, આટલો બધો પ્રેમ અને આટલો બધો પ્રતિસાદ મળ્યો હોય તેવી કદાચ પહેલી ઘટના હતી. ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડયુસર સુરતના જાણીતા સ્ક્રિપ રાઇટર જશવંત ગાંગાણી હતા, ફિલ્મના મુખ્ય કલાકારો હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠી હતા.કેટલાંક લોકપ્રિય ગીતોને અરવિંદ બારોટે અવાજ આપ્યો હતો અને બાળ કલાકાર તરીકે સુરતની કલાકાર તૃષારિકા રાજ્યગુરુએ અભિનય કર્યો હતો. ગાંગાણી ફિલ્મ પ્રોડકશનના નેજા હેઠળ આ ફિલ્મ રજૂ થઇ હતી.
ફિલ્મના ડિરેક્ટર- પ્રોડ્યુસર જશવંત ગાંગાણીએ કહ્યું કે, ઘણા સમયથી સાથી મિત્રો અને મારા નાનાભાઇ રાજ ગાંગાણી સાથે ચર્ચા થતી હતી કે’મૈયરમાં મનડું નથી લાગતું’ ફરી રિલીઝ કરવી જોઇએ. કારણકે ફિલ્મની જે સ્ટોરી છે એ આજના સમયમાં પણ એટલી જ અપીલ કરે તેવી છે. જશવંત ગાંગાણીએ કહ્યુ કે ફિલ્મનો પ્લોટ એવો છે કે રામ (હિતેન કુમાર) અને રતન ( આનંદી ત્રિપાઠી) બંને પ્રેમમાં પડે છે અને લગ્ન વખતે જ રામના મોંમાંથી લોહી પડે છે અને ખબર પડે છે કે, રામને કેન્સર છે. લગ્ન અધૂરા રહી જાય છે. પરંતુ રતનને રામ પ્રત્યે એટલો અનહદ પ્રેમ હોય છે એટલે રતનની રાહ જોતી હોય છે. તેને ભગવાનમાં આસ્થા હોય છે એટલે રામનું કેન્સરનું ઓપરેશન સફળ થાય છે અને સ્ટોરીનો અંત સુખદ આવે છે. આ ફિલ્મને કારણે અનેક પરિવારો તુટતા બચી ગયા છે. અમે 5 સપ્ટેમ્બરે’મૈયરમાં મનડું નથી લાગતું’ ફરી રિલીઝ કરી રહ્યા છે.


ફિલ્મના મુખ્ય કલાકાર હિતેન કુમારે કહ્યુ કે, 25 વર્ષ પછી ફરી અમારી ફિલ્મ રિલીઝ થઇ રહી છે ત્યારે કોરાણે પડેલી યાદો ફરી તાજી થઇ ગઇ છે. સાથો સાથ અનહદ ખુશી પણ થઇ રહી છે. શૂંટીગ વખતે લગભગ દોઢ મહિનો અમે બધા સાથે રહીને મોજ કરી હતી એ વાતો યાદ આવી ગઇ. હિતેન કુમારે કહ્યુ કે, “મૈયરમાં મનડું નથી લાગતું”ને રજૂ થયાને ૨૫ વર્ષના વહાણા વીત્યા, પણ હજી પણ એટલી જ તરોતાજા છે આપણા સૌના હૃદયમાં.
આનંદી ત્રિપાઠી મધ્ય પ્રદેશના ઇંદોરમાં જન્મેલી છે અને તેને ગુજરાતી આવડતું નહોતું, પરંતુ તેની ફિલ્મમાં પસંદગી થઇ અને એ પછી તો તેણીએ 17 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું. આનંદીએ કહ્યું કે, બહુ ખુશીની વાત છે કે 25 વર્ષ પછી પડદા પર અમારી ફિલ્મ પાછી આવી રહી છે. ખરેખર આ ફિલ્મમાં કામ કરવાની એક અલગ મજા આવી હતી.
તૃષારિકા રાજ્યગુરુએ આ ફિલ્મમાં રતનની ભત્રીજી સોનલ તરીકે બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી. તૃષારિકા આજે તો યુવાન કલાકાર બની ગઇ છે. તૃષારિકાએ કહ્યુ કે, હું આ ફિલ્મમાં બાળ કલાકાર હતી એટલે બધા મારી સાથે બહુ સારુ રાખતા મને સાચવતા અને મારી સાથે મસ્તી પણ કરતા. મને એવી ઇચ્છા છે કે જશવંત ગાંગાણી ફરી આ ફિલ્મ બનાવે અને અને મને રતનનો રોલ ભજવવાની તક મળે.
અરવિંદ બારોટે કહ્યુ કે,આ ફિલ્મના ગીતો ગુજરાતી સંસ્કૃતિ, પ્રેમ અને પારિવારિક ભાવનાઓને પ્રતિબિંબિત કરે છે. ગીતો એટલા બધા લોકપ્રિય થયા હતા કે આજે પણ યુટયુબ પર લોકો સાંભળી રહ્યા છે. જશવંત ગાંગાણીને અભિનંદન આપવા માગું છે કે તેઓ આ જોરદાર ફિલ્મ ફરી લાવી રહ્યા છે.

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીએ એસજીએફઆઈ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું

 

૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ — વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના ઊર્જાસ્વી વિદ્યાર્થી દેવ નંદવાણીએ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI) બેડમિંટન સ્પર્ધામાં ભાગ લઈ શાનદાર દેખાવ સાથે બીજું સ્થાન હાંસલ કર્યું છે. આ સ્પર્ધામાં વિવિધ શાળાઓમાંથી કુલ 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

દેવ નંદવાણીની આ સિદ્ધિએ તેમને હવે રાજ્ય સ્તરની બેડમિંટન સ્પર્ધા માટે પસંદગી અપાવવી છે, જ્યાં તેઓ શાળાનું અને શહેરનું પ્રતિનિધિત્વ કરશે. તેમની મહેનત, લગન અને રમતગમત માટેનો ઉત્સાહ સમગ્ર શાળા માટે ગૌરવની વાત છે.

શાળાના પ્રિન્સિપલે કહ્યું હતું કે, “દેવની સિદ્ધિ માટે અમને ખૂબ જ ગર્વ છે. તેઓએ ગમે તેટલી મહેનત કરી છે અને તેમની રમત જોઈને અમે નિષ્ઠા અને શિસ્તનો પરિચય મેળવ્યો છે. રાજ્ય સ્તરની સ્પર્ધા માટે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ.”

શાળાનું સમગ્ર પરિવાર દેવને શુભકામનાઓ પાઠવે છે અને તેમના ભવિષ્ય માટે શ્રેષ્ઠ ઈચ્છાઓ વ્યક્ત કરે છે.

વર્લ્ડ સિનિયર સિટિઝન્સ ડે નિમિત્તે સેન્ટર ફોર સાઇટ અને મિલિંદ સોમનનું ભારતને આહ્વાન – આંખોના આરોગ્યને પ્રાથમિકતા આપો

 

નવી દિલ્હી [ભારત], 20 ઓગસ્ટ: વર્લ્ડ સિનિયર સિટિઝન્સ ડેના અવસરે, ભારતના અગ્રણી સુપર-સ્પેશિયાલિટી આંખના હોસ્પિટલ નેટવર્ક સેન્ટર ફોર સાઇટ એ વય સાથે જોડાયેલા આંખના રોગોમાં સમયસર સારવારના તાત્કાલિક મહત્વ પર ભાર મૂક્યો છે. ભારતમાં ૬૦ વર્ષથી વધુ વયના ૧૪ કરોડથી વધુ લોકો છે, જેમાંથી લગભગ દરેક ત્રણમાંથી એકને દ્રષ્ટિ સંબંધી સમસ્યા છે. આ પરિસ્થિતિ તેમના સ્વતંત્રતા અને જીવનની ગુણવત્તાને ગંભીર રીતે અસર કરે છે.

વિશ્વવ્યાપી સ્તરે, અંધત્વના ૮૦ ટકા કેસ ટાળવા યોગ્ય છે. તેમ છતાં, ભૂલભુલૈયા માન્યતાઓ અને મોડું સારવાર લીધા કારણે ઘણા વડીલો તેમની દ્રષ્ટિ ગુમાવી દે છે. ભારતમાં અંધત્વનું મુખ્ય કારણ મોતીયા છે, જેને હવે આધુનિક બ્લેડલેસ, રોબોટિક લેઝર સર્જરી દ્વારા એ જ દિવસે સુધારી શકાય છે. ગ્લુકોમા, જેને ઘણી વખત “સાયલેન્ટ થીફ ઑફ સાઇટ” કહેવામાં આવે છે, તે પ્રારંભિક લક્ષણો વગર જ આગળ વધે છે. ડાયાબિટિક રેટિનોપેથી અને અન્ય રેટિનાના રોગો પણ ઝડપથી વધી રહ્યા છે.

જાગૃતિ ફેલાવવા માટે, સેન્ટર ફોર સાઇટ એ ફિટનેસ આઇકન મિલિંદ સોમન સાથે ભાગીદારી કરી છે, જે સક્રિય વૃદ્ધાવસ્થા અને સર્વાંગી સુખાકારીના પ્રતીક છે. આ કેમ્પેઇન કુટુંબોને યાદ અપાવે છે કે નિયમિત આંખની તપાસ વિના આરોગ્ય અધૂરૂં છે.

સેન્ટર ફોર સાઇટ ગ્રુપ ઑફ આઇ હોસ્પિટલ્સના ચેરમેન અને મેડિકલ ડિરેક્ટર ડૉ. મહિપાલ એસ. સચદેવએ જણાવ્યું:

“વૃદ્ધાવસ્થામાં આંખોનું આરોગ્ય એટલે ગૌરવ, આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા. દ્રષ્ટિ નબળી થવી એ વૃદ્ધાવસ્થાનો અનિવાર્ય ભાગ છે એવું સ્વીકારવાની જરૂર નથી, કારણ કે આજની ટેક્નોલોજી અને નિષ્ણાત સારવાર સાથે આવું થવાનું ટાળી શકાય છે.”

ફેમ્ટો સેકન્ડ રોબોટિક લેઝર મોતીયાની સર્જરી હવે દર્દીઓને વધુ સલામતી, ઝડપ અને ચોકસાઈ આપે છે. આધુનિક ઇન્ટ્રાઓક્યુલર લેન્સિસ (IOLs) સાથે, ઘણા વડીલો ફરીથી સ્પષ્ટ દ્રષ્ટિ મેળવી રહ્યા છે અને ચશ્મા પરની નિર્ભરતા ઘટાડી રહ્યા છે, જેથી તેઓ વધુ સક્રિય જીવન જીવી શકે.

સેન્ટર ફોર સાઇટ ભારપૂર્વક કહે છે કે વડીલોની સંભાળ માત્ર દવાઓ અને પોષણ સુધી મર્યાદિત નથી. નિયમિત આંખની તપાસ અંધત્વ અટકાવી શકે છે અને સ્વતંત્રતા જાળવી શકે છે. ધૂંધળી દ્રષ્ટિ, રંગ ફીકા દેખાવા, રાત્રે લાઇટની આસપાસ હેલો દેખાવા અથવા વાંચવામાં મુશ્કેલી જેવા પ્રારંભિક સંકેતોને ક્યારેય અવગણવા જોઈએ નહીં.

Watch the campaign film here: https://www.youtube.com/watch

સુરતમાં પ્રથમ વખત ઇવેન્ટ કોન્ક્લેવ: ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીને મળશે નવો આયામ

 

તારીખ: 23 ઑગસ્ટ 2025 સ્થળ: એડવૈતા બૅન્ક્વેટ એન્ડ લોન, ડુમસ એરપોર્ટ રોડ, સુરત

સુરત. સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિયેશન (SGEMA) દ્વારા સુરતમાં પ્રથમ વખત ભવ્ય ઇવેન્ટ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મંચ ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીના પ્રોફેશનલ્સ, નિષ્ણાતો અને ઉત્સાહી લોકોને એક સાથે લાવીને જ્ઞાન-વિનિમય, નેટવર્કિંગ અને વ્યવસાયના વિસ્તરણ માટે નવા અવસર પૂરા પાડશે. આ કાર્યક્રમમાં 500+ વ્યક્તિઓ જોડાશે તેવી અપેક્ષા છે.આ
કાર્યક્રમનો પ્રારંભ 23 ઑગસ્ટ સવારે 10:00 વાગ્યે થશે. કીનોટ એડ્રેસ સબ્બાસ જોસેફ આપશે, જે રાષ્ટ્રીય સ્તરે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીનું પ્રતિષ્ઠિત નામ છે. ત્યારબાદ ચાર સત્રો—સંગમ, મंथન, બજાર અને ઉત્સવ—રૂપે કાર્યક્રમ આગળ વધશે.
SGEMA ના પ્રમુખ હર્ષ ભાયાએ જણાવ્યું હતું કે
“સુરત દેશના સૌથી ઝડપી ઊભરતા ઇવેન્ટ હબમાંનું એક છે. SGEMAનો પ્રયાસ છે કે અમે પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સને વધુ ઊંચું લઈ જઈએ, યુવાઓને મેન્ટરશિપ આપીએ અને વર્લ્ડ-ક્લાસ ઇવેન્ટ્સ માટે લોકલ ઇકોસિસ્ટમને સક્ષમ બનાવીએ।” તેમના નેતૃત્વ હેઠળ SGEMA ઇન્ડસ્ટ્રી સહયોગ, કૌશલ્ય વિકાસ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપતા કાર્યરત છે.
SGEMA ના ફાઉન્ડર મેમ્બર તથા SGEMA EVOLVE 2025 ના ઇવેન્ટ ચેરમેન વૈભવ અગ્રવાલે જણાવ્યું હતું કે “આ કોન્ક્લેવ સુરતની ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી માટે ઐતિહાસિક પગલું છે. અમારો હેતુ સ્થાનિક પ્રોફેશનલ્સને વૈશ્વિક મંચ પર ઓળખ અપાવવાનો તથા મોટા ઇવેન્ટ્સના આયોજનમાં નિપુણતા મેળવવાનો અવસર પૂરો પાડવાનો છે, જેથી તેઓ નવા ટ્રેન્ડ્સ, ટેકનોલોજી અને નેટવર્કિંગ દ્વારા પોતાના વ્યવસાયને નવા સ્તરે લઈ જઈ શકે.
ચાર સત્રો – ચાર ફોકસ એરિયા
સંગમ: ઉદ્યોગ નિષ્ણાતો, કીનોટ સ્પીકર્સ અને પ્રોફેશનલ્સ સાથે હાઇ-ઇમ્પેક્ટ નેટવર્કિંગ અને આઈડિયા એક્સચેન્જ.
મંથન: ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ્સ, મોટા ઇવેન્ટ્સની પ્લાનિંગ, AI નો ઉપયોગ (લાભ-ગેરલાભ), ઇવેન્ટ સેફ્ટી અને Weddings in India જેવા વિષયો પર ઊંડાણભરી ચર્ચા.
બજાર: ઝડપી વધતા ઇવેન્ટ માર્કેટ, તેની જરૂરિયાતો અને નવા બિઝનેસ મોડલ્સ પર ફોકસ.
ઉત્સવ: સમાપન ભવ્ય સમારોહ સાથે, જ્યાં પ્રતિભાગીઓ દિવસભરની શિખામણની ઉજવણી કરશે અને સહકારના નવા અધ્યાય શરૂ કરશે।

“એક દેશ, એક મિશન – પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” પર નાટકનું આયોજન

 

 19 ઓગસ્ટ, 2025 “એક દેશ, એક મિશન – પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” વિષય પર આજે તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરતના ધોરણ 6 થી 7 ના વિદ્યાર્થીઓ દ્વારા વી. આર. મોલ ખાતે એક અર્થપૂર્ણ અને જાગૃતિસભર નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન માત્ર મનોરંજક જ ન હતું, પરંતુ સમાજમાં એક ઊંડો સંદેશ છોડી જતો કાર્યક્રમ બન્યો હતો.
આ નાટક દ્વારા વિદ્યાર્થીઓએ વડાપ્રધાનશ્રીએ લીધેલા “વર્ષ 2025ના અંત સુધી ભારતમાં એકલ ઉપયોગવાળી પ્લાસ્ટિકને સંપૂર્ણપણે બંધ કરવાની પ્રતિબદ્ધતા” ને સાકાર બનાવવા પોતાની ભૂમિકા નિભાવવાનો પ્રયાસ કર્યો. સાથે જ પ્લાસ્ટિકના ઉપયોગથી થતું પ્રદૂષણ, આરોગ્ય પર થતો પ્રભાવ અને પર્યાવરણના સંકટને રસપ્રદ સંવાદો, ભાવનાત્મક દ્રશ્યો અને અસરકારક અભિનય દ્વારા રજૂ કરવામાં આવ્યા.
નાટકની ખાસિયત એ રહી કે તેમાં વર્તમાન સમયની સચ્ચાઈ, સમાજની ભૂમિકા અને ઉકેલના સૂચનોને સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યા.

વિદ્યાર્થીઓએ સંદેશ આપ્યો કે –
પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરો,
પુનઃઉપયોગ (Reuse) અને પુનઃચક્રણ (Recycle) અપનાવો,
ઘરેલુ ઉપયોગ માટે કપડાના કે જુટના થેલાં વાપરો,
અને સમાજમાં જાગૃતિ ફેલાવો.

વિદ્યાલયની આ પહેલ “ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન” અને સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસના લક્ષ્યો (SDGs) ને અનુરૂપ એક પગલું હતું, જે દર્શાવે છે કે પરિવર્તનની શરૂઆત શાળાઓમાંથી પણ થઈ શકે છે.
આ પ્રસંગે વાલીઓ, શિક્ષકો અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમની ગૌરવવૃદ્ધિ કરી. સૌએ વિદ્યાર્થીઓના ઉત્સાહ અને સામાજિક જાગૃતિની પ્રશંસા કરી.
“એક દેશ – એક મિશન: પ્લાસ્ટિક મુક્ત ભારત” ની આ અભિયાન શાળા સ્તરે પણ સંપૂર્ણપણે જીવંત દેખાઈ.
સંપર્ક માટે:
તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ

જન્માષ્ટમી નિમિત્તે દ્વારકાધીશ પ્રભુને સુરતના નેહલ અને તુષાર દેસાઇના પરીવાર તરફથી વાઘા અને શણગાર અર્પણ

 

શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધાર્મિક મહત્વ ઘરાવતો તહેવાર છે. એમ તો સામાન્ય દિવસોમાં પણ ભગવાન દ્વારકાધીશના વાઘા અર્પણ કરવા એ ખુબ મહત્વની ક્ષણ ગણાય છે પરંતુ જન્માષ્ટમીના પાવન પર્વ પર ભગવાન શ્રીકૃષ્ણને વાઘા અર્પણ કરવી એ જીવનની શ્રેષ્ઠ પળ ગણી શકાય. આ શ્રેષ્ઠ પળ જીવવાનો સુરતના નેહલ દેસાઇ અને તુષાર દેસાઇના પરિવારને મોકો મળ્યો હતો. ફેબ્રુઆરી મહિનામાં જ્યારે નેહલ દેસાઇ પરિવાર સાથે દ્વારકાધીશના દર્શને ગયા ત્યારે જ પ્રભુ માટે વાઘા બનાવવાનો આદેશ જાણે ભગવાન દ્વારા જ થયો હતો. ભગવાન દ્વારકાધીશ માટે વાઘા તૈયાર કરવા માટેની તૈયારી છેલ્લા ચાર મહિનાથી ચાલી રહી હતી.

આ દરમિયાન આ કાર્યની તૈયારી માટે 3 મહિનામાં ત્રણ વાર દ્વારકાધીશના દર્શન કરવાનો પણ મોકો આ પરિવારને સાંપડ્યા હતો. આ વાઘા તૈયાર કરવા માટેની તૈયારી દરમિયાન જ દર્શન, પાદુકા પૂજન અને સત્સંગ તેમજ પ્રભુનો અનંત પ્રેમ આ પરિવાર અને મિત્રમંડળને મળ્યો હતો. ચાર મહિનાની અથાક મહેનત બાદ જ્યારે પ્રભુને વાઘા અર્પણ થયા એ ક્ષણ ભાવુક કરી દેનારી હતી. મંદિરમાં ઉપસ્થિત સહુની આંખમાં આંસુ હતા અને એ જ અશ્રુભીની આંખે સહુ ભગવાન દ્વારકાધીશને નીહાળી રહ્યા હતા. દેસાઇ પરિવાર દ્વારા ન માત્ર દ્વારકાધીશ પરંતુ સાથે 24 મંદિરોના પણ વાઘા તૈયાર કરવામાં આવ્યા હતા જે જન્માષ્ટમીના દિવસે તમામ મંદિરોને અર્પણ કરવામાં આવ્યા હતા. આ વાધા બનાવવાં માટે રિયલ જરી અને ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બે મહિનાની અંદર 28 જેટલા લોકોએ રાતદિવસ એક કરીને આ તમામ વાઘા અને શણગારમાં સહયોગ આપ્યો હતો. આ તમામ વાઘા અને શણગાર હંસ પદ્મલીલાના થીમ પર તૈયાર કરાયા હતો જેનો અર્થ રાજશાહી શણગારે આકૃતિત થયેલું સર્જન એમ થાય છે. ગર્ભગૃહના શણગારમાં દશાવતાર અને સુવર્ણ દરવાજો બનાવવામાં આવ્યો હતો. બધા વાઘા અને શણગાર સુરતમાં તૈયાર કરવામાં આવ્યો અને બાયરોડ દ્વારકા લઇ જવામાં આવ્યા. આ દિવ્ય શણગારમાં ચાંદી અને મોતીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવું પહેલી વખત બન્યું કે જ્યારે એક સાથે 24 મંદિરોના વાઘા એક જ પરિવાર તરફથી અર્પણ કરવામાં આવ્યા હતા.

આ ભગીરથ કાર્યને લઇને નેહલ દેસાઇએ કહ્યું કે, આ અવસરને ઉત્સવ બનાવવાં માટે મને નિમિત્ત માત્ર કરવા માટે સ્વંય દ્વારકાધીશની સાથે સાથે શ્રી ચૈતન્યભાઇ, શ્રી દીપકભાઈ, શ્રી વિજયભાઈ અને શ્રી જીતેન્દ્રભાઈ (જેઓ પુજારી છે) નો નતમસ્તક થઈ દંડવત થઈ હું મારા સમગ્ર પરિવાર ના સભ્યો વૈશાલી, ધ્વનિ, તુષાર, શિવાની અને વિશાંતનો આભાર માનું છું. સાથે જ આ ઋણ સ્વીકાર એ મારી સાથે સતત ૨ મહિનાથી આ સત્કાર્ય મા અડીખમ કાર્ય કરનાર હાર્દિક સોરઠિયા, નિમિષા પારેખ, જિજ્ઞેશ દુધાને, ગૌત્તમભાઈ કાપડિયા, શિવમ માવાવાળા, નકુલ પંડિત, જેનિલ મીઠાઈવાળા, કુશલ ચંદારાણા, મોનિક ગણાત્રા, બાબુભાઈ કે અને એ કે જેઓ એ અમને આ સત્કાર્ય માં આ દિવસો દરમ્યાન પ્રત્યક્ષ કે પરોક્ષ મદદ કરી અને આશીર્વાદ આપ્યા એ સૌને પણ ધન્યવાદ આપું છું. મારા સમગ્ર પરિવાર ને શત શત નમન કે જેમણે મને દિવસ રાત વગર માગ્યાનો સહકાર અને પ્રોત્સાહન બળ આપ્યું.

18 ઓગસ્ટથી ડીસી પટેલ બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ ટૂર્નામેન્ટ સીઝન 3નું આયોજન

 

  • બોક્સ ક્રિકેટમાં છોકરીઓની 39 અને છોકરાઓની 195 મળીને કુલ 234 ટીમો ભાગ લઈ રહી છે
  • પિકલ બોલમાં છોકરાઓની 90 અને છોકરીઓની 42 મળીને કુલ 132 ટીમો સામેલ
  • ટૂર્નામેન્ટમાંથી થનારી આવક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શિક્ષણ પર ખર્ચ કરવામાં આવશે

સુરત. વેસુમાં આગામી 18 ઓગસ્ટથી ડીસી પટેલ બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ ટૂર્નામેન્ટ સીઝન 3નું આયોજન કરવામાં આવ્યું છે. બોક્સ ક્રિકેટમાં છોકરીઓની 39 અને છોકરાઓની 195 મળીને કુલ 234 ટીમો ભાગ લઈ રહી છે, જ્યારે પિકલ બોલમાં છોકરાઓની 90 અને છોકરીઓની 42 મળીને કુલ 132 ટીમો સામેલ છે. ટુર્નામેન્ટનું આયોજન વેસુ સ્થિત સી. બી. પટેલ ક્રિકેટ એન્ડ ફુટબોલ એકેડમી ખાતે કરવામાં આવ્યું છે.

ટૂર્નામેન્ટના આયોજન અંગે માહિતી આપતાં ચેરમેન અને કોલેજના ટ્રસ્ટી કમલેશ ડી. પટેલે જણાવ્યું કે, સીઝન 1 અને 2ની ભવ્ય સફળતા બાદ આ વખતે ડીસી પટેલ બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ ટૂર્નામેન્ટ સીઝન 3નું આયોજન કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટની શરૂઆત વેસુમાં 18 ઓગસ્ટથી થઈ છે. ટૂર્નામેન્ટ દરમિયાન બોક્સ ક્રિકેટમાં છોકરીઓની 39 અને છોકરાઓની 195 ટીમો મળીને કુલ 234 ટીમો ભાગ લઈ રહી છે. જ્યારે પિકલ બોલમાં છોકરાઓની 90 અને છોકરીઓની 42 મળી 132 ટીમો ભાગ લઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ડી.સી. પટેલ એજ્યુકેશનલ કેમ્પસ સ્થિત 6 કોલેજોના 2600થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. ફાઇનલમાં વિજેતા અને ઉપ-વિજેતા ટીમોને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવશે. કમલેશ પટેલે વધુમાં જણાવ્યું કે, આ ટૂર્નામેન્ટનો ઉદ્દેશ દક્ષિણ ગુજરાતના આંતરિયાળ વિસ્તારોના ગામડાઓની શાળાઓમાં ભણતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય પહોંચાડવાનો છે. ટૂર્નામેન્ટમાંથી જે પણ આવક થશે તેમાં વધારાની રકમ ઉમેરીને બાળકો માટે શિક્ષણ કિટ ખરીદવામાં આવશે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે કાંઠા વિભાગ નવનિર્માણ મંડળ ના પ્રમુખ પંકજભાઈ જી. પટેલ ઉપસ્થિત રહેશે.