Posts by: abhay_news_editor
સુરતમાં ‘રન ફૉર ગર્લ ચાઇલ્ડ – 2.0’ માટે ૩૦ શ્રેષ્ઠીઓ એક મંચ પર સામાજિક સેવાના નવનિર્માણ માટે આયોજન સમિતિની રચના
સુરત, તા. ૦૬ નવેમ્બર ૨૦૨૫ —
ડૉ. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ, સુરત દ્વારા આયોજિત “રન ફૉર ગર્લ ચાઇલ્ડ – સુરત 2026” ના સફળ આયોજન માટે શહેરના ૩૦ શ્રેષ્ઠીઓ એક મંચ પર આવ્યા અને નવી આયોજન સમિતિની રચના કરવામાં આવી.
સમિતિ વર્ષ ૧૯૮૮થી સુરત શહેરમાં વંચિત, શોષિત અને પીડિત સમાજના બાળકોના શિક્ષણ, આરોગ્ય અને સ્વાવલંબન માટે સતત કાર્યરત રહી છે. આ સેવાકાર્યનો વ્યાપ વધારવા માટે ટ્રસ્ટ દ્વારા “રન ફૉર ગર્લ ચાઇલ્ડ” જેવી પ્રેરણાદાયી મેરેથોનનું આયોજન થાય છે.
ગત વર્ષે યોજાયેલી દોડમાં ૧૧,૦૦૦ થી વધુ ભાગ લેનારોએ મહિલા શક્તિના સમર્થનમાં સુરતના ઇતિહાસમાં અનોખો પાનું લખ્યું હતું. આ સફળતાના આધારે, ૪ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ યોજાનાર “રન ફૉર ગર્લ ચાઇલ્ડ – સિઝન 2” માટે નવી આયોજન સમિતિ રચાઈ.

આ બેઠકમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી રણછોડભાઈ ઢોળિયા તથા મુખ્ય મહેમાન તરીકે શ્રી જે. પી. અગ્રવાલ (રચના ગ્રુપ) ઉપસ્થિત રહ્યા.
આયોજન સમિતિમાં સુરતના અગ્રણી ઉદ્યોગપતિઓ અને સમાજસેવકો જેમ કે —
શ્રી ગોવિંદભાઈ ધોળકિયા (શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ),
શ્રી લવજીભાઈ બાદશાહ (ગોપીન ગ્રુપ),
શ્રી પરમેશભાઈ ગોયલ (પરમેશ્વર ઇમ્પેક્સ),
શ્રી મનીષભાઈ મહારાજવાલા (વિમલ જરી) વગેરેનો સમાવેશ થાય છે.
કોર ટીમના સભ્યો તરીકે —
સંયોજક: શ્રી ઘનશ્યામભાઈ શંકર (રામકૃષ્ણ એક્સપોર્ટ)
સહ-સંયોજકો: શ્રી અમિતભાઈ ગજ્જર (ધ સુરત પીપલ્સ કો-ઓપરેટિવ),
શ્રી રાકેશજી કંસલ (કંસલ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ),
શ્રી રાજેશજી સુરાણા (જૈન સમાજ અગ્રણી),
શ્રી શ્યામજી રાઠી (મહેશ સિલ્ક મિલ્સ)
બેઠક દરમિયાન વિવિધ પ્રતિનિધિઓએ પોતાના વિચારો રજૂ કર્યા:
શ્રી યશવંતભાઈ ચૌધરી એ જણાવ્યું કે “આ દોડ માત્ર દોડ નહીં પરંતુ સમાજના છેવાડાના વર્ગ સુધી શિક્ષણ, આરોગ્ય અને સ્વાવલંબનના સંદેશ પહોંચાડવાની એક સેવા યાત્રા છે.”
શ્રી અમિતભાઈ ગજ્જર એ સૂચન કર્યું કે “દોડના રૂટ અને મેદાન પર ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓનું લાઇવ પ્રદર્શન કરવાથી જનજાગૃતિ વધુ પ્રભાવશાળી બને.”
શ્રી રાજેશજી સુરાણા એ આ કાર્યક્રમને “શહેરના ગૌરવ અને રાષ્ટ્રીય નવનિર્માણ સાથે જોડાયેલું સામૂહિક અભિયાન” ગણાવ્યું.
શ્રી શ્યામજી રાઠી એ ઉમેર્યું કે “ડૉ. હેડગેવાર ટ્રસ્ટના સાનિધ્યમાં નબળા વર્ગ માટે કામ કરવું એ સેવા અને સૌભાગ્યનું કાર્ય છે — ‘જરૂર છે તો માત્ર તેમને સમજાવીને જોડવાની.’”
સમિતિએ સંકલ્પ કર્યો કે આ વર્ષે પણ “हर कदम सेवा की ओर”ના સૂત્ર સાથે વધુ વ્યાપક આયોજન કરવામાં આવશે, જેથી દરેક સમાજના, દરેક ઉંમરના લોકો આ સેવા યાત્રામાં જોડાય.
બેઠકના અંતે વિશ્વાસ વ્યક્ત થયો કે “રન ફૉર ગર્લ ચાઇલ્ડ – 2.0 સુરત 2026” સમાજમાં વધુ સેવા, સંવેદના અને શિક્ષણની દિશામાં પ્રેરણાનું નવું પાનું લખશે.
વધુ માહિતી માટે:
🌐 www.runforgirlchild.org
‘3 C’s & Company – લક્ઝરી લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી’ અને ‘એલિટ જ્વેલ્સ’નું સુરતમાં ભવ્ય ઉદ્ઘાટન, બોલીવુડ અભિનેત્રી ઇશિતા રાજની હાજરીમાં યોજાયો કાર્યક્રમ
સુરત. જ્વેલરી ઉદ્યોગના બે નવા નામ 3 C’s & Company – લક્ઝરી લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી અને Elite Jewels – નેચરલ ડાયમંડ એન્ડ પોલ્કી જ્વેલરીનું સુરત શહેરમાં ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બંને શોરૂમનું ઉદ્ઘાટન ન્યુ સિટી લાઈટ રોડ પર રૂંગટા એસ્ટેલા (G-27, G-28) ખાતે બોલીવુડ અભિનેત્રી અને 3 C’s & Co. ની બ્રાન્ડ એમ્બેસેડર ઇશિતા રાજની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
આ પ્રસંગે 800થી વધુ વિશિષ્ટ મહેમાનો, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, સુરતના અગ્રણી જ્વેલર્સ અને ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સુરતની પરંપરાગત કારીગરી અને આધુનિક લક્ઝરી જ્વેલરી ડિઝાઇનનો અદભૂત સંગમ જોવા મળ્યો.
બંને શોરૂમમાં નેચરલ ડાયમંડ, લેબ ગ્રોન ડાયમંડ અને પોલ્કી જ્વેલરીનો આકર્ષક તથા અનોખું કલેકશન રજૂ કરવામાં આવ્યું હતું. કંપનીના જણાવ્યા અનુસાર અહીં ઉપલબ્ધ લેબ ગ્રોન ડાયમંડ કલેકશન ઉચ્ચ ગુણવત્તાવાળું છે, જે ભારત ખાસ કરીને સુરતમાં નિર્મિત છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઈન ઈન્ડિયા’ વિઝનને સાકાર કરે છે. 400થી વધુ ડિઝાઇનર પીસ ધરાવતું આ કલેકશન પરંપરાગત અને આધુનિક શૈલીનું સુંદર સંમિશ્રણ રજૂ કરે છે.
કંપની ડિરેક્ટર પ્રિયંક ગુરનાની એ જણાવ્યું હતું કે અમે છેલ્લા 15 વર્ષથી જ્વેલરી ઉદ્યોગ સાથે જોડાયેલા છીએ. અમને ગર્વ છે કે સુરત જેવા વૈશ્વિક ડાયમંડ હબમાંથી એવી બ્રાન્ડની શરૂઆત કરી રહ્યા છીએ જે ભારતીય કારીગરી, નવીનતા અને આંતરરાષ્ટ્રીય શૈલીનું પ્રતિનિધિત્વ કરે છે. ભવિષ્યમાં અમારું લક્ષ્ય ગુજરાત, ભારતના વિવિધ શહેરો અને વિદેશોમાં પણ 3 C’s & Co. Luxury Jewelleryના લક્ઝરી શોરૂમ ખોલવાનું છે.”
કંપની ડિરેક્ટર રચિત પોદ્દારે જણાવ્યું હતું કે અમારું ઉદ્દેશ ગ્રાહકોને માત્ર જ્વેલરી નહીં પરંતુ એક લક્ઝરી અનુભવ આપવાનું છે. દરેક ડિઝાઇન એક વાર્તા કહે છે અને દરેક કલેકશન એક ભાવના વ્યક્ત કરે છે. લેબ ગ્રોન ડાયમંડ પર્યાવરણમિત્ર, ટકાઉ અને આવનારી પેઢી માટે વધુ ઉત્તમ વિકલ્પ છે. અમે ભારતને આ દિશામાં નવી ઓળખ અપાવવાની પ્રતિબદ્ધતા ધરાવીએ છીએ.
આ પ્રસંગે અભિનેત્રી ઇશિતા રાજે જણાવ્યું હતું કે સુરત મહેનતી અને સર્જનાત્મક લોકોનું શહેર છે. અહીંની જ્વેલરીની ફિનિશિંગ અને કલા ખરેખર અદ્ભુત છે. આ શહેરમાં આટલું સુંદર લક્ઝરી બ્રાન્ડ લોન્ચ થવું એ ગર્વની બાબત છે.
ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત મહેમાનો અને જ્વેલરી ઉદ્યોગના પ્રતિનિધિઓએ નવા કલેકશનની પ્રશંસા કરતા જણાવ્યું કે સુરતમાં આંતરરાષ્ટ્રીય સ્તરના લક્ઝરી જ્વેલરી બ્રાન્ડ્સના આગમનથી શહેરની પ્રતિષ્ઠા વધુ ઊંચી જશે.
બાળદિન ઊજવણી – વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ
સુરત, 14 નવેમ્બર 2025: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળદિનની ઉમંગભેર અને રંગીન ઉજવણી કરવામાં આવી. બાળકોની નિર્દોષતા, સર્જનાત્મકતા અને આનંદભરી ઊર્જાને સમર્પિત આ વિશેષ દિવસે સમગ્ર કેમ્પસ ખુશીના પાસાંથી ઝળહળી ઉઠ્યો. વિદ્યાર્થીઓ માટે આયોજિત વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓએ આ દિવસને યાદગાર બનાવી દીધો.
કાર્યક્રમની શરૂઆત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરીને અને آنان માટે ખાસ રજૂઆતો કરીને કરવામાં આવી. વિદ્યાર્થીઓએ આર્ટ એન્ડ ક્રાફ્ટ, સંગીત, નૃત્ય, વાર્તાવાચન, ઇન્ટરએક્ટિવ ગેમ્સ તેમજ ટીમ વર્ક, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધારતી કક્ષાની ખાસ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
શિક્ષકોએ બાળકોને આનંદિત કરવા માટે સરપ્રાઇઝ સેગમેન્ટ પણ આયોજન કર્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીના લહેરો દોડીને શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેનો સ્નેહબંધ વધુ મજબૂત બન્યો. સમગ્ર શાળા પરિસરમાં આખો દિવસ આનંદ અને ઉજાસનું વાતાવરણ છવાયેલું રહ્યું, જે બાળદિનના સાચા અર્થ—બાળપણની કલ્પનાઓ, નિર્દોષતા અને ઉજ્જવળ ભવિષ્યની આશાનું પ્રતિબિંબ–રૂપ હતું.
આ પ્રસંગે વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલની પ્રિન્સિપલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ વ્યક્ત કર્યું:
“બાળકો અમારા સંસ્થાનું હ્રદય છે. તેમની જિજ્ઞાસા, ઉત્સાહ અને સપનાઓ અમને દરરોજ પ્રેરણા આપે છે. આ ઉજવણી અમને તેમના પ્રતિભાને પ્રોત્સાહન, તેમના વિકાસને સહારો અને તેમને સુરક્ષિત, આનંદમય અને સમૃદ્ધ પર્યાવરણ આપવાની અમારી પ્રતિબદ્ધતાની યાદ અપાવે છે.”
આ ઉજવણી દ્વારા શાળાએ સર્વાંગી વિકાસ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનાવી તથા સંદેશ આપ્યો કે દરેક બાળક અનન્ય છે અને પ્રેમ તથા પ્રોત્સાહન પ્રાપ્ત કરે તો મહાન સિદ્ધિઓ હાંસલ કરી શકે છે.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુણવત્તાયુક્ત શિક્ષણ, નૈતિક મૂલ્યો અને અનુભવાધારિત અધ્યયન પર ખાસ ધ્યાન આપીને દરેક બાળકને શોધવા, વ્યક્ત થવા અને ઉત્તમતા પ્રાપ્ત કરવાની તક અપાવતું રહે છે.
ચિલ્ડ્રન ડે પર સુરતના અનાથ બાળકો માટે પવાસિયા પરિવારનું માનવીય અભિયાન
ત્રણ રેસ્ટોરન્ટમાં રમતો, નૃત્ય, ભોજન અને ગિફ્ટ સાથે ઉત્સાહભેર ઉજવણી, 180 બાળકોના ચહેરા પર ખીલી ઉઠ્યું સ્મિત
સુરત : શહેરના જાણીતા હોટેલિયર ઉમેશ પવાસીયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચિલ્ડ્રન ડેના અવસરે અનાથ બાળકો સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. “ખુશી વહેંચો, પ્રેમ ફેલાવો” સૂત્ર સાથે યોજાયેલી આ માનવીય પહેલમાં શહેરના વિવિધ અનાથ આશ્રમના 180 બાળકોને આમંત્રિત કરીને આનંદભર્યા કાર્યક્રમો યોજાયા હતા.
બપોરે ઓરન રેસ્ટોરન્ટ ખાતે તેમજ સાંજે સ્પાઇસ વીલા અને પેવેલિયન રેસ્ટોરન્ટ ખાતે બાળકો માટે ડાન્સ, ગેમ્સ અને મનોરંજક એક્ટિવિટીઝ યોજાઈ હતી. બાળકો હાસ્ય અને આનંદમાં ગરક થઈ ગયા હતા. બાળકોને વિશેષ મેન્યુ સાથે સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું અને અંતે દરેક બાળકને ભેટ આપીને વિદાય આપવામાં આવી હતી.
હોટેલ સંચાલક ઉમેશ પવાસીયાએ જણાવ્યું હતું કે, આ અભિયાનનો હેતુ માત્ર ઉજવણી કરવાનો નથી, પરંતુ એવા બાળકોના જીવનમાં ખુશીનો એક પળ પૂરું પાડવાનો છે. ઘણા લોકો અનાથ આશ્રમોમાં જઈ મદદ પૂરી પાડે અને બાળકોને ભોજન કરાવે છે જે સારી બાબત છે પણ જ્યારે અમારી પાસે જ્યારે હોટેલ જેવું પ્લેટફોર્મ છે તો તેનો ઉપયોગ સમાજકાર્ય માટે થાય એમાં મને ખુશી છે. કરણ કે અમે સમુદાય સાથે જોડાયેલી કંપની છીએ અને લોકોને એકસાથે લાવતા, સમાજ માટે કંઈક સારું કરતા ગર્વ અનુભવી રહ્યા છીએ, ઉમેશ પવાસીયાએ વધુમાં જણાવ્યું. આ પહેલ પવાસિયા હૉસ્પિટાલિટીનો સમાજ પ્રત્યેનો લાગણીસભર અને જવાબદારીનો અભિગમ બતાવે છે, જેનાથી બીજા લોકોને પણ દયાળુ બનવા અને જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવા પ્રેરણા મળે છે. અને એ યાદ અપાવે છે કે નાનકડી દયા પણ કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે
‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર
પ્રોડ્યુસર જશવંત ગંગાણીનો નવો પ્રયોગ : દિગ્દર્શક તરીકે યુવા નિહાર ઠક્કરને આપી તક
સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં દર્શકોને મંત્રમુગ્ધ કરવા આવી રહી છે. ફિલ્મનું નિર્માણ જાણીતા ફિલ્મમેકર જશવંત ગંગાણીએ કર્યું છે, જ્યારે દિગ્દર્શનનું કાર્ય યુવા અને પ્રતિભાશાળી નિહાર ઠક્કર એ સંભાળ્યું છે.
પ્રોડ્યુસર જશવંત ગાંગાણીએ જણાવ્યું હતું કે આ ફિલ્મમાં બે અલગ સંસ્કૃતિઓ વચ્ચે થતો ટકરાવ પ્રેમના માધ્યમથી રજૂ થાય છે. લીડ કાસ્ટમાં પરીક્ષિત તમાલિયા અને કુમ્પલ પટેલની જોડી છે, સાથે હેમંત ખેર, સોનાલી લેલે દેસાઈ, કમલ જોશી, અર્ચન ત્રિવેદી અને લિનેશ ફણસે ના ઉત્તમ અભિનયથી ફિલ્મને વધુ જીવંત બનાવવામાં આવી છે. જ્યારે લુક અને એટિટ્યુડ નો સામનો પ્રેમ સાથે થાય છે, ત્યારે કોણ જીતે?” આ ફિલ્મનો સંદેશ સ્પષ્ટ છે કે ‘પ્રેમ હંમેશા જીતે છે અને ભય હારે છે.’

ફિલ્મનું મુખ્ય પાત્ર એવા અભિનેતા પરીક્ષિત તમાલિયાએ ફિલ્મના દિગ્દર્શક અને રાઈટર નિહાર ઠક્કરની સલાહ પર પોતાના પાત્ર માટે ચાર મહિના સુધી ફિઝિક અને હેરસ્ટાઇલ પર મહેનત કરી, જ્યારે કુમ્પલ પટેલએ બોલવાની રીત, બોડી લેંગ્વેજ અને પાત્રની નાનામોટી બાબતો પર દિગ્દર્શકના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ કરી. હેમંત ખેર, સોનાલી લેલે દેસાઈ, કમલ જોશી, અર્ચન ત્રિવેદી અને લિનેશ ફણસે એ પણ પોતાના રોલ્સમાં અદ્ભુત પરફોર્મન્સ આપ્યું છે.
પ્રોડ્યુસર જશવંત ગંગાણીએ વધુમાં કહ્યું હતું કે આ ફિલ્મનું નામ ‘આવવા દે’ રાખવાનું કારણ એ છે કે પ્રેમ અને જીવન બંનેમાં આમંત્રણ જરૂરી છે — આવો, પ્રેમમાં પડો!” સાથે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “મેં પ્રથમ વખત નવા દિગ્દર્શક નિહાર ઠક્કરને તક આપી છે, કારણ કે હું માનું છું કે નવી પેઢીના વિચારો ગુજરાતી સિનેમાને નવી દિશા આપે છે. અત્યાર સુધી મારી દરેક ફિલ્મની સ્ક્રિપ્ટ થી માંડીને ડાયલોગ અને ગીતો પણ હું જાતે જ લખતો હતો પણ યુવા ટેલેન્ટને પણ તક મળે તે માટેનો મારો પહેલો પ્રયાસ છે. જોકે આ ફિલ્મમાં ગીતો મારા જ લખેલા છે જેમને અગાઉની જેમજ લોકોનો પ્રેમ મળશે એવી આશા છે. આ ફિલ્મના પાત્રો જૈમિન પંચમતીયા (પરીક્ષિત) અને જાહ્નવી દેસાઈ (કુમ્પલ) વચ્ચેનો પ્રેમ, તેમની લાગણીઓ અને સંબંધની ઊંડાઈ દર્શકોને જોડશે. ફિલ્મના ડાયલોગ્સ ખૂબ જ નેચરલ અને રિયલ લાગશે, જે દરેક યુવા દિલને સ્પર્શી જશે. જીતેન્દ્ર જાની ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ સંપૂર્ણ ગુજરાતની સાથે મુંબઈમાં પણ ભવ્ય રીતે રજૂ થશે. જો તમે પ્રેમમાં પાડવા માટે તૈય્યાર છો તો આવવા દો.
વેન્ચુરા એરકનેક્ટની માનવસેવા તરફ આગેકૂચ : ઓર્ગન ટ્રાન્સફરની સેવા દ્વારા ગુજરાતની પોતાની વેન્ચુરા એરકનેકટનું “દેવ”-વિમાન બન્યું દેવદૂત
ગયા અઠવાડિયે પહેલી ફ્લાઇટ દ્વારા જામનગરથી અમદાવાદ સુધી ઓર્ગન ટ્રાન્સફર સફળતાપૂર્વક કરવામાં આવ્યું.
સુરત. ગુજરાતના વિભિન્ન શહેરોને હવાઈ માર્ગે જોડતી વેન્ચુરા એરકનેક્ટ એરલાઇન કંપનીએ હવે માનવતાને સમર્પિત નવી સેવા શરૂ કરી છે. કંપનીને તાજેતરમાં ઓર્ગન ડોનેશનના કિસ્સામાં માનવ અંગો (ઓર્ગન)ને એક શહેરથી બીજા શહેર સુધી ઝડપથી પહોંચાડવા માટે મેડિકલ અપ્રુવલ પ્રાપ્ત થયું છે. આ મંજૂરી બાદ, ગયા અઠવાડિયે કંપની દ્વારા પહેલીવાર જામનગરથી અમદાવાદ સુધી એરક્રાફ્ટ મારફતે ઓર્ગન ટ્રાન્સફર સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ સેવા હવે ગુજરાતના વિવિધ શહેરો તેમજ અન્ય રાજ્યોમાં પણ નજીવા દરે ઉપલબ્ધ રહેશે.
આ સેવા શરૂ કરવા પાછળ કંપનીના પ્રમોટર્સનો ઉદ્દેશ્ય નાગરિક સેવા સાથે જ માનવજીવન બચાવવાનો છે, જેથી તાત્કાલિક સ્થિતિમાં જરૂરિયાતમંદ દર્દીને સમયસર અંગો મળી શકે. વેન્ચુરા એરકનેક્ટની આ નવી પહેલ હેઠળ ઉપયોગમાં લેવાતું વિમાન VT-DEV (દેવ વિમાન) તરીકે ઓળખાય છે — જે નામ પ્રમાણે જ “દેવદૂત” બનીને જીવ બચાવવાનું કાર્ય કરશે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે સુરતને પૂર્ણ એરપોર્ટ સુવિધા ઉપલબ્ધ ન હતી, ત્યારે સુરતના ત્રણ ઉદ્યોગપતિઓ ગોવિંદભાઈ ધોળકિયા, સવજીભાઈ ધોળકિયા અને લવજીભાઈ બાદશાહ એ વર્ષ ૨૦૧૪માં આ હવાઈ સેવા શરૂ કરી હતી. છેલ્લા ૧૧ વર્ષથી કંપની ગુજરાતમાં સફળતાપૂર્વક સેવા આપી રહી છે. વેન્ચુરા એરકનેક્ટ ગુજરાતના નાગરિકોને સાવ નજીવા દરે દૈનિક હવાઇ સેવા પૂરી પાડી રહી છે અને અમદાવાદ, રાજકોટ, ભાવનગર તથા અમરેલીને સુરત સાથે હવાઈ માર્ગે જોડ્યા છે જેથી નાના ગામડાઓના નાગરિકો પણ આસાનીથી શહેરો સાથે જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત નાગરિકોને વધુ સારી સુવિધા મળી રહે તે માટે કંપનીના પ્રમોટર્સ દ્વારા સતત નવા નવા ઇનિશિયેટિવ લેવામા આવતા હોય છે.
ત્યારે આ નવી “ઓર્ગન ટ્રાન્સફર એર સર્વિસ” સાથે “વેન્ચુરા એરકનેક્ટે” ફરી એકવાર સાબિત કર્યું છે કે ખાનગી ક્ષેત્ર પણ માનવ સેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
નવા યુગનું આર્થિક વિશ્વાસ – Aryan Anna Group સાથે સંપત્તિ અને વૃદ્ધિનું સુરક્ષિત ભવિષ્ય
નવી દિલ્હી [ભારત], ૧૦ નવેમ્બર: ભારતના તેજીથી બદલાતા આર્થિક પરિસ્થિતિમાં, Aryan Anna Group એ પોતાનું સ્થાન એક વિશ્વસનીય, આધુનિક અને નૈતિક નાણાકીય સંસ્થાન તરીકે સ્થાપિત કર્યું છે. ગ્રુપનું મુખ્ય ધ્યેય છે – સંપત્તિ સંચાલન (Wealth Management), એસેટ મેનેજમેન્ટ (Asset Management) અને મની લેન્ડિંગ (Money Lending) ક્ષેત્રોમાં એક નવી દિશા આપવી, જ્યાં રોકાણ સાથે વિશ્વાસ અને સ્થિરતા પણ જોડાયેલી હોય.
Aryan Anna Group એ પોતાના અનુભવી નાણાકીય નિષ્ણાતોની ટીમ સાથે એક એવી પદ્ધતિ વિકસાવી છે, જ્યાં દરેક રોકાણકારને વ્યક્તિગત માર્ગદર્શન અને સુરક્ષિત રોકાણની ખાતરી મળે. રોકાણકારોના હિતોને પ્રથમ સ્થાન આપીને, ગ્રુપ સતત વિશ્વસનીય રિટર્ન અને લાંબા ગાળાની વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ગ્રુપની વિશિષ્ટ પહેલ Arha Money Lending એ નૈતિક અને પારદર્શક નાણાં આપલદાપલની નવી ઓળખ આપી છે. આ પહેલ રોકાણકારો અને બોરોવરો વચ્ચે વિશ્વાસપૂર્ણ જોડાણ બનાવે છે, જ્યાં દરેક વ્યવહાર ટેકનોલોજીથી સુરક્ષિત અને ડેટા આધારિત પ્રક્રિયા દ્વારા થાય છે. આથી રોકાણ માત્ર ફાયદાકારક જ નહીં, પણ સંપૂર્ણપણે વિશ્વસનીય પણ બને છે.
ટેકનોલોજી Aryan Anna Groupના કાર્યનું હૃદય છે. ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા રોકાણકારો પોતાના પોર્ટફોલિયોનું રિયલ ટાઈમ નિરીક્ષણ કરી શકે છે અને દરેક નાણાકીય નિર્ણય વધુ માહિતીપૂર્ણ રીતે લઈ શકે છે.
વિશ્વાસ, પારદર્શિતા અને નવીનતાના આધાર પર Aryan Anna Group આજે એ દિશામાં આગળ વધી રહ્યું છે જ્યાં ભારતીય રોકાણકારોને સુરક્ષિત, આધુનિક અને નૈતિક નાણાકીય ભવિષ્ય મળે.
આજે Aryan Anna Group માત્ર એક કંપની નથી, પરંતુ એ એક વિશ્વાસનું પ્રતિક છે — જ્યાં સંપત્તિનું સંચાલન માત્ર આંકડાઓમાં નહીં, પરંતુ સંબંધો અને વિશ્વાસમાં માપવામાં આવે છે.
Visit Website: https://www.aryanannagroup.com/
સુરતના ઉદ્યોગપતિ પિયુષ દેસાઈની “હિરાબા નો ખમકાર” હેઠળ દીકરીઓના શિક્ષણ સાથે ખેડૂતો માટે ઉદાર પહેલ
આજરોજ વધુ 551 દીકરીઓને સહાય સાથે અત્યાર સુધી કુલ 1102 લાભાર્થી, કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનના પગલે 7500 ગણોત ખેડૂતોને પણ 7,500 રૂપિયા આર્થિક સહાયની પિયુષ દેસાઈની જાહેરાત
સુરત. દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ “હિરાબા નો ખમકાર” અભિયાન હવે લોકઅભિયાનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષભાઈ ભૂરાભાઈ દેસાઈ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત અત્યાર સુધી 551 વ્યક્તિઓને શિક્ષણ સહાય આપવામાં આવી હતી, જ્યારે આજરોજ વધુ 551 દીકરીઓને સહાય અર્પણ કરતાં કુલ લાભાર્થીઓની સંખ્યા 1102 સુધી પહોંચી ગઈ છે. આ સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈને પણ પિયુષ દેસાઇએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા 7500 ગણોત ખેડૂતોને પ્રતિ ખેડૂત 7500 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે.
ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધનતેરસના શુભ દિવસે દરેક દીકરીને રૂ. 7,500ની શૈક્ષણિક સહાય આપવામાં આવી હતી. આ રીતે અત્યાર સુધીમાં કુલ રૂ. 41,32,500ની સહાય વિતરણ કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન દીકરીઓ અને તેમના માતાપિતાના ચહેરા પર આનંદ અને ગૌરવની ઝલક જોવા મળી હતી.

પિયુષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, “દીકરીને શિક્ષણ આપવું એ રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. હિરાબાના આશીર્વાદથી આ યજ્ઞ સતત આગળ વધારવાનો મારો સંકલ્પ છે.” તેમણે જણાવ્યું કે આ અભિયાન દ્વારા કુલ 21,000 દીકરીઓને શિક્ષણ સહાય પહોંચાડવાનો અને તેના માટે કુલ રૂ. 1575 કરોડની સહાય વિતરણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓ, સમાજસેવી અને શિક્ષણપ્રેમી વ્યક્તિઓએ પિયુષભાઈની આ અનોખી પહેલને બિરદાવી હતી અને તેને સમાજના અન્ય ઉદ્યોગપતિઓ માટે પ્રેરણારૂપ ગણાવી હતી.
ઉલ્લેખનીય છે કે, મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પિયુષભાઈ હાલમાં સુરતમાં ટેક્સટાઇલ, બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળ વ્યવસાય કરે છે. તેમ છતાં, સમાજસેવાની ભાવનાથી શરૂ કરાયેલ “હિરાબા નો ખમકાર” અભિયાન તેમની જીવનયાત્રાનું સૌથી સંતોષકારક અને અર્થપૂર્ણ કાર્ય બની રહ્યું છે.
ડેસ્કો ઇન્ફ્રાટેક લિમિટેડે નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિનાના પરિણામો જાહેર કર્યા, બીજા છ મહિનામાં મજબૂત આઉટલુકની ખાતરી આપી
બીજા છ મહિનામાં મજબૂત ટર્નઅરાઉન્ડ માટે ઇન્ટિગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર EPC અને O&M કંપનીની મજબૂત સ્થિતિ
અમદાવાદ (ગુજરાત) [ભારત], ૮ નવેમ્બર: ડેસ્કો ઇન્ફ્રાટેક લિમિટેડ (BSE: 544387) એક સંકલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર EPC અને O&M કંપનીએ તાજેતરમાં 30 સપ્ટેમ્બર, 2025 (નાણાકીય વર્ષ 2025–26 ના પ્રથમ છ મહિના) માટે તેના અનઓડિટેડ નાણાકીય પરિણામો જાહેર કર્યા.
જ્યારે પ્રથમ છ મહિનામાં પ્રોજેક્ટ મોબિલાઇઝેશન અને વ્યૂહાત્મક કાર્યકારી મૂડી રોકાણનો સઘન તબક્કો પ્રતિબિંબિત થયો હતો, ત્યારે કંપની તેના મજબૂત વૃદ્ધિ માર્ગને ફરીથી પુષ્ટિ આપે છે અને નાણાકીય વર્ષ 2025–26 (H2) ના બીજા છ મહિનામાં તરલતામાં સુધારો થવાની અપેક્ષા રાખે છે. આ વિશ્વાસ મજબૂત અમલીકરણ ગતિ, ઉન્નત બેંકિંગ સુવિધાઓ અને સ્થિર ઓર્ડર-બુક રૂપાંતર દ્વારા સમર્થિત છે.
Financial Highlights (Standalone)
| Particulars | H1 FY2025–26 (₹ lacs) | H1 FY2024–25 (₹ lacs) | % Change YoY |
| Revenue from Operations | 4203.96 | 2263.46 | 85.74% |
| EBITDA | 898.89 | 496.68 | 80.96% |
| EBITDA Margin | 21.38% | 21.94% | (56 bps) |
| Profit After Tax (PAT) | 617.14 | 324.93 | 89.93% |
રોકડ પ્રવાહ સંદર્ભ સ્પષ્ટતા
કંપનીએ સમજાવ્યું કે H1 માટે ઓપરેટિંગ રોકડ પ્રવાહ આઉટફ્લો સ્થિતિમાં હતો, જે એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) વ્યવસાયની આંતરિક પ્રકૃતિને પ્રતિબિંબિત કરે છે. આ વ્યવસાયમાં ક્લાયન્ટ તરફથી ચુકવણીઓ પ્રાપ્ત થાય તે પહેલાં નોંધપાત્ર સામગ્રી પ્રાપ્તિ, સાઇટ મોબિલાઇઝેશન અને કાર્યકારી મૂડી જમાવટની જરૂર પડે છે.
तात્કાલિક કાર્યકારી મૂડી જમાવટ માટેના મુખ્ય કારણોમાં શામેલ છે:
- Q4 FY2024–25 અને Q1 FY2025–26 માં મળેલા મોટા EPC કરારો માટે પ્રારંભિક તબક્કે સામગ્રી પ્રાપ્તિ અને મોબિલાઇઝેશન.
- ક્ષેત્રીય ચુકવણી ચક્ર, જ્યાં રકમ સામાન્ય રીતે પ્રમાણપત્ર અને RA-બિલની મંજૂરી પછી પ્રાપ્ત થાય છે, જેથી અસ્થાયી સમયનો તફાવત રહે છે.
- ઇનપુટ ખર્ચને સુરક્ષિત કરવા અને પ્રોજેક્ટની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે વ્યૂહાત્મક ઇન્વેન્ટરી બિલ્ડઅપ અને એડવાન્સ ચુકવણીઓ, ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન.
“આ નજીકના ભવિષ્યમાં ઝડપી વૃદ્ધિ અને અમલીકરણ વધારવા માટે જરૂરી અસ્થાયી તફાવત છે. કંપનીના વ્યવસાય મોડેલમાં સ્વાભાવિક રીતે આવા કાર્યકારી મૂડી ચક્રનો સમાવેશ થાય છે; જો કે, ડેસ્કો ચાલુ અને ભાવિ વિકાસને ટેકો આપવા માટે પૂરતી મૂડી અને રસીદો સાથે મજબૂત નાણાકીય સ્થિતિ જાળવી રાખે છે. મોટાભાગની પ્રોજેક્ટ રકમો સપ્ટેમ્બર પછી પ્રાપ્ત થઈ છે, જેથી ઑક્ટોબર–નવેમ્બર 2025 માં તરલતામાં નોંધપાત્ર સુધારો થયો છે,” કંપનીએ જણાવ્યું.
વધુમાં, કંપનીનો દેવા-થી-ઇક્વિટી ગુણોત્તર 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ સ્વસ્થ 0.10:1 પર છે, જે પાછલા વર્ષમાં 0.19:1 હતો. આ રૂઢિચુસ્ત લિવરેજ પ્રોફાઇલ અને મજબૂત બેલેન્સ શીટ ફંડામેન્ટલ્સને દર્શાવે છે.
તરલતા મજબૂત કરવાના પગલાં ચાલી રહ્યા છે
સ્કેલેબલ અમલીકરણ અને અસરકારક કાર્યકારી મૂડી જમાવટને સક્ષમ બનાવવા માટે, ડેસ્કો મુખ્ય બેલેન્સ શીટ મજબૂત કરવાના પગલાં અમલમાં મૂકે છે.
H2 માં મજબૂત વૃદ્ધિ, દૃશ્યતા અને માર્જિન વિસ્તરણ
| Growth Driver | Outlook for H2 FY2025–26 |
| Order Book Visibility | Exceeding ₹345 crore across CGD, Power Transmission, and Water Infrastructure projects |
| Execution Momentum | Multiple high-margin turnkey EPC and O&M projects entering peak execution phase |
| New Business Verticals | CBG (Compressed Biogas) subsidiary expected to begin contributing from FY27 onwards |
| Margin Improvement | Cost rationalization and operational efficiency initiatives are in place, supporting anticipated margin expansion in H2 |
ડેસ્કો તેના મુખ્ય વ્યવસાય વર્ટિકલ્સમાં નોંધપાત્ર અમલીકરણ દૃશ્યતા સાથે નાણાકીય વર્ષ 2025–26 ના બીજા ભાગમાં પ્રવેશ કરે છે.
અમલીકરણ અને નાણાકીય વ્યવસ્થાપન પ્રત્યે શિસ્તબદ્ધ અભિગમ સાથે, ડેસ્કો નાણાકીય વર્ષ 2025–26 ના બીજા છ મહિનામાં નોંધપાત્ર બે-અંકી વૃદ્ધિ અને માર્જિનની ટકાઉપણાની અપેક્ષા રાખે છે.
મેનેજમેન્ટ કોમેન્ટરી
“પ્રથમ છ મહિનામાં અમારો કાર્યકારી રોકડ પ્રવાહ નાણાકીય તાણના સંકેતને બદલે વૃદ્ધિને વેગ આપવા માટે ઇરાદાપૂર્વકના, વ્યૂહાત્મક રોકાણને દર્શાવે છે. ઉપયોગમાં લેવાયેલા સંસાધનોએ એક મજબૂત કાર્યકારી પાયો સ્થાપિત કર્યો છે, જે બીજા છ મહિનામાં ઝડપી અમલીકરણ માટે અમને સક્ષમ બનાવે છે. ઘણા સંસ્થાકીય ગ્રાહકો ચુકવણીઓ મુક્ત કરવા તૈયાર છે, વિસ્તૃત બેંકિંગ સુવિધાઓ ચાલુ છે, અને નવા વર્ટિકલ્સ ઑનલાઇન આવી રહ્યા છે. અમે મજબૂત નફાકારકતા અને યોગ્ય રોકડ ઉત્પાદન દ્વારા ચિહ્નિત થયેલ નોંધપાત્ર રીતે મજબૂત H2 ની અપેક્ષા રાખીએ છીએ.”
– શ્રી પંકજ પ્રુથુ દેસાઈ, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, ડેસ્કો ઇન્ફ્રાટેક લિમિટેડ
ડેસ્કો ઇન્ફ્રાટેક લિમિટેડ વિશે
ડેસ્કો ઇન્ફ્રાટેક લિમિટેડ એક વૈવિધ્યસભર ઇન્ફ્રાસ્ટ્રક્ચર EPC અને O&M કંપની છે, જે સમગ્ર ભારતમાં સિટી ગેસ વિતરણ, પાણી પાઇપલાઇન અને પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સમાં સંલગ્ન છે. કંપની શેરધારકોને લાંબા ગાળાનું મૂલ્ય પહોંચાડવા માટે ટેકનોલોજી આધારિત અમલીકરણ, ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ અને પારદર્શક શાસન પર ભાર મૂકે છે.
આ પ્રેસ રિલીઝ માત્ર માહિતીના ઉદ્દેશ્ય માટે જ જારી કરવામાં આવી છે અને તેને કોઈ પણ પ્રકારની નાણાકીય સલાહ તરીકે નહીં માનવું જોઈએ.
એઆઈ ટેક્નોલોજી આધારિત જ્વેલરી ડિઝાઇનનો યુગ શરૂ: ISGJએ કતારગામમાં નવું GenZ કેમ્પસ શરૂ કર્યું
સુરતના હીરા–જ્વેલરી ઉદ્યોગને મળશે નવી દિશા, નવી પેઢી માટે હાઈટેક કોર્સિસ શરૂ
સુરત. સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે એક નવો અને ટેક્નોલોજીથી સમૃદ્ધ અધ્યાય શરૂ થયો છે. ઇન્ટરનેશનલ સ્કૂલ ઑફ જેમ્સ એન્ડ જ્વેલરી (ISGJ)એ કતારગામ ખાતે પોતાના નવા Next GenZ કેમ્પસનો પ્રારંભ કર્યો છે, જ્યાં AI આધારિત જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ કોર્સિસ શીખવાડવામાં આવશે.
ડાયમંડ અને જ્વેલરી ક્ષેત્રમાં વિશ્વસ્તરીય શિક્ષણ આપતી આ પ્રતિષ્ઠિત સંસ્થા હવે શહેરના હીરા ઉદ્યોગના હૃદયસ્થાન સમા કતારગામ સુધી પહોંચી છે.
નવા કેમ્પસમાં વિદ્યાર્થીઓને 15 પ્રકારના અલગ અલગ જેમ્સ, જ્વેલરી, ડાયમંડ, ડાયમંડ ગ્રેડિંગ, વેલ્યુએશન અને એઆઈ–બેઝ્ડ ડિઝાઇન કોર્સિસ શીખવાડવામાં આવશે. આ કોર્સિસ નવી પેઢીને વૈશ્વિક જ્વેલરી માર્કેટની માંગ પ્રમાણે હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ પૂરી પાડશે.
ISGJ વતી કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે, “કતારગામ ખાતે શરૂ થયેલું આ નવું જ્વેલરી ડિઝાઇન અને રિસર્ચ સેન્ટર આવનારા સમયમાં કતારગામ અને આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો યુવાનોને રોજગારી અને આત્મનિર્ભરતાની તક આપશે. અહીં નવીનતમ હાઈ-ટેક અને AI ટેક્નોલોજીના આધારે ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ શીખવાડવામાં આવશે.”

– આધુનિક સુવિધાઓ સાથેનું 5,000 ચોરસ ફૂટ કેમ્પસ
કતારગામ કેમ્પસ 5,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે, જેમાં સ્ટેટ-ઓફ-દ-આર્ટ વર્ગખંડો, અદ્યતન લેબોરેટરી, મશીનરી અને ટેક્નોલોજીની સુવિધાઓ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓને રિયલ ઈન્ડસ્ટ્રી જેવી પરિસ્થિતિમાં કામ કરવાનો અનુભવ મળે તે રીતે આ ઈન્સ્ટિટ્યૂટ ડિઝાઇન કરાયું છે.
– વૈશ્વિક સ્તરે ISGJનું નામ
ISGJના કેમ્પસ હાલમાં અમદાવાદ, હૈદરાબાદ, શ્રીલંકા અને રશિયામાં કાર્યરત છે અને હવે આફ્રિકામાં પણ તેની હાજરીની તૈયારી છે.
સંસ્થા હાલમાં 27થી વધુ વિશિષ્ટ કોર્સિસ આપે છે, જેમાં ભારતનો પ્રથમ BBA in Jewellery Design & Management અને MBA in Jewellery Business Managementનો સમાવેશ થાય છે. અત્યાર સુધી 25,000થી વધુ વિદ્યાર્થીઓ ISGJમાંથી ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે.
—
📍 સરનામું: ISGJ – કતારગામ કેમ્પસ, 2રું માળ, રાજહન્સ ફ્લેમિંગો, કતારગામ
📞 સંપર્ક: 9925050423
📧 ઈમેઈલ: connect@isgj.org
🌐 વેબસાઇટ: www.isgj.org