Posts by: abhay_news_editor
સુરતની IIFD સંસ્થા દ્વારા ઇન્ટિરિયર ડિઝાઇનિંગ એક્ઝિબિશન ‘આરાસા’નું શાનદાર આયોજન: 10 અનોખી થીમ પર 50થી વધુ વિદ્યાર્થીઓએ બતાવી પોતાની કળા
સુરત. સુરતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા IIFD (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ટિરિયર ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓ માટે એક ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘આરાસા’ નામથી યોજાયેલા આ પ્રદર્શનમાં સંસ્થાના વિદ્યાર્થીઓએ પોતાની અદભુત સર્જનાત્મકતા અને કળાનું પ્રદર્શન કર્યું હતું.
IIFD સુરતના ફાઉન્ડર ડાયરેક્ટર શ્રી મુકેશ માહેશ્વરીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, “અમે છેલ્લા 12 વર્ષથી સતત આ એક્ઝિબિશનનું સફળતાપૂર્વક આયોજન કરી રહ્યા છીએ. આ વર્ષે ‘આરાસા’ પ્રદર્શનમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગના 50થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ અલગ-અલગ સ્પેસ ડિઝાઇન કરવાની સાથે સાથે વિશિષ્ટ થીમ આધારિત અનોખું ફર્નિચર પણ તૈયાર કર્યું હતું.”
આ પ્રદર્શનની મુખ્ય વિશેષતા એ હતી કે તેમાં કુલ 10 અલગ-અલગ અને રસપ્રદ થીમ રાખવામાં આવી હતી. જેમાં એન્ઝાયટી, હેપીનેસ જેવી માનસિક સ્થિતિઓને દર્શાવતી થીમ ઉપરાંત પ્રાણીપ્રેમીઓ માટે ખાસ ‘ડોગ ફ્રેન્ડલી ફર્નિચર’ બનાવવામાં આવ્યું હતું, જ્યાં પાલતુ શ્વાનની સાથે તેના માલિક પણ આરામથી બેસી શકે છે. આ સિવાય પ્રકૃતિથી પ્રેરિત ફ્લેમિંગો થીમ, સંગીતના સાધનોથી પ્રેરિત મ્યુઝિકલ થીમ, જ્યોમેટ્રિકલ શેપ્સ થીમ તેમજ અત્યાધુનિક 3D ડિઝાઇન પર આધારિત ફર્નિચર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, IIFD સંસ્થા સુરતમાં છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે અને 2014થી ફેશન, ઇન્ટિરિયર, ઇવેન્ટ મેનેજમેન્ટ તેમજ સ્કિલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત રોજગારલક્ષી સ્કિલ ડેવલપમેન્ટના વિવિધ કોર્સ કરાવી રહી છે. સંસ્થાનું માનવું છે કે આજના સમયમાં પરંપરાગત શિક્ષણ કરતાં કૌશલ્ય આધારિત (સ્કિલ્ડ) શિક્ષણનું મહત્વ ઘણું વધારે છે. સામાન્ય રીતે ધોરણ 12 પછી વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં 3 વર્ષના કોર્સ દ્વારા કોલેજની સાથે અથવા સ્વતંત્ર રીતે પોતાનું ઉજ્જવળ કરિયર બનાવી શકે છે અને ભવિષ્યમાં સફળ ઇન્ટિરિયર કે ફેશન ડિઝાઇનર તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે છે.
વરાછા રોડ – સુરત ખાતે આજે – મુંજાની ટોયોટા ના નવા સ્ટેટ-ઓફ- આર્ટ શૉરૂમ નો ભવ્ય શુભારંભ.
મુંજાની ટોયોટા – સુરત અને સાઉથ ગુજરાત ના ઉત્કૃષ્ટ ટોયોટા ના ડીલર – હવે સુરત વરાછા ખાતે એમના નવા ગ્રાન્ડ શૉરૂમ થી હવે આપણે વધુ બેહતર સેવા આપવા માટે કટિબદ્ધ છે.
આ ભવ્ય ઉદ્ઘાટન સમારંભ – ટોયોટા કિર્લોસ્કર ના સિનિયર અધિકારી શ્રી સીમંત અરુણ સેન / નીરજ શર્મા સેન / અને મુંજાણી ટોયોટા પરિવાર દ્વારા સયુંકત હસ્તે કરવામાં આવ્યું છે.

ટોયોટા ના અધિકારીશ્રી એ આ શુભ પ્રસંગે – ટોયટા ની વિવિધતમ અને શ્રેઠ શ્રેણી અને ટેક્નોલોજી ની માહિતી આપી છે , કેવી રીતે હાયબ્રીડ ટેક્નોલોજી શ્રેઠ વિકલ્પ એસ યુ વી છે એ સમજાવ્યું છે અને સાથે સાથે – એમણે અને મુંજાણી પરિવાર એ સુરત ની જનતા નો આભાર વ્યક્ત કરવાની સાથે – ભવિષ્ય માં સર્વ શ્રેઠ સેવા ઓ અવિરત આપીશું એવું વચન આપ્યું છે.

આ યાદગાર પ્રસંગ ને વધારે સુશોભિત કરવા માટે – સુરત ની જનતા માટે કોઈ પણ ટોયોટા ની કાર ના બુકીંગ પર સ્પેશ્યિલ ફાયદો પણ એનાઉન્સ કર્યો છે, તો સુરત ની જનતા આ ઓફર નો બેસ્ટ લાભ લેવા મુંજાણી ટોયોટા વરાછા બ્રાન્ચ નો સંપર્ક કરે એવી નમ્ર અપીલ
ગૂગલ, ઓરેકલ, ઇન્ફોસિસ, ફ્લિપકાર્ટ સહિતની વૈશ્વિક કંપનીઓના મેન્ટર્સ રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશનના વિદ્યાર્થીઓને આપ્યું કરિયર માર્ગદર્શન
સુરત ખાતે 10 અને 11 જુલાઈના રોજ યોજાયેલ ‘ફ્યુચર ફોરવર્ડ 2.0–2026’માં સમગ્ર ગુજરાતમાંથી 1200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
સુરત : સુરત રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન દ્વારા તા. 10 અને 11 જુલાઈ, 2026 દરમિયાન સુરતના જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે બે દિવસીય વિશિષ્ટ કરિયર માર્ગદર્શન, ટેક્નોલોજી અને સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ “ફ્યુચર ફોરવર્ડ 2.0 – 2026″નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી 1200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આગામી રોજગાર, કરિયર અને આધુનિક ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતો માટે તૈયાર કરવાનો હતો. બે દિવસ દરમિયાન દેશ-વિદેશની અગ્રણી કંપનીઓમાં કાર્યરત અનુભવી ઇન્ડસ્ટ્રી મેન્ટર્સ વિદ્યાર્થીઓને નવીન ટેક્નોલોજી, કરિયર પ્લાનિંગ, પ્રોફેશનલ સ્કિલ્સ, ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ્સ અને કોર્પોરેટ વિશ્વની વાસ્તવિક જરૂરિયાતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમમાં ગૂગલ, ફ્લિપકાર્ટ, ઓરેકલ, ઇન્ફોસિસ, ફિલિપ્સ, સુઝુકી, મેકિન્સી એન્ડ કંપની સહિતની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કાર્યરત નિષ્ણાતો પોતાના અનુભવ વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા હતા. જેમાં શ્રી અંકિત દુબે (સિનિયર યુએક્સ ડિઝાઇનર), શ્રી અભિજીત બેન્ડીગીરી (ડિરેક્ટર – પ્રોડક્ટ મેનેજમેન્ટ), શ્રી અભિજિથ ગિરિન (આર એન્ડ ડી એન્જિનિયર), શ્રી ઋષભ અગ્રવાલ (સિનિયર લીડ ડેટા એન્જિનિયર) તથા ફિલ્મ ડિરેક્ટર શ્રી જય પરીખ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ પેનલ ડિસ્કશન પણ યોજાયું હતું. જેમાં પેનલિસ્ટ તરીકે મોહિત સાવલિયા, પીયુષ નાકરાણી અને ચક્ષુ અદાણી ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓના માર્ગદર્શન ઉપરાંત આ કાર્યક્રમમાં રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશનના ફેકલ્ટી સભ્યો માટે પણ વિશેષ ટ્રેનિંગ સત્રો પણ આયોજિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓના મેન્ટર્સે ફેકલ્ટીને નવીન ઇન્ડસ્ટ્રી પ્રેક્ટિસ, ટેક્નોલોજી અને શિક્ષણ પદ્ધતિઓ અંગે તાલીમ આપી હતી, જેથી તેઓ વધુ અસરકારક રીતે વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી-રેડી બનાવી શકે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રેઝોન સોલારના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચિરાગ નાકરાણી ઉપસ્થિત રહ્યા હતા.
આયોજકોના જણાવ્યા મુજબ “ફ્યુચર ફોરવર્ડ 2.0 – 2026” માત્ર એક કરિયર ગાઇડન્સ કાર્યક્રમ નહીં, પરંતુ વિદ્યાર્થીઓને ભવિષ્યની સ્પર્ધાત્મક દુનિયા માટે આત્મવિશ્વાસ, યોગ્ય માર્ગદર્શન અને જરૂરી કુશળતાઓ સાથે સજ્જ બનાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ હતો.
‘Bleed With Pride’ : મનોરંજન સાથે સમાજમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ
પરિવાર, મિત્રતા, લાગણીઓ, સંબંધોના ઉતાર-ચઢાવ અને એવો એક સામાજિક વિષય, જેના વિશે આજે પણ ખુલ્લેઆમ વાત કરતાં ઘણા લોકો સંકોચ અનુભવે છે. આવા તમામ પાસાઓને એકસાથે રજૂ કરતી સાત એપિસોડની વેબ સિરીઝ ‘Bleed With Pride’ (બ્લીડ વિથ પ્રાઇડ) 11 જુલાઈથી White Tiger Production Houseની સત્તાવાર YouTube ચેનલ પર નિઃશુલ્ક રજૂ થવા જઈ રહી છે. નિર્માતા જયશીલા ચાવડાનો હેતુ માત્ર મનોરંજક વેબ સિરીઝ રજૂ કરવાનો નથી, પરંતુ સમાજમાં એક જરૂરી ચર્ચાની શરૂઆત કરવાનો પણ છે.
આજે પણ દેશના અનેક વિસ્તારોમાં માસિક ધર્મ (પીરિયડ્સ)ને લઈને અનેક ગેરમાન્યતાઓ અને સામાજિક વરજતો જોવા મળે છે. પીરિયડ્સ, સેનિટરી પેડ, અસ્પૃશ્યતા અને મહિલાઓના સ્વાસ્થ્ય જેવા વિષયો પર પરિવારોમાં ખુલ્લી ચર્ચા થતી નથી. આવી જ વાસ્તવિક પરિસ્થિતિઓ, સામાજિક ઘટનાઓ અને વિવિધ અહેવાલોથી પ્રેરાઈને આ વેબ સિરીઝની રચના કરવામાં આવી છે, જેથી મનોરંજનની સાથે સમાજમાં જાગૃતિ પણ ફેલાઈ શકે.
સિરીઝની વાર્તા એક નાના ગામમાં રહેતી આશા નામની કિશોરીના જીવનની આસપાસ ગોઠવાઈ છે. તેની નાની બહેન છાયા સાથે બનેલી એક દુઃખદ ઘટના પછી આશાનું જીવન બદલાઈ જાય છે. ત્યારબાદ હોસ્ટેલનું નવું વાતાવરણ, નવી મિત્રતા અને જીવનના વિવિધ અનુભવો તેને નવી વિચારસરણી અને નવી દિશા આપે છે. આ માત્ર એક પાત્રની વાર્તા નથી, પરંતુ એવી અનેક દીકરીઓની કહાની છે, જે કોઈ ને કોઈ રીતે સમાજમાં ચાલતી જૂની માન્યતાઓનો સામનો કરે છે.

હોસ્ટેલમાં મળેલી ચાર યુવતીઓની મિત્રતા આ વેબ સિરીઝની સૌથી મોટી તાકાત છે. તેમની મસ્તી, લાગણીસભર ક્ષણો, નાના-મોટા મતભેદ, એકબીજાનો સાથ અને મુશ્કેલ સમયમાં એકબીજાને આપેલો સહારો—આ બધું જ વાર્તાને દર્શકો સાથે જોડે છે. તેથી જ દરેક વયના દર્શકોને આ પાત્રોમાં ક્યાંક ને ક્યાંક પોતાનું કે પોતાના આસપાસના લોકોનું પ્રતિબિંબ જોવા મળશે.
‘Bleed With Pride’ માત્ર પીરિયડ્સ પૂરતી મર્યાદિત નથી. તેમાં PCOD, મહિલાઓનું સ્વાસ્થ્ય, સેનિટરી હાઇજીન, સામાજિક ભેદભાવ, અસ્પૃશ્યતા તેમજ નિઃસંતાનતા (Infertility) જેવા સંવેદનશીલ વિષયોને પણ સરળ અને માનવીય અભિગમ સાથે રજૂ કરવામાં આવ્યા છે. આ સિરીઝ પરંતુ તેની વાર્તા અને પાત્રો દ્વારા વિચારવા અને ખુલ્લી ચર્ચા શરૂ કરવા માટે પ્રેરણા આપે છે.
વેબ સિરીઝમાં આકૃતિ શર્મા, શ્રેયલ કલરા, રિયા સચદેવા અને ગ્રુષા માંધ્યાની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમના અભિનય દ્વારા વાર્તાનો ભાવનાત્મક પાસો અને સામાજિક સંદેશ અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યો છે. બાળ કલાકાર આરોહી પટેલ પણ આ વેબ સિરીઝનો ભાગ છે.

White Tiger Production Houseની સમગ્ર ટીમનું માનવું છે કે કોઈપણ સામાજિક વિષયને લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવો હોય તો તેની સાથે મનોરંજનનું સંતુલન પણ એટલું જ જરૂરી છે. આ જ વિચાર સાથે વેબ સિરીઝમાં ફેમિલી ડ્રામા, મિત્રતા, લાગણીઓ અને સામાજિક સંદેશને સુંદર રીતે વણી લેવામાં આવ્યા છે, જેથી દર્શકો વાર્તા સાથે જોડાયેલા રહે અને સાથે સાથે એક મહત્વના વિષય પર વિચારવા માટે પ્રેરાય.
આ માત્ર એક વેબ સિરીઝ નથી, પરંતુ અનુભવી શકાય એવી એક લાગણીસભર સફર છે. આશા છે કે આ વાર્તા મનોરંજનની સાથે માસિક ધર્મ અને મહિલાઓના સ્વાસ્થ્ય જેવા વિષયો પર દરેક પરિવારમાં ખુલ્લી ચર્ચાની નવી શરૂઆત કરશે.
સિરીઝના તમામ સાત એપિસોડ દર અઠવાડિયે એક પછી એક રજૂ કરવામાં આવશે.
લંડનના હાઉસ ઓફ લોર્ડ્સમાં આચાર્ય ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય મનનભાઈ પંડ્યાને “Global Leader of the Year 2026” એવોર્ડથી સન્માનિત કરાયા.
દત્તાશ્રય આશ્રમ છેલ્લા ૧૧ વર્ષથી સનાતન ધર્મ, વૈદિક સંસ્કૃતિ અને માનવસેવાને સમર્પિત એક પ્રેરણાદાયી આધ્યાત્મિક કેન્દ્ર તરીકે કાર્યરત છે. આશ્રમના સ્થાપક આચાર્ય શ્રી ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય શ્રી મનનભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ લાખો ભક્તો આધ્યાત્મિક શાંતિ, ભક્તિ અને ગુરુકૃપાનો અનુભવ કરી રહ્યા છે.
આચાર્ય શ્રી ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય શ્રી મનનભાઈ પંડ્યાએ માત્ર ગુજરાત કે ભારત પૂરતું જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મ અને ભારતીય આધ્યાત્મિક પરંપરાનો ગૌરવ વધાર્યો છે. વર્ષ ૨૦૨૬માં લંડન સ્થિત બ્રિટિશ સંસદના ઐતિહાસિક “House of Lords” ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય સમારોહમાં બંને આચાર્યશ્રીઓને તેમના આધ્યાત્મિક નેતૃત્વ, માનવસેવા અને સનાતન સંસ્કૃતિના વૈશ્વિક પ્રચાર-પ્રસાર માટે પ્રતિષ્ઠિત “Global Spiritual Leader Award 2026” એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન દત્તાશ્રય આશ્રમ, ગુજરાત અને સમગ્ર ભારત માટે ગૌરવની ઐતિહાસિક ક્ષણ બની છે.
દત્તાશ્રય આશ્રમના સ્થાપક આચાર્ય શ્રી ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય શ્રી મનનભાઈ પંડ્યા, આધ્યાત્મિક ક્ષેત્રમાં અનેક ઐતિહાસિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. વર્ષ ૨૦૨૫માં આયોજિત ભવ્ય ૧૦૦૮ હનુમંત યજ્ઞ અને વર્ષ ૨૦૨૬માં સતત ૨૪ કલાકના અખંડ દત્ત બાવની પાઠને India Book of Records તેમજ Asia Book of Recordsમાં સ્થાન મળ્યું છે. આ સિદ્ધિઓ આશ્રમની ભક્તિ, શિસ્ત અને વૈદિક પરંપરાપ્રતિની અડગ નિષ્ઠાનો જીવંત પુરાવો છે.

આશ્રમની સૌથી વિશેષ ઓળખ છે અખંડ અગ્નિ. છેલ્લા ૧૧ વર્ષથી યજ્ઞશાળામાં અખંડ અગ્નિ સતત પ્રજ્વલિત છે, જે સનાતન પરંપરા, યજ્ઞ સંસ્કૃતિ અને આધ્યાત્મિક ઊર્જાનું પ્રતિક છે. અહીં નિયમિત યજ્ઞ, વૈદિક મંત્રોચ્ચાર અને આધ્યાત્મિક અનુષ્ઠાનો દ્વારા ભક્તોને સકારાત્મક ઊર્જા અને આંતરિક શાંતિનો અનુભવ કરાવવામાં આવે છે.
દરરોજ આશ્રમમાં ભગવાન દત્તાત્રેયની નિત્ય પૂજા, ગુરુ પૂજન, પાદુકા પૂજન, વૈદિક આરતી અને ભજન-સંકીર્તન થાય છે. દર *ગુરુવાર અને રવિવારે મહાભંડારો (મહાપ્રસાદ)*નું આયોજન થાય છે, જેમાં હજારો ભક્તો પ્રસાદનો લાભ લે છે. આશ્રમમાં આવનાર દરેક ભક્તને નિઃસ્વાર્થ ભાવથી સેવા અને પ્રસાદ આપવામાં આવે છે.
દત્તાશ્રય આશ્રમની ગૌશાળા પણ સેવા અને સંસ્કારનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. અહીં ગૌમાતાની સેવા, ગૌપૂજન અને ગૌસંવર્ધન દ્વારા ભારતીય સંસ્કૃતિના આ પવિત્ર મૂલ્યોને જીવંત રાખવામાં આવે છે. ગૌસેવાને આશ્રમમાં વિશેષ આધ્યાત્મિક સાધના તરીકે માનવામાં આવે છે.
દત્તાશ્રય આશ્રમ માત્ર એક મંદિર કે ધાર્મિક સ્થળ નથી, પરંતુ ભક્તિ, સેવા, સંસ્કાર, ગૌસેવા, મહાયજ્ઞ, વૈદિક પરંપરા અને સનાતન ધર્મને સમર્પિત જીવંત આધ્યાત્મિક પરિવાર છે. ગુરુદેવ દત્તની કૃપા, અખંડ અગ્નિની દિવ્ય શક્તિ અને આચાર્યશ્રીઓના માર્ગદર્શનથી આ આશ્રમ લાખો લોકોના જીવનમાં પ્રકાશ, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિનું કેન્દ્ર બની રહ્યો છે.
જય જય દત્તાશ્રય!
જય ગુરુદેવ દત્ત!
સુરતમાં HSW અને SGCCI દ્વારા ‘Journey to Embropreneur’ સેમિનાર યોજાયો, એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં સ્વરોજગારની નવી તકો અંગે માર્ગદર્શન
સુરત: એમ્બ્રોઇડરી ક્ષેત્રમાં પોતાનો વ્યવસાય શરૂ કરવા ઇચ્છુક લોકો માટે HSW અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના સંયુક્ત ઉપક્રમે આગામી 13 જુલાઈથી ‘Journey to Embropreneur’ કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ કોર્સ અંગે માહિતી આપવા માટે શનિવાર, 4 જુલાઈના રોજ નાનપુરા સ્થિત SGCCI Education & Skill Development Centre ખાતે એક નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સેમિનારમાં ફેશન ડિઝાઇનર્સ, બૂટિક સંચાલકો, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો, વિદ્યાર્થીઓ તેમજ ઘરેથી પોતાનો વ્યવસાય શરૂ કરવા ઇચ્છુક મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન HSWના સ્થાપક તપન કાપડિયાએ એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં રહેલી વ્યવસાયિક તકો, ઓછી મૂડીથી વ્યવસાય શરૂ કરવાની રીત, ગ્રાહકો મેળવવાની વ્યૂહરચના, કોસ્ટિંગ, માર્કેટિંગ તથા સફળ એમ્બ્રોઇડરી બિઝનેસ ઊભો કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

સેમિનારમાં એ બાબત પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે એક જ ડિઝાઇનને કોટન, સિલ્ક, ડેનિમ, નિટ અથવા અન્ય અલગ-અલગ પ્રકારના કાપડ પર સફળતાપૂર્વક એમ્બ્રોઇડરી કરવી એ એક કળા છે, જેના માટે યોગ્ય ટેકનિક અને પ્રેક્ટિકલ સમજ જરૂરી છે. આ વિષયની વિસ્તૃત તાલીમ અને પ્રાયોગિક શિક્ષણ ‘Journey to Embropreneur’ કોર્સમાં આપવામાં આવશે.
કોર્સમાં એમ્બ્રોઇડરી મશીનનું પ્રેક્ટિકલ ઓપરેશન, ડિઝાઇનિંગ સોફ્ટવેર, મશીન મેન્ટેનન્સ, ડિજિટાઇઝિંગ, કોસ્ટિંગ, માર્કેટિંગ તેમજ બિઝનેસ ડેવલપમેન્ટ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

છેલ્લા 13 વર્ષથી સિંગલ હેડ એમ્બ્રોઇડરી મશીન ક્ષેત્રે કાર્યરત HSW દેશભરમાં 7000થી વધુ એમ્બ્રોપ્રેન્યોર્સ સાથે જોડાયેલું છે. સેમિનારમાં ઉપસ્થિતોએ કોર્સ પ્રત્યે નોંધપાત્ર રસ દર્શાવ્યો હતો અને આગામી બેચ માટે નોંધણી પણ શરૂ કરવામાં આવી હોવાનું આયોજકો દ્વારા જણાવાયું.
સખીયા સ્કિન ક્લિનિક દ્વારા સુરતમાં અડાજણ ખાતે “સખીયા સ્કિન ક્લિનિક સર્કલ” નો ઉદ્ધાટન સમારોહ યોજાયો
સુરત : સખીયા સ્કિન ક્લિનિક દ્વારા 24 જૂન, 2026 બુધવારે સવારે 8 વાગ્યે સુરતના અડાજણ વિસ્તારમાં ‘સખીયા સ્કિન ક્લિનિક સર્કલ’નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું .
આ નવું ડેવલપ કરવામાં આવેલું સર્કલ સુરતના અડાજણ પાટિયામાં ગુજરાત ગેસ સર્કલની બાજુમાં, દીપા કોમ્પ્લેક્સ ખાતે સ્થિત છે તેમજ સુરત શહેરને એક લેંડમાર્ક તરીકે સમર્પિત કરવામાં આવી રહ્યું છે. આ પહેલ, સખીયા સ્કિન ક્લિનિકની સિવિક બ્યુટિફિકેશન, કોમ્યુનિટી ડેવલપમેન્ટ અને શહેરના જાહેર સ્થળોમાં સકારાત્મક યોગદાન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

નવા ક્લિનિક સર્કલનું ઉદ્ઘાટન સખીયા સ્કિન ક્લિનિકના સંસ્થાપક અને ચીફ ડર્મેટોલોજીસ્ટ ડૉ. જગદીશ સખીયા, સખીયા સ્કિન ક્લિનિકના CEO ડૉ. રૂપલ સખીયા અને સખીયા સ્કિન ક્લિનિકના ડિરેક્ટર શ્રી દામજી રોયની હાજરીમાં કરવામાં આવ્યું .
આ પહેલ અંગે સખીયા સ્કિન ક્લિનિક ટીમે જણાવ્યું હતું કે, “સુરત વિકાસ, સુંદરતા અને પ્રગતિનું શહેર છે. સખીયા સ્કિન ક્લિનિક સર્કલ દ્વારા, અમે સુરતના લોકોને એક ખાસ લેંડમાર્ક સમર્પિત કરીને ગૌરવ અનુભવીએ છીએ. આ સર્કલ એ માત્ર એક જાહેર જગ્યા જ નથી, પરંતુ તે અનેક વર્ષોથી અમારી સફરને સહકાર અને સમર્થન આપનાર શહેર પ્રત્યેની અમારી કૃતજ્ઞતા દર્શાવે છે.”

સખીયા સ્કિન ક્લિનિક હંમેશા અર્થપૂર્ણ પહેલ દ્વારા સમાજમાં યોગદાન આપીને હેલ્થકેરથી આગળ વધવામાં વિશ્વાસ ધરાવે છે. સખીયા સ્કિન ક્લિનિક સર્કલનો વિકાસ, આ શહેરની ઓળખ, શહેરી સુંદરતા અને સમુદાયના ગૌરવને ટેકો આપવાની દિશામાં એક અન્ય પગલું છે. આ ગર્વની ક્ષણની ઉજવણી કરવા માટે, આ ઈવેન્ટમાં શહેરના અગ્રણીઓ, લીડર્સ, નાગરિકો, શુભેચ્છકો અને સખીયા સ્કિન ક્લિનિક ટીમના સભ્યો એકસાથે ભેગા થયા .
મિત્રાજ સાર્વજનિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી ખાતે ઐતિહાસિક પરિવર્તનની નિમિત્તે આભારવિધિ, ટાઈમ કેપ્સ્યુલ સમર્પણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
સુરત, 4 જુલાઈ 2026: મિત્રાજ સાર્વજનિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી (MS-IDPT), સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા ફેકલ્ટી ઑફ આર્કિટેક્ચરના એસસીઈટી કેમ્પસમાંથી નવા એમએસ-આઈડીપીટી કેમ્પસમાં થયેલા ઐતિહાસિક સ્થળાંતરના અવસરે આભારવિધિ, ટાઈમ કેપ્સ્યુલ સમર્પણ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વર્ષ 1995માં સ્થાપિત AAERT અને SSB ફેકલ્ટી ઑફ આર્કિટેક્ચર છેલ્લા ત્રણ દાયકાથી આર્કિટેક્ટ્સ, પ્લાનર્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, કલાકારો અને સર્જનાત્મક વ્યાવસાયિકોની અનેક પેઢીઓનું ઘડતર કરતી આવી છે. શૈક્ષણિક વર્ષ 2026–27થી આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇન, પ્લાનિંગ, ફાઇન આર્ટ્સ તથા વિઝ્યુઅલ આર્ટ્સના તમામ સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો નવા મિત્રાજ સાર્વજનિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી (MS-IDPT) કેમ્પસમાં શરૂ થઈ રહ્યા છે. આ પ્રસંગે સંસ્થાએ પોતાના જૂના કેમ્પસ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને તેની ગૌરવશાળી પરંપરાને વંદન કર્યું. કાર્યક્રમની શરૂઆત સત્યનારાયણ પૂજા સાથે કરવામાં આવી, જેમાં સંસ્થાના નવા અધ્યાય માટે શુભાશિષ અને પ્રાર્થના કરવામાં આવી. આ પ્રસંગે સંસ્થા દ્વારા તૈયાર કરાયેલ ‘ટાઈમલેસ સ્ટ્રક્ચર અને ટાઈમ કેપ્સ્યુલ’નું સમર્પણ કરવામાં આવ્યું. આ કેપ્સ્યુલમાં વર્ષો દરમિયાન પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ, સ્મૃતિઓ, ફોટોગ્રાફ્સ, પ્રકાશનો, અહેવાલો, સંદેશાઓ તેમજ શિક્ષકો, વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોના અમૂલ્ય યોગદાનને સંરક્ષિત કરવામાં આવ્યા છે. આ ટાઈમ કેપ્સ્યુલ જુલાઈ 2045માં ફેકલ્ટીની સુવર્ણ જયંતિ નિમિત્તે ખુલ્લી મુકવામાં આવશે.





યુદ્ધની વૈશ્વિક અસર સુરતના રિયલ એસ્ટેટ પર, બાંધકામ ખર્ચ વધતાં ફ્લેટના ભાવમાં થશે વધારો: ક્રેડાઈ
ઇંધણના વધતા ભાવથી સિમેન્ટ, સ્ટીલ, એલ્યુમિનિયમ સહિતના બિલ્ડિંગ મટીરિયલ્સ મોંઘા બન્યા, ગ્રાહકોને સમયસર ફ્લેટ ખરીદવાનો નિર્ણય લેવા અપીલ
સુરત : આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર હવે સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર પણ જોવા મળી રહી છે. પેટ્રોલિયમ અને ઇંધણના ભાવમાં થયેલા વધારાને કારણે પરિવહન અને ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. તેના પરિણામે સિમેન્ટ, સ્ટીલ, લોખંડ, એલ્યુમિનિયમ સેક્શન, પ્લમ્બિંગ મટીરિયલ્સ સહિત વિવિધ બાંધકામ સામગ્રીના ભાવ સતત વધી રહ્યા છે. સાથે જ ગેસ અને જીવનનિર્વાહ ખર્ચ વધતાં મજૂરી ખર્ચમાં પણ વધારો થયો છે, જેના કારણે કન્સ્ટ્રક્શન કોસ્ટમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું ક્રેડાઈ સુરતે જણાવ્યું છે.
આ મુદ્દે ક્રેડાઈ સુરતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ચેરમેન સંજય માંગુકિયાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી બાંધકામ માટે જરૂરી લગભગ તમામ સામગ્રીના ભાવ સતત વધી રહ્યા છે. વધેલા ઇંધણના ખર્ચની સીધી અસર પરિવહન અને ઉત્પાદન પર પડી રહી છે, જેના કારણે બાંધકામ ઉદ્યોગ માટે પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો ખર્ચ સતત વધી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી ડેવલપર્સે વધેલા ખર્ચનો બોજ પોતાની રીતે સહન કરવાનો પ્રયાસ કર્યો હતો અને પરિસ્થિતિ સામાન્ય બનવાની આશા રાખી હતી. પરંતુ હાલની સ્થિતિમાં નજીકના ભવિષ્યમાં ભાવમાં ઘટાડો થવાની કોઈ શક્યતા દેખાતી ન હોવાથી હવે વધેલા ખર્ચની અસર ફ્લેટની કિંમતો પર કરવી અનિવાર્ય બની છે.
વધુમાં તેમણે કહ્યું કે ચાલુ પ્રોજેક્ટમાં ભાવવધારાની અસર પ્રોજેક્ટ કયા તબક્કે છે તેના આધારે અલગ-અલગ રહેશે. ફાઉન્ડેશન, સ્ટ્રક્ચર, પ્લાસ્ટર અથવા ફિનિશિંગ જેવા વિવિધ તબક્કામાં ખર્ચની સ્થિતિ જુદી હોવાથી દરેક પ્રોજેક્ટમાં ભાવવધારાનું પ્રમાણ પણ અલગ હોઈ શકે છે. જોકે તેની સીધી અસર ફ્લેટ ખરીદનાર ગ્રાહકો પર પડશે.

સંજય માંગુકિયાએ આગળ જણાવ્યું હતું કે ક્રેડાઈ ગુજરાતની બોર્ડ બેઠકમાં રાજ્યના વિવિધ શહેરોના ચેપ્ટરોએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે બાંધકામ ખર્ચમાં થયેલા વધારાની અસર હવે નવા અને ચાલુ પ્રોજેક્ટ્સની કિંમતોમાં જોવા મળશે. હાલની પ્રેસ કોન્ફરન્સનો હેતુ સરકાર સમક્ષ કોઈ ચોક્કસ માંગણી કરવાનો નથી, પરંતુ સામાન્ય નાગરિકોને વાસ્તવિક પરિસ્થિતિથી માહિતગાર કરવાનો છે. સરકાર ભવિષ્યમાં સ્ટેમ્પ ડ્યુટી, જીએસટી અથવા અન્ય કરમાં રાહત આપવા અંગે વિચારણા કરે તો તે અલગ વિષય છે, પરંતુ હાલ વધેલા ખર્ચની અસરથી બચવાનો કોઈ વિકલ્પ બચ્યો નથી.
ક્રેડાઈ સુરતે ઘર ખરીદવાનું આયોજન કરી રહેલા લોકોને સમયસર નિર્ણય લેવા અપીલ કરી છે. સંસ્થાના જણાવ્યા મુજબ જે લોકો હાલમાં ફ્લેટ ખરીદવાનો વિચાર કરી રહ્યા છે પરંતુ નિર્ણય ટાળી રહ્યા છે, તેમણે વહેલી તકે ખરીદી કરવી જોઈએ. કારણ કે આગામી સમયમાં લોન્ચ થનારા નવા પ્રોજેક્ટ્સમાં બાંધકામ ખર્ચ વધવાને કારણે પ્રતિ ચોરસ ફૂટ અંદાજે ૨૦૦થી ૪૦૦ રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. વિસ્તાર અને પ્રોજેક્ટના પ્રકાર મુજબ આ વધારો વધુ કે ઓછો હોઈ શકે છે.
ક્રેડાઈ સુરતના પ્રમુખ ડૉ. જીજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે પ્રેસ કોન્ફરન્સ યોજવાનો મુખ્ય હેતુ બાંધકામ ક્ષેત્રમાં વપરાતા રો-મટીરિયલના સતત વધી રહેલા ભાવ અંગે લોકોને વાસ્તવિક માહિતી પહોંચાડવાનો છે. સિમેન્ટ, સ્ટીલ, એલ્યુમિનિયમ સહિતની વિવિધ સામગ્રીના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સની કિંમત વધી રહી છે. જેના કારણે આગામી સમયમાં નવા લોન્ચ થતા પ્રોજેક્ટ્સ તેમજ હજુ પૂર્ણ ન થયેલા પ્રોજેક્ટ્સમાં મિલકતોના ભાવમાં અંદાજે ૫થી ૧૦ ટકા સુધીનો વધારો કરવો અનિવાર્ય બનશે. તેમણે જણાવ્યું કે હાલ ચાલી રહેલા પ્રોજેક્ટ્સમાં વધારો પ્રમાણમાં ઓછો રહેશે, જ્યારે નવા પ્રોજેક્ટ્સમાં વધેલી કન્સ્ટ્રક્શન કોસ્ટની સંપૂર્ણ અસર કિંમતોમાં જોવા મળશે. આ કારણોસર ગ્રાહકોને સમયસર નિર્ણય લઈ શકે અને ભાવવધારાના કારણો અંગે સાચી માહિતી મળી રહે તે હેતુથી આ જાહેરાત કરવામાં આવી છે.
સાર્વજનિક યુનિવર્સિટીએ પાંચ વર્ષની ગૌરવપૂર્ણ સફરની અનોખી ઉજવણી કરી
સુરત: સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સ્થાપિત સાર્વજનિક યુનિવર્સિટીએ તેની સ્થાપનાના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર જૂન માસ દરમિયાન શૈક્ષણિક, સામાજિક અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમોની શ્રેણી યોજી અનોખી રીતે ઉજવણી કરી હતી. શિક્ષણ, સંશોધન, નવાચાર અને સામાજિક ઉત્તરદાયિત્વને કેન્દ્રમાં રાખી યોજાયેલા આ કાર્યક્રમો દ્વારા યુનિવર્સિટીએ સમાજ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી હતી.
યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક ચિંતન શિબિર, ઓપન ટેબલ ચર્ચાઓ, સ્કોલરશિપ વિતરણ, વૃક્ષારોપણ, રક્તદાન શિબિર તેમજ નવી સાર્વજનિક કોલેજ ઓફ લિબરલ આર્ટ્સના પ્રારંભ સહિત અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાયા હતા. વિવિધ શૈક્ષણિક વ્યાખ્યાનો, સંવાદો અને સામાજિક ઉત્તરદાયિત્વ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓએ ઉજવણીને વિશેષ અર્થપૂર્ણ બનાવી હતી.
માસભરની ઉજવણીનું સમાપન સંસ્થાના દાતાઓ અને પૂર્વ અધ્યક્ષોના સન્માન તથા ઋણસ્વીકાર સમારોહ સાથે કરવામાં આવ્યું. પદ્મશ્રી યઝદીભાઈ કરંજિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારોહમાં ડૉ. ફારુખભાઈ, શ્રી સેવંતીભાઈ, શ્રી ગિરીશભાઈ, શ્રી પંકજભાઈ, શ્રી કીર્તિભાઈ, કીકાણી પરિવાર, શ્રી કેતનભાઈ સહિત અનેક દાતાઓ અને તેમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ યુનિવર્સિટીની પ્રગતિ, સમાજસેવા અને શિક્ષણક્ષેત્રે આપવામાં આવેલા યોગદાનને બિરદાવ્યું હતું.
પોતાના સંબોધનમાં ડૉ. ફારુખભાઈએ જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે સરકારના પ્રયાસોની સાથે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી જેવી સંસ્થાઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું કે KP Group ભવિષ્યમાં પણ આવા શિક્ષણલક્ષી કાર્યોમાં સહયોગ આપતું રહેશે.
શ્રી સેવંતીભાઈએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સંસ્થા તથા દાતાઓના યોગદાનને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવ્યું હતું. શ્રી ગિરીશભાઈએ સંસ્થાના ઉજ્જવળ ભવિષ્ય માટે યુવા નેતૃત્વને વધુ જવાબદારી સોંપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શ્રી પંકજભાઈએ સંસ્થા સાથેના પોતાના વર્ષો જૂના આત્મીય સંબંધોને યાદ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
SCET કોલેજના પ્રથમ દાતા ટ્રસ્ટના પ્રતિનિધિ શ્રી કીર્તિભાઈ ખાસ મુંબઈથી ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ અધ્યક્ષો તરફથી શ્રી આર. જી. શાહે જણાવ્યું હતું કે દાતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આ પરંપરા સંસ્થાના મૂલ્યો અને જવાબદારીનું ઉત્તમ પ્રતિબિંબ છે.
કાર્યક્રમમાં સંસ્થાના દ્વિતીય પ્રમુખ શ્રી દિનકરરાય, વાઇસ ચેરમેન ડૉ. કિશોરભાઈ, શ્રી અજીતભાઈ, મેનેજિંગ કમિટીના સભ્યો, વિવિધ સંસ્થાઓના આચાર્યો, શિક્ષકો, કર્મચારીઓ તેમજ અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.