Posts by: abhay_news_editor
સાર્વજનિક યુનિવર્સિટીએ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મજબૂત બનાવવા માટે ઇન્ડિયા એક્સેલેરેટર સાથે MoU પર હસ્તાક્ષર કર્યા
સુરત, 24 માર્ચ 2026: સાર્વજનિક યુનિવર્સિટી, સુરતે 24 માર્ચ 2026ના રોજ ઇન્ડિયા એક્સેલેરેટર સાથે વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપિત કરી છે. આ MoU શ્રી અજિત શાહ, વાઈસ-ચેરમેન–2, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને ડૉ. કિરણ પંડ્યા, પ્રોવોસ્ટ – સાર્વજનિક યુનિવર્સિટી ની હાજરીમાં સહી કરવામાં આવ્યો. ડૉ. કિરણ પંડ્યાનું માર્ગદર્શન અને દ્રષ્ટિ યુનિવર્સિટીની નવીનતા અને ઉદ્યોગસાહસિકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ સહયોગનો મુખ્ય ઉદ્દેશ અકાદમિક ક્ષેત્ર અને ઉદ્યોગ વચ્ચેનો ગેપ દૂર કરીને નવીનતા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે.
આ MoU બે સંસ્થાઓ – સાર્વજનિક યુનિવર્સિટી અને ઇન્ડિયા એક્સેલરેટર – વચ્ચે કરવામાં આવ્યો છે. ઇન્ડિયા એક્સેલેરેટર ભારતના અગ્રણી ફંડ-લેડ સ્ટાર્ટઅપ એક્સેલેરેટર્સમાંનું એક છે જે મેન્ટરશિપ, ફંડિંગ સપોર્ટ અને ઉદ્યોગ સાથે મજબૂત જોડાણ માટે જાણીતી સંસ્થા છે. આ સહયોગ દ્વારા સાર્વજનિક યુનિવર્સિટીમાંથી ઊભા થતા સ્ટાર્ટઅપ્સને એક્સેલેરેશન પ્રોગ્રામ્સનો લાભ મળશે, જેથી તેઓ વૈશ્વિક સ્તરે વિકાસ કરી શકશે.

આ ભાગીદારીના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:
• યુનિવર્સિટી દ્વારા ઇન્ક્યુબેટ કરાયેલા સ્ટાર્ટઅપ્સને એક્સેલેરેશન પ્રોગ્રામ્સમાં પ્રવેશ
• ઉદ્યોગ નિષ્ણાતો અને રોકાણકારો તરફથી માર્ગદર્શન
• ફંડિંગ, નેટવર્કિંગ અને માર્કેટ ઍક્સેસમાં સહાય
• વિદ્યાર્થીઓ માટે સ્ટાર્ટઅપ્સ અને એક્સેલેરેટર પ્રોગ્રામ્સમાં ઇન્ટર્નશિપની તક
• સંયુક્ત વર્કશોપ, ટ્રેનિંગ સેશન અને સ્ટાર્ટઅપ ડેમો ડેનું આયોજન
• નવા અને ઉદ્ભવતા ક્ષેત્રોમાં સેક્ટર-સ્પેસિફિક એક્સેલેરેટર પ્રોગ્રામ્સનું વિકાસ
• સ્ટાર્ટઅપ્સ માટે એલ્યુમનાઈ દ્વારા ફંડિંગ સપોર્ટની સુવિધા
આ સહયોગ દ્વારા ગોઠવાયેલ મેન્ટરિંગ, પ્રગતિનું નિરીક્ષણ અને ઉદ્યોગ આધારિત પ્રોજેક્ટ્સની તક પણ ઉપલબ્ધ થશે, જેથી વિદ્યાર્થીઓની નવીનતાઓ બજારમાં સફળ પ્રોડક્ટ્સ તરીકે વિકસી શકે. આ પ્રસંગે બંને સંસ્થાના પ્રતિનિધિઓએ ડૉ. કિરણ પંડ્યાના નેતૃત્વ હેઠળ અકાદમિક શ્રેષ્ઠતા અને ઉદ્યોગના અનુભવને એક સાથે લાવી નવીનતાને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ MoU સાર્વજનિક યુનિવર્સિટીની ઉદ્યોગસાહસિકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે અને વિદ્યાર્થીઓને ગતિશીલ સ્ટાર્ટઅપ વિશ્વમાં સફળ થવા માટે જરૂરી માર્ગદર્શન, તકો અને સહાય પ્રદાન કરશે.
આ ભાગીદારી આવનારા વર્ષોમાં નવીનતા આધારિત વિકાસને પ્રોત્સાહન આપશે અને અસરકારક સ્ટાર્ટઅપ પહેલોને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
સપનાઓને પાંખો: શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ દ્વારા ધોરણ 10 અને 12 (A1 અને A2 બેચ) ના 2025-26 ના વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો
સુરત: શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ દ્વારા ધોરણ 10 અને 12 (A1 અને A2 બેચ) ના 59 વિદ્યાર્થીઓ માટે એક યાદગાર અને ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. એક કુશળ માર્ગદર્શક તરીકે તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, “હું દરેક વિદ્યાર્થીને મારા સંતાન સમાન ગણું છું. મારી સૌથી મોટી ઈચ્છા મારા બાળકો જીવનના દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી છે. તમે જ્યારે શાળાના ઉંબરેથી બહાર ડગ માંડો છો, ત્યારે અહીંના સંસ્કારો સાથે રાખજો; તમારી સફળતા માટે અમે હંમેશા પ્રાર્થના કરીશું.”

શાળા દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને ડિજિટલ યુગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમને લેપટોપ અને ટેબ્લેટ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે શાળાના વિકાસમાં સહભાગી થનાર વાલીઓનો આભાર માનવામાં આવ્યો હતો, તેમજ આચાર્યશ્રી અને શિક્ષકગણના અથાગ પરિશ્રમ અને માર્ગદર્શનની સરાહના કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં સાંસ્કૃતિક નૃત્યો, સંગીત અને મનોરંજક પ્રવૃત્તિઓએ રંગ જમાવ્યો હતો. અંતમાં સ્વાદિષ્ટ ભોજન સાથે વિદ્યાર્થીઓએ મન ભરીને યાદો તાજી કરી હતી.
કાર્યક્રમનો અંત એક સુંદર સંકલ્પ સાથે થયો કે: ભલે આ વિદ્યાર્થીઓ શાળા છોડી રહ્યા હોય, પરંતુ શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલના સંસ્કારો તેમના હૃદયમાં હંમેશા જીવંત રહેશે.
રક્ષામંત્રાલયની ભાગીદારીમાં દક્ષિણ ગુજરાતની પ્રથમ ‘ગ્રીનફિલ્ડ કો-એડ’ સૈનિક સ્કૂલ જૂન 2026માં થશે શરૂ
સુરત, 16 માર્ચ, 2026 : પશ્ચિમ ભારતના શૈક્ષણિક ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવતા, સુરત પાસેના ઉભરાટ ખાતે દક્ષિણ ગુજરાતની પ્રથમ ગ્રીનફિલ્ડ, સહ-શિક્ષણ (કો-એડ) નિવાસી સૈનિક સ્કૂલ આ જૂન મહિનાથી શરૂ થવા જઈ રહી છે. વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ અને દાનેશ્વરી શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના દૂરંદેશી નેતૃત્વ હેઠળ સ્થાપિત, SRK સૈનિક સ્કૂલ ભારત સરકારની પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) નીતિ હેઠળ રક્ષામંત્રાલય (MoD) ની સૈનિક સ્કૂલ સોસાયટી સાથે ઔપચારિક જોડાણ ધરાવે છે.
આ સંસ્થા ભારતના શ્રેષ્ઠ સૈન્ય-શૈલીના અનુશાસન અને વિશ્વસ્તરીય શૈક્ષણિક ધોરણોના સંગમનું પ્રતિનિધિત્વ કરે છે. 21 એકરમાં ફેલાયેલા વિશાળ અને આધુનિક કેમ્પસમાં નિર્મિત આ શાળા પરંપરાગત શિક્ષણથી આગળ વધીને ‘CBSE પ્લસ’ અભ્યાસક્રમ પ્રદાન કરશે, જે નેતૃત્વ, ચારિત્ર્ય નિર્માણ અને વ્યવસાયિક કૌશલ્ય વિકાસ પર વિશેષ ભાર મૂકે છે.
સૈનિક સ્કૂલ મોડેલની પરંપરાગત શિસ્તતાની સાથે, SRK સૈનિક સ્કૂલ કેડેટ્સના વિકાસ માટે બહુપરિમાણીય અભિગમ અપનાવશે. SRK નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરતા શ્રેયાંસ ધોળકિયાએ શાળાની ભવિષ્યલક્ષી છતાં પાયાના શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
શ્રેયાંસ ધોળકિયાએ જણાવ્યું હતું કે, “અમારું મિશન છે કે આધુનિક શિક્ષણશાસ્ત્ર અને ટેકનોલોજીનો વિજ્ઞાન અને ફિલસૂફીના શાશ્વત જ્ઞાન સાથે મેળાપ થાય. અમે માત્ર વિદ્યાર્થીઓને તાલીમ નથી આપી રહ્યા; અમે કેડેટ્સને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે સક્ષમ બનાવવા માટે તૈયાર કરી રહ્યા છીએ. આ વિષયોના સમન્વય દ્વારા, અમે સુનિશ્ચિત કરીએ છીએ કે અમારા સ્નાતકો કોઈપણ ક્ષમતામાં રાષ્ટ્રની સેવા કરવા માટે સજ્જ અને સંવેદનશીલ બને.”
શાળા જૂન 2026ના પ્રથમ સપ્તાહથી કાર્યરત થશે. ધોરણ 6 માટેની પ્રથમ બેચમાં 120 કેડેટ્સનો સમાવેશ થશે, જેમાં 100 છોકરાઓ અને 20 છોકરીઓ હશે. તેમની પસંદગી ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (AISSEE) દ્વારા કરવામાં આવી છે.
SRK નોલેજ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ આ પ્રોજેક્ટ માટે પોતાનું વિઝન શેર કરતા કહ્યું કે, “દાયકાઓથી અમે વિશ્વના શ્રેષ્ઠ હીરાને પાસા પાડીને ચમકાવ્યા છે. હવે SRK સૈનિક સ્કૂલ દ્વારા, અમે દેશના ભાવિ નેતાઓને તૈયાર કરવા માટે સમર્પિત છીએ. અમારો ધ્યેય એવું વાતાવરણ પૂરું પાડવાનો છે જ્યાં કેડેટ્સ અનુશાસન અને શ્રેષ્ઠતાથી પ્રેરિત થઈ ‘રાષ્ટ્ર પ્રથમ’ (Nation First) ની માનસિકતા કેળવે.”
સ્થાપક આચાર્ય શ્રી હિતેશ જોશીએ જણાવ્યું હતું કે, “શાળા સંપૂર્ણપણે શાકાહારી કેમ્પસ માટે પ્રતિબદ્ધ છે, જ્યાં યુવા કેડેટ્સની પોષણ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલ આહાર આપવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અત્યાધુનિક શૈક્ષણિક બ્લોક્સ, એથ્લેટિક સુવિધાઓ અને ઇતર પ્રવૃત્તિઓ માટેના ખાસ ઝોનનો સમાવેશ થાય છે.”
SRK સૈનિક સ્કૂલ હવે રાષ્ટ્રની પ્રતિષ્ઠિત સંસ્થાઓના નેટવર્કનો ભાગ બની છે જેનો ઉદ્દેશ્ય યુવાનોને સશસ્ત્ર દળો અને નેતૃત્વની ભૂમિકા માટે તૈયાર કરવાનો છે.
સુરત કિલ્લો ખાતે યોજાયેલી મંડલા આર્ટ પ્રદર્શનમાં યુવાનો દ્વારા ભ્રષ્ટ્રાચાર વિરૂદ્ધ કલાના માધ્યમથી સંદેશો પહોંચાડ્યો
સુરત, 22 માર્ચ ના રોજ સુરત કિલ્લો ખાતે યોજાયેલી મંડલા આર્ટ પ્રદર્શનામાં યુવાનો દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ પોતાની કલાના માધ્યમથી અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો। અદબી દુનિયા ફાઉન્ડેશન અને ઓપરેશન ઝીરો બ્રાઇબ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આશરે 50 મંડલા આર્ટ ડિઝાઇન રજૂ કરવામાં આવ્યા હતા।
કાર્યક્રમની શરૂઆત હબીબ કિનખાબવાલાના સ્વાગત સંબોધનથી થઈ હતી। એસીબીના પીઆઈ શ્રી કે. જે. ધડુકે અને ડૉ. વૃંદા ભટ્ટે જનભાગીદારી અને પત્રકારિતામાં નૈતિકતાના મહત્વ પર ભાર મૂક્યો હતો। અદબી દુનિયાનું માઇમ એક્ટ ખાસ આકર્ષણ રહ્યું, જેનું દિગ્દર્શન કાજલ ચૌધરીએ કર્યું હતું।

હર્ષિત હેમનાની દ્વારા સંચાલિત પેનલ ચર્ચામાં સત્યેન આર નાયક, પ્રસન્ન ભટ્ટ અને મિહિર પાઠકે ભાગ લીધો હતો અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગૃતિ તથા જવાબદાર પત્રકારિતાની જરૂરિયાત અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા।
આ પ્રદર્શનમાં ભાગ લેનારા કલાકારોમાં સુમન મંટુ શર્મા, વિધ્યા પરમાર, સુનયના બેનર્જી, સાધના સોની, આદિત્ય રાજ, નિકિતા સેન, અંકિતા પાંડે, કોમલ સોની, ધનશ્રી કેદાર, ગુંજન પટેલ, શ્રેયા પાંડે, ગીતા ગુર્જર, અનિરુદ્ધ દુબે, રંજની પ્રસાદ, નિશિતા પટેલ, રંજન સિંહ, યક્ષ પટેલ, સુરભી ગિરી, ખુશી શર્મા, દીક્ષા જૈશ્વાલ, રંજના યાદવ, રિજુ રાય, ઇસ્મિતા મિશ્રા, પ્રિયંકા શર્મા, જાનવી સિંહ, મુન્ની કરમાકર, રાધિકા સિંહ, શ્રૃષ્ટિ સેન, રતન પરાશર, પ્રાચી શાક્ય અને ઐશ્વર્યા સિંહનો સમાવેશ થાય છે।
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ આંધ્ર પ્રદેશમાં ગ્રીનફિલ્ડ સ્ટીલ પ્લાન્ટનું શિલાન્યાસ કર્યું
• આ શિલાન્યાસ વિધિ આંધ્ર પ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને માનનીય કેન્દ્રિય સ્ટીલ તથા હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રી શ્રી એચ. ડી. કુમારસ્વામીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. • આર્સેલરમિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલ અને સીઈઓ આદિત્ય મિત્તલ પણ આ મહત્વપૂર્ણ ક્ષણે હાજર રહ્યા હતા. • આ અદ્યતન મેન્યુફેક્ચરિંગ સુવિધા આંધ્ર પ્રદેશમાં આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાની લાંબા સમયથી રહેલી હાજરીને વધુ મજબૂત બનાવશે. • આ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ કંપનીના લાંબા ગાળાના ઉદ્દેશ મુજબ તેની ક્રૂડ સ્ટીલ બનાવવાની ક્ષમતા 40 MTPA સુધી વધારવામાં મદદરૂપ બનશે અને ભારતને વૈશ્વિક સ્ટીલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં વધુ મજબૂત બનાવશે. હજીરા – સુરત, માર્ચ 23, 2026: આજનો દિવસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા માટે એક મહત્વપૂર્ણ ક્ષણ બન્યો છે, કારણ કે આંધ્ર પ્રદેશના અનકાપલ્લી જિલ્લાના રાજ્યપેટા ખાતે તેના નવા 8.2 મિલિયન ટન પ્રતિ વર્ષ (પર્યાવરણ મંજૂરી અનુસાર નિર્ધારિત ક્ષમતા) ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ માટે શિલાન્યાસ વિધિ યોજાઈ હતી. આ પ્રોજેક્ટમાં અંદાજે રૂપિયા 70,000 કરોડથી વધુનું તબક્કાવાર રોકાણ કરવામાં આવશે. ઉપરાંત, પ્લાન્ટના સતત થતાં બાંધકામ અને વિકાસની સાથે લગભગ 1 લાખ સીધી અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા છે. આ શિલાન્યાસ વિધિ આંધ્ર પ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી એન.ચંદ્રબાબુ નાયડુ, માનનીય કેન્દ્રિય સ્ટીલ અને હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રી શ્રી એચ.ડી.કુમારસ્વામી, આંધ્ર પ્રદેશના માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી કે.પવન કલ્યાણ, અને આઈટી, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, માનવ સંસાધન વિકાસ (HRD), અને રિયલ-ટાઈમ ગવર્નન્સ મંત્રી શ્રી નારા લોકેશની ઉપસ્થિતિમાં યોજાઈ. આ ઉપરાંત, શ્રી લક્ષ્મી મિત્તલ, એક્ઝિક્યુટીવ ચેરમેન, આર્સેલરમિત્તલ, શ્રી આદિત્ય મિત્તલ, ચેરમેન, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા અને સીઈઓ આર્સેલરમિત્તલ તથા શ્રી દિલીપ ઊમ્મેન, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, આરસેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમે રાજ્યભરમાંથી નોંધપાત્ર ઉત્સાહ અને ધ્યાન આકર્ષિત કર્યુ છે. હજારો લોકો આ ક્ષણના સાક્ષી થવા હાજર રહ્યા હતા, જે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાનું દેશના સૌથી અદ્યતન સ્ટીલ ઉત્પાદન કરવાની સુવિધાઓમાંથી એક સ્થાપિત કરવાના સ્વપ્નને હકીકત કરવાની શરૂઆત છે. આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાનું શરૂઆતથી જ લક્ષ્ય રહ્યુ છે કે તેઓ પોતાની ઉદ્યોગની અગ્રણી ક્ષમતાનો ઉપયોગ કરીને ભારતમાં વર્ષ 2030 – 31 સુધી ઘરેલું ક્રૂડ સ્ટીલ ઉત્પાદન કરવાની ક્ષમતા 300 MTPA સુધી વધારવા સમર્થન આપે, જે નેશનલ સ્ટીલ પોલિસીને અનુરૂપ હોઈ. નવી સ્ટીલ ઉત્પાદન ક્ષમતા ઊભી કરવાની સાથે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ “country-first” એવું ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટીલ્સ પણ રજૂ કર્યા છે. આર્સેલરમિત્તન નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા દેશની પ્રથમ ઇન્ટિગ્રેટેડ સ્ટીલ ઉત્પાદક કંપની છે, જેને સ્ટીલ મંત્રાલય દ્વારા સ્થાપિત નવી ગ્રીન સ્ટીલ ટેક્સોનોમી હેઠળ ગ્રીન સ્ટીલ સર્ટિફિકેશન પ્રાપ્ત થયું છે. રાજ્યપેટા ખાતે આકાર લેવા જઈ રહેલા નવા પ્લાન્ટમાં સ્ટીલ ઉત્પાદન કામગીરી કેલેન્ડર વર્ષ 2029ના પ્રથમ ત્રિમાસિક સુધી શરૂ થવાની યોજના છે, જ્યારે અન્ય યુનિટ્સ આગળના ત્રિમાસિકોમાં તબક્કાવાર રીતે તૈયાર થવાની સંભાવના છે. “વિકસિત ભારત 2047” ના વિઝન સાથે સુસંગત રહીને પ્લાન્ટમાં વિવિધ પ્રકારના સ્ટીલ ગ્રેડ્સનું ઉત્પાદન કરાશે. જેમાં ઉચ્ચ ગુણવત્તાવાળા, મૂલ્યવર્ધિત ઉત્પાદનોનો સમાવેશ થશે. જે ભારતની આત્મનિર્ભરતામાં વધારો કરશે, આયાતમાં ઘટાડો અને ઉત્પાદન આધારને વધુ મજબૂત બનાવશે. આ પ્રસંગે, આર્સેલરમિત્તન નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ આંધ્ર પ્રદેશ સરકાર સાથે બે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoUs) પર હસ્તાક્ષર કર્યા છે. આ MoUs નો હેતુ એ છે કે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા NAMTECH (New Age Makers’ Institute of Technology) સાથે મળીને આંધ્ર પ્રદેશમાં ભવિષ્ય માટે તૈયાર ઉદ્યોગલક્ષી ટેલેન્ટ ઇકોસિસ્ટમ ઊભી કરે, જેમાં અદ્યતન ટેકનોલોજી, મટિરિયલ્સ ઇનોવેશન, શિક્ષણ, અને વર્કફોર્સ ડેવલોપમેન્ટને આધુનિક ઉદ્યોગોની જરૂરિયાતો સાથે જોડી શકાય. NAMTECH આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાની નોન-પ્રોફિટ શિક્ષણ અને સ્કિલિંગ પહેલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું: “હું આ મહત્વપૂર્ણ સિદ્ધિ માટે આંધ્ર પ્રદેશને અભિનંદન પાઠવું છું. આ પ્રોજેક્ટનું શિલાન્યાસ વિશ્વસ્તરીય ઈન્ટીગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટની શરૂઆત દર્શાવે છે, જે ભારતની સ્ટીલ ઉત્પાદન ક્ષમતાને વધુ મજબૂત બનાવશે. આ આંધ્ર પ્રદેશના વિકાસ તરફના પ્રવાસમાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે, જે રાજ્યના યુવાનો માટે નવી તકો ઉભી કરશે અને રાજ્યને ઔદ્યોગિક નવીનતાના મોખરે લાવશે. આ સાથે જ ભારતને વૈશ્વિક સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રમાં આગેવાન તરીકે વધુ મજબૂત બનાવશે.”

કાભા એવિએશન અકેડેમીએ પૂર્ણ કર્યો સફળતાનો 1 વર્ષ આ અવસર પર અકેડેમી ના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉજવણી નું આયોજન કર્યું
સુરત – શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા કાભા એવિએશન અકેડેમી એ સફળતાપૂર્વક પોતાના પ્રથમ વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસર પર અકેડેમી પરિવાર માં ઉત્સાહ અને ગર્વનો માહોલ જોવા મળી રહ્યો છે।
ગત એક વર્ષ દરમિયાન અકેડેમીએ અનેક વિદ્યાર્થીઓને કેબિન ક્રૂ, ગ્રાઉન્ડ સ્ટાફ તેમજ એવિએશન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે તાલીમ આપી છે. ઉચ્ચ ગુણવત્તાની ટ્રેનિંગ, અનુભવી ફેકલ્ટી અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં માત્ર પ્રોફેશનલ સ્કિલ્સ જ નહીં પરંતુ આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વિકાસ પણ કરવામાં આવ્યો છે।
સંસ્થાનો મુખ્ય હેતુ યુવાનોને તેમના સપનાઓ સાકાર કરવામાં મદદ કરવો અને તેમને સફળ કારકિર્દીની દિશામાં આગળ વધારવાનો છે।

આ સિદ્ધિ પર અકેડેમીના ડિરેક્ટર અને સ્ટાફે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ વધુ સારી શિક્ષણ અને પ્લેસમેન્ટ તકો પૂરી પાડવાનો સંકલ્પ કર્યો છે।
કાભા એવિએશન અકેડેમી – સપનાઓને પાંખ આપતું વિશ્વસનીય નામ ✈️
સંપર્ક અને એડ્રેસ
કાભા એવિએશન અકેડેમી
202 સેકન્ડ ફલૂર ગ્રીન ઓર્ચિડ કોમ્પ્લેક્સ વેસુ સુરત
મોબાઈલ – 8780425842
દેસાઈ ફાઉન્ડેશને ભારતમાં ૧.૨ કરોડ લોકોના જીવનમાં પરિવર્તન લાવીને પ્રભાવનું સીમાચિહ્ન સર કર્યું
પ્રભાવનું વિસ્તરણ: ૧.૨ કરોડ લોકો સુધી પહોંચવાની સિદ્ધિની દેસાઈ ફાઉન્ડેશન દ્વારા ઉજવણી
સુરત (ગુજરાત) ૨૦ માર્ચ ૨૦૨૬: દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સુરત મેરિયોટ હોટલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાની અત્યાર સુધીની સફર, સામુદાયિક ભાગીદારી અને ભારતના ૮ રાજ્યોમાં ૧.૨ કરોડથી વધુ લોકો સુધી પહોંચવાના મહત્વપૂર્ણ સીમાચિહ્નની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ફાઉન્ડેશનના ભાગીદારો, સમર્થકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પાયાના સ્તરે વિકાસ માટે ફાઉન્ડેશનના ટકાઉ અને સ્કેલેબલ (વિસ્તૃત કરી શકાય તેવા) અભિગમ પર પ્રકાશ પાડયો હતો. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય, આજીવિકા અને માસિક ધર્મ સમાનતા (Menstrual Equity) ક્ષેત્રે કરવામાં આવેલા કાર્યો અને સમુદાય સંચાલિત લાંબા ગાળાના પરિવર્તન પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવવામાં આવી હતી.
સભાને સંબોધતા મેઘા દેસાઈ (પ્રમુખ), મિત્તલ ગોહિલ (એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર) અને મનોજ પાંડા (ડેવલપમેન્ટ ડાયરેક્ટર) એ ફાઉન્ડેશનની વૃદ્ધિ અને વિઝન વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે સહયોગ અને નવીનતા દ્વારા આટલા મોટા પાયે પ્રભાવ પાડી શકાયો છે.
“એક દાયકા કરતા વધુ સમયથી અમે માનતા આવ્યા છીએ કે માસિક ધર્મ દરમિયાન ગરિમા જાળવવી એ કોઈ વિશેષાધિકાર નથી, પરંતુ મૂળભૂત અધિકાર છે. આર્ટિકલ ૨૧ હેઠળ મળેલી તાજેતરની માન્યતા સાથે, હવે આ માન્યતા રાષ્ટ્રીય સ્તરે ગુંજી રહી છે. અમારી મુખ્ય પહેલો અને સમુદાય સંચાલિત મોડેલો દ્વારા, અમે સમગ્ર ભારતમાં આ પ્રભાવને વિસ્તારવા માટેનો માર્ગ બનાવી રહ્યા છીએ – જેથી ભારતની દરેક કન્યાને જરૂરી માહિતી, ઉત્પાદનો અને ગરિમા મળે જેના તે હકદાર છે.” — મેઘા દેસાઈ, પ્રમુખ
મિત્તલ ગોહિલે કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન સંસ્થાની મક્કમતા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે ફાઉન્ડેશને ૨૫૦ થી વધુ વધારાના સભ્યોની નિમણૂક કરીને મેદાનમાં પોતાની હાજરી વધારી હતી, તેવા સમયે જ્યારે ઘણી સંસ્થાઓએ તેમની કામગીરી સ્થગિત કરી દીધી હતી.

“કોવિડ-૧૯ દરમિયાન, જ્યારે ઘણી સંસ્થાઓ થંભી ગઈ હતી, ત્યારે અમે આગળ વધવાનું પસંદ કર્યું. અમારી ટીમના સભ્યોની સંખ્યામાં ૨૫૦ થી વધુનો વધારો કરીને અમે સુનિશ્ચિત કર્યું કે સમુદાયોને જરૂરી સહાય મળતી રહે. તે સમયની મક્કમતા આજે પણ અમારી કાર્યશૈલીને વ્યાખ્યાયિત કરે છે.” — મિત્તલ ગોહિલ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર
દેસાઈ ફાઉન્ડેશનના ટ્રસ્ટી, ઉદ્યોગસાહસિક અને TiE સુરતના ભૂતપૂર્વ પ્રમુખ કશ્યપ પંડ્યાએ સામાજિક ક્ષેત્રે ‘સ્કેલેબિલિટી’ (વ્યાપ વધારવાની ક્ષમતા) ના મહત્વ પર ભાર મૂક્યો હતો.
“દેસાઈ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા કામની વ્યાપકતા ખરેખર અસાધારણ છે. માત્ર એક દાયકામાં ૧.૨ કરોડ જીવનને પ્રભાવિત કરવા અને તે પણ ગુણવત્તા જાળવી રાખીને, તે એવી સિદ્ધિ છે જે બહુ ઓછી સંસ્થાઓ હાંસલ કરી શકી છે.” — કશ્યપ પંડ્યા, ટ્રસ્ટી, દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ; બોર્ડ મેમ્બર, TiE સુરત
મનોજ પાંડાએ પ્રભાવ પાડવા માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
“આટલા મોટા પાયે પ્રભાવ માત્ર સામૂહિક પ્રયાસો દ્વારા જ શક્ય છે. દરેક ભાગીદાર, સમર્થક અને વ્યક્તિ પાસે આ સફરમાં યોગદાન આપવાની શક્તિ છે — અને સાથે મળીને, અમે આ પ્રભાવને વધુ આગળ લઈ જઈ શકીએ છીએ.” — મનોજ પાંડા, ડેવલપમેન્ટ ડાયરેક્ટર
CSR ભાગીદારોએ પણ સહયોગ અને ટકાઉપણું (Sustainability) વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ચિરાગ પરમારે (સ્વતંત્ર માઇક્રો હાઉસિંગ ફાયનાન્સ કોર્પોરેશન) ફાઉન્ડેશનના નૈતિક અને સમુદાય-કેન્દ્રી અભિગમ વિશે વાત કરી:
“દેસાઈ ફાઉન્ડેશનની જે બાબત અલગ તરી આવે છે તે છે સમુદાયો સાથે તેમનું ઊંડું જોડાણ. તેમનો અભિગમ સર્વગ્રાહી, નૈતિક અને કાયમી પરિવર્તન માટે ‘વન-સ્ટોપ સોલ્યુશન’ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે.”
મહેશ સી. ડેરિયાએ (સુદર્શન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ) ફાઉન્ડેશનના મોડેલ્સની ટકાવપણા પર ભાર મૂક્યો:
“દેસાઈ ફાઉન્ડેશનની તાકાત તેના મોડેલ્સના ટકાઉપણામાં રહેલી છે. ‘બાલ સંગિની’ જેવી પહેલ સુનિશ્ચિત કરે છે કે પ્રોજેક્ટ પૂરો થયા પછી પણ સમુદાય તે કાર્યને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે — તે જ સાચો પ્રભાવ છે.”
કાર્યક્રમનો અંત ગ્રામીણ ભારતમાં સમુદાયો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોના સશક્તિકરણના મિશનને ચાલુ રાખવા અને ફાઉન્ડેશનના વ્યાપને વિસ્તારવાની નવી પ્રતિબદ્ધતા સાથે થયો હતો.
દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ વિશે
દેસાઈ ફાઉન્ડેશન એક બિન-લાભકારી સંસ્થા (NGO) છે જે ગ્રામીણ ભારતમાં મહિલાઓ અને બાળકો માટે આરોગ્ય, આજીવિકા અને માસિક ધર્મ સમાનતાના સ્તરને ઊંચું લાવવા માટે સમર્પિત છે. ૨૭ વર્ષથી વધુની સફળતા અને ૮ રાજ્યોમાં ફેલાયેલી કામગીરી સાથે, ફાઉન્ડેશન ઉચ્ચ-પ્રભાવશાળી પહેલો દ્વારા સમુદાયોને તેમની પરિસ્થિતિથી ઉપર ઉઠીને સપના જોવાનું સશક્તિકરણ પૂરું પાડે છે.
સુરતના શિવમ જ્વેલ્સ ની વૈશ્વિક મંચ પર મોટી સિદ્ધિ, ડીટીસી સાઈટ હોલ્ડર તરીકે પસંદગી
૯ વર્ષ બાદ નવી નિમણૂકમાં સ્થાન મેળવનાર કંપની, હીરા ઉદ્યોગને મળશે નવી દિશા
સુરત: સુરતના કતારગામ વિસ્તારમાં સ્થિત શિવમ જ્વેલ્સ કંપનીએ હીરા ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. કંપનીના સંચાલક ઘનશ્યામ ભાઈ માવજીભાઈ શંકરની આગેવાની હેઠળ શિવમ જવેલ્સને ડાયમંડ ટ્રેડિંગ કંપની (ડીટીસી) દ્વારા ‘સાઈટ હોલ્ડર’ તરીકે પસંદ કરવામાં આવી છે. નોંધનીય છે કે લગભગ ૯ વર્ષના લાંબા સમય બાદ ડીટીસી દ્વારા નવી સાઈટ હોલ્ડરની નિમણૂક કરવામાં આવી છે, જેમાં સુરતની આ કંપનીએ સ્થાન મેળવ્યું છે.
શિવમ જેમ્સ, ગોતાલાવાડી સર્કલ પાસે વસ્તાદેવડી રોડ પર કાર્યરત છે અને નેચરલ ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં અગ્રણીઓમાંની એક કંપની ગણાય છે. કંપની કાચા હીરાનો આયાત કરી અહીં પ્રોસેસિંગ કરીને તૈયાર માલ બનાવે છે, જેમાંથી લગભગ ૯૦ ટકા નિકાસ કરવામાં આવે છે જ્યારે ૧૦ ટકા સ્થાનિક બજારમાં વેચાય છે.
કંપનીની ક્ષમતાની વાત કરીએ તો હાલ શિવમ જ્વેલ્સ માં આશરે ૧,૯૫૦ કર્મચારીઓ કાર્યરત છે અને તેનું વાર્ષિક ટર્નઓવર લગભગ ૨,૭૦૦ કરોડ રૂપિયા છે. ડીટીસી સાઈટ હોલ્ડર બનવાથી હવે કંપનીને સીધો કાચો માલ મળશે, જેના કારણે ઉત્પાદન અને નિકાસ બંનેમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. આ સાથે સુરતના હીરા ઉદ્યોગને પણ નવી ગતિ મળશે.

ડાયમંડ ટ્રેડિંગ કંપની (ડીટીસી) ડી બીયર્સ ગ્રુપનો એક ભાગ છે, જે લગભગ ૧૩૦ વર્ષ જૂની વૈશ્વિક સંસ્થા છે. ડીટીસી વિશ્વભરના પસંદગીના સાઈટ હોલ્ડર્સને દર મહિને કાચા હીરા સપ્લાય કરે છે. અગાઉ તેનું મુખ્ય મથક લંડનમાં હતું, પરંતુ હવે તે બોત્સ્વાનામાં ખસેડવામાં આવ્યું છે. કંપની ઇઝરાયેલ, અમેરિકા, ભારત, શ્રીલંકા અને ચીન જેવા દેશોમાં પોતાના સાઈટ હોલ્ડર્સ ધરાવે છે.
સાઈટ હોલ્ડર બનવા માટે કંપનીનો ઇતિહાસ, કાર્યપદ્ધતિ, સતત વિકાસ અને કર્મચારીઓને મળતું સ્થિર રોજગાર જેવા માપદંડો ધ્યાનમાં લેવામાં આવે છે. શિવમ જ્વેલ્સે આ તમામ માપદંડો પર ખરા ઉતરીને આ માન્યતા પ્રાપ્ત કરી છે.
શિવમ જ્વેલ્સની સ્થાપના ૧૯૯૫માં થઈ હતી અને ૨૦૧૪થી કંપનીએ આ ક્ષેત્રમાં વિશેષ પ્રગતિ શરૂ કરી હતી. લગભગ ૧૨ વર્ષની સતત મહેનત બાદ ૨૦૨૬માં કંપનીને આ પ્રતિષ્ઠિત સ્થાન મળ્યું છે. ઘનશ્યામભાઈ શંકર પોતે છેલ્લા ૪૦ વર્ષથી હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે, જેના અનુભવ અને દૃઢ નિશ્ચયે આ સિદ્ધિને શક્ય બનાવી છે.
મિન્ત્રા ઉભરતી ફેશન અને લાઈફસ્ટાઈલ બ્રાન્ડ્સને દેશભરમાં વેગ આપશે; સુરતમાં ‘સેલર ગ્રોથ કનેક્ટ’ની પ્રથમ આવૃત્તિનું આયોજન
● સુરત ખાતે યોજાયેલા સેલર ગ્રોથ કનેક્ટના પ્રથમ સંસ્કરણમાં 300 બ્રાન્ડ્સ જોડાયા
● રિજનલ ક્રાફ્ટમેનશિપ અને રાષ્ટ્રીય સ્તર વચ્ચેના અંતરને દૂર કરીને, મિન્ત્રા સમગ્ર ભારતમાં વિક્રેતાઓ માટે ફેશન શક્યતાઓનું લોકશાહીકરણ કરવાનું ચાલુ રાખે છે.
સુરત,20 માર્ચ, 2026 : ભારતની અગ્રણી ફેશન, બ્યુટી અને લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન પૈકીની એક એવી મિન્ત્રા દ્વારા સુરતમાં ‘મિન્ત્રા સેલર ગ્રોથ કનેક્ટ ’26’ ની પ્રથમ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શ્રેણીઓની અંદાજે 300 જેટલી બ્રાન્ડ્સ એકત્રિત થઈ હતી. પોતાના વિક્રેતાઓને રાષ્ટ્રીય સ્તરે વ્યવસાય વિસ્તૃત કરવામાં મદદ કરવાની પ્રતિબદ્ધતા સાથે, આ પહેલ મુખ્યત્વે એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે કેવી રીતે વિવિધ પ્રદેશોની ઉભરતી બ્રાન્ડ્સ મિન્ત્રા દ્વારા પૂરી પાડવામાં આવતી ટેકનોલોજી, બિઝનેસ આંતરદૃષ્ટિ અને માળખાગત સુવિધાઓનો લાભ લઈને વિકાસ સાધી શકે છે. વિવિધ શહેરોમાં યોજાનારા કાર્યક્રમોની શ્રેણીમાં આ પ્રથમ ઇવેન્ટ હતી, જેનો ઉદ્દેશ્ય સમગ્ર ઇકોસિસ્ટમમાં નાના અને મધ્યમ કક્ષાના વિક્રેતાઓને સહયોગ આપવાનો છે, જે ફેશન અને લાઈફસ્ટાઈલ સેગમેન્ટમાં તમામ પ્રકારની બ્રાન્ડ્સના વિકાસ માટેની મિન્ત્રાની પ્રતિબદ્ધતાને અનુરૂપ છે.
ટેક્સટાઇલ અને ફેશન મેન્યુફેક્ચરિંગ માટે ભારતના મુખ્ય હબ પૈકીનું એક હોવાને કારણે, દેશની ફેશન ઇકોસિસ્ટમમાં સુરત અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. મિન્ત્રા (Myntra) પર આ પ્રદેશની બ્રાન્ડ્સ તરફથી મજબૂત પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, જેમાં ગુજરાતની અંદાજે 6,000 જેટલી બ્રાન્ડ્સ એપેરલ, એક્સેસરીઝ અને પર્સનલ કેર કેટેગરીમાં દેશભરના ગ્રાહકોની વધતી જતી માંગને પૂરી કરી રહી છે. આ ક્ષેત્રના મુખ્ય બ્રાન્ડ્સ જેવા કે જનસ્યા, ઈન્ડોએરા અને ઈન્ડસ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને દેશભરના ગ્રાહકો સુધી પહોંચી રહ્યા છે અને તેમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
આ કાર્યક્રમમાં બોલતા, મિન્ત્રાના કેટેગરી મેનેજમેન્ટના સિનિયર ડિરેક્ટર, બેદાંત દત્તાએ જણાવ્યું હતું કે, “સુરત લાંબા સમયથી ભારતનું સૌથી મહત્વનું ટેક્સટાઇલ અને એપેરલ મેન્યુફેક્ચરિંગ હબ રહ્યું છે, જ્યાં સાહસિક બ્રાન્ડ્સ અને ઉત્પાદકોની એક જીવંત ઇકોસિસ્ટમ છે જેણે દાયકાઓથી દેશના ફેશન સપ્લાયને આકાર આપ્યો છે. જે બાબત ખાસ કરીને ઉત્સાહજનક છે તે એ છે કે આમાંની ઘણી ઉભરતી બ્રાન્ડ્સ હવે તેમના પરંપરાગત બજારોથી ઘણે દૂર વિસ્તરવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહી છે. મિન્ત્રા ખાતે, અમે સુરત સ્થિત વિક્રેતાઓ તરફથી મજબૂત ગતિ જોઈ રહ્યા છીએ જેઓ અમારા માર્કેટપ્લેસના સહારે રાષ્ટ્રીય ફેશન બ્રાન્ડ્સ બનાવી રહ્યા છે
સેલર ગ્રોથ કનેક્ટ જેવી પહેલો દ્વારા, મિન્ત્રા પ્રાદેશિક વિક્રેતાઓ સાથે પોતાનું જોડાણ વધુ ગાઢ બનાવી રહ્યું છે, જે આ બ્રાન્ડ્સને ભારતભરમાં મિન્ત્રા પ્લેટફોર્મ પરના 7.5 કરોડ (75 mn+) થી વધુ મન્થલી એક્ટિવ યુઝર્સ સુધી પહોંચવાની તક પૂરી પાડે છે. મિન્ત્રા પર્સનલાઇઝ્ડ ટેક સોલ્યુશન્સ સાથે શોપિંગના અનુભવને નવેસરથી વ્યાખ્યાયિત કરવામાં અગ્રેસર છે અને તે ભારતના 98% સર્વિસેબલ પિનકોડ્સ સુધી પોતાની પહોંચ ધરાવે છે.
મિન્ત્રા સેલર ગ્રોથ કનેક્ટ દ્વારા શહેરની ૩૦૦થી વધુ બ્રાન્ડ્સને એક સુવ્યવસ્થિત ગ્રોથ પ્લેબુક વિશે માહિતગાર કરવામાં આવી હતી, જે મિન્ત્રા પ્લેટફોર્મ પર તેમના વિકાસના વિવિધ તબક્કાઓ દરમિયાન તેમની બ્રાન્ડની સફરને ટેકો આપવા માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. આ ફ્રેમવર્ક દ્વારા બ્રાન્ડ્સ માટે વિકાસના મુખ્ય પરિબળો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેમાં યોગ્ય એસોર્ટમેન્ટ અને પસંદગી ઊભી કરવી, ઉભરતા સ્ટાઇલ ટ્રેન્ડ્સને ઓળખવા અને ફેશન-પ્રેમી ગ્રાહકોમાં પ્રોડક્ટની વિઝિબિલિટી અને ડિસ્કવરી વધારવા માટે એડ કેમ્પેઈનનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. ઉપસ્થિત રહેલા વિક્રેતાઓએ મિન્ત્રાની વિસ્તરતી ટેકનોલોજી ક્ષમતાઓ વિશે પણ ઊંડી સમજ મેળવી હતી, જે કામગીરીને સરળ બનાવવા અને પ્લેટફોર્મ પર ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ સુધારવા માટે બનાવવામાં આવી છે. આ સત્રોમાં નવી કેટેલોગિંગ વિશેષતાઓ, ઓપરેશનલ ટૂલ્સ અને એવી સિસ્ટમ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે બ્રાન્ડ્સને મિન્ત્રા પર વધુ કાર્યક્ષમ રીતે સંચાલન કરવામાં સક્ષમ બનાવે છે. સેલર ગ્રોથ કનેક્ટ જેવી પહેલો દ્વારા, અમે આ ગતિશીલ વિક્રેતા સમુદાય સાથે મળીને કામ કરવા માંગીએ છીએ અને તેમને તેમના વ્યવસાયોને વિસ્તૃત કરવા અને સમગ્ર ભારતમાં ગ્રાહકો સુધી પહોંચવા માટે જરૂરી ટેકનોલોજી, આંતરદૃષ્ટિ અને ગ્રોથ ફ્રેમવર્કથી સજ્જ કરવા માંગીએ છીએ.”
પોતાનો અનુભવ શેર કરતા, વિનય કનોડિયા, જનસ્યાના ફાઉન્ડર એ જણાવ્યું હતું કે, “અમે ઘણા વર્ષોથી મિન્ત્રા પર વેચાણ કરી રહ્યા છીએ અને આ પ્લેટફોર્મે અમારા વ્યવસાયને સ્થાનિક બજારથી ઘણો આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે વર્ષોથી મિન્ત્રાએ ભારતમાં ફેશન અને લાઈફસ્ટાઈલના ગ્રાહકો માટે એક મજબૂત આધાર તૈયાર કર્યો છે. મિન્ત્રાએ વર્ષોથી ભારતમાં ફેશન અને લાઈફસ્ટાઈલના ગ્રાહકોનો એક મજબૂત આધાર તૈયાર કર્યો છે. આજે અમે પાછલા વર્ષની સરખામણીએ વ્યવસાયમાં 60% થી વધુ વૃદ્ધિ સાથે સમગ્ર ભારતમાં ફેશન પ્રેમી ગ્રાહકો સુધી પહોંચવામાં સફળ રહ્યા છીએ, જેમાં પીક પિરિયડ દરમિયાન ગ્રાહકોના પ્રતિસાદમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. મિન્ત્રા સાથે કામ કરવાની ખાસિયત એ તેની મજબૂત સપોર્ટ ઇકોસિસ્ટમ છે—જેમાં ફેશન ટ્રેન્ડ્સની સમજ અને કેટેલોગિંગ માર્ગદર્શનથી લઈને પ્રોડક્ટની વિઝિબિલિટી અને માંગ વધારવામાં મદદ કરતા સાધનોનો સમાવેશ થાય છે. ‘સેલર ગ્રોથ કનેક્ટ’ જેવી પહેલો ખાસ કરીને મૂલ્યવાન છે, કારણ કે તે અમારા જેવા વિક્રેતાઓને મિન્ત્રાની માર્કેટપ્લેસ, ટેકનોલોજી, ઓપરેશન્સ અને એડ્સ ટીમો સાથે સીધો સંવાદ કરવાની તક આપે છે. આ ઉપરાંત, કેટેલોગિંગ, એડવર્ટાઇઝિંગ અને પ્લેટફોર્મ ટૂલ્સ જેવા ક્ષેત્રોમાં પ્રત્યક્ષ માર્ગદર્શન મળે છે જે વ્યવસાયના વિકાસને વેગ આપવામાં મદદ કરે છે.”
સુરતના ગ્રાહકોમાં મેન્સ કેઝ્યુઅલ વેર, વિમેન્સ વેસ્ટર્ન વેર અને સ્પોર્ટ્સ ફૂટવેર સૌથી લોકપ્રિય શ્રેણીઓમાં સામેલ છે, જે રોજબરોજની ફેશન અને એથ્લેઝર કેટેગરી માટેની મજબૂત માંગને દર્શાવે છે.
મેટ્રો શહેરોની બહારથી ફેશનની માંગ સતત વધી રહી છે, ત્યારે મિન્ત્રા બ્રાન્ડ્સ અને વિક્રેતાઓને સશક્ત બનાવવા માટે રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે, જેથી તેઓ તેમના વ્યવસાયનો વ્યાપ વધારી શકે અને દેશભરના ગ્રાહકો સુધી પહોંચી શકે. યુવા ગ્રાહકોમાં પ્લેટફોર્મની વધતી જતી લોકપ્રિયતાને કારણે, ઝેડ જનરેશન (Gen Z) હવે મિન્ત્રાના કુલ સક્રિય ગ્રાહકોમાં લગભગ 50% હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત, પ્લેટફોર્મ પર જોડાતા 70% થી વધુ નવા ગ્રાહકો નોન-મેટ્રો બજારોમાંથી આવે છે, જે સમગ્ર ભારતમાં મિન્ત્રાની ઊંડી પહોંચને પ્રતિબિંબિત કરે છે.
સાર્વજનિક યુનિવર્સિટીમાં “સમત્વમ્” કાર્યક્રમનું આયોજન
સાર્વજનિક યુનિવર્સિટીના મહિલા વિકાસ સેલ દ્વારા મહિલા દિવસ નિમિત્તે તા. 10 માર્ચ 2026ના રોજ “સમત્વમ્ (સમાનતા • સન્માન • સશક્તિકરણ – સર્વસમાવેશક અને સશક્ત સમાજ તરફ એક પહેલ)” વિષય પર Gender Sensitization Programmeનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ લિંગ સમાનતા, સંવેદનશીલતા અને સર્વસમાવેશિતા અંગે જાગૃતિ લાવવાનો તથા વિધાર્થીઓ અને યુનિવર્સિટી સમુદાયને આ મુદ્દાઓ પર સાર્થક ચર્ચા માટે પ્રેરિત કરવાનો હતો.
કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં શ્રી આશિષ વકીલ, President, સાર્વજનિક યુનિવર્સિટી તથા ડૉ. કિરણ પંડ્યા. Provost, સાર્વજનિક યુનિવર્સિટી ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ મુખ્ય વક્તા તરીકે શ્રીમતી શ્રદ્ધા શાહ, Founder – Tapperz Dance School, તથા Advocate હિરલ પનવાલા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ મહેમાન વક્તાઓના પ્રેરણાદાયી સંબોધન રહ્યા હતા। શ્રીમતી શ્રદ્ધા શાહે તેમના અનુભવ દ્વારા અનુશાસન, અથાગ મહેનત અને આત્મઅભિવ્યક્તિના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને પડકારોને પાર કરી આગળ વધવા માટે પ્રેરણા આપી હતી। જ્યારે Advocate હિરલ પનવાલાએ તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક અનુભવ દ્વારા આત્મવિશ્વાસ, જાગૃતિ અને સશક્તિકરણના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આ ઉપરાંત કાર્યક્રમ અંતર્ગત લોગો નિર્માણ, પોસ્ટર નિર્માણ, બુકમાર્ક નિર્માણ, વાદ-વિવાદ તથા મૂવી રિવ્યુ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં વિવિધ સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ સંવાદ, પ્રેરણા અને જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ મંચ પુરવાર થયો હતો તથા સર્વસમાવેશક, સન્માનજનક અને સમાન સમાજના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો હતો.