Posts by: abhay_news_editor
એનઆઈએફ ગ્લોબલ સુરતનો દ્વારા યોજાયો ભવ્ય ફેશન શો: ભારતીય હસ્તકલાઓ અને આધુનિક ડિઝાઇનનો અદ્ભુત સંગમેં દર્શકોને આકર્ષિત કર્યું
લેકમે ફેશન વીકમાં લોન્ચ થયેલી કલેક્શનથી શોની ભવ્યતા વધી, ૧૧ સિક્વન્સમાં સર્જનાત્મકતાની ઝલક જોવા મળી
સુરત. એનઆઈએફ ગ્લોબલ સુરત દ્વારા ૨૩ મેની સાંજે ૭ વાગ્યે બીપીએએચ ખાતે આયોજિત ફેશન શોમાં સર્જનાત્મકતા, કારીગરી અને આધુનિક ડિઝાઇનનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થી ડિઝાઇનરોએ ભારતીય હસ્તકલાની સમૃદ્ધ પરંપરાથી પ્રેરિત પોતાની વિશેષ કલેક્શન રેમ્પ પર રજૂ કરી હતી, જેને દર્શકોએ ભરપૂર પ્રશંસા આપી હતી.
આ ફેશન શોની સૌથી વિશેષ બાબત તૈયાર કરવામાં આવેલ ૧૧ થીમ આધારિત સિક્વન્સ રહ્યા, જેમાં ડિઝાઇનરોની કલ્પનાશક્તિ અને કલા કૌશલ્યની ઝલક સ્પષ્ટ રીતે જોવા મળી હતી. કાર્યક્રમમાં એવી બે વિશેષ કલેક્શન પણ સામેલ હતી, જે અગાઉ મુંબઈના પ્રતિષ્ઠિત લેકમે ફેશન વીકમાં લોન્ચ થઈ ચૂકી છે, જેના કારણે સમગ્ર કાર્યક્રમની ભવ્યતા વધુ વધી ગઈ હતી.

ડિઝાઇનરોની રજૂઆતમાં પર્યાવરણ સંરક્ષણ, ટકાઉ વિકાસ, ભારતની શાહી વિરાસત તેમજ પરંપરાગત કઢાઈ અને હસ્તકલાની સમૃદ્ધ પરંપરાને આધુનિક ફ્યુઝન સિલ્હૂટ્સ સાથે સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. દરેક રજૂઆતમાં પરંપરા અને આધુનિકતાનું સંતુલિત સંમિશ્રણ જોવા મળ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન દર્શકોની ભારે ભીડ ઉમટી પડી હતી અને દરેક કલેક્શનને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. સમગ્ર શો દરમિયાન ગૂંજેલી તાળીઓએ માહોલને વધુ ઉત્સાહભર્યો બનાવી દીધો હતો.

આ પ્રસંગે જ્યુરી સભ્ય તરીકે જાણીતા ફેશન નિષ્ણાત મનીષ રેશમવાળા, સંગીતા ચોકસી અને સમતા ગૌદાની ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ડિઝાઇનરોના કાર્યનું મૂલ્યાંકન સર્જનાત્મકતા, કારીગરી, સ્ટાઇલિંગ અને પ્રેઝન્ટેશનના આધારે કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમ માત્ર ફેશનનું પ્રદર્શન નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ, હસ્તકલા અને આધુનિક વિચારધારાના સંગમરૂપે એક પ્રભાવશાળી મંચ સાબિત થયો હતો, જેમાં યુવા ડિઝાઇનરોની નવી વિચારસરણી અને સર્જનાત્મક દ્રષ્ટિકોણને પણ ઉજાગર કરવામાં આવ્યો હતો.
ડૉ. વિવેક બિન્દ્રા અને વિવેક ઓબેરોય દ્વારા વડોદરા ખાતે ગુજરાતના સૌથી મોટા બ્રાન્ડેડ ફેક્ટરી રિટેલ આઉટલેટની શરૂઆત
વડોદરા, પ્રીમિયમ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સને કિફાયતી કિંમતે ગ્રાહકો સુધી પહોંચાડતા અને ઝડપથી આગળ વધી રહેલ રિટેલ અને બી ટુ બી પ્લેટફોર્મ બ્રાન્ડેડ ફેક્ટરી દ્વારા 23 મે 2026, શનિવારના રોજ વડોદરામાં ગુજરાતના સૌથી મોટા બ્રાન્ડેડ ફેક્ટરી રિટેલ આઉટલેટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ મેગા લોન્ચ અને વિશેષ પ્રેસ કોન્ફરન્સમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ, બિઝનેસ મેન્ટર તથા બડા બિઝનેસના સ્થાપક અને સીઈઓ ડૉ વિવેક બિન્દ્રાએ શેરહોલ્ડર તરીકે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી. આ પ્રસંગે અભિનેતા અને ઉદ્યોગપતિ વિવેક ઓબેરોય સહિત અનેક જાણીતી હસ્તીઓ પણ હાજર રહી. બારોડા સ્ક્વેર, બી પી સી રોડ, અલ્કાપુરી સ્થિત આ મેગા આઉટલેટ એક લાખથી વધુ વર્ગફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે, જ્યાં ગ્રાહકો માટે એક લાખથી વધુ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. ફેશન, એક્સેસરીઝ, લાઇફસ્ટાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ સહિત અનેક કેટેગરીઝમાં ઉપલબ્ધ આ આઉટલેટ ગુજરાતના સૌથી મોટા વેલ્યુ-ડ્રિવન શોપિંગ ડેસ્ટિનેશન્સમાંનું એક માનવામાં આવી રહ્યું છે. 20 વર્ષથી વધુના હોલસેલ વિતરણના અનુભવ અને 150થી વધુ મુખ્ય બ્રાન્ડ્સ સાથેની મજબૂત ભાગીદારી દ્વારા બ્રાન્ડેડ ફેક્ટરી ગ્રાહકોને મોટા પાયે પ્રીમિયમ શોપિંગ અનુભવ આપવાની દિશામાં કાર્યરત છે. લોન્ચ પ્રસંગે વિવિધ કેટેગરીઝમાં 50 ટકાથી 90 ટકા સુધીના આકર્ષક ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યા હતા, જેના કારણે ગ્રાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા અદ્યતન કેન્દ્રીય લાઇબ્રેરી પહેલથી વિદ્યાર્થી અભ્યાસને નવી દિશા
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી – સાર્વજનિક યુનિવર્સિટી (SES–SU) દ્વારા ગુણવત્તાસભર શિક્ષણ અને શૈક્ષણિક સંસાધનોને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્રીય લાઇબ્રેરી પહેલ અંતર્ગત મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. યુનિવર્સિટી સેન્ટ્રલ લાઇબ્રેરી હવે તમામ ઘટક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને સંશોધકો માટે એક વ્યાપક શૈક્ષણિક સંસાધન કેન્દ્ર તરીકે કાર્યરત બની છે.
સેન્ટ્રલ લાઇબ્રેરી દ્વારા વિદ્યાર્થીઓને પ્રિન્ટ અને ડિજિટલ સ્વરૂપમાં ૩ લાખથી વધુ પુસ્તકો સહિત વિશાળ શૈક્ષણિક સંકલનનો લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. કોઈપણ વિદ્યાર્થી પોતાની ફેકલ્ટીથી પર અન્ય ફેકલ્ટીની લાઇબ્રેરીના સંસાધનોનો પણ ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ તરીકે, એન્જિનિયરિંગ ફેકલ્ટીનો વિદ્યાર્થી આર્ટ્સ ફેકલ્ટીની લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે છે અને તે જ રીતે અન્ય ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પણ પરસ્પર સંસાધનોનો લાભ લઈ શકે છે. આ પહેલ શિક્ષણ, અભ્યાસ અને સંશોધન પ્રવૃત્તિઓને સતત સહકાર પૂરો પાડશે.
લાઇબ્રેરી દ્વારા પુસ્તકો અને શૈક્ષણિક સામગ્રીના સંગ્રહ, વર્ગીકરણ, સંચાલન અને જાળવણીની સુવ્યવસ્થિત પ્રક્રિયા અમલમાં મુકવામાં આવી રહી છે. સાથે સાથે, ડિજિટલ એક્સેસ, આધુનિક સુવિધાઓ અને વિદ્યાર્થીમૈત્રી અભ્યાસ વાતાવરણના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
આ પહેલના ભાગરૂપે SES–SU હેઠળ કાર્યરત ૧૪ સંસ્થાકીય લાઇબ્રેરીઓને એક સંકલિત લાઇબ્રેરી નેટવર્ક દ્વારા જોડવામાં આવી છે. આ નેટવર્કથી તમામ લાઇબ્રેરીઓ વચ્ચે પુસ્તકો અને વાંચન સામગ્રીનું સરળ આદાન-પ્રદાન તેમજ બિબ્લિયોગ્રાફિક ડેટાબેઝ સુધી સહેલાઈથી પહોંચ શક્ય બની છે.
આ કેન્દ્રીય વ્યવસ્થાના કારણે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી – સાર્વજનિક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હવે તમામ જોડાયેલી લાઇબ્રેરીઓમાંથી પુસ્તકો અને સંસાધનો સરળતાથી મેળવી શકશે. પરિણામે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો, સંદર્ભ પુસ્તકો, જર્નલ્સ, સંશોધન પ્રકાશનો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત સામગ્રીનો વિશાળ ભંડાર ઉપલબ્ધ બનશે.
આ કેન્દ્રીય લાઇબ્રેરી નેટવર્ક આંતરવિષયક અભ્યાસને પણ પ્રોત્સાહન આપે છે, કારણ કે વિદ્યાર્થીઓ પોતાની સંસ્થા બહારના વિષયોના સંસાધનોનો પણ અભ્યાસ કરી શકશે. સાથે સાથે, પ્રોજેક્ટ વર્ક, ડિસર્ટેશન, ઇન્ટર્નશિપ અને સંશોધન પ્રવૃત્તિઓ માટે જરૂરી શૈક્ષણિક સાહિત્ય અને ડિજિટલ ડેટાબેઝ સુધી વધુ સગવડભર્યો પ્રવેશ મળશે.
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન તથા સાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલે જણાવ્યું હતું કે, “આ પહેલનો મુખ્ય હેતુ તમામ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર માહિતી અને જ્ઞાન સંસાધનોની સમાન ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને વાંચન સંસ્કૃતિ, સ્વઅભ્યાસ અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવાનો છે.”
SKYERA – Air Hostess & Aviation Training Institute સુરત, વાપી, વલસાડ, નવસારી, દમણ, ભરુચ, અંકલેશ્વર, બારડોલી અને વ્યારા સહિતના વિસ્તારોના વિદ્યાર્થીઓને 100% Job Placement Assistance સાથે એવિએશન અને હૉસ્પિટાલિટી ક્ષેત્રમાં સફળ કારકિર્દી બનાવવા માટે માર્ગદર્શન અને તાલીમ આપી રહ્યું છે.
સુરત, – Skyera એ Aviation, Hospitality, Tours & Travels ક્ષેત્રનું અગ્રણી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, જે ખાસ કરીને 12 પાસ વિદ્યાર્થીઓને પ્રોફેશનલ ટ્રેનિંગ આપી તેમને પ્રતિષ્ઠિત Airlines (Cabin Crew/Airports), Hotels તથા Tours & Travels ઇન્ડસ્ટ્રીમાં રોજગારની તકો ઉપલબ્ધ કરાવવામાં વિશેષતા ધરાવે છે.
સંસ્થાના વિશ્વસનીય ગ્રુપ દ્વારા અત્યાર સુધી સમગ્ર ભારતમાં 50,000થી વધુ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી છે, જેના કારણે સંસ્થાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની મજબૂત ઓળખ ઉભી કરી છે.
તાજેતરમાં Skyera Institute of Airhostess Training દ્વારા વિદ્યાર્થીઓ માટે THE LONG D HOTELS AND BANQUET ખાતે એક શૈક્ષણિક Industrial Visitનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ મુલાકાતનો હેતુ વિદ્યાર્થીઓને હોટેલ ઇન્ડસ્ટ્રીની કાર્યપ્રણાલીનો પ્રેક્ટિકલ અને રિયલ-વર્લ્ડ અનુભવ અપાવવાનો હતો, જેથી એવિએશન અને હૉસ્પિટાલિટી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક ઇન્ડસ્ટ્રી Exposure મળી શકે.
સંસ્થાના મેનેજમેન્ટે આ શૈક્ષણિક અને માહિતીસભર મુલાકાતને સફળ બનાવવા બદલ હોટેલ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. સંસ્થાના જણાવ્યા મુજબ, આવી Industry Exposure Activities વિદ્યાર્થીઓને Practical Learning આપવા અને Aviation, Hospitality તથા Customer Service ક્ષેત્રમાં સફળ કારકિર્દી માટે તૈયાર કરવાની તેમની પ્રતિબદ્ધતાનો મહત્વપૂર્ણ ભાગ છે.

ગત એક વર્ષ દરમિયાન સંસ્થાએ અનેક વિદ્યાર્થીઓને Cabin Crew, Ground Staff તથા Aviation Sectorમાં કારકિર્દી બનાવવા માટે સફળતાપૂર્વક તાલીમ આપી છે. ઉચ્ચ ગુણવત્તાવાળી ટ્રેનિંગ, અનુભવી ફેકલ્ટી અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર Professional Skills જ નહીં પરંતુ Confidence Building અને Personality Developmentમાં પણ નિષ્ણાત બનાવવામાં આવ્યા છે.
સંસ્થાનો મુખ્ય હેતુ યુવાનોને તેમના સપનાઓ સાકાર કરવામાં મદદરૂપ થવાનો અને તેમને સફળ કારકિર્દી તરફ દોરી જવાનો છે.
આ સિદ્ધિ પ્રસંગે સંસ્થાના ડિરેક્ટર અને સ્ટાફે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર વ્યક્ત કરતાં ભવિષ્યમાં પણ વધુ સારી શિક્ષણ અને Placement Opportunities ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમનો સમાપન એક Interactive Discussion Session અને Group Interaction સાથે થયો, જેના કારણે વિદ્યાર્થીઓમાં Hospitality અને Aviation ક્ષેત્રમાં ઉત્તમતા પ્રાપ્ત કરવાની નવી પ્રેરણા અને ઉત્સાહ જોવા મળ્યો.
સાર્વજનિક યુનિવર્સિટીદ્વારા લિબરલ આર્ટ્સના નવા અભ્યાસક્રમોની શરૂઆત : વિશ્લેષણાત્મક અને માનવકેન્દ્રિત નેતૃત્વ ઘડવાનો પ્રયાસ
સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા બહુમુખી અને ભવિષ્યલક્ષી શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭ થી નવા ઘટક સંસ્થા — Sarvajanik College of Liberal Arts (એસ.સી.એલ.એ.) હેઠળ નવા સ્નાતક અભ્યાસક્રમોની શરૂઆત કરવામાં આવી છે.
“તર્ક્બદ્ધ અને સમૃદ્ધ જીવન” ના ધ્યેય ઢાચાઓસાથે શરૂ કરાયેલા આ અભ્યાસક્રમોનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માનવીય વર્તન, સામાજિક અને માહિતી આધારિત વિશ્લેષણ વચ્ચેનો સંબંધ સમજાવી તેમને જવાબદાર, સંવેદનશીલ અને વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવતા નાગરિકો તૈયાર કરવાન છે.
એસ.સી.એલ.એ. દ્વારા નીચે મુજબના નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે:
બી.એ. અર્થશાસ્ત્ર (મુખ્ય વિષય)
બી.એ. મનોવિજ્ઞાન (મુખ્ય વિષય)
બંને અભ્યાસક્રમો શૈક્ષણિક ઊંડાણ, પ્રાયોગિક અભ્યાસ અને સંશોધન આધારિત શિક્ષણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ ના બહુમુખી અને આંતરવિષયક અભિગમને અનુરૂપ રચવામાં આવ્યા છે.
બી.એ. અર્થશાસ્ત્ર અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓને અર્થવ્યવસ્થા, બજાર વ્યવસ્થા, નીતિ નિર્માણ, માનવીય વર્તન, વિકાસ અભ્યાસ તથા આંકડાકીય વિશ્લેષણ અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવશે. જ્યારે બી.એ. મનોવિજ્ઞાન અભ્યાસક્રમ માનવીય વિચારસરણી, લાગણીઓ, વર્તન અને અનુભવોને વૈજ્ઞાનિક તેમજ વ્યવહારુ અભિગમથી સમજવા માટે રચાયેલ છે.
વિદ્યાર્થીઓને તેમના મુખ્ય વિષય સાથે નીચે મુજબના ગૌણ વિષય / વિશેષ અભ્યાસ વિકલ્પો પસંદ કરવાની તક મળશે:
મનોવિજ્ઞાન
અર્થશાસ્ત્ર
જનસંપર્ક અને પ્રસાર માધ્યમ અભ્યાસ
આંકડાશાસ્ત્ર
આ લવચીક શૈક્ષણિક માળખું વિદ્યાર્થીઓને તેમની રસ, ક્ષમતા અને ભવિષ્યની કારકિર્દીને અનુરૂપ અભ્યાસ દિશા પસંદ કરવામાં સહાયક બનશે.
અભ્યાસક્રમનું પાઠ્યક્રમ આજના બદલાતા વૈશ્વિક અને વ્યવસાયિક પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં તાર્કિક વિચારશક્તિ, આંકડાકીય સમજ, અભિવ્યક્તિ કૌશલ્ય, ગણનાત્મક કુશળતા અને સંશોધન અભિરુચિ વિકસે તે માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી તેઓ રોજગારક્ષમ બનવા સાથે ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટે પણ સક્ષમ બની શકે.
યુનિવર્સિટીના જણાવ્યા મુજબ એસ.સી.એલ.એ. નું શૈક્ષણિક દ્રષ્ટિકોણ આંતરવિષયક અભ્યાસ, જિજ્ઞાસા આધારિત શિક્ષણ અને ભવિષ્યલક્ષી કૌશલ્યો પર આધારિત છે. વર્ગખંડ શિક્ષણ સાથે પ્રયોગાત્મક કાર્યો, ક્ષેત્ર અભ્યાસ, તર્કશક્તિ વિકાસ પ્રવૃત્તિઓ અને સંશોધન આધારિત પ્રવૃત્તિઓનો સમાવેશ કરીને વિદ્યાર્થીઓને જીવનના વાસ્તવિક પડકારો માટે તૈયાર કરવામાં આવશે.
આ નવા અભ્યાસક્રમોની શરૂઆત સાથે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની ૧૧૪ વર્ષની ગૌરવશાળી શિક્ષણ પરંપરાને આગળ વધારતા Sarvajanik University દ્વારા સુરત અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
યુનિવર્સિટી હવે જી.સી.એ.એસ. પ્રવેશ પોર્ટલ પર પણ ઉપલબ્ધ છે, જેના કારણે વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા વધુ સરળ અને સુલભ બની છે. યુનિવર્સિટી ગુણવત્તાસભર, વ્યવસાયલક્ષી અને પરવડે તેવું શિક્ષણ આપતાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક ઉત્તમતા માટે પ્રતિબદ્ધ છે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ વધુ માહિતી માટે યુનિવર્સિટી પ્રવેશ કચેરીનો સંપર્ક કરી શકે છે અથવા પરિસરની મુલાકાત લઈને અભ્યાસક્રમની રચના, પાઠ્યક્રમ તથા પ્રવેશ પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી મેળવી શકે છે.
CBSE ધોરણ ૧૨ બોર્ડ પરીક્ષા પરિણામ 2025-26
સૂરત: માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ, સુરતે શૈક્ષણિક વર્ષ 2025-26 ની CBSE ધોરણ ૧૨ બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ નોંધાવ્યું છે. શાળાએ તમામ પ્રવાહોમાં પ્રશંસનીય શૈક્ષણિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મહેનત, સમર્પણ તથા સતત પ્રયત્નોને પ્રતિબિંબિત કરે છે.
પરીક્ષામાં હાજર રહેલા કુલ ૩૬ વિદ્યાર્થીઓમાંથી ૫ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા ૬ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને સંસ્થાની શૈક્ષણિક શ્રેષ્ઠતાની પરંપરાને આગળ વધારી છે.
કોમર્સ પ્રવાહમાં ધિયાન તેજસ દેસાઈએ 475/500 ગુણ મેળવી 95% સાથે શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.
હ્યુમેનિટીઝ પ્રવાહમાં નમ્રા મોરડિયાએ 458/500 ગુણ સાથે 91.60% મેળવી સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું.
સાયન્સ પ્રવાહમાં જ્યોત ચકલાસિયાએ 413/500 ગુણ સાથે 82.60% મેળવી ટોપર તરીકે સ્થાન મેળવ્યું.
શાળાને વિશેષ ગૌરવ છે કે ધિયાન તેજસ દેસાઈએ બિઝનેસ સ્ટડીઝ વિષયમાં સંપૂર્ણ 100/100 ગુણ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.
માઉન્ટ લિટેરા ઝી સ્કૂલનું સંચાલન તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકોને તેમની મહેનત અને પ્રતિબદ્ધતા બદલ હાર્દિક અભિનંદન પાઠવે છે તથા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરે છે.
સ્કોલર ઇંગ્લિશ એકેડમીનું શાનદાર પરિણામ, કોમર્સમાં 100% રિઝલ્ટ, સાયન્સમાં પણ વિદ્યાર્થીઓનો ઉત્તમ દેખાવ
સુરત. સ્કોલર ઇંગ્લિશ એકેડમીએ આ વર્ષે બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવી શૈક્ષણિક ક્ષેત્રમાં પોતાની પ્રતિષ્ઠા વધુ મજબૂત બનાવી છે. ખાસ કરીને કોમર્સ પ્રવાહમાં એકેડમીનું પરિણામ 100% રહ્યું છે, જે ગૌરવની બાબત છે.
કોમર્સ પ્રવાહમાં વત્સલ કાબરાએ 96.2% ગુણ મેળવી ટોચનું સ્થાન મેળવ્યું છે. પ્રજ્ઞા પાંડે 92% અને મન્નત ચાવલાએ 91.4% ગુણ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે. ખાસ વાત એ રહી કે અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થીઓએ 100 માંથી 100 ગુણ મેળવી અનોખી સિદ્ધિ નોંધાવી છે.
સાયન્સ પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો છે. વ્રજ પટેલે 93.2% ગુણ મેળવ્યા છે, જ્યારે યશવી પચ્ચીકર અને દર્શીલ બબ્બરે પણ નોંધપાત્ર પરિણામ મેળવી એકેડમીનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે.
ટ્રસ્ટી રાજેશ મહેશ્વરી અને પ્રિન્સિપાલ મહેન્દ્ર તાયડે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
તેમણે જણાવ્યું કે એકેડમી દ્વારા યોગ્ય ફીમાં ગુણવત્તાસભર શિક્ષણ આપવાનો પ્રયાસ સતત ચાલુ રહેશે, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ મળી શકે.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે સીબીએસઈ ધોરણ 12ના ઉત્કૃષ્ટ પરિણામોનું ગૌરવપૂર્ણ ઉજવણી કરી
સુરત. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2025-26માં ધોરણ 12ના વિદ્યાર્થીઓના શાનદાર પરિણામોને લઈને ગર્વ વ્યક્ત કર્યો છે. વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં સ્કૂલનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે, જેના કારણે સમગ્ર કેમ્પસમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયું હતું. આ સફળતા વિદ્યાર્થીઓની મહેનત, સમર્પણ અને દૃઢ સંકલ્પનું પ્રતિબિંબ છે
વિજ્ઞાન પ્રવાહમાં દ્વિજા મયંક વાશીએ 96.2% ગુણ મેળવી સ્કૂલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નવ્યા અગ્રવાલે 94% ગુણ મેળવ્યા, જ્યારે નીવ ચાવલાએ 93.2% ગુણ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું. ખાસ કરીને નીવ ચાવલાએ બાયોલોજી વિષયમાં 99 ગુણ મેળવી પોતાની વિશેષ વિષય કુશળતા દર્શાવી.
વાણિજ્ય પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે. જાલક પટેલે 88.8% ગુણ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ત્યારબાદ ચાર્મી અગ્રવાલે 79% અને લક્ષ્ય કોઠારીએ 78% ગુણ મેળવી સારો દેખાવ કર્યો.
સ્કૂલ મેનેજમેન્ટે તમામ વિદ્યાર્થીઓને તેમની મહેનત, શિસ્ત અને સતત પ્રયત્નો બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. આ ઉત્કૃષ્ટ પરિણામોનું શ્રેય વિદ્યાર્થીઓની લગન, વાલીઓના સહકાર અને શિક્ષકોના સતત માર્ગદર્શનને અપાયું છે.

સ્કૂલની પ્રિન્સિપાલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમે માનીએ છીએ કે સફળતા શિસ્ત, સતત પ્રયત્ન અને સમર્પણથી પ્રાપ્ત થાય છે. અમારા વિદ્યાર્થીઓએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સાચી મહેનત હંમેશા ઉત્તમ પરિણામ આપે છે. અમને અમારા વિદ્યાર્થીઓ પર ગર્વ છે અને અમે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવીએ છીએ.
તેમણે વધુમાં જણાવ્યું કે સ્કૂલ હંમેશા ગુણવત્તાસભર શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે, જેથી તેઓ આત્મવિશ્વાસપૂર્ણ, જવાબદાર અને સફળ નાગરિક બની શકે.
સ્કૂલ મેનેજમેન્ટે તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને આ શાનદાર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. સ્કૂલ પરિવાર દ્વારા આ સફળતાનો ઉત્સાહપૂર્વક ઉત્સવ મનાવવામાં આવ્યો, જે સંસ્થાની શૈક્ષણિક યાત્રામાં એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે નોંધાયો છે.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ સતત ગુણવત્તાસભર શિક્ષણ, નવીનતા અને સંસ્કારસભર શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરિત કરતું રહેશે અને તેમને ભવિષ્યની પડકારોને આત્મવિશ્વાસ સાથે સામનો કરવા માટે તૈયાર કરતું રહેશે.
શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે યોજાયેલી CBSE ધોરણ 12 બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
સુરત : વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોના માર્ગદર્શન તથા વાલીઓના સહકારથી શાળાએ ફરી એકવાર શ્રેષ્ઠ શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરી છે.
આ વર્ષે પરીક્ષામાં 28 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 18 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શાળાની સફળતામાં વધારો કર્યો છે.
આર્ટ્સ પ્રવાહમાં ગુપ્તા અંશિકા પ્રમોદે 500 માંથી 492 ગુણ મેળવી 98.4% સાથે સમગ્ર શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. કોમર્સ પ્રવાહમાં જયદીપ પારેખે 500 માંથી 481 ગુણ મેળવી 96.2% સાથે ઉત્કૃષ્ટ સફળતા મેળવી હતી. આર્ટ્સ પ્રવાહમાં અંજુકુમારી કશ્યપે 500 માંથી 477 ગુણ મેળવી 95.4% સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
શાળા સંચાલન, પ્રિન્સિપાલ તથા સ્ટાફ દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
શાળા પરિવાર દ્વારા મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ પટેલનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેમના સતત પ્રોત્સાહન, માર્ગદર્શન અને સહકારથી સંસ્થા સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે.
ABS પ્રમાણિત EQ70 વેલ્ડેડ પાઇપ્સ સાથે AM/NS Indiaએ સ્થાપ્યો વૈશ્વિક માપદંડ
હઝીરા – સુરત, મે 14, 2026: વિશ્વની અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેનું સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ હઝીરા સ્થિત તેની પાઇપ મિલ ખાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ સબમર્જ આર્ક વેલ્ડીંગ (SAW) ટેક્નોલોજી દ્વારા EQ70 અલ્ટ્રા-હાઇ-સ્ટ્રેન્થ વેલ્ડેડ પાઇપ્સનું સફળ ઉત્પાદન કર્યું છે, જે પાઇપ ઉત્પાદન ક્ષેત્રમાં વિશ્વસ્તરે પ્રથમ સિદ્ધિ માનવામાં આવે છે. આ પાઇપ્સને અમેરિકન બ્યુરો ઓફ શિપિંગ (ABS) દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા છે, જે ઓફશોર એપ્લિકેશન્સ માટેના કડક આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ છે. AM/NS India હાલ ભારતમાં એકમાત્ર કંપની છે જે આ ગુણવત્તા સભર પાઈપ્સનું મેન્યુફેક્ચરિંગ કરી રહી છે. આ પાઈપ્સનો ઉપયોગ તેલ અને ગેસ ઉદ્યોગમાં લાંબા અંતરના પાઈપલાઈન ટ્રાન્સપોર્ટેશન માટે થાય છે. આ પાઈપ ખૂબ જ હાઈ-સ્ટ્રેન્થ, પ્રેશર-રેઝિસ્ટન્ટ અને કાટપ્રતિરોધક હોવાથી તે ઓનશોર અને ઓફશોર બંને પ્રકારની પાઈપલાઈન માટે યોગ્ય છે. આ સિદ્ધિ ઓફશોર એન્જિનિયરિંગ ક્ષેત્રમાં એક નવો વૈશ્વિક માપદંડ સ્થાપિત કરે છે અને ભારત સરકારની “Make in India” પહેલને મજબૂત સમર્થન આપે છે. સાથે જ યુરોપથી સરળ રીતે આયાત થતી પાઇપ્સ પરની નિર્ભરતા ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે.

