Posts by: abhay_news_editor
દરેક વર્દીના પાછળ એક અનલેખાયેલો નાયક : પદ્મશ્રી પદ્માવતી બંધોપાધ્યાય
પદ્મશ્રી પદ્માવતી બંધોપાધ્યાય, ડેપ્યુટી CM હર્ષ સંઘવી અને C.R. પાટીલની ઉપસ્થિતિમાં A.N.I.S. સંસ્થાએ પોલીસના અસલી હીરોને ‘કર્મ ભૂષણ એવોર્ડ 2025’થી સન્માનિત કર્યા
સુરત.શહેરના પોલીસ કર્મચારીઓની નિષ્ઠા, સેવા અને સમાજ પ્રત્યેના અમૂલ્ય યોગદાનને સલામ આપતો ‘કર્મ ભૂષણ એવોર્ડ 2025’ સમારોહનું આયોજન અપમૃત્યુ નિવારણ સહાય ( A.N.I.S) સંસ્થા દ્વારા રવિવારે પાલ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે ભવ્ય રીતે કરવામાં આવ્યું. આ સમારોહમાં ઉપસ્થિત રહેલા નાગરિકો, અધિકારીઓ અને મહાનુભાવોની હાજરીથી કાર્યક્રમમાં દેશભક્તિ અને ગૌરવનું અનોખું વાતાવરણ છવાઈ ગયું હતું.
A.N.I.S. સંસ્થા દ્વારા દર વર્ષે આયોજિત થતો આ એવોર્ડ સમારોહ સતત ત્રીજા વર્ષ આયોજિત કરવામાં આવ્યો. સુરત સિટી પોલીસના અનેક જાંબાઝ અધિકારીઓ અને જવાનોને બાળકો, મહિલાઓ તથા સામાન્ય નાગરિકોની સુરક્ષા અને સમાજ કલ્યાણ માટે કરેલી વિશિષ્ટ કામગીરી બદલ સન્માન આપવામાં આવ્યું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી વેટરન એર માર્શલ પદ્માવતી બંધોપાધ્યાય (PVSM, AVSM, VSM, પદ્મશ્રી) એ પોલીસ કર્મચારીઓની ફરજદારી અને શૌર્યની પ્રશંસા કરતા કહ્યું કે,
“વર્દી પાછળનો દરેક માનવી એક અનલેખાયેલા નાયક છે. આજે સુરતે તેમની પ્રતિભાને માન આપ્યો છે।

રાજ્યના ઉપમુખ્ય મંત્રી તથા ગૃહ મંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી શ્રી C. R. પાટીલ, તેમજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત એ પણ ઉપસ્થિત રહી વિજેતાઓને શાબાશી આપી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે જણાવ્યું કે સુરત પોલીસનું માન વધારતા આવા સન્માન કાર્યક્રમો કર્મચારીઓના મનોબળમાં વધુ ઉર્જા ઉમેરે છે.
કાર્યક્રમના સફળ આયોજન પાછળ A.N.I.S. અધ્યક્ષ શ્રીમતી ગીતા શ્રોફ, કમલેશ જોશી અને નિયતિ વિજની ટીમની મહેનત ઝળહળી ઉઠી. ગીતા શ્રોફે જણાવ્યું હતું કે
“આજે સુરતના નાગરિકોએ સાબિત કર્યું કે તેઓ પોતાના પોલીસ પરિવારને દિલથી માન આપે છે. આ એવોર્ડ માત્ર સન્માન નહીં, પરંતુ કૃતજ્ઞતાનો ઉત્સવ છે.
પ્રેક્ષાગૃહ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું જ્યારે વર્ષ 2025ના “કર્મ ભૂષણ” વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમ માનવીય સેવા, સમર્પણ અને ફરજદારીને સમર્પિત રહ્યો.
શ્રી અમિત શાહ દ્વારા ‘કો-ઓપ કુંભ 2025’ નું ઉદ્દઘાટન
ગાંધીનગર (ગુજરાત) [ભારત], 15 નવેમ્બર: નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેન્ક્સ એન્ડ ક્રેડિટ સોસાયટીઝ (NAFCUB) દ્વારા આયોજિત શહેર સહકારી બેન્કસ અને ક્રેડીટ સોસાયટીઝનું ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય પરિષદ “કો-ઓપ કુંભ 2025” નો ભવ્ય ઉદ્દઘાટન 10 નવેમ્બર 2025 ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં સફળતાપૂર્વક યોજાયો. ભારત સરકારના સહકાર મંત્રાલયના સહયોગથી આયોજિત આ બે દિવસીય પરિષદમાં નીતિનિર્માતાઓ, નિયામકો, સહકારી નેતાઓ અને દેશ-વિદેશના નાણાકીય નિષ્ણાતો એકત્ર થયા હતા. પરિષદનો મુખ્ય વિષય હતો — “ડિજિટલાઈઝિંગ ડ્રિમ્સ – એમ્પાવરિંગ કમ્યુનિટીઝ” (સપનાઓને ડિજિટલ બનાવીને સમાજને સશક્ત બનાવવું).
આ ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો માનનીય હકાર રાજ્ય મંત્રી શ્રી કિષન પાલ, કર્ણાટક સરકારના કાયદા, સંસદીય કાર્ય અને પર્યટન મંત્રી તેમજ NAFCUB ના માનદ અધ્યક્ષ શ્રી એચ. કે. પટીલ, NAFCUB ના અધ્યક્ષ શ્રી લક્ષ્મી દાસ, નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NUCFDC) ના અધ્યક્ષ શ્રી જ્યોતિન્દ્ર મહેતા, અને NAFCUB ના ઉપાધ્યક્ષ શ્રી મિલિંદ કાલે ઉપસ્થિત રહ્યા હતા.
તેમના સંબોધનમાં શ્રી અમિત શાહે ભારતના સહકારી ક્રેડિટ આંદોલનને મજબૂત બનાવવા માટે NAFCUB ના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે શહેર સહકારી બેન્કો અને ક્રેડિટ સોસાયટીઝની લાંબા ગાળાની અસ્તિત્વ માટે ડિજિટલ પરિવર્તન, સુશાસન અને સમાવેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે “સહકાર સે સમૃદ્ધિ”ના સિદ્ધાંત પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી અને જણાવ્યું કે સહકારી ક્ષેત્ર આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
NAFCUB ના અધ્યક્ષ શ્રી લક્ષ્મી દાસે તમામ મહાનુભાવો અને પ્રતિનિધિઓનું હાર્દિક સ્વાગત કર્યું અને જણાવ્યું કે સહકારી ક્રેડિટ માળખું લાખો નાના ઉદ્યોગસાહસિકો, સ્વરોજગારી વ્યક્તિઓ અને શહેરી પરિવારો માટે જીવનરેખા સમાન છે, જે સસ્તી નાણાકીય સેવાઓ પૂરી પાડીને સર્વસમાવેશી વિકાસને પ્રોત્સાહન આપે છે. ઉદ્ઘાટન સત્રનો આભાર વિધિ NAFCUB ના ઉપાધ્યક્ષ શ્રી મિલિંદ કાલે દ્વારા કરવામાં આવ્યો.
પરિષદ દરમિયાન સહકારી ક્રેડિટ સેક્ટરના વિવિધ મહત્વપૂર્ણ પાસાઓ પર થીમેટિક અને ટેક્નિકલ સત્રો યોજાયા. ચર્ચાઓમાં કોર્પોરેટ ગવર્નન્સ અને પ્રોફેશનલિઝમ, સહકારીઓ વચ્ચે સહકાર, ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ પરિવર્તન, તેમજ નાણાકીય સમાવેશ અને નિયમનકારી માળખાને ધ્યાનમાં લેવામાં આવ્યા. મહિલા નેતૃત્વ અને યુવા નેતૃત્વ પર વિશેષ સત્રો પણ યોજાયા, જેમાં સહકારી ક્ષેત્રના ભવિષ્ય નિર્માણમાં તેમના વધતા યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું.
ભારત અને વિદેશમાંથી આવેલ પ્રતિષ્ઠિત વક્તાઓ — વર્લ્ડ કાઉન્સિલ ઓફ ક્રેડિટ યુનિયન્સ (WOCCU), ઇન્ટેલેકેપ, માઈક્રોસેવ કન્સલ્ટિંગ અને ગ્રીનસ્ટોન ફાર્મ ક્રેડિટ સર્વિસિસ (યુએસએ) — એ સહકારી નાણાકીય ક્ષેત્રમાં ડિજિટાઈઝેશન, ગવર્નન્સ, નાણાકીય સમાવેશ અને સ્થિરતા વિષે વૈશ્વિક દ્રષ્ટિકોણ રજૂ કર્યા.
11 નવેમ્બર 2025 ના રોજ યોજાયેલા સમાપન સત્રમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને જાણીતા અર્થશાસ્ત્રી શ્રી સુરેશ પ્રભુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. તેમણે પરિષદને સમયોચિત પહેલ ગણાવી અને જણાવ્યું કે આ પહેલ ભારતની સહકારી ક્રેડિટ સંસ્થાઓને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ અને ડિજિટલ નવીનતાઓ સાથે જોડશે. સમાપન સત્રનું આભાર વિધિ NAFCUB ના નિર્દેશક શ્રી ઓ. પી. શર્મા દ્વારા કરવામાં આવ્યું.
આ બે દિવસીય કાર્યક્રમનું સમાપન “દિલ્હી ડિક્લેરેશન 2025 – રોડમેપ ટુ 2030”ને સ્વીકારવાથી થયું, જેમાં સહકારી ક્રેડિટ ક્ષેત્રમાં ગવર્નન્સ, ટેક્નોલોજી ઇન્ટિગ્રેશન અને સમાનતા માટેનું વિઝન રજૂ કરવામાં આવ્યું. 1400 થી વધુ પ્રતિનિધિઓ — શહેર સહકારી બેન્કો, ક્રેડિટ સોસાયટીઝ, નિયમનકારી સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સહકારી સંગઠનોમાંથી — આ કાર્યક્રમમાં ભાગ લીધો.“કો-ઓપ કુંભ 2025” એ NAFCUB ની પ્રતિબદ્ધતાને મજબૂત કરી કે તે ભવિષ્ય માટે એક સ્થિતિશીલ, પારદર્શક અને ડિજિટલી સશક્ત સહકારી બેન્કિંગ ઈકોસિસ્ટમનું નિર્માણ કરશે.
ભારતભરમાં લગભગ 1,500 અર્બન કોઓપરેટિવ બેન્ક્સ અને 60,000 ક્રેડિટ સોસાયટીઝ 8 કરોડથી વધુ ગ્રાહકોને સેવા આપે છે, જે ભારતની લોકો-કેન્દ્રિત નાણાકીય વ્યવસ્થાનો આધાર છે. “કો-ઓપ કુંભ 2025” એ આ વિશાળ નેટવર્કને “ડિજિટલ ઈન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત” ના લક્ષ્યો સાથે સુસંગત બનાવવાની દિશામાં એક પરિવર્તનશીલ પગલું છે. પરિષદની ચર્ચાઓ અને ભલામણો આગામી દાયકામાં નીતિગત સુધારાઓ, નિયમનકારી માળખા અને સહકારી સહકારના નવા મોડલ્સને દિશા આપશે.
નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેન્ક્સ એન્ડ ક્રેડિટ સોસાયટીઝ લિમિટેડ (NAFCUB)દેશભરના અર્બન સહકારી બેન્કિંગ અને ક્રેડિટ ક્ષેત્રનું અગ્રણી રાષ્ટ્રીય સંગઠન છે. તે વ્યાવસાયિકતા, સુશાસન, ટેક્નોલોજીકલ વિકાસ અને સહકારી સંસ્થાઓના હિતોનું સમર્થન કરવા માટે કાર્યરત છે.
ગુજરાતને મળ્યું પ્રથમ 3D CE મેમોગ્રાફી સેન્ટર : વેરિટાસ રેડિયોલોજીનો વેસુમાં ભવ્ય શુભારંભ
સુરત. ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ વેસ્ટર્ન બિઝનેસ પાર્ક ખાતે વેરિટાસ રેડિયોલોજી સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સેન્ટર રાજ્યનું પ્રથમ 3D કોન્ટ્રાસ્ટ એન્હાન્સ્ડ (CE) મેમોગ્રાફી સેન્ટર છે, જે અદ્યતન ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સક્ષમ સુવિધાઓથી સજ્જ છે. ઉદ્ઘાટન સમારોહ ડોક્ટરોના માતા-પિતાના શુભ હસ્તે સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી યોજાયો હતો.
સેન્ટરના સંચાલક ડૉ. ધારા શાહે જણાવ્યું હતું કે આશરે 1600 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું આ સેન્ટર અનુભવી રેડિયોલોજિસ્ટોની ટીમ દ્વારા સંચાલિત છે. હોલોજીક કંપની દ્વારા આ સેન્ટરને ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન મેમોગ્રાફી’નો દરજ્જો આપ્યો છે. સેન્ટરમાં 3D CE મેમોગ્રાફી, AI સક્ષમ અલ્ટ્રાસાઉન્ડ (USG) અને ટ્રુ ડિજિટલ એક્સ-રે જેવી અદ્યતન સેવાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અન્ય સેવાઓમાં 3D મેમોગ્રાફી, CE મેમોગ્રાફી, કલર ડોપ્લર, હાઇ-એન્ડ સોનોગ્રાફી, લિવર ઇલાસ્ટોગ્રાફી, ફીટલ મેડિસિન, ફેટ ક્વોન્ટિફિકેશન, 3D-4D સ્નાયુની સોનોગ્રાફી, VABB, ફુલ લેન્થ સ્કેનોગ્રામ અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીનો સમાવેશ થાય છે. સેન્ટરમાં ડો. ધારા ડી. શાહ (MD), ડો. ક્રિષ્ના બી. પટેલ (MD, DNB), ડો. નેહા શાહ (MD, FRCR), ડો. ભાવિન આર. પટેલ (MD, FIFM, Pg. Dip. MSK) અને ડૉ પ્રજ્ઞેશ એન. વાઘેલા (MD, DMRE) જેવા અનુભવી ડોક્ટરોની ટીમ કાર્યરત છે. આ નવા સેન્ટરથી અદ્યતન ઇમેજિંગ અને દર્દી સંભાળનો નવો યુગ શરૂ થયો છે. સુરતવાસીઓને આ અદ્યતન સુવિધાનો લાભ મળશે તેવી આશા છે.

ડૉ. ધારા શાહે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં આજકાલ યંગ વુમનમાં કેન્સર ઝડપથી વધી રહ્યું છે, અને તેમાથી મોટેભાગે કેસ બ્રેસ્ટ કેન્સરના હોય છે. વધુ ચિંતાજનક વાત એ છે કે કુલ બ્રેસ્ટ કેન્સરના દર્દીઓમાંથી 50 ટકા દર્દીઓ મૃત્યુ પામે છે. આ સ્થિતિને બદલવા માટે વહેલું નિદાન અત્યંત જરૂરી છે.
તેમણે કહ્યું કે આને ધ્યાનમાં રાખીને જ અમે નવું 3D કોન્ટ્રાસ્ટ એન્હાન્સ્ડ મેમોગ્રાફી મશીન લાવ્યું છે, જે ખાસ કરીને ડેન્સ બ્રેસ્ટ ધરાવતી યંગ વુમનમાં પણ ચોક્કસ નિદાન કરવામાં સક્ષમ છે. ભારતમાં લગભગ 40 ટકા મહિલાઓ ડેન્સ બ્રેસ્ટ ધરાવે છે, અને આવા કેસમાં 3D CE મેમોગ્રાફી મોટા ફાયદા આપે છે.
આ ટેક્નોલોજીથી નાના કેલ્સિફિકેશન કે ઝીણા લીજેન્સ પણ ઝડપી શોધી શકાય છે. સેન્ટરમાં વેક્યુમ આસિસ્ટેડ બ્રેસ્ટ બાયોપ્સી (VABB) સુવિધા પણ ઉપલબ્ધ છે, જેના દ્વારા સામાન્ય કોર બાયોપ્સીમાં ન મળી શકે તેવી ઝીણી ગાંઠ પણ મળી શકે છે, એટલે કે ઝીણી ગાંઠની પણ બાયોપ્સી થઈ શકે છે. તેમજ યંગ દીકરીઓમાં થતી સાદી ગાંઠ ઓપરેશન વગર માત્ર પિન-હોલ દ્વારા દૂર કરી શકાય છે, જેના કારણે દર્દીની ફિઝિકલ અને ઈમોશનલ સ્ટ્રેસ નહિવત થઈ જાય છે.
ડૉ. ધારા શાહે વધુમાં ઉમેર્યું હતું કે અહીં AI આધારિત સોનોગ્રાફી મશીન, ટ્રુ ડિજિટલ X-ray અને ફુલ સ્કેનોગ્રામ જેવી ટેક્નોલોજી પણ ઉપલબ્ધ છે. મશીનો અદ્યતન છે અને સાથે અનુભવી નિષ્ણાત ડોક્ટરોની ટીમ હોઈ દર્દીઓને સર્વોત્તમ કાળજી મળી રહશે.
સુરતમાં ‘રન ફૉર ગર્લ ચાઇલ્ડ – 2.0’ માટે ૩૦ શ્રેષ્ઠીઓ એક મંચ પર સામાજિક સેવાના નવનિર્માણ માટે આયોજન સમિતિની રચના
સુરત, તા. ૦૬ નવેમ્બર ૨૦૨૫ —
ડૉ. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ, સુરત દ્વારા આયોજિત “રન ફૉર ગર્લ ચાઇલ્ડ – સુરત 2026” ના સફળ આયોજન માટે શહેરના ૩૦ શ્રેષ્ઠીઓ એક મંચ પર આવ્યા અને નવી આયોજન સમિતિની રચના કરવામાં આવી.
સમિતિ વર્ષ ૧૯૮૮થી સુરત શહેરમાં વંચિત, શોષિત અને પીડિત સમાજના બાળકોના શિક્ષણ, આરોગ્ય અને સ્વાવલંબન માટે સતત કાર્યરત રહી છે. આ સેવાકાર્યનો વ્યાપ વધારવા માટે ટ્રસ્ટ દ્વારા “રન ફૉર ગર્લ ચાઇલ્ડ” જેવી પ્રેરણાદાયી મેરેથોનનું આયોજન થાય છે.
ગત વર્ષે યોજાયેલી દોડમાં ૧૧,૦૦૦ થી વધુ ભાગ લેનારોએ મહિલા શક્તિના સમર્થનમાં સુરતના ઇતિહાસમાં અનોખો પાનું લખ્યું હતું. આ સફળતાના આધારે, ૪ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ યોજાનાર “રન ફૉર ગર્લ ચાઇલ્ડ – સિઝન 2” માટે નવી આયોજન સમિતિ રચાઈ.

આ બેઠકમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી રણછોડભાઈ ઢોળિયા તથા મુખ્ય મહેમાન તરીકે શ્રી જે. પી. અગ્રવાલ (રચના ગ્રુપ) ઉપસ્થિત રહ્યા.
આયોજન સમિતિમાં સુરતના અગ્રણી ઉદ્યોગપતિઓ અને સમાજસેવકો જેમ કે —
શ્રી ગોવિંદભાઈ ધોળકિયા (શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ),
શ્રી લવજીભાઈ બાદશાહ (ગોપીન ગ્રુપ),
શ્રી પરમેશભાઈ ગોયલ (પરમેશ્વર ઇમ્પેક્સ),
શ્રી મનીષભાઈ મહારાજવાલા (વિમલ જરી) વગેરેનો સમાવેશ થાય છે.
કોર ટીમના સભ્યો તરીકે —
સંયોજક: શ્રી ઘનશ્યામભાઈ શંકર (રામકૃષ્ણ એક્સપોર્ટ)
સહ-સંયોજકો: શ્રી અમિતભાઈ ગજ્જર (ધ સુરત પીપલ્સ કો-ઓપરેટિવ),
શ્રી રાકેશજી કંસલ (કંસલ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ),
શ્રી રાજેશજી સુરાણા (જૈન સમાજ અગ્રણી),
શ્રી શ્યામજી રાઠી (મહેશ સિલ્ક મિલ્સ)
બેઠક દરમિયાન વિવિધ પ્રતિનિધિઓએ પોતાના વિચારો રજૂ કર્યા:
શ્રી યશવંતભાઈ ચૌધરી એ જણાવ્યું કે “આ દોડ માત્ર દોડ નહીં પરંતુ સમાજના છેવાડાના વર્ગ સુધી શિક્ષણ, આરોગ્ય અને સ્વાવલંબનના સંદેશ પહોંચાડવાની એક સેવા યાત્રા છે.”
શ્રી અમિતભાઈ ગજ્જર એ સૂચન કર્યું કે “દોડના રૂટ અને મેદાન પર ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓનું લાઇવ પ્રદર્શન કરવાથી જનજાગૃતિ વધુ પ્રભાવશાળી બને.”
શ્રી રાજેશજી સુરાણા એ આ કાર્યક્રમને “શહેરના ગૌરવ અને રાષ્ટ્રીય નવનિર્માણ સાથે જોડાયેલું સામૂહિક અભિયાન” ગણાવ્યું.
શ્રી શ્યામજી રાઠી એ ઉમેર્યું કે “ડૉ. હેડગેવાર ટ્રસ્ટના સાનિધ્યમાં નબળા વર્ગ માટે કામ કરવું એ સેવા અને સૌભાગ્યનું કાર્ય છે — ‘જરૂર છે તો માત્ર તેમને સમજાવીને જોડવાની.’”
સમિતિએ સંકલ્પ કર્યો કે આ વર્ષે પણ “हर कदम सेवा की ओर”ના સૂત્ર સાથે વધુ વ્યાપક આયોજન કરવામાં આવશે, જેથી દરેક સમાજના, દરેક ઉંમરના લોકો આ સેવા યાત્રામાં જોડાય.
બેઠકના અંતે વિશ્વાસ વ્યક્ત થયો કે “રન ફૉર ગર્લ ચાઇલ્ડ – 2.0 સુરત 2026” સમાજમાં વધુ સેવા, સંવેદના અને શિક્ષણની દિશામાં પ્રેરણાનું નવું પાનું લખશે.
વધુ માહિતી માટે:
🌐 www.runforgirlchild.org
‘3 C’s & Company – લક્ઝરી લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી’ અને ‘એલિટ જ્વેલ્સ’નું સુરતમાં ભવ્ય ઉદ્ઘાટન, બોલીવુડ અભિનેત્રી ઇશિતા રાજની હાજરીમાં યોજાયો કાર્યક્રમ
સુરત. જ્વેલરી ઉદ્યોગના બે નવા નામ 3 C’s & Company – લક્ઝરી લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી અને Elite Jewels – નેચરલ ડાયમંડ એન્ડ પોલ્કી જ્વેલરીનું સુરત શહેરમાં ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બંને શોરૂમનું ઉદ્ઘાટન ન્યુ સિટી લાઈટ રોડ પર રૂંગટા એસ્ટેલા (G-27, G-28) ખાતે બોલીવુડ અભિનેત્રી અને 3 C’s & Co. ની બ્રાન્ડ એમ્બેસેડર ઇશિતા રાજની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
આ પ્રસંગે 800થી વધુ વિશિષ્ટ મહેમાનો, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, સુરતના અગ્રણી જ્વેલર્સ અને ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સુરતની પરંપરાગત કારીગરી અને આધુનિક લક્ઝરી જ્વેલરી ડિઝાઇનનો અદભૂત સંગમ જોવા મળ્યો.
બંને શોરૂમમાં નેચરલ ડાયમંડ, લેબ ગ્રોન ડાયમંડ અને પોલ્કી જ્વેલરીનો આકર્ષક તથા અનોખું કલેકશન રજૂ કરવામાં આવ્યું હતું. કંપનીના જણાવ્યા અનુસાર અહીં ઉપલબ્ધ લેબ ગ્રોન ડાયમંડ કલેકશન ઉચ્ચ ગુણવત્તાવાળું છે, જે ભારત ખાસ કરીને સુરતમાં નિર્મિત છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઈન ઈન્ડિયા’ વિઝનને સાકાર કરે છે. 400થી વધુ ડિઝાઇનર પીસ ધરાવતું આ કલેકશન પરંપરાગત અને આધુનિક શૈલીનું સુંદર સંમિશ્રણ રજૂ કરે છે.
કંપની ડિરેક્ટર પ્રિયંક ગુરનાની એ જણાવ્યું હતું કે અમે છેલ્લા 15 વર્ષથી જ્વેલરી ઉદ્યોગ સાથે જોડાયેલા છીએ. અમને ગર્વ છે કે સુરત જેવા વૈશ્વિક ડાયમંડ હબમાંથી એવી બ્રાન્ડની શરૂઆત કરી રહ્યા છીએ જે ભારતીય કારીગરી, નવીનતા અને આંતરરાષ્ટ્રીય શૈલીનું પ્રતિનિધિત્વ કરે છે. ભવિષ્યમાં અમારું લક્ષ્ય ગુજરાત, ભારતના વિવિધ શહેરો અને વિદેશોમાં પણ 3 C’s & Co. Luxury Jewelleryના લક્ઝરી શોરૂમ ખોલવાનું છે.”
કંપની ડિરેક્ટર રચિત પોદ્દારે જણાવ્યું હતું કે અમારું ઉદ્દેશ ગ્રાહકોને માત્ર જ્વેલરી નહીં પરંતુ એક લક્ઝરી અનુભવ આપવાનું છે. દરેક ડિઝાઇન એક વાર્તા કહે છે અને દરેક કલેકશન એક ભાવના વ્યક્ત કરે છે. લેબ ગ્રોન ડાયમંડ પર્યાવરણમિત્ર, ટકાઉ અને આવનારી પેઢી માટે વધુ ઉત્તમ વિકલ્પ છે. અમે ભારતને આ દિશામાં નવી ઓળખ અપાવવાની પ્રતિબદ્ધતા ધરાવીએ છીએ.
આ પ્રસંગે અભિનેત્રી ઇશિતા રાજે જણાવ્યું હતું કે સુરત મહેનતી અને સર્જનાત્મક લોકોનું શહેર છે. અહીંની જ્વેલરીની ફિનિશિંગ અને કલા ખરેખર અદ્ભુત છે. આ શહેરમાં આટલું સુંદર લક્ઝરી બ્રાન્ડ લોન્ચ થવું એ ગર્વની બાબત છે.
ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત મહેમાનો અને જ્વેલરી ઉદ્યોગના પ્રતિનિધિઓએ નવા કલેકશનની પ્રશંસા કરતા જણાવ્યું કે સુરતમાં આંતરરાષ્ટ્રીય સ્તરના લક્ઝરી જ્વેલરી બ્રાન્ડ્સના આગમનથી શહેરની પ્રતિષ્ઠા વધુ ઊંચી જશે.
બાળદિન ઊજવણી – વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ
સુરત, 14 નવેમ્બર 2025: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળદિનની ઉમંગભેર અને રંગીન ઉજવણી કરવામાં આવી. બાળકોની નિર્દોષતા, સર્જનાત્મકતા અને આનંદભરી ઊર્જાને સમર્પિત આ વિશેષ દિવસે સમગ્ર કેમ્પસ ખુશીના પાસાંથી ઝળહળી ઉઠ્યો. વિદ્યાર્થીઓ માટે આયોજિત વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓએ આ દિવસને યાદગાર બનાવી દીધો.
કાર્યક્રમની શરૂઆત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરીને અને آنان માટે ખાસ રજૂઆતો કરીને કરવામાં આવી. વિદ્યાર્થીઓએ આર્ટ એન્ડ ક્રાફ્ટ, સંગીત, નૃત્ય, વાર્તાવાચન, ઇન્ટરએક્ટિવ ગેમ્સ તેમજ ટીમ વર્ક, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધારતી કક્ષાની ખાસ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
શિક્ષકોએ બાળકોને આનંદિત કરવા માટે સરપ્રાઇઝ સેગમેન્ટ પણ આયોજન કર્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીના લહેરો દોડીને શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેનો સ્નેહબંધ વધુ મજબૂત બન્યો. સમગ્ર શાળા પરિસરમાં આખો દિવસ આનંદ અને ઉજાસનું વાતાવરણ છવાયેલું રહ્યું, જે બાળદિનના સાચા અર્થ—બાળપણની કલ્પનાઓ, નિર્દોષતા અને ઉજ્જવળ ભવિષ્યની આશાનું પ્રતિબિંબ–રૂપ હતું.
આ પ્રસંગે વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલની પ્રિન્સિપલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ વ્યક્ત કર્યું:
“બાળકો અમારા સંસ્થાનું હ્રદય છે. તેમની જિજ્ઞાસા, ઉત્સાહ અને સપનાઓ અમને દરરોજ પ્રેરણા આપે છે. આ ઉજવણી અમને તેમના પ્રતિભાને પ્રોત્સાહન, તેમના વિકાસને સહારો અને તેમને સુરક્ષિત, આનંદમય અને સમૃદ્ધ પર્યાવરણ આપવાની અમારી પ્રતિબદ્ધતાની યાદ અપાવે છે.”
આ ઉજવણી દ્વારા શાળાએ સર્વાંગી વિકાસ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનાવી તથા સંદેશ આપ્યો કે દરેક બાળક અનન્ય છે અને પ્રેમ તથા પ્રોત્સાહન પ્રાપ્ત કરે તો મહાન સિદ્ધિઓ હાંસલ કરી શકે છે.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુણવત્તાયુક્ત શિક્ષણ, નૈતિક મૂલ્યો અને અનુભવાધારિત અધ્યયન પર ખાસ ધ્યાન આપીને દરેક બાળકને શોધવા, વ્યક્ત થવા અને ઉત્તમતા પ્રાપ્ત કરવાની તક અપાવતું રહે છે.
ચિલ્ડ્રન ડે પર સુરતના અનાથ બાળકો માટે પવાસિયા પરિવારનું માનવીય અભિયાન
ત્રણ રેસ્ટોરન્ટમાં રમતો, નૃત્ય, ભોજન અને ગિફ્ટ સાથે ઉત્સાહભેર ઉજવણી, 180 બાળકોના ચહેરા પર ખીલી ઉઠ્યું સ્મિત
સુરત : શહેરના જાણીતા હોટેલિયર ઉમેશ પવાસીયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચિલ્ડ્રન ડેના અવસરે અનાથ બાળકો સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. “ખુશી વહેંચો, પ્રેમ ફેલાવો” સૂત્ર સાથે યોજાયેલી આ માનવીય પહેલમાં શહેરના વિવિધ અનાથ આશ્રમના 180 બાળકોને આમંત્રિત કરીને આનંદભર્યા કાર્યક્રમો યોજાયા હતા.
બપોરે ઓરન રેસ્ટોરન્ટ ખાતે તેમજ સાંજે સ્પાઇસ વીલા અને પેવેલિયન રેસ્ટોરન્ટ ખાતે બાળકો માટે ડાન્સ, ગેમ્સ અને મનોરંજક એક્ટિવિટીઝ યોજાઈ હતી. બાળકો હાસ્ય અને આનંદમાં ગરક થઈ ગયા હતા. બાળકોને વિશેષ મેન્યુ સાથે સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું અને અંતે દરેક બાળકને ભેટ આપીને વિદાય આપવામાં આવી હતી.
હોટેલ સંચાલક ઉમેશ પવાસીયાએ જણાવ્યું હતું કે, આ અભિયાનનો હેતુ માત્ર ઉજવણી કરવાનો નથી, પરંતુ એવા બાળકોના જીવનમાં ખુશીનો એક પળ પૂરું પાડવાનો છે. ઘણા લોકો અનાથ આશ્રમોમાં જઈ મદદ પૂરી પાડે અને બાળકોને ભોજન કરાવે છે જે સારી બાબત છે પણ જ્યારે અમારી પાસે જ્યારે હોટેલ જેવું પ્લેટફોર્મ છે તો તેનો ઉપયોગ સમાજકાર્ય માટે થાય એમાં મને ખુશી છે. કરણ કે અમે સમુદાય સાથે જોડાયેલી કંપની છીએ અને લોકોને એકસાથે લાવતા, સમાજ માટે કંઈક સારું કરતા ગર્વ અનુભવી રહ્યા છીએ, ઉમેશ પવાસીયાએ વધુમાં જણાવ્યું. આ પહેલ પવાસિયા હૉસ્પિટાલિટીનો સમાજ પ્રત્યેનો લાગણીસભર અને જવાબદારીનો અભિગમ બતાવે છે, જેનાથી બીજા લોકોને પણ દયાળુ બનવા અને જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવા પ્રેરણા મળે છે. અને એ યાદ અપાવે છે કે નાનકડી દયા પણ કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે
‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર
પ્રોડ્યુસર જશવંત ગંગાણીનો નવો પ્રયોગ : દિગ્દર્શક તરીકે યુવા નિહાર ઠક્કરને આપી તક
સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં દર્શકોને મંત્રમુગ્ધ કરવા આવી રહી છે. ફિલ્મનું નિર્માણ જાણીતા ફિલ્મમેકર જશવંત ગંગાણીએ કર્યું છે, જ્યારે દિગ્દર્શનનું કાર્ય યુવા અને પ્રતિભાશાળી નિહાર ઠક્કર એ સંભાળ્યું છે.
પ્રોડ્યુસર જશવંત ગાંગાણીએ જણાવ્યું હતું કે આ ફિલ્મમાં બે અલગ સંસ્કૃતિઓ વચ્ચે થતો ટકરાવ પ્રેમના માધ્યમથી રજૂ થાય છે. લીડ કાસ્ટમાં પરીક્ષિત તમાલિયા અને કુમ્પલ પટેલની જોડી છે, સાથે હેમંત ખેર, સોનાલી લેલે દેસાઈ, કમલ જોશી, અર્ચન ત્રિવેદી અને લિનેશ ફણસે ના ઉત્તમ અભિનયથી ફિલ્મને વધુ જીવંત બનાવવામાં આવી છે. જ્યારે લુક અને એટિટ્યુડ નો સામનો પ્રેમ સાથે થાય છે, ત્યારે કોણ જીતે?” આ ફિલ્મનો સંદેશ સ્પષ્ટ છે કે ‘પ્રેમ હંમેશા જીતે છે અને ભય હારે છે.’

ફિલ્મનું મુખ્ય પાત્ર એવા અભિનેતા પરીક્ષિત તમાલિયાએ ફિલ્મના દિગ્દર્શક અને રાઈટર નિહાર ઠક્કરની સલાહ પર પોતાના પાત્ર માટે ચાર મહિના સુધી ફિઝિક અને હેરસ્ટાઇલ પર મહેનત કરી, જ્યારે કુમ્પલ પટેલએ બોલવાની રીત, બોડી લેંગ્વેજ અને પાત્રની નાનામોટી બાબતો પર દિગ્દર્શકના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ કરી. હેમંત ખેર, સોનાલી લેલે દેસાઈ, કમલ જોશી, અર્ચન ત્રિવેદી અને લિનેશ ફણસે એ પણ પોતાના રોલ્સમાં અદ્ભુત પરફોર્મન્સ આપ્યું છે.
પ્રોડ્યુસર જશવંત ગંગાણીએ વધુમાં કહ્યું હતું કે આ ફિલ્મનું નામ ‘આવવા દે’ રાખવાનું કારણ એ છે કે પ્રેમ અને જીવન બંનેમાં આમંત્રણ જરૂરી છે — આવો, પ્રેમમાં પડો!” સાથે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “મેં પ્રથમ વખત નવા દિગ્દર્શક નિહાર ઠક્કરને તક આપી છે, કારણ કે હું માનું છું કે નવી પેઢીના વિચારો ગુજરાતી સિનેમાને નવી દિશા આપે છે. અત્યાર સુધી મારી દરેક ફિલ્મની સ્ક્રિપ્ટ થી માંડીને ડાયલોગ અને ગીતો પણ હું જાતે જ લખતો હતો પણ યુવા ટેલેન્ટને પણ તક મળે તે માટેનો મારો પહેલો પ્રયાસ છે. જોકે આ ફિલ્મમાં ગીતો મારા જ લખેલા છે જેમને અગાઉની જેમજ લોકોનો પ્રેમ મળશે એવી આશા છે. આ ફિલ્મના પાત્રો જૈમિન પંચમતીયા (પરીક્ષિત) અને જાહ્નવી દેસાઈ (કુમ્પલ) વચ્ચેનો પ્રેમ, તેમની લાગણીઓ અને સંબંધની ઊંડાઈ દર્શકોને જોડશે. ફિલ્મના ડાયલોગ્સ ખૂબ જ નેચરલ અને રિયલ લાગશે, જે દરેક યુવા દિલને સ્પર્શી જશે. જીતેન્દ્ર જાની ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ સંપૂર્ણ ગુજરાતની સાથે મુંબઈમાં પણ ભવ્ય રીતે રજૂ થશે. જો તમે પ્રેમમાં પાડવા માટે તૈય્યાર છો તો આવવા દો.
વેન્ચુરા એરકનેક્ટની માનવસેવા તરફ આગેકૂચ : ઓર્ગન ટ્રાન્સફરની સેવા દ્વારા ગુજરાતની પોતાની વેન્ચુરા એરકનેકટનું “દેવ”-વિમાન બન્યું દેવદૂત
ગયા અઠવાડિયે પહેલી ફ્લાઇટ દ્વારા જામનગરથી અમદાવાદ સુધી ઓર્ગન ટ્રાન્સફર સફળતાપૂર્વક કરવામાં આવ્યું.
સુરત. ગુજરાતના વિભિન્ન શહેરોને હવાઈ માર્ગે જોડતી વેન્ચુરા એરકનેક્ટ એરલાઇન કંપનીએ હવે માનવતાને સમર્પિત નવી સેવા શરૂ કરી છે. કંપનીને તાજેતરમાં ઓર્ગન ડોનેશનના કિસ્સામાં માનવ અંગો (ઓર્ગન)ને એક શહેરથી બીજા શહેર સુધી ઝડપથી પહોંચાડવા માટે મેડિકલ અપ્રુવલ પ્રાપ્ત થયું છે. આ મંજૂરી બાદ, ગયા અઠવાડિયે કંપની દ્વારા પહેલીવાર જામનગરથી અમદાવાદ સુધી એરક્રાફ્ટ મારફતે ઓર્ગન ટ્રાન્સફર સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ સેવા હવે ગુજરાતના વિવિધ શહેરો તેમજ અન્ય રાજ્યોમાં પણ નજીવા દરે ઉપલબ્ધ રહેશે.
આ સેવા શરૂ કરવા પાછળ કંપનીના પ્રમોટર્સનો ઉદ્દેશ્ય નાગરિક સેવા સાથે જ માનવજીવન બચાવવાનો છે, જેથી તાત્કાલિક સ્થિતિમાં જરૂરિયાતમંદ દર્દીને સમયસર અંગો મળી શકે. વેન્ચુરા એરકનેક્ટની આ નવી પહેલ હેઠળ ઉપયોગમાં લેવાતું વિમાન VT-DEV (દેવ વિમાન) તરીકે ઓળખાય છે — જે નામ પ્રમાણે જ “દેવદૂત” બનીને જીવ બચાવવાનું કાર્ય કરશે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે સુરતને પૂર્ણ એરપોર્ટ સુવિધા ઉપલબ્ધ ન હતી, ત્યારે સુરતના ત્રણ ઉદ્યોગપતિઓ ગોવિંદભાઈ ધોળકિયા, સવજીભાઈ ધોળકિયા અને લવજીભાઈ બાદશાહ એ વર્ષ ૨૦૧૪માં આ હવાઈ સેવા શરૂ કરી હતી. છેલ્લા ૧૧ વર્ષથી કંપની ગુજરાતમાં સફળતાપૂર્વક સેવા આપી રહી છે. વેન્ચુરા એરકનેક્ટ ગુજરાતના નાગરિકોને સાવ નજીવા દરે દૈનિક હવાઇ સેવા પૂરી પાડી રહી છે અને અમદાવાદ, રાજકોટ, ભાવનગર તથા અમરેલીને સુરત સાથે હવાઈ માર્ગે જોડ્યા છે જેથી નાના ગામડાઓના નાગરિકો પણ આસાનીથી શહેરો સાથે જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત નાગરિકોને વધુ સારી સુવિધા મળી રહે તે માટે કંપનીના પ્રમોટર્સ દ્વારા સતત નવા નવા ઇનિશિયેટિવ લેવામા આવતા હોય છે.
ત્યારે આ નવી “ઓર્ગન ટ્રાન્સફર એર સર્વિસ” સાથે “વેન્ચુરા એરકનેક્ટે” ફરી એકવાર સાબિત કર્યું છે કે ખાનગી ક્ષેત્ર પણ માનવ સેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
નવા યુગનું આર્થિક વિશ્વાસ – Aryan Anna Group સાથે સંપત્તિ અને વૃદ્ધિનું સુરક્ષિત ભવિષ્ય
નવી દિલ્હી [ભારત], ૧૦ નવેમ્બર: ભારતના તેજીથી બદલાતા આર્થિક પરિસ્થિતિમાં, Aryan Anna Group એ પોતાનું સ્થાન એક વિશ્વસનીય, આધુનિક અને નૈતિક નાણાકીય સંસ્થાન તરીકે સ્થાપિત કર્યું છે. ગ્રુપનું મુખ્ય ધ્યેય છે – સંપત્તિ સંચાલન (Wealth Management), એસેટ મેનેજમેન્ટ (Asset Management) અને મની લેન્ડિંગ (Money Lending) ક્ષેત્રોમાં એક નવી દિશા આપવી, જ્યાં રોકાણ સાથે વિશ્વાસ અને સ્થિરતા પણ જોડાયેલી હોય.
Aryan Anna Group એ પોતાના અનુભવી નાણાકીય નિષ્ણાતોની ટીમ સાથે એક એવી પદ્ધતિ વિકસાવી છે, જ્યાં દરેક રોકાણકારને વ્યક્તિગત માર્ગદર્શન અને સુરક્ષિત રોકાણની ખાતરી મળે. રોકાણકારોના હિતોને પ્રથમ સ્થાન આપીને, ગ્રુપ સતત વિશ્વસનીય રિટર્ન અને લાંબા ગાળાની વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ગ્રુપની વિશિષ્ટ પહેલ Arha Money Lending એ નૈતિક અને પારદર્શક નાણાં આપલદાપલની નવી ઓળખ આપી છે. આ પહેલ રોકાણકારો અને બોરોવરો વચ્ચે વિશ્વાસપૂર્ણ જોડાણ બનાવે છે, જ્યાં દરેક વ્યવહાર ટેકનોલોજીથી સુરક્ષિત અને ડેટા આધારિત પ્રક્રિયા દ્વારા થાય છે. આથી રોકાણ માત્ર ફાયદાકારક જ નહીં, પણ સંપૂર્ણપણે વિશ્વસનીય પણ બને છે.
ટેકનોલોજી Aryan Anna Groupના કાર્યનું હૃદય છે. ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા રોકાણકારો પોતાના પોર્ટફોલિયોનું રિયલ ટાઈમ નિરીક્ષણ કરી શકે છે અને દરેક નાણાકીય નિર્ણય વધુ માહિતીપૂર્ણ રીતે લઈ શકે છે.
વિશ્વાસ, પારદર્શિતા અને નવીનતાના આધાર પર Aryan Anna Group આજે એ દિશામાં આગળ વધી રહ્યું છે જ્યાં ભારતીય રોકાણકારોને સુરક્ષિત, આધુનિક અને નૈતિક નાણાકીય ભવિષ્ય મળે.
આજે Aryan Anna Group માત્ર એક કંપની નથી, પરંતુ એ એક વિશ્વાસનું પ્રતિક છે — જ્યાં સંપત્તિનું સંચાલન માત્ર આંકડાઓમાં નહીં, પરંતુ સંબંધો અને વિશ્વાસમાં માપવામાં આવે છે.
Visit Website: https://www.aryanannagroup.com/