Posts by: abhay_news_editor

સુરત બન્યું કિડની ટ્રાન્સપ્લાન્ટનું નવું હબ: શેલ્બી હોસ્પિટલમાં 3 મહિનામાં 12 સફળ ટ્રાન્સપ્લાન્ટ

 

– મુંબઈ-અમદાવાદ પરની નિર્ભરતા ઘટી, ગુજરાતભરના દર્દીઓ હવે સુરત પર મૂકી રહ્યા છે વિશ્વાસ

સુરત: ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે આરોગ્ય ક્ષેત્રે પણ નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. શેલ્બી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનામાં 12 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક થતા સુરત હવે ટ્રાન્સપ્લાન્ટ હબ તરીકે ઉભરતું નજરે પડી રહ્યું છે. આ સફળતાએ શહેરને મેડિકલ ટુરિઝમના નકશા પર પણ મજબૂત સ્થાન અપાવ્યું છે.

શેલ્બી હોસ્પિટલના ચીફ એડમિનિસ્ટ્રેટર ઓફિસર નીરવ શાહે જણાવ્યું હતું કે, પહેલાં લોકો ટ્રાન્સપ્લાન્ટ માટે મુંબઈ કે અમદાવાદ જતાં હતા, પરંતુ હવે સુરત એવી સિટી બની ગઈ છે કે જ્યાં કોમ્પ્લેક્સ ટ્રાન્સપ્લાન્ટ પણ સફળતાપૂર્વક થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા ત્રણ મહિનામાં થયેલા તમામ 12 ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યા છે અને આગામી સમય માટે મોટી સંખ્યામાં દર્દીઓ ઇન્ક્વાયરી કરી રહ્યા છે. હાલમાં હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની સફળ શરૂઆત થઈ છે, પરંતુ ભવિષ્યમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ સહિત અન્ય ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની દિશામાં પણ આગળ વધવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંત ડૉ. મુકેશ ગોયલે જણાવ્યું હતું કે અમને ટ્રાન્સપ્લાન્ટ માટે મંજૂરી મળ્યા બાદ છેલ્લા થોડા મહિનામાં જ 12 ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે અને તે બધા સફળ રહ્યા છે. તેમણે જણાવ્યું કે સુરત હવે માત્ર શહેર પૂરતું સીમિત નથી, પરંતુ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ અહીં સારવાર માટે આવી રહ્યા છે.

Transplant surgery એક જટિલ સર્જરી છે જેમાં નિષ્ણાતોની ટીમ સાથે મળીને કામ કરે છે. તેમાં મુખ્યત્વે નેફ્રોલોજિસ્ટ, યુરો સર્જન અને એનસ્થેટિસ્ટનો મહત્વપૂર્ણ રોલ હોય છે.
આ પ્રકારની સર્જરીમાં
Dr. Mukesh Goyal (નેફ્રોલોજિસ્ટ) દર્દીને ઓળખે છે, તેની સંપૂર્ણ તપાસ કરીને ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયાર કરે છે.
પછી
Dr. Bhargav Pandya (યુરોલોજિસ્ટ) સર્જરીની મુખ્ય પ્રક્રિયા સંભાળે છે અને
Dr. Kavin Desai (એનસ્થેટિસ્ટ) સર્જરી દરમિયાન દર્દીને યોગ્ય એનસ્થેશિયા આપી તેની સ્થિરતા જાળવે છે.

આ ત્રણેય નિષ્ણાતોના સંકલન અને ટીમ વર્કથી ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સુરક્ષિત અને સફળ બને છે.
એના પછી ડો આરૂલ શુક્લા, ડો હિમાની ગરાસિયા અને ટીમ (ICU intensive care) પેશેન્ટ કેર માં અહમદ રોલ ભજવે છે.
સંજય ટાંચક ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર પેશન્ટ અને હૉસ્પિટલ વચ્ચે સેતુ બની રહે છ).

આંકડાઓ મુજબ, અત્યાર સુધીમાં 4 મહિલાઓ અને 8 પુરુષોના ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તેમાં ભરૂચ, જૂનાગઢ અને મોરબી જેવા શહેરોના દર્દીઓનો પણ સમાવેશ થાય છે. દાતાઓમાં પરિવારજનોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા જોવા મળી છે જેમ કે ભાઈએ બહેનને, માતાએ સંતાનોને અને ભાભીએ દિયરને કિડની દાન આપવાના ઉદાહરણો સામે આવ્યા છે.

ડૉ. ગોયલે કિડની દાન અંગેના ભ્રમો દૂર કરતાં જણાવ્યું કે, કિડની દાન કરવાથી દાતાના આરોગ્ય કે આયુષ્ય પર કોઈ અસર પડતી નથી. માણસ પાસે બે કિડની હોય છે, અને એક સાથે પણ સામાન્ય જીવન જીવી શકાય છે. દાતા વ્યક્તિને સામાન્ય રીતે 3-4 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે અને તેને આજીવન દવાઓ લેવાની જરૂર પડતી નથી.

ટ્રાન્સપ્લાન્ટ પછી દર્દીનું ડાયાલિસિસ બંધ થઈ જાય છે અને તે ફરીથી સામાન્ય જીવન જીવી શકે છે. તાજેતરના આંકડાઓ મુજબ, કિડની ટ્રાન્સપ્લાન્ટનો 10 વર્ષનો સર્વાઇવલ રેટ લગભગ 80 ટકા જેટલો છે, જે ખૂબ જ આશાસ્પદ ગણાય છે.

આ રીતે સુરત આરોગ્ય ક્ષેત્રે નવી ઊંચાઈ સર કરી રહ્યું છે અને ઓર્ગન ડોનેશન અંગે લોકોમાં જાગૃતિ વધતા શહેર હવે જીવનદાન આપતી સિટી તરીકે ઓળખ મેળવતું જઈ રહ્યું છે.

“સુરત પ્લાસ્ટ શો 2026: નવી ટેક્નોલોજી સાથે મટિરિયલ રિસાયક્લિંગ અને સસ્ટેનેબિલિટી પર ખાસ ફોકસ”

 

સાઉથ ગુજરાત પ્લાસ્ટિક મેનુફેક્ચર્સ એસોસિયેશન સુરત ના પ્રમુખ શ્રી કિશોરભાઈ વાઘાણી ના જણાવ્યા મુજબ આગામી તારીખ ૨ થી ૫ એપ્રિલ ૨૦૨૬. સ્થળ – સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન અને કન્વિનિશન સેન્ટર – સરસાણા માં “સુરત પ્લાસ્ટ શો 2026” નું આયોજન રાખેલ છે. સુરત : ગુજરાતના પ્રગતિશીલ ઉદ્યોગિક શહેર સુરતમાં “સુરત પ્લાસ્ટ શો 2026”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન પ્લાસ્ટિક અને પોલિમર ઉદ્યોગ માટે નવીનતા, ટેક્નોલોજી અને વ્યાપારિક તકોને ઉજાગર કરતું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. આ પ્રદર્શનમાં દેશના અનેક પ્રતિષ્ઠિત ઉદ્યોગકારો, ઉત્પાદકો અને સપ્લાયર્સ ભાગ લઈ રહ્યા છે. અહીં આધુનિક મશીનરી, અદ્યતન ટેક્નોલોજી, પેકેજિંગ સોલ્યુશન્સ અને રિસાયક્લિંગ ક્ષેત્રની નવી શોધોનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિશેષરૂપે, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયક્લિંગ સોલ્યુશન્સ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ઉદ્યોગ વધુ સસ્ટેનેબલ , રિસાયક્લિંગ દ્વારા સંસાધનોનો યોગ્ય ઉપયોગ અને પર્યાવરણ સંરક્ષણ માટેના પ્રયાસોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમ ઉદ્યોગકારો માટે નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને નવા બિઝનેસ અવસરો શોધવાનો ઉત્તમ અવસર પૂરું પાડે છે. પ્રદર્શન દરમિયાન વિવિધ સેમિનાર, વર્કશોપ અને ટેકનિકલ પ્રેઝન્ટેશન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. “સુરત પ્લાસ્ટ શો 2026” ગુજરાતના ઉદ્યોગ વિકાસને વધુ વેગ આપશે અને પ્લાસ્ટિક ઉદ્યોગને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે. “સુરત પ્લાસ્ટ શો 2026” ને સફળ બનાવવા સાઉથ ગુજરાત પ્લાસ્ટિક મેનુફેક્ચર્સ એસોસિયેશન સુરત તથા સનલાઈન ઈન્ફોટેક ઈવેન્ટ ઇન્ડિયા દ્વારા આયોજન કરેલ છે. એસોસિયેશન ના પ્રમુખ શ્રી કિશોરભાઈ વાઘાણી તથા તેમના કારોબારી સભ્યો નું ખૂબજ મહત્વ નું યોગદાન રહેલ છે અને ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર ,સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સુરત , ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન , સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ,ધોરાજી પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન , ભાવનગર પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન, રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન , સુરત ટેક્સટાઇલ પેકેજીંગ એસોસિએશન , દમણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન , મટીરીયલ રિસાયક્લિંગ એસોસિએશન ઇન્ડિયા , પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી , તેમજ અન્ય સંસ્થાઓના સહયોગથી.
શિક્ષણમાં નવી દિશા: Fountainhead School દ્વારા મલગામા ખાતે અદ્યતન કેમ્પસનું ભૂમિપૂજન

 

ફાઉન્ટેનહેડ સ્કૂલ સુરતમાં કાર્યરત છે અને તેની બીજી શાખા શહેર નજીક શરૂ કરી રહી છે. સુરત, 28 માર્ચ 2026: ફાઉન્ટેનહેડ સ્કૂલે તેના નવા કેમ્પસ ‘ફાઉન્ટેનહેડ સ્કૂલ મલગામા (FSM)’ ખાતે ભૂમિ પૂજન (શિલાન્યાસ) કરીને એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન અચિવ કરેલ છે. આ સમારોહમાં સુખ-શાંતિ અને સફળ શરૂઆત માટે શાંતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું…! મગદલ્લા જંકશનથી માત્ર 16 મિનિટના અંતરે અને ભેસાણ ગામની નજીક મલગામા ગામમાં આ નવું કેમ્પસ તૈયાર થવા જઇ રહ્યું છે. આ સાથે ફાઉન્ટેનહેડ સ્કૂલ સર્વાંગી શિક્ષણ,  શ્રેષ્ઠ પરિણામો અને બેસ્ટ યુનિવર્સિટી પ્લેસમેન્ટ માટે જાણીતી છે, હવે સુરતમાં 2 (K-12) કેમ્પસ થઈ જશે. સુરતનું ગૌરવ અને યુવા હ્ર્દયસમ્રાટ એવા ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના વરદ હસ્તે આ ભૂમિપૂજન થયેલ અને તેઓની સાથે અન્ય મહાનુભાવો, શિક્ષણવિદો અને ફાઉન્ટેન હેડ ટીમના મેમ્બર્સ ખાસ ઉપસ્થિત રહેલ.
2008થી કાર્યરત ફાઉન્ટેનહેડ સ્કૂલે સુરતમાં ઇન્ટરનેશનલ અભ્યાસક્રમના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. છેલ્લા 18 થી વધુ વર્ષોમાં, સ્કૂલે નવીન અને વિદ્યાર્થી-કેન્દ્રિત અભિગમ દ્વારા પ્રશ્નોત્તરી આધારિત પ્રેક્ટિકલ એજ્યુકેશન આપીને ભારતના ભાવી એવા બાળકોનું જીવન ઘડતર કર્યું છે. સ્કૂલને Cfore School Rankings 2025 મુજબ ભારતની ટોચની આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ધરાવતી સહશિક્ષણ ડે સ્કૂલોમાં રાષ્ટ્રીય સ્તરે 5મું સ્થાન મળેલ છે, જે તેની સતત શ્રેષ્ઠતાનું પ્રતિબિંબ છે. IB સિસ્ટમના અમલીકરણમાં 18 વર્ષથી વધુના અનુભવ સાથે, સંસ્થા નવીનતા અને સર્વાંગી વિકાસના મજબૂત આધાર પર આગળ વધી રહી છે. ભવિષ્યનું મલગામા કેમ્પસ, જે જૂન 2027થી કાર્યરત થવાનું છે તે શૈક્ષણિક અનુભવને વધુ ઊંચાઈ લઈ જવાનો હેતુ ધરાવે છે. સ્કૂલમાં આધુનિક સુવિધાઓ, ઇફેક્ટિવ ડિઝાઇન સાથે તૈયાર થયેલ 21મી સદીના લર્નિંગ સ્પેસ, ઉત્તમ રમતગમત સુવિધાઓ અને વિશેષ મેકરસ્પેસ હશે. આ કેમ્પસને એક સસ્ટેનેબલ પર્યાવરણ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જ્યાં વિદ્યાર્થીઓ વાસ્તવિક જીવનના પડકારોને સમજીને, પ્રેક્ટિકલ પ્રયોગ દ્વારા નવી નવી ટેકનોલોજી શિખશે. ભૂમિપૂજન સમારોહથી આ નવા અધ્યાયની શરૂઆત કરીને ફાઉન્ટેનહેડના ગ્રુપને વધુ મજબૂત બનશે.
સુરતની ભાવિકા મહેશ્વરીએ એશિયામાં લહેરાવ્યો ભારતનો પરચમ, રામાયણ અને ભારતીય દર્શનથી જીત્યા દિલ

 

જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાનમાં આપ્યા પ્રભાવશાળી વ્યાખ્યાન, ભારતીય સંસ્કૃતિ, આધુનિક જીવન મૂલ્યો અને મોબાઇલ એડિક્શન પર રજૂ કર્યા વિચાર

સુરત. શહેરની યુવા પ્રેરક વક્તા, ટેડએક્સ સ્પીકર, લેખિકા અને એન્ટરપ્રેન્યોર ભાવિકા મહેશ્વરીએ જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય મંચો પર પોતાના વિચારો દ્વારા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. તેમણે ભારતીય દર્શન, રામાયણના સર્વવ્યાપી સંદેશ અને મોબાઇલ એડિક્શન જેવા આધુનિક વિષયો પર પ્રભાવશાળી રજૂઆતો કરી વિદેશોમાં શ્રોતાઓનું ધ્યાન આકર્ષ્યું.

હાલમાં પૂર્ણ થયેલા આ વિદેશ પ્રવાસ દરમિયાન ભાવિકાએ ઇન્ડિયન એમ્બેસી, સ્વામી વિવેકાનંદ કલ્ચરલ સેન્ટર અને અન્ય સંસ્થાઓના સહયોગથી અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં વ્યાખ્યાન આપ્યા. દક્ષિણ કોરિયાની બુસાન યુનિવર્સિટી ઓફ ફોરેન સ્ટડીઝમાં તેમણે “ઇન્ડિયન ફિલોસોફી ફોર મોડર્ન લાઇફ” વિષય પર વિશેષ સંબોધન કર્યું. આ દરમિયાન પ્રોફેસર સર્જન કુમારે તેમના વ્યાખ્યાનનું કોરિયન ભાષામાં અનુવાદ કર્યું. કાર્યક્રમમાં હાજર વિદ્યાર્થીઓ અને વિદ્વાનો દ્વારા તેમના વિચારોની પ્રશંસા કરવામાં આવી. આ સિદ્ધિને ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) દ્વારા પણ તેના અધિકૃત મંચ પર શેર કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન ચેરમેન સૂન સિયોલ લી દ્વારા ભાવિકાનું સન્માન કરવામાં આવ્યું.

જાપાનમાં ટોક્યો નજીક આવેલ બાન્ડો સ્થિત હિંદુ મંદિર ખાતે ભાવિકાએ “યુનિવર્સલ ટીચિંગ્સ ઓફ રામાયણ” વિષય પર પ્રેરણાદાયી પ્રવચન આપ્યું. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકોમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ઉત્સાહ જોવાલાયક રહ્યો. હોળી ઉત્સવ દરમિયાન જાપાની કલાકારો બોલિવૂડ ગીતો પર નાચતા જોવા મળ્યા, જેના દ્વારા ભારતીય પરંપરાઓ પ્રત્યેનું ત્યાંનું અપનત્વ સ્પષ્ટ થયું.

 

તાઇવાનની રાજધાની તાઇપે સ્થિત સબકા મંદિર ખાતે તેમણે “21મી સદીમાં રામાયણ” વિષય પર વ્યાખ્યાન આપ્યું. તેમના વિચારો દ્વારા વૈશ્વિક મંચ પર ભારતીય સંસ્કૃતિની પ્રાસંગિકતા મજબૂત રીતે રજૂ થઈ. આ પ્રસંગે મંદિરના સ્થાપક એન્ડી સિંહે તેમને ભારત-તાઇવાન મિત્રતાનું પ્રતિક ભેટ આપી સન્માનિત કર્યા.

ગૌરતલબ છે કે ભાવિકા મહેશ્વરી અગાઉ યુકેની ઑક્સફોર્ડ યુનિવર્સિટી હિંદુ સોસાયટીમાં સૌથી ઓછી ઉંમરની આધ્યાત્મિક વક્તા તરીકે પોતાની ઓળખ બનાવી ચૂકી છે. નાની ઉંમરે જ વૈશ્વિક મંચો પર ભારતીય સંસ્કૃતિ, નૈતિકતા અને આધુનિક જીવન મૂલ્યો પર તેમના પ્રભાવશાળી વક્તૃત્વે તેમને વિશિષ્ટ ઓળખ અપાવી છે.

ભાવિકા અત્યાર સુધી ઇન્ડોનેશિયા, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને લંડન સહિત દેશ-વિદેશમાં 500થી વધુ કાર્યક્રમોમાં ભાગ લઈ ચૂકી છે. પોતાના વિચારો અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણ દ્વારા તેમણે ભારતીય સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી છે.

આ સમગ્ર પ્રયત્નમાં તેમને સાધકનો સહયોગ મળ્યો.

ભાવિકાની આ સિદ્ધિ માત્ર તેમની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સુરત, ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. નાની ઉંમરે વૈશ્વિક મંચો પર ભારતીય સંસ્કૃતિનું પ્રભાવશાળી પ્રતિનિધિત્વ કરીને તેમણે સાબિત કર્યું છે કે ભારતની નવી પેઢી વિશ્વ પાટળ પર પોતાની મજબૂત ઓળખ બનાવી રહી છે.

 

સાર્વજનિક યુનિવર્સિટી, સુરતમાં ત્રણ દિવસીય સંસ્કૃત શોર્ટ ફિલ્મ તાલીમ વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ

 

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને સાર્વજનિક યુનિવર્સિટી તથા ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરતના સહયોગથી તા. 23 થી 25 માર્ચ, 2026 દરમિયાન સાર્વજનિક યુનિવર્સિટી ખાતે ત્રણ દિવસીય સંસ્કૃત શોર્ટ ફિલ્મ તાલીમ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું।

વર્કશોપનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી હિમાંજય પલ્લીવાળ (મુખ્ય અતિથિ), સંસ્કૃત ભારતિના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી શ્રીશ દેઓપૂજારી (માનનીય અતિથિ) અને FOSTTA ના પ્રમુખ તથા સામાજિક કાર્યકર શ્રી કૈલાશ એચ. હકીમ (વિશેષ અતિથિ)ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલ અને પ્રોવોસ્ટ પ્રોફ. કિરણ પંડ્યાનો મહત્વપૂર્ણ સહકાર પ્રાપ્ત થયો હતો।
ત્રણ દિવસ દરમિયાન કુલ 15 ગહન સત્રોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્ક્રિપ્ટિંગ, અભિનય, એડિટિંગ, સંગીત અને ફિલ્મ નિર્માણ જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વર્કશોપમાં સંસ્કાર દેસાઈ, ડૉ. ચન્નબસવસ્વામી હાયરેમઠ, વિહંગ મહેતા, નારાયણ પાર્વતી પરસરામ, ડૉ. સંદીપ જોશી, ડૉ. આનંદ પંડ્યા અને યુવરાજ કુમાર જેવા પ્રતિષ્ઠિત નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું।

મહારાષ્ટ્ર, ગુજરાત અને પશ્ચિમ બંગાળ સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પ્રતિભાગીઓએ કેમેરા માટે અભિનય, સોલો પરફોર્મન્સ, સ્ક્રિપ્ટ લેખન અને ફિલ્મ સ્ક્રીનિંગ જેવી પ્રાયોગિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ઇન્ટરનેશનલ સંસ્કૃત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ (ISSFF) વિષયક વિશેષ સત્ર પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી પ્રતિભાગીઓને સર્જનાત્મકતા માટે નવી દિશા મળી।

વર્કશોપના સમાપન પ્રસંગે સામાજિક કાર્યકર અને Venus Jewel ના CEO શ્રી અનિલ શાહ તથા અભિનેતા-નિર્દેશક શ્રી યુવરાજ કુમાર ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક સલાહકાર સમિતિના અધ્યક્ષ મયંક ત્રિવેદીએ સ્વાગત ભાષણ આપ્યું હતું અને ચુનીલાલ ગાંધી વિદ્યાભવનની ડિરેક્ટર ડૉ. મિતા વાન્સડિયાએ તમામ અતિથિઓ, નિષ્ણાતો, આયોજકો અને પ્રતિભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો।

આ વર્કશોપ દ્વારા આધુનિક સર્જનાત્મક ક્ષેત્રોમાં સંસ્કૃત ભાષાની વધતી પ્રાસંગિકતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને સિનેમા દ્વારા નવીન વાર્તાલેખનને પ્રોત્સાહન મળ્યું હતું।

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

 

પ્રથમ બેચમાં 92 વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ હેઠળ સંપૂર્ણ મફત શિક્ષણ લઈ રહ્યા છે અને દર વર્ષે નવી શરૂ થયેલ સ્કોલરશીપ હેઠળ બોત્સવાનાાના 30 વિદ્યાર્થીઓને પણ આ યોજનામાં સામેલ કરવામાં આવશે , એટલે કે આ વર્ષે 120 વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળશે સુરત: કેપી ગ્રુપની પરોપકારી સંસ્થા કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા પીપી સવાણી યુનિવર્સિટીના સહયોગથી ઉર્જાનૂર સ્કોલરશીપ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેનો હેતુ રિન્યુએબલ એનર્જી અને સંબંધિત ક્ષેત્રોમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય કરવાનો છે. આ પહેલ 24 માર્ચે કેપી ગ્રુપના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ફારુક જી. પટેલના 55મા જન્મદિવસે શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત બી.ટેક અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સમાં અભ્યાસ કરતા યોગ્ય વિદ્યાર્થીઓને ટ્યુશન ફી, હોસ્ટેલ, ભોજન અને પરિવહન સહિત સંપૂર્ણ મફત શિક્ષણ આપવામાં આવશે. આ સ્કોલરશીપનો હેતુ ક્લીન એનર્જી ક્ષેત્ર માટે કુશળ માનવશક્તિ તૈયાર કરવાનો છે અને સાથે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે. હાલમાં 92 વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ લાભ લઈ રહ્યા છે અને આવનારા વર્ષોમાં આનો વિસ્તાર કરવાની યોજના છે. આ સાથે બોત્સવાનામાં કેપી ગ્રુપ દ્વારા 4 અબજ ડોલરનું રોકાણ કરાય રહ્યું છે, ત્યાંથી નવી શરૂ થયેલ સ્કોલરશીપ હેઠળ દર વર્ષે 30 વિદ્યાર્થીઓને આ યોજનામાં સામેલ કરવામાં આવશે. આ વર્ષે કુલ 120 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે, જેમાંથી 30 વિદ્યાર્થીઓ બોત્સ્વાનાના રહેશે આ અંગે કેપી ગ્રુપના સીએમડી ડૉ. ફારુક જી. પટેલે જણાવ્યું: “અમારો હેતુ હંમેશાં એવા યુવાનોને સહાય કરવાનો રહ્યો છે જેનામાં આગળ વધવાની ક્ષમતા છે પરંતુ યોગ્ય પરિસ્થિતિઓનો અભાવ છે. કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા અમે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તેમના સપનાઓ સાકાર કરવા માટે સક્ષમ બનાવીએ છીએ. અમારો હેતુ માત્ર શિક્ષણ માટે ફંડ આપવાનો નથી, પરંતુ તેમની પ્રતિભા અને કૌશલ્યને વિકસાવી ભારત માટે મજબૂત રિન્યુએબલ એનર્જી વર્કફોર્સ તૈયાર કરવાનો છે.”
ઉર્જાનૂર સ્કોલરશીપનો હેતુ શિક્ષણ સાથે રોજગારના અવસર ઉભા કરીને સર્વસમાવેશી માળખું તૈયાર કરવાનો છે, જેમાં ધર્મ, જાતિ કે સામાજિક ભેદભાવ ન હોય. પીપી સવાણી યુનિવર્સિટીના મેનેજિંગ ડિરેક્ટર સ્નેહ સવાણીએ જણાવ્યું: “અમારો હેતુ માત્ર શિક્ષણ આપવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓને શિક્ષણ પછી રોજગાર મેળવવાની ક્ષમતા આપવાનો છે. અમારી જવાબદારી શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી નથી, પરંતુ તે વિદ્યાર્થીઓ પોતાના પરિવારને કેવી રીતે સહારો બને તે હેતુ સિદ્ધિ કરવાનો છે.” ઘણા વિદ્યાર્થીઓ માટે આ પ્રથમ વખત યુનિવર્સિટી વાતાવરણનો અનુભવ છે, જેમાં ક્લાસરૂમ, લેબોરેટરી અને સુવ્યવસ્થિત અભ્યાસની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સ્કોલરશીપ વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન અને પરિવહનની સુવિધા આપીને સ્થિર વાતાવરણ પૂરૂં પાડે છે જેથી તેઓ અભ્યાસ અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. પીપી સવાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. પરાગ સાંઘાણીએ જણાવ્યું: “શિક્ષણનો હેતુ હૃદય અને હાથના સંયોજનથી દેશ માટે શ્રેષ્ઠ ઇજનેરો તૈયાર કરવાનો છે. સસ્ટેનેબલ એનર્જી ક્ષેત્રમાં આ અમારો નાનો પ્રયાસ છે.” આ કાર્યક્રમમાં ઇન્ડસ્ટ્રી એક્સપોઝર અને રોજગારની તક પણ આપવામાં આવશે અને કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવશે. “અમારો અંતિમ હેતુ એ છે કે વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને, પોતાના પરિવારને સહારો આપે, સમાજને આગળ વધારે અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપે,” એમ ડૉ. ફારુક પટેલે ઉમેર્યું. ઉર્જા નૂર સ્કોલરશીપ કાર્યક્રમ કેપી ગ્રુપના તે દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે, જે દેશની ક્લીન એનર્જી ટ્રાન્સફોર્મેશનને આગળ વધારવા માટે કુશળ પ્રતિભાનો મજબૂત આધાર તૈયાર કરે છે.  
રાજકોટમાં મંત્ર થેરાપી દરબાર યોજાયો, ૭૫૦થી વધુ લોકોએ લીધો આધ્યાત્મિક અનુભવ

 

નિઃશુલ્ક દરબારો દ્વારા સમાજ કલ્યાણનો સંકલ્પ, રાજ્યભરમાં આગામી કાર્યક્રમોની જાહેરાત

રાજકોટ (ગુજરાત) [ભારત], માર્ચ 25: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સદગુરુ ॐઋષિ સ્વામીજી “ૐ ગુરુ” દ્વારા રાજકોટ ખાતે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં મંત્ર થેરાપી દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. આ મંત્ર થેરાપી દરબારનું ઉદ્ઘાટન પોરબંદરના પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષશ્રી રમેશભાઈ ધડુકના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ દરબારમાં ૭૫૦થી વધુ લોકોએ હાજરી આપી હતી અને પવિત્ર મંત્રોના જાપ તથા મંત્ર સાધનાની શક્તિનો અનુભવ કર્યો હતો. કાર્યક્રમમાં અનેક માનનીય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા અને તેમણે ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

દરબાર દરમિયાન ॐગુરુએ મંત્ર શક્તિપાત, સર્વ દુઃખભંજન, દસમહાવિદ્યા ચાલીસા અને ઓમકાર ચાલીસા જેવી સ્વરચિત આધ્યાત્મિક ગાથાઓ રજૂ કરી હતી. સાથે જ જીવનમાં આવતી આર્થિક, શારીરિક, માનસિક અને સામાજિક સમસ્યાઓના નિરાકરણ માટે સાત પ્રકારના દિવ્ય વસ્તુઓ ભેટ સ્વરૂપે આપી હતી.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે કલિયુગમાં માનવ ભૌતિક સુખોની પાછળ દોડે છે, છતાં તેને સાચો સંતોષ મળતો નથી. મંત્ર થેરાપી દરબાર દ્વારા લોકોમાં દિવ્ય શક્તિ સાથે જોડાણ સ્થાપિત કરીને આંતરિક શાંતિ અને જીવનના પ્રશ્નોના ઉકેલ મેળવવામાં મદદ કરવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશ અને વિશ્વભરમાં નિઃશુલ્ક મંત્ર થેરાપી દરબારો યોજવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે, જેથી દરેક વ્યક્તિ સુધી આધ્યાત્મિક માર્ગદર્શન પહોંચી શકે. આ દરબારો દ્વારા વ્યક્તિગત સમસ્યાઓ દૂર કરવા સાથે સાથે સમાજના કલ્યાણમાં પણ યોગદાન આપવામાં આવશે।

આગામી દરબાર ૧૨ એપ્રિલે ભરૂચમાં યોજાશે. ત્યારબાદ આનંદ, બિલીમોરા, નવસારી, સુરત અને ગોંડલ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં કાર્યક્રમો યોજવાના આયોજન છે.

ગંભીર શારીરિક પડકારો હોવા છતાં ॐગુરુ સતત લાખો લોકોને પ્રેરણા આપી રહ્યા છે અને તેઓ અમદાવાદ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના સ્થાપક પણ છે.

 

સાર્વજનિક યુનિવર્સિટીએ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મજબૂત બનાવવા માટે ઇન્ડિયા એક્સેલેરેટર સાથે MoU પર હસ્તાક્ષર કર્યા

 

સુરત, 24 માર્ચ 2026: સાર્વજનિક યુનિવર્સિટી, સુરતે 24 માર્ચ 2026ના રોજ ઇન્ડિયા એક્સેલેરેટર સાથે વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપિત કરી છે. આ MoU શ્રી અજિત શાહ, વાઈસ-ચેરમેન–2, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને ડૉ. કિરણ પંડ્યા, પ્રોવોસ્ટ – સાર્વજનિક યુનિવર્સિટી ની હાજરીમાં સહી કરવામાં આવ્યો. ડૉ. કિરણ પંડ્યાનું માર્ગદર્શન અને દ્રષ્ટિ યુનિવર્સિટીની નવીનતા અને ઉદ્યોગસાહસિકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ સહયોગનો મુખ્ય ઉદ્દેશ અકાદમિક ક્ષેત્ર અને ઉદ્યોગ વચ્ચેનો ગેપ દૂર કરીને નવીનતા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે.

આ MoU બે સંસ્થાઓ – સાર્વજનિક યુનિવર્સિટી અને ઇન્ડિયા એક્સેલરેટર – વચ્ચે કરવામાં આવ્યો છે. ઇન્ડિયા એક્સેલેરેટર ભારતના અગ્રણી ફંડ-લેડ સ્ટાર્ટઅપ એક્સેલેરેટર્સમાંનું એક છે જે મેન્ટરશિપ, ફંડિંગ સપોર્ટ અને ઉદ્યોગ સાથે મજબૂત જોડાણ માટે જાણીતી સંસ્થા છે. આ સહયોગ દ્વારા સાર્વજનિક યુનિવર્સિટીમાંથી ઊભા થતા સ્ટાર્ટઅપ્સને એક્સેલેરેશન પ્રોગ્રામ્સનો લાભ મળશે, જેથી તેઓ વૈશ્વિક સ્તરે વિકાસ કરી શકશે.


આ ભાગીદારીના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:
• યુનિવર્સિટી દ્વારા ઇન્ક્યુબેટ કરાયેલા સ્ટાર્ટઅપ્સને એક્સેલેરેશન પ્રોગ્રામ્સમાં પ્રવેશ
• ઉદ્યોગ નિષ્ણાતો અને રોકાણકારો તરફથી માર્ગદર્શન
• ફંડિંગ, નેટવર્કિંગ અને માર્કેટ ઍક્સેસમાં સહાય
• વિદ્યાર્થીઓ માટે સ્ટાર્ટઅપ્સ અને એક્સેલેરેટર પ્રોગ્રામ્સમાં ઇન્ટર્નશિપની તક
• સંયુક્ત વર્કશોપ, ટ્રેનિંગ સેશન અને સ્ટાર્ટઅપ ડેમો ડેનું આયોજન
• નવા અને ઉદ્ભવતા ક્ષેત્રોમાં સેક્ટર-સ્પેસિફિક એક્સેલેરેટર પ્રોગ્રામ્સનું વિકાસ
• સ્ટાર્ટઅપ્સ માટે એલ્યુમનાઈ દ્વારા ફંડિંગ સપોર્ટની સુવિધા
આ સહયોગ દ્વારા ગોઠવાયેલ મેન્ટરિંગ, પ્રગતિનું નિરીક્ષણ અને ઉદ્યોગ આધારિત પ્રોજેક્ટ્સની તક પણ ઉપલબ્ધ થશે, જેથી વિદ્યાર્થીઓની નવીનતાઓ બજારમાં સફળ પ્રોડક્ટ્સ તરીકે વિકસી શકે. આ પ્રસંગે બંને સંસ્થાના પ્રતિનિધિઓએ ડૉ. કિરણ પંડ્યાના નેતૃત્વ હેઠળ અકાદમિક શ્રેષ્ઠતા અને ઉદ્યોગના અનુભવને એક સાથે લાવી નવીનતાને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ MoU સાર્વજનિક યુનિવર્સિટીની ઉદ્યોગસાહસિકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે અને વિદ્યાર્થીઓને ગતિશીલ સ્ટાર્ટઅપ વિશ્વમાં સફળ થવા માટે જરૂરી માર્ગદર્શન, તકો અને સહાય પ્રદાન કરશે.

આ ભાગીદારી આવનારા વર્ષોમાં નવીનતા આધારિત વિકાસને પ્રોત્સાહન આપશે અને અસરકારક સ્ટાર્ટઅપ પહેલોને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

સપનાઓને પાંખો: શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ દ્વારા ધોરણ 10 અને 12 (A1 અને A2 બેચ) ના 2025-26 ના વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો

 

સુરત: શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ દ્વારા ધોરણ 10 અને 12 (A1 અને A2 બેચ) ના 59 વિદ્યાર્થીઓ માટે એક યાદગાર અને ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંસ્થાના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. એક કુશળ માર્ગદર્શક તરીકે તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, “હું દરેક વિદ્યાર્થીને મારા સંતાન સમાન ગણું છું. મારી સૌથી મોટી ઈચ્છા મારા બાળકો જીવનના દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી છે. તમે જ્યારે શાળાના ઉંબરેથી બહાર ડગ માંડો છો, ત્યારે અહીંના સંસ્કારો સાથે રાખજો; તમારી સફળતા માટે અમે હંમેશા પ્રાર્થના કરીશું.”

શાળા દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને ડિજિટલ યુગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમને લેપટોપ અને ટેબ્લેટ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે શાળાના વિકાસમાં સહભાગી થનાર વાલીઓનો આભાર માનવામાં આવ્યો હતો, તેમજ આચાર્યશ્રી અને શિક્ષકગણના અથાગ પરિશ્રમ અને માર્ગદર્શનની સરાહના કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં સાંસ્કૃતિક નૃત્યો, સંગીત અને મનોરંજક પ્રવૃત્તિઓએ રંગ જમાવ્યો હતો. અંતમાં સ્વાદિષ્ટ ભોજન સાથે વિદ્યાર્થીઓએ મન ભરીને યાદો તાજી કરી હતી.

કાર્યક્રમનો અંત એક સુંદર સંકલ્પ સાથે થયો કે: ભલે આ વિદ્યાર્થીઓ શાળા છોડી રહ્યા હોય, પરંતુ શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલના સંસ્કારો તેમના હૃદયમાં હંમેશા જીવંત રહેશે.

રક્ષામંત્રાલયની ભાગીદારીમાં દક્ષિણ ગુજરાતની પ્રથમ ‘ગ્રીનફિલ્ડ કો-એડ’ સૈનિક સ્કૂલ જૂન 2026માં થશે શરૂ

 

સુરત, 16 માર્ચ, 2026 : પશ્ચિમ ભારતના શૈક્ષણિક ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવતા, સુરત પાસેના ઉભરાટ ખાતે દક્ષિણ ગુજરાતની પ્રથમ ગ્રીનફિલ્ડ, સહ-શિક્ષણ (કો-એડ) નિવાસી સૈનિક સ્કૂલ આ જૂન મહિનાથી શરૂ થવા જઈ રહી છે. વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ અને દાનેશ્વરી શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના દૂરંદેશી નેતૃત્વ હેઠળ સ્થાપિત, SRK સૈનિક સ્કૂલ ભારત સરકારની પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) નીતિ હેઠળ રક્ષામંત્રાલય (MoD) ની સૈનિક સ્કૂલ સોસાયટી સાથે ઔપચારિક જોડાણ ધરાવે છે.

આ સંસ્થા ભારતના શ્રેષ્ઠ સૈન્ય-શૈલીના અનુશાસન અને વિશ્વસ્તરીય શૈક્ષણિક ધોરણોના સંગમનું પ્રતિનિધિત્વ કરે છે. 21 એકરમાં ફેલાયેલા વિશાળ અને આધુનિક કેમ્પસમાં નિર્મિત આ શાળા પરંપરાગત શિક્ષણથી આગળ વધીને ‘CBSE પ્લસ’ અભ્યાસક્રમ પ્રદાન કરશે, જે નેતૃત્વ, ચારિત્ર્ય નિર્માણ અને વ્યવસાયિક કૌશલ્ય વિકાસ પર વિશેષ ભાર મૂકે છે.

સૈનિક સ્કૂલ મોડેલની પરંપરાગત શિસ્તતાની સાથે, SRK સૈનિક સ્કૂલ કેડેટ્સના વિકાસ માટે બહુપરિમાણીય અભિગમ અપનાવશે. SRK નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરતા શ્રેયાંસ ધોળકિયાએ શાળાની ભવિષ્યલક્ષી છતાં પાયાના શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

શ્રેયાંસ ધોળકિયાએ જણાવ્યું હતું કે, “અમારું મિશન છે કે આધુનિક શિક્ષણશાસ્ત્ર અને ટેકનોલોજીનો વિજ્ઞાન અને ફિલસૂફીના શાશ્વત જ્ઞાન સાથે મેળાપ થાય. અમે માત્ર વિદ્યાર્થીઓને તાલીમ નથી આપી રહ્યા; અમે કેડેટ્સને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે સક્ષમ બનાવવા માટે તૈયાર કરી રહ્યા છીએ. આ વિષયોના સમન્વય દ્વારા, અમે સુનિશ્ચિત કરીએ છીએ કે અમારા સ્નાતકો કોઈપણ ક્ષમતામાં રાષ્ટ્રની સેવા કરવા માટે સજ્જ અને સંવેદનશીલ બને.”

શાળા જૂન 2026ના પ્રથમ સપ્તાહથી કાર્યરત થશે. ધોરણ 6 માટેની પ્રથમ બેચમાં 120 કેડેટ્સનો સમાવેશ થશે, જેમાં 100 છોકરાઓ અને 20 છોકરીઓ હશે. તેમની પસંદગી ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (AISSEE) દ્વારા કરવામાં આવી છે.

SRK નોલેજ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ આ પ્રોજેક્ટ માટે પોતાનું વિઝન શેર કરતા કહ્યું કે, “દાયકાઓથી અમે વિશ્વના શ્રેષ્ઠ હીરાને પાસા પાડીને ચમકાવ્યા છે. હવે SRK સૈનિક સ્કૂલ દ્વારા, અમે દેશના ભાવિ નેતાઓને તૈયાર કરવા માટે સમર્પિત છીએ. અમારો ધ્યેય એવું વાતાવરણ પૂરું પાડવાનો છે જ્યાં કેડેટ્સ અનુશાસન અને શ્રેષ્ઠતાથી પ્રેરિત થઈ ‘રાષ્ટ્ર પ્રથમ’ (Nation First) ની માનસિકતા કેળવે.”
સ્થાપક આચાર્ય શ્રી હિતેશ જોશીએ જણાવ્યું હતું કે, “શાળા સંપૂર્ણપણે શાકાહારી કેમ્પસ માટે પ્રતિબદ્ધ છે, જ્યાં યુવા કેડેટ્સની પોષણ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલ આહાર આપવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અત્યાધુનિક શૈક્ષણિક બ્લોક્સ, એથ્લેટિક સુવિધાઓ અને ઇતર પ્રવૃત્તિઓ માટેના ખાસ ઝોનનો સમાવેશ થાય છે.”

SRK સૈનિક સ્કૂલ હવે રાષ્ટ્રની પ્રતિષ્ઠિત સંસ્થાઓના નેટવર્કનો ભાગ બની છે જેનો ઉદ્દેશ્ય યુવાનોને સશસ્ત્ર દળો અને નેતૃત્વની ભૂમિકા માટે તૈયાર કરવાનો છે.