Posts by: abhay_news_editor
સાર્વજનિક યુનિવર્સિટી અને પ્વાની યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય સેમિનાર શ્રેણીનો પ્રારંભ
ભારતની Sarvajanik University અને કેન્યાની Pwani University વચ્ચે તાજેતરમાં થયેલા સમજૂતી કરાર (MoU) અંતર્ગત આંતરરાષ્ટ્રીય ઓનલાઈન સેમિનાર શ્રેણીનો સફળ પ્રારંભ કરવામાં આવ્યો. આ પહેલનો મુખ્ય હેતુ શૈક્ષણિક સહયોગ, સંશોધન વિનિમય અને વૈશ્વિક શિક્ષણની તકોને પ્રોત્સાહન આપવાનો છે.
આ શ્રેણીનું પ્રથમ સત્ર તા. 26 મે, 2026ના રોજ યોજાયું હતું, જેમાં Dr. Kiran Pandya, પ્રોવોસ્ટ, સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા નીચેના વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું:
“Navigating the Philosophical and Methodological Pitfalls of Quantitative Inquiry: From Positivism to Precision – Addressing Critical Issues in Modern Quantitative Research.”
આ વ્યાખ્યાન દરમિયાન પરિમાણાત્મક સંશોધન (Quantitative Research) સાથે સંકળાયેલા અગત્યના મુદ્દાઓ જેમ કે ડેટાના એકત્રીકરણ (Aggregation), ડેટા પૂલિંગ (Pooling of Data) તથા સંશોધન મોડેલની પૂર્વધારણાઓ (Model Assumptions) અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
પ્વાની યુનિવર્સિટીના માસ્ટર્સ અને પીએચ.ડી.ના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ સેમિનારમાં ભાગ લીધો હતો, જેના કારણે આ સત્ર ખૂબ જ રસપ્રદ અને સફળ રહ્યું હતું.
પ્વાની યુનિવર્સિટી તરફથી Prof. Nancy Nagowa અને Prof. Anne Hilda Ong’ayo એ સમજૂતી કરાર અંગે હકારાત્મક પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો અને આ શૈક્ષણિક સહયોગી પહેલની પ્રશંસા કરી હતી. કાર્યક્રમનું સંચાલન Mr. Alex Muthanga દ્વારા કરવામાં આવ્યું હતું.
સાર્વજનિક યુનિવર્સિટી તરફથી Dr. Vandana Shah અને Dr. Megha Agarwal એ કાર્યક્રમનું સફળ સંકલન કર્યું હતું.
બંને યુનિવર્સિટીઓએ ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક સહયોગ અને સંયુક્ત કાર્યક્રમો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ આંતરરાષ્ટ્રીય સેમિનાર શ્રેણીનું આગામી સત્ર તા. 29 મે, 2026ના રોજ યોજાનાર છે.
એનજી બ્રાન્ડની સુરતમાં ફરી એન્ટ્રી, ભવ્ય શરૂઆત સાથે ખુલ્યો એનજી મોલ
મોલની કમાણીનો 60 ટકા હિસ્સો સમાજસેવામાં ખર્ચાશે, ગરીબ દર્દીઓ માટે સારવાર સહાય અને સેવન સ્ટાર હોસ્પિટલનું વિઝન સુરત : શહેરમાં એક વખત ફરી એનજી બ્રાન્ડે નવી શરૂઆત કરી છે. એનજી મોલનું ભવ્ય ઉદ્ઘાટન ઉદ્યોગપતિ સુધીર શ્યામલાલ ગોયલની પુત્રી પરિધી ગોયલે રિબન કાપીને કર્યું હતું. છેલ્લા કેટલાક મહિનાથી ચર્ચામાં રહેલો એનજી મોલ હવે સત્તાવાર રીતે ખરીદદારો માટે ખુલ્લો થઈ ગયો છે. સુધીર ગોયલે જણાવ્યું હતું કે એનજી મોલ માત્ર એક સામાન્ય શોપિંગ સેન્ટર નથી, પરંતુ વિવિધ પ્રકારની જીવનશૈલી અને ફેશન સંબંધિત વસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવતું આધુનિક રિટેલ ડેસ્ટિનેશન છે. હાલમાં અહીં હોમ ડેકોર, હોમ ફર્નિશિંગ, ઇન્ડો-વેસ્ટર્ન વસ્ત્રો, જ્વેલરી, આર્ટિફિશિયલ જ્વેલરી અને લહેંગા વિભાગ શરૂ કરવામાં આવ્યા છે. કેટલીક વસ્તુઓ ખરીદી ઉપરાંત ભાડે પણ ઉપલબ્ધ રહેશે. આગામી ત્રણ મહિનામાં અન્ય અનેક વિભાગો શરૂ કરવાની યોજના છે. – ‘એનજી સેવા ટ્રસ્ટ’ મારફતે થશે માનવસેવા સુધીર ગોયલે જણાવ્યું કે આ નવા પ્રોજેક્ટમાં તેમની 60 ટકા અને તેમની પત્નીની 40 ટકા ભાગીદારી છે. તેમની માલિકીની સંપૂર્ણ આવક સમાજસેવા માટે સમર્પિત કરવામાં આવશે. આ હેતુસર ‘એનજી સેવા ટ્રસ્ટ’ની રચના કરવામાં આવી છે. મોલના નફામાંથી મળતી રકમ ટ્રસ્ટ મારફતે જરૂરિયાતમંદ લોકોના કલ્યાણ માટે વાપરવામાં આવશે. તેમણે જણાવ્યું કે શરૂઆતમાં ટ્રસ્ટ દ્વારા સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં એવા દર્દીઓને મદદ કરવામાં આવશે, જેઓ આર્થિક સંજોગોને કારણે સારવાર મેળવી શકતા નથી. કોઈ દર્દી પાસે સરકારી આરોગ્ય કાર્ડ કે અન્ય સહાય ન હોવા છતાં સારવારની જરૂર હોય તો ટ્રસ્ટ તેના ખર્ચની જવાબદારી ઉઠાવશે.

ભવિષ્યને આકાર આપતાં 5 વર્ષની ગૌરવયાત્રા: સર્વજનિક યુનિવર્સિટીની સ્થાપના વર્ષ ઉજવણીનો માસભરનો મહોત્સવ
1 જૂનથી 30 જૂન સુધી શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજિક અને પર્યાવરણીય પ્રવૃત્તિઓનું આયોજન
સુરત : સર્વજનિક યુનિવર્સિટી તેના 5મા સ્થાપના વર્ષ નિમિત્તે “Celebrating 5 Years of Shaping Futures” થીમ હેઠળ 1 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન શૈક્ષણિક, સાંસ્કૃતિક, પર્યાવરણીય અને સામાજિક જવાબદારીને કેન્દ્રસ્થાને રાખતી વિવિધ પ્રવૃત્તિઓની માસભરની ઉજવણી કરી રહી છે.
114 વર્ષ જૂની પરોપકારી સંસ્થા સર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા 1 જૂન, 2021ના રોજ સ્થાપિત સર્વજનિક યુનિવર્સિટીએ શૈક્ષણિક શ્રેષ્ઠતા, સંશોધન, નવાચાર અને સમાજ વિકાસની દિશામાં પોતાની સફળ પાંચ વર્ષની યાત્રા પૂર્ણ કરી છે. “Journey Towards an Enlightened Society”ના વિઝન તથા સર્વસમાવેશક, સંકલિત અને નવોચારી શિક્ષણના મૂલ્યોને આધારે યુનિવર્સિટી ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સંશોધન અને સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી છે.
સ્થાપના સમયે 48 અભ્યાસક્રમોથી શરૂઆત કરનાર યુનિવર્સિટી આજે વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં 65 અભ્યાસક્રમો ઓફર કરે છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન યુનિવર્સિટીના સંલગ્ન સંસ્થાઓએ GSIRF રેન્કિંગમાં નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આ સમયગાળા દરમિયાન B.Sc. અને M.Sc. (Artificial Intelligence & Data Science), Post Graduate Diploma in Financial and Banking Services (PGDFBS), Integrated MCA (IMCA), M.Sc. Clinical Embryology, LL.M. તેમજ વિવિધ આંતરવિષયક પ્રમાણપત્ર અભ્યાસક્રમો જેવા આધુનિક અને ઉદ્યોગલક્ષી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.
યુનિવર્સિટીએ તાજેતરમાં “સર્વજનિક કોલેજ ઓફ લિબરલ આર્ટ્સ”ની સ્થાપના કરી છે અને B.A. (Psychology) તથા B.A. (Economics) જેવા નવા સ્નાતક અભ્યાસક્રમો શરૂ કર્યા છે. ઉપરાંત Statistics, Mass Communication, Psychology અને Economics માં માઇનર સ્પેશિયલાઇઝેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

યુનિવર્સિટીએ આધુનિક વર્ગખંડો, અદ્યતન પ્રયોગશાળાઓ, સ્માર્ટ લર્નિંગ સુવિધાઓ અને વિદ્યાર્થીકેન્દ્રિત કેમ્પસ માળખા દ્વારા પોતાના શૈક્ષણિક વાતાવરણને વધુ સશક્ત બનાવ્યું છે. સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે યુનિવર્સિટીએ શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ વ્યક્તિઓ માટે કાર્યરત એક વ્યાવસાયિક તાલીમ કેન્દ્રને દત્તક લીધું છે. ઉપરાંત યુવાનો માટે ઉદ્યોગલક્ષી કૌશલ્ય વિકાસ કાર્યક્રમો ચલાવતા અન્ય વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો પણ કાર્યરત છે. SES સેન્ટ્રલ લાઇબ્રેરી હેઠળ 3 લાખથી વધુ પુસ્તકો અને ડિજિટલ સ્રોતો ધરાવતું જ્ઞાનકેન્દ્ર પણ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
આ સ્થાપના વર્ષ ઉજવણીને સર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલ, પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યા તથા યુનિવર્સિટીના પ્રથમ પ્રોવોસ્ટ અને સ્થાપના દિવસ ઉજવણી સમિતિના કન્વીનર પ્રો. પર્સી એન્જિનરના દ્રષ્ટિવંત નેતૃત્વ અને માર્ગદર્શનનો આધાર પ્રાપ્ત થયો છે.
ઉજવણીનો પ્રારંભ 01 જૂન, 2026 ના રોજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કેક કટિંગ સમારોહ સાથે થયો હતો. ત્યારબાદ “Future of Education in Society” વિષય પર વિશેષ Foundation Flagship Lecture Seriesનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ અને જાણીતા શિક્ષણવિદ્ પ્રો. પંકજ ચંદ્રાએ મુખ્ય વક્તા તરીકે માર્ગદર્શન આપ્યું હતું.
ઉજવણીના ભાગરૂપે “SU SPARK – 5×5: Ideas Worth Spreading” કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નવાચાર, સર્જનાત્મકતા, સંઘર્ષશીલતા, ટેક્નોલોજી અને સામાજિક પ્રભાવ જેવા વિષયો પર પ્રેરણાદાયી ટૂંકા પ્રવચનો રજૂ કરશે.
માસભરની ઉજવણી દરમિયાન રક્તદાન શિબિરો, આરોગ્ય તપાસ કેમ્પો, સ્વચ્છતા અને જનજાગૃતિ અભિયાનો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સમાજલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો દ્વારા સામાજિક જવાબદારી અને સમુદાય સાથેના જોડાણને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

ઉજવણીનો સમાપન સમારોહ 30 જૂન, 2026ના રોજ “Gratitude & Recognition Ceremony” સાથે યોજાશે. આ પ્રસંગે દાતાશ્રીઓ, ભૂતપૂર્વ પ્રમુખો, સ્થાપક સભ્યો, અધ્યાપકો અને કર્મચારીઓને યુનિવર્સિટીના વિકાસમાં આપેલા અમૂલ્ય યોગદાન બદલ સન્માનિત કરવામાં આવશે. સમારોહમાં સ્કોલરશિપની જાહેરાત, પુરસ્કાર વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા યુનિવર્સિટીની પાંચ વર્ષની યાત્રાને દર્શાવતી વિશેષ ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવશે.
આ અવસરે સર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ તથા સર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલ અને સર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી માત્ર શિક્ષણ પૂરું પાડતી સંસ્થા તરીકે નહીં, પરંતુ ચારિત્ર્ય ઘડતર, નવાચારને પ્રોત્સાહન અને સમાજ તથા રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં અર્થપૂર્ણ યોગદાન આપતી સંસ્થા તરીકે આગળ વધવા માટે પ્રતિબદ્ધ છે.
વેપારીઓ સાથે કર્યો વિશ્વાસઘાત, લેબગ્રોન ડાયમંડ કૌભાંડમાં અંકુશ નકારાણી સહિત બેની ધરપકડ
શરૂઆતમાં કરાર મુજબ હીરા આપ્યા, બાદમાં ઉત્પાદન અને સપ્લાય બંધ કરી સંપર્ક તોડી નાખ્યાનો આક્ષેપ
સુરત. લેબગ્રોન ડાયમંડના ધંધામાં મોટા નફાની લાલચ આપીને વેપારી સાથે રૂ. 3.50 કરોડની છેતરપિંડી કરવાના કેસમાં સુરત ઇકો સેલે એશિયન લેબગ્રોન ડાયમંડ કંપનીના ભાગીદારો અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીની ધરપકડ કરી છે. બંને આરોપીઓએ ભાગીદારીના નામે રોકાણ કરાવી કરોડો રૂપિયા મેળવી લીધા બાદ ન તો નફો આપ્યો હતો કે ન તો મૂળ મૂડી પરત કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ચોકબજાર વિસ્તારમાં હોફ ફર્નિચરના માલિક તથા ડાયમંડ વ્યવસાય સાથે સંકળાયેલા કેતન પટેલને આરોપીઓએ લેબગ્રોન ડાયમંડના ઉત્પાદન અને વેચાણમાં મોટો નફો કમાવવાની લાલચ આપી હતી. બંનેએ દર મહિને 300 લેબગ્રોન ડાયમંડ તૈયાર કરીને આપવાનો વાયદો કર્યો હતો અને તે માટે નોટરાઇઝ કરાર પણ કરવામાં આવ્યો હતો.
આરોપીઓની વાતોમાં આવીને કેતન પટેલે અમેરિકામાં રહેતા પોતાના બહેન-બનેવી પાસેથી નાણાં મંગાવી કુલ રૂ. 4.50 કરોડનું રોકાણ કર્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિશ્વાસ સંપાદન કરવા માટે આરોપીઓએ શરૂઆતમાં રૂ. 1 કરોડ પરત આપ્યા હતા, પરંતુ બાકીના રૂ. 3.50 કરોડ પોતાની પેઢીના ઉપયોગમાં લઈ લીધા હતા. બાદમાં નફો અથવા હીરા અંગે પૂછપરછ કરતાં આરોપીઓ મશીનો વધારવાના છે, લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે અને ગ્રોઇંગ ચાર્જ ચૂકવવો પડશે જેવા બહાનાં બતાવતા રહ્યા હતા.
શરૂઆતમાં કરાર મુજબ કેટલાક હીરા આપતા કેતન પટેલનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો. જોકે થોડા સમય બાદ આરોપીઓએ અચાનક ઉત્પાદન બંધ કરી દીધું અને હીરાની સપ્લાય પણ રોકી દીધી હતી. પરિણામે કેતન પટેલનો વ્યવસાય ખોરવાઈ ગયો હતો અને તેમનું કરોડો રૂપિયાનું રોકાણ અટવાઈ ગયું હતું.

જ્યારે ફરિયાદીએ વારંવાર હીરા અથવા પોતાના નાણાં પરત આપવા માટે રજૂઆત કરી હતી ત્યારે આરોપીઓએ ટાળટૂળ શરૂ કરી હતી. અંતે ફોન બંધ કરીને સંપર્ક તોડી નાખતાં કેતન પટેલને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થઈ હતી. ત્યારબાદ તેમણે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.
કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ સુરત ઇકો સેલને સોંપવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય તપાસના આધારે પોલીસે અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીની ધરપકડ કરી હતી. બંનેને કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
એસીપી જી.એ. સરવૈયાએ જણાવ્યું હતું કે સુરત શહેર નેચરલ તથા લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ માટે દેશભરમાં જાણીતું છે અને આ ક્ષેત્રમાં વિશ્વાસઘાત તથા છેતરપિંડીના બનાવો સમયાંતરે સામે આવતા રહે છે. હાલની તપાસ દરમિયાન અંકુશ નાકરાણી વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો નોંધાયેલો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત તેમની સામે અન્યત્ર પણ કોઈ ગુનાઓ નોંધાયેલા છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે અંકુશ નાકરાણીનું નામ અગાઉ પણ વિવાદોમાં ચર્ચામાં રહ્યું છે. SIDBI લોન મેળવવા માટે કથિત બનાવટી દસ્તાવેજો રજૂ કરવાના આરોપસર નોંધાયેલા કેસમાં ડિસેમ્બર 2025 દરમિયાન CBI કોર્ટ દ્વારા તેમને દોષિત ઠેરવી સજા ફટકારવામાં આવી હતી. ઉપરાંત લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા કરોડો રૂપિયાના અન્ય વિવાદોમાં પણ તેમનું નામ અગાઉ સામે આવી ચૂક્યું છે.
પગભર સંસ્થાના મહિલા સન્માન સમારોહમાં આત્મનિર્ભરતાનો સંકલ્પ
ઉત્તમ કામગીરી કરનાર ૮ બહેનોનું સ્કૂટર આપી સન્માન, આગામી ત્રણ વર્ષમાં ૧૦ લાખ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો નિર્ધાર
સુરત: રાજકોટની પગભર હાઇજીન પ્રાઇવેટ લિમિટેડ સંસ્થા દ્વારા સુરતના વરાછા સ્થિત સરદાર સ્મૃતિ ભવન ખાતે મહિલાઓ માટે વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે ત્રણ વાગ્યાથી સાંજે સાડા છ વાગ્યા સુધી ચાલેલા કાર્યક્રમમાં રાજ્યભરની એક હજારથી વધુ બહેનો ઉપસ્થિત રહી હતી.
મહિલાઓમાં સ્વચ્છતા અને આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાના સાથે તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવતી આ સંસ્થા હાલમાં સમગ્ર ગુજરાતમાં આશરે દસ હજારથી વધુ બહેનો સાથે કાર્યરત છે. કાર્યક્રમ ખાસ કરીને શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોના સન્માન માટે યોજાયો હતો.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા રાજ્યસભાના સાંસદ અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ સંસ્થાના સ્થાપક દિનેશભાઈ પંડ્યાના કાર્યને બિરદાવતાં જણાવ્યું હતું કે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ સમાજ માટે પ્રેરણાદાયી છે.
આ પ્રસંગે સંસ્થાની ઉત્તમ કામગીરી બદલ આઠ બહેનોને સ્કૂટરની ચાવી અર્પણ કરીને સન્માનિત કરવામાં આવી હતી. સન્માન મેળવનાર બહેનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.
કાર્યક્રમનું સંચાલન જીગરભાઈ પંડ્યા અને દેવીબેન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રદ્ધાબેન પંડ્યા અને તેમની ટીમ દ્વારા આગામી ત્રણ વર્ષમાં દસ લાખ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
એનઆઈએફ ગ્લોબલ સુરતનો દ્વારા યોજાયો ભવ્ય ફેશન શો: ભારતીય હસ્તકલાઓ અને આધુનિક ડિઝાઇનનો અદ્ભુત સંગમેં દર્શકોને આકર્ષિત કર્યું
લેકમે ફેશન વીકમાં લોન્ચ થયેલી કલેક્શનથી શોની ભવ્યતા વધી, ૧૧ સિક્વન્સમાં સર્જનાત્મકતાની ઝલક જોવા મળી
સુરત. એનઆઈએફ ગ્લોબલ સુરત દ્વારા ૨૩ મેની સાંજે ૭ વાગ્યે બીપીએએચ ખાતે આયોજિત ફેશન શોમાં સર્જનાત્મકતા, કારીગરી અને આધુનિક ડિઝાઇનનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થી ડિઝાઇનરોએ ભારતીય હસ્તકલાની સમૃદ્ધ પરંપરાથી પ્રેરિત પોતાની વિશેષ કલેક્શન રેમ્પ પર રજૂ કરી હતી, જેને દર્શકોએ ભરપૂર પ્રશંસા આપી હતી.
આ ફેશન શોની સૌથી વિશેષ બાબત તૈયાર કરવામાં આવેલ ૧૧ થીમ આધારિત સિક્વન્સ રહ્યા, જેમાં ડિઝાઇનરોની કલ્પનાશક્તિ અને કલા કૌશલ્યની ઝલક સ્પષ્ટ રીતે જોવા મળી હતી. કાર્યક્રમમાં એવી બે વિશેષ કલેક્શન પણ સામેલ હતી, જે અગાઉ મુંબઈના પ્રતિષ્ઠિત લેકમે ફેશન વીકમાં લોન્ચ થઈ ચૂકી છે, જેના કારણે સમગ્ર કાર્યક્રમની ભવ્યતા વધુ વધી ગઈ હતી.

ડિઝાઇનરોની રજૂઆતમાં પર્યાવરણ સંરક્ષણ, ટકાઉ વિકાસ, ભારતની શાહી વિરાસત તેમજ પરંપરાગત કઢાઈ અને હસ્તકલાની સમૃદ્ધ પરંપરાને આધુનિક ફ્યુઝન સિલ્હૂટ્સ સાથે સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. દરેક રજૂઆતમાં પરંપરા અને આધુનિકતાનું સંતુલિત સંમિશ્રણ જોવા મળ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન દર્શકોની ભારે ભીડ ઉમટી પડી હતી અને દરેક કલેક્શનને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. સમગ્ર શો દરમિયાન ગૂંજેલી તાળીઓએ માહોલને વધુ ઉત્સાહભર્યો બનાવી દીધો હતો.

આ પ્રસંગે જ્યુરી સભ્ય તરીકે જાણીતા ફેશન નિષ્ણાત મનીષ રેશમવાળા, સંગીતા ચોકસી અને સમતા ગૌદાની ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ડિઝાઇનરોના કાર્યનું મૂલ્યાંકન સર્જનાત્મકતા, કારીગરી, સ્ટાઇલિંગ અને પ્રેઝન્ટેશનના આધારે કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમ માત્ર ફેશનનું પ્રદર્શન નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ, હસ્તકલા અને આધુનિક વિચારધારાના સંગમરૂપે એક પ્રભાવશાળી મંચ સાબિત થયો હતો, જેમાં યુવા ડિઝાઇનરોની નવી વિચારસરણી અને સર્જનાત્મક દ્રષ્ટિકોણને પણ ઉજાગર કરવામાં આવ્યો હતો.
ડૉ. વિવેક બિન્દ્રા અને વિવેક ઓબેરોય દ્વારા વડોદરા ખાતે ગુજરાતના સૌથી મોટા બ્રાન્ડેડ ફેક્ટરી રિટેલ આઉટલેટની શરૂઆત
વડોદરા, પ્રીમિયમ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સને કિફાયતી કિંમતે ગ્રાહકો સુધી પહોંચાડતા અને ઝડપથી આગળ વધી રહેલ રિટેલ અને બી ટુ બી પ્લેટફોર્મ બ્રાન્ડેડ ફેક્ટરી દ્વારા 23 મે 2026, શનિવારના રોજ વડોદરામાં ગુજરાતના સૌથી મોટા બ્રાન્ડેડ ફેક્ટરી રિટેલ આઉટલેટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ મેગા લોન્ચ અને વિશેષ પ્રેસ કોન્ફરન્સમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ, બિઝનેસ મેન્ટર તથા બડા બિઝનેસના સ્થાપક અને સીઈઓ ડૉ વિવેક બિન્દ્રાએ શેરહોલ્ડર તરીકે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી. આ પ્રસંગે અભિનેતા અને ઉદ્યોગપતિ વિવેક ઓબેરોય સહિત અનેક જાણીતી હસ્તીઓ પણ હાજર રહી. બારોડા સ્ક્વેર, બી પી સી રોડ, અલ્કાપુરી સ્થિત આ મેગા આઉટલેટ એક લાખથી વધુ વર્ગફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે, જ્યાં ગ્રાહકો માટે એક લાખથી વધુ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. ફેશન, એક્સેસરીઝ, લાઇફસ્ટાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ સહિત અનેક કેટેગરીઝમાં ઉપલબ્ધ આ આઉટલેટ ગુજરાતના સૌથી મોટા વેલ્યુ-ડ્રિવન શોપિંગ ડેસ્ટિનેશન્સમાંનું એક માનવામાં આવી રહ્યું છે. 20 વર્ષથી વધુના હોલસેલ વિતરણના અનુભવ અને 150થી વધુ મુખ્ય બ્રાન્ડ્સ સાથેની મજબૂત ભાગીદારી દ્વારા બ્રાન્ડેડ ફેક્ટરી ગ્રાહકોને મોટા પાયે પ્રીમિયમ શોપિંગ અનુભવ આપવાની દિશામાં કાર્યરત છે. લોન્ચ પ્રસંગે વિવિધ કેટેગરીઝમાં 50 ટકાથી 90 ટકા સુધીના આકર્ષક ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યા હતા, જેના કારણે ગ્રાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા અદ્યતન કેન્દ્રીય લાઇબ્રેરી પહેલથી વિદ્યાર્થી અભ્યાસને નવી દિશા
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી – સાર્વજનિક યુનિવર્સિટી (SES–SU) દ્વારા ગુણવત્તાસભર શિક્ષણ અને શૈક્ષણિક સંસાધનોને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્રીય લાઇબ્રેરી પહેલ અંતર્ગત મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. યુનિવર્સિટી સેન્ટ્રલ લાઇબ્રેરી હવે તમામ ઘટક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને સંશોધકો માટે એક વ્યાપક શૈક્ષણિક સંસાધન કેન્દ્ર તરીકે કાર્યરત બની છે.
સેન્ટ્રલ લાઇબ્રેરી દ્વારા વિદ્યાર્થીઓને પ્રિન્ટ અને ડિજિટલ સ્વરૂપમાં ૩ લાખથી વધુ પુસ્તકો સહિત વિશાળ શૈક્ષણિક સંકલનનો લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. કોઈપણ વિદ્યાર્થી પોતાની ફેકલ્ટીથી પર અન્ય ફેકલ્ટીની લાઇબ્રેરીના સંસાધનોનો પણ ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ તરીકે, એન્જિનિયરિંગ ફેકલ્ટીનો વિદ્યાર્થી આર્ટ્સ ફેકલ્ટીની લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે છે અને તે જ રીતે અન્ય ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પણ પરસ્પર સંસાધનોનો લાભ લઈ શકે છે. આ પહેલ શિક્ષણ, અભ્યાસ અને સંશોધન પ્રવૃત્તિઓને સતત સહકાર પૂરો પાડશે.
લાઇબ્રેરી દ્વારા પુસ્તકો અને શૈક્ષણિક સામગ્રીના સંગ્રહ, વર્ગીકરણ, સંચાલન અને જાળવણીની સુવ્યવસ્થિત પ્રક્રિયા અમલમાં મુકવામાં આવી રહી છે. સાથે સાથે, ડિજિટલ એક્સેસ, આધુનિક સુવિધાઓ અને વિદ્યાર્થીમૈત્રી અભ્યાસ વાતાવરણના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
આ પહેલના ભાગરૂપે SES–SU હેઠળ કાર્યરત ૧૪ સંસ્થાકીય લાઇબ્રેરીઓને એક સંકલિત લાઇબ્રેરી નેટવર્ક દ્વારા જોડવામાં આવી છે. આ નેટવર્કથી તમામ લાઇબ્રેરીઓ વચ્ચે પુસ્તકો અને વાંચન સામગ્રીનું સરળ આદાન-પ્રદાન તેમજ બિબ્લિયોગ્રાફિક ડેટાબેઝ સુધી સહેલાઈથી પહોંચ શક્ય બની છે.
આ કેન્દ્રીય વ્યવસ્થાના કારણે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી – સાર્વજનિક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હવે તમામ જોડાયેલી લાઇબ્રેરીઓમાંથી પુસ્તકો અને સંસાધનો સરળતાથી મેળવી શકશે. પરિણામે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો, સંદર્ભ પુસ્તકો, જર્નલ્સ, સંશોધન પ્રકાશનો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત સામગ્રીનો વિશાળ ભંડાર ઉપલબ્ધ બનશે.
આ કેન્દ્રીય લાઇબ્રેરી નેટવર્ક આંતરવિષયક અભ્યાસને પણ પ્રોત્સાહન આપે છે, કારણ કે વિદ્યાર્થીઓ પોતાની સંસ્થા બહારના વિષયોના સંસાધનોનો પણ અભ્યાસ કરી શકશે. સાથે સાથે, પ્રોજેક્ટ વર્ક, ડિસર્ટેશન, ઇન્ટર્નશિપ અને સંશોધન પ્રવૃત્તિઓ માટે જરૂરી શૈક્ષણિક સાહિત્ય અને ડિજિટલ ડેટાબેઝ સુધી વધુ સગવડભર્યો પ્રવેશ મળશે.
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન તથા સાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલે જણાવ્યું હતું કે, “આ પહેલનો મુખ્ય હેતુ તમામ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર માહિતી અને જ્ઞાન સંસાધનોની સમાન ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને વાંચન સંસ્કૃતિ, સ્વઅભ્યાસ અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવાનો છે.”
SKYERA – Air Hostess & Aviation Training Institute સુરત, વાપી, વલસાડ, નવસારી, દમણ, ભરુચ, અંકલેશ્વર, બારડોલી અને વ્યારા સહિતના વિસ્તારોના વિદ્યાર્થીઓને 100% Job Placement Assistance સાથે એવિએશન અને હૉસ્પિટાલિટી ક્ષેત્રમાં સફળ કારકિર્દી બનાવવા માટે માર્ગદર્શન અને તાલીમ આપી રહ્યું છે.
સુરત, – Skyera એ Aviation, Hospitality, Tours & Travels ક્ષેત્રનું અગ્રણી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, જે ખાસ કરીને 12 પાસ વિદ્યાર્થીઓને પ્રોફેશનલ ટ્રેનિંગ આપી તેમને પ્રતિષ્ઠિત Airlines (Cabin Crew/Airports), Hotels તથા Tours & Travels ઇન્ડસ્ટ્રીમાં રોજગારની તકો ઉપલબ્ધ કરાવવામાં વિશેષતા ધરાવે છે.
સંસ્થાના વિશ્વસનીય ગ્રુપ દ્વારા અત્યાર સુધી સમગ્ર ભારતમાં 50,000થી વધુ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી છે, જેના કારણે સંસ્થાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની મજબૂત ઓળખ ઉભી કરી છે.
તાજેતરમાં Skyera Institute of Airhostess Training દ્વારા વિદ્યાર્થીઓ માટે THE LONG D HOTELS AND BANQUET ખાતે એક શૈક્ષણિક Industrial Visitનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ મુલાકાતનો હેતુ વિદ્યાર્થીઓને હોટેલ ઇન્ડસ્ટ્રીની કાર્યપ્રણાલીનો પ્રેક્ટિકલ અને રિયલ-વર્લ્ડ અનુભવ અપાવવાનો હતો, જેથી એવિએશન અને હૉસ્પિટાલિટી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક ઇન્ડસ્ટ્રી Exposure મળી શકે.
સંસ્થાના મેનેજમેન્ટે આ શૈક્ષણિક અને માહિતીસભર મુલાકાતને સફળ બનાવવા બદલ હોટેલ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. સંસ્થાના જણાવ્યા મુજબ, આવી Industry Exposure Activities વિદ્યાર્થીઓને Practical Learning આપવા અને Aviation, Hospitality તથા Customer Service ક્ષેત્રમાં સફળ કારકિર્દી માટે તૈયાર કરવાની તેમની પ્રતિબદ્ધતાનો મહત્વપૂર્ણ ભાગ છે.

ગત એક વર્ષ દરમિયાન સંસ્થાએ અનેક વિદ્યાર્થીઓને Cabin Crew, Ground Staff તથા Aviation Sectorમાં કારકિર્દી બનાવવા માટે સફળતાપૂર્વક તાલીમ આપી છે. ઉચ્ચ ગુણવત્તાવાળી ટ્રેનિંગ, અનુભવી ફેકલ્ટી અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર Professional Skills જ નહીં પરંતુ Confidence Building અને Personality Developmentમાં પણ નિષ્ણાત બનાવવામાં આવ્યા છે.
સંસ્થાનો મુખ્ય હેતુ યુવાનોને તેમના સપનાઓ સાકાર કરવામાં મદદરૂપ થવાનો અને તેમને સફળ કારકિર્દી તરફ દોરી જવાનો છે.
આ સિદ્ધિ પ્રસંગે સંસ્થાના ડિરેક્ટર અને સ્ટાફે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર વ્યક્ત કરતાં ભવિષ્યમાં પણ વધુ સારી શિક્ષણ અને Placement Opportunities ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમનો સમાપન એક Interactive Discussion Session અને Group Interaction સાથે થયો, જેના કારણે વિદ્યાર્થીઓમાં Hospitality અને Aviation ક્ષેત્રમાં ઉત્તમતા પ્રાપ્ત કરવાની નવી પ્રેરણા અને ઉત્સાહ જોવા મળ્યો.
સાર્વજનિક યુનિવર્સિટીદ્વારા લિબરલ આર્ટ્સના નવા અભ્યાસક્રમોની શરૂઆત : વિશ્લેષણાત્મક અને માનવકેન્દ્રિત નેતૃત્વ ઘડવાનો પ્રયાસ
સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા બહુમુખી અને ભવિષ્યલક્ષી શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭ થી નવા ઘટક સંસ્થા — Sarvajanik College of Liberal Arts (એસ.સી.એલ.એ.) હેઠળ નવા સ્નાતક અભ્યાસક્રમોની શરૂઆત કરવામાં આવી છે.
“તર્ક્બદ્ધ અને સમૃદ્ધ જીવન” ના ધ્યેય ઢાચાઓસાથે શરૂ કરાયેલા આ અભ્યાસક્રમોનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માનવીય વર્તન, સામાજિક અને માહિતી આધારિત વિશ્લેષણ વચ્ચેનો સંબંધ સમજાવી તેમને જવાબદાર, સંવેદનશીલ અને વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવતા નાગરિકો તૈયાર કરવાન છે.
એસ.સી.એલ.એ. દ્વારા નીચે મુજબના નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે:
બી.એ. અર્થશાસ્ત્ર (મુખ્ય વિષય)
બી.એ. મનોવિજ્ઞાન (મુખ્ય વિષય)
બંને અભ્યાસક્રમો શૈક્ષણિક ઊંડાણ, પ્રાયોગિક અભ્યાસ અને સંશોધન આધારિત શિક્ષણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ ના બહુમુખી અને આંતરવિષયક અભિગમને અનુરૂપ રચવામાં આવ્યા છે.
બી.એ. અર્થશાસ્ત્ર અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓને અર્થવ્યવસ્થા, બજાર વ્યવસ્થા, નીતિ નિર્માણ, માનવીય વર્તન, વિકાસ અભ્યાસ તથા આંકડાકીય વિશ્લેષણ અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવશે. જ્યારે બી.એ. મનોવિજ્ઞાન અભ્યાસક્રમ માનવીય વિચારસરણી, લાગણીઓ, વર્તન અને અનુભવોને વૈજ્ઞાનિક તેમજ વ્યવહારુ અભિગમથી સમજવા માટે રચાયેલ છે.
વિદ્યાર્થીઓને તેમના મુખ્ય વિષય સાથે નીચે મુજબના ગૌણ વિષય / વિશેષ અભ્યાસ વિકલ્પો પસંદ કરવાની તક મળશે:
મનોવિજ્ઞાન
અર્થશાસ્ત્ર
જનસંપર્ક અને પ્રસાર માધ્યમ અભ્યાસ
આંકડાશાસ્ત્ર
આ લવચીક શૈક્ષણિક માળખું વિદ્યાર્થીઓને તેમની રસ, ક્ષમતા અને ભવિષ્યની કારકિર્દીને અનુરૂપ અભ્યાસ દિશા પસંદ કરવામાં સહાયક બનશે.
અભ્યાસક્રમનું પાઠ્યક્રમ આજના બદલાતા વૈશ્વિક અને વ્યવસાયિક પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં તાર્કિક વિચારશક્તિ, આંકડાકીય સમજ, અભિવ્યક્તિ કૌશલ્ય, ગણનાત્મક કુશળતા અને સંશોધન અભિરુચિ વિકસે તે માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી તેઓ રોજગારક્ષમ બનવા સાથે ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટે પણ સક્ષમ બની શકે.
યુનિવર્સિટીના જણાવ્યા મુજબ એસ.સી.એલ.એ. નું શૈક્ષણિક દ્રષ્ટિકોણ આંતરવિષયક અભ્યાસ, જિજ્ઞાસા આધારિત શિક્ષણ અને ભવિષ્યલક્ષી કૌશલ્યો પર આધારિત છે. વર્ગખંડ શિક્ષણ સાથે પ્રયોગાત્મક કાર્યો, ક્ષેત્ર અભ્યાસ, તર્કશક્તિ વિકાસ પ્રવૃત્તિઓ અને સંશોધન આધારિત પ્રવૃત્તિઓનો સમાવેશ કરીને વિદ્યાર્થીઓને જીવનના વાસ્તવિક પડકારો માટે તૈયાર કરવામાં આવશે.
આ નવા અભ્યાસક્રમોની શરૂઆત સાથે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની ૧૧૪ વર્ષની ગૌરવશાળી શિક્ષણ પરંપરાને આગળ વધારતા Sarvajanik University દ્વારા સુરત અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
યુનિવર્સિટી હવે જી.સી.એ.એસ. પ્રવેશ પોર્ટલ પર પણ ઉપલબ્ધ છે, જેના કારણે વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા વધુ સરળ અને સુલભ બની છે. યુનિવર્સિટી ગુણવત્તાસભર, વ્યવસાયલક્ષી અને પરવડે તેવું શિક્ષણ આપતાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક ઉત્તમતા માટે પ્રતિબદ્ધ છે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ વધુ માહિતી માટે યુનિવર્સિટી પ્રવેશ કચેરીનો સંપર્ક કરી શકે છે અથવા પરિસરની મુલાકાત લઈને અભ્યાસક્રમની રચના, પાઠ્યક્રમ તથા પ્રવેશ પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી મેળવી શકે છે.