ગુજરાત રાજ્યમાં 272 આઉટલેટ્સ સાથે, કચ્છમાં આ નવું વિસ્તરણ, આ બ્રાન્ડની પ્રાદેશિક વિકાસ, રોજગાર સર્જન અને સમગ્ર ગુજરાતમાં તેની હાજરીને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે
ભુજ, ગુજરાત | 18 જૂન, 2026 : ગુજરાતની સૌથી મોટી અને અગ્રણી કાફે ચેઇન્સ, Ajay’s Cafe એ 18 જૂન, 2026 ના રોજ ભુજમાં તેનું પ્રથમ આઉટલેટ લોન્ચ કરવા સાથે કચ્છ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. આ નવીનતમ શરૂઆત, એ બ્રાન્ડની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે અને સમગ્ર ગુજરાતમાં તેની હાજરી વિસ્તારવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
ખાસ નોંધનીય છે કે, 272 આઉટલેટ્સનું નેટવર્ક બનાવ્યા પછી, Ajay’s Cafe રાજ્યના સૌથી વ્યાપક રીતે હાજરહાજર સંગઠિત કાફે બ્રાન્ડ્સમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. કચ્છમાં કંપનીનો પ્રવેશ તેની લાંબાગાળાની વૃદ્ધિ વ્યૂહરચનાનો એક ભાગ છે, જેનો હેતુ ઉભરતા ગ્રાહક બજારોને સર્વિસ આપવા અને પ્રાદેશિક સ્તરે આર્થિક વિકાસને ટેકો આપવાનો છે.
ભુજ આઉટલેટ, એ કચ્છમાં Ajay’s Cafe ના સફરની શરૂઆત દર્શાવે છે. આ પ્રદેશના વધતા આર્થિક મહત્વ અને વિકસતા ગ્રાહકવર્ગ આધારે, કંપનીએ આગામી દિવસોમાં સમગ્ર કચ્છમાં 8 થી 10 આઉટલેટ્સ શરૂ કરવાની યોજના બનાવી છે. તેનાથી ગ્રાહકો માટે વધુ સુલભતા ઉપરાંત સ્થાનિક સ્તરે રોજગાર અને વ્યવસાયની નવી તકો પણ ઉભી થશે.
આ લોન્ચીંગ પ્રસંગે, Ajay’s Cafe ના સંસ્થાપક ડિરેક્ટર અજય સોલંકીએ જણાવ્યું હતું કે, “ભુજમાં અમારા પ્રથમ આઉટલેટનું લોન્ચિંગ, એ ખરેખર Ajay’s Cafe માટે એક માઇલસ્ટોન છે અને ગુજરાતની વિકાસગાથામાં એક મહત્વપૂર્ણ પગલું છે. કચ્છ રાજ્યના સૌથી આશાસ્પદ પ્રદેશોમાંનો એક છે, જ્યાં ઝડપી આર્થિક વિકાસ અને સતત વધતી જતી ગ્રાહક માંગ જોવા મળી રહી છે. અમને અહીં ગ્રોથની અસીમ સંભાવનાઓ દેખાઈ રહી છે અને અમે સમગ્ર પ્રદેશમાં મજબૂત હાજરી માટે પ્રતિબદ્ધ છીએ. અમારું વિઝન આગામી દિવસોમાં કચ્છમાં 8 થી 10 કાફે સ્થાપિત કરવાનું છે, જે સ્થાનિક સ્તર પર રોજગાર અને આર્થિક વિકાસમાં યોગદાન આપશે તેમજ અમારી બ્રાન્ડને વધુ સુલભ બનાવશે.”
ઉલ્લેખનીય છે કે, કચ્છમાં વિસ્તરણ એ સમયે થઈ રહ્યું છે, જ્યારે Ajay’s Cafe ગુજરાતની અગ્રણી સંગઠિત કાફે ચેઇન્સ તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત કરી રહ્યું છે. નવસારીમાં તેની શરૂઆત પછી, આ બ્રાન્ડે રાજ્યમાં સતત વિસ્તરણ કર્યું છે, 270 થી વધુ આઉટલેટ્સનું નેટવર્ક બનાવ્યું છે અને શહેરી તેમજ ઉભરતા બજારોમાં ગ્રાહકોને નિરંતર સર્વિસ આપી રહી છે.
કંપની પ્રબળ માને છે કે, આ પ્રદેશની વધતી જતી આર્થિક પ્રવૃત્તિ, માળખાગત વિકાસ, પ્રવાસન સંભાવના અને વિસ્તરતા ગ્રાહકવર્ગને ધ્યાનમાં લઈએ, તો કચ્છ એ વિકાસના કુદરતી આગામી તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે. ભુજમાં તેની હાજરી સ્થાપિત કરીને અને સમગ્ર જિલ્લામાં વધુ વિસ્તરણની યોજના બનાવીને, Ajay’s Cafe પ્રદેશના વિકસતા રિટેલ અને લાઇફસ્ટાઇલ ઇકોસિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ બનવાનો ઉદ્દેશ ધરાવે છે.
આ વિસ્તરણ એવા સમયે થયું છે, જ્યારે Ajay’s Cafe ને ગુજરાતના સંગઠિત કાફે ઉદ્યોગમાં તેના યોગદાન માટે માન્યતા મળી રહી છે. હાલમાં જ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રજૂ કરાયેલા પ્રતિષ્ઠિત પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સમાં Ajay’s Cafe બ્રાન્ડને “લીડિંગ કાફે ચેઇન ઓફ ધ યર” એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ એવોર્ડ સાથે, બ્રાન્ડની ઉદ્યોગસાહસિક યાત્રા, રોજગાર સર્જનમાં યોગદાન અને રાજ્યમાં સંગઠિત કાફે ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં ભજવેલી ભૂમિકાને સ્વીકૃતિ આપવામાં આવી હતી.
વધુમાં, ઉદ્યોગમાં તેની ઓળખને વધુ મજબૂત બનાવતા, Ajay’s Cafe ને ET નાઉ દ્વારા “વર્ષની સૌથી લોકપ્રિય કાફે ચેઇન” એવોર્ડ તરીકે પણ માન્યતા આપવામાં આવી હતી. આ એવોર્ડ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની હાજરીમાં એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આ બ્રાન્ડને ફૂડ કોનોઇસર્સ ઇન્ડિયા એવોર્ડ્સમાં ‘બેસ્ટ ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ ચેઇન – વેસ્ટ ઇન્ડિયા 2026’ માટે પણ માન્યતા મળી છે, જે ગ્રાહકો અને ઉદ્યોગમાં તેની વધતી જતી લોકપ્રિયતા દર્શાવે છે.
આ લોન્ચીંગ, બ્રાન્ડનું સંગઠિત કાફે અનુભવોને મુખ્ય મહાનગરો અને હાઈ પોટેન્શિયલ રીજીઓનલ માર્કેટ સુધી આગળ લઈ જવાનું વ્યાપક વિઝન પણ દર્શાવે છે. Ajay’s Cafe તેની વિસ્તરણ યાત્રા આગળ વધારવાની સાથે, રોજગારીની તકો ઊભી કરવા, સ્થાનિક અર્થતંત્રોને ટેકો આપવા અને ગુજરાત અને પશ્ચિમ ભારતમાં તેની હાજરીને મજબૂત બનાવવા પર ફોકસ કરી રહી છે.
Ajay’s Cafe વિશે માહિતી :
Ajay’s Cafe ની સ્થાપના વર્ષ 2014માં થઈ હતી. તે ભારતની સૌથી ઝડપથી વિકસતી શાકાહારી ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) ચેઇન્સમાંની એક છે, જે તમામ લોકો માટે ક્વોલિટી ફૂડને વ્યાજબી ભાવે અને બધા માટે સુલભ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. Ajay’s ગુડ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત, આ બ્રાન્ડ ગુજરાતના નવસારી ખાતે તેના પ્રથમ આઉટલેટથી આજે અનેક શહેરોમાં ઝડપથી વિસ્તરતા કાફે નેટવર્કમાં વિકસી છે, જે લાખો ગ્રાહકોને તેની સિગ્નેચર કોલ્ડ કોફી, બર્ગર, પિઝા અને અન્ય લોકપ્રિય કાફે ઓફરિંગ સાથે સર્વિસ આપી રહી છે.
“હેપ્પી વાલી ફીલીંગ” ની ફિલસૂફી પર નિર્મિત, Ajay’s Cafe ની સ્થાપના અજય સોલંકી અને જયદીપ સોલંકી ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી. તેમણે એક એવી લોકો-કેન્દ્રિત ફૂડ બ્રાન્ડ બનાવવાની કલ્પના કરી હતી, જેની ક્વોલિટી બેસ્ટ હોવા સાથે તે પોષણક્ષમ ભાવે ઉપલબ્ધ હોય. અત્યાધુનિક 45,000 ચોરસ ફૂટ પ્રોડક્શન ફેસીલીટી અને ઇન-હાઉસ ટેસ્ટિંગ લેબોરેટરી દ્વારા સમર્થિત, કંપની તેના ઉત્પાદનોમાં કડક ગુણવત્તા ધોરણો અને સુસંગતતા જાળવી રાખે છે. તેની મજબૂત સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમ દરેક આઉટલેટ પર સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરે છે, જેનાથી ગ્રાહકો દરેક મુલાકાત સાથે તાજા અને ઉચ્ચ-ગુણવત્તાવાળા ખોરાકનો આનંદ માણી શકે છે.
Ajay’s Cafeનું મિશન સારું, સ્વાદિષ્ટ અને બધા માટે સુલભ ભોજન પીરસવાનું છે. આની સાથે જ, તે 2030 સુધીમાં ભારતની સૌથી મોટી QSR ચેઇન બનવાનું વિઝન ધરાવે છે. ગ્રાહકોને કેન્દ્રમાં રાખવા સાથે નૈતિક વ્યવસાયિક પ્રથાઓ, સતત સુધારણા દ્વારા આ બ્રાન્ડ મૂલ્ય-આધારિત ફૂડ અનુભવો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે તેની પહોંચનો વિસ્તાર કરવાનું જારી રાખે છે.
સફળ ફૂડ બ્રાન્ડ બનાવવા ઉપરાંત, Ajay’s Cafe એ એક સમૃદ્ધ ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ બનાવી છે, તેના ફ્રેન્ચાઇઝ નેટવર્ક દ્વારા 200+ ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવ્યા છે તેમજ તેના ઓપરેશન્સ અને પાર્ટનર આઉટલેટ્સમાં લગભગ 1,000 વ્યક્તિઓ માટે રોજગારની તકો ઉભી કરી છે.
વધુ માહિતી માટે visit https://ajays.co.in/ ની વિઝીટ કરો.
મોટરસાયકલિંગની ભાવનાની ઉજવણી કરવા માટે દમણમાં 20-21 જૂને મોટી સંખ્યામાં રાઇડર્સ એકત્રિત થશે : આ પહેલ એક મજબૂત સંદેશ આપે છે કે, ‘દરેક રાઇડનો અંત સલામત રીતે ઘરે પાછા ફરવા સાથે થવો જોઈએ’
સુરત, ગુજરાત, 18 જૂન, 2026: ગુજરાતની અગ્રણી કાફે અને ફૂડ બ્રાન્ડ્સ, Ajay’s Cafe દ્વારા દમણના લે વિનો ખાતે 20-21 જૂન, 2026 ના રોજ “વર્લ્ડ મોટરસાયકલ ડે – 2026” ઈવેન્ટની શાનદાર ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી માટે બ્રાંડ દ્વારા ગુજરાત મોટરસાયકલ રાઇડર્સ એસોસિએશન (GMRA) સાથે સહયોગની જાહેરાત કરવામાં આવી છે. આ ઈવેન્ટના માધ્યમ થકી Ajay’s Cafe અને GMRA સમાજમાં સુરક્ષિત રાઇડિંગનો મજબૂત સંદેશો આપશે.
બે દિવસની આ ઈવેન્ટમાં ગુજરાત અને નજીકના પડોશી પ્રદેશોમાંથી અંદાજીત 160-200 મોટરસાઇકલ સવારો રાઇડિંગ કલ્ચર, મિત્રતા, સાહસ અને જવાબદાર મોટરસાઇકલિંગની ઉજવણી માટે ભેગા થશે તેવી આશા છે. GMRA દ્વારા યોજાનારા આ કાર્યક્રમમાં ઓફ-રોડ રાઇડિંગ અનુભવ, પૂલ પાર્ટી, રમતો, મનોરંજન સત્રો, નેટવર્કિંગ તકો અને સમુદાયિક જોડાણ પ્રવૃત્તિઓ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ સામેલ છે.
મોટરસાઇકલના રોમાંચ અને રાઇડર્સમાં ભાઈચારાની ભાવના ઉપરાંત, એસોસિએશનનો ઉદ્દેશ્ય રોડ સેફ્ટી(માર્ગ સલામતી) અને જવાબદાર રાઈડિંગ પર એક મજબૂત સંદેશ આપવાનો છે. આ ભાગીદારી દ્વારા, Ajay’s Cafe અને GMRA રાઇડર્સને યાદ અપાવવાનો પ્રયાસ કરે છે કે, દરેક સફર સુરક્ષિત રીતે પૂર્ણ થવી જોઈએ કારણ કે, રાઇડિંગનો સાચો આનંદ પ્રિયજનો પાસે ઘરે પાછા ફરવામાં રહેલો છે.
આ પહેલ, Ajay’s Cafe ની ખુશી અને એકતાના ક્ષણો બનાવવાના ફિલસૂફીથી પ્રેરિત છે. બ્રાન્ડ માટે, “હેપ્પી વાલી ફીલીંગ” નો મતલબ માત્ર ફૂડ અને ઉજવણી કરવાનો નથી; પરંતુ તે દરેક મુસાફરી પછી જ્યારે તેમના પ્રિયજનો સુરક્ષિત રીતે ઘરે પાછા ફરે છે, તે સમયે પરિવારો દ્વારા અનુભવાતી માનસિક શાંતિ અને આનંદ વિશે પણ સમાન રીતે મહત્વ ધરાવે છે.
આ પહેલ અંગે, Ajay’s Cafe ના સ્થાપક નિર્દેશક શ્રી જયદીપ સોલંકીએ જણાવ્યું હતું કે, “મારા માટે, મોટરસાયકલ ચલાવવી, એ હંમેશા એક શોખ કરતાં વધુ રહ્યું છે. સાચું કહું તો, તે એક જુસ્સો છે, જેણે અમને રાઇડર્સના એક અદ્ભુત સમુદાયનો પરિચય કરાવ્યો છે, જે સાહસ, મિત્રતા અને એકબીજા પ્રત્યે આદરની સમાન ભાવના ધરાવે છે. GMRA ના સભ્યો તરીકે, અમે રાઇડિંગ સમુદાયમાં રહેલા ભાઈચારાની મજબૂત ભાવનાનો જાતે અનુભવ કર્યો છે. ‘વર્લ્ડ મોટરસાયકલ ડે’ સાથે અમારું જોડાણ એ જ ભાવનાની ઉજવણી છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “Ajay’s Cafe ખાતે, અમારું માનવું છે કે, સૌથી અર્થપૂર્ણ મુસાફરી એ છે, જે યાદો બનાવે છે અને લોકોને એકબીજાની વધુ નજીક લાવે છે. આની સાથે જ, દરેક રાઇટર્સ, ઘરે રાહ જોઈ રહેલા તેમના પ્રિયજનો પ્રત્યે જવાબદારી નિભાવે છે. કોઈપણ રાઈડનો સાચો આનંદ સુરક્ષિત રીતે પાછા ફરવામાં રહેલો છે, કારણ કે ત્યારે જ પરિવારો વાસ્તવિક ‘હેપ્પી વાલી ફીલિંગ’નો અનુભવ કરે છે. અમે રાઈડિંગ સમુદાય અને તેને જોડતા મૂલ્યોની ઉજવણી કરવામાં GMRA સાથે ઉભા રહેવામાં ખુબજ ગૌરવ અનુભવીએ છીએ.”
ઉલ્લેખનીય છે કે, GMRA લાંબા સમયથી જવાબદાર રાઈડિંગ કલ્ચરને પ્રોત્સાહન આપવા તેમજ મોટરસાઇકલ ઉત્સાહીઓમાં ભાઈચારાની મજબૂત ભાવનાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. ‘વર્લ્ડ મોટરસાયકલ ડે’ની ઉજવણી સલામત અને શિસ્તબદ્ધ રાઈડિંગ પ્રેક્ટિસની હિમાયત કરતી વખતે સમાન જુસ્સો ધરાવતા રાઇડર્સને એકસાથે લાવીને આ પ્રતિબદ્ધતાને વધુ મજબૂતી આપશે.
Ajay’s Cafe વિશે માહિતી :
Ajay’s Cafe ની સ્થાપના વર્ષ 2014માં થઈ હતી. તે ભારતની સૌથી ઝડપથી વિકસતી શાકાહારી ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) ચેઇન્સમાંની એક છે, જે તમામ લોકો માટે ક્વોલિટી ફૂડને વ્યાજબી ભાવે અને બધા માટે સુલભ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. Ajay’s ગુડ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત, આ બ્રાન્ડ ગુજરાતના નવસારી ખાતે તેના પ્રથમ આઉટલેટથી આજે અનેક શહેરોમાં ઝડપથી વિસ્તરતા કાફે નેટવર્કમાં વિકસી છે, જે લાખો ગ્રાહકોને તેની સિગ્નેચર કોલ્ડ કોફી, બર્ગર, પિઝા અને અન્ય લોકપ્રિય કાફે ઓફરિંગ સાથે સર્વિસ આપી રહી છે.
“હેપ્પી વાલી ફીલીંગ” ની ફિલસૂફી પર નિર્મિત, Ajay’s Cafe ની સ્થાપના અજય સોલંકી અને જયદીપ સોલંકી ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી. તેમણે એક એવી લોકો-કેન્દ્રિત ફૂડ બ્રાન્ડ બનાવવાની કલ્પના કરી હતી, જેની ક્વોલિટી બેસ્ટ હોવા સાથે તે પોષણક્ષમ ભાવે ઉપલબ્ધ હોય. અત્યાધુનિક 45,000 ચોરસ ફૂટ પ્રોડક્શન ફેસીલીટી અને ઇન-હાઉસ ટેસ્ટિંગ લેબોરેટરી દ્વારા સમર્થિત, કંપની તેના ઉત્પાદનોમાં કડક ગુણવત્તા ધોરણો અને સુસંગતતા જાળવી રાખે છે. તેની મજબૂત સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમ દરેક આઉટલેટ પર સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરે છે, જેનાથી ગ્રાહકો દરેક મુલાકાત સાથે તાજા અને ઉચ્ચ-ગુણવત્તાવાળા ખોરાકનો આનંદ માણી શકે છે.
Ajay’s Cafeનું મિશન સારું, સ્વાદિષ્ટ અને બધા માટે સુલભ ભોજન પીરસવાનું છે. આની સાથે જ, તે 2030 સુધીમાં ભારતની સૌથી મોટી QSR ચેઇન બનવાનું વિઝન ધરાવે છે. ગ્રાહકોને કેન્દ્રમાં રાખવા સાથે નૈતિક વ્યવસાયિક પ્રથાઓ, સતત સુધારણા દ્વારા આ બ્રાન્ડ મૂલ્ય-આધારિત ફૂડ અનુભવો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે તેની પહોંચનો વિસ્તાર કરવાનું જારી રાખે છે.
સફળ ફૂડ બ્રાન્ડ બનાવવા ઉપરાંત, Ajay’s Cafe એ એક સમૃદ્ધ ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ બનાવી છે, તેના ફ્રેન્ચાઇઝ નેટવર્ક દ્વારા 200+ ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવ્યા છે તેમજ તેના ઓપરેશન્સ અને પાર્ટનર આઉટલેટ્સમાં લગભગ 1,000 વ્યક્તિઓ માટે રોજગારની તકો ઉભી કરી છે.
વધુ માહિતી માટે visit https://ajays.co.in/ ની વિઝીટ કરો.
બે દિવસીય આ ઇવેન્ટ ભારતના સ્ટાર્ટઅપ, બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ ઇકોસિસ્ટમને સુરતમાં લાવવા તૈયાર
સુરત: ભારતની અગ્રણી સ્ટાર્ટઅપ સમિટ ‘21BY72’ તેની ઐતિહાસિક સીઝન 5 સાથે 13 અને 14 જૂન, 2026ના રોજ સુરતના અવધ યુટોપિયા ખાતે યોજાવા જઈ રહી છે. અગાઉના ચાર સફળ અને અસરકારક સંસ્કરણો બાદ હવે પાંચમી આવૃત્તિ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
અરહમ શેર દ્વારા પ્રસ્તુત, સંગિની ગ્રુપ દ્વારા સહ-પ્રાયોજિત અને એરિગેટો કેપિટલ દ્વારા આયોજિત ‘21BY72’ આજે ઉદ્યોગસાહસિકતા, નવીનતા, રોકાણ, બિઝનેસ સહયોગ અને ઇકોસિસ્ટમ વિકાસ માટે ભારતના સૌથી ઝડપી વિકસતા પ્લેટફોર્મમાંનું એક બની ગયું છે.
ફાઉન્ડર્સ અને ઇન્વેસ્ટર્સ વચ્ચે મજબૂત જોડાણ ઊભું કરવાના વિઝન સાથે શરૂ થયેલી આ પહેલ આજે એક સમૃદ્ધ ઇકોસિસ્ટમમાં પરિવર્તિત થઈ છે, જે સમગ્ર ભારત તેમજ વિદેશમાંથી ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સ, MSMEs, કોર્પોરેટ્સ, વેન્ચર કેપિટલ ફંડ્સ, એન્જલ ઇન્વેસ્ટર્સ, ફેમિલી ઓફિસ, નીતિ નિર્માતાઓ, વેલ્થ મેનેજર્સ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ, ક્રિએટર્સ, પ્રોફેશનલ્સ, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ અગ્રણીઓને એક જ મંચ પર લાવે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં આ સમિટે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું, સહયોગની તકો ઊભી કરવી, રોકાણ સંબંધિત ચર્ચાઓને વેગ આપવો, નવીનતાને પ્રોત્સાહિત કરવી અને સુરતને સ્ટાર્ટઅપ તથા વેન્ચર કેપિટલ પ્રવૃત્તિઓના ઉભરતા કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
– આ સમિટ તમામ બિઝનેસ અને ઇનોવેશન ઇકોસિસ્ટમ માટે ખુલ્લી
‘21BY72 સીઝન 5’ને ઉદ્યોગસાહસિકતાની યાત્રામાં જોડાયેલા દરેક સ્ટેક હોલ્ડર માટે એક સર્વસમાવેશક પ્લેટફોર્મ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે.
આ સમિટમાં સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, ભાવિ ઉદ્યોગસાહસિકો, MSMEs, બિઝનેસ માલિકો, કોર્પોરેટ લીડર્સ, વેન્ચર કેપિટલ ફંડ્સ, એન્જલ ઇન્વેસ્ટર્સ, ફેમિલી ઓફિસ, પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ્સ, વેલ્થ મેનેજર્સ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ, ઇન્ક્યુબેટર્સ, એક્સેલરેટર્સ, સ્ટાર્ટઅપ એનેબલર્સ, ક્રિએટર્સ, ઇન્ફ્લુએન્સર્સ, પ્રોફેશનલ્સ, સંશોધકો, વિદ્યાર્થીઓ, નીતિ નિર્માતાઓ અને ઇનોવેશનમાં રસ ધરાવતા તમામ લોકોનું સ્વાગત છે.
જે કોઈ મૂડી એકત્રિત કરવા, નવા રોકાણના અવસર શોધવા, વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા, ઉદ્યોગની સમજ મેળવવા, નવીનતા શોધવા, પ્રોડક્ટ્સ અને સર્વિસિસ વિશે જાણવા, નેટવર્ક વિસ્તૃત કરવા અથવા જાણીતા નેતાઓ પાસેથી શીખવા ઇચ્છે છે, તેમના માટે 21BY72 એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડે છે.
ભારતના ઉદ્યોગસાહસિક ભવિષ્ય વિશે જાણવા, જોડાવા, સહયોગ કરવા, રોકાણ કરવા અથવા યોગદાન આપવા ઇચ્છતા દરેક માટે આ સમિટ ખુલ્લી છે.
અગાઉના ચાર સીઝનની સિદ્ધિઓ
* 10,000થી વધુ લોકોની ઉપસ્થિત
* 1,000થી વધુ ઇન્વેસ્ટર્સ અને ઇકોસિસ્ટમ લીડર્સ
* 100થી વધુ વેન્ચર કેપિટલ ફંડ્સ
* 250થી વધુ સ્ટાર્ટઅપ અને બિઝનેસ પ્રદર્શન
* 100થી વધુ સ્પીકર્સ
* 55થી વધુ પેનલ ચર્ચાઓ
* 60થી વધુ લાઇવ સ્ટાર્ટઅપ પિચ
આ આંકડાઓ ઉપરાંત સમિટે હજારો ફાઉન્ડર-ઇન્વેસ્ટર મીટિંગ્સ, વ્યૂહાત્મક ભાગીદારીઓ, બિઝનેસ સહયોગ, સભ્યતા તકો, ઇકોસિસ્ટમ કનેક્શન્સ અને લાંબા ગાળાના સંબંધો ઉભા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
– ‘21BY72 સીઝન 5’ની મુખ્ય વિશેષતાઓ
* 100થી વધુ કંપનીઓ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં પ્રદર્શન
* 70થી વધુ સ્પીકર્સ અને ઉદ્યોગ અગ્રણીઓ
* વેન્ચર કેપિટલ ફંડ્સ, એન્જલ ઇન્વેસ્ટર્સ અને ફેમિલી ઓફિસની ભાગીદારી
* સ્ટાર્ટઅપ પિચિંગની તક
* ફંડરેઇઝિંગ અને ઇન્વેસ્ટર કનેક્ટ સત્રો
* વ્યૂહાત્મક ભાગીદારીની તકો
* ફાઉન્ડર-ઇન્વેસ્ટર નેટવર્કિંગ
* ઉદ્યોગ આધારિત પેનલ ચર્ચાઓ
* ફાયરસાઇડ ચેટ્સ
* બિઝનેસ સહયોગની તકો
* ઇકોસિસ્ટમ નેટવર્કિંગ સત્રો
* જ્ઞાન વહેંચણી અને શીખવાની તક
જાણીતા સ્પીકર્સ :-
પ્રતિક ગાંધી, અંગદ બેદી, ઝહીર ઇકબાલ, પારુલ ગુલાટી, મનન વોહરા, અર્જુન વૈદ્ય, સાર્થક આહુજા તેમજ ‘શાર્ક ટેન્ક ઇન્ડિયા’ના પ્રથમ સીઝનના રોકાણકાર શાર્ક અશ્નીર ગ્રોવર સહિત અનેક ફાઉન્ડર્સ, ઇન્વેસ્ટર્સ, નીતિ નિર્માતાઓ, ક્રિએટર્સ અને ઉદ્યોગ નિષ્ણાતો ઉપસ્થિત રહેશે.
અગ્રણીઓના શુભેચ્છા સંદેશ
* ભુપેન્દ્ર પટેલ – માનનીય મુખ્યમંત્રી, ગુજરાત
* સી.આર. પાટીલ – માનનીય કેન્દ્રીય મંત્રી
* હર્ષ સંઘવી – માનનીય રાજ્યમંત્રી, ગુજરાત
* એમ. નાગરાજન, IAS – મ્યુનિસિપલ કમિશનર, સુરત
* તેજસ પરમાર, IAS – જિલ્લા કલેક્ટર, સુરત
* સ્વરૂપ પી., IAS – ઇન્ડસ્ટ્રીઝ કમિશનર, ગુજરાત સરકાર
રચિત પોદ્દારે જણાવ્યું કે, “21BY72ની શરૂઆત ઉદ્યોગસાહસિકોને યોગ્ય લોકો, મૂડી, જ્ઞાન અને તકો સાથે જોડવાના હેતુથી કરવામાં આવી હતી. આજે તે માત્ર એક ઇવેન્ટ નહીં પરંતુ એક મજબૂત સમુદાય બની ગયું છે. સુરતને વૈશ્વિક સ્તરે ઇનોવેશન, ઇન્વેસ્ટમેન્ટ અને ઉદ્યોગસાહસિકતાના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો અમારો હેતુ છે.”
CA પ્રતિક તોસનીવાલે જણાવ્યું કે, “આવનાર દાયકાઓ ઉદ્યોગસાહસિકોની છે. ફાઉન્ડર્સને માત્ર મૂડી નહીં, પરંતુ નેટવર્ક, માર્ગદર્શન, વ્યૂહાત્મક સહયોગ અને નવી તકોની પણ જરૂર છે. 21BY72 આ તમામ હિતધારકોને જોડતું સેતુ છે.”
CA મહુલ શાહે જણાવ્યું કે, “જ્યારે નવીનતા, મૂડી, અનુભવ અને અસરકારક અમલીકરણ એકસાથે આવે છે ત્યારે મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ થાય છે. 21BY72 એવું પ્લેટફોર્મ બની ગયું છે જ્યાં ચર્ચાઓ વાસ્તવિક પરિણામોમાં ફેરવાય છે.”
શરદ તોદીએ જણાવ્યું કે, “ઉદ્યોગસાહસિકતા આર્થિક વિકાસ, નવીનતા અને રોજગાર સર્જનનું શક્તિશાળી સાધન છે. અમે એવું વાતાવરણ ઊભું કરવા માંગીએ છીએ જ્યાં વિચારો સફળ વ્યવસાયોમાં રૂપાંતરિત થઈ શકે.”
– સુરતની વૈશ્વિક સ્ટાર્ટઅપ સ્ટોરીનું નિર્માણ
છેલ્લા કેટલાક વર્ષોમાં 21BY72એ અમન ગુપ્તા, અનુપમ મિત્તલ, ગઝલ અલાઘ, રાજ શમાની, અઝહર ઇકબાલ, ડૉ. એ. વેલુમણિ, વિજય કેડિયા, સાઇના નેહવાલ, નેહા ધૂપિયા, રાધિકા મદાન, ચાહત ખન્ના, ગણેશપ્રસાદ શ્રીધરન સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોને હોસ્ટ કર્યા છે.
આ સમિટ સમગ્ર ભારત તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાંથી ભાગીદારી આકર્ષી રહી છે, જેના કારણે સુરત ઇનોવેશન, ઉદ્યોગસાહસિકતા, રોકાણ અને બિઝનેસ સહયોગના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.
21BY72 હવે તેની પાંચમી સીઝનમાં પ્રવેશી રહ્યું છે અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું, નવીનતાને વેગ આપવો, રોકાણને સરળ બનાવવું અને ભારતની લાંબા ગાળાની વિકાસ યાત્રામાં યોગદાન આપવાનું પોતાનું મિશન આગળ વધારી રહ્યું છે.
‘21BY72 સીઝન 5’નું આયોજન 13-14 જૂન, 2026ના રોજ અવધ યુટોપિયા, સુરત, ગુજરાત ખાતે થશે.
નોંધણી અને વધુ માહિતી માટે www.21by72.com ની મુલાકાત લો…
मुंबई (महाराष्ट्र), 17 जून:वेदांता समूह ने आज भारतीय कॉर्पोरेट इतिहास में एक महत्वपूर्ण उपलब्धि हासिल करते हुए अपनी चार नव-डिमर्ज्ड कंपनियों को बीएसई (बॉम्बे स्टॉक एक्सचेंज) और एनएसई (नेशनल स्टॉक एक्सचेंज) पर लिस्ट किया। इस ऐतिहासिक लिस्टिंग के साथ रणनीतिक धातुओं, क्रिटिकल मिनरल्स, एल्युमिनियम, ऑयल एवं गैस, पावर तथा आयरन एवं स्टील क्षेत्रों में केंद्रित, विश्वस्तरीय व्यवसायों का एक मजबूत पोर्टफोलियो तैयार हुआ है। ये व्यवसाय भारत की दीर्घकालिक औद्योगिक, अवसंरचनात्मक और आत्मनिर्भरता संबंधी महत्वाकांक्षाओं के केंद्र में हैं।
वेदांता की नई सूचीबद्ध कंपनियों की एक्सचेंजों पर मजबूत शुरुआत
एल्युमिनियम, ऑयल एवं गैस, पावर और आयरन एवं स्टील क्षेत्रों में एक साथ सबसे अधिक स्टॉक एक्सचेंज लिस्टिंग का ऐतिहासिक रिकॉर्ड
नव-सूचीबद्ध कंपनियां आज से समूह की प्रमुख सूचीबद्ध इकाई वेदांता लिमिटेड के साथ बीएसई और एनएसई पर ट्रेडिंग शुरू करेंगी
वेदांता एल्युमिनियम, वेदांता ऑयल एंड गैस, वेदांता आयरन एंड स्टील और वेदांता पावर की लिस्टिंग भविष्य के लिए तैयार उस परिवर्तनकारी रणनीति का परिणाम है, जिसका उद्देश्य वैल्यू अनलॉक करना, व्यवसायों पर फोकस बढ़ाना और भारत को वैश्विक आर्थिक एवं विनिर्माण शक्ति बनाने की दिशा में सेक्टर-लीडर कंपनियां तैयार करना है। ये नव-सूचीबद्ध कंपनियां आज से समूह की प्रमुख सूचीबद्ध इकाई वेदांता लिमिटेड के साथ बीएसई और एनएसई पर ट्रेडिंग शुरू करेंगी। वेदांता लिमिटेड की आधारशिला हिंदुस्तान जिंक तथा क्रिटिकल मिनरल्स व्यवसायों के वैश्विक महत्व वाले पोर्टफोलियो पर आधारित है।
लिस्टिंग समारोह को संबोधित करते हुए वेदांता समूह के चेयरमैन श्रीअनिलअग्रवाल ने कहा:
“आज वेदांता के लिए एक ऐतिहासिक दिन है और मेरे लिए भावनात्मक रूप से भी बेहद खास है। 24 वर्ष पहले वेदांता लंदन स्टॉक एक्सचेंज पर सूचीबद्ध होने वाली पहली भारतीय कंपनी बनी थी और आगे चलकर एफटीएसई-100 कंपनी का दर्जा हासिल किया। उस दिन बोया गया बीज आज एक विशाल बरगद के पेड़ में बदल चुका है और उसके संरक्षण में विकसित हुए पौधे अब प्रमुख क्षेत्रों में दिग्गज बनने तथा भारत की तेज़ आर्थिक प्रगति में महत्वपूर्ण योगदान देने के लिए तैयार हैं। अभूतपूर्व विकास का अगला अध्याय अब मुंबई में शुरू हो रहा है, जो वह शहर है जहां मेरी कारोबारी यात्रा की शुरुआत हुई थी।
हमारी पूरी यात्रा के दौरान शेयरधारकों के प्रति हमारी प्रतिबद्धता सर्वोच्च रही है। पिछले पांच वर्षों में हमने 300 प्रतिशत से अधिक का कुल शेयरधारक प्रतिफल दिया है, जो निफ्टी के रिटर्न से लगभग पांच गुना अधिक है। इसके साथ ही हमने 70 प्रतिशत से अधिक का संचयी डिविडेंड यील्ड भी प्रदान किया है।
आर्टिफिशियल इंटेलिजेंस, एडवांस्ड मैन्युफैक्चरिंग और एनर्जी ट्रांजिशन से संचालित भविष्य की अर्थव्यवस्था में मिनरल्स, मेटल्स और ऊर्जा की मांग अत्यधिक बढ़ने वाली है। वर्तमान में भारत अपनी आवश्यकताओं का लगभग 50 प्रतिशत आयात करता है, जबकि भविष्य में हमें आत्मनिर्भर बनना होगा। आज सूचीबद्ध हुई कंपनियां इन महत्वपूर्ण कच्चे माल की मांग और आपूर्ति के बीच मौजूद बड़े अंतर को कम करने में अहम भूमिका निभाएंगी।
इन कंपनियों का निर्माण आने वाली पीढ़ियों तक राष्ट्र की सेवा करने, शेयरधारकों के लिए दीर्घकालिक मूल्य सृजित करने, भारत की आत्मनिर्भरता को मजबूत करने और विकसित भारत के लक्ष्य को आगे बढ़ाने के लिए किया गया है।
हालांकि, वेदांता की विकास यात्रा का अगला अध्याय केवल हम अकेले नहीं लिख सकते। इसके लिए हमारे शेयरधारकों का विश्वास, सरकार का सहयोग और 1.5 अरब भारतीयों की आकांक्षाओं तथा सहभागिता की आवश्यकता होगी।
भारत जैसा कोई देश नहीं है। और यह भारत का समय है।”
भारतकेऔद्योगिकभविष्यकानयाअध्याय
यह लिस्टिंग ऐसे समय में हुई है जब भारत दुनिया की सबसे तेज़ी से बढ़ती प्रमुख अर्थव्यवस्थाओं में से एक के रूप में उभर रहा है। आधुनिक अर्थव्यवस्था को गति देने वाली आवश्यक सामग्रियों, जिनमें ऑयल एवं गैस, सोना, चांदी, जिंक, एल्युमिनियम, आयरन एवं स्टील, कॉपर और कोयला शामिल हैं, की मांग में उल्लेखनीय वृद्धि होने की उम्मीद है, क्योंकि भारत विकसित राष्ट्र बनने की दिशा में तेज़ी से आगे बढ़ रहा है।
ऐसे परिदृश्य में वेदांता के व्यवसाय हमारे समय के सबसे बड़े औद्योगिक विकास अवसरों के केंद्र में स्थित हैं। सामूहिक रूप से ये भारत की ऊर्जा सुरक्षा, अवसंरचना निर्माण, हाई-टेक मैन्युफैक्चरिंग, डिजिटलीकरण, एआई-आधारित विकास, इलेक्ट्रिक मोबिलिटी, ग्रीन टेक्नोलॉजी, एनर्जी ट्रांजिशन और दीर्घकालिक राष्ट्रीय विकास की महत्वाकांक्षाओं को समर्थन देंगे।
वेदांता एल्युमिनियम भारत के सबसे बड़े एल्युमिनियम उत्पादक और चीन के बाहर दुनिया के तीसरे सबसे बड़े उत्पादक के रूप में अपनी स्वतंत्र यात्रा शुरू कर रहा है। इसका आधार ओडिशा के झारसुगुड़ा स्थित दुनिया का सबसे बड़ा एल्युमिनियम स्मेल्टर है।
बाल्को में मात्र 1 लाख टन उत्पादन से शुरू हुई यात्रा आज 30 लाख टन प्रतिवर्ष क्षमता तक पहुंच चुकी है, जिससे वेदांता दुनिया के सबसे बड़े और सबसे कम लागत वाले एल्युमिनियम उत्पादकों में शामिल हो गया है। कंपनी अगले तीन वर्षों में अपनी क्षमता को बढ़ाकर 60 लाख टन प्रतिवर्ष करने की योजना बना रही है और उसका लक्ष्य दुनिया का सबसे बड़ा तथा सबसे कम लागत वाला पूर्णतः एकीकृत एल्युमिनियम उत्पादक बनना है।
प्राथमिक धातु उत्पादन से आगे बढ़ते हुए, वेदांता एल्युमिनियम हजारों डाउनस्ट्रीम उद्योगों और विनिर्माण इकाइयों के विकास को भी प्रोत्साहित करेगा, जिससे भारत के व्यापक औद्योगिकीकरण एजेंडे को मजबूती मिलेगी।
वेदांता ऑयल एंड गैस भारत की सबसे बड़ी निजी क्षेत्र की ऑयल एवं गैस उत्पादक कंपनी और देश के सबसे रणनीतिक ऊर्जा व्यवसायों में से एक के रूप में बाजार में प्रवेश कर रही है।
आने वाले दशक में भारत में हाइड्रोकार्बन की मांग दुनिया में सबसे तेज़ी से बढ़ने की संभावना है। ऐसे में कंपनी देश की ऊर्जा सुरक्षा को मजबूत करने और आयात निर्भरता कम करने की दिशा में महत्वपूर्ण भूमिका निभाने की स्थिति में है।
ऋण-मुक्त बैलेंस शीट के साथ विकास के अगले चरण में प्रवेश कर रही कंपनी वित्तीय मजबूती, परिचालन क्षमता और संसाधन संभावनाओं का अनूठा संयोजन प्रस्तुत करती है। वेदांता अगले तीन से पांच वर्षों में लगभग 5 अरब अमेरिकी डॉलर का निवेश कर उत्पादन को बढ़ाकर 5 लाख बैरल प्रतिदिन तक पहुंचाने की योजना बना रही है।
इसके विकास पोर्टफोलियो में टाइट ऑयल, शेल गैस, शैलो-वॉटर एवं डीप-वॉटर एसेट्स, सैटेलाइट फील्ड्स तथा असम और पूर्वोत्तर भारत में महत्वपूर्ण एकरेज शामिल हैं। विविध संसाधन आधार और उन्नत वैश्विक तकनीकों तक पहुंच के कारण कंपनी भारत की भविष्य की ऊर्जा आवश्यकताओं को पूरा करने में महत्वपूर्ण योगदान देने के लिए तैयार है।
वेदांता आयरन एंड स्टील एक रणनीतिक रूप से महत्वपूर्ण, संसाधन-सुरक्षित और ऋण-मुक्त व्यवसाय है, जो भारत की अवसंरचना और विनिर्माण महत्वाकांक्षाओं के अनुरूप है।
वर्तमान में लगभग 40 लाख टन वार्षिक स्टील उत्पादन करने वाली कंपनी ने क्षमता को बढ़ाकर 1.5 करोड़ टन प्रतिवर्ष तक पहुंचाने का स्पष्ट रोडमैप तैयार किया है।
कंपनी को तीन महत्वपूर्ण इनपुट्स की उपलब्धता के रूप में प्रतिस्पर्धात्मक बढ़त प्राप्त है — गोवा, ओडिशा और कर्नाटक में लगभग 4 अरब टन आयरन ओर संसाधन, लगभग 800 केटीपीए मेटलर्जिकल कोक तथा गैस पाइपलाइन अवसंरचना तक सीधी पहुंच।
ये एकीकृत क्षमताएं कंपनी को भारत में तेजी से बढ़ती स्टील मांग का लाभ उठाने के लिए मजबूत स्थिति प्रदान करती हैं। व्यवसाय का फोकस ग्रीन स्टील, इलेक्ट्रिकल स्टील और स्पेशियलिटी स्टील जैसे उच्च-मूल्य वाले क्षेत्रों पर रहेगा।
वेदांता पावर को दुनिया की सबसे तेज़ी से बढ़ती प्रमुख अर्थव्यवस्था भारत की स्थिर बेसलोड बिजली आवश्यकताओं को पूरा करने के लिए विकसित किया जा रहा है।
भारत की बिजली मांग अगले दशक में लगभग 240 गीगावाट से बढ़कर 460 गीगावाट से अधिक होने का अनुमान है। ऐसे में कंपनी देश की विकास महत्वाकांक्षाओं को समर्थन देने के बड़े अवसर देख रही है।
4.2 गीगावाट परिचालन क्षमता, दीर्घकालिक पावर परचेज एग्रीमेंट्स और सुरक्षित कोल माइंस के आधार पर वेदांता पावर पहले से ही भारत की पांचवीं सबसे बड़ी थर्मल पावर उत्पादक कंपनी है। कंपनी की योजना क्षमता को बढ़ाकर 20 गीगावाट तक पहुंचाने और देश की अग्रणी पावर कंपनियों में शामिल होने की है।
विस्तार का अधिकांश हिस्सा ब्राउनफील्ड एक्सपैंशन के माध्यम से होगा। कंपनी का मानना है कि आने वाले दशकों तक भारत के ऊर्जा मिश्रण में कोयले की महत्वपूर्ण भूमिका बनी रहेगी, जो नवीकरणीय एवं स्वच्छ ऊर्जा स्रोतों के साथ सह-अस्तित्व में रहेगा।
साथ ही, कंपनी न्यूक्लियर एनर्जी के अवसरों का भी मूल्यांकन कर रही है, जिसे वह स्वच्छ, विश्वसनीय और 24×7 बिजली स्रोत तथा भारत के एनर्जी ट्रांजिशन का प्रमुख सक्षमकर्ता मानती है।
वेदांतालिमिटेड: भारतकाक्रिटिकलमिनरल्सचैंपियन
नई सूचीबद्ध कंपनियों के साथ-साथ वेदांता लिमिटेड समूह की प्रमुख सूचीबद्ध इकाई बनी रहेगी और भारत के सबसे महत्वपूर्ण प्राकृतिक संसाधन तथा क्रिटिकल मिनरल्स व्यवसायों में से एक होगी।
विश्व की सबसे बड़ी एकीकृत जिंक उत्पादक और तीसरी सबसे बड़ी सिल्वर उत्पादक कंपनी हिंदुस्तान जिंक इसकी आधारशिला है। इसके अतिरिक्त कंपनी के पास जिंक, सिल्वर, कॉपर, निकेल, फेरो अलॉयज तथा अन्य रणनीतिक खनिजों का वैश्विक महत्व वाला पोर्टफोलियो है।
हिंदुस्तान जिंक के माध्यम से कंपनी भारत की कृषि महत्वाकांक्षाओं को समर्थन देने के लिए 15 लाख टन क्षमता का फर्टिलाइज़र प्लांट भी विकसित कर रही है।
वेदांता लिमिटेड भारत की एकमात्र निकेल उत्पादक कंपनी है और ऊर्जा परिवर्तन तकनीकों तथा एडवांस्ड मैन्युफैक्चरिंग की बढ़ती मांग को पूरा करने के लिए निकेल उत्पादन को बढ़ाकर 60,000 टन प्रतिवर्ष करने की योजना बना रही है।
कंपनी के कॉपर व्यवसाय घरेलू आपूर्ति में महत्वपूर्ण योगदान देते हैं, जबकि फैकोर भारत का सबसे बड़ा स्पेशल-ग्रेड फेरो क्रोम उत्पादक बनने की दिशा में अग्रसर है तथा कुछ मैंगनीज सेगमेंट्स में जल्द ही देश की एकमात्र निजी क्षेत्र की उत्पादक कंपनी बन जाएगी।
ये सभी व्यवसाय मिलकर वेदांता लिमिटेड को भारत की दीर्घकालिक क्रिटिकल मिनरल्स रणनीति, औद्योगिक आत्मनिर्भरता और भविष्य के विनिर्माण विकास के केंद्र में स्थापित करते हैं।
સુરત: ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇન (IIFD), સુરત દ્વારા આજ રોજ ( 9 જૂન, 2026)ના રોજ સરસાણા કન્વેન્શન સેન્ટરમાં તેના વાર્ષિક ફેશન શોકેસ “ફેશોનેટ 2026″નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં સર્જનાત્મકતા, કલા-કૌશલ્ય, નવીનતા અને ફેશન ક્ષેત્રની શ્રેષ્ઠતાનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
IIFD સુરતની સ્થાપના વર્ષ 2014માં થઈ હતી. શરૂઆતથી જ આ સંસ્થા ગુજરાતની અગ્રણી ક્રિએટિવ એજ્યુકેશન સંસ્થાઓમાં સ્થાન પામી છે, જે ફેશન ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇન અને ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે ઉભરતા પ્રોફેશનલ્સને સતત પ્રોત્સાહન આપી રહી છે. વર્ષો દરમિયાન સંસ્થાએ નવીનતા, કલા-કૌશલ્ય અને ઉદ્યોગલક્ષી શિક્ષણની મજબૂત પરંપરા ઊભી કરી છે, જેના કારણે સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળ્યું છે અને યુવા પ્રતિભાઓને પોતાની કાબેલિયત દર્શાવવા માટે ઉત્તમ મંચ મળ્યો છે.
સંસ્થાએ પોતાના ક્રિએટિવ વિઝનને વધુ વિસ્તૃત કરતા ZICA સુરતની પણ શરૂઆત કરી છે, જે એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગ્રાફિક ડિઝાઇન, ગેમિંગ અને ડિજિટલ આર્ટ્સ જેવા ક્ષેત્રોમાં વિશ્વસ્તરીય શિક્ષણ પ્રદાન કરવા માટે કાર્યરત છે. આ વિસ્તરણ સાથે સંસ્થા ઉભરતા કલાકારો, ડિઝાઇનર્સ અને સ્ટોરીટેલર્સ માટે નવી તકો સર્જી રહી છે તેમજ સુરતના વિકસતા ક્રિએટિવ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવી રહી છે.
આ વર્ષે “ફેશોનેટ 2026″એ ફરી એકવાર 200થી વધુ વિદ્યાર્થી ડિઝાઇનર્સ અને 200થી વધુ ઓરિજિનલ આઉટફિટ્સને એક જ મંચ પર લાવીને નવો માપદંડ સ્થાપિત કર્યો હતો. આ ઇવેન્ટ સુરતમાં વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત સૌથી મહત્ત્વાકાંક્ષી ફેશન શોમાંથી એક તરીકે ઉભરી આવી છે.
સુરતના ફેશન જગત માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન આ ઇવેન્ટમાં પ્રથમ વખત ભારતના જાણીતા કૌચર પાયોનિયર્સ શાંતનુ મહેરા અને નિખિલ મહેરાએ ઇવનિંગ ચીફ જ્યુરી તરીકે હાજરી આપી હતી. તેમની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમમાં નવી ઊર્જા ભરી હતી અને યુવા ડિઝાઇનર્સને દેશના અગ્રણી ફેશન નિષ્ણાતો સમક્ષ પોતાની સર્જનાત્મકતા રજૂ કરવાની અનોખી તક આપી હતી.
આ સાંજ કલાત્મક અભિવ્યક્તિના ભવ્ય ઉત્સવ તરીકે સાબિત થઈ હતી, જેમાં સર્જનાત્મકતા, આકર્ષક ડિઝાઇન અને અવાંટ-ગાર્ડ પ્રયોગોનું અનોખું સંયોજન જોવા મળ્યું હતું. રેમ્પ પર રજૂ થયેલી દરેક કૃતિએ પોતાની આગવી સાંસ્કૃતિક વાર્તા રજૂ કરી હતી, જેમાં નવીન ટેક્સટાઇલ્સ અને આધુનિક શૈલી દ્વારા સાહસિક કલાત્મક દ્રષ્ટિકોણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
ઇવેન્ટના સૌથી નોંધપાત્ર શોકેસમાં ‘ગલી કી દીવારેં’ કલેક્શનનો સમાવેશ થતો હતો, જે ભૂલાઈ ગયેલી ગલીઓ, ઝાંખા પોસ્ટર્સ અને જૂના શહેરી વિસ્તારોમાં છુપાયેલી નિઃશબ્દ વાર્તાઓથી પ્રેરિત હતો. ઉપરાંત ‘વૃક્ષા – આર્ટ ઓફ સસ્ટેનેબિલિટી’એ પ્રકૃતિ અને ફેશન વચ્ચેના સુમેળને જવાબદાર અને ટકાઉ ડિઝાઇન દ્વારા રજૂ કર્યો હતો. ‘ક્લાર્ટે – રોટન બટ રીગલ’એ ખામીઓ અને ક્ષતિઓને વૈભવી સૌંદર્યમાં પરિવર્તિત કરી હતી. ‘ધ ડિસટ્રાઇબ’એ ડિસ્ટોપિયન દ્રષ્ટિકોણથી અસ્તિત્વ અને સહનશક્તિની અભિવ્યક્તિ કરી હતી. ‘ક્ષતસૌંદર્ય’એ તૂટેલી રચનાઓ અને શિલ્પોમાં રહેલા સૌંદર્યની ઉજવણી કરી હતી. ‘આર્મોરીયર’એ ભવિષ્યના વિકાસ અને શક્તિની નાટ્યાત્મક અવાંટ-ગાર્ડ વ્યાખ્યા રજૂ કરી હતી, જ્યારે ‘ઇન્ટ્રાવોઇડ’એ હાડકાંના ટિશ્યૂની સૂક્ષ્મ પરંતુ શક્તિશાળી રચનામાંથી પ્રેરણા મેળવી નબળાઈ અને મજબૂતાઈ વચ્ચેનું સંતુલન દર્શાવ્યું હતું.
છેલ્લા કેટલાક વર્ષોમાં IIFD સુરતે ઉદ્યોગો સાથેના સહયોગ, બેકસ્ટેજ અનુભવ, પ્રોફેશનલ ફેશન પ્લેટફોર્મ્સ અને શૈક્ષણિક ભાગીદારી દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક તકો ઉપલબ્ધ કરાવી છે. આ પ્રયાસો દ્વારા ક્લાસરૂમ લર્નિંગને વાસ્તવિક ઉદ્યોગ અનુભવ સાથે જોડવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં સુરતના અગ્રણી ઉદ્યોગપતિઓ, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા આગેવાનો, ફેશન પ્રોફેશનલ્સ, વિદ્યાર્થીઓના વાલીઓ તથા ડિઝાઇન પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને આગામી પેઢીના ડિઝાઇનર્સની કલ્પનાશક્તિ, સમર્પણ અને કલાત્મક પ્રતિભાની ઉજવણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે IIFD સુરત સંસ્થા શ્રી મુકેશ મહેશ્વરી (સ્થાપક અને ડિરેક્ટર) તથા શ્રીમતી પલ્લવી મહેશ્વરી (સહ-નિર્દેશક)ના માર્ગદર્શન અને દૂરંદેશી નેતૃત્વ હેઠળ એક મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહી છે, જ્યાં શિક્ષણ, નવીનતા, ઉદ્યોગ સાથેનું જોડાણ અને વૈશ્વિક દ્રષ્ટિકોણ એકસાથે વિકસે છે.
• સ્થાનિક સ્તરે ઉત્પાદિત, પ્રિમિયમ કોટેડ સ્ટીલ બ્રાન્ડ પૂરવઠાની શૃંખલાને મજબૂત બનાવે છે અને આત્મનિર્ભર ભારત વિઝનમાં યોગદાન આપે છે. • યુરોપિયન બજારોમાં પ્રોડક્ટની સફળતાને આધારે પ્રથમ વખત ભારતમાં રજૂ કરવામાં આવ્યું છે. • એક અન્ય પેટન્ટ પ્રોડક્ટની સાથે, કંપની મૂલ્યવર્ધિત સ્ટીલ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરે છે.
હજીરા – સુરત, જૂન 17, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)એ આજે ઉચ્ચ પ્રદર્શનનાં ઓટોમોટિવ એપ્લિકેશન્સ માટે ડિઝાઇન કરવામાં આવેલી પ્રિમિયમ ઝિંક-એલ્યુમિનિયમ-મેગ્નેશિયમ કોટેડ સ્ટીલ બ્રાન્ડ જૈગ્નેલિસ® પ્રોટેક્ટનાં લોન્ચની જાહેરાત કરી છે.
યુરોપિયન બજારોમાં પૂરવાર થયેલા આર્સેલરમિત્તલના પેટન્ટ ધરાવતા જૈગ્નેલિસ® પ્રોટેક્ટ કોટિંગ્સ વિશ્વના ત્રીજા મોટા ઓટોમોટિવ ઉત્પાદક ભારતમાં પ્રથમ પ્રકારની ઉત્પાદન ક્ષમતાને દર્શાવે છે.
અત્યાર સુધી, તુલનાત્મક ટેકનોલોજીકલ ક્ષમતા અને ગુણવત્તાની સ્ટીલ પ્રોડક્ટ્સ સંપૂર્ણપણે આયાત કરવામાં આવતી હતી. ચેન્નઇમાં મુખ્ય ગ્રાહકોનાં જૂથની હાજરીમાં આ લોન્ચની સાથે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા ઓટોમોટિવ એપ્લિકેશન્સ માટે ઉચ્ચ ગુણવત્તા, પ્રિમિયમ ઝિંક-એલ્યુમિનિયમ-મેગ્નેશિયમ કોટેડ સ્ટીલ બ્રાન્ડને રજૂ કરનારી પ્રથમ કંપની બની છે, જે તેના ટેકનોલોજી નેતૃત્ત્વને મજબૂત બનાવે છે.
ઓટોમોટિવ ઉત્પાદકો સ્થાનિક અને વૈશ્વિક બજારો બંનેમાં વધુ સ્પર્ધાત્મક બનવા માટે ટકાઉતા, પ્રદર્શન, સુરક્ષા અને ઉત્પાદન સુસંગતતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોવાની સાથે વિશ્વકક્ષાની, ઉચ્ચ પ્રદર્શનની ઓટોમોટિવ સ્ટીલ બ્રાન્ડ જૈગ્નેલિસ® પ્રોટેક્ટ તેમને ટૂંકા લીડ સમય, સુસંગત ગુણવત્તા અને સુધરેલા પૂરવઠાની ખાતરીમાંથી લાભ મેળવવા સક્ષમ બનાવશે.
જૈગ્નેલિસ® પ્રોટેક્સનો પ્રારંભિક ઉપયોગ મોટર કપ્સમાં થશે – આ બારી, અરિસા, વાઇપર્સ અને સીટ્સમાં ઉપયોગમાં લેવામાં આવતી ડાઇરેક્ટ-કરન્ટ મોટર્સ માટે મહત્ત્વપૂર્ણ એન્કલોઝર્સ છે. દરેક કારમાં આવી 20-30 મોટર્સ તૈનાત કરવામાં આવતી હોવાની સાથે આ પ્રોડક્ટ સુધારેલા પ્રદર્શન મારફતે તાત્કાલિક મૂલ્ય પૂરું પાડે છે.
હાલમાં, ભારતમાં ઉપયોગમાં લેવામાં આવતા અંદાજિત 8-10% મહત્ત્વપૂર્ણ ઓટોમોટિવ સ્ટીલ ગ્રેડ્સની આયાત કરવામાં આવે છે, જેનું કારણ મોટે ભાગે કોટિંગ અને ધાતુશાસ્ત્રની જટીલતા છે.
ભારતમાં વાર્ષિક ધોરણે 30 મિલિયનથી વધુ વાહનોનું ઉત્પાદન અને ઓટોમોટિવ માગ ઉચ્ચ-ગુણવત્તાયુક્ત, કાટપ્રતિરોધક અને હળવા વજનની સામગ્રી તરફ વળી રહી હોવાની સાથે અદ્યતન કોટેડ સ્ટીલનું સ્થાનિકીકરણ સેક્ટરની વૃદ્ધિના આગામી તબક્કામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
શ્રી રંજન ધર, ડાયરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટ – સેલ્સ અને માર્કેટિંગ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)એ જણાવ્યું હતું કે, “જૈગ્નેલિસ® પ્રોટેક્ટનું લોન્ચ ઉચ્ચ-ગુણવત્તા અને ઉચ્ચ-પ્રદર્શનના સ્ટીલ ઉકેલ મારફતે દેશની ઓટોમોટિવ ઉત્પાદન સક્ષમતાઓને અદ્યતન કરવાની અમારી વચનબદ્ધત્તાને પ્રતિબિંબિત કરે છે.
આ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઓટોમોટિવ ઇકોસિસ્ટમને ટેકો આપવા તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું દર્શાવે છે.
અમે અમારા બ્રાન્ડની ટેગલાઈન, ‘સ્માર્ટર સ્ટીલ્સ, બ્રાઇટર ફ્યુચર્સ’ને સુસંગત મૂલ્યવર્ધિત સ્ટીલ ઉકેલનો પોર્ટફોલિયો વિસ્તારી રહ્યા છીએ. ભારત ટેકનોલોજી આધારિત ઓટોમોટિવ ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રીત કરતો હોવાથી અદ્યતન સ્ટીલનો એક્સેસ મહત્ત્વપૂર્ણ બને છે.
અમારી મૂળ કંપનીઓ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલની અજોડ ટેકનોલોજી અને કૌશલ્ય દ્વારા સમર્થિત અમે આ વિશ્વકક્ષાની, આયાત-પૂરક પ્રોડક્ટ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. આ ઓટોમોટિવ કંપનીઓને આત્મનિર્ભર ભારત વિઝનમાં અર્થપૂર્ણ યોગદાન આપીને વૈશ્વિક ધોરણોને પૂર્ણ કરવામાં સક્ષમ બનાવશે.”
વૈશ્વિક સ્તરે, જૈગ્નેલિસ® પ્રોટેક્ટ કોટિંગ્સ પરંપરાગત ગેલ્વેનાઇઝ્ડ (જીઆઇ) કોટિંગ્સ, ખાસ કરીને કટ એજ, હેમ ફ્લેન્જિસ, અને ફોર્મ્ડ ભાગો, કે જ્યાં ઓટોમોટિવ પૂરજાઓમાં સામાન્યપણે સૌથી પહેલા કાટ લાગે છે, તેની તુલનામાં નોંધપાત્ર રીતે ઉચ્ચ કાટપ્રતિરોધકતા પૂરી પાડવા માટે ઓળખાય છે. નવી બ્રાન્ડ અપવાદરૂપ કાટપ્રતિરોધકતા, સેલ્ફ-હિલિંગ સુરક્ષા, ઉત્કૃષ્ટ ડ્રોવેબિલિટી, અને વિશ્વસનીય વેલ્ડેબિલિટી પ્રદાન કરે છે. સ્થાનિક ઉત્પાદન પૂરવઠા શૃંખલાની કાર્યક્ષમતા અને ગુણવત્તાની સુસંગતતા સુધારશે, જે ગ્રાહકોને કાર્યાત્મક પ્રદર્શન અને સ્પર્ધાત્મક લાભ બંનેને મજબૂત કરવામાં સહાય કરશે.
લોન્ચની શરૂઆત મોટર કપ્સ પર આરંભિક ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે થઈ હતી, જ્યારે જૈગ્નેલિસ® પ્રોટેક્ટ ઓટોમોટિવ એપ્લિકેશન્સના વ્યાપક સ્પેક્ટ્રમ માટે તૈયાર કરવામાં આવી છે, જેમાં ચેસિસ પૂરજાઓ, ડોર ઇનર પેનલ્સ, હૂડ/બોનેટ ઇનર પેનલ્સ અને ડેકલિડ/ટેઇલગેટ ઇનર પેનલ્સનો સમાવેશ થાય છે.
પેટન્ટ ધરાવતી પ્રોડક્ટ બ્રાન્ડનું અનાવરણ એવા સમયે થયું છે, જ્યારે ભારતનો ઓટોમોટિવ ઉદ્યોગ ઐતિહાસિક સ્તરે પહોંચ્યો છે, જેમાં પેસેન્જર વાહનોનું વેચાણ નાણાકીય વર્ષ 2025-26માં લગભગ 4.7 મિલિયન યુનિટ્સથી વધ્યું છે, જે ભારતને વિશ્વના સૌથી મોટા ઓટોમોટિવ બજારો પૈકીનું એક અને વૃદ્ધિ પામી રહેલું નિકાસ કેન્દ્ર બનાવે છે.
આ લોન્ચ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના સ્વદેશી અદ્યતન સ્ટીલ ઉકેલોની વ્યુહરચના પર આધારિત છે, જે આર્સેલરમિત્તલની પેટન્ટ ધરાવતી બે પ્રોડક્ટ્સ – પુનઃપ્રાપ્ય ઊર્જા અને આંતરમાળખાકીય સુવિધા માટે મેગ્નેલિસ; અને રૂફિંગ, ક્લેડિંગ, પ્રિ-એન્જિનિયર્ડ બિલ્ડિંગ્સ અને આર્કિટેક્ચરલ એપ્લિકેશન્સ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત કલર-કોટેડ સ્ટીલ ઓપ્ટિગલની રજૂઆત પછી કરવામાં આવી છે.
આ સ્વદેશીકરણના પ્રયત્નો AM/NS India, હજીરા ખાતે રૂ. 60,000 કરોડના વ્યાપક વિસ્તરણ પ્રોજેક્ટનો એક ભાગ છે, જેમાં ભારતમાં આગામી પેઢીના ઓટોમોટિવ અને મૂલ્યવર્ધિત સ્ટીલ ઉત્પાદનને ટેકો આપવા માટે અપસ્ટ્રીમ, ડાઉનસ્ટ્રીમના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાને સક્ષમ બનાવવાનો સમાવેશ થાય છે.
ઉમરપાડા, સુરત, ગુજરાત: ઉમરપાડામાં લીલાબેન મોહનલાલ શાહ વિદ્યા મંદિરનું ઔપચારિક ઉદ્ઘાટન ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળના ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાની માનનીય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જેઓ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં જાણીતા શિક્ષણવિદ, લેખક, વક્તા અને સામાજિક યોગદાન આપનાર ડૉ. જય વાશી, શાહ પરિવારના સભ્યો, સમુદાયના નેતાઓ, માતાપિતા, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓ પણ હાજર રહ્યા હતા.
શિક્ષણ, આરોગ્યસંભાળ, ગૌરવ અને સમુદાય કલ્યાણ દ્વારા અર્થપૂર્ણ સામાજિક પ્રભાવ બનાવવાની તેની સતત પ્રતિબદ્ધતાના ભાગ રૂપે, કલામંદિર જ્વેલર્સ લિમિટેડના કલ્યાણ અને સીએસઆર પહેલ, કલામંદિર વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા શાળાની સ્થાપના કરવામાં આવી છે.
શ્રીમતી લીલાબેન મોહનલાલ શાહ અને શ્રી મોહનલાલ શાહ (ચેરમેન, કલામંદિર જ્વેલર્સ લિમિટેડ) ના નામ પરથી આ સંસ્થા સાદગી, કરુણા, સેવા અને સમાજ પ્રત્યેની ઊંડી પ્રતિબદ્ધતાના તેમના મૂલ્યોને આગળ ધપાવે છે. ઉદ્ઘાટન પ્રસંગે તેમની હાજરીએ આ પ્રસંગને ખાસ અર્થપૂર્ણ બનાવ્યો, કારણ કે શાળા તેમની માન્યતાને જીવંત શ્રદ્ધાંજલિ તરીકે ઉભી છે કે સાચી સફળતા ફક્ત વ્યક્તિ પોતાના માટે શું બનાવે છે તેના દ્વારા જ નહીં, પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે શું બનાવે છે તેના દ્વારા માપવામાં આવે છે.
દક્ષિણ ગુજરાતના ગ્રામીણ અને આદિવાસી પ્રદેશ ઉમરપાડામાં સ્થિત, શાળા એવા બાળકો અને પરિવારોની સેવા કરવાનો હેતુ ધરાવે છે જેમને ગુણવત્તાયુક્ત શિક્ષણની તકોની મજબૂત પહોંચની જરૂર હોય છે. આ પ્રદેશના ઘણા બાળકો માટે, શાળા શિક્ષણ કરતાં વધુ રજૂ કરે છે; તે આશા, આત્મવિશ્વાસ, ગૌરવ અને સારા ભવિષ્ય માટેનો માર્ગ રજૂ કરે છે.
હાલમાં કિન્ડરગાર્ટનથી ધોરણ 8 સુધી શિક્ષણ પ્રદાન કરતી, લીલાબેન મોહનલાલ શાહ વિદ્યા મંદિર ઉમરપાડા અને તેની આસપાસના બાળકોને સુલભ, મૂલ્ય-આધારિત અને સર્વાંગી શિક્ષણ પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે. શાળાનું મુખ્ય ધ્યાન શૈક્ષણિક શિક્ષણને મૂલ્યો, શિસ્ત, રમતગમત, આત્મવિશ્વાસ નિર્માણ અને એકંદર વ્યક્તિત્વ વિકાસ સાથે જોડવાનું છે, જેથી બાળકો માત્ર સારા વિદ્યાર્થીઓ તરીકે જ નહીં, પરંતુ જવાબદાર વ્યક્તિ તરીકે પણ વિકાસ પામે.
ઉદ્ઘાટન સમારોહના ભાગ રૂપે, વિદ્યાર્થીઓનું કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું, જે તેમની શૈક્ષણિક યાત્રા માટે આશીર્વાદ અને શુભેચ્છાઓનું પ્રતીક છે. વિદ્યાર્થીઓને પુસ્તકોની કીટ અને શાળા ગણવેશનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જે તેમના નવા શૈક્ષણિક માર્ગની શરૂઆતને પ્રોત્સાહન અને ગૌરવ સાથે ચિહ્નિત કરે છે.
ડૉ. જય વાશીએ તેમના સંબોધનમાં ભાર મૂક્યો હતો કે શિક્ષણ ફક્ત સાક્ષરતા વિશે જ નથી, પરંતુ ચારિત્ર્ય, આત્મવિશ્વાસ, મૂલ્યો અને મર્યાદાઓથી આગળ સ્વપ્ન જોવાની હિંમત વિશે છે.
કલામંદિર વેલ્ફેર ફાઉન્ડેશન વતી બોલતા, પ્રતિનિધિઓએ પુનઃપુષ્ટિ કરી કે ફાઉન્ડેશનનું કાર્ય એક સરળ માન્યતા દ્વારા સંચાલિત છે: સમાજને પાછું આપવું એ કોઈ પ્રવૃત્તિ નથી, પરંતુ એક જવાબદારી છે. કલામંદિર પરિવારની પરોપકારી પ્રતિબદ્ધતાએ લાંબા ગાળાના અને અર્થપૂર્ણ પ્રભાવ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને શિક્ષણ, આરોગ્યસંભાળ, ભૂખમરા રાહત, ગૌરવ અને સામાજિક કલ્યાણમાં પહેલને સતત સમર્થન આપ્યું છે.
લીલાબેન મોહનલાલ શાહ વિદ્યા મંદિરનું ઉદ્ઘાટન ફક્ત શાળાના મકાનનું ઉદ્ઘાટન જ નહીં, પરંતુ વધુ સારી તકો, મજબૂત સમર્થન અને ઉજ્જવળ ભવિષ્યને પાત્ર બાળકો સુધી શિક્ષણનો પ્રકાશ પહોંચાડવાના સામૂહિક પ્રયાસની શરૂઆત છે.
“શિક્ષણ એ સમાજમાં આપણે કરી શકીએ તેવું સૌથી અર્થપૂર્ણ રોકાણ છે. લીલાબેન મોહનલાલ શાહ વિદ્યા મંદિર દ્વારા, અમે આત્મવિશ્વાસુ, દયાળુ અને સક્ષમ બાળકોનો ઉછેર કરવાની આશા રાખીએ છીએ જે તેમના પરિવારો, સમુદાયો અને સમાજમાં સકારાત્મક યોગદાન આપશે.”
સાડા ત્રણથી ચાર મહિનાની મહેનત બાદ હાઇ-ટેક ટેકનોલોજીથી સર્જાયો વિશિષ્ટ ડાયમંડ, હર્ષ સંઘવીને ભેટ સ્વરૂપે અર્પણ
સુરત. વિશ્વભરમાં ડાયમંડ ટેકનોલોજી ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવતા લેક્સસ ગ્રુપ અને આઈ એસ જી જે (ISGJ) જ્વેલરી કોલેજે મળીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. બંને સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ચહેરાનું હૂબહૂ પ્રતિબિંબ દર્શાવતો 10.07 કેરેટનો વિશિષ્ટ બ્રાઉન ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે.
આઈ એસ જી જે (ISGJ) જ્વેલરી કોલેજના ડિરેક્ટર અને સિનિયર જેમોલોજિસ્ટ કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, સુરત ડાયમંડ બુર્સ અને સમગ્ર હીરા વેપાર સમુદાયના વિકાસ માટે હર્ષ સંઘવીએ આપેલા યોગદાનને સન્માન આપવા માટે આ વિશેષ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચે તે હેતુથી તેમના ચહેરાનું ફેશિયલ રીક્રિએશન ડાયમંડમાં ઉતારવાનો વિચાર કરવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું કે આ પ્રકારનો ડાયમંડ તૈયાર કરવો અત્યંત જટિલ પ્રક્રિયા છે, જેમાં અદ્યતન ટેકનોલોજી, ચોકસાઈપૂર્ણ ડિઝાઇનિંગ અને લાંબા સમયની મહેનત જરૂરી બને છે. લગભગ સાડા ત્રણથી ચાર મહિનાના સતત પ્રયાસો બાદ 10.07 કેરેટનો આ અનોખો ડાયમંડ તૈયાર કરવામાં સફળતા મળી હતી.
લેક્સસ ગ્રુપના ડિરેક્ટર ઉત્પલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે તેમની કંપની છેલ્લા લગભગ 35 વર્ષથી ડાયમંડ અને ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત છે અને વિશ્વની અનેક અગ્રણી ડાયમંડ કંપનીઓ તેમની ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તેમણે જણાવ્યું કે અગાઉ ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા આધારિત ડાયમંડ પર કામ કરતી વખતે આ વિશેષ પ્રોજેક્ટનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ કલ્પેશ દેસાઈ સાથે મળીને હર્ષ સંઘવીના ચહેરાનું પ્રતિબિંબ ધરાવતો ડાયમંડ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો હતો.
ડાયમંડનું કટિંગ-પોલિશિંગ અને ટેકનિકલ પ્રક્રિયા લેક્સસ ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જ્યારે સમગ્ર ડિઝાઇન અને આયોજન આઈએસડીજે જ્વેલરી કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું. તૈયાર થયેલો આ વિશિષ્ટ ડાયમંડ હર્ષ સંઘવીને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો છે. ડાયમંડ પર હર્ષ સંઘવીની સહી પણ લેવામાં આવી છે.
સુરત, તા. 13 જૂન 2026 (શનિવાર) :પી.પી. સવાણી પરિવાર દ્વારા સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત કોર્પોરેટરો, ધી વરાછા કો-ઓપરેટિવ બેંક લિ.ના નવા ચૂંટાયેલા ડિરેક્ટરો તેમજ પી.પી. સવાણી પરિવાર દ્વારા પ્રતિભાશાળી અને હોશિયાર વિદ્યાર્થીઓનું સન્માન, પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ, અબ્રામા ખાતે “ત્રિવિધ સન્માન સમારોહ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સમારોહના અધ્યક્ષ શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા(આરોગ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય), શ્રીમતી અંજુબેન વેકરીયા (પ્રદેશ અધ્યક્ષ, મહિલા મોરચો, ગુજરાત), શ્રીમતી માયાબેન માવાણી (મેયરશ્રી,સુરત), શ્રી પ્રવીણભાઈ ઘોઘારી (ધારાસભ્યશ્રી કરંજ), પૂર્વ મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, શ્રી કરશનભાઈ ગોંડલિયા (મહામંત્રી ભાજપ,સુરત), બીપીનભાઈ તળાવીયા (અધ્યક્ષશ્રી યુવા મોરચો ભાજપ, સુરત), તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી દીપપ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ થયો હતો.
મહેશભાઈ સવાણી : સર્વત્ર સમાજના વિકાસ માટે નવનિયુક્ત કોર્પોરેટરો, ધી વરાછા કો-ઓપરેટિવ બેંક લિ.ના નવા ચૂંટાયેલા ડિરેક્ટરો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી આ ત્રિવિધ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદે સફળતાપૂર્વક પૂર્ણ કરેલા 4400 દિવસની ઉજવણીના ભાગરૂપે પી. પી. સવાણી ગ્રુપનો નરેન્દ્ર મોદીજીના દિર્ઘ આયુષ્ય માટે ૪૪૦૦ વૃક્ષો રોપવાનો સંકલ્પ અને ૪૪૦૦ લોકો દ્વારા ૪૪૦૦ વાર ‘ૐ નમઃ શિવાય’ જાપ કરવામાં આવ્યો. વધુમાં પી.પી. સવાણી ગ્રુપના મીડિયા પ્રભારી વિપુલ તળાવિયાએ કહ્યું કે આ પ્રસંગે રસરાજજી મહારાજે હનુમાન ચાલીસાના સુંદર કાંડ પાઠ દ્વારા ઉપસ્થિત હર કોઈઓમાં એક અનોખો આત્મવિશ્વાસ જગાવ્યો હતો”, વિશેષ કરીને “ૐ નમઃ શિવાય” મહામંત્રનો જાપ કરીને રાષ્ટ્રકલ્યાણ, વિશ્વશાંતિ અને વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુષ્ય માટે સામૂહિક પ્રાર્થના કરી હતી. સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઊર્જા અને ભક્તિમય ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું.
મેયરશ્રી, માયાબેન માવાણીનું સંબોધન:
મેયરશ્રી માયાબેનનું સન્માન તેમના વજન જેટલા પુસ્તકો અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતા, વિશેષ જણાવ્યું હતું કે, “સુરત શહેરને સોનાની મૂર્તિ સમાન સુંદર અને શ્રેષ્ઠ બનાવવાનું છે. આ કાર્ય માત્ર મારું નહીં પરંતુ આપણે સૌનું છે.”
તેમણે સુરત શહેરના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે સતત પ્રયત્ન કરવાની ખાતરી આપી હતી. તેમણે સ્વચ્છતાના એવોર્ડને જાળવી રાખવા માટે સૌ નાગરિકોના સહયોગની અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, સફાઈ અભિયાનને સફળ બનાવવા માટે કચરો ગમે ત્યાં ન નાખવો અને શહેરની સ્વચ્છતા જાળવવી એ દરેક નાગરિકની જવાબદારી છે. સુરત શહેરને વિશ્વના ફલક ઉપર વધુ ઊંચું સ્થાન અપાવવાનું છે. તેમજ સુરત શહેરને મળેલા વિવિધ એવોર્ડ અને સન્માનો પાછળ સુરતના નાગરિકોનો મહત્વપૂર્ણ ફાળો છે અને આ ગૌરવ જાળવવા માટે સૌનો સહયોગ જરૂરી છે.
પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન
પી.પી. સવાણી પરિવાર દ્વારા પ્રતિભાશાળી અને હોશિયાર વિદ્યાર્થીઓનું સન્માન વિદ્યાર્થીઓને શાલ, મોમેન્ટો અને પુસ્તક અર્પણ કરી તેમની સિદ્ધિનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને વધુ પ્રગતિ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
પ્રફુલભાઈ પાનસેરિયાનું (આરોગ્ય મંત્રીશ્રી, ગુજરાત) સંબોધન:
– “સત્તા મળે ત્યારે પણ નમ્રતા જાળવવી અને ચૂંટણી જીત્યા પછી પણ પગ જમીન પર રાખવા” જેવી શીખ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપી છે. સુરત શહેરને ખૂબ સારા નગર સેવકો મળ્યા છે. નગરસેવકો શહેરના વિકાસ માટે સતત કાર્યરત રહે છે અને ઘણી વખત તેઓ પોતાના પરિવારને પણ પૂરતો સમય આપી શકતા નથી. કડવા ધૂટડા ગાળવાની તૈયારી રાખવી
– પહેલાના સમયમાં બેંકમાં ખાતું ખોલાવવું અઘરું હતું, ઘણીબધી પ્રોસેસ પછી પણ મુશ્કેલીઓ વેઠીને બેંક ખાતા ખોલાવવા પડતા હતા, જ્યારે વરાછા બેંકમાં આ કામ સરળતાથી થાય છે.
– તેજસ્વી તારલાઓને એવા આશીર્વાદ આપીએ કે તેઓ શ્રેષ્ઠ બનીને ફરી આ મુકામ ઉપર ફરી કોઈ પદવી હાંસલ કરીને ફરી થી સન્માનિત થાય.
તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે પણ નોંધપાત્ર વિકાસ કરવામાં આવ્યો છે. રાજ્યમાં 1 લાખ 21 હજાર સ્માર્ટ ક્લાસરૂમ બનાવવામાં આવ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણની સુવિધા મળી રહી છે.
આરોગ્ય ક્ષેત્ર અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, કામરેજ વિસ્તારમાં 1500 બેડની આધુનિક હોસ્પિટલ 150 વિઘા જમીનમાં બનાવવામાં આવશે. તેમજ પ્લેન ક્રેશ થયેલી જગ્યાએ સ્પાઈન અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા અને ઈચ્છા મુજબ વિકાસના કાર્યો આગળ વધી રહ્યા છે. ડ્રેનેજ અને પાણી વ્યવસ્થામાં પણ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુડાના વિસ્તારમાં કામરેજ નજીક અંદાજે 3000 જેટલા આદિવાસી પરિવારો માટે મકાનો બનાવવામાં આવ્યા છે, જે વિકાસ અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે.
યુવાનો અને સમાજ સેવા અંગે માર્ગદર્શન
તેમણે જણાવ્યું હતું કે, ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓમાં ભગવદ્ ગીતાના વિચારો અને મૂલ્યોનો સમાવેશ કરવો જરૂરી છે. આધ્યાત્મિક શક્તિથી જીવનમાં શાંતિ મળે છે. તેમણે સૌને શ્રેષ્ઠતાની નહીં પરંતુ સેવા અને સમાજહિતની રાજનીતિ કરવાનો સંદેશ આપ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ પોતાની યથાશક્તિ સમાજ માટે કાર્ય કરવું જોઈએ અને જીવનમાં ચારે દિશાઓમાંથી સારા વિચારો સ્વીકારવા જોઈએ.
સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન વલ્લભભાઈ ચોથાણી, જીતુભાઈ મકવાણા, ગૌરવસર, જયેશ સર અને પવન સર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો, કોર્પોરેટરો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે વલ્લભભાઈ ચોથાણી એ આભારવિધિ કરી હતી.
સુરત. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ માટે ગૌરવ અને આનંદની ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે સ્કૂલની પ્રતિભાશાળી વિદ્યાર્થીની માન્યા ડ્રોલિયાએ શ્રીલંકામાં યોજાયેલી પ્રતિષ્ઠિત કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશિપ 2026માં શાનદાર પ્રદર્શન કરીને ભારત અને પોતાની સ્કૂલનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું.
અસાધારણ પ્રતિભા, વ્યૂહાત્મક કુશળતા અને અડગ સમર્પણનું ઉત્તમ પ્રદર્શન કરતાં માન્યાએ સ્પર્ધાના ત્રણેય ફોર્મેટમાં મેડલ જીતીને નવો ઇતિહાસ રચ્યો છે. તેમણે ક્લાસિકલ ફોર્મેટમાં સુવર્ણ ચંદ્રક, બ્લિટ્ઝ ફોર્મેટમાં રજત ચંદ્રક અને રેપિડ ફોર્મેટમાં કાંસ્ય ચંદ્રક મેળવી ભારતનું ગૌરવ વધાર્યું છે.
કોમનવેલ્થ દેશોના શ્રેષ્ઠ યુવા ખેલાડીઓ વચ્ચેની કઠિન સ્પર્ધામાં માન્યાએ ધૈર્ય, આત્મવિશ્વાસ અને ઉત્તમ રમત કુશળતાનું પ્રદર્શન કર્યું. તેમની આ સિદ્ધિ વર્ષોની મહેનત, શિસ્ત, લગન અને ચેસ પ્રત્યેના અવિરત સમર્પણનું પરિણામ છે.
માન્યાની આ ઐતિહાસિક સફળતા બદલ વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ હર્ષ વ્યક્ત કરીને તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. સ્કૂલ પરિવારે આ સિદ્ધિને માત્ર સંસ્થાનો નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી છે.
માન્યાની આ ઉપલબ્ધિ યુવા પેઢી માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ છે. તે સાબિત કરે છે કે દૃઢ નિશ્ચય, સતત અભ્યાસ અને આત્મવિશ્વાસના બળ પર કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે.
સ્કૂલ પરિવારને વિશ્વાસ છે કે માન્યા ભવિષ્યમાં પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી સફળતાઓ હાંસલ કરીને ભારતનું નામ વધુ ગૌરવપૂર્ણ બનાવશે. માન્યા ડ્રોલિયાને આ ઐતિહાસિક ત્રિ-મેડલ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ. તેમની સફળતાએ સમગ્ર દેશને ગૌરવની લાગણી અનુભવાવી છે.