Posts by: abhay_news_editor
હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા આજીવન શિક્ષણ સહાય યોજના
સુરત, તા. 11 જૂન 2026
સમાજમાં શિક્ષણનું મહત્વ વધે અને આર્થિક પરિસ્થિતિના કારણે કોઈપણ વિદ્યાર્થીનું શિક્ષણ અધૂરું ન રહે તેવા ઉદ્દેશ્ય સાથે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા “આજીવન શિક્ષણ સહાય યોજના” અમલમાં મૂકવામાં આવી છે.
ફાઉન્ડેશનના પ્રેરણાસ્ત્રોત શ્રી પિયુષભાઈ ભૂરાભાઈ દેસાઈ (નાણોટા) ના સહયોગથી ધોરણ 5 થી લઈને કોલેજ સુધી અભ્યાસ કરતા દીકરા અને દીકરીઓ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પસંદગી પામેલા વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ દરમિયાન જરૂરી શિક્ષણ સહાય આપવામાં આવશે.
હાલમાં ફોર્મ ચકાસણી અને પસંદગી પ્રક્રિયા ચાલુ છે. અરજદારોની સંખ્યા વધુ હોવાથી ફોર્મનું મૂલ્યાંકન તબક્કાવાર કરવામાં આવી રહ્યું છે. તેથી જેમ જેમ પ્રક્રિયા પૂર્ણ થતી જશે તેમ તેમ પસંદગી પામેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મોબાઇલ મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.
જે વિદ્યાર્થીઓએ હજુ સુધી ફોર્મ ભર્યું નથી અથવા જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના બાકી છે, તેઓએ વહેલી તકે ફાઉન્ડેશનની ઓફિસે સંપર્ક કરી પ્રક્રિયા પૂર્ણ કરવાની વિનંતી કરવામાં આવે છે.

જરૂરી દસ્તાવેજો:
વિદ્યાર્થીનું આધાર કાર્ડ
પિતાનું આધાર કાર્ડ
છેલ્લી માર્કશીટ
લાઇટ બિલ
2 પાસપોર્ટ સાઇઝ ફોટા
ઓફિસ સરનામું: G-8, Empire State Building, Udhna Ring Road, Surat
સંપર્ક: 9638086191
7490886191
શિક્ષણ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના સંકલ્પ સાથે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન સતત કાર્યરત છે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવા અપીલ કરે છે.
– હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન, સુરત
જી. ડી. ગોયંકા સ્કૂલને યુનેસ્કો ASPnetમાં વૈશ્વિક માન્યતા
સુરત: જી. ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કુલ, સુરતે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તેને યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો)ના પ્રતિષ્ઠિત “એસોસિએટેડ સ્કૂલ્સ નેટવર્ક (ASPnet)”ના સભ્ય તરીકે સત્તાવાર માન્યતા મળી છે. આ માન્યતા સ્કુલને વિશ્વભરની એવી પસંદગીની સંસ્થાઓમાં સ્થાન અપાવે છે, જે શાંતિ, સતત વિકાસ, વૈશ્વિક નાગરિકતા અને ગુણવત્તાસભર શિક્ષણના પ્રચાર માટે પ્રતિબદ્ધ છે.
જી. ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કુલ ભારતની મર્યાદિત સંખ્યાની સ્કૂલોમાં સ્થાન મેળવનારી અનન્ય શાળા બની છે. સાથે જ, સુરતની પ્રથમ અને ગુજરાતની ત્રીજી સ્કુલ તરીકે આ ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ સ્કુલ સમુદાય માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે અને વૈશ્વિક અને મૂલ્યઆધારિત શિક્ષણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
યુનેસ્કો, 1945માં સ્થાપિત થયેલ અને પેરિસમાં મુખ્યાલય ધરાવતી સંયુક્ત રાષ્ટ્રોની વિશેષ એજન્સી છે, જે શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર વધારીને શાંતિ સ્થાપવાનું કાર્ય કરે છે. 1953માં યુનેસ્કોએ ASPnet શરૂ કર્યું હતું, જેના માધ્યમથી એવી શૈક્ષણિક સંસ્થાઓને જોડવામાં આવે છે, જે માને છે કે શિક્ષણ શાંતિપૂર્ણ, સમાવેશી અને સમાજ નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આજે ASPnetમાં 180થી વધુ દેશોની 10,000થી વધુ શાળાઓ સામેલ છે. આ સંસ્થાઓ શૈક્ષણિક પ્રોજેક્ટ્સમાં સહભાગી બને છે, નવીન પ્રથાઓ શેર કરે છે અને વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક સમજૂતી, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને વૈશ્વિક જાગૃતિ માટે પ્રેરિત કરે છે. આ નેટવર્કમાં સભ્યપદ મેળવવું ગુણવત્તાસભર શિક્ષણ અને વૈશ્વિક મૂલ્યો પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
જી. ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કુલનો આ આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં સમાવેશ તેના વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે મજબૂત, સામાજિક રીતે જવાબદાર અને વૈશ્વિક દ્રષ્ટિ ધરાવતા બનાવવા માટેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. સ્કુલે આ વર્ષો દરમિયાન ગુણવત્તાસભર શિક્ષણ સાથે સંસ્કારાત્મક મૂલ્યોનું મજબૂત સંયોજન રચ્યું છે.
આશરે 2011માં સ્થાપિત થયેલી આ શાળા, સુરતના વેસુ વિસ્તારમાં આવેલ ન્યૂ સિટી લાઇટમાં સ્થિત એક અગ્રણી સહશિક્ષણ સંસ્થા છે. તેનું કેમ્પસ ભરથાણા વિસ્તારમાં કેનલ રોડ પર આવેલ વિઝડમ વેલીમાં, અનુવ્રત દ્વાર નજીક આવેલું છે. આશીર્વાદ કેળવણી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સંસ્થા, સમય સાથે શહેરના અગ્રણી શૈક્ષણિક કેન્દ્રોમાં વિકસિત થઈ છે.
શાળા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે સંકળાયેલી છે. સમય સાથે શાળાએ આધુનિક માળખાકીય સુવિધાઓ અને શૈક્ષણિક સાધનો વિકસાવ્યા છે, જે વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સહ-પાઠ્યક્રમ વિકાસને પ્રોત્સાહિત કરે છે.
આશરે 28,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું કેમ્પસ વિદ્યાર્થીઓ માટે ઉત્સાહભર્યું શૈક્ષણિક વાતાવરણ સર્જે છે. અહીં 129 રૂમ, 79 સુવ્યવસ્થિત વર્ગખંડો, 16 સજ્જ પ્રયોગશાળાઓ અને 3 ગ્રંથાલયો છે, જે ટેકનોલોજીને રોજિંદા શિક્ષણમાં જોડે છે. ઉપરાંત, 3,000 ચોરસ મીટરથી વધુ વિસ્તાર ધરાવતું વિશાળ મેદાન વિદ્યાર્થીઓને રમતગમત અને શારીરિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરે છે.
શાળાએ શરૂઆતથી જ સર્વાંગી શિક્ષણ પર ભાર મૂક્યો છે. શૈક્ષણિક અભ્યાસ સાથે રમતગમત, કલા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પ્રયોગાત્મક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા શોધવા અને વિકસાવવા પ્રેરિત કરવામાં આવે છે. શાળાનું શિક્ષણ અભિગમ સર્જનાત્મકતા, તર્કશક્તિ અને પ્રાયોગિક અભ્યાસ પર આધારિત છે.

ASPnetમાં સભ્યપદ મેળવવા માટે શાળાનું વિવિધ માપદંડો પર મૂલ્યાંકન કરવામાં આવે છે, આમાં શાળાનો દ્રષ્ટિકોણ, શિક્ષણ-અભ્યાસ પદ્ધતિઓ, શિક્ષક વિકાસ કાર્યક્રમો, વિદ્યાર્થી ભાગીદારી, સતત વિકાસ માટેની પહેલો અને સમાવેશી શિક્ષણ પ્રથાઓનો સમાવેશ થાય છે.
જી. ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કુલે આ તમામ માપદંડો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. શાળાનો દ્રષ્ટિકોણ શાંતિ, માનવ અધિકાર, સતત વિકાસ અને વૈશ્વિક નાગરિકતા જેવા યુનેસ્કોના મુખ્ય મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે.
વિદ્યાર્થી-કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિઓ જેમ કે સંશોધન આધારિત અભ્યાસ, પ્રયોગાત્મક પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ આધારિત કાર્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી વિદ્યાર્થીઓ સ્વતંત્ર રીતે વિચારવા, પ્રશ્ન પૂછવા અને વાસ્તવિક જીવનમાં જ્ઞાનનો ઉપયોગ કરવા પ્રેરાય છે.
શિક્ષકોનો વિકાસ પણ મહત્વપૂર્ણ છે. નિયમિત તાલીમ, વર્કશોપ અને વ્યાવસાયિક વિકાસ કાર્યક્રમો દ્વારા શિક્ષકોને નવીન શિક્ષણ પદ્ધતિઓથી પરિચિત કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓને સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. વિદ્યાર્થી પરિષદ, નેતૃત્વના અવસર અને સહકારાત્મક પ્રવૃત્તિઓ દ્વારા તેઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ અને જવાબદારીની ભાવના વિકસે છે.
પર્યાવરણ જાગૃતિ અને સતત વિકાસ શાળાના મુખ્ય કાર્યક્રમોમાં સામેલ છે. ઇકો-ક્લબ, પર્યાવરણ અભિયાન અને પ્રોજેક્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓને પ્રકૃતિ સંરક્ષણ માટે પ્રેરણા મળે છે.
અભ્યાસક્રમમાં વૈશ્વિક નાગરિકતા, સાંસ્કૃતિક વૈવિધ્યતા અને માનવ અધિકારોના વિષયો સમાવાયા છે. વિવિધ સાંસ્કૃતિક ઉજવણીઓ અને આંતરરાષ્ટ્રીય દિવસો દ્વારા આંતરસાંસ્કૃતિક સમજ વધે છે. સમાવેશિતા શાળાનું મહત્વપૂર્ણ મૂલ્ય છે. વિવિધ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને સમાન તક આપવામાં આવે છે, જે પરસ્પર માન અને એકતાની ભાવનાને મજબૂત બનાવે છે.
શાળા શાંતિપૂર્ણ શિક્ષણ, સામાજિક જવાબદારી અને સમાનતાને પણ પ્રોત્સાહિત કરે છે. વિવિધ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને સામાજિક પ્રશ્નો પર વિચારવા અને સમાજમાં સકારાત્મક યોગદાન આપવા પ્રેરિત કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુખાકારી શાળાની પ્રાથમિકતા છે. બાળ સુરક્ષા, માનસિક આરોગ્ય અને સકારાત્મક શિસ્ત માટેની નીતિઓ દ્વારા સુરક્ષિત અને સહાયક વાતાવરણ ઉભું કરવામાં આવે છે.
યુનેસ્કો ASPnetમાં જોડાવાથી શાળાની વૈશ્વિક દ્રષ્ટિ વધુ મજબૂત બને છે. આથી વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ અને સહયોગી કાર્યક્રમોમાં ભાગ લેવા તકો મળે છે, જે તેમના સંવાદ, ટીમવર્ક અને સર્જનાત્મકતા જેવા કૌશલ્યો વિકસાવે છે.
આ સિદ્ધિ નિમિત્તે શાળા વિશેષ સભાઓ, પ્રદર્શનો અને જાગૃતિ કાર્યક્રમો યોજવાની યોજના ધરાવે છે, જે વિદ્યાર્થીઓને વૈશ્વિક મુદ્દાઓ વિશે માહિતગાર કરશે. આ સફળતા શાળાના સંચાલન, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતા-પિતાના સંયુક્ત પ્રયત્નોનું પ્રતિબિંબ છે.
યુનેસ્કો ASPnetના સભ્ય તરીકે, જી. ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કુલ હવે વૈશ્વિક સહકારને મજબૂત બનાવવાની અને વિદ્યાર્થીઓ માટે નવી તકો ઉભી કરવાની દિશામાં આગળ વધી રહી છે. આ સિદ્ધિ શાળાની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વધારતી હોવા સાથે ભવિષ્યના જવાબદાર, સંવેદનશીલ અને વૈશ્વિક નાગરિકો તૈયાર કરવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
બીએનઆઈ ગ્રેટર સુરત દ્વારા રક્તદાન મહાઅભિયાનનું આયોજન, 100 યુનિટ રક્ત એકત્રિત
– લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના સહયોગથી યોજાયો રક્તદાન કેમ્પ
સુરત : સામાજિક જવાબદારી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને આગળ વધારતાં બીએનઆઈ ગ્રેટર સુરતે 6 જૂન, 2026ના રોજ અમોરે સુરત ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. કેમ્પમાં બીએનઆઈના સભ્યો, આમંત્રિત મહેમાનો તેમજ શહેરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ દરમિયાન જરૂરિયાતમંદ દર્દીઓની સહાય માટે કુલ 100 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
રક્તદાન કેમ્પનું આયોજન લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના સહયોગથી કરવામાં આવ્યું હતું. કેન્દ્રની સમર્પિત તબીબી ટીમે સમગ્ર કાર્યક્રમ દરમિયાન રક્તદાન પ્રક્રિયાને સુરક્ષિત, સુવ્યવસ્થિત અને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને માનવસેવાનો સંદેશ આપ્યો હતો.
આયોજકોના જણાવ્યા મુજબ આ અભિયાનને ભાગ લેનારાઓ તરફથી અત્યંત ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો. આ કાર્યક્રમ સેવા, કરુણા અને સામાજિક સહભાગિતાની ભાવનાનું પ્રતીક બન્યો હતો. કેમ્પ દરમિયાન એકત્રિત થયેલી 100 યુનિટ રક્ત વિવિધ જરૂરિયાતમંદ દર્દીઓના જીવ બચાવવા ઉપરાંત પ્રદેશની આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પ્રસંગે બીએનઆઈ ગ્રેટર સુરત (સુરત, નવસારી અને બારડોલી)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. નિધિ સિંઘવીએ જણાવ્યું હતું કે બીએનઆઈનું માનવું છે કે સફળતા ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તેને સમાજ સાથે વહેંચવામાં આવે. રક્તદાન માનવતાની સૌથી નિઃસ્વાર્થ સેવાઓમાંની એક છે અને રક્તની દરેક યુનિટ અનેક લોકોનો જીવ બચાવવાની ક્ષમતા ધરાવે છે. તેમણે તમામ રક્તદાતાઓ, સ્વયંસેવકો, બીએનઆઈ સભ્યો તથા સહયોગી સંસ્થા લોક સમર્પણ રક્તદાન કેન્દ્રનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સૌના સહકારથી આ પહેલને નોંધપાત્ર સફળતા મળી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બીએનઆઈ ગ્રેટર સુરત માત્ર વ્યવસાયિક નેટવર્કિંગ પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પણ સતત કાર્યરત છે. સંસ્થાનો હેતુ વ્યવસાયિક વિકાસની સાથે સામાજિક જવાબદારીને પણ સમાન મહત્વ આપવાનો છે અને સભ્યોને સમાજહિતના કાર્યોમાં સક્રિય યોગદાન આપવા માટે પ્રેરિત કરવાનો છે.
બીએનઆઈ ગ્રેટર સુરતે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગદાન આપનાર તમામ રક્તદાતાઓ, સહયોગીઓ, સ્વયંસેવકો તેમજ લોક સમર્પણ રક્તદાન કેન્દ્રની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
“રક્તદાન કરો, જીવન બચાવો”ના સંદેશ સાથે સંસ્થાએ ભવિષ્યમાં પણ આવા જનકલ્યાણકારી કાર્યક્રમો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
એએમ/એનએસ ઈન્ડિયા અને આઇઆઇટી રૂરકીએ ઉત્પાદન અને સ્ટીલ ટેકનોલોજીસમાં શિક્ષણ, સંશોધન અને નવીનીકરણને આગળ વધારવા માટે વ્યુહાત્મક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા
* ભાગીદારીનો ઉદ્દેશ ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગને મજબૂત કરવા, કાર્યબળ પરિવર્તનને વેગ આપવા અને ભારતની ઔદ્યોગિક વૃદ્ધિને સરળ બનાવવા માટે એપ્લાઇડ સંશોધન હાથ ધરવાનો છે. * એએમ/એનએસ ઈન્ડિયા આ સહયોગ હેઠળ સંયુક્ત શિક્ષણ, સંશોધન, નવીનીકરણ અને ઉદ્યોગ-જોડાણ પહેલને આગળ વધારવા માટે તેની ઉદ્યોગ-સંકલિત શૈક્ષણિક પહેલ, નામટેક (ન્યુ એજ માર્કર્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી)નો લાભ ઉઠાવશે. હઝીરા, સુરત, 9 જૂન, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) અને ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી રૂરકી (આઇઆઇટી રૂરકી)એ શિક્ષણ, સંશોધન, નવીનીકરણ અને ઉદ્યોગ જોડાણમાં સહયોગ માટે વ્યુહાત્મક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારી એએમ/એનએસ ઈન્ડિયાની ઔદ્યોગિક નિપુણતા અને વૈશ્વિક ઉત્પાદન ફૂટપ્રિન્ટ અને આઇઆઇટી રૂરકીની શૈક્ષણિક અને સંશોધન શ્રેષ્ઠતાને એક સાથે લાવે છે, જે કૌશલ્ય વિકાસ, એપ્લાઇડ સંશોધન, ટેકનોલોજી નવીનીકરણ અને ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા માટે એક મંચનું સર્જન કરે છે. સમજૂતી કરારનાં માળખાં હેઠળ ભાગીદારો નીચેની બાબતોમાં તકો શોધશેઃ • શૈક્ષણિક કાર્યક્રમો, એક્ઝિક્યુટિવ શિક્ષણ, વ્યાવસાયિક વિકાસના અભ્યાસક્રમો અને કાર્યદળ પરિવર્તન પહેલોનો સંયુક્ત વિકાસ અને ડિલિવરી • ઉદ્યોગ-કેન્દ્રીત કન્સલ્ટિંગ, ટેકનિકલ સલાહકાર સેવાઓ, સમસ્યાનાં ઉકેલનાં જોડાણો અને ટેકનોલોજીની આકારણીઓ • સહયોગી સંશોધન, નવીનીકરણ, ટેકનોલોજી વિકાસ, પ્રકાશનો, બૌદ્ધિક સંપત્તિનું સર્જન, અને ટેકનોલોજી પરિવર્તન પહેલો. એએમ/એનએસ ઈન્ડિયા કૌશલ્ય વિકાસ, એપ્લાઇડ સંશોધન, પહેલ, અને ઉદ્યોગ જોડાણમાં ભાગીદારીના ઉદ્દેશો પૂર્ણ કરવા માટે એક મંચ તરીકે તેની ઉદ્યોગ-સંકલિત શિક્ષણ પહેલ નામટેકનો ઉપયોગ કરશે. શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે તફાવત દૂર કરવા માટે સ્થાપિત નામટેક ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યનું સર્જન કરવા અને સંશોધનને ઔદ્યોગિક અસરમાં રૂપાંતરિત કરવા માટે પ્રાયોગિક શિક્ષણ, ઉદ્યોગ આધારિત અભ્યાસક્રમ અને વાસ્તવિક વિશ્વના ઉદ્યોગ ઉકેલ એક સાથે લાવે છે. ભાગીદારી ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યનું નિર્માણ કરવા અને અદ્યતન ઉત્પાદન તથા ઔદ્યોગિક નવીનીકરણમાં ભારતની ક્ષમતાઓને મજબૂત કરવા માટે સહિયારી વચનબદ્ધત્તાને પ્રતિબિંબિત કરે છે. તે વિદ્યાર્થીઓ, સંશોધકો, ફેકલ્ટી અને ઔદ્યોગિક વ્યાવસાયિકોને વાસ્તવિક વિશ્વના પડકારો પર એક સાથે કાર્ય કરવા અને દેશની લાંબા ગાળાની વૃદ્ધિ અને આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપવા માટેની તકોનું સર્જન કરે એવી અપેક્ષા છે. આ પ્રસંગે વાત કરતા એએમ/એનએસ ઈન્ડિયાના સીઇઓ શ્રીમાન દિલિપ ઓમેને જણાવ્યું હતું કેઃ “ભારતનાં ઔદ્યોગિક પરિવર્તન માટે ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચે ઊંડા સહયોગની આવશ્યકતા પડશે. આઇઆઇટી રૂરકી સાથે આ વ્યુહાત્મક સહયોગ મારફતે અને અમારા ઉદ્યોગ-સંકલિત શિક્ષણ અને નવીન મંચ તરીકે નામટેકનો લાભ ઉઠાવીને અમે ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યનું નિર્માણ કરવાનો, એપ્લાઇડ સંશોધનને વેગ આપવાનો અને ભારતનાં ઉત્પાદન અને સ્ટીલ ક્ષેત્રોની સ્પર્ધાત્મકતા અને ટકાઉતાને મજબૂત કરે એવા અસરદાર ઉકેલોનો વિકાસ કરવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ.” આઇઆઇટી રૂરકીના નિર્દેશક ડો. કે. કે. પંતે જણાવ્યું હતું કેઃ “આ સહયોગ શૈક્ષણિક સંશોધનને ઉદ્યોગ સંબંધિત પરિણામોમાં રૂપાંતરિત કરવા માટેનું એક મહત્ત્વૂપર્ણ પગલું છે. આઇઆઇટી રૂરકીનાં સંશોધનની ક્ષમતાઓને એએમ/એનએસ ઈન્ડિયાની ઔદ્યોગિક નિપુણતા અને નામટેકના ઔદ્યોગિક સંકલિત શિક્ષણ ઇકોસિસ્મટની સાથે સંયોજિત કરીને અમારો ઉદ્દેશ શિક્ષણ, ટેકનોલોજી વિકાસ અને વ્યુહગોઠવણ, અને નવીનીકરણથી ચલિત વ્યવહારું, સ્કેલેબલ અને લાગુ કરી શકાય એવા ઉકેલો મારફતે વિકસિત ભારતનાં વિઝનની સાથે સંરેખિત કરીને ટકાઉતાને આગળ વધારવાનો છે.” નામટેકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય શ્રીમાન સંજય શર્માએ ઉમેર્યું હતું કેઃ “નામટેકની સ્થાપના ભવિષ્ય માટે કૌશલ્ય તૈયાર કરવામાં ઉત્પાદન અને શિક્ષણ સહયોગની રીતને પુનઃવ્યાખ્યાયિત અને મજબૂત કરવા માટે કરવામાં આવી હતી. આ ભાગીદારી અનુભવલક્ષી શિક્ષણ, એપ્લાઇડ સંશોધન, અને નવીનીકરણથી ચલિત પરિણામો માટે નવા માર્ગોનું સર્જન કરવામાં સહાય કરશે, જે ઉદ્યોગની વિકસિત જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ સાથે નજીકથી સંરેખિત છે.” સમજૂતી કરાર સહયોગ માટે લાંબા ગાળાનું માળખું સ્થાપિત કરે છે અને કૌશલ્યનો વિકાસ કરવા, નવીનીકરણને વેગ આપવા, અને ભારતનાં ઉત્પાદન તથા સ્ટીલ ક્ષેત્રો સામે ઉભરતા પડકારોનો સામનો કરી શકાય તે માટે ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચે ટકાઉ જોડાણ માટેનાં મંચનું સર્જન કરે છે.
સીટી પ્લસ હવે ‘બૂજી વર્લ્ડ’ તરીકે નવા અવતારમાં, સુરતને મળશે મેગા એન્ટરટેઇનમેન્ટ હબ
- ગુજરાતની સૌથી મોટી બોલિંગ એલી સહિત ગેમ ઝોન, સ્પોર્ટ્સ અરીના, સિનેમા અને ફૂડ હબ એક જ સ્થળે ઉપલબ્ધ થશે
સુરતઃ ડુમસ રોડ સ્થિત સીટી પ્લસ મલ્ટિપ્લેક્સ હવે નવા અવતારમાં ‘બૂજી વર્લ્ડ’ તરીકે શહેરવાસીઓ સામે આવી રહ્યું છે. છેલ્લા ૨૩ વર્ષથી સુરતવાસીઓને મનોરંજન પૂરું પાડતું સીટી પ્લસ હવે આધુનિક ટેક્નોલોજી અને નવી પેઢીની એન્ટરટેઇનમેન્ટ સુવિધાઓ સાથે સંપૂર્ણ રી-લૉન્ચ કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે સીટી પ્લસના સંચાલક આશિષ જૈન,આકાશ ગર્ગ અને મૌલિન ડેલીવાળાએ જણાવ્યું હતું કે, સીટી પ્લસ વર્ષ 2003-04 થી સુરતમાં કાર્યરત છે અને હવે તેને સંપૂર્ણ નવા રૂપમાં “બૂજી વર્લ્ડ” તરીકે વિકસાવવામાં આવ્યું છે. અહીં ગુજરાતની સૌથી મોટી ગણાતી 12 લેનની બોલિંગ એલી તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં 2 પ્રાઇવેટ વીઆઈપી બોલિંગ એલીનો પણ સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું કે, હવે લોકોને ફિલ્મ, ગેમિંગ અને અન્ય મનોરંજન માટે અલગ અલગ સ્થળે જવાની જરૂર નહીં રહે. એક જ સ્થળે સિનેમા, ગેમ ઝોન, બોલિંગ, લેઝર ટેગ અને અન્ય આઉટડોર સ્પોર્ટ્સ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે.
સીટી પ્લસમાં કુલ ત્રણ વિશાળ સ્ક્રીન છે, જેમાં આશરે 1800 બેઠકોની ક્ષમતા છે. ઉપરાંત અહીં આર્કેડ ગેમ્સ, બાળકો માટે 2500 સ્ક્વેર ફૂટથી વધુ વિસ્તાર ધરાવતો સોફ્ટ પ્લે એરિયા, ક્લાઇમ્બિંગ વોલ, ક્રિકેટ ઝોન તથા સ્પોર્ટ્સ અરીનામાં પિકલ બોલ, પેડલ બોલ, વોલીબોલ અને શેડેડ ક્રિકેટ નેટ જેવી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.

આ સમગ્ર પ્રોજેક્ટ અંદાજે 30 હજાર સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. વધુમાં જણાવ્યું હતું કે અહીં 3 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વડીલ સુધી દરેક વયજૂથ માટે મનોરંજનની અલગ અલગ પ્રવૃત્તિઓ ઉપલબ્ધ રહેશે.
માત્ર મનોરંજન જ નહીં પરંતુ બર્થડે પાર્ટી, ઇવેન્ટ અને અન્ય કાર્યક્રમો માટે બેન્ક્વેટ સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. સાથે જ સુરતની જાણીતી “ઇન્ડિયન તપસ બાર”ની બીજી શાખા પણ અહીં શરૂ થવા જઈ રહી છે.
- બૂજી વર્લ્ડના નિમિત્તે કાર્નિવલનું આયોજન
‘બૂજી વર્લ્ડ’ના લોન્ચ નિમિત્તે 23 મેથી 31 મે સુધી કાર્નિવલ સેલિબ્રેશન યોજાશે. 23 મેના રોજ લોન્ચ ડે સાથે ડીજે નાઇટ વિથ પર્ક્યુશનિસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે 24 મેના રોજ ભજન જેમિંગ કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત કાર્નિવલ દરમિયાન મેસ્કોટ્સ, ટેટૂ આર્ટિસ્ટ અને વિવિધ મફત મનોરંજન પ્રવૃત્તિઓ પણ રાખવામાં આવી છે.
આ સમગ્ર પ્રોજેક્ટને “ઓલ એન્ટરટેઇનમેન્ટ એટ વન એડ્રેસ” થીમ સાથે રજૂ કરવામાં આવી રહ્યો છે.
ટ્રાન્સમિશન લાઇન્સ: ગેરમાન્યતાઓ, હકીકતો અને ગુજરાતના ભવિષ્યમાં તેમનું મહત્વ
ગાંધીનગર (ગુજરાત) [ભારત], 8 જૂન: ગુજરાત ભારતના નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રના શક્તિશાળી કેન્દ્ર તરીકે પોતાની ઓળખ મજબૂત બનાવી રહ્યું છે, ત્યારે સ્ટીલ અને એલ્યુમિનિયમનું એક મૌન નેટવર્ક રાજ્યના વિકાસને ગતિ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. કચ્છના મીઠાના પાનોથી લઈને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક કોરિડોર સુધી, ટ્રાન્સમિશન લાઇન્સ માત્ર કેબલ્સ નથી; તે આપણા વિકાસની ઉચ્ચ-વોલ્ટેજ ધમનીઓ સમાન છે. રાજ્યભરના જમીનમાલિકો અને નાગરિકો માટે, આ માળખાં વૈશ્વિક ઊર્જા પરિવર્તનમાં ગુજરાતના નેતૃત્વનું પ્રતીક છે.
તેમ છતાં, રાજ્ય 100 GW નવીનીકરણીય ક્ષમતા હાંસલ કરવાના પોતાના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે ગ્રીડના વિસ્તરણને ઘણી વખત કેટલીક ગેરમાન્યતાઓને કારણે સંકોચનો સામનો કરવો પડે છે. ગુજરાત ભારતના વીજળી ક્ષેત્રમાં તેજસ્વી ઉદાહરણ બની રહે તે માટે વૈજ્ઞાનિક હકીકતો અને સામાન્ય ગેરસમજણો વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે.
માન્યતા 1: ઉચ્ચ-વોલ્ટેજ લાઇન્સની નજીક રહેવું સ્વાસ્થ્ય માટે જોખમી છે
હકીકત: આંતરરાષ્ટ્રીય આરોગ્ય ધોરણો અને કડક ભારતીય નિયમો સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
સૌથી સામાન્ય ચિંતા ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સ (EMF) વિશે હોય છે. પરંતુ દાયકાઓના વૈશ્વિક સંશોધને સ્પષ્ટ જવાબ આપ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ઘણા વર્ષોથી જણાવે છે કે વીજળીની લાઇન્સમાંથી ઉત્પન્ન થતી નીચા સ્તરની EMF અસરોથી કોઈ પુષ્ટિ થયેલા શારીરિક આરોગ્ય પરિનામો જોવા મળ્યા નથી.
ગુજરાતમાં, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) અને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) દ્વારા અમલમાં મુકાયેલા સુરક્ષા ધોરણો ઘણી વખત આંતરરાષ્ટ્રીય માપદંડો કરતાં પણ વધુ કડક હોય છે. EMFનું સ્તર અંતર વધતા ઝડપથી ઘટે છે; ટ્રાન્સમિશન રાઇટ-ઓફ-વેની સીમા સુધી પહોંચતા ફિલ્ડની તીવ્રતા ઘણીવાર ઘરેલુ વેક્યૂમ ક્લીનર અથવા હેર ડ્રાયર કરતાં પણ ઓછી હોય છે. ગુજરાતના ખેડૂતો અને રહેવાસીઓ માટે તેનો અર્થ એ છે કે ઉપરથી પસાર થતું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા સામૂહિક સંપૂર્ણ વીજળીકરણના માર્ગમાં એક સુરક્ષિત પડોશી છે.
માન્યતા 2: ટ્રાન્સમિશન નેટવર્ક્સ ખેતીની જમીનને બિનઉપયોગી બનાવી દે છે
હકીકત: આધુનિક ઇજનેરી “સ્થાનાંતરણ કરતાં સહઅસ્તિત્વ”ને પ્રાથમિકતા આપે છે, જેથી ખેતી સતત ફૂલેફાલે.
ગુજરાતના સક્રિય ખેડૂત સમુદાયમાં સામાન્ય ભય એ છે કે ટ્રાન્સમિશન ટાવરનો અર્થ ખેતીનો અંત. હકીકતમાં, રાજ્યમાં આધુનિક ગ્રીડ આયોજન એવી રીતે કરવામાં આવે છે કે ઉપજાઉ જમીન પર ઓછામાં ઓછી અસર પડે.
જ્યારે ટાવરનો પાયો નાનો વિસ્તાર રોકે છે, ત્યારે લાઇન્સની નીચેની જમીન ઉત્પાદનક્ષમ રહે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સીંગદાણા, કપાસ અને એરંડા જેવા પાકો ઉચ્ચ-વોલ્ટેજ લાઇન્સની નીચે સારી રીતે ઉગતા જોવા સામાન્ય બાબત છે. ખેડૂતો પશુ ચરાવી શકે છે અને નીચી ઊંચાઈના પાકો ઉગાડી શકે છે, જો તેઓ સામાન્ય સુરક્ષા અંતર જાળવે. વધુમાં, ગીચ અથવા સંવેદનશીલ વિસ્તારોમાં નવી ટેક્નોલોજીના ઉપયોગથી ગુજરાતની કૃષિ “હરિત ક્રાંતિ” અને “ઊર્જા ક્રાંતિ”ને એકસાથે આગળ વધારવામાં મહત્વપૂર્ણ મદદ મળી રહી છે.
માન્યતા 3: ઉચ્ચ-વોલ્ટેજ લાઇન્સથી “દૂરથી કરંટ લાગવાનો” જોખમ રહે છે
હકીકત: બહુસ્તરીય સુરક્ષા પ્રોટોકોલ્સ અને કડક “ક્લિયરન્સ જ્યોમેટ્રી” ગ્રીડને અત્યંત સુરક્ષિત બનાવે છે.
એક સતત ગેરમાન્યતા એવી છે કે વીજળી લાંબા અંતર સુધી “કૂદી”ને પસાર થતા લોકોને આંચકો આપી શકે છે. ભૌતિકશાસ્ત્ર કંઈક અલગ કહે છે: વીજળીને વાહક અને જમીન સુધી પહોંચવા માટે ચોક્કસ માર્ગની જરૂર પડે છે. સુરક્ષા અંતરના નિયમોનું સીધું ઉલ્લંઘન કર્યા વિના—જેમ કે ટાવર પર ચઢવું અથવા ઊંચા ધાતુના સાધનોને કંડક્ટરોની ખૂબ નજીક લાવવું—જોખમ લગભગ અસ્તિત્વમાં જ નથી.
ગુજરાતમાં ભારતીય વીજળી નિયમોનું અત્યંત કડક પાલન કરવામાં આવે છે. લઘુત્તમ જમીન ક્લિયરન્સ જાળવવામાં આવે છે જેથી ટ્રેક્ટર, હાર્વેસ્ટર અને ગામડાંનું દૈનિક જીવન નીચે સુરક્ષિત રીતે ચાલુ રહી શકે. આધુનિક ગ્રીડ સુરક્ષા પ્રણાલીઓમાં “ઇન્સ્ટન્ટેનિયસ ટ્રિપ” ટેક્નોલોજી પણ હોય છે; દુર્લભ પરિસ્થિતિમાં જો લાઇન તૂટી જાય, તો માનવી આંખ પલક મારે તે પહેલાં જ, મિલિસેકન્ડ્સમાં વીજ પુરવઠો બંધ થઈ જાય છે.
“વિકસિત ગુજરાત”ના વિઝનને શક્તિ આપતા
ટ્રાન્સમિશન લાઇન્સ ગુજરાતના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સના સાચા આધારસ્તંભ છે. તેઓ કચ્છમાં આવેલા વિશાળ 30 GW હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી ઉત્પન્ન થતી ઊર્જાને સુરત અને અમદાવાદના ઘરો સુધી પહોંચાડે છે. તેઓ PM-KUSUM યોજના માટે મજબૂત આધાર પૂરો પાડે છે, જે સોલરાઇઝ્ડ ફીડર્સ દ્વારા ખેડૂતોને દિવસ દરમિયાન સિંચાઈની સુવિધા આપે છે.
જમીનમાલિક માટે, ક્ષિતિજ પર દેખાતી ટ્રાન્સમિશન લાઇન કોઈ અવરોધ નથી—તે ભારતની 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં ગુજરાતના યોગદાનનું પ્રતીક છે. ગેરમાહિતીને નકારી અને વિજ્ઞાન આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સ્વીકારીને, આપણે ખાતરી કરીએ છીએ કે વિકાસનું “ગુજરાત મોડેલ” રાજ્યના દરેક ખૂણામાં પ્રકાશ, ઉદ્યોગ અને સમૃદ્ધિ લાવતું રહે. આ મહત્વપૂર્ણ ધમનીઓને સમજવું એ ગુજરાતની પ્રગતિની મહાન ગાથામાં ભાગીદાર બનવાનું પ્રથમ પગલું છે.
ગ્રીનમેન વિરલ દેસાઈએ દમણ ઈન્ડસ્ટ્રીયલ એક્સપોમાં ‘વેસ્ટ ટુ વેલ્થ’ અને ઓવર-કન્ઝ્યુમરિઝમ પર પ્રભાવશાળી વક્તવ્ય આપ્યું
સુરત: ભારત સરકાર અને વિઝનરી લીડર શ્રી પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ દમણમાં આયોજિત પ્રતિષ્ઠિત ‘ઈન્ડસ્ટ્રીયલ એક્સપો’ અને ‘બુક ફેર’માં જાણીતા પર્યાવરણવિદ અને ‘ગ્રીનમેન’ તરીકે ઓળખાતા વિરલ દેસાઈએ નિષ્ણાત તરીકે વિશેષ હાજરી આપી હતી. દમણના ઈન્ડસ્ટ્રી સેક્રેટરી આઈ.એ.એસ. શ્રી ઓમકાર મરાઠેના આમંત્રણને માન આપીને વિરલ દેસાઈએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યુવાનો અને ઉદ્યોગ જગત સાથે સંવાદ સાધ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન વિરલ દેસાઈએ ‘વેસ્ટ ટુ વેલ્થ’ (કચરામાંથી કંચન) અને ‘ઓવર કન્ઝ્યુમરિઝમ’ (અતિશય ઉપભોક્તાવાદ) જેવા મહત્વના વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. તેમણે સમજાવ્યું હતું કે કેવી રીતે વર્તમાન સમયમાં વધતો જતો વપરાશ પર્યાવરણ માટે જોખમી છે અને કઈ રીતે વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા સંપત્તિનું સર્જન કરી શકાય છે.
આ સત્રમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો, અગ્રણી ઉદ્યોગપતિઓ અને પોલિસી મેકર્સ ઉપસ્થિત રહ્યા હતા. વિરલ દેસાઈના વિચારોથી પ્રભાવિત થઈને ઉપસ્થિત લોકોએ અનેક રસપ્રદ પ્રશ્નો પૂછ્યા હતા, જેના તેમણે ખૂબ જ સચોટ ઉત્તરો આપ્યા હતા. કાર્યક્રમના અંતે વિરલ દેસાઈએ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનનો આભાર માનતા જણાવ્યું હતું કે, ‘આ પ્રકારના આયોજનો પર્યાવરણીય જાગૃતિ અને ઔદ્યોગિક વિકાસ વચ્ચે સેતુ બાંધવાનું કામ કરે છે.’
10,008 વૃક્ષો પાછળના અસલી હીરો: વાસુ ફાઉન્ડેશને 25 ‘વાસુ ધર’ ટીમ સભ્યોને ચાંદીના સિક્કા આપી સન્માનિત કર્યા
વાસુ ફાઉન્ડેશને ‘વાસુ ધર’ ટીમના સભ્યોને તેમની સફળ કામગીરી બદલ સન્માનિત કર્યા.
મિશન 10,008' પર એક નજર :
– કૈમ્પેન દરમિયાન વાવવામાં આવેલા કુલ વૃક્ષો : 10,008
– કૈમ્પેનનો સમયગાળો : જૂન 2025 – જૂન 2026
– આ પહેલ હેઠળ આવરી લેવામાં આવેલા સ્થળો : શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ, વૃદ્ધાશ્રમ, પોલીસ
સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, જીઆઈડીસી મકરપુરા અને સાવલી, વિવિધ રહેણાંક સોસાયટીઓ તેમજ સામુદાયિક
જગ્યાઓ
– વાવવામાં આવેલા વિવિધ વૃક્ષો : લીમડો, ગુલમહોર, ચંપા અને આસોપાલવ
– અભિયાન સાથે સંકળાયેલો સમુદાય : વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, ઔદ્યોગિક કામદારો, સંરક્ષણ કર્મચારીઓ,
નાગરિક અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓ
વડોદરા, 4 જૂન, 2026: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ના રોજ શરૂ થયેલું એક મહત્વાકાંક્ષી સંકલ્પ આજે શાળાઓ,
વૃદ્ધાશ્રમો, પોલીસ સ્ટેશનો, ઔદ્યોગિક વિસ્તારો, રહેણાંક સમાજો અને એરફોર્સ સ્ટેશન સુધી વિસ્તરેલી લોકભાગીદારી
આધારિત પર્યાવરણીય ચળવળમાં પરિવર્તિત થયું છે.
વાસુ હેલ્થકેરની CSR પહેલ વાસુ ફાઉન્ડેશને સફળતાપૂર્વક ‘મિશન 10,008’ પૂર્ણ કર્યું છે. એક વર્ષ સુધી ચાલેલા આ
વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત વડોદરા અને આસપાસના વિસ્તારોમાં કુલ 10,008 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. આ
માત્ર વૃક્ષારોપણ અભિયાન નહોતું, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સામાજિક સહભાગિતાને પ્રોત્સાહન
આપવાનો પ્રયાસ હતો, જેમાં સમાજના વિવિધ વર્ગોના લોકો એક હરિયાળા અને સ્વસ્થ ભવિષ્યના સંકલ્પ સાથે જોડાયા
હતા.
5 જૂન, 2025ના રોજ શરૂ થયેલું ‘મિશન 10,008’ એક સરળ પરંતુ મજબૂત માન્યતા પર આધારિત હતું કે પર્યાવરણમાં
ટકાઉ પરિવર્તન ત્યારે જ શક્ય બને જ્યારે સમાજ પોતે સંરક્ષણના પ્રયાસોમાં સક્રિય ભાગીદાર બને. એક વર્ષ દરમિયાન
આ અભિયાનમાં શૈક્ષણિક સંસ્થાઓ, વરિષ્ઠ નાગરિકો, ઔદ્યોગિક કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, રક્ષા ક્ષેત્રના
કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોએ હરિયાળા ભવિષ્ય માટે મળીને યોગદાન આપ્યું.
આ અભિયાન *‘ગ્રીન વડોદરા, ક્લીન વડોદરા’*ના વિઝન હેઠળ હાથ ધરાયું હતું અને તેમાં ‘મિશન 10,008 માટે
પ્રતિબદ્ધ, આવનારી પેઢીઓ માટે હરિયાળું આવતીકાલ સર્જીએ’ એવો સંદેશ આપવામાં આવ્યો હતો.
અભિયાન અંતર્ગત શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ, વૃદ્ધાશ્રમો, મકરપુરા GIDC અને સાવલીના ઔદ્યોગિક વિસ્તારો,
પોલીસ સ્ટેશનો, રહેણાંક સોસાયટીઓ, ભારતીય વાયુસેના સ્ટેશન તથા અન્ય જાહેર સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું
હતું.
આ પહેલમાં પર્યાવરણ માટે લાભદાયી અને સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ એવા લીમડો, ગુલમહોર, ચંપો અને
આસોપાલવ જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેનાથી શહેરી હરિયાળી, હવાની ગુણવત્તા અને જૈવ વૈવિધ્યમાં વધારો
થાય છે.

‘મિશન 10,008’ની સફળ પૂર્ણાહુતિ વાસુ ફાઉન્ડેશનની વિશાળ પર્યાવરણીય પ્રતિબદ્ધતાનું પ્રથમ સોપાન છે. ફાઉન્ડેશને
આગામી 10 વર્ષમાં 1,08,000 વૃક્ષો વાવવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો સંકલ્પ લીધો છે. વાવેલા વૃક્ષોના લાંબા
ગાળાના જતન, વિકાસ અને સંરક્ષણને સુનિશ્ચિત કરવા માટે ફાઉન્ડેશને તેની ‘વાસુ ધર’ પહેલ હેઠળ 25 સમર્પિત
સભ્યોની ટીમ નિમણૂક કરી છે, જે વૃક્ષોની સંભાળ અને ઉછેરની જવાબદારી સંભાળે છે. તેમના અમૂલ્ય યોગદાનની
કદરરૂપે દરેક ટીમ સભ્યને ચાંદીનો સિક્કો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે વાસુ હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર હાર્દિક ઉકાણીએ જણાવ્યું હતું: “મિશન 10,008 માત્ર કોઈ આંકડાકીય લક્ષ્ય
હાંસલ કરવાનો પ્રયાસ નહોતો. તેનો હેતુ સમાજમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની સંસ્કૃતિ વિકસાવવાનો હતો. વાવવામાં
આવેલ દરેક વૃક્ષ એ એવા વ્યક્તિઓ, સંસ્થાઓ અને સ્થાનિક હિતધારકોની ભાગીદારીનું પ્રતીક છે, જેમણે ટકાઉ વિકાસ
તરફના એક મોટા આંદોલનનો ભાગ બનવાનું પસંદ કર્યું. આ મિશનની પૂર્ણતા અમારી સફરનો અંત નથી, પરંતુ પર્યાવરણ
સંરક્ષણ પ્રત્યેની વધુ વ્યાપક પ્રતિબદ્ધતાની શરૂઆત છે.”
શ્રી ઉકાણીએ આ અભિયાનને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ ભાગીદાર સંસ્થાઓ, સ્વયંસેવકો,
કર્મચારીઓ, સ્થાનિક સત્તાધિકારીઓ અને નાગરિકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
‘મિશન 10,008’ની સફળતા બાદ હવે વાસુ ફાઉન્ડેશન કચરા વ્યવસ્થાપન, ટકાઉ જીવનશૈલી અંગે જાગૃતિ અને
સમુદાયની ભાગીદારી જેવા ક્ષેત્રોમાં વધુ વ્યાપક પર્યાવરણીય પહેલો હાથ ધરવા માટે કાર્યરત છે, જેથી લાંબા ગાળે
સામાજિક અને પર્યાવરણીય પ્રભાવ સર્જી શકાય.
વાસુ હેલ્થકેર વિશે માહિતી :
ગુજરાતના વડોદરામાં મુખ્ય મથક ધરાવતી, વાસુ હેલ્થકેર કંપની, ચાર દાયકાથી વધુની કુશળતા ધરાવતી એક અગ્રણી
આયુર્વેદિક અને હર્બલ હેલ્થકેર કંપની છે. વૈજ્ઞાનિક રીતે માન્ય આયુર્વેદિક ઉકેલો અને જવાબદાર કોર્પોરેટ નાગરિકતા દ્વારા,
આ કંપની ભારત અને આંતરરાષ્ટ્રીય બજારોમાં હેલ્થ, વેલનેસ અને સસ્ટેનિબિલ વિકાસને પ્રોત્સાહન આપવાનું સતત જારી
રાખે છે. વાસુ હેલ્થકેરની સ્થાપના વર્ષ 1980 માં થઈ હતી. તે ભારતની અગ્રણી આયુર્વેદિક અને હર્બલ હેલ્થકેર
કંપનીઓમાંની એક છે અને આયુર્વેદ પ્રિસ્ક્રિપ્શન માર્કેટમાં અગ્રણી ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે. કંપની આયુર્વેદિક
ફોર્મ્યુલેશન, હર્બલ કોસ્મેટિક્સ, પર્સનલ કેર પ્રોડક્ટ્સ અને ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સની વિશાળ શ્રેણીનું ઉત્પાદન અને
માર્કેટિંગ કરે છે.
વાસુ હેલ્થકેર કંપની 200+ વિશિષ્ટ ઉત્પાદનોના પોર્ટફોલિયો અને 50 થી વધુ દેશોમાં હાજરી ધરાવે છે તેમજ ક્વોલિટી અને
ઈનોવેશન પ્રત્યે પ્રતિબદ્ધ રહીને તેની વૈશ્વિક ફૂટપ્રિંટને વિસ્તૃત કરી રહી છે. કંપની વડોદરામાં વિશ્વસ્તરીય ઉત્પાદન
સુવિધાઓ ધરાવે છે, જેમાં હાલમાં જ શરૂ કરવામાં આવેલી WHO-માનક આયુર્વેદિક ઉત્પાદન સુવિધાનો સમાવેશ થાય છે,
જે 2,00,000 ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે.
શેરહોલ્ડર મૂલ્ય સર્જનને પ્રોત્સાહન આપવા માટે ગુજ્જુભાઈ ઇન્ડસ્ટ્રીઝે વ્યૂહાત્મક વિલીનીકરણ પૂર્ણ કર્યું, પ્રમોટર હોલ્ડિંગ વધીને 63.75% થયું
થાણે (મહારાષ્ટ્ર) [ભારત], ૮ જૂન: ગુજ્જુભાઈ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (BSE: 532070), જે અગાઉ સુમુકા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરીકે ઓળખાતી હતી, તેણે ગુજ્જુભાઈ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેનું વિલીનીકરણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ વિલીનીકરણ દ્વારા ઉત્પાદન, બ્રાન્ડિંગ, માર્કેટિંગ, વેચાણ અને વિતરણ જેવી પ્રવૃત્તિઓને એકીકૃત કરીને એક સંકલિત પ્લેટફોર્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ વિલીનીકરણ દ્વારા પરસ્પર સંકળાયેલા બે વ્યવસાયોને એક જ લિસ્ટેડ કંપની હેઠળ લાવવામાં આવ્યા છે, જેના પરિણામે કોર્પોરેટ માળખું વધુ સરળ બનશે, શેરહોલ્ડરોના હિતો વધુ સુસંગત બનશે, સંભવિત હિતસંઘર્ષો દૂર થશે અને ભવિષ્યમાં સર્જાતી મૂલ્યવૃદ્ધિનો લાભ તમામ હિતધારકોને મળશે. સાથે જ, કામગીરીમાં સમન્વય અને મોટા પાયે કાર્યક્ષમતાના લાભો પ્રાપ્ત થશે.
ઉત્પાદન અને બજાર-કેન્દ્રિત કામગીરીઓને એક જ સંસ્થામાં લાવવાના કારણે કંપનીને મોટા પાયે કામગીરીના લાભો, સંસાધનોનો વધુ અસરકારક ઉપયોગ, સપ્લાય ચેઇનની કાર્યક્ષમતામાં વધારો અને વ્યૂહાત્મક અમલીકરણમાં મજબૂતી પ્રાપ્ત થવાની અપેક્ષા છે. આ એકીકૃત માળખું ઝડપી નિર્ણયો લેવામાં મદદરૂપ બનશે અને ભવિષ્યના વિસ્તરણ માટે મજબૂત પાયો પૂરું પાડશે.
વિલીનીકરણના પરિણામે, કંપનીમાં પ્રમોટર શેરહોલ્ડિંગ 27.71% થી વધીને 63.75% થયું છે, જે વિલીનીકૃત એકમમાં પ્રમોટર માલિકીના એકીકરણને દર્શાવે છે. ઉપરાંત, પ્રમોટર્સે ખુલ્લા બજારમાંથી પણ સતત શેરોની ખરીદી કરી છે, જે કંપનીની લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાઓ અને ભવિષ્ય પ્રત્યેના તેમના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.
ટિપ્પણી કરતાં શ્રીમતી CA શૈલી પટેલ, પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર, જણાવ્યું:
“આ વિલીનીકરણ અમારા વ્યવસાયના સ્વાભાવિક વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે અને તમામ હિતધારકોના હિતો સાથે વધુ સુસંગત એવું માળખું ઉભું કરે છે. ઘણા વર્ષોથી ગુજ્જુભાઈ ફૂડ્સ અને સુમુકા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એક જ મૂલ્યશૃંખલાના પરસ્પર પૂરક ભાગો તરીકે કાર્યરત હતા. બંને વ્યવસાયોને એક જ લિસ્ટેડ પ્લેટફોર્મ હેઠળ લાવીને અમે વધુ પારદર્શક, કાર્યક્ષમ અને વિસ્તરણક્ષમ સંસ્થા ઉભી કરી છે, જ્યાં ભવિષ્યની વૃદ્ધિના લાભો તમામ શેરહોલ્ડરોને સમાન રીતે પ્રાપ્ત થશે.”
“અમને કંપનીની લાંબા ગાળાની વૃદ્ધિની કહાની અને ફૂડ તથા FMCG ક્ષેત્રમાં ઊભી થઈ રહેલી તકો પર દૃઢ વિશ્વાસ છે. ઓર્ગેનિક અને ઇનોર્ગેનિક બંને પ્રકારના વિસ્તરણ પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરીને અમે Flipkart Minutes, Swiggy Instamart, FirstClub અને DMart Ready જેવા અગ્રણી ક્વિક-કોમર્સ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર અમારી પ્રોડક્ટ્સની ઉપલબ્ધતા વધારી રહ્યા છીએ. સાથે જ, અમે વ્યૂહાત્મક અધિગ્રહણોની તકોનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને ફોરવર્ડ તથા બેકવર્ડ સપ્લાય ચેઇનમાં અમારી ક્ષમતાઓને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. અમારો વિશ્વાસ છે કે આ પહેલો અમારી બજારસ્થિતિને વધુ મજબૂત બનાવશે અને શેરહોલ્ડરો માટે ટકાઉ લાંબા ગાળાનું મૂલ્ય સર્જશે.”
કંપનીનું માનવું છે કે આ વિલીનીકરણ ઉત્પાદન ક્ષમતાઓ, બ્રાન્ડ નિર્માણ અને વિતરણની શક્તિઓને એક જ માળખા હેઠળ એકત્રિત કરીને વૃદ્ધિના આગામી તબક્કા માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડે છે. વિસ્તરતા પ્રોડક્ટ પોર્ટફોલિયો, વધતા વિતરણ નેટવર્ક અને આધુનિક રિટેલ, ક્વિક-કોમર્સ તથા ઇ-કોમર્સ ચેનલ્સમાં વધતી હાજરી સાથે ગુજ્જુભાઈ ઇન્ડસ્ટ્રીઝ ભારતના ઝડપથી વિકસતા ફૂડ અને FMCG ક્ષેત્રમાં ઉપલબ્ધ તકોનો લાભ લેવા માટે મજબૂત સ્થિતિમાં છે.
ગુજ્જુભાઈ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિશે
ગુજ્જુભાઈ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (BSE: 532070), જે અગાઉ સુમુકા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરીકે ઓળખાતી હતી, એક જાહેરમાં લિસ્ટેડ ફૂડ અને FMCG કંપની છે, જે ગ્રાહક ઉત્પાદનોના ઉત્પાદન, બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને વિતરણ સાથે સંકળાયેલી છે. ગુજ્જુભાઈ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેના વિલીનીકરણ બાદ કંપની પરંપરાગત રિટેલ, આધુનિક ટ્રેડ, ક્વિક-કોમર્સ અને ઇ-કોમર્સ ચેનલ્સ મારફતે ગ્રાહકોને સેવા આપતું એકીકૃત વ્યવસાય મોડેલ સંચાલિત કરે છે. કંપની ભારતીય બજાર માટે પોતાના પ્રોડક્ટ પોર્ટફોલિયોના વિસ્તરણ, વિતરણ નેટવર્કને મજબૂત બનાવવા અને વિસ્તરણક્ષમ બ્રાન્ડ્સના નિર્માણ પર કેન્દ્રિત છે.
પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સ 2026 માં Ajay’s Café, ‘લીડિંગ કાફે ચેઇન ઓફ ધ યર’ એવોર્ડથી સન્માનિત
વાદ, 05 જૂન 2026 : ભારતનું અગ્રણી ઘરેલુ કાફે અને ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) બ્રાન્ડ્સમાં સામેલ, Ajay’s Café ને “પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સ 2026” માં “લીડિંગ કાફે ચેઇન ઓફ ધ યર’ એવોર્ડ” થી સન્માનિત કરાયું. આ એવોર્ડ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા 30 મેના રોજ અમદાવાદના હયાત રિજન્સી ખાતે યોજાયેલા એક ભવ્ય સમારોહમાં એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં Ajay’s Café ના ઉદ્યોગસાહસિકતા, રોજગાર સર્જન અને ઓર્ગેનાઇઝ્ડ કાફે ઉદ્યોગના વિકાસમાં યોગદાનને માન્યતા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અજય સોલંકી અને જયદીપ સોલંકી ભાઈઓ દ્વારા સ્થાપિત, Ajay’s Café નવસારીમાં એક જ આઉટલેટથી આજે 58 શહેરોમાં 265 થી વધુ આઉટલેટ્સના નેટવર્કમાં વિકસ્યું છે. હવે તે ભારતના સૌથી ઝડપથી વિકસતા કાફે અને QSR બ્રાન્ડ્સમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. આ ઓળખ અને માન્યતા કંપનીની વિકાસ યાત્રામાં એક માઇલસ્ટોન છે, જે એક ફ્રેન્ચાઇઝ-આધારિત મોડેલ પર બનાવવામાં આવી છે, જેનું ફોકસ મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો માટે નવી તકો ઊભી કરવા પર કેન્દ્રિત છે. આ એવોર્ડ પ્રાપ્ત કરતા, Ajay’s Café ના સંસ્થાપક અને ડિરેક્ટર અજય સોલંકીએ કહ્યું હતું કે, “એવોર્ડ એ બાબતની ઓળખ આપે છે કે, શું પ્રાપ્ત થયું છે, જ્યારે જવાબદારી આગળ શું કરવાનું છે, તે બાબતની સભાનતા કેળવે છે. આ સન્માન અમારી અત્યાર સુધીની સફરને એક ઓળખ આપે છે. આની સાથે જ, તે મોટા સ્વપ્ન જોવા, વધુ ઉમદા કાર્ય કરવા અને મોટી અસર ઉભી કરવાની અમારી પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવે છે. અમે આ સન્માનને કૃતજ્ઞતા અને અમારા ભવિષ્યના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે નવા નિશ્ચય સાથે સહર્ષ સ્વીકારીએ છીએ.”
