Posts by: abhay_news_editor
મુંબઈની ગ્લેનીગલ્સ હોસ્પિટલે ગુજરાતના દર્દીઓ માટે 165 સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી
કુલ 1000 સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટનો માઈલસ્ટોન પ્રાપ્ત કર્યો
સુરત/ગુજરાત, નવેમ્બર 2025 – મુંબઈના પરેલ સ્થિત ગ્લેનીગલ્સ હોસ્પિટલ (Gleneagles Hospital), જે લિવર કેર અને ટ્રાન્સપ્લાન્ટેશન માટે ભારતનું એક અગ્રણી કેન્દ્ર છે, તેણે એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હોસ્પિટલે ગુજરાતના દર્દીઓ માટે 165 સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યા છે, જે પશ્ચિમ ભારતમાં અત્યાધુનિક લિવર ટ્રીટમેન્ટ માટે શ્રેષ્ઠ સ્થળ તરીકે તેનું સ્થાન મજબૂત કરે છે. હોસ્પિટલે હવે કુલ 1000 થી વધુ સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીઓ પૂર્ણ કરી છે. આ સફળતાનું નેતૃત્વ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત નિષ્ણાતોની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ડૉ. અમિત મંડોત (ડાયરેક્ટર – હેપેટોલોજી), ડૉ. અનુરાગ શ્રીમાલ (ડાયરેક્ટર – લિવર ટ્રાન્સપ્લાન્ટ અને HPB સર્જરી), અને ડૉ. વિભોર બોરકર (ડાયરેક્ટર – પીડિયાટ્રિક લિવર ટ્રાન્સપ્લાન્ટ) નો સમાવેશ થાય છે.
દર્દીઓને વધુ સુવિધા આપવા અને તપાસના મહત્વપૂર્ણ તબક્કા દરમિયાન લાંબા અંતરની મુસાફરીની જરૂરિયાત ઘટાડવા માટે, ગ્લેનીગલ્સ હોસ્પિટલની ટીમ હવે નિયમિતપણે ગુજરાતની મુલાકાત લઈ રહી છે. આ પહેલનો ઉદ્દેશ્ય પરિવારોને સ્થાનિક સ્તરે જ મદદ પૂરી પાડવાનો, પ્રાથમિક કન્સલ્ટેશન આપવાનો, ફોલો-અપ લેવાનો અને વારંવાર મુંબઈ જવાની મુશ્કેલી વગર દર્દીઓને લિવર ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપવાનો છે.
ભારતમાં લિવરની બીમારીઓ જાહેર આરોગ્ય માટે એક મોટો પડકાર બની રહી છે. નેશનલ હેલ્થ એસ્ટિમેટ્સ મુજબ, વૈશ્વિક સ્તરે લિવર સિરોસિસના ભારણમાં ભારતનો હિસ્સો લગભગ 18 % છે, અને લિવર સંબંધિત જટિલતાઓને કારણે વાર્ષિક આશરે 2 લાખ મૃત્યુ થાય છે. હવે તે દેશમાં મૃત્યુનું 10મું મુખ્ય કારણ છે, અને ગ્રામીણ તથા શહેરી બંને વસ્તીમાં તેનું પ્રમાણ વધી રહ્યું છે.
ડૉ. અમિત મંડોત, ડાયરેક્ટર – હેપેટોલોજીએ કહ્યું, “સિરોસિસ અને લિવર ફેલ્યોર હવે માત્ર ચોક્કસ જોખમી જૂથો પૂરતી મર્યાદિત બીમારીઓ નથી રહી. હવે યુવાન વ્યક્તિઓમાં પણ લિવરની બીમારીઓ વધી રહી છે, જેના કારણે જાગૃતિ, વહેલું નિદાન અને સમયસર સારવાર પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ બની ગયા છે.”
ભારતમાં લિવરની બીમારીઓ વધવા પાછળ જીવનશૈલી, મેટાબોલિક, ચેપી અને આનુવંશિક પરિબળો જવાબદાર છે. તેના સામાન્ય કારણો નીચે મુજબ છે:
ફેટી લિવર ડિસીઝ (NAFLD/NASH): લગભગ 3 માંથી 1 ભારતીયને અસર કરે છે; આ સ્થિતિ મુખ્યત્વે મેદસ્વીતા, ડાયબિટીસ અને બેઠાડુ જીવનશૈલીને કારણે થાય છે.
વાયરલ હેપેટાઇટિસ (Hepatitis B & C): લાંબા સમય સુધી સારવાર ન કરાયેલ ચેપ વર્ષો સુધી લિવરને નુકસાન પહોંચાડી શકે છે.
આલ્કોહોલ સંબંધિત લિવર રોગ: વધુ પડતો અથવા લાંબા સમય સુધી દારૂનો વપરાશ સિરોસિસનું મુખ્ય કારણ છે.

જિનેટિક અને મેટાબોલિક ડિસઓર્ડર: વિલ્સન ડિસીઝ, હિમોક્રોમેટોસિસ અને ઓટોઈમ્યુન હેપેટાઇટિસ જેવી સ્થિતિઓ, ખાસ કરીને યુવાન દર્દીઓમાં જોવા મળે છે.
દવાઓથી થતું નુકસાન (Drug-induced Liver Injury): ડૉક્ટરની સલાહ વગર દવાઓ લેવી અને અનિયંત્રિત હર્બલ દવાઓનો ઉપયોગ પણ લિવરને નુકસાન પહોંચાડી શકે છે.
લિવરની બીમારીનું સૌથી ખતરનાક પાસું એ છે કે તે શાંતિથી આગળ વધે છે (Silent Progression). જ્યાં સુધી લિવરને ગંભીર નુકસાન ન થાય ત્યાં સુધી મોટાભાગના દર્દીઓમાં કોઈ લક્ષણો દેખાતા નથી. થાક, કમળો, વજન ઘટવું, પેટમાં સોજો અથવા લોહીની ઉલટી જેવા પ્રારંભિક સંકેતોની અવગણના કરવાથી લિવર ફેલ્યોર થઈ શકે છે.
ડૉ. અનુરાગ શ્રીમાલ, ડાયરેક્ટર – લિવર ટ્રાન્સપ્લાન્ટ અને HPB સર્જરી એ કહ્યું, “પ્રારંભિક નિદાન લિવર સંબંધિત લગભગ 70% જટિલતાઓને અટકાવી શકે છે, અને સમયસર તબીબી સારવાર ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાતને ટાળી શકે છે અથવા વિલંબિત કરી શકે છે. જો કે, એન્ડ-સ્ટેજ લિવર ડિસીઝના કેસોમાં, લિવર ટ્રાન્સપ્લાન્ટ જ એકમાત્ર યોગ્ય સારવાર છે જે લાંબા ગાળાનું સ્વાસ્થ્ય અને જીવન બક્ષી શકે છે.”
ડૉ. વિભોર બોરકર, ડાયરેક્ટર – પીડિયાટ્રિક લિવર ટ્રાન્સપ્લાન્ટે કહ્યું, “અમે આ પરિવારો સામેના પડકારોને સમજીએ છીએ અને વિશ્વસ્તરીય લિવર કેર પૂરી પાડવી અમારું મિશન છે. વ્યાપક સારવાર અને સપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને, અમે દરેક બાળકને ઉજ્જવળ અને સ્વસ્થ ભવિષ્ય પ્રદાન કરીએ છીએ. તેથી સમયસર નિદાન મહત્વપૂર્ણ છે; તે સારવારની દિશા બદલી શકે છે અને જીવન માટે જોખમી જટિલતાઓને સંપૂર્ણ સ્વસ્થ થવાની તકોમાં પરિવર્તિત કરી શકે છે.”
ગ્લેનીગલ્સ હોસ્પિટલ, મુંબઈના CEO ડૉ. બિપિન ચેવલેએ કહ્યું, “ગુજરાતમાં લિવર ટ્રાન્સપ્લાન્ટના કેસોમાં વધારો થવા પાછળ વધતી જાગૃતિ, સુધરેલી ડાયગ્નોસ્ટિક સુવિધાઓ, જીવનશૈલીમાં ફેરફાર અને ફેટી લિવર સંબંધિત સમસ્યાઓમાં વધારો જવાબદાર છે. જેમ જેમ વધુ દર્દીઓ વિશેષ સારવારની શોધમાં છે, તેમ તેમ ઉચ્ચ સફળતા દર, અદ્યતન તકનીકો અને અનુભવી ટીમ હોવાને કારણે ગ્લેનીગલ્સ હોસ્પિટલ પરેલ એક વિશ્વસનીય કેન્દ્ર બની ગયું છે.”
ગુજરાતમાં લિવર ટ્રાન્સપ્લાન્ટની વધતી સંખ્યાનું કારણ મુંબઈથી તેનું નજીકનું અંતર અને ગ્લેનીગલ્સ હોસ્પિટલ દ્વારા અપાતી પ્રતિબદ્ધ પેશન્ટ સપોર્ટ સેવાઓ છે.
ગ્લેનીગલ્સ હોસ્પિટલ પરેલ, મુંબઈ લિવર ટ્રાન્સપ્લાન્ટના તમામ મુખ્ય પ્રકારો કરે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
લિવિંગ ડોનર લિવર ટ્રાન્સપ્લાન્ટ (LDLT): પરિવારનો તંદુરસ્ત સભ્ય તેમના લિવરનો એક ભાગ દાન કરે છે.
ડિસીઝ્ડ ડોનર લિવર ટ્રાન્સપ્લાન્ટ (DDLT): રજિસ્ટર્ડ મૃત્યુ પામેલા દાતા (બ્રેઈન ડેડ) ના લિવરનો ઉપયોગ કરીને કરવામાં આવે છે.
પીડિયાટ્રિક લિવર ટ્રાન્સપ્લાન્ટ: લિવર ફેલ્યોર અથવા જન્મજાત લિવરની ખામીઓથી પીડાતા બાળકો માટે ખાસ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાઓ.
જટિલ અને હાઈ-રિસ્ક ટ્રાન્સપ્લાન્ટ: એડવાન્સ લિવર ફેલ્યોર, પોર્ટલ હાઈપરટેન્શન અથવા અનેક જટિલતાઓ ધરાવતા દર્દીઓ માટે.
દર્દીઓ લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવી શકે છે?
લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા ઈચ્છતા દર્દીઓ અથવા પરિવારો ગ્લેનીગલ્સ હોસ્પિટલના લિવર ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ પ્રક્રિયામાં નીચેનાનો સમાવેશ થાય છે:
પ્રારંભિક તબીબી મૂલ્યાંકન અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ.
ટ્રાન્સપ્લાન્ટ હેપેટોલોજિસ્ટ અને સર્જિકલ ટીમ દ્વારા તપાસ.
દાતાનું મૂલ્યાંકન (લિવિંગ ડોનર ટ્રાન્સપ્લાન્ટ માટે).
સ્ટેટ ટ્રાન્સપ્લાન્ટ વેટિંગ લિસ્ટમાં નોંધણી (ડિસીઝ્ડ ડોનર ટ્રાન્સપ્લાન્ટ માટે).
પ્રક્રિયા, ખર્ચ અને ઓપરેશન પછીની સંભાળ અંગે કાઉન્સેલિંગ.
ગ્લેનીગલ્સ હોસ્પિટલ ટ્રાન્સપ્લાન્ટ પછી વીમા (Insurance) પ્રક્રિયા, નાણાકીય સલાહ અને રિહેબિલિટેશનમાં મદદ કરવા માટે વિશેષ ટીમો પણ પૂરી પાડે છે.
સાર્વજનિક યુનિવર્સિટીએ NSS ના નેતૃત્વમાં સમૂહગાન સાથે વંદે માતરમના 150 વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરી
સુરત : સાર્વજનિક યુનિવર્સિટીએ તેના NSS યુનિટ સાથે મળીને, પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 વર્ષની ઉજવણી માટે એક ખાસ સમૂહગાન કાર્યક્રમનું ગૌરવભેર આયોજન કર્યું હતું. આ ઉજવણી 20 નવેમ્બરના રોજ બપોરે 2 વાગ્યે યુનિવર્સિટી કેમ્પસમાં યોજાઈ હતી. તેમાં 170 થી વધુ વિદ્યાર્થીઓ, NSS સ્વયંસેવકો અને ફેકલ્ટી સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમનું આયોજન, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન અને સાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલ, સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યા અને સાર્વજનિક યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી આશિષ દેસાઈના આશીર્વાદ અને નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. તેમની હાજરી અને પ્રેરણાદાયક શબ્દોએ આ પ્રસંગને ખૂબ જ મહત્વપૂર્ણ બનાવ્યો હતો તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા સૌને વંદે માતરમના સાંસ્કૃતિક, ઐતિહાસિક અને દેશભક્તિના મહત્વ પર ચિંતન કરવા માટે પ્રેરિત કર્યા હતા.

આ દમદાર સામૂહિક પ્રસ્તુતિના માધ્યમથી, સાર્વજનિક યુનિવર્સિટીએ યુવા નાગરિકોને એકતાના મહત્વ, માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ અને રાષ્ટ્રનિર્માણની સહિયારી જવાબદારીની યાદ અપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રકારના આયોજનો, રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવામાં, સામાજિક એકતાને મજબૂત બનાવવામાં તેમજ જવાબદાર તથા સહાનુભૂતિશીલ યુવાનોના ઘડતરમાં મદદ કરે છે. વાસ્તવમાં, આ ગુણો અને સહકારની ભાવના, પ્રગતિશીલ ભારતને આકાર આપવા માટે ખુબજ જરૂરી છે.
સાર્વજનિક યુનિવર્સિટીએ NSS પહેલ દ્વારા, સાંસ્કૃતિક જાગૃતિ, નાગરિક જવાબદારી અને સેવાલક્ષી નેતૃત્વને પ્રોત્સાહન આપીને સર્વાંગી શિક્ષણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના વિકાસ અને જીવન ઘડતર માટેના પ્રોત્સાહક કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવે છે.
વંદે માતરમ !
મોહમ્મદ વાણીયા: સાંભળવાની શક્તિ નથી… પરંતુ પ્રતિભાનો ગર્જતો અવાજ દુનિયા સુધી પહોંચ્યો
- સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા મળેલા મજબૂત આધાર થકી SRKI ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી મોહમ્મદ વાણીયાએ ટોકિયો ઓલિમ્પિકમાં એર શૂટિંગ કોમ્પિટિશનમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી વૈશ્વિક સ્તરે ભારત,ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું છે
સુરત. સુરતના યુવા શૂટર મોહમ્મદ વાણીયાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે પ્રતિભા અને જિદ્દ સામે કોઈ અડચણ મોટી નથી હોતી. સાર્વજનિક યુનિવર્સિટી સંલગ્ન SRKI ઇન્સ્ટિટ્યૂટમાં BSC–ITના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા મોહમ્મદએ ટોકિયામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સ્તરની સ્પર્ધામાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને ભારત–ગુજરાત–સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજતું કર્યું છે.
મોહમ્મદને જન્મથી સાંભળવાની શક્તિ નથી, છતાં આ કાયમી મુશ્કેલી તેને રોકી ન શકી. બદલે એ જ તેની સૌથી મોટી પ્રેરણા બની. રાઇફલ શૂટિંગ જેવી રમત, જ્યાં એકાગ્રતા અને સ્વનિયંત્રણ સૌથી અગત્યના હોય, ત્યાં મોહમ્મદે પોતાની ધીરજ, મહેનત અને આગ્રહથી વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.
- પ્રતિભાને અનુકૂળ માહોલ આપવામાં સાર્વજનિક યુનિવર્સિટીની અગત્યની ભૂમિકા
મોહમ્મદની પ્રતિભાની જાણ થતાં જ સાર્વજનિક યુનિવર્સિટીએ તેની સંપૂર્ણ રીતે સાથે ઉભી રહી. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યાએ જણાવ્યું કે
મોહમ્મદ જેવી પ્રતિભા ખૂબ દુર્લભ હોય છે. તેને સફળ થવા માટે યુનિવર્સિટીના દરવાજા અને તમામ સ્રોતો પૂર્ણ ખુલ્લા રાખવામાં આવ્યા છે. માત્ર સહકાર જ નહીં, તેની પ્રેરક સફળતાને બિરદાવતાં યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ આશિષભાઈ વકીલે મોહમ્મદને વિશાળ પ્રોત્સાહન આપતાં જાહેરાત કરી છે કે SRKI ઇન્સ્ટિટ્યૂટમાં તે ભણતો રહેશે ત્યાં સુધી તેને સંપૂર્ણ સ્કોલરશીપ મળશે.

- વર્ષો સુધીની મહેનત, દિવસે 4–5 કલાક પ્રેક્ટિસ
મોહમ્મદ કહે છે કે તે છેલ્લા ચાર વર્ષથી સતત મહેનત કરી રહ્યો હતો. દરરોજ ચારથી પાંચ કલાક એર રાઇફલ સાથે પ્રેક્ટિસ કરું છું. આખરે આ મહેનતનું ફળ મેડલ તરીકે મળ્યું છે એ મારા માટે સપનાથી પણ વધુ છે.શ્રવણશક્તિ ન હોવાની અડચણને તેને એક ક્ષણ માટે પણ બહાનું નહીં માની તેને શક્તિમાં ફેરવી દીધી. તેની ફોકસ ક્ષમતા અને એકાગ્રતા તેને અન્ય ઘણી વખત સ્પર્ધકો કરતાં આગળ લઈ ગઈ છે.
- સુરતનું ગૌરવ મોહમ્મદ વાણીયા આજે યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત
મોહમ્મદ વાણીયાની સફળતા માત્ર મેડલ સુધી સીમિત નથી તે એક સંદેશ છે કે કમજોરી કોઈને રોકતી નથી… જો ઈચ્છા મજબૂત હોય તો દુનિયા પણ માનશે. સુરતના આ યુવા શૂટરે વિશ્વમંચ પર જે તેજ ફેલાવ્યો છે, તે ભાવિ ડેફ એથ્લેટ્સ અને તમામ ઊભરતા ખેલાડીઓને નવી પ્રેરણા આપી રહ્યો છે.
સુરત પ્રી-સ્કૂલ એસોસિએશન દ્વારા ગુજરાત સરકારનો આભાર
નાના બાળકો માટે નજીકની પ્રી-સ્કૂલ જ શ્રેષ્ઠ : ડૉ. સ્વાતિ વિનચુલકર
સુરત પ્રી-સ્કૂલ એસોસિએશન (SUPSA)ની બેઠક સફળતાપૂર્વક યોજાઈ હતી, જેમાં પ્રી-સ્કૂલ રજીસ્ટ્રેશન સંબંધિત નિયમોમાં બહેનોના હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે કરેલા સરળિકરણનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતની હજારો એજ્યુકેટર બહેનોની તરફેથી સરકારે આ સકારાત્મક પહેલ માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને આગલા સમયમાં પણ લાખો લોકોને રોજગાર આપતા પ્રી-સ્કૂલ ક્ષેત્રને આવા જ સહયોગ દ્વારા મજબૂત બનાવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી.
SUPSA એ જ 2023 માં આ મુદ્દે બગુલ ફૂંકીને સમગ્ર રાજ્યના સ્કૂલ સંચાલકોને સાથે લઈ આ મોટા પરિવર્તન શક્ય બનાવ્યું હતું. ગુજરાતના ઈતિહાસમાં બહુ ઓછા પ્રસંગોએ સરકાર દ્વારા આવા વ્યાપક સ્તરે નિયમોમાં સુધારા અને સરળિકરણ કરવામાં આવ્યું છે.

આ આયોજન દરમિયાન ડૉ. સ્વાતી વિંચુલકરએ માતા-પિતાને બાળકોના આરોગ્ય અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નજીકના ઈન્ડિપેન્ડન્ટ પ્રી-સ્કૂલમાં એડમિશન કરાવવાની સલાહ આપી હતી. ચાઇલ્ડ એક્સપર્ટ્સ ડૉ. ભાવના રાજા, નિધી અગ્રવાલ, ડૉ. દીપક રાજ્યગુરુ અને યશવી જૈન દ્વારા સમાજના વિકાસમાં પ્રી-સ્કૂલના મહત્વપૂર્ણ યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી.
સુરત પ્રી-સ્કૂલ એસોસિએશન તેના સભ્યોના હિત અને અર્લી ચાઇલ્ડ એજ્યુકેશનના વિકાસ માટે સમયાંતરે વિવિધ કાર્યક્રમો અને ટ્રેનિંગનું આયોજન કરતું રહે છે.
SUPSA દ્વારા ગુજરાત સરકાર અને એજ્યુકેશન મિનિસ્ટ્રીને પ્રી-સ્કૂલ રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 31 માર્ચ 2026 સુધી વધારવા માટે વિનંતી કરવામાં આવી છે, કારણ કે હજુ સુધી રાજ્યની અંદાજે માત્ર 5,000 પ્રી-સ્કૂલોએ જ અરજી કરી છે.
સુરતમાં યોગદા સત્સંગ સોસાયટીનો ક્રિયાયોગ કાર્યક્રમ સંપન્ન, પાંચ આધ્યાત્મિક પુસ્તકોનું વિમોચન
સ્વામી શુદ્ધાનંદગીરીએ આપ્યું જીવનમૂલ્યોને સ્પર્શતું પ્રેરણાદાયી પ્રવચન
સુરતઃ પરમહંસ યોગાનંદજીએ સ્થાપેલી યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયાના સુરત દ્વારા આજરોજ ઇચ્છાનાથ–ડુમસ રોડ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ગેસ્ટ હાઉસ ખાતે ક્રિયાયોગ પર વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. “આનંદમય અને સફળ જીવનની કુંજી – ક્રિયાયોગ વિજ્ઞાન” વિષયક આ ધાર્મિક કાર્યક્રમમાં શહેરના અનેક જિજ્ઞાસુઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાંજે 6થી 6:30 વાગ્યા દરમિયાન ભજનોથી કાર્યક્રમની શરૂઆત થઈ. ત્યારબાદ 6:30થી 7 વાગ્યા દરમિયાન આધ્યાત્મિક સાહિત્ય પર આધારિત પાંચ પુસ્તકોનું વિમોચન કરાયું, જેને હાજર શ્રોતાઓએ તાળીપાડી આવકાર્યું.
મુખ્ય વક્તા સ્વામી શુદ્ધાનંદગીરીએ તેમના પ્રેરક સંદેશમાં જણાવ્યું કે પરમહંસ યોગાનંદજીએ શીખવેલ ક્રિયાયોગ વિજ્ઞાન મન, પ્રાણ અને ચેતનાને શુદ્ધ કરીને જીવનમાં શાંતિ અને સફળતાના દ્વાર ખોલે છે. તેમણે ગીતામાં ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને “તુ યોગી બન” કહેવાયેલી પ્રેરણાની વ્યાખ્યા કરતા યોગના વિવિધ માર્ગોમાં રાજયોગની વિશિષ્ટતા સમજાવી.

સ્વામીએ વધુમાં કહ્યું કે ક્રિયાયોગ એ પ્રાણાયમની સર્વોચ્ચ રીત છે, જેનાથી મેરુદેહમાં સ્થિત ચક્રો જાગૃત થઈને ભક્ત આત્મસાક્ષાત્કારના માર્ગે આગળ વધે છે. આ માર્ગ જીવનના “કુરુક્ષેત્ર” જેવા આંતરિક સંઘર્ષોને જીતવામાં મદદરૂપ બને છે.
યોગદા સત્સંગ ઘ્યાન કેન્દ્ર, સુરત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લઇ આધ્યાત્મિક લાભ મેળવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સુખદ, શાંત અને આધ્યાત્મિક ઊર્જાથી ઓતપ્રોત માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો
લાલો, કૃષ્ણ સદાય સહાયતે ની ટીમ પહોંચી Primex મીડિયાની ઓફિસે, ગીતા અને કૃષ્ણ ચરિત્ર સાથે કરવામાં આવ્યું સન્માન
ડાયરેક્ટર અંકિત સખીયા અને કૃષ્ણભૂમિકાના શ્રૂહદ ગોસ્વામી સાથે ફિલ્મની સફર, લોકપ્રતિસાદ વિશે થઈ ચર્ચા
સુરત. ગુજરાતી ફિલ્મ જગતમાં વખણાઈ રહેલી ફિલ્મ લાલો કૃષ્ણ સદાય સહાયતેની ટીમ આજે સુરતની મુલાકાતે હતી.આ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર અંકિત સખીયા અને કૃષ્ણનું પાત્ર જીવંત કરનાર શ્રૂહદ ગોસ્વામીએ દેશના અગ્રણી 360° બિઝનેસ કમ્યુનિકેશન નેટવર્ક અને પીઆર એજન્સી Primex મીડિયા પ્રાઈવેટ લિમિટેડની મુલાકાત લીધી હતી.
Primex મીડિયાના ડાયરેક્ટર રંજના દેસાઈ અને નિતેશ દેસાઈએ બંને કલાકારોનું પરંપરાગત રીતે શ્રીમદ ભગવદ્ ગીતા અને કૃષ્ણ ચરિત્ર પુસ્તક ભેટ આપી સ્વાગત કર્યું હતું. મુલાકાત દરમિયાન ફિલ્મની પાછળ રહેલા વિચારો, તેમની ટીમનું મહેનતભર્યું કાર્ય અને ફિલ્મ રિલીઝ બાદથી મળતો ઉષ્માભર્યો પ્રતિસાદ સહિત અનેક મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા કરાઇ હતી.

અંકિત સખીયાએ જણાવ્યું કે, ફિલ્મ સોશિયલ મેસેજ અને આધ્યાત્મિક ભાવના સાથે જોડાયેલી હોવાથી દર્શકોનો પ્રેમ સતત વધતો જાય છે. અભિનેતા શ્રૂહદ ગોસ્વામીએ પણ દર્શકોની પ્રશંસા બદલ આભાર વ્યક્ત કર્યો. Primex મીડિયાના સમગ્ર સ્ટાફે ફિલ્મની ટીમને આવનારા સમયમાં વધુ સફળતા અને વિશાળ પહોંચ મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે Primex મીડિયાના સુરત સ્થિત હેડકવાર્ટર્સની અત્યાર સુધી સુપરસ્ટાર હિતેન કુમાર સહિત ઢોલીવુડના અનેક જાણીતા કલાકારોએ મુલાકાત લીધી છે. દેશના ઝડપી વિકસતા 360° બિઝનેસ કમ્યુનિકેશન નેટવર્ક, પીઆર એજન્સી તરીકે Primex મીડિયા હાલમાં સુરત અને અમદાવાદમાં ઓફિસ ધરાવે છે. અને ટૂંક સમયમાં મુંબઈ તથા દિલ્હીમાં નવી ઓફિસ શરૂ કરવાની તૈયારીમાં છે
સુરત હવે સુરતીઓને મળશે કર્નાટકના પ્રસિદ્ધ બેન્ને ઢોંસાનો અસલ સ્વાદ, શહેરમાં શરૂ થયેલું ‘દાવણગેરે સ્ટાઇલ’ ડીવીજી બેન્ને ઢોસા રેસ્ટોરન્ટ
સુરત (ગુજરાત) [ભારત], 25 નવેમ્બર: સુરતની સ્વાદપ્રિય જનતા માટે હવે કર્ણાટકના જાણીતા દાવણગેરે સ્ટાઇલ ઢોસાનો અસ્સલ સ્વાદ હવે સુરતમાં જ ઉપલબ્ધ બન્યો છે. રવિવારે અડાજણના પ્રથમ સર્કલ ખાતે આવેલી દ બ્લવર્ડ ખાતે દક્ષિણ ગુજરાતનું પહેલું ડીવીજી બેન્ને ઢોસા રેસ્ટોરન્ટ ભવ્ય રીતે શરૂ કરવામાં આવ્યું છે. આ અનોખા દાવણગેરે સ્ટાઇલ ઢોસા આઉટલેટનું ઉદ્ઘાટન આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સના મેનેજિંગ ડિરેક્ટર મહેશ રામાણી દ્વારા કરવામાં આવ્યું, ત્યારબાદ રેસ્ટોરન્ટને સત્તાવાર રીતે જનતા માટે ખુલ્લુ મૂકી દેવામાં આવ્યું. ઉદ્ઘાટન સાથે જ હવે આ રેસ્ટોરન્ટ દરરોજ સવારે 8:30થી રાત્રીે 11:00 સુધી ખુલ્લું રહેશે.
આ પ્રસંગે આઉટલેટના ઓનર શરણએ જણાવ્યું હતું કે આ આઉટલેટની સૌથી મોટી વિશેષતા કર્ણાટકના દાવણગેરે શહેરની પ્રસિદ્ધ બેન્ને ઢોસા સ્ટાઇલ છે, જેમાં દરેક વાનગીમાં પૂરતું વ્હાઇટ બટર (બેન્ને)નો ઉપયોગ કરવામાં આવે છે. જે અનોખો સ્વાદ સુરતવાસીઓને અત્યાર સુધી ક્યારેય મળ્યો નથી. ડીવીજી બેન્ને ઢોસા એક લોકપ્રિય ફ્રેન્ચાઈઝી મોડલ આધારિત ચેઇન છે, જેની 12થી વધુ શાખાઓ બેંગલુરુ, પુણે, અમદાવાદ અને વડોદરા જેવી શહેરોમાં ચાલી રહી છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં આ તેમનો પહેલો આઉટલેટ છે, જે સ્થાનિક ફૂડ લવર્સ માટે નવો અને ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફ્લેવર લઈને આવ્યું છે. અડાજણ ખાતે શરૂ થયેલ આ રેસ્ટોરન્ટ 1400 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને અહીં 60 લોકોને બેઠક સુવિધા ઉપલબ્ધ છે.
ગુજરાતી ફિલ્મ અને મ્યુઝિકલ લવ સ્ટોરી આવવા દેના ગીતો મચાવી રહ્યા છે ધૂમ
સુરત (ગુજરાત) [ભારત], 24 નવેમ્બર: ગાંગાણી મોશન પિક્ચર્સના બેનર હેઠળ અને જિતેન્દ્ર જાની ફિલ્મ્સ પ્રેઝેન્ટેડ મ્યુઝિકલ યુથ લવ સ્ટોરી ‘આવવા દે’ હાલમાં ગુજરાતી સિનેમા જગતમાં ચર્ચાનું કેન્દ્ર बनी ગઈ છે. રાઈટર-ડિરેક્ટર નિહાર ઠક્કર દ્વારા બનેલી આ અર્બન રોમેન્ટિક ફિલ્મમાં પરિક્ષિત તમાલિયા અને કુંપલ પટેલ મુખ્ય કલાકારો તરીકે વિશેષ વખાણ મેળવી રહ્યા છે. સુરતમાં ટ્રેલર લોન્ચ થતાની સાથે જ તેના ગીતોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
ટ્રેલર
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, જેની પહેલી ઝલક જ દર્શકોના દિલ જીતી લેતા હૃદયસ્પર્શી દૃશ્યો સાથે મંત્રમુગ્ધ કરે છે.
ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યા છે:
- જૈમિન પંચમતિયા (પરિક્ષિત) — રંગીન મિજાજનો, સ્વતંત્ર વિચારોવાળો, મ્યુઝિક સાથે જીવે તેવો યુવાન સિંગર.
- જાનવી દેસાઈ (કુંપલ પટેલ) — સાદગી અને આત્મવિશ્વાસથી ભરેલી, ગાંધીનગરથી એમબીએ કરેલી યુવતી.
બંને વચ્ચે બનેલો લાગણીઓનો સૂર અને પ્રેમનો ધીમો સફર ટ્રેલરને વિશેષ બનાવે છે.
ફિલ્મનો સેન્ટ્રલ ડાયલોગ
“When love finds you, you don’t stop it – you say Aavaa De!”
આ ડાયલોગ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ છે.
નિર્માતાઓએ જણાવ્યું છે કે ફિલ્મ દર્શકોને હસાવશે પણ, રડાવશે પણ અને પ્રેમને એક નવી રીતે ઉજવવા પ્રેરિત કરશે.
સંગીત – ફિલ્મની સૌથી મોટી હાઇલાઇટ
- મ્યુઝિક: દર્શન ઝવેરી
- અવાજ: કિર્તીદાન ગઢવી અને જીગરદન ગઢવી
- ગીતો યુટ્યુબ અને રીલ્સ પર સતત ટ્રેન્ડ થઈ રહ્યા છે.
- આમિર મીરનું ફોર્થ સોંગ પણ રિલીઝ થયું છે, જે યુથ સેન્સેશન બનવાની પૂરી સંભાવના છે.
કાસ્ટ
પરિક્ષિત–કુંપલ સિવાય ફિલ્મમાં:
- હેમંત ખેર
- સોનાલી દેસાઈ
- કમલ જોશી
- અર્ચન ત્રિવેદી
- લિનેશ ફણસે
અને અનેક કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે.
ફિલ્મનું સહ-નિર્માણ જિતેન્દ્ર જાની અને રમા જાની દ્વારા કરવામાં આવ્યું છે.
રિલીઝ
ગુજરાતીની સૌથી મોટી મ્યુઝિકલ લવ સ્ટોરી તરીકે રજૂ થતી
‘આવવા દે’ – 28 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
પ્રેમ, સંગીત અને ઈમોશન્સની આ સફરે દર્શકોને કેટલું જીતી શકશે તેની આતુરતા સતત વધી રહી છે.
દીપ દર્શન વિદ્યા સંકુલ દ્વારા દરેક વિભાગની સ્પોર્ટ્સ ડે ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ ઉજવવા બાબત
દીપ દર્શન વિદ્યા સંકુલ દ્વારા દરેક વિભાગો માં તારીખ 19 નવેમ્બર, 2025 અને 20 નવેમ્બર, 2025ના રોજ સ્પોર્ટ્સ ડેની ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ કરી. SMC પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 12 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને તેમની રમતગમતની ક્ષમતા અને ટીમ સ્પિરિટનું પ્રદર્શન કર્યું.
કાર્યક્મની શુભ શરૂઆત હનુમાન ચાલીસા દ્વારા કરવામાં આવી તથા શાળાના આદરણીય મેનેજમેન્ટ સભ્યો , શાળા ના ટ્રસ્ટી અને શક્ષણિક સલાહકાર તેમજ મુખ્ય મેહમાન તરીકે ડો. બિન્દેશ પટેલ–ડેપ્યુટી રજિસ્ટ્રાર, પી.પી.સવાણી યુનિવર્સિટી, ડૉ.વિજયભાઈ ગોંડલિયા–ડાયરેક્ટર ઉકા તરસાડીયા યુનિવર્સિટી ,શ્રી જય ભંડારી– સ્પોર્ટ્સ એડવાઇઝર, શાળા ના વાલી મિત્રો શ્રી સચિન શર્મા, શ્રી રોહિતભાઈ મેર, શ્રી પ્રદ્યુમનસિંહ આહિર, શ્રી પરેશકુમાર પટેલ જેવા દિગ્ગજ આમંત્રિત મહેમાનોના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ થયો.બાળકો નો ઉત્સાહ વધારવા માટે શાળા ના અનેક વાલીઓ હાજર રહ્યા હતા. બે દિવસિય કાર્યક્રમમાં વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓમાં રમતગમત, ટીમવર્ક અને શારીરિક ક્ષમતાના મૂલ્યોને વધારવામાં આવ્યા. સહભાગીઓએ પ્રશંસનીય ઉર્જા અને કૌશલ્ય દર્શાવ્યું, જેનાથી આ કાર્યક્રમ યાદગાર અને આનંદદાયક બન્યો.
શાળા ના બાળકો દ્વારા પરેડ કાર્યક્રમ, ડાન્સ પરફોર્મન્સ અને મશાલ માર્ચિંગ એ બધા નું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને બાળકો એ પોતાના કૌશલ રજૂ કરી બધા ને મંત્રમુગ્ધ કરી દીધા હતા જેના માટે શાળાગણ તથા વાલીઓ એ એમને ટાળી ઓના ગળગળાટ થી બિરદાવી લીધા હતા.

સ્પોર્ટ્સ ડેની ઉજવણી પુરસ્કાર વિતરણ સમારોહ સાથે સમાપ્ત થઈ, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ દેખાવ બદલ સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ ઉત્સાહ અને તાળીઓથી સાક્ષર બન્યો, જે શાળાની વિદ્યાર્થીઓને સર્વાંગી શિક્ષણ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ કાર્યક્રમની સફળતા માટે સહયોગ આપનાર માતા-પિતા, વાલીઓ અને શિક્ષકગણનો શાળા તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
દીપ દર્શન વિધાસંકુલ હંમેશની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થી પ્રતિભાને પ્રોત્સાહિત કરે તેવું સકારાત્મક અને પ્રેરણાદાયી માહોલનું સર્જન કર્યું હતું.
સ્કોલર ઇંગ્લિશ એકેડમી CBSE સ્કૂલે ઉત્તર ભારતીય શાળાઓમાં બીજું સ્થાન મેળવ્યું
એસડી હરિત સ્કૂલ (ગૂગલ બોય સ્કૂલ), પાણીપત (હરિયાણા) ખાતે આંતરરાજ્ય ભાષણ અને કવિતા પઠન સ્પર્ધાનું મહાન સંગઠન
10 રાજ્યોની 15 થી વધુ ટીમોએ ભાગ લીધો
શનિવારે એસ.ડી.હરિત સ્કૂલ, કોહાંડ, પાણીપત ખાતે સ્વ.સંદીપ શર્માની યાદમાં આંતર રાજ્ય વક્તવ્ય અને કાવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ સહિત 10 રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમમાં બે વિદ્યાર્થીઓ હતા. જેમાંથી એકે પ્રખ્યાત કવિઓની કવિતાઓનું પઠન કર્યું હતું અને બીજાએ પસંદગીના વિષયો પર વક્તવ્ય આપ્યું હતું.
આ સ્પર્ધામાં શાળાના શિક્ષક રાજ દ્વિવેદીની આગેવાની હેઠળ સ્કોલર ઈંગ્લિશ એકેડમી સીબીએસઈ સ્કૂલ સુરત, શાળાના બે વિદ્યાર્થીઓ કુણાલ અગ્રવાલ અને અરમાન સિંઘે ભાગ લીધો હતો અને વ્યક્તિગત રીતે સ્કોલર ઈંગ્લિશ એકેડમી સુરતે વક્તવ્ય સ્પર્ધા અને કાવ્ય પઠનમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું.
શાળાના મેનેજીંગ ટ્રસ્ટી રાજેશ મહેશ્વરીએ ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ સિદ્ધિ શાળા માટે ગૌરવની વાત છે.
આ સિદ્ધિ અંગે ખુશી વ્યક્ત કરતાં શાળાના આચાર્ય મહેન્દ્ર તાયડેએ જણાવ્યું હતું કે, ટીમના સામૂહિક પ્રયાસોને કારણે જ આ શક્ય બન્યું છે. તેમણે કહ્યું કે આ ટીમ આવનારી સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ તેમની શાળાનું પણ ગૌરવ વધારશે.